Opinion Magazine
Number of visits: 9456202
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’

અભિનય મહેતા|Diaspora - Culture|23 June 2025

‘The Black Essence’ ચાર મુખ્ય પાત્રોના જીવનની આસપાસ ગુંથાયેલી એક ઉત્કૃષ્ટ ફિલ્મ છે. દરેક પાત્ર પોતાનાં અનોખાં દુઃખો અને સંઘર્ષો સાથે જીવી રહ્યું છે. એક પિતા છે, જે પસ્તાવા અને આંતરિક ટકરાવનો સંઘર્ષ કરી રહ્યા છે. પુત્ર છે, જે સંપૂર્ણપણે પેરાલાઇઝ્ડ છે અને બીજા પર આધાર રાખે છે. પિતાનો નિકટનો મિત્ર છે, જેણે બાળપણથી પુત્રને સાચવ્યો છે ને પૂરી જવાબદારી લીધી છે, છતાં પોતાની વ્યથાઓ છુપાવીને જીવી રહ્યો છે. અને છે માયા – પિતાની પ્રેમિકા, જે પ્રેમમાં એટલી ઊંડે ઉતરી ને બંધાઈ છે કે છૂટવાનો રસ્તો દેખાતો નથી.

ફિલ્મમાં એક Fish Tankમાં કેદ માછલીની કલ્પના દ્વારા આ બધાં પાત્રોનાં અંદરના બંધન, મુક્તિની ઈચ્છા અને લાગણીઓનું પ્રતિકાત્મક પ્રતિનિધિત્વ થાય છે.

આ કથા જીવનના અર્થ વિશે એક નવો દૃષિટકોણ audienceને આપે છે – ખાસ કરીને પિતા અને પુત્ર વચ્ચેના સંઘર્ષ દ્વારા બન્નેના મનમાં ઉભા થતા તદ્દન વિપરીત વિચારો અને એમાંથી ઊભી થતી એક જીવનની ફિલસુફી દાદ માંગી લે એવી છે.

ફિલ્મનું લેખન અને દિગ્દર્શન સહિલભાઈ કંદોઈએ કર્યું છે, જે ઓસ્ટ્રેલિયામાં નિવાસ કરે છે. સંગીત ગૌરવ સાખ્યાએ આપ્યું છે, જેમણે “Mirzapur” માટે પણ કામ કર્યું છે. ફિલ્મના સહાયક દિગ્દર્શક તરીકે અભિનય મહેતા જોડાયા છે.

આ ફિલ્મ આગામી ૨૭ જુલાઈના રોજ સિડનીમાં પ્રીમિયર થશે અને ઓસ્ટ્રેલિયાના વિભિન્ન ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે.

 The Black Essence એક એવી ફિલ્મ છે કે જે આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછે છે – અને કદાચ, જવાબ શોધવા પ્રેરણા આપે છે.

આ ફિલ્મ mystry અને thrillના કમાન પાર મૂકી ફિલસૂફીના હૃદય સ્પર્શી તીર ચલાવે છે.

e.mail : mehta.abhinay@gmail.com

Loading

अब जंग का एक ही मतलब है –  विनाश ! 

कुमार प्रशांत|Opinion - Opinion|23 June 2025

कुमार प्रशांत

हमारे तथाकथित अख़बार एक ग़ज़ब की बात बता रहे हैं कि हमारे प्रधानमंत्री ने अमरीकी राष्ट्रपति ट्रंप से फ़ोन पर बात की और उनसे कहा कि आप जो कह रहे हैं, कहते आ रहे हैं वह झूठ है:  मैंने भारत-पाकिस्तान युद्ध के बारे में न कभी आपसे बात की, न कभी आपसे युद्धबंदी की बात की और न कभी आपसे मध्यस्थता का अनुरोध किया. बता रहे हैं कि मोदीजी ने उस दिन बहुत कड़क रवैया अपनाया और आगे कहा कि मैं आगे भी कभी ऐसा कोई अनुरोध आपसे करने वाला नहीं हूं. हमारे देश में इस बारे में सर्वसम्मति है कि हम किसी तीसरे की मध्यस्थता कभी स्वीकार नहीं करेंगे. भक्त कह रहे हैं कि इधर मोदी ने यह कहा और उधर सारी दुनिया में सन्नाटा छा गया.

किसी को याद आया कि नहीं पता नहीं कि इन्हीं ट्रंप साहब को दोबारा राष्ट्रपति बनवाने के लिए इन्हीं मोदी साहब ने कभी अमरीका जा कर चुनाव प्रचार किया था. लेकिन तब दोनों हार गए थे. यह हार ट्रंप को इतनी नागवार गुजरी कि इस बार जब वे जीते तो उन्होंने मोदीजी को अपनी ताजपोशी के कार्यक्रम में नहीं बुलाया. समारोह में मोदीजी को न बुला कर ट्रंप ने उन्हें व उनकी भक्त-मंडली को उनकी औकात बता दी. यह बात मोदीजी को बहुत नागवार गुजरी. वे इस अभियान में जुट गए कि ट्रंप महोदय, आपको मुझे बुलाना तो पड़ेगा ही. सारी तिकड़म के बाद उन्हें ट्रंप ने उन्हें बुला लिया. मोदीजी तुरंत ही पहुंचे और वहां पहुंच कर उन्होंने ट्रंप साहब के उन तमाम गुणों को सार्वजनिक रूप से याद किया जिनका पता न अमरीका को था, न ट्रंप को. वे ट्रंप साहब की बहादुरी की याद करते हुए बहुत विह्वल भी होते रहे. लेकिन तभी ट्रंप ने उन्हें सामने बिठा कर बताया कि भारत जिस तरह अब तक अमरीका को लूटता आया है, वह आगे संभव नहीं होगा. मैं ‘टैरिफ’ के हथियार से आपको आपकी औकात बता दूंगा.

अब आप बताइए कि ऐसा रिश्ता क्या कहलाता है ? यह न तो मित्रता का रिश्ता है, न सम्मान का, न बराबरी का. यह वह रिश्ता है जिसमें ‘ इस्तेमाल कर लो, फिर फेंक दो’ का चलन चलता है. ट्रंप और मोदी, दोनों इसके उस्ताद हैं. आज ट्रंप का पलड़ा भारी है.मोदी अपनी बारी का इंतज़ार कर रहे हैं.

मोदी की राजनीतिक शैली में बात कुछ ऐसी बना दी गई है कि देश के बारे में, फौज के बारे में, युद्ध के बारे में, देश की सुरक्षा के बारे में कुछ भी न बोलो, न पूछो, न सोचो ! और पांचवें हैं नरेंद्र मोदी, जिनके बारे में कुछ भी पूछना हिंदुत्व वालों को नागवार गुजरता है. आप सोचिए, कि पहलगांव के बाद तमाम विपक्ष ने कह दिया कि हम सरकार के साथ हैं ! यह घबराई हुई, जड़विहीन, राजनीतिक दृष्टि से कायर विपक्ष की सोच है. संकट का आसमान रचना और फिर उस आसमान में अपने शिकार करना सरकारों का पुराना हथकंड्डा है. इसलिए स्थिति चाहे कैसी भी हो, हम ताश के सारे 52 पत्ते सरकार के हाथ में कैसे दे सकते हैं ? विपक्ष की एक ही भूमिका होनी चाहिए, घोषित की जानी चाहिए कि हम हर हाल में देश के साथ खड़े रहेंगे. हमारी इस भूमिका से सरकार को जितनी मदद, जितना समर्थन मिलता है, उससे हमें एतराज़ भी नहीं है लेकिन सरकार की आंखों हम देखें, सरकार के कानों हम सुनें तथा सरकार के पांवों हम चलें, यह कैसे हो सकता है ? यह तो बौनों का बला का संकट है और इससे घिरा हमारा विपक्ष बौने-से-बौना हुआ जा रहा है.

3 दिन के युद्ध के बाद, युद्ध से पहले और बाद की किसी भी स्थिति की गंभीर चर्चा व समीक्षा की हर संभावना को खत्म करते हुए प्रधानमंत्री ने संसदीय विपक्ष की आवाजों को चुन-चुन कर विदेश-यात्रा पर भेज दिया. कहा : विश्व मंच पर भारत सरकार का पक्ष अच्छी तरह रखने का राष्ट्रीय कर्तव्य निभाने की चुनौती है, सो आप सब तैयार हो जाएं. आख़िर पाकिस्तान को जवाब देना है न ! सीमा पर हमारे जवान अंतिम बलिदान दे रहे हैं, तो क्या हम विदेश जा कर अपनी आवाज़ भी नहीं दे सकते ? कहने की देर थी कि सभी तैयार हो गए. किसी ने नहीं कहा कि हमें अपनी पार्टी की सहमति लेनी पड़ेगी ! जब राष्ट्रीय कर्तव्य निभाना हो, तो पार्टी की क्या बात है. पार्टी से राष्ट्र बड़ा होता है कि नहीं ! सब अटैची  के साथ एयरपोर्ट पर थे. कांग्रेस पार्टी ने अपने प्रतिनिधियों के नाम भेजे तो थे लेकिन सरकार को तो कोई और ही खेल खेलना था. उसने वे सारे नाम रद्दी में फेंक दिए और प्रतिनिधि मंडल में कांग्रेस के ‘अपने प्रतिनिधि’ नियुक्त कर दिए. अब कांग्रेस के सामने दो ही रास्ते थे : इस संसदीय पिकनिक पर न जाने का ‘व्हिप’ जारी करे व इसका उल्लंघन करने वालों को पार्टी से बाहर करे या फिर चुप्पी साध ले. कांग्रेस ने दूसरा विकल्प चुना, तो तृणमूल कांग्रेस ने पहला विकल्प चुना. इस तरह सभी अपने-अपने हिस्से का विदेश घूम आए. जहां जिसे जैसा मौका मिला, उसने वहां वैसा सरकार का पक्ष रखा. लौटने पर सबने पाया कि वे तो विदेश से लौट आए हैं लेकिन उनकी आवाज कहीं विदेश में ही रह गई है. आज हमारे संसदीय विपक्ष के पास न चेहरा है, न आवाज़ ! सूरतविहीन, गूंगे विपक्ष से सरकार को क्या खतरा हो सकता है ?

जो सरकार व राष्ट्र का फर्क नहीं समझते; जो सत्ता प्रतिष्ठानों के इर्द-गिर्द इसलिए ही घूमते-मंडराते रहते हैं कि कब, कहां, कैसे मौका मिले कि हम भीतरखाने दाखिल हो सकें; जो विपक्ष की भूमिका चुनते नहीं हैं बल्कि उसे सजा काटने की तरह देखते हैं और पहले मौके पर उधर भाग खड़े होते हैं वे कहीं भी आदर-मान नहीं पाते हैं – न विपक्ष में, न सत्तापक्ष में. वे होते हैं किसी कुर्सी की शक्ल में, बस ! हमारा अधिकांश विपक्ष इसी शर्मनाक त्रासदी से गुज़र रहा है. हमारा मतदाता इसलिए ही उसे किसी विकल्प की तरह न देख पा रहा है, न स्वीकार कर पा रहा है.

कोई आश्चर्य नहीं कि देश में आज एक ही विपक्ष बचा है और उसका नाम है राहुल गांधी ! लेकिन आप देखिए कि यह एक आदमी का विपक्ष भी हर कदम पर ठिठकता, भटकता और असमंजस में पड़ा दिखाई देता है, तो इसलिए कि वह हर तरफ़ से अकालग्रस्त है – अकाल संख्या का नहीं, प्रतिभा, प्रतिबद्धता का अकाल है ! किसी भी नेता के लिए निर्णायक भूमिका निभाने या उसकी जिम्मेवारी लेने के लिए कुछ आला सहकर्मियों की ज़रूरत होती है. ऐसे सहकर्मी बने-बनाए नहीं मिलते हैं. बनाने पड़ते हैं. राहुल के पास वे नहीं हैं, क्योंकि अब तक का अनुभव बताता है कि उन्हें ग़लत सहकर्मियों को चुनने में महारत हासिल है. नरेंद्र मोदी के पास भी ऐसे सहकर्मी नहीं हैं. लेकिन नेताओं की एक प्रजाति ऐसी होती है जो दोयम दर्जे के चापलूसों से घिरे रहने में ही सुख व सुरक्षा पाती है. नरेंद्र मोदी उसी प्रजाति के हैं. उनके पास अभी सत्ता की छाया भी है.

जब विपक्ष के ऐसे हालत हों और सत्तापक्ष के भीतर सत्ता-सुख व अहंकार के अलावा कुछ हो ही नहीं, तो यह सवाल कौन पूछे कि अंगुलियों पर गिने जाने जैसे आतंकवादी हमारी सीमा में घुस आए और उन्होंने हमारे 26 मासूम नागरिकों की हत्या कर दी, इतने से सारा देश कैसे खतरे में आ गया ? किसी चौराहे पर वाहनों की टक्कर हो जाए और 26 लोग मारे जाएं, तो क्या देश खतरे में आ जाता है ? आप समझ रहे हैं न कि मैं वाहनों की टक्कर व आतंकवादियों द्वारा की गई हत्या को एक पलड़े पर नहीं रख रहा हूं, मैं देश पर खतरा कब आता है, इसे पहचानने की बात कर रहा हूं. पहलगांव में घुस आए उन आतंकवादियों व उन मासूम नागरिकों की हत्या से देश खतरे में नहीं आया था बल्कि वह खतरे में इसलिए आया कि आप कश्मीर की सीमा की सुरक्षा में विफल रहे थे. केंद्र सरकार की सीधी निगरानी में जो कश्मीर है, चोर उसकी दीवार में सेंध लगा लेता है तो यहां खतरा आतंकवादी नहीं है, आपका निकम्मापन है.  खतरा यहां है कि आप उस आतंकी कार्रवाई का जवाब देने के लिए ऐसा रास्ता अख़्तियार करते हैं जो काइंया अंतरराष्ट्रीय शक्तियों को अपना खेल खेलने के लिए उकसाता है; खतरा यहां है कि आप देश में ऐसा माहौल बनाते हैं मानो यह जंग भारत-पाकिस्तान के बीच नहीं, हिंदू-मुसलमान के बीच हो रही है; खतरा यहां है कि आपको फौज की आला अधिकारी सोफिया कुरैशी अंतत: मुसलमान ही दिखाई देती है और आप उसे दुश्मन की बहन बताते हैं; खतरा यहां है कि इसी संकट की आड़ ले कर आप कश्मीर में वैसे कितने ही घर गिरा देते हैं जिन्हें आपने आतंकवादियों का घर करार दिया है; खतरा यहां है कि बुलडोज़र से किसी का घर गिरा देने की योगी-मार्का प्रशासन की जिस शर्मनाक शैली पर सुप्रीम कोर्ट ने गंभीर टिप्पणी की है और योगी-सरकार को कठघरे में खड़ा किया है, आप भी वही कर रहे हैं. यह अदालत की अवमानना तो है ही, संविधान से बाहर जाने की निंदनीय कार्रवाई है. खतरा यहां है कि आप फौज का क्षुद्र राजनीतिक इस्तेमाल करते आ रहे हैं जो आग से खेलने जैसी मूर्खता है.

लेकिन यह सच भी अजब-सी शै है. यह कहीं-न-कहीं से अपना सर उठा ही लेता है. भारत सरकार ने जो कह रही है,  उसे हम न मानें तो ट्रंप साहब ने जो कह रहे हैं उसे हम कैसे मान लें ? ट्रंप साहब की असलियत यह है, और सारी दुनिया उसे जानती है कि सच, ईमानदारी, नैतिकता आदि से वे ज्यादा निस्बत नहीं रखते. इसलिए उनके हर कहे व किए को हम उनकी औकात से ही तौलते हैं. लेकिन हमारे वायु सेना प्रमुख एयरमार्शल ए.पी. सिंह और बाद में सैन्य सेवा प्रमुख जेनरल अनिल चौधरी की बात ऐसी नहीं है कि हम उसे नजरंदाज करें. ये वे फौजी अधिकारी हैं जिनका यह सरकार अब तक राजनीतिक इस्तेमाल करती आई है. अब वे कह रहे हैं कि 3 दिनों का यह युद्ध दोनों तरफ़ को बेहद नुक़सान पहुंचा गया है. पाकिस्तान का नुक़सान ज्यादा हुआ है लेकिन उसने हमारा जितना नुक़सान किया है, वह स्थिति को ख़तरनाक बनाता है. पाकिस्तान ने हमारे विमान भी गिराए और सैनिक अड्डों को भी नुक़सान पहुंचाया. यह युद्ध रुकना ही चाहिए था, क्योंकि इस युद्ध से हासिल कुछ नहीं हो सकता था. परिस्थिति का यह आकलन व अंतरराष्ट्रीय शक्तियों का दवाब हमें युद्धविराम तक ले आया. यह मुख़्तसर में वह है जो इन दो आला फौजी अधिकारियों ने कहा है.

हमें यह सच्चाई समझनी चाहिए कि हथियार के व्यापारियों से खरीद-खरीद कर जो जखीरा हम भी और पाकिस्तान भी जमा करता रहता है, वह हर देश को करीब-करीब एक ही धरातल पर ला खड़ा करता है. इसलिए आज की दुनिया में कोई लड़ाई अंतिम तौर पर किसी को जीत नहीं दिलाती है. जीत नहीं, विनाश ही आज के युद्ध का सच है. आप रूस-यूक्रेन का दो बरस से ज्यादा लंबा युद्ध देखिए. कौन जीत रहा है ? दोनों बर्बाद हो रहे हैं. अमरीका व यूरोप की फौजी मदद से लड़ रहा यूक्रेन और हथियारों का अकूत जखीरा रखने वाला पुतिन- दोनों का दम फूल रहा है. दोनों का देश बर्बाद हो रहा है. फौजी भी मारे जा रहे हैं, नागरिक भी; शहर-गांव-कस्बे सब मलबों में बदल रहे हैं. ऐसे में आप जीत-हार की बात क्या पूछेंगे ! पूछने वाला सवाल यही है कि बताइए, कितना विनाश हो चुका है, और कितना विनाश कर के आप रुकेंगे ? इसराइल ने ईरान पर हमला कर किया क्या ? या फिर ट्रंप ने वहां अपनी नाक घुसेड़ कर क्या किया ? आप सोचिए, अगर ईरान ने अमरीका पर हमला बोला तो क्या होगा ? जीत या हार होगी ? नहीं, ऐसा कुछ नहीं होगा. विश्वयुद्ध भी नहीं होगा, वैश्विक विनाश होगा – शायद वैसा, जैसा दुनिया ने अब तक देखा नहीं है. हिंसा में से वीरता तो पहले ही निकली चुकी है, अब युद्ध में से जीत-हार भी निकल गई है. बची है विशुद्ध हैवानियत- क्रूरता, अश्लीलता और अपरिमित विनाश !

कोई राहुल गांधी यदि पूछता है कि हमें बताइए कि 3 दिनों के इस युद्ध में हमारा कितना नुक़सान हुआ, कितने विमान गिरे, कितने जवान मरे तो यह देशभक्ति की कमी या अपनी सेना की क्षमता पर भरोसे की कमी जैसी बात नहीं है. यही सवाल है जो पाकिस्तान में भी पूछा जाना चाहिए, इसराइल में भी, यूक्रेन और गजा व ईरान में भी. आज किसी भी कारण जो जंग का रास्ता चुनते हैं या जबरन किसी को जंग में खींच लाते हैं उन सबके संदर्भ में यही सबसे अहम सवाल है जो आंखों में आंखें डाल कर पूछा जाना चाहिए. लेकिन कौन पूछे ? जिस विपक्ष की ज़ुबान खो गई है वह पूछे भी तो कैसे ?

(23.06.2025)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

પંડ સાથે ગાંધીચીંધ્યા જીવનને જોડીએ! 

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar, Gandhiana|23 June 2025

ગાંધીજીને જાહેર નાણાં અંગે અને તેના ઉપયોગ બાબત બહુ ચિંતા રહેતી.

એક વાર, બાપુ આચાર્ય કૃપાલાણી તથા આચાર્ય ભણશાળી સાથે પૂણેની પાર્વતી ટેકરી પર આવેલાં વિખ્યાત મંદિરની મુલાકાતે ગયા હતા. મંદિરેથી પાછા ફરતી વખતે ગાંધીજીએ કૃપાલાણીજીને ઘોડાગાડી કરી લેવા અને તેનું ભાડું નક્કી કરવાનું જણાવ્યું. આ દરમિયાન એક કોલેજ યુવતી બાપુ પાસે આવી. અને હસ્તાક્ષર આપવા એ બાપુને વીનવતી હતી. હસ્તાક્ષર સામે પોતાનાં રચનાત્મક કામ સારુ કોઈક પ્રકારનો ફાળો આપવાનો ગાંધીજીને આગ્રહ રહેતો. ગાંધીજીએ અહીં પણ કોઈક ફાળાની માગ મૂકી. કોલેજ યુવતીએ દસ રૂપિયાનો ફાળો આપ્યો અને મહાત્માજીએ પોતાના હસ્તાક્ષર આપી એ યુવતીને રાજી કરી. ગાંધીજીએ એ દસ રૂપિયા આચાર્ય કૃપાલાણીના હાથમાં મૂક્યા અને તેમાંથી ઘોડાગાડીનું ભાડું ચૂકવવા એમને સૂચના કરી.

ઘોડાગાડી એમને લઈને યજમાનને ત્યાં પહોંચી. ત્રણે ય નીચે ઊતર્યા. નીચે ઊતરતાની સાથે જ ગાંધીજીએ આચાર્ય જીવતરામ કૃપાલાણીને આ ઘોડાગાડીનું કેટલું ભાડું ચૂકવ્યું, એમ પૂછ્યું. પાંચ રૂપિયા થયા એમ કૃપાલાણીજીએ જણાવ્યું. તરત જ ગાંધીજીએ પાંચ રૂપિયા પાછા આપવાનું કહ્યું. કેમ કે એમણે તો મૂળે દસ રૂપિયા આપ્યા હતા.

જીવતરામ ભ. કૃપાલાની

હવે કૃપાલાણી અસહાયપણે ભણશાળીજી સામે જોવા લાગ્યા, ભળશાળીજીએ બાપુને ફોડ પાડી, સમજાવતા કહ્યું કે એ ઘોડાગાડીવાળો પાંચ રૂપિયા પાછા આપ્યા વિના જ દસ રૂપિયાની નોટ લઈને જ નાઠો હતો.

એ સાંજે ત્રણે ય આ યજમાનને ત્યાં જમવાના હતા. યજમાનના ઘરમાં દાખલ થતાની સાથે ગાંધીજીએ યજમાનપત્નીને કહ્યું, ‘અમારા ત્રણમાંથી માત્ર બે જ જણ જમવાના છે.’ બાપુએ ઉમેર્યું: ‘એક યુવાન કન્યાએ જાહેર કામ માટે આપેલા દસ રૂપિયાના ફાળામાંથી કૃપલાણીએ પાંચ રૂપિયા ખોયા છે એથી કૃપાલાણીને આજે રાતે વાળુ કરવા દેવામાં આવશે નહીં.’

મધુ દંડવતે

નવી દિલ્હી ખાતે, 1996માં, જયપ્રકાશ નારાયણ સ્મૃતિ વ્યાખ્યાન આપતી વેળાએ પ્રાધ્યાપક મધુ દંડવતે આ પ્રસંગને ટાંકીને કહેતા હતા તેમ આજના જાહેર જીવનની સરખામણીએ આ તદ્દન વિરોધાભાસી વલણ છે. આજે તો કરોડોની ગંભીર ઉચાપત લાંચરૂશ્વત પેટે થયા કરે છે. જાહેર જીવનમાંની સ્વચ્છતાની તથા નાણાં અંગે પ્રામાણિકતાની અસર આઝાદીની લડત દરમિયાન મહાત્મા ગાંધીના વરિષ્ઠ સાથીઓ પર ઊંડી હતી. જ્યારે આજે આનાં વરવાં રૂપો અને સ્વરૂપો આપણે ભાળીએ છીએ … આપણે આપણી સીમા આંકી લઈએ અને આપણા જીવનને કેન્દ્રમાં મૂકીએ તો આપણે કેટલા રૂડા પુરવાર થઈએ ? ગાંધીને નામે ચાલતી સંસ્થાઓ, ગાંધીનાં કામ કરતી વ્યક્તિઓની જ વાત જોઈએ તો આ સ્તરે કોઠો ઠારે એવી હાલત જ નથી. તો પછી બીજી સંસ્થાઓની, આગેવાન વ્યક્તિઓની કેવી હાલત, ભલા, હશે? જરાક પોરો લઈને મટકું મરાય એટલો વખત પણ વિચારીએ.

પાંચા પટેલનો દાખલો જગમશહૂર છે. ગાંધીયુગનો સુવર્ણ સમય એટલે મીઠા સત્યાગ્રહ. દાંડી યાત્રાનો જુવાળ ચોમેર હતો. દક્ષિણ ગુજરાતના કંઠાર વિસ્તારના દાંડી નજીક કરાડી નામે ગામ. કરાડીમાં પાંચાકાકા કરીને એક ગાંધી ભક્ત. સાચા અર્થમાં ગાંધીભક્ત. પૂરી સમજણવાળા ગાંધીભક્ત. એમણે નાકરની લડતમાં પણ ભાગ લીધેલો. એમણે દાંડીના મીઠા સત્યાગ્રહમાં ય ભાગ લીધેલો, બ્રિટિશ સરકારે એથી તો એમનું ઘર હડપ કરી લીધું. એમની વાડી જપ્ત કરી અને બીજી મિલકત પણ સરકારને ચોપડે ફરજિયાત મેળવ્યાની નોંધ બોલે. પોલીસે પાંચાકાકાને હાથે બેડીઓ નાંખી. એમને થાણે લઈ જતા જતા એક પોલીસ અધિકારી બોલ્યા :

પાંચા પટેલ

‘તમારી પાસે એક પણ તસુ જેટલી જમીન ન રહી જાય એ અમે જોવાના છીએ. તમારું ઘર પણ અમે જપ્ત કરી લીધું છે.’

પાંચાકાકા જેનું નામ. એમણે પોલીસને કહ્યું: ‘તમે ખાતરી રાખજો, હિંદ આઝાદ ન થાય ત્યાં લગી મારી જમીન હું પાછી માગવાનો જ નથી.’

સને 1937માં મુંબઈ ઈલાકામાં કૉંગ્રેસ સરકાર આવી. બાળ ગંગાધર ખેર મુખ્ય પ્રધાન બન્યા. એમણે બાપુના આ આદર્શ સૈનિકને સંદેશો મોકલ્યો :

‘બ્રિટિશ રાજ વખતે તમારાં જપ્ત થયેલાં ઘર અને જમીન અમે તમને પાછાં સુપ્રત કરવા ઈચ્છીએ છીએ.’

પાંચાકાકા બોલ્યા : ‘ના. આ કંઈ ગાંધીજીનાં સપનાની આઝાદી નથી. હિંદ સંપૂર્ણ આઝાદી મેળવે ત્યાં લગી આ મિલકત પાછી ન લેવાનાં મેં પણ લીધાં છે. દેશને સંપૂર્ણ આઝાદી ન મળે ત્યાં સુધી હું મારી મિલકત પાછી લેવાનો નથી. એ તમારી પાસે રાખી મેલો.’

15 ઑગસ્ટ 1947ના દેશ આઝાદ થયો. ગાંધીભક્ત પાંચા પટેલને ફરી વાર સંદેશો ગયો : ‘હવે તો આપણો દેશ આઝાદ થયો છે અને તમે તમારી મિલકત હાવાં પાછી લઈ લો.’

પાંચાકાકાએ બાપુનો સંપર્ક કર્યો. પૂછ્યું : ‘બાપુ, તમારા સપનાની આઝાદી આવી છે કે?’

ગાંધીજીએ કહ્યું : ‘કમભાગ્યે, મારો જવાબ ના છે.”

અને પછી પાંચાકાકાએ સરકારે જણાવી દીધું : ‘હું મારી મિલકત પાછી લઈ શકું તેમ નથી.’

આ સાંભળીને કોઈક ચતુર જણ બોલ્યું : ‘ અરે ! પાંચાકાકા પોતાની મિલકત પાછી મેળવવાની ના પડે છે ? પરંતુ એમની જ્યારે આંખ મિંચાશે ત્યારે તેમની પત્ની અને તેમના સંતાનો તો આ મિલકત મેળવશે જ ને !’

આ પ્રકારની વાત થયા કરતી હતી. એ અંગે પાંચાકાકાએ જે જવાબ આપ્યો છે, એ સાંભળવા જેવો છે. આ જવાબ નિતાંત ગાંધી સમજણનો દ્યોતક છે :

‘મને એવો અંદેશો હતો. તેથી મારે ક્યારે ય શરમ અનુભવવી ન પડે તે સારુ હું પરણ્યો જ નથી અને આમ મારે કોઈ સંતાન પણ નથી.’

ગાંધીજીએ દરેક સ્તરે આવા માણસોની લંઘાર તૈયાર કરી હતી. ઘરઘરમાં આવા દીવાઓએ ઓજસ પાથર્યા હતા. એમનાં તપે આપણે સૌ ઊજળા રહ્યા છીએ. પણ આજે આપણી વચ્ચે જુદું ચિત્ર કેમ છે ? કારણ ચોખ્ખું છે : આપણે ગાંધીને ગોખલે પૂરીએ છીએ, એને દેવ બનાવીએ છીએ, ફરી ફરીને એ જ પુષ્પમાળાઓથી એની સમાધિ, એની છબિ અને એની મૂર્તિ લાદી દઈએ છીએ. લગીરે ય સમજ્યા વિણ એમનો જયઘોષ કરીએ છીએ. ‘સત્યેશ્વરની જય’ પોકારનારાઓ આપણે કયું સત્ય જોઈએ છીએ ? કયો ઈશ્વર ભાળીએ છીએ? કોનો જય ઈચ્છીએ છીએ?

ઘડીભર આપણી જાતને જ પૂછીએ : સામાજિક ન્યાય માટે આપણે શું કર્યું? સામાજિક ન્યાયની આપણી વ્યાખ્યા શી ? ગાંધીને નામે કામ કરતી સંસ્થાઓમાં ય સામાજિક ન્યાય જાળવીએ છીએ ? બહેનોને સરખાપણું આપીએ છીએ? સાંઠગાંઠ કરીને ખુદ સારુ જ સાટાદોઢા તો નથી કરતાં ને? પઈએ પઈનો અણિશુદ્ધ વહેવાર જાળવીએ છીએ ? આપણી સંસ્થાઓ જાહેર જનતાની અમાનત છે, એનો વહીવટ પ્રજાના સાચા ટ્રસ્ટીઓ બનીને ચલાવીએ છીએ કે ? વહીવટી માળખા સારુ વરસે દહાડે જાહેર લેખાંજોખાં કર્યા છે ? અણિશુદ્ધ ચારિત્ર્ય કેળવ્યું છે? કાર્યકરોને ચકાસ્યા છે? ગાંધીનામને સત્તા, શેખી અને ફદિયા સારુ ધૂળમાં રગદોડતા તો નથી ને ? પોતાની પ્રસિદ્ધિ, પોતાની વાહ વાહ સારુ જ સંસ્થાની પાંખ કાપી નથી મેલી ને ? સત્યની બાંગ પોકારીને સત્તાની શેખી તો નથી કરીને? છેવાડાના આદમીને ન્યાય મળે એવા કેટલાં કાર્યો કર્યા છે ? પોતાના સ્વાર્થ સાટુ ગાંધીનામ અને કામમાં સંસ્થાના મૂળ હિતની ય છડેચોક હરાજી કરવામાં ય શરમ અનુભવીએ છીએ કે? ગાંધીનામ અને કામમાં સમભાવ અને સમદૃષ્ટિ પાયામાં જ છે. આપણે સમભાવ અને સમદૃષ્ટિ કેળવી છે ? – આ બધા સવાલોના જવાબ મેળવવા, ક્યારેક, આકરા થઈ પડે છે. પરંતુ, ક્યારેક તો મહેનત કરવી જ પડશે. 

સને બેતાળીસનાં ભારત છોડો આંદોલન વેળાએ મૌલાના અબુલ કલામ આઝાદ અહમદનગર કિલ્લામાં બંદીવાન હતા. એ જેલમાં હતા એ ગાળા દરમિયાન બેગમ આઝાદનું અવસાન થયું. મૌલાનાસાહેબના મિત્રોએ પૂરતા સન્માન સાથે બેગમસાહેબાની સ્મૃતિ જાળવવા ભંડોળ એકત્ર કરવાનું વિચાર્યું.

મૌલાના અબ્દુલ કલામ આઝાદ

દરમિયાન, 1945માં મૌલાના આઝાદને કેદમાંથી છોડી મૂકવામાં આવ્યા. એમને આ ફાળાની જાણ થઈ. 17 સપ્ટેમ્બરે એમણે એક જાહેર નિવેદન કરીને મિત્રોને અને સાથીદારોને આ ફાળો તત્કાળ રોકવા અનુરોધ કર્યો. એમણે કહ્યું, સમાજના મુઠ્ઠી ઊંચેરા આગેવાનો માટે જ આવો ફાળો એકઠો કરવાનો હોય. એમના પત્ની સામાન્ય ધરખ્ખુ મહિલા જ હતાં અને એમણે જાહેર જીવનમાં કોઈ મોટો ફાળો આપ્યો નથી, એમ ઉમેરતા એમણે કહ્યું. પરિણામે જે કંઈ ફાળો એકઠો થયો હતો એ તત્કાળ એમણે ‘કમલા નેહરુ સ્મારક હોસ્પિટલ’ ભંડોળમાં જમે કરાવી દીધો.

સુધરાઈ, સરકાર અને અહીં તહીં નાની મોટી સંસ્થાઓ પાસે પણ માન અકરામ માટે ફાંફાં ફાંફાં મારતા, ગાંધીની જપમાળા ધસતા, હારતોરા ને ભાષણ સારુ વલખા મારતા અનેક આગેવાનોને આપણે આપણા સમાજમાં ભાળીએ છીએ. આ લાજી મરવા જેવું વરવું ચિત્ર નથી શું? ગાંધીનું ઓજસ સત્યમાંથી ટપકતું હતું. આજે સત્યેશ્વરની બાંગ પૂકારનાઓને ‘સત્’, ‘સત્ય’ કરતાં કદાચ ‘સત્તા’માં જ સવિશેષ શ્રદ્ધા હોય !

સને 1940ના એ દિવસો. વ્યક્તિગત સત્યાગ્રહનું આંદોલન હિંદભરમાં પથરાયેલું. મુંબઈના સિક્કાનગર વિસ્તારની વાત છે. એ વિસ્તારમાં રહેતાં એક સાદાં, સીધાં, સરળ બાનુની આ વાત છે. લેમિંગ્ટન રોડ પોલીસ સ્ટેશન સામે આઝાદીની તરફદારી કરતું ભાષણ ઠપકારીને આ બહેને વ્યક્તિગત સત્યાગ્રહ માંડ્યો. પોલીસે એમને તરત અટકમાં લીધાં. સામાન્યપણે સત્યાગ્રહીને અટકમાં લેવામાં આવે ત્યારે તેમને અદાલતમાંની હાજરી પછી કેદખાને લઈ જતા પહેલાં પોતાને ઘેર લઈ જવામાં આવે. જેથી એ પોતાને અત્યંત જરૂરી ચીજવસ્તુઓ સાથે લઈ શકે. આ દાખલામાં એમ કરવાનું પોલીસે ના પાડી. બાઈએ સમયસૂચકતા વાપરી. હાથમાંની બંગડી, કાનમાંના એરિંગ, ગળાનો અછોડો એણે સત્વરે ઊતારી લીધાં. એક રૂમાલમાં વીંટીને એણે ચોતરફ જોઈ લીધું. ટોળામાં એક ખાદીધારી ભાઈ હતા. એની સામે એ ગાંસડી આ બહેને ફેંકી અને કહ્યું,

‘આમાં મારું સરનામું છે, ત્યાં જઈને આપી આવજો અને પરિસ્થિતિ સમજાવજો.’

ભારે હેબતાઈ ગયેલા પેલા ખાદીધારી ભાઈએ લાગલા પૂછ્યું, ‘બહેન, તમે મને ઓળખતાં નથી. તમને ખાતરી છે કે હું આપી આવીશ ? આ દાગીનો લઈને હું ભાગી નહીં જઉં તેની તમને કોઈ શંકા નથી ?’

બહેનનો જવાબ જોવા જેવો છે : ‘ભાઈ, તમારા શરીરે ગાંધીની ખાદી છે; એથી વિશ્વાસ સાથે મેં તમને આ દાગીનો સુપ્રત કર્યો છે. તમે એ લઈને ભાગી જશો નહીં જ એનો મને પૂરો ભરોસો છે.’

ગાંધીએ અદના સૈનિકોમાં ય ખાદીની સમજણ ઊતારી હતી. રામને નામ પથ્થરો તર્યા કે નહીં એની કોઈ પાક્કી જાણ આપણને નથી. ફક્ત રામાયણમાં વાંચ્યું છે કે પછી પારાયણીએ એ ઘટના લડાવી લડાવીને કહી છે. અહીં તો આ માત્ર ગઈ કાલની જ વાત છે. સાચી ઘટના છે. બાપુનાં નામે આવા કેટલાં ય સોળ આનાના પાણીદાર સિક્કાઓ વિસ્તારે વિસ્તારે, મહોલ્લે મહોલ્લે, ઘરે ઘરે એ કાળે પેદા થતા હતા. આજે ? બાપુનાં તમામ રચનાત્મક કામોમાં ખૂંપેલા આપણે આમ વરતી શકીએ કે ? આપણી અહીંની જ વાત સમજીએ અને અંતરથી જાતને ઢંઢોળી તપાસીએ. કંઈ કેટલાં ય સાથીમિત્રોને જોઈએ છીએ; અંગત સ્વાર્થે વિશ્વાસઘાત કરનારા, ખંજર હલાવતા, ઠેર ઠેર જોઈએ છીએ. ક્યારે આપણી જાતને સંકોરીને ગાંધીનામની સાચી જપમાળા કરીશું ? ક્યારે એના સાચાં કામો આદરીશું?

“હરિજનબંધુ”ના 18-11-1936ના અંકમાં મહાત્મા ગાંધીએ લખ્યું હતું :

‘કોઈ લોકસેવક જ્યાં લગી કોઈ તંત્રના એક અંગ તરીકે કુશળતાથી કામ કરતો હોય ત્યાં લગી તેના ચારિત્ર્ય વિષે પૂરેપૂરું દુર્લક્ષ કરવાની વૃત્તિ આધુનિક જાહેર જીવનમાં છે. એમ કહેવામાં આવે છે કે દરેક માણસનું ચારિત્ર્ય કેવું છે એ એને પોતાને જોવા સંભાળવાનું છે. આવો વિચાર કરતા લોકોને મેં ઘણી વાર જોયા છે, પણ મને એ કદી ગમ્યો નથી. તો હું સ્વીકારી તો ક્યાંથી જ શકું? જે સંસ્થાઓએ માણસના ચારિત્ર્ય વિષે ઉપેક્ષા રાખી છે તેના પર મહાન આફતો આવી પડેલી મેં જાણી છે.’

આપણે દરેક આપણી જાતને આ એરણ પર મૂકી જોઈશું ? કેટલી કેરેટનું સોનું નીવડીશું? 

[“ઓપિનિયન” અંક જાન્યુઆરી 1999માંથી ટૂંકાવીને.]
22-23 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 341-342

Loading

...102030...101102103104...110120130...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved