Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9299660
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ભારતમાતા કી જય’ બોલનારા ભારતમાતાને સૌથી વધુ નુકસાન કરે છે !

રમેશ સવાણી|Opinion - Opinion|9 May 2025

છેલ્લાં બે વર્ષમાં સાત વાર બરોડા જવાનું થયું. બરોડામાં તાંદળજા વિસ્તારમાં રહેતા મુસ્લિમો પ્રત્યે હિન્દુઓને કારણ વગરની સૂગ. એક દિવસ વડોદરામાં અમારી સોસાયટીમાં કેસરી ખેસ પહેરેલા ચાર પાંચ આગેવાનોની આગેવાની હેઠળ પચાસેક લોકોનું એક ટોળું આવ્યું અને કહેવા લાગ્યા કે ‘આ તાંદળજા વાળાને સીધા કરવાના છે. મેં કહ્યું કે એ તો સીધા જ છે. અમને કોઈ પ્રોબ્લેમ નથી.’ તો કહે કે ‘એ લોકો ખૂબ આગળ વધી ગયા છે. એની દુકાનોએ માલ લેવાનો નહીં. એમના રેસ્ટોરન્ટમાં જમવા જવાનું નહીં. એની દુકાનેથી કારીગરને કોઈ વસ્તુ સર્વીસ કરવા કે રીપેર કરવા બોલાવવો નહીં.’ પછી ટોળું એક સાથે બોલ્યું ભારતમાતા કી જય !

હું સમજી ગયો કે આ મગજ વગરના લોકો છે. એ સાચી વાત સમજી શકશે નહીં. એમના બ્રેઈન વૉશ થઈ ગયા છે અથવા એમના મગજ કોઈએ કાઢી લીધા છે. પણ મને મનમાં પ્રશ્ન થયો કે શું તાંદળજા વિસ્તારના મુસ્લિમો ભારતમાતાના સંતાનો નથી? ભારતમાં રહેતા નથી? એમનો બહિષ્કાર શા માટે? પણ જ્યારથી આ કેસરી ખેસવાળા જોરમાં આવ્યા છે ત્યારથી આખા દેશમાં ચારે બાજુ મુસ્લિમોના બહિષ્કારની વાતો કરે છે.

7 મે 2025ના રોજ, તમે ટી.વી.માં જોયું હશે કે ભારતીય આર્મીની કર્નલ રેન્કની સોફિયા કુરેશી અને એરફોર્સની વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પ્રેસ બ્રીફિંગ માટે ટી.વી. પર આવી હતી. ભારતે કઈ રીતે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરી એની ડિટેલ વિગતો આપી. આ સોફિયા કુરેશી 44 વરસની છે. વડોદરાના તાંદળજા વિસ્તારમાં જ રહે છે.

સોફિયાએ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી M.Sc. કરેલું છે. 1999થી આર્મીમાં જોડાઈને દેશની સેવા કરે છે. સોફિયાના દાદા પણ આર્મીમાં હતા. એના પિતા પણ આર્મીમાં હતા. સોફિયાનો પતિ આર્મીમાં મેજર છે. એનો પુત્ર પણ એરફોર્સમાં જોડાઈ દેશની સેવા કરવા માંગે છે. આવા તો અનેક મુસ્લિમો છે જે દેશની સેવા કરી રહ્યા છે.

અને આ કેસરી ખેસવાળા મુસ્લિમોને આતંકવાદી ચીતરી રહ્યા છે. તેને પંક્ચરવાળા કહીને ઉપહાસ કરે છે. કારણ કે મુસ્લિમ સમાજ પ્રત્યે નફરત પેદા કરવાથી એમને જનતાના મત મળે છે. કેવી રીતે? કહે છે કે આ લોકોની વસ્તી આપણા કરતાં વધી જશે. આપણે ગુલામ બની જઈશું. આ લોકોથી તમને અમે જ બચાવીશું. અમારા સાહેબ જ તમને બચાવશે. કેવી વાહિયાત વાત છે આ કેસરી ખેસવાળાની ! 80% હિન્દુઓને 17% મુસ્લિમથી ડર લાગે છે ! કેવી મૂર્ખામીભરી વાત ! અરે ભાઈ, 600 વરસના મુસ્લિમ શાસન પછી પણ આ દેશમાં આજે 80% વસ્તી હિન્દુઓની છે. મુસ્લિમોની વસતિ વધી રહી છે એ વાત પણ બિલકુલ બોગસ છે. મેં આજે જ 70 વરસના વસતીના આંકડા જોયા.

નફરત ત્યજી દો, ભાઈ. બધા મુસ્લિમો આતંકવાદી હોતા નથી. 99.99% મુસ્લિમો તમારા મારા જેવા સામાન્ય માણસો હોય છે. બહુ જૂજ સંખ્યામાં અવડે રસ્તે ચડેલા હોય છે. આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો. બધા જ ધર્મોમાં આતંકવાદી હોય છે. સારા માણસો પણ દરેક ધર્મમાં હોય છે. હિન્દુ આતંકવાદીઓના નામ જોઈએ તો હું લિસ્ટ આપીશ. બે ચાર નામ નોંધી લો. પ્રજ્ઞા ઠાકુર અને કર્નલ પુરોહિત માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા હતા. ગાંધીજી જેવા પવિત્ર માણસને મારનાર ગોડસે આતંકવાદી ન કહેવાય? ગર્ભવતી બિલ્કિસ બાનુના પરિવારના સાત સભ્યોને તલવારથી માર્યા પછી એના ત્રણ વર્ષના બાળકને માથું પછાડીને મારી નાખનાર હિન્દુઓ આતંકવાદી ન કહેવાય? આટલું કર્યા પછી આ નરાધમોએ બિલ્કિસ બાનુ પર એક પછી એકે બળાત્કાર કર્યો હતો. એટલે નોંધી લો કે સારા ખરાબ માણસો દરેક ધર્મમાં હોય છે. દરેક જાતિમાં હોય છે. ધર્મ જાતિ કે પ્રદેશ જોઈને ક્યારે ય કોઈ વિશે અભિપ્રાય ન બંધાય.

નફરત ફેલાવવી એ કેસરી ખેસવાળાનો ધંધો છે. એમ કરીને એ લોકો એમના રોટલા શેકે છે. માટે આજથી કેસરી ખેસવાળાઓથી સાવધાન ! એ બોલે છે ભારતમાતા કી જય પણ ભારત માતાને સૌથી વધુ નુકસાન એ લોકો જ કરે છે, દેશની એકતા તોડીને !

[સૌજન્ય : અનિલ સિનેજિયા, પૂર્વ એડિશનલ કલેક્ટર, 8 મે 2025]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

9 May 2025 રમેશ સવાણી
← ‘ઓપરેશન સિંદૂર’થી દવ : સાફ આતંકી થાણાં નવ !
ગુજરાતનું બુલડોઝર જસ્ટીસ  →

Search by

Opinion

  • ચોપાસ પ્રદૂષણ અને પ્રદૂષણ નિયંત્રણનું વણવપરાયેલ ફંડ!
  • કોઈ દલિત અધિકારી પણ ન કરી શકે તેવું  કામ પ્રવીણ ગઢવીએ કર્યું !
  • સાર્થક જલસામાં ‘જલસી પડી ગઈ !’
  • સોક્રેટિસ ઉવાચ-૮  : સોક્રેટિસ અને ભારતીય રાજકારણી વચ્ચે એક કાલ્પનિક સંવાદ
  • જમીન 

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • બાપુ અને બાદશાહ 
  • ચિકિત્સક બાપુ
  • બાપુ અને બડેદાદા
  • રાષ્ટ્રપિતા
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • હાલો…
  • એક ટીપું
  • સાત કાવ્યો
  • એમના પગના તળિયામાં દુનિયાનો નકશો છે
  • બે કાવ્યો

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved