અંદર તો
બધું અંદર જ.
અંદરનાં કપડાં
બાલ્કનીમાં
સૂકવવાનાં જ નહીં.
સાડા પાંચે
બાલ્કનીમાંથી
બહારનાં કપડાં
લઈ જ લેવાનાં.
છ વાગે
ચારે દીવાલોની
ગડી વાળી દેવાની
અને
તરત
બંધ બારીઓની
ગરમાગરમ ભારે ઈસ્ત્રી
તેનાં પર
ફેરવી દેવાની.
છ ને એક મિનિટે
અંધારું જોઈએ.
ન
દીવો જોઈએ
ના
દીવાનાં પ્રકાશે
પુસ્તક જોઈએ.
ના
ચર્ચા જોઈએ
ના
સભા જોઈએ
ના
સંવાદ જોઈએ
ના
વિવાદ જોઈએ.
છોકરાઓનું હસ્તમૈથુન ચાલુ રહેશે.
બનારસી પાન,
મર્દોકી શાન,
જય જય હિંદુસ્તાન !
૨૫ સપ્ટેમ્બર
(છેડતી સામે સુરક્ષાની માંગણી કરતી બનારસ હિંદુ યુનિવર્સિટીની છાત્રાઓ પર પોલીસ લાઠીચાર્જ)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2017; પૃ. 15
![]()


[‘જ્યાં રહો ત્યાં મહેકતા રહો’ : નીલમ પરીખ : કુલ પાન : 235 : કિંમત રૂ. 60. : પ્રકાશક : જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ, નવજીવન પ્રકાશન મંદિર. અમદાવાદ-380 014.]
તમારી સાથે મારાથી બહુ વાત કે કંઈ જ નથી થઈ તેથી હું મનમાં કોચવાયો છું, પણ મારી સ્થિતિ જ એવી કફોડી છે.
સુશીલાબહેન ગાંધીનાં સંભારણાં.
અમારાં લગ્ન અકોલામાં થયાં. પછી લગ્ન કરીને અમે બાપુજી અને પરિવારના અન્ય સભ્યો સાથે અમદાવાદ આવવા નીકળ્યાં, ત્યારે અમે બંને સૌની જોડે એક જ ડબામાં બેસવા જતાં હતાં, ત્યારે બાપુએ હસતાં હસતાં કહ્યું, ‘મણિલાલ, તારે અમારા ડબામાં બેસવાનું નથી. તમે બંને તમારી જગ્યા શોધી લો. સુશીલા પણ ત્યાં જ બેસશે. એકબીજાં સાથે પરિચય કરવાની આ જ તક છે ને !’ હું શરમની મારી ઊંચું જોઈ શકતી નહોતી. પણ બાપુને ભર્યાભાદર્યા કુટુંબની વચ્ચે સોળેસોળ આના કુટુંબીજન બનીને રહેતા જોયા. પોતાનાં સંતાનોની અને સ્વજનોની દષ્ટિએ વિચારી શકતા હતા અને કુટુંબના વડા તરીકે સાચું માર્ગદર્શન આપી શકતા હતા.