Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9376304
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં માનવ અધિકારોની ઉપેક્ષા થાય છે ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 December 2021

માંડ અઠ્ઠાવીસ વરસની આવરદા ધરાવતું નવજવાન ‘નેશનલ હ્યુમન રાઈટસ કમિશન’, માનવ અધિકારોના જતનની બાબતમાં મરિયલ ભાસે છે.

જાહેર વૈશ્વિક મૂલ્ય ધરાવતાં માનવ અધિકારોનું ભારતમાં જતન થાય છે, કે તે ઉપેક્ષિત છે ? માનવ અધિકારોના ભંગથી પીડિત નાગરિક અને સરકાર વચ્ચે ઊભેલા, માનવ અધિકારોની સુરક્ષાની બંધારણીય પ્રતિબદ્ધતા સ્થાપવા રચાયેલા, ‘રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ’ના અધ્યક્ષ જ સરકારના તરફદારની જેમ વર્તે તો માનવ અધિકારનું રક્ષણ કોણ કરશે તેની વિમાસણ થાય છે. તાજેતરમાં ‘નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન’ના ચેરપર્સન, સુપ્રીમકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ અરુણકુમાર મિશ્રાએ, વડા પ્રધાન અને ગૃહ પ્રધાનની હાજરીમાં સરકારની ભાટાઈ કરી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય શક્તિઓના ઈશારે સરકાર પર માનવ અધિકારોના ભંગના જૂઠા આરોપો લગાવાતા હોવાનું જણાવી જમ્મુ-કશ્મીર અને નોર્થ ઈસ્ટમાં શાંતિના યુગની સ્થાપનાનું શ્રેય કેન્દ્રીય ગૃહ મંત્રીને આપ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રસંઘે પેરિસ સિદ્ધાન્તને અનુસરીને દુનિયાભરમાં માનવ અધિકારોના રક્ષણ માટે માનવ અધિકાર પંચોની રચના કરાવી હતી. તેને કારણે ૧૯૯૩માં જ ભારતમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની રચના થઈ હતી. માનવ અધિકારોના જતનની બાબતમાં માંડ અઠ્ઠાવીસ વરસની આવરદા ધરાવતા નેશનલ હ્યુમન રાઈટસ કમિશનની ભૂમિકા ભર જુવાનીમાં મરિયલ ભાસે છે. શાયદ એટલે જ આ બંધારણીય નહીં પણ કાનૂની સંસ્થાને સર્વોચ્ચ અદાલતે ટૂથલૈસ ટાઈગર કહી છે.

ભારતીય નાગરિકના જીવનની સ્વતંત્રતા, સમાનતા અને સન્માન સાથે જોડાયેલા અધિકારોનું હનન થાય તો તેની તપાસ કરવાનું કામ માનવ અધિકાર પંચનું છે. સત્તાવાર કહેવાયું છે તેમ છેલ્લા અઠ્ઠાવીસ વરસોમાં તેણે માનવ અધિકાર ભંગના વીસ લાખ કેસોનું નિરાકરણ કર્યું છે; માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કલમ ૧૮ હેઠળ પંચને પીડિતને વળતર આપવાની તેને સત્તા મળી છે. અને તેણે રૂ. ૨૦૫ કરોડના વળતરની ભલામણો કરી છે. પરંતુ આયોગની ભલામણો સરકારને બાધ્ય નથી. આયોગને મળેલા સિવિલ કોર્ટના અધિકાર અને તેની સમક્ષની ન્યાયિક કાર્યવાહી દેખાડાની તેમ જ કાગળ પર જ રૂપાળી લાગે છે.

માનવ અધિકારના રક્ષણની કામગીરી જેના માથે છે તે પોલીસ સામે જ કાયમ સૌથી વધુ માનવ અધિકાર ભંગની ફરિયાદો થાય છે. ‘નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો’ના અહેવાલ મુજબ છેલ્લા દસ વરસોમાં પોલીસ વિરુદ્ધ વાર્ષિક ૪૭.૨ ટકાના દરે માનવ અધિકાર ભંગના અપરાધિક મામલા નોંધાય છે. ૨૦૧૦થી ૨૦૧૯ દરમિયાન પોલીસ કસ્ટડીમાં દર વરસે સરેરાશ સો લોકોના મોત થાય છે. ‘જેલ નહીં બેલ’ના નિયમ અને જામીનના અધિકાર છતાં જેલોમાં ૩.૫ લાખ કાચા કામના કેદીઓ છે અને તે પૈકી ૭૦ ટકા વિચારાધીન કે સજા કરતાં વધુ સમયથી જેલમાં છે. માર્ચ ૨૦૧૭થી ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પોલીસ ગોળીબારની ૮,૪૭૨ ઘટનાઓ બની હતી. તેમાં ૧૪૬ લોકોના મોત અને ૩,૩૦૨ ઘાયલ થયા હતા.

પોલીસ આત્મરક્ષામાં ગુનેગારોને મારી નાંખવા મજબૂર બને છે તેમ જેના માટે કહેવાય છે તે પોલીસ એન્કાઉન્ટરની ઘટનાઓ માનવ અધિકારોનાં હનનનું વરવું રૂપ છે. સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જસ્ટિસ મદન લોકુર તેને કોલ્ડ બ્લડેડ મર્ડર કહે છે. ‘સેન્ટર ફોર ક્રિમિનલ જસ્ટિસ રિફોર્મ એન્ડ રિસર્ચ’નો, માર્ચ ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮ના એક વરસમાં પશ્ચિમ યુ.પીની પોલીસ મૂઠભેડના સત્તર બનાવોનો અભ્યાસ, આંખ ઉઘાડનારો છે. આ ૧૭ એન્કાઉન્ટરમાં ૧૮ લોકોના મોત થયા હતા. મૃતકોમાં ૧૭ લઘુમતી સમુદાયના અને ૧ બહુમતી સમુદાયના હતા. પોલીસ જેને સ્વબચાવમાં મોત નિપજાવ્યાનું ગણાવે છે તે એટલે પણ ખોટું ઠરે તેમ છે કે આ ૧૭ મામલામાં ૨૮૦ પોલીસ અધિકારી-કર્મચારી સામેલ હતા. તેમાંથી માત્ર ૨૦ જ ઘાયલ થયા હતા અને તે પૈકી ૧૫ને તો સાવ મામૂલી ઈજાઓ થઈ હતી. આ ૧૭માંથી ૧૪ એન્કાઉન્ટરની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની તપાસ પૂર્ણ થઈ હતી અને તેને માત્ર એક જ મૂઠભેડ નકલી લાગી છે !

ભારત માનવ અધિકારના જતન, રક્ષણ, સંવર્ધનનો ઉજળો ઇતિહાસ ધરાવે છે. દક્ષિણ આફ્રિકાના રંગભેદ સામે લડવા તેણે જ દુનિયાને તૈયાર કરી હતી. હાલમાં તેણે જ અફઘાનિસ્તાનની વર્તમાન હાલત અંગે ચર્ચાની પહેલ કરી છે. ૧૯૪૫માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની માનવ અધિકાર ઘોષણાઓ અને ૧૯૯૩માંના ‘ઈન્ટરનેશનલ બિલ ઓફ રાઈટસ’ના ઘડતરમાં ભારતનો સિંહફાળો છે. બાંગ્લાદેશનો મુક્તિ સંગ્રામ, તિબેટના દલાઈ લામાની લડત, શ્રીલંકામાં તમિળોના અધિકારો માટે ભારત અગ્રેસર રહ્યું છે. એટલે તે ઘર આંગણે માનવ અધિકારની બાબતમાં પાછળ કેમ રહે છે તે સવાલ છે. રાજકીય હસ્તક્ષેપને લીધે ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટસ કમિશને ભારતના નેશનલ હ્યુમન રાઈટસ કમિશનના ગુણાંક ૨૦૧૬માં ઘટાડ્યા હતા. જો કે ૨૦૧૭માં પછી તે સુધર્યા હતા તે આશ્વસ્ત કરે છે. એ જ રીતે ભારતીય ફોજદારી ધારા હેઠળ ૨૦૧૦થી ૨૦૧૯ દરમિયાન ગુનાઓ વધ્યા છે પણ ધરપકડો ઘટી છે. ભારતે માનવ અધિકારના રક્ષણ ક્ષેત્રે તેની આ સિદ્ધિ જાળવી રાખવાની છે.

નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનની દંતનહોરવિહીન ભૂમિકા છતાં તેણે કેટલુંક ઉત્તમ કામ કર્યું છે. જુદા જુદા વિષયોની આયોગની બાવીસ માર્ગદર્શિકાઓ માનવ અધિકારના સંરક્ષણ માટે મહત્ત્વની બની છે. પરંતુ તેની પાસે ઘણી વધારે અપેક્ષા રહે છે. આયોગ સમક્ષના દસ કામોમાંથી એક જ ન્યાયને લગતું છે પરંતુ તે જ મુખ્ય બની ગયું છે. આયોગના પ્રતિનિયુક્તિ પરના પોલીસ અધિકારીઓ માનવ અધિકાર ભંગના મામલાની તપાસમાં તેમના વ્યવસાયી લોકો પ્રત્યે નિષ્ઠા કે ઉદારતા રાખતા હોવાનું બને છે. આયોગ પણ માનવ અધિકાર ભંગની તપાસ સંબંધિત પોલીસ થાણાના અધિકારીઓ પાસે જ કરાવે છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની રચનામાં વિપક્ષનો અવાજ સંભળાતો નથી કેમ કે આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક માટેની સમિતિમાં સત્તાપક્ષના સભ્યોની બહુમતી છે. માનવ અધિકાર ભંગના કેસોમાં સરકાર કશી કાર્યવાહી ન કરે તો આયોગને સ્વતંત્ર તપાસનો અધિકાર કાયદા થકી મળ્યો છે, પણ તેનો કદી અમલ થતો નથી. જો આયોગની રચના, કામગીરી અને સત્તામાં સુધારા થાય તો માનવ અધિકારોનું વધુ સારી રીતે જતન થઈ શકે તેમ છે.

અદાલતોએ માનવ અધિકાર ભંગની બાબતમાં ઘણા પ્રગતિશીલ ચુકાદા આપ્યા છે. મૂળભૂત અધિકારો બંધારણથી મળ્યા છે પણ માનવ અધિકારો તો જન્મથી જ મળે છે. કાયદા સમક્ષની સમાનતા છતાં કાયદાનો અમલ અસમાન રીતે થાય છે તેમ માનવ અધિકારો સમાન હોવા છતાં નબળાઓના જ માનવ અધિકારોનું વધુ હનન થાય છે. એટલે પણ તેની જાળવણી અનિવાર્ય છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

30 December 2021 ચંદુ મહેરિયા
← મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==
ઉજવણાં ઉઠમણાં ન બને એટલી ચિંતા તો કરીએ … →

Search by

Opinion

  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા
  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.
  • હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!
  • પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો
  • બે પાવન પ્રસંગો

Poetry

  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved