નથી કબૂલ મને આ વૈભવી વસંતનાં સ્વપ્નાંઓ,
પવનનું વસ્ત્ર ભીનું આભથી પાંદડી ખરતી રહી.
ભલે પાનખર આવે નઝર હું ગુલઝાર રાખું છું,
ઘાસ જેવી સુક્કીભટ ઘટના બાગને ખણતી રહી.
સૂકી જુદાઈની ડાળી તણાં ફૂલ ઊગે ને ખરે,
ગુલમહોરની યાદમાં ઝાકળની તૃષા તરતી રહી.
મૃગજળને ખોબામાં ભરી લેવા હું કરું કોશિશ,
રણ સમી જિંદગી પાણી પાણી તરસતી રહી.
માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળે જો,
માટીમાં મળે મુક્તિ ને હવા સોડમ ભરતી રહી.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


સાચું તો એ છે કે હવે જગતમાં ખોટું કૈં રહ્યું જ નથી. બધું જ ખોટું, સાચું થઈ ગયું હોય તેમ ક્યાં ય અસત્ય જેવું કૈં લાગતું જ નથી. ચારે બાજુએ અનાચાર જ સદાચારની જેમ ફેલાઈ રહ્યો છે. ખોટું જ એટલું બધું વ્યાપકપણે ચાલે છે કે ખરું કોને કહેવાય એની સમજ જ નથી પડતી. બળાત્કાર, ખૂનની ઘટનાઓ વગરનું વર્તમાનપત્ર જડતું નથી. ખૂન સ્વાભાવિક થઈ ગયાં છે. જાણે કોઠે પડી ગયાં છે ! આઝાદી સાથે વારસામાં મળેલી કોમી હોળી હજી ક્યાંક ક્યાંક સળગતી જ રહે છે. નાની નાની વાતમાં (અ)ધર્મ એટલો ઊંડે ઊતરી ગયો છે કે લોહી ઠંડું પડતું જ નથી. કોઈ કૈં જરા ધર્મ વિષે બોલે છે કે તેમાં ખોટું શું છે તેની ખોળાખોળ ચાલુ થઈ જાય છે. બીજું ગમે તે બોલો, પણ ધર્મ વિષે કૈં બોલાયું કે તેનો હિંસક વિરોધ શરૂ થઈ જાય છે. ભાગ્યે જ કોઈ ધર્મ એમાંથી બાકાત હશે. કોણ જાણે કેમ પણ કટ્ટરતા જ ધર્મ થઈ પડ્યો છે. બહુ મહેનત કરીને ઝનૂન ઉછેરવામાં આવી રહ્યું છે. આ સારું નથી. દુ:ખની વાત છે કે હિન્દુઓ પણ વાત વાતમાં ઉશ્કેરાય છે. તે પણ બદલાની વાતો કરતા થયા છે. કેટલાક વિધર્મીઓ, હિન્દુઓ તરફ આંગળી ચીંધે છે કે હિન્દુઓ પણ ઝનૂનને પોષે છે, તો તે સંદર્ભે એટલું જ કહેવાનું કે કોઈ હિંદુએ આજ સુધી તલવારની અણીએ કોઈને મુસ્લિમ બનાવ્યો નથી. ઝઘડાની શરૂઆત ક્યારે ય હિન્દુઓથી થઈ નથી. પહેલો પથ્થર હંમેશાં સામેથી આવ્યો હોય ને પછી પ્રતિક્રિયા આવી હોય એમ બને, બાકી પહેલ હિન્દુઓએ કરી નથી. એનું કારણ છે કે હિન્દુ ધર્મ મૂળથી જ સહિષ્ણુ અને ઉદાર રહ્યો છે. એની ધીરજની કસોટી અનેકવાર થઈ છે ને થતી રહે છે. 28 જૂને ફરી એક વાર કસોટી કરતી એક ભયંકર ઘટના રાજસ્થાનનાં ઉદેપુરમાં બની છે.