જૂની મૂડી
એ બહુરૂપી પ્રતિભાનું નામ : કેખુશરો નવરોજજી કાબરાજી. ગામ : મુંબઈ. કામ : પત્રકારત્વ. પણ મનનું ધામ તો નાટક અને રંગભૂમિ. ૧૮૪૨ના ઓગસ્ટની ૨૧મી તારીખે મુંબઈમાં જન્મ. મૂળ વતન સુરત. અણધારી રીતે કુટુંબ પર આવી પડેલી આર્થિક મુશ્કેલીને કારણે અભ્યાસ છોડીને મહિને ચાર રૂપિયાના પગારની નોકરી ‘પારસી મિત્ર’માં લેવી પડી. ત્યારથી જીવનના અંત સુધી કેખુશરો વ્યવસાયે પત્રકાર જ રહ્યા. પણ ‘પારસી મિત્ર’ની નોકરી ઝાઝો વખત કરી શક્યા નહિ. થોડા વખત પછી મહિને વીસ રૂપિયાના પગારે ‘જામે જમશેદ’ અખબારમાં રિપોર્ટર તરીકે જોડાયા. પછી તેના મદદનીશ તંત્રી બન્યા. માલિકો સાથેના મતભેદને કારણે તંત્રી સોરાબજી મંચેરજી છૂટા થતાં કેખુશરોને તંત્રીની જવાબદારી માલિકોએ સોંપી. એ વખતે તેમની ઉંમર ૧૭ વરસની!
એક વખત મુંબઈની ‘જ્ઞાન વર્ધક સભા’એ કાબરાજીનું જાહેર ભાષણ ગોઠવ્યું. વિષય હતો ‘સ્ત્રી જાતિ.’ શ્રોતાઓમાંના એક હતા પ્રખ્યાત સમાજ સુધારક કરસનદાસ મૂળજી. કેખુશરોના વક્તવ્ય અને વિચારોથી પ્રભાવિત થયા. થોડા વખતમાં બન્ને નજીક આવ્યા. કરસનદાસે રાસ્ત ગોફતાર સામયિકમાં જોડાવા આમંત્રણ આપ્યું. કેટલાક પારસીઓએ ૧૮૫૭ની પહેલી જાન્યુઆરીથી સ્ત્રીબોધ નામનું માસિક શરૂ કરેલું. આપણા આખા દેશનું એ સૌથી પહેલું સ્ત્રીઓ માટેનું સામયિક. એવું ઠરાવાયું કે કેખુશરો રાસ્ત ગોફ્તારના મદદનીશ તંત્રી તરીકે કામ કરે. પગાર ૫૦ રૂપિયા. સાથોસાથ સ્ત્રીબોધના તંત્રી તરીકે પણ કામ કરે. પગાર રૂપિયા ત્રીસ. ૧૮૬૩ના માર્ચની ૧૩મી તારીખે કરસનદાસ વિલાયતની મુસાફરીએ જતાં કાબરાજી રાસ્ત ગોફતારના તંત્રી બન્યા અને ૪૦ વરસ સુધી એ જવાબદારી સંભાળી. તેવી જ રીતે ૧૯૦૪ના એપ્રિલની ૨૫મીએ બેહસ્તનશીન થયા ત્યાં સુધી કાબરાજી સ્ત્રીબોધના તંત્રીપદે રહ્યા. કાબરાજી પછી તેમનાં પુત્રવધૂ પૂતળીબાઈ ૧૯૧૨થી ૧૯૪૨ સુધી સ્ત્રીબોધનાં તંત્રી રહ્યાં.

પણ કાબરાજી પત્રકાર ઉપરાંત ઉમદા લેખક પણ હતા. રંગભૂમિ પર ભજવવા માટે કાબરાજીએ મોટી સંખ્યામાં નાટકો લખ્યાં, જેમાંનાં કેટલાંક રૂપાંતરો હતાં. તખ્તાલાયકી એ તેમનાં નાટકોનો સૌથી મોટો ગુણ. કાબરાજીનું પહેલું નાટક શેરના સવાશેર ૧૮૬૩માં સ્ત્રીબોધમાં પ્રગટ થયું અને છેલ્લું નાટક ધીરજનું ધન ૧૮૭૧માં. તેમનાં બીજાં કેટલાંક નાટકો : જમશેદ, નિંદાખાનું, ભોલી જાન, વિનાશ કાલે વિપરિત બુદ્ધિ, બેજન અને મનીજેહ, નંદબત્રીસી.
પણ ઐતિહાસિક દૃષ્ટિએ તેમનાં છપાયેલાં નાટકો કરતાં પણ તેમની નવલકથાઓ વધુ મહત્ત્વ ધરાવે છે. કારણ એ નવલકથાઓ દ્વારા કાબરાજીએ ગુજરાતીમાં ધારાવાહિક નવલકથા છાપવાની પહેલ કરી. તેમની પહેલી નવલકથા ભોલો દોલો (૧૨૦ પ્રકરણ) ઓગસ્ટ ૧૮૭૧થી ડિસેમ્બર ૧૮૭૩ દરમ્યાન સ્ત્રીબોધમાં પ્રગટ થઈ હતી. છેલ્લી નવલકથા સોલી શેઠની સુનાઈ ૧૯૦૪માં. આમ, ૧૮૭૧થી ૧૯૦૪ સુધી સતત ૩૩ વર્ષ સ્ત્રીબોધ ધારાવાહિક નવલકથા પ્રગટ કરતું રહ્યું.
આમ જોઈએ તો કસરતશાળા અને નાટકશાળા વચ્ચે કોઈ સંબંધ હોવાનો વહેમ પણ ભાગ્યે જ જાય. પણ કાબરાજીની બાબતમાં કસરતશાળા જ તેમને નાટકશાળા તરફ ખેંચી ગઈ. પારસી યુવાનોની શરીર સંપત્તિ વધારવા માટે બીજા કેટલાક મિત્રો સાથે મળીને ૧૮૬૭માં તેમણે ‘કસરતશાળા સ્થાપક મંડળી’ બનાવીને કસરતશાળા શરૂ કરી. પણ થોડા વખત પછી પૈસાને અભાવે તે બંધ કરવી પડે એવી સ્થિતિ ઊભી થઈ. ત્યારે નાટક ભજવીને તેની આવક દ્વારા કસરત શાળા જીવતી રાખવાનો વિચાર કાબરાજીને આવ્યો. મિત્ર ફરામજી ગુસ્તાદજી દલાલની બંધ પડેલી નાટક મંડળીનો સરંજામ મેળવ્યો. પારસી છોકરાઓને ભેગા કર્યા. શેક્સપિયરના નાટક કોમેડી ઓફ એરર્સનું પોતે જ રૂપાંતર કર્યું. પોતાના ‘રાસ્ત ગોફતાર’ દ્વારા મોટે પાયે આગોતરી જાહેરાત કરી. અને નાટક ભજવીને ભેગી થયેલી ૧,૪૦૦ રૂપિયાની રકમ કસરતશાળાને, ખર્ચ બાદ કર્યા વિના, આપી દીધી.
ખરું જોતાં હાથમાં લીધેલું કામ તો પૂરું થયું હતું. ભેગાં કરેલાં બધાં ફદિયાં તો આપી દીધાં, પણ નાટક ભજવવા માટે ભેગા કરેલા પોરિયાઓનું હવે કરવું શું? ફરી ફરામજીની મદદ લઈને એક નવી નાટક મંડળી ઊભી કરવાનો વિચાર આવ્યો. પણ અગાઉ કરતાં કૈંક જૂદું કરવાની ધગશ. અગાઉની પારસી નાટક મંડળીઓમાં તેના બધા નટ ભાગીદાર પણ રહેતા. કાબરાજીએ ત્રણ-ચાર માલિક અને બીજા બધા પગારદાર નોકરો એવું માળખું રાખ્યું. વળી આ મંડળીને સલાહ-સૂચન આપવા માટે જાણીતા વિદ્વાનો અને શ્રીમંતોની એક કમિટી બનાવી. નાટક કંપનીના નિયમો ઘડ્યા તેમાં એક નિયમ એવો રાખ્યો કે કોઈ પણ નવું નાટક સૌથી પહેલાં માત્ર આ કમિટીના સભ્યોને જ બતાવવું. અને તેમની મંજૂરી મળે તો જ તેના જાહેર પ્રયોગ કરવા. એ જમાનાના અગ્રણી લેખક, પત્રકાર, સમાજ સુધારક સોરાબજી શાપુરજી બંગાળીએ નામ પાડ્યું વિક્ટોરિયા નાટક મંડળી.
પણ આ નાટક મંડળી સાથેનો કાબરાજીનો સંબંધ ઝાઝો ટક્યો નહિ. માલિકો સાથેના મતભેદને કારણે તેઓ છૂટા થયા અને ‘નાટક ઉત્તેજક મંડળી’ સ્થાપી. તેણે પહેલું નાટક ભજવ્યું તે કાબરાજીનું જ લખેલું ‘સૂડી વચ્ચે સોપારી.’ પણ તે ઝાઝું ચાલ્યું નહિ. કાબરાજીએ નક્કી કર્યું કે હવે પારસી નહિ પણ હિંદુ નાટક ભજવવું. રણછોડભાઈ ઉદયરામ, કવિ નર્મદ, અને બીજાઓનાં નાટકો ખૂબ જ સફળતાથી ભજવ્યાં.
કાબરાજીના અવસાન પછી ૧૯૦૪માં ‘સ્ત્રીબોધ’ તરફથી ‘કાબરાજી સ્મારક ગ્રંથ’ પ્રગટ થયો. કાબરાજીના નિકટના સંપર્કમાં આવેલી વ્યક્તિઓએ આ પુસ્તકમાં તેમના જીવન અને કાર્ય વિષે લખ્યું છે. કાબરાજી ગુજરાતી રંગભૂમિના પ્રારંભકોમાંના એક હતા તેથી આ પુસ્તક ગુજરાતી રંગભૂમિના ઇતિહાસની દૃષ્ટિએ પણ મહત્ત્વનું બની રહે છે.
કાબરાજીના અવસાન પછી કવિ અરદેશર ફરામજી ખબરદારે લખ્યું :
લેખકનો સરદાર ગયો, નિજ લેખણની તલવાર ચલાવી;
કોણ હવે સરદારી ધરી રણમાંહે રહે અતિ શૌર્ય મચાવી!
બંધ થયો મધુ વાણીપ્રવાહ, ગયો કહિ અમૃતપાન કરાવી?
કેખુશરો! લઇ તેજ ગયો, અમ માટ રહી અહિ વાટ અંધારી.
પ્રગટ: “બુદ્ધિપ્રકાશ”; મે 2024
e.mail : deepakbmehta@gmail.com
![]()



સવાલ એ થાય કે આમ કહેનાર કોણ છે? બધી કથાઓમાં હોય છે એમ, એ કથક છે અથવા લેખક છે. કાલ્વિનોની આ નવલ ખરીદવા કથક ‘વાચક’ને અને તમને (you) બુકસ્ટોર પર લઈ જાય છે. ત્યાં વિધવિધનાં પુસ્તકો છે : Books You Needn’t Read; Books Read Even Before You Open Them, Since They Belong To The Categorof Books Read Before Being Written; Books You’ve Been Planning to Read for Ages; Books That Everybody’s Read So It’s As If You Had Read Them, Too. And more. (P. 5 –Vintage 1983)
ક્યારેક આ કથકને એમ લાગે છે કે પોતાનાં પુસ્તકો છે ખરાં પણ એને સુવાચ્ય રૂપમાં મૂકવાં જોઈશે. એની પાસે બે લેખકોની વાર્તાનો એક આઇડિયા છે. એક લેખક પ્રોડક્ટિવ છે, બહુલખુ, અને બીજો છે ટૉર્મેન્ટેડ, દુ:ખી. બહુલખુ લેખક દુ:ખી લેખકની રચનાને વખોડી નાખે છે, પણ દુ:ખીને જ્યારે એ સંઘર્ષ કરતો જુએ છે, એને થાય છે – અરે, આ તો મારી રચના છે, વળી, કેટલી ફિસ્સી છે.
લુદ્મિલા તમને (you) મળવાની છે પણ એને મૉડું થઈ રહ્યું છે. એટલે, એની રાહ જોવામાં તમારાથી આગળ વંચાતું નથી. એટલામાં, કાફેનો એક નોકર આવી તમને જણાવે છે કે તમારા માટે ફોન આવ્યો છે. લાઈન પર લુદ્મિલા હતી. એ તમને એના ઘરે આવવાનું નિમન્ત્રણ આપે છે, જો કે પોતે હજી ઘરે પ્હૉંચી નથી.
કથક હવે પોતાનો મૂળ પરિપ્રેક્ષ્ય અપનાવે છે. એટલે, જ્યારે એ ‘તમે’ – you – કહે છે ત્યારે એ વાચકને સમ્બોધે છે, લુદ્મિલાને નહીં. તમે જાણ્યું એ ફરીથી જાણો કે લુદ્મિલા પાસે ઘણાં પુસ્તકો છે. પરન્તુ વાચન એક વ્યક્તિનો વિષય છે, અને તેથી એમ સૂચવાય છે કે લુદ્મિલાના જીવનમાં એકે ય પુરુષ પ્રવેશ્યો નથી.