અસારવા ચકલામાં
શાકભાજી વેચતી શકરી
ક્યારે શિકાગો ગઈ હતી?
આ પ્રશ્ન અત્યારે પૂછવો વાજબી નથી.
આપણે દેશભક્ત છીએ.
આવા સવાલો આપણાથી ના પૂછાય.
શકરીનું નસીબ, બીજું શું?
શકરીની મા, દાદી, પરદાદી,
અહીં ચકલામાં શાકભાજી જ વેચતાં હતાં.
આજે શકરીની હારે
એની દીકરી સોમી પણ શાકભાજી વેચે છે.
કોરોના આવે કે જાય
શકરીનું નસીબ ફરવાનું નથી.
તમને શકરી ચકલામાં મળે
તો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને
એને આશ્વાસન આપજો
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 25 ઍપ્રિલ 2020
![]()



ચીનની વિવાદિત લેબ ‘વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી’નાં વાઇરોલોજીસ્ટ શિ ઝેન્ગલી (Shi Zhengli) એકાએક પ્રકાશમાં આવેલું નામ છે. શિ ઝેન્ગલી ‘બેટ વુમન’ના નામથી ઓળખાય છે. વુહાનમાં કોરોના પ્રસર્યો ત્યારે શિ ઝેન્ગલીને સૌથી પહેલાં પૂછવામાં આવ્યું હતું કે, આ વાઇરસના મૂળ ક્યાં છે તે શોધી કાઢો. ચીનના વાઇરોલોજી સમૂહમાં સૌ કોઈ જાણતા હતા કે કોરોના વિશે આધારભૂત માહિતી માત્ર શિ ઝેન્ગલી આપી શકે છે! શિ ઝેન્ગલી છેલ્લાં સોળ વર્ષથી બેટ(ચામડચીડિયા)માંથી આવનારાં વાઇરસ વિશે કામ કરી રહ્યાં છે. 2002-03માં જ્યારે ચીનમાં ‘સાર્સ’ની બીમારી પ્રસરી ત્યાર પછી શિ ઝેન્ગલીએ ‘સાર્સ’ના મૂળિયાં ક્યાં છે તે વિશે ગહન અભ્યાસ શરૂ કર્યો. આ માટે શિ અને તેની ટીમ ચીનનાં અંતરિયાળ જગ્યાઓ ખૂંદી વળ્યાં. અહીંયાથી તેમણે ચામડચીડિયાનાં લોહી અને લાળના નમૂના લીધા. ચામડચીડિયાનાં મોટાં ભાગનાં આ રહેઠાણો દૂરસુદૂર ગુફામાં આવ્યાં હતાં. તેમાં વાઇરસ સાથે સંપર્કમાં આવવાનું તો જોખમ હતું, સાથે ત્યાં પહોંચવાના પડકાર હતા. આ રીતે વાઇરસનાં મૂળિયાં શોધવાની પ્રક્રિયા સોળ વર્ષથી ચાલી રહી છે અને હજુ ચાલુ છે.