Opinion Magazine
Number of visits: 9458224
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘મેરા ભારત મહાન’ જ છે તો હવે ‘ભારત છોડો આંદોલન’ કેમ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 December 2022

કેટલીક વાર આપણું રાષ્ટ્રીય ચારિત્ર્ય પકડાતું નથી. એક તરફ ભારતનું વૈશ્વિક કદ વિકસતું આવતું જણાય છે, તો બીજી તરફ તે સાવ દંભી ને છીછરું પણ દેખાય છે. અમેરિકા અને રશિયા આમ તો પ્રતિદ્વંદ્વી રાષ્ટ્રો છે, પણ એ બંને ભારતના મિત્રો છે, એની પણ કમાલ જ છેને ! અમેરિકા, રશિયા સાથેની ભારતની મૈત્રીની વિશ્વભરમાં નોંધ લેવાતી હોય કે ભારતનું વૈશ્વિક સ્તરે પ્રતિનિધિત્વ અને વર્ચસ્વ અગાઉ ક્યારે ય ન હતું એટલું વિકસ્યું હોય તો, પ્રશ્ન એ થાય કે કેટલી ય સિદ્ધિઓમાં ભારત લગભગ છેલ્લે કેમ છે? ભારતે અનેક સ્તરે વિકાસ કર્યો જ છે તેની ના નથી, પણ વૈશ્વિક ભૂખમરાની 2022માં બહાર પડેલી યાદીમાં, 121 દેશોમાં ભારત 107માં નંબરે છે તે પણ હકીકત છે. એ બાબતે તો આપણાં કરતાં યાદીમાં પાકિસ્તાન, શ્રીલંકા કે નેપાળ વધારે આગળ છે. 2021માં ભારત 101માં સ્થાને હતું ને ‘22માં તે 6 નંબર પાછળ ગયું છે એ વિકાસનું કયું લક્ષણ છે તે સમજવાનું અઘરું છે.

એ સિદ્ધિનો આનંદ છે કે ભારતે કરોડો ભારતીયોને કોરોનાની રસી વિના મૂલ્યે પૂરી પાડી, એટલું જ નહીં, લાખો ડોઝ 35થી વધુ દેશોને ગ્રાન્ટ સહાય તરીકે વિના મૂલ્યે પૂરા પાડ્યા. એ પણ ખરું કે ભારતમાં યુવાનોની સેનાના ચાર દેશોમાં ભારત ચોથા નંબરે છે. ભારત બ્રિટનને પાછળ છોડીને પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે તે પણ નાની સિદ્ધિ નથી. અર્થવ્યવસ્થામાં આવેલી મંદીને કારણે ભારતની આર્થિક નીતિની ઘણી ટીકા થઈ, પણ વર્લ્ડ ઈકોનોમિક ફોરમના એક રિપોર્ટ પ્રમાણે, 137 દેશોની યાદીમાં 55માં ક્રમ પરથી તે છેલ્લાં પાંચ વર્ષમાં 40માં ક્રમ પર આવ્યું છે તેની ના પાડી શકશે નહીં. એ પણ છે કે ભારત પાસે G-20, એસ.સી.ઓ.ની અધ્યક્ષતા આવી છે. આ ઉપરાંત પણ બીજી સિદ્ધિઓ ગણાવી શકાય.

એક સમય હતો, જ્યારે વેપાર, વિદ્યા ને વૃદ્ધિ અર્થે વિદેશથી અનેક પ્રજાઓ મોટી સંખ્યામાં આ દેશમાં આવી અને અહીં જ વસી ગઈ. મોગલો, અંગ્રેજો ને બીજી ઘણી પ્રજાઓ પણ અહીં આવી ને ભારતની ભૂમિ પરખીને તેણે અહીં જ વર્ચસ્વ જમાવ્યું. એ સંદર્ભે આજની સ્થિતિ જુદી છે. છેલ્લાં થોડાં વર્ષોની જ વાત કરીએ તો 2016થી ‘19માં દર વર્ષે ભારતની નાગરિકતા લેનાર વિદેશીઓની વધુમાં વધુ સંખ્યા દર વર્ષે બસોની પણ નથી. 2017માં 175 લોકોએ ભારતની નાગરિકતા લીધી એ સૌથી મોટો આંકડો છે. 2020માં તો એ સંખ્યા 27ની જ હતી ને 2022માં અત્યાર સુધીમાં 60 લોકોએ જ ભારતની નાગરિકતા લીધી છે. એની સામે ભારત છોડીને વિદેશનું નાગરિકત્વ સ્વીકારનારની સંખ્યા છેલ્લાં દસ વર્ષમાં 16 લાખથી વધારે છે. બીજા શબ્દોમાં કહીએ તો દર વર્ષે અંદાજે દોઢ લાખથી વધુ ભારતીયો વિદેશમાં સ્થાયી થયા છે. આ વર્ષની જ વાત કરીએ તો ઓકટોબર, 2022 સુધીમાં ભારત છોડીને અહીંનાં 1,83,741 લોકો વિદેશ જઈને કાયમી વસવાટ કરી ચૂક્યા છે. આ માહિતી રાજ્યકક્ષાનાં વિદેશ પ્રધાન મુરલીધરને લોકસભામાં આપી છે. આમ તો બેન્કોની લોન ડુબાડીને વિદેશ જનાર ઉદ્યોગપતિઓના આંકડા બહાર આવ્યા છે, પણ બીજા લાખો લોકો દેશ છોડતી વખતે અહીંની કેટલી સંપત્તિ સાથે લઈ ગયા તેની માહિતી મળતી નથી. આ ઉપરાંત ગેરકાયદે વિદેશમાં વસતા ભારતીયોની સંખ્યા પણ ઓછી નથી જ !

આમ તો અમેરિકા કે અબુધાબી જેવામાં ભારતીયોની હત્યાઓ કરવામાં આવે છે. ગયા જાન્યુઆરીમાં બે ભારતીય અને એક પાકિસ્તાનીની હત્યા યુ.એ.ઇ.માં કરવામાં આવી. આ હત્યા અજાણતાં થઈ નથી, તે યમનનાં વિદ્રોહી જૂથ ‘હોથી’ દ્વારા જાણીબૂઝીને કરાઈ છે ને હત્યા પછી ચેતવણી પણ અપાઈ છે કે વિદેશી નાગરિકોની હત્યા તેઓ કરતાં જ રહેશે. આ જોખમ છતાં યુ.એ.ઇ.માં 30 ટકા વસતિ ભારતીયોની જ છે. આ એ ભારતીયો છે અબજો રૂપિયા ભારત મોકલે છે. મોટે ભાગના ભારતીયોની પહેલી પસંદ યુ.એ.ઇ. છે. જો હત્યાનું પ્રમાણ વધે તો ભારતીયોને વધુ વેઠવાનું આવે તે પણ સ્પષ્ટ જ છે. એ ઉપરાંત કેનેડાથી ગેરકાયદે અમેરિકા જતાં, સરહદે, ઘણા નાગરિકોના જીવ જાય છે, છતાં, વિદેશ જવાનો લોભ ભારતીયો જતો કરી શકતા નથી તે હકીકત છે. અમેરિકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બ્રિટન, સ્વીડન, સિંગાપોર જેવા સોથી વધુ દેશોમાં ભારતની પ્રજા સ્થાયી વસવાટ કરતી થઈ છે, તો પ્રશ્ન એ થાય કે અહીં શું નથી ને ત્યાં શું છે કે લાખો ભારતીયો વિદેશ તરફ દોટ મૂકે છે ને ત્યાંનાં જ નાગરિક થઈને રહી જાય છે? એનાં કારણો નથી એમ નથી. વિદેશમાં નોકરીની તકો ને કમાણી વધુ છે. યુ.એ.ઈ.ની જ વાત કરીએ તો ભારતીય કરન્સી કરતાં તેની કરન્સી મોંઘી છે. તેનો એક દિરહમ આશરે ભારતના 20 રૂપિયા બરાબર છે. બીજી વાત એ છે કે ભારતનું ટેક્સનું માળખું ગૂંચવનારું ને છેતરનારું છે, જ્યારે યુ.એ.ઇ.માં ઇન્કમ પર ટેક્સ જ નથી. એનો અર્થ એ થાય કે વિદેશની કમાણી ને ત્યાંનું ગ્લેમર ભારતીયોને વિદેશ વસવાનું કારણ પૂરું પાડે છે. એનો અર્થ એ પણ ખરો કે નોકરીની તકો કે શિક્ષણ કે સ્કિલની કદર વિદેશ કરતાં ભારતમાં ઓછી છે. વિદેશ વસતા 60 ટકા ભારતીયો માને છે કે વિદેશમાં નોકરીની તકો અને શિક્ષણની કદર વધુ છે. એક વર્ગ એવું પણ માને છે કે વિદેશનું શિક્ષણ પણ શ્રેષ્ઠ છે. અલબત્ત ! એની ના પાડી શકાશે નહીં. દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં ભારતની એક પણ યુનિવર્સિટી ન હોય એ શું સૂચવે છે?

એક તરફ ભારત વિશ્વ ગુરુ બનવાને પંથે હોય ને અહીંનાં લોકોએ ગુરુની શોધ બીજે ચલાવવી પડે એ કેવું? એવું પણ નથી કે નબળું શિક્ષણ ભારતીયોને વિદેશ જવાનું કારણ પૂરું પાડે છે, 2014થી 2018માં 23 હજારથી વધુ કરોડપતિઓએ પણ દેશ છોડી દીધો છે. તે એટલે કે અમીર ભારતીયો ગોલ્ડન વિઝા મેળવવા સ્પર્ધામાં રહે છે. વિદેશમાં રોકાણ કરીને ત્યાંની નાગરિકતા મેળવવાની કોશિશો ભારતીય અમીરો કરતાં જ રહે છે. એનો અર્થ એ થયો કે ઘણા ભારતીય અમીરોને અહીં રોકાણ કરવામાં રસ નથી. એનું આશ્ચર્ય નથી કે અમીરો વિદેશમાં રોકાણ કરે છે, કારણ વ્યાવસાયિક સલામતી જો અહીં મળતી ન હોય તો અહીં રહીને કરવાનું શું એ વાતે એ બધા મુંઝાય છે.

રહી વાત વિદેશ જતાં વિદ્યાર્થીઓની, તો અહીં શિક્ષણ ઠીક નથી ને મોંઘું છે, એટલે એ વિદેશ જાય છે. એ સાચું હોય તો, વિદ્યાર્થીઓ ભણીને સ્વદેશ પાછા ફરવા જોઈએ, પણ એની ટકાવારી ઓછી જ છે, તે એટલે કે ઉચ્ચ શિક્ષણ મેળવીને પરત ફરેલ વિદ્યાર્થીઓને, એને લાયક નોકરી કે વ્યવસાયની તકો અહીં ઓછી જ છે. એ કારણે પણ કેટલાંક વિદ્યાર્થીઓ વિદેશ વસી જવા તૈયાર થાય છે. લગભગ 70થી 80 ટકા વિદ્યાર્થીઓ ભારત પાછા નથી ફરતા. એ સાચું કે વિદેશની ચમકદમક ને આવક, ભારતીયોને વિદેશ વસવા પ્રેરે, પણ વાત એટલી જ નથી, અહીનું રાજકારણ અને અર્થકારણ, પણ ભાગ ભજવે જ છે. અહીંનો ભ્રષ્ટાચાર યોગ્યને અયોગ્ય અને અયોગ્યને યોગ્ય જગ્યાએ ગોઠવે છે. એમાં જે સંવેદનશીલ છે તે વધુ વેઠે છે, એટલે આમાંથી છૂટવા પણ ઘણાં વિદેશની વાટ પકડે છે.

વારુ, અહીંની પ્રતિભા વિદેશમાં પોંખાય છે ત્યારે ભારતીય મૂળની એ વ્યક્તિ માટે આપણે પોરસાઈએ છીએ, પણ એ વ્યક્તિ આપણી ઉદાસીતાને કારણે વિદેશ વસવા મજબૂર થઈ છે એનો વિચાર ભાગ્યે જ કરતાં હોઈએ છીએ. ઘણાં ભારતીય મૂળનાં ભારતને નફરત કરતાં હોય તો પણ નવાઈ નહીં, કારણ બધી યોગ્યતા છતાં અહીં થયેલ અન્યાયને એ ન ભૂલે એમ બને. એ ભારતીય કમનસીબી છે કે અહીંની બુદ્ધિમત્તાની થવી જોઈતી કદર થતી નથી અને એ વિદેશમાં ઝળકે છે તો ભારતીય મૂળનો વાવટો ફરકાવીને આપણે અમસ્તાં જ ખુશ થયા કરીએ છીએ. આપણી રાજસત્તાઓએ એ વિચારવા જેવું છે કે અહીની ટેલન્ટને અહીં જ સમાવી, વિકસાવી શકાય એમ છે કે કેમ? કે એ વિદેશમાં સત્તા પર આવે એ જોઈને જ તાબોટા ફોડવા છે? અહીંની પ્રતિભા અહીં જ પાંગરે એવું કરવાનું વધારે યોગ્ય છે એવું નહીં? ભારતીયો વિદેશમાં કમાઈને ઘણાં નાણાં મોકલે તો રાજી થઈએ છીએ, પણ અહીંથી જતાં ભારતીયો પાછળ જે નાણાં વિદેશ મોકલાય છે, એનો હિસાબ માંડવા જેવો છે ને પછી એ ભારતીય વિદેશમાં જ સ્થાયી થઈને અહીં નાણાં મોકલવાનું બંધ કરે તો તે ખોટ કેવી ને કેટલી હોય એનો હિસાબ પણ માંડવા જેવો છે. આપણને આપણું જ યુવા ધન વિદેશ ખેંચાઈ જતું જોઈ રહેવાનો સંતોષ કેમનોક થાય છે એ નથી સમજાતું? નથી લાગતું કે આપણે એ મામલે પૂરતાં દંભી અને અપ્રમાણિક છીએ?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 ડિસેમ્બર 2022

Loading

चुनाव जीतते दल : हारता लोकतंत्र 

कुमार प्रशांत|Opinion - Opinion|11 December 2022

लोकतांत्रिक प्रसव वेदना से गुजर रहे दिल्ली, हिमाचलप्रदेश व गुजरात के गर्भ से चुनाव-परिणाम का जन्म हो चुका है. अब सारे सर्जन, डॉक्टर, नीमहकीम अपने आरामगाहों में लौट चुके हैं. जिन चैनलों की नाल कब की कट चुकी है, वे सब चुनाव परिणामों के विश्लेषण के नाम पर आपसी छीछालेदर में लगे हैं. यह छपने या सुनने वाले मीडिया के सबसे बदरूप चेहरे को बर्दाश्त करने का, सबसे शर्मनाक दौर है.

हर चुनाव में कोई दल जीतता है, कोई हारता है. इस चुनाव में भी यही हुआ है. लेकिन पार्टियां ऐसे दिखा रही हैं कि हारा तो दूसरा है, हमारे हिस्से तो जीत-ही-जीत आई है ! आम आदमी पार्टी इसी का राग अलाप रही है कि इस चुनाव ने उसे राष्ट्रीय दल बना दिया है; कांग्रेस अपनी नहीं, दूसरों की हार का विश्लेषण करने में निपुणता दिखा रही है; भाजपा के प्रधान भोंपू ने इशारा कर दिया तो सारे भाजपाई एक ही झुनझुना बजा रहे हैं कि हमने सारे रिकार्ड तोड़ डाले ! सबकी एक बात सही है कि सभी अपना झूठ छिपा रहे हैं.

चुनाव परिणाम का कोई नाता अगर उस लोकतंत्र से भी होता हो कि जिसके कारण चुनावी राजनीति व संसदीय लोकतंत्र का अस्तित्व बना हुआ है, तो हमें यह खूब समझना चाहिए कि दल जीत रहे हैं, ‘हम भारत के लोग’ और उनका लोकतंत्र लगातार हारता जा रहा है. संविधान अब एक पुराने जिल्द की रामायण भर बची है जिसका राम कूच कर गया है. कौन, क्या जीता इसकी इतनी वाचाल चर्चा की जा रही है ताकि किसी को याद करने की फुर्सत न रहे कि हम कहां, क्या हार रहे हैं. हम चुनावों की संवैधानिक पवित्रता व उसका राजनीतिक अस्तित्व हार रहे हैं; हम चुनाव आयोग हार रहे हैं; हम चुनावों की आचार संहिता हार रहे हैं; हम बुनियादी लोकतांत्रिक नैतिकता हार रहे हैं. हम हर वह नैतिक प्रतिमान हार रहे हैं जिसके आधार पर हमारा संविधान बना है; हम हर वह लोकतांत्रिक मर्यादा हार रहे हैं जिसके बिना लोकतंत्र भीड़बाजी मात्र बन कर रह जाएगा. हर चुनाव में जातीयता जीत रही है, धार्मिक उन्माद जीत रहा है, धन-बल व सत्ता-बल जीत रहा है; झूठ व मक्कारी जीत रही है. यह तस्वीर को काली करने जैसी बात नहीं है; तस्वीर को ठीक से देखने-समझने की बात है.

गुजरात हम सबके लिए गहरे सबब का विषय होना चाहिए. इसलिए नहीं कि वह एक ही पार्टी को लगातार से चुन रहा है बल्कि इसलिए कि वह गर्हित कारणों से लगातार अविवेकी फैसला कर रहा है और देश की तमाम लोकतांत्रिक ताकतें मिल कर भी उसे इस मूर्छा से बाहर नहीं ला पा रही हैं. गुजरात उस हाल में पहुंचा दिया गया है जिस हाल में, यूरोप में कभी जर्मनी पहुंचा दिया गया था. जब जहर नसों में उतार दिया जाता है तब ऐसी की अंधता जन्म लेती है. दुनिया ने भी और हमने भी ऐसी अंधता पहले भी देखी है बल्कि कहूं तो हमारी आजादी अंधता के ऐसे ही दौर में लिथड़ी हम तक पहुंची थी. गांधी ने ऐसे ही नहीं कहा था कि ऐसी आजादी में उनकी सांस घुटती है; और हम जानते हैं कि अंतत: उनकी सांस टूट ही गई.

गुजरात में देश के गृहमंत्री कहते हैं कि 2002 में हमने यहां जो सबक सिखलाया, उसका परिणाम है कि यहां आज तक शांति बनी हुई है. वे देश को खुलेआम धमकी दे रहे हैं कि सांप्रदायिक नरसंहार का रास्ता हम जानते हैं, यह भूलना मत ! यह शर्मनाक है, लोकतंत्र के खात्मे का एलान है, संविधान की आत्मा की हत्या है. वे सैकड़ों सभाओं-रैलियों व रोड-शो में यह सब कहते रहे लेकिन न चुनाव आयोग ने कुछ कहा, न न्यायालय ने ! संविधान ने अपने इतने हाथ-पांव इसलिए ही तो बनाए थे कि एक विकलांग होने लगे तो दूसरा उसकी जगह ले ले; एक गूंगा होने लगे तो दूसरा बोले ! यहां तो सभी विकलांग, गूंगे और बहरे बनते जा रहे हैं.

गुजरात का सामूहिक नैतिक पतन हुआ है. यह सारे देश में हो रहा है. दिल्ली नगरपालिका के चुनाव में खेल का मैदान ही बदल दिया गया; गुजरात में चुनाव आयोग ने अपना अनुशासन ही ताक पर रख दिया. झूठ, मक्कारी, सरकारी संसाधनों व धन-बाहुबल से चुनाव जीतने का प्रपंच किसे नहीं दीखा ?लोकतंत्र और चुनाव-तंत्र में फर्क है. तभी तो संवैधानिक व्यवस्था ऐसी बनाई गई कि चुनाव को 5 साल में एक बार आना है, लोकतंत्र को रोज-रोज अपने चरित्र में उतारना है. मन लोकतांत्रिक बने तो व्यवहार अपने आप लोकतंत्र अपनाने लगता है. चुनाव लोकतंत्र की आत्मा नहीं, उसका एक अंशमात्र है. यहां तो चुनाव को ही लोकतंत्र बना दिया गया है जिसमें अपने प्रधान को आगे रख कर सारी पैदल सेना उतारी जाती है; और वह पुरानी मान्यता शब्दश: अमल में लाई जाती है कि प्यार व युद्ध में सब कुछ जायज है. यह लोकोक्ति ही लोकतांत्रिक नहीं है.

संसदीय लोकतंत्र एक चीज है, संवैधानिक लोकतंत्र एकदम भिन्न चीज है. एक ढांचा है, दूसरी आत्मा है. आत्मा मार कर, ढांचा जीत लिया है हमने; और मरे हुए लोकतंत्र को बड़े धूमधाम से ढो रहे हैं. तभी तो हर असहमति को डांट कर कहते हैं : ‘ वोट हमें मिला है !’ भीड़ की स्वीकृति लोकतंत्र की अंतिम कसौटी नहीं होती है. हम कैसे भूल सकते हैं कि हमारी गुलामी को भी भीड़ की स्वीकृति थी. आजादी की लड़ाई लड़ने वाले तब भी अल्पमत में थे. इसलिए लोकतंत्र की दिशा भीड़ को शिक्षित, जाग्रत जनमत में बदलने की होती है. हम सोचें कि हमारी आजादी की लड़ाई के गर्भ से अगर लोकतंत्र का जन्म नहीं हुआ होता तो चुनाव का यह सारा तामझाम भी नहीं होता न ? तो बुनियाद कहें कि अंतिम कसौटी कहें, लोकतंत्र ही है कि जिसका संरक्षण-संवर्धन करना है. वह बना रहा, स्वस्थ व गतिशील रहा तो बाकी सारा कुछ रास्ते पर आ जाएगा.

इसलिए कह रहा हूं कि इन चुनावों में पार्टियां जीती हैं, हम ‘भारत के लोग’ व हमारा लोकतंत्र हारा है. यह हार हमें बहुत महंगी पड़ेगी.

(11.12.2022)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

ગુજરાતમાં ભા.જ.પા.નાં પાસાં પોબારઃ મોદી ફેક્ટર, માઇક્રોમેનેજમેન્ટ, હિંદુત્વ, વિકાસ અને મજબૂત નેરેટિવ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|11 December 2022

કાઁગ્રેસ પાસે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરનો એકે ય નેતા પ્રચાર ટાણે ન હોવાની વાત જનતાને આંખે ઊડીને વળગી. ગાંધી પરિવારમાં લોકોને રસ નથી પણ છતાં ય રાહુલ ગાંધી કાઁગ્રેસ માટે જરૂરી તો છે જ પણ ભારત જોડો યાત્રામાં એક પોઇન્ટ પછી ગુજરાતનો છેદ ઊડી ગયો.

ગયા અઠવાડિયે જ્યારથી એક્ઝિટ પોલ શરૂ થયા ત્યારથી લઇને અત્યારે તમે અત્યારે ચ્હા પીઓ છો ત્યાં સુધીમાં માધવસિંહ સોલંકીને જેટલા યાદ કરાયા છે, એટલા તો આ પહેલા ભાગ્યે જ કોઇએ યાદ કર્યા હશે. ભા.જ.પા. આ વખતે વિધાનસભાની ચૂંટણી દરમિયાન માધવસિંહ સોલંકીનો ૧૯૮૫નો ૧૪૯ બેઠકોનો રેકોર્ડ તોડશે કે કેમ ત્યાંથી શરૂ થયેલી વાત ભા.જ.પા.એ ૧૫૬ બેઠકો પર ગુજરાતમાં જીત મેળવીને એ રેકોર્ડ તોડ્યો એ પછી પણ ચાલુ રહી.

ભા.જ.પા.ની વ્યૂહરચના જાણે દર ચૂંટણી પછી ધારદાર થઇ રહી છે. ભા.જ.પા.નો ચહેરો એટલે કે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્તરે સત્તા મેળવ્યા પછી પણ રાજ્યની ચૂંટણી ટાણે માઇક્રોમેનેજમેન્ટ કરવામાં કોઇ કસર નથી છોડી. ‘સાહેબ’ના બોલે પક્ષના મોટા માથાઓથી માંડીને નાનામાં નાના કાર્યકરે મતદારોને બાંધી રાખવામાં જે કરવું પડ્યું તે કર્યું. ૨૭ વર્ષથી જે સત્તા હાથમાં છે જતી થોડી કરાય? નરેન્દ્ર મોદી માટે અંગ્રેજીનું પેલું બહુ વપરાયેલું વાક્ય, ‘લવ હિમ હેટ હીમ, યુ કાન્ટ ઇગ્નોર હિમ’ અચૂક યાદ આવે. ભા.જ.પા.એ ગુજરાતમાં જે સપાટો બોલાવ્યો એમાં નરેન્દ્ર મોદીની ગુજરાતમાં લોકપ્રિયતા સૌથી મોટું કારણ છે.

એક તરફ હિમાચલમાં ભા.જ.પા.ને કાઁગ્રેસે પાછળ છોડી દીધી, તો બીજી તરફ ગુજરાત જે મોદીની હોમ પીચ છે ત્યાં ભા.જ.પે. સપાટો બોલાવી દીધો. રાજકીય સમીક્ષક તથા ભારજતીય જનતા પાર્ટી – સૌથી મોટા રાજકીય પક્ષની વિકાસગાથાના લેખક તેવા શાંતનુ ગુપ્તાને જ્યારે ભા.જ.પા.ની ગુજરાતની વ્યૂહરચના વિશે પૂછ્યું તો તેમણે કહ્યું, “૨૦૧૭માં ભા.જ.પા.ની ૧૮૨માંથી ૯૯ બેઠક જીતી શકી. કાઁગ્રેસ ત્યારે ૭૭ બેઠકો મેળવી શકી હતી. આ પુરાવો હતો કે કાઁગ્રેસે બહુ ચિવટથી આ જંગ ખેલ્યો હતો અને ભા.જ.પા.ને અમુક બેઠકથી આગળ નહોતી વધવા દીધી. ૨૦૧૭ના એ બોધ પછી ભા.જ.પા. માટે જરૂરી હતું કે કાઁગ્રેસે જે યુવા ચહેરાઓ પર દાવ ખેલ્યો હતો તેની સામે કોઇ વ્યૂહરચના મુકવી. અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી ૨૦૧૭માં કાઁગ્રેસ માટે અગત્યના ચહેરા હતા. આ રીતે તેમણે દલિત, પાટીદાર અને ઓ.બી.સી. આંદોલનની ત્રિરાશી પર જ આખું કેમ્પેઇન પ્લાન કરાયુ હતું. કાઁગ્રેસે ગુજરાતમાં હાર્દિક પટેલને તો કાર્યકારી પ્રમુખની પદવી પણ આપી. ભા.જ.પા.એ એ પછી જે ખેલ ઘડ્યો તેમાં ૨૦૨૨ની ચૂંટણી પહેલાના પાંચ વર્ષના ગાળામાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને પોતાની તરફ કરી લીધા અને તેઓ ઠીકઠાક માર્જીનથી જીત્યા પણ ખરા. એક માત્ર જિજ્ઞેશ મેવાણીને ભા.જ.પા. પોતાની તરફ ન કરી શકી.”

કાઁગ્રેસની અને તેમાં ય ખાસ કરીને માધવસિંહ સોલંકીની જૂની અને જાણીતી ખામ (KHAM) થિયરી જેમાં કોળી ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસલમાનને ફરી જીવંત કરવાનું કાઁગ્રેસને યાદ તો આવ્યું પણ એ લાગુ કરવામાં જરા મોડું થઇ ગયું; વળી; હવે અહેમદ પટેલ જેવો ચહેરો કાઁગ્રેસ પાસે ન હોવાની અસર પણ પડે જ. જાતિવાદની ચાલ ગોઠવવામાં ભા.જ.પા.ની મુત્સદ્દીગીરી ફાવી ગઇ.

ભા.જ.પા.ની બીજી વ્યૂહરચનાની ચર્ચા કરતાં શાંતનુ ગુપ્તા કહે છે “ભા.જ.પા.ની સરકાર અને ધારા સભ્યો સામે સત્તા વિરોધનું લેબલ ન લાગવું જોઇએ તેની પૂરી તકેદારી રાખી. અડધી ટર્મ પતી અને સરકારને માથે રાજ્ય સ્તરે માછલાં ધોવાયા તો ભા.જ.પા.એ ગુજરાતમાં મુખ્ય મંત્રી તો બદલ્યા જ પણ કેબિનેટમાં ય ફેરફાર કરી નાખ્યો. આખો કારસો એવી રીતે ઘડાયો કે કોઇને વાંકુ પણ ન પડ્યું અને કોઇ હોહા ન કરી, સરળતાથી આ ફેરફાર કરવાની ભા.જ.પા.ની રણનીતિએ સત્તા વિરોધ રોકી લીધો. ૨૭ વર્ષથી રાજ કરતી ભા.જ.પા.ને ખબર હતી કે જરા સરખો વિરોધ પણ ભારે પડી શકે છે. વળી એક બે નહીં પણ ૪૦થી વધુ નવા લોકોને ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ અપાઇ. ભા.જ.પા.એ જ્યાં જ્યાં ૨૦૧૭માં બેઠકો ખોઇ હતી ત્યાં કઇ રીતે આદિવાસીઓ, દલિત અને પાટીદારો સહિતના અન્ય સૌરાષ્ટ્રવાસીઓને પોતાની તરફ કરવા તેનું વિગતવાર પ્લાનિંગ કરાયું અને એ જ પ્રમાણે કામગારી પણ કરાઇ.” આ આખી ગોઠવણમાં ભૂપેન્દ્ર પટેલનું સત્તા પર આવવું પણ બહુ ગણતરી પૂર્વકનો મૂવ હતો. સાફ છબી, મૈત્રીપૂર્ણ વહેવાર આ બધું ભૂપેન્દ્ર પટેલની તરફેણમાં રહ્યું અને આમાં પટેલો પણ સચવાયા.

માણસોને કામે લગાડવા અને કામના માણસોને મહત્ત્વ આપવાનું નરેન્દ્ર મોદીને સુપેરે આવડે છે. આ વાતનું ઉદાહરણ છે સુરતના સી.આર. પાટીલ. સી.આર. પાટીલની નરેન્દ્ર મોદી સાથેની નિકટતા તો ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં ત્યારે જ આંખે ઊડીને વળગે તેમ હતી, જ્યારે તેમને બનારસમાં અનૌપચારિક પ્રભારી તો હતા જ પણ ૨૦૨૨ નજીક આવતા સુધીમાં તેમને પક્ષના રાજ્ય પ્રમુખ બનાવાયા. સી.આર. પાટીલે એકે એક બેઠક પર, એકે એક બુથ પર, ફરી વળવાનું નક્કી કર્યું, જાણે પક્ષના આખા માળખાને ઠમઠોરવાનું કામ કર્યું. ભા.જ.પા.ના મતદારોને કેન્દ્ર અને રાજ્ય સ્તરે એક કરાયા, પક્ષના પ્રમુખનું તંત્ર ખડું કરી મતદાનના દિવસે લોકો મથક સુધી આવે તેની પણ પૂરી તકેદારી રખાઇ. વળી જે રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં વડા પ્રધાન ખુદ ૩૦થી વધુ રેલીઓમાં હાજરી આપતા હોય, રોડ શોઝમાં હાજરી આપતા હોય ત્યારે તે વડા પ્રધાન પછી પણ રાજ્યના પનોતા પુત્ર અને પક્ષના કાર્યકર્તા હોવાની પોતાની છબી મતદારો સામે આગળ ધરતા હોય છે.

વળી ભા.જ.પા.એ એ પણ ધ્યાન રાખ્યું કે જ્યાં પ્રચાર કરવા ગયા ત્યાં જે પ્રકારનુ ટી.જી. એટલે કે ટાર્ગેટ ગ્રૂપ છે તે પ્રકારના એટલે કે ખાસ કરીને તે ભાષા-જ્ઞાતિના રાષ્ટ્રીય અને અન્ય રાજ્યોના રાજકીય સ્તરના નેતાઓ પણ હાજરી આપે. ભા.જ.પા.એ ગુજરાતમાં આખી બ્રિગેડ ઉતારી અને જરૂર પડ્યે યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઇરાની, જે.પી. નડ્ડા, અમિત શાહ જેવાં નેતાઓએ પણ હાજરી આપી. નાના વિસ્તારોમાં સાંસદો અને ધારાશાસ્ત્રીને ખડા કરાયા જે તે વિસ્તારના લોકો સાથે કનેક્ટ સ્થાપી શકે. વળી આમ આદમી પાર્ટીનું ઝાડુ પણ કાઁગ્રેસનો વૉટ શૅર લઇ ગયું જેનો ફાયદો ભા.જ.પા.ને આડકતરી રીતે એ દિશામા એક આંગળી હલાવ્યા વિના મળી ગયો.

ભા.જ.પા.એ શું કર્યું અને તેને શું ફળ્યું એ સાથે રાહુલ ગાંધીએ જે રીતે ગુજરાતમાં પ્રચાર કરવાની આખી વાતને વખારે નાખી તેનો ફાયદો પણ તો ભા.જ.પા.ને જ થયો. આમે ય કાઁગ્રેસની વલે થઇ હતી એમાં કાઁગ્રેસ પાસે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરનો એકે ય નેતા પ્રચાર ટાણે ન હોવાની વાત જનતાને આંખે ઊડીને વળગી. ગાંધી પરિવારમાં લોકોને રસ નથી પણ છતાં ય રાહુલ ગાંધી કાઁગ્રેસ માટે જરૂરી તો છે જ પણ ભારત જોડો યાત્રામાં એક પોઇન્ટ પછી ગુજરાતનો છેદ ઊડી ગયો અને એમાં ગુજરાતમાં કાઁગ્રેસ સાવ ખૂણામાં ધકેલાઇ ગઇ. કાઁગ્રેસ આ હળવાશથી લેતે તો ગુજરાતમાંથી તેના પૂરી રીતે અદૃશ્ય થવાનો વખત ભા.જ.પા.એ ધાર્યું હશે તે પહેલાં જ આવી જશે.

બાય ધી વેઃ

આપણે ત્યાં ત્રણમાંથી બે સરકારો ફેંકાઇ જાયનો ઘાટ રહ્યો છે પણ નરેન્દ્ર મોદી અપવાદ સાબિત થયા છે અને ભા.જ.પા.ને તેમણે રાષ્ટ્રીય સ્તરે તથા હોમ પીચમાં પાછળ નથી પડવા દીધી. વળી હિંદુત્વ અને વિકાસ આ બે એવા પાસાં છે જે ભા.જ.પા. માટે કાયમ પોબાર પડે છે. ભા.જ.પા.ના વિકાસના વચન સામે ‘આપ’ની રેવડી દાણાદાણ થઇ ગઇ તો ગરીબો માટે મફત રાશનની વાત સાથે ગુજરાતની સોલારના ક્ષેત્રની સફળતા પણ પ્રચારમાં વપરાઇ. હિંદુત્વનું કાર્ડ વાપરી અમિત શાહે ગોધરાનો દાખલો આપ્યો. સત્તાનું અભિમાન કોઇને સદતું નથી, અને નરેન્દ્ર મોદી તથા ભા.જ.પા. બન્નેએ આ સાવ સાદી વાત યાદ રાખવી જ પડશે. નરેન્દ્ર મોદીને ગુજરાતમાં છબી ખરડાય તે કોઇ કાળે પોસાય તેમ નથી એટલે એ માટે તે બધું જ કરી છૂટે છે. અરવિંદ કેજરીવાલને પણ હળવાશથી લેવા જેવા નથી એ પણ નરેન્દ્ર મોદીને સમજાય છે. હવે ગુજરાતમાં ભા.જ.પા.ના શાસનને સીધા ૨૯ વર્ષ થશે, આ પહેલાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાએ પશ્ચિમ બંગાળમાં ૩૪ વર્ષ આ રીતે શાસન કર્યું છે. ભા.જ.પા.ને લોકોની નસ પરખાઇ ગઇ છે અને રાજકારણમાં એ આવડતની સામે બીજું બધું આડવાત જ લાગે કારણકે જનતા અંતે તો ટોળું છે, ટોળાંને મેનેજ કરવા માટે જોઇએ નેરેટિવ – કથા અને એ મેનેજ કરતા નરેન્દ્ર મોદી અને અમિત શાહને ન આવડે તો જ નવાઇ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ડિસેમ્બર 2022

Loading

...102030...1,1701,1711,1721,173...1,1801,1901,200...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved