અંદર ને બ્હાર
શરીર તો નર્યો આકાર
આકાર ક્યારેક ભરમ લાગે
નિરાકાર જેવુંય કંઈ ન ભાસે
શું કરું?
ઠરું
શરીરથી મનને ભરું
મનને આખું શરીર કરું
તોય ન ભૂલી શકું
જીવડાથી ઉપર ન ઊઠી શકું
અને, શબદને હેતથી મળી લઉં
અરથની પેલે પાર ફરી લઉં :
ન આગળ ન પાછળ ન નીચે ન ઉપર
જીવડામાં જીવન તરબતર
e.mail : umlomjs@gmail.com
![]()




જો કે શાહ કમિશન સમક્ષની બધ્ધેબધ્ધી જુબાની સુલભ થાય એ પણ પૂરતું નથી. કેમ કે કટોકટીરાજ તે એક પા ઇંદિરાઈ કાઁગ્રેસ વિ. જનતા પરિવાર (હવે બહુધા ભા.જ.પ.) એવો સીધોસાદો સ્વયંપર્યાપ્ત કિસ્સો નથી. સ્વરાજના આરંભકાળથી આજ સુધીના રંગપટ પર તે કોઈ કૌંસકથા માત્ર નથી. મહાન સ્વરાજનિર્માતાઓએ કટોકટી જોગવાઈની જરૂરત જોઈ તે વિભાજનની વિભીષિકા જોતાં સ્વાભાવિક હતું. (જો કે 1975-77માં તેનો દુરુપયોગ જોઈ બંધારણ સભાના સભ્યપદે રહેલા કે. સંથનમે આત્મશુદ્ધિના ઉપવાસ કર્યા હતા.) હૈદરાબાદની રઝાકાર પ્રવૃત્તિ, તેલંગણમાં રણદીવેની કથિત ક્રાંતિપ્રવૃત્તિ વગેરે નિમિત્તો, જેમ કે પ્રતિબંધક અટકાયતના અભિગમને દેઢાવનારાં હતાં. નેહરુ-પટેલ એની તરફેણમાં ને શ્યામા પ્રસાદ મુખર્જી એની વિરુદ્ધમાં એવું પણ જોવા મળે છે. મુખર્જીની ત્યારની બધી જ દલીલો લગભગ બેઠ્ઠી ને બેઠ્ઠી આજની સરકાર સામે શક્ય છે.