હવે પડવા, ગબડવા કે આખડવાનો ડર નથી મને,
હું સ્થિર થયા પછી લડખડાયેલો માણસ છું.
બગડી જશે આકાર એ ચિંતાનો વિષય નથી હવે,
હું બધી બાજુએથી ગોબાયેલો માણસ છું.
નવું કોઈ મિલન થશે એ અભિલાષા નથી હવે,
હું દશેય દિશાઓથી તરછોડયેલો માણસ છું.
ધક્કામુક્કીથી સાવ ટેવાઈ જ ગયો છું હવે,
હું સહુ દ્વારા એક હડસાયેલો માણસ છું.
મનાવવાની કોશિશ વ્યર્થ જ નીવડશે હવે,
‘મૂકેશ’ હું તો સ્વથી જોડાયેલો માણસ છું.
ન્યુ જર્સી, યુ.એસ.એ.
e.mai : mparikh@usa.com
![]()


ધોરણ બારનું સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91 ટકા આવ્યું. એમાં સુરતનું પરિણામ 87.52 ટકા આવ્યું. સુરતના A1, A2 ગ્રેડમાં પણ અનુક્રમે 643 અને 4,382 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગોપી વઘાસિયા નામની રત્ન કલાકારની દીકરીએ 96.28 ટકા સાથે પ્રથમ રહી A1 ગ્રેડ મેળવ્યો છે. આ દીકરી સી.એ. બનવા ઈચ્છે છે. જેનાં માર્કસ 91-100ની રેન્જમાં છે તેને A1 અને 81-90ની રેન્જમાં છે તેને A2 ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. મતલબ કે સુરતમાં જ A1 ગ્રેડવાળા 643 વિદ્યાર્થીઓ એવા છે જેમના ઓછામાં ઓછા 91 ટકા તો આવ્યા જ છે ને એ જ રીતે A2 ગ્રેડવાળા 4,382 વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા 81 ટકા તો લાવ્યા જ છે. આ વખતે વિદ્યાર્થીઓ 84.67 ટકા પાસ થયા છે અને વિદ્યાર્થિનીઓ 89.23 ટકા સાથે 5 ટકા આગળ છે. પર્સન્ટાઇલ રેન્ક 99થી વધુ મેળવનાર 3,610 છે ને 98થી વધુ મેળવનાર 7,112 છે.
મહમ્મદઅલી ઝીણાએ ભારતીય મુસલમાનો માટે અલગ ભૂમિ(પાકિસ્તાન)ની માગણી શરૂ કરી ત્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભારત આવડો મોટો દેશ છે, જેમાં મુસલમાન પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ દરેક પ્રદેશમાં પથરાયેલા છે અને એ જ રીતે જ્યાં પાકિસ્તાન સ્થપાવાની વાત છે ત્યાં હિંદુઓ પથરાયેલા છે તો શું આટલા મોટા પ્રમાણમાં પ્રજાકીય સ્થળાંતર થશે? શું ગામડેગામડેથી કુટુંબો સ્થળાંતર કરશે? આ વ્યવહારુ હશે ખરું? આખો દેશ તળેઉપર થશે અને ઊથલપાથલ થશે એની કિંમતનો કોઈ અંદાજ ખરો અને કોણ ચૂકવશે એની કિંમત? અને જો ધર્મના આધારે સંપૂર્ણ પ્રજાકીય સ્થળાંતર કરવામાં નહીં આવે તો હિંદુ અને મુસલમાનોના સહઅસ્તિત્વનો પ્રશ્ન કાયમ રહેવાનો છે. આજે પણ છે અને કાલે પણ હશે. જો સરવાળે સાથે જ રહેવાનું છે તો અલગ ભૂમિની માગણી શા માટે? તો પછી સહઅસ્તિત્વને એક ચાન્સ શા માટે આપવામાં ન આવે?
કોમવાદી રાજકારણ કરનારાઓ શરમ અને સંકોચથી પર હોય છે અને ઝીણા અંગત જીવનમાં ગમે એટલા સેક્યુલર હોય તેમનું રાજકારણ કોમી હતું. દેખીતી રીતે ઉપર કહ્યા એ વ્યવહારુ સવાલો તો તેમને વારંવાર પૂછવામાં આવતા હતા અને એમાં એક વાર તેમણે, થોડા ચિડાઈને શો જવાબ આપ્યો હતો એ જાણો છો? તેમણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાનની બહુમતી પ્રજા પોતાને ત્યાંની લઘુમતી પ્રજાને બાનમાં (હોસ્ટેજ) રાખશે અને એ રીતે કોમી સંતુલન જળવાશે. અર્થાત્ તેઓ એમ કહેવા માગતા હતા કે જો ભારતમાં હિંદુઓ મુસલમાનોને સતાવશે તો પાકિસ્તાનમાં મુસલમાનો હિંદુઓને સતાવીને વેર વાળશે અને એવું ન થાય એ માટે બન્ને દેશની બહુમતી પ્રજા સંયમ જાળવશે.