ઉલેચો અંધારા ઉલેચો
ઉલેચો ભાઇ, હવે તો અંધારા ઉલેચો
પ્રકાશના પગરવ સાથે સૂર્યોદયના સથવારે
પંખીના કલરવ સાથે
જાતને, તમારી બસ ઢંઢોલી ફંફોળીને
હવે, તો ઉલેચો અંધારા ઉલેચો
ને, માણસાઇના દીવાઓ પ્રગટાવો
નફરતના આખેઆખા વૃક્ષને પૂરેપૂરું બાળો
કટ્ટરવાદ કોમવાદને વર્ણ વ્યવસ્થા મહારોગને
બસ, હવે તો દફનાવો
હા, ગાંધી મૂલ્યનાં પરિપ્રેક્ષમાં
સંપૂર્ણ કક્ષાના પેલા, માણસને ઊગાડો
ભાઇ, ઉલેચો હવે તો અંધારા ઉલેચો
ધર્મના અંચળા વચ્ચે
અહમ્ અને અહંકારના ઓછાયા વચ્ચે
માણસને માણસમાંથી લોપાતો, બચાવો
ઉલેચો અંધારા ઉલેચો
હું શું છું, જગમાં, દોસ્તો
એક તણખલાનું નાનું તરણું
અસંખ્ય માનવ મહેરામણમાં મારું શું ગજું છે, દોસ્તો,
હું પણ માણસ તું પણ માણસ
છે, આ કુદરતની મોટી ભેટ, દોસ્તો
આ ભેટને સાર્થક કરી
માણસાઇના દીવા પ્રગટાવો
ભાઇચારાનો મિસાલ સ્થાપો
અને નવા ભારતના નિર્માણ માટે કટિબદ્ધ બનો
ઉલેચો દોસ્તો અંધારા ઉલેચો
પ્રકાશના પગરવ સાથે
ભાઇચારાના મિસાલ સાથે
માણસાઇના માહોલ સાથે
દોસ્તો, ચાલો, આપણે સૌ
ઉલેચી અંધારા હવે તો
નવા ભારતનાં નિર્માણ તરફ પ્રયાણ કરીએ
ઉલેચો અંધારા ઉલેચો
ભાઇ, હવે તો અંધારા ઉલેચો
e.mail : koza7024@gmail.com
તારીખ : ૧૨-૭-૨૦૧૯
![]()


ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં ૨૧ વર્ષ રહ્યા હતા અને એ ૨૧ વર્ષ આફ્રિકાના સર્વોચ્ચ નેતા નેલ્સન મંડેલાના શબ્દોમાં કહીએ તો મોહનમાંથી મહાત્મા બનવાનાં વર્ષો હતાં. એ એક ધીમી, લાંબી અને અનોખી પ્રક્રિયા હતી. એ ગાંધીજીની તપશ્ચર્યાનાં વર્ષો હતાં અને દક્ષિણ આફ્રિકા ગાંધીજીની તપોભૂમિ હતી. એ વર્ષોમાં મોહનદાસ ગાંધીએ જે ખાસ પ્રકારનો મોહનનો મસાલો વિકસાવ્યો હતો એ સંક્ષેપમાં આ મુજબ હતો:
આપણે જાણીએ છીએ કે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ રણજિતરામ વાવાભાઈ મહેતાએ સ્થાપી, ત્યારે એમના મનમાંનો ગુજરાતી સાક્ષર ગોવર્ધનરામના 'સાક્ષરજીવન'ના નાયક સમો હતો, જેના દિલમાં દેશહિત હોય, પરિષદદર્શનની આ વ્યાપકતાનો ખ્યાલ એના પરથી આવે છે કે અહીં થયેલા પ્રમુખો મોટા સર્જકોની સાથે મોટા ચિંતકો પણ રહ્યા છે. ગાંધીજીનું પરિષદપ્રમુખ હોવું એ આ પરંપરાનું ગૌરવ હતું. આર્નોલ્ડે સાહિત્યને જીવનની સમીક્ષા ગણાવ્યું છે. એ અર્થમાં સાહિત્યકાર એટલે જીવનનો સમીક્ષક. જીવન એટલે મેઘાણી કહે છે તેમ મુંબઈના કોઈ નળમાંથી ટપકતી દદૂડી નહીં, પણ સાગરવેળ જે આપણા અણુએ અણુને પ્લાવિત કરે. પરિષદદર્શનના પાયામાં આ ભાવના રહેલી છે. પરિષદદર્શનના આ પાયાના એક પથ્થર પ્રકાશ ન. શાહ છે, આપણે ત્યાં રસિક હોય એ ઘણીવાર પૂરો નાગરિક નથી હોતો, નાગરિક હોય એ પૂરો રસિક નથી હોતો. રસિક નાગરિકની કેળવણી પ્રકાશભાઈની મથામણ રહી છે.
આ સર્જકોની સર્વતોમુખી પ્રવૃત્તિ પ્રકાશભાઈમાં પણ આપણને જોવા મળે છે. રાજનીતિ, પત્રકારત્વ, શિક્ષણ અને સાહિત્યમાં પ્રગતિશીલ અભિગમથી સતત કામ કર્યું. સાહિત્યની સ્વાયત્તતા અને સંસ્થા પ્રત્યેની નિસબતના સંયોગનું એ વિરલ ઉદાહરણ છે. ભોગીલાલ ગાંધી, જયંતિ દલાલ, ‘દર્શક’, ઉમાશંકર જોશી, સાથે તો જયપ્રકાશના આંદોલનમાં અને આચાર્ય કૃપાલાણી સાથે અંતેવાસી કહી શકાય એ રીતે કામ કર્યું. કટોકટી વખતે જેલવાસ પણ વેઠ્યો. આમ, પ્રકાશ ન. શાહ એક વ્યક્તિ નહીં પણ એક મિજાજ, એક આબોહવાનું પ્રતિનિધિત્વ કરે છે. એમના લેખન અને વક્તવ્યમાં સંદર્ભો અવનવાં પુષ્પોની જેમ પ્રગટ થઈ, વિષયને વ્યાપક ફલક પર લઈ જાય છે. નિર્ભય લેખક કેવો હોય એનું પ્રકાશ ન. શાહ જીવતુંજાગતું ઉદાહરણ છે. પ્રકાશભાઈ પ્રજાલક્ષી રાજનીતિમાં સતત સક્રિય રહ્યા છતાં એમની છાપ કોઈ પણ પક્ષ કે વાદમાં બંધાવાને બદલે મૂલ્યબદ્ધ વ્યક્તિ તરીકે જ સમાજમાં વિસ્તરતી રહી. આ કારણે જ એમની લોકપ્રિયતા કે સ્વીકૃતિને પક્ષવાદ કે જૂથની સીમાઓ અડી પણ નહિ અને નડી પણ નહીં.