આ કોરોનાકાળમાં, મારો તો સાહિત્યકલા સિવાયનો કશો આરોઓવારો નથી.
વાસ્કો પોપા (1922-1991) મારો પ્રિય કવિ છે. કવિઓ બક્ષાયા હોય છે – બોલી શકે, બીજાઓ માટે. પણ પોપા વિશે ઑક્ટોવિયો પાઝે એમ કહ્યું કે આ કવિમાં બીજાઓને સાંભળવાનો વિરલ સદ્ગુણ છે.

Vasko Popa : Courtesy: YouTube

Octavio Paz: Courtesy: Google Images
વરસો પહેલાં એનાં કાવ્યોના અનુવાદ કરેલા, સુરેશ જોષીના ‘ઊહાપોહ’-માં પ્રકાશિત થયેલાં.
આજે એનાં બે કાવ્યોના ભાવાનુવાદ રજૂ કરું છું.
પહેલા કાવ્યમાં, એક ભૂલની વાત છે. કોરોના સંદર્ભે એ મને વિચારણીય ભાસે છે.
A conceited Mistake / Vasco Popa
એક અભિમાની ભૂલ (ભાવાનુવાદ : સુમન શાહ)
એક વાર એક ભૂલ હતી
એટલી સિલી એટલી સ્મૉલ
કે કોઈ કરતાં કોઈને દેખાયેલી જ નહીં
એનાથી ય પોતા સામે ન તો જોવાયેલું કે
પોતા વિશેનું સાંભળી શકાયેલું
પોતે હતી જ નહીં એમ ઠસાવવા
એણે બધા જ પ્રકારના ફાંફાં મારી જોયા
પુરાવા બતાવવા સ્થળ-સમય શોધી કાઢ્યાં
પુરાવા જોઈ શકે એવા લોકોને ય શોધી કાઢ્યા
એવું એવું એણે જે કંઈ શોધ્યું તે
સાવ સિલી ને સાવ સ્મૉલ ન્હૉતું પણ
જે થયું
ભૂલથી જ થયેલું
આખું જો કે બીજી રીતે પણ કરી શકાયું હોત
+ + +
બીજા કાવ્યમાં, નાયકનો ક્રોધ ભભૂક્યો છે. મને લાગે છે કે કોરોના પર એ કરવા જેવો છે.
Just come to my mind / Vasco Pop-a
એક વાર જો … / સુમન શાહ (ભાવાનુવાદ)
એક વાર જો
મારા મનમાં ભરાઈ ગયું ને
વિચારો મારા તારા ચ્હૅરાને તરડી નાખશે
એક વાર જો
મારી નજરે ચડ્યું ને
આંખો મારી એવી તો ઘૂરકશે તારી સામે
એક વાર મને
તારી યાદ આવવા દે
યાદદાસ્ત મારી એવો તો પંજો ઉગામશે
તારા પગ નીચેની જમીન ખસી જશે
+ + +
(October 1, 2020: Ahmedabad)
![]()


નાગપંચમી મનાવતા અને નાગદેવતાની પૂજા કરતા આપણા દેશમાં દર વરસે અઠ્ઠાવન હજાર લોકો સાપ કરડવાથી મોતનો શિકાર બને છે! કોરોના મહામારીને કારણે છેલ્લા છ મહિનામાં ૯૦,૦૦૦ લોકોના મરણ થયાં છે, પરંતુ આ જ ગાળામાં જૂનથી મધ્ય ઓગસ્ટના અઢી મહિનામાં ભારતમાં ૨૦,૦૦૦ લોકો સર્પદંશથી મરી ગયા છે ! દુનિયામાં વરસે દહાડે સવાલાખ મોત સર્પદંશને કારણે થાય છે. તેમાં અડધોઅડધ ભારતીયો છે. ગુજરાતમાં બાર મહિનામાં ૨.૫૦ લાખ સાપ કરડવાના બનાવો બને છે અને તેમાં ૩,૦૦૦ મોત થાય છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ, વરસે ૮,૭૦૦, બિહારમાં ૪,૫૦૦, આંન્ધ્ર-તેલંગાણામાં ૫,૨૦૦ લોકો સાપ કરડતાં તેનું ઝેર લાગતાં મરી જાય છે.