Opinion Magazine
Number of visits: 9448998
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય અને પશ્ચિમી શાસ્ત્રીય સંગીતનો સમન્વય : વનરાજ ભાટિયા

નિલય ભાવસાર|Opinion - Opinion|24 April 2017

૧ માર્ચ, ૨૦૧૭ના રોજ મુંબઈ સ્થિત National Centre for Performing Arts દ્વારા ભારતીય સમાંતર સિનેમાના સંગીતકાર તરીકે ખ્યાત વનરાજ ભાટિયાને તેઓએ લયબદ્ધ કરેલાં ગીત અને સંગીતને તેમની સમક્ષ રજૂ કરી અને તેમના સઘળાં સંગીતને અંજલિ આપવામાં આવી હતી. આ સંગીત સમારંભમાં દેશનાં જાણીતા તબલાંવાદક ઝાકીર હુસૈન, The Symphony Orchestra of India અને તુષાર ભાટિયાના મ્યુિઝકલ ગ્રૂપ દ્વારા વનરાજ ભાટિયાના અનન્ય સંગીતને તેમની ઉપસ્થિતિમાં રજૂ કરવામાં આવ્યું હતું.

૯૦ વર્ષીય સંગીતકાર વનરાજ ભાટિયા એ ભારતનાં વિશિષ્ટ એવાં જૂજ સંગીતકાર પૈકીના એક છે કે જેમણે પશ્ચિમનાં શાસ્ત્રીય સંગીતનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો છે અને પોતાની સંગીત વિશેની આ સમજણને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં પરોવવામાં સફળ સાબિત થયા છે. વનરાજ ભાટિયાએ પોતાના સંગીતના અભ્યાસ અને તેમાં પ્રાપ્ત કરેલી અનેક સ્કોલરશીપ થકી પશ્ચિમી શાસ્ત્રીય સંગીતના જ્ઞાનની બાબતમાં પોતાનો એવો નોંધપાત્ર ફાળો આપ્યો છે કે જે ભાગ્યે જ કોઈ ભારતીય સંગીતકાર આપી શક્યા છે.

વનરાજ ભાટિયાએ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી સ્નાતક થયાં બાદ લંડનની રોયલ અકાદમી ઓફ મ્યુિઝકમાંથી સંગીતનો અભ્યાસ કર્યો છે અને સાથે તેઓ પેરીસ કન્ઝર્વેટરીમાં પણ સંગીતનો અભ્યાસ કરી ચૂક્યા છે. વર્ષ ૧૯૬૦માં દિલ્હી યુનિવર્સીટીના વેસ્ટર્ન મ્યુિઝકોલોજી વિભાગમાં વનરાજ ભાટિયાની રીડરના હોદ્દા તરીકેની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ, ત્યાંની કેટલીક મર્યાદાઓ અને વિરોધાભાસને જોતાં વનરાજ ભાટિયાને તેમની આ નિમણૂક સહજ રીતે અસંતોષકારક લાગી હતી.

વનરાજ ભાટિયાએ પોતાની સંગીતમય કારકિર્દીનો મોટા ભાગનો સમય ભારતીય મીડિયામાં સમાવેશ થતાં એ તમામ ક્ષેત્રોમાં સંગીતનું સર્જન કરવામાં આપ્યો છે કે જેમાં ફિલ્મ સંગીત સિવાય ટેલિવિઝન અને રેડિયોની જાહેરખબરની જિંગલ માટે રચવામાં આવેલા સંગીતનો પણ સમાવેશ થાય છે. જે પૈકી શક્તિ સિલ્ક મિલ્સ અને લિરિલ સાબુની જાહેરખબરના સંગીતનો પણ સમાવેશ થાય છે. જાહેરખબરોના માધ્યમ થકી વનરાજ ભાટિયા તે સમયે ફિલ્મ દિગ્દર્શક શ્યામ બેનેગલના સંપર્કમાં આવ્યા હતા. સમાંતર સિનેમાના જનક એવા દિગ્દર્શક શ્યામ બેનેગલની અનેક ફિલ્મો અને ટેલિવિઝન શ્રેણીમાં વનરાજ ભાટિયા સંગીતનું સર્જન કરી ચૂક્યા છે. જેમાં શ્યામ બેનેગલ દ્વારા નિર્દેશિત અંકુર, મંથન, ભૂમિકા, જુનૂન, કલયુગ, મંડી, ત્રિકાલ, સૂરજ કા સાતવાં ઘોડા અને સરદારી બેગમ જેવી ફિલ્મો અને ભારત એક ખોજ નામની ટેલિવિઝન શ્રેણીનો સમાવેશ થાય છે. ફિલ્મોમાં મુખ્યત્વે પશ્ચાદ સંગીતની રચના કરવામાં વનરાજ ભાટિયાનો અમૂલ્ય ફાળો રહેલો છે. વર્ષ ૧૯૮૮માં ટેલિવિઝન-ફિલ્મ તમસના સંગીત માટે તેમને શ્રેષ્ઠ સંગીતનો રાષ્ટ્રીય પુરસ્કાર અને વર્ષ ૧૯૮૯માં તેમને સંગીત નાટક અકાદમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૨માં વનરાજ ભાટિયાને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં છે. હવે, આગળ આપણે વનરાજ ભાટિયાની સંગીતમય સફર વિશે માંડીને વાત કરીશું.

વનરાજ ભાટિયાનો ઉછેર મુંબઈ સ્થિત ‘ન્યૂ એરા’ નામની શાળામાં ભારતીય શાસ્ત્રીય સંગીતના જ્ઞાન સાથે થયો હતો. તે સમયે તેમને ભારતીય શાસ્ત્રીય સંગીતના તમામ રાગ વિશેની જાણકારી હતી. તેમને શાળામાં Miss Yeoh નામનાં એક ચીની શિક્ષિકા થકી ત્રિમાસિક પશ્ચિમી શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. સંગીતકાર John Strauss’sના The Blue Danube સંગીતથી તેઓ પ્રભાવિત થયા અને તેમને સંગીતના વિવિધ પાઠ શીખવાની શરૂઆત કરી. વનરાજ ભાટિયા તે વખતે જાતે જ વિવિધ ઓપેરાની રેકર્ડ ખરીદી લાવતા હતા અને તે રીતે તેમણે સંગીત સાંભળવાની શરૂઆત કરી હતી. જે પૈકી તેમને La Boheme નામની એક સંગીતની રચના ખૂબ જ પસંદ આવી હતી. આ સિવાય પોતાના એક મિત્રના ઘરે સાંભળેલી Tchaikovskyની Piano Concert No. 1 પણ તેમને પસંદ પડી હતી. વનરાજ ભાટિયાએ મુંબઈના લગભગ તમામ સંગીતના શિક્ષકો પાસેથી સંગીતની તાલીમ મેળવી હતી. જે પૈકી બાળરોગોના નિષ્ણાત ડોક્ટર અને સંગીતકાર એવા માણિક ભગત પાસેથી તેમણે સતત ચાર વર્ષ સુધી સંગીત શીખ્યું હતું. તે સમયમાં તેમને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે તેઓ ક્યારે ય પણ સારા પિયાનોવાદક નહિ બની શકે અને માટે તે આ ચાર વર્ષના સમયગાળા દરમિયાન શિક્ષક માણિક ભગતે તેમને સંગીતનું સંપૂર્ણ સપ્તક શીખવ્યું હતું. તે સમયમાં તેઓ સંગીતની કોઈ એક ધૂન પણ યોગ્ય રીતે વગાડી શકતા નહોતા, પણ તે તમામ ધૂનને તેઓ દિલ થકી સમજી અને અનુભવી શકતા હતા. જ્યારે વનરાજ ભાટિયા સંગીતના ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયા, ત્યારે તેઓને મહાન સંગીતકાર જેવા કે Brahms, Chopin, Beethoven, Schubert, Mozart વિશેની પૂરતી જાણકારી હતી.

વનરાજ ભાટિયાના પિતા કાપડના વેપારી હતા અને તેમણે તે વખતે કહ્યું હતું કે તેઓ પુત્ર વનરાજને લંડનમાં છ મહિના માટે સંગીત શીખવા માટેનું ખર્ચ આપશે અને ત્યાર બાદ જો વનરાજ ભાટિયા સ્કોલરશીપ નહિ મેળવી શકે તો તેણે લંડનથી પરત મુંબઈ આવી જવું પડશે. પરંતુ, વનરાજ ભાટિયાનો સમગ્ર પરિવાર તેમના સંગીતના આ શોખનો ભારે વિરોધી હતો. એક સમયમાં તેઓ તેમનો પિયાનો પણ સળગાવી દેવા માંગતા હતા. આ તે સમય હતો કે જ્યારે દેશમાં સમાજવાદ અને ગાંધીજીની ચળવળ ભારે ચર્ચામાં હતી. વનરાજ ભાટિયાના એક પારિવારિક સદસ્યનું એવું પણ કહેવું હતું કે જો આપણે વનરાજને સંગીત શીખવા માટે વિદેશ મોકલીશું તો તે ત્યાંથી પરત આવ્યા બાદ મુંબઈની ચોપાટી પર ચણા વેચવાનું કામ કરશે પણ વનરાજ ભાટિયાના પિતા તેમને લંડન મોકલવા માટેના પક્ષમાં હતા. સદ્‌ભાગ્યે વનરાજ ભાટિયાને વિદેશમાં એક કરતાં વધારે સ્કોલરશીપ મળી જે પૈકીની એક Rockfeller Fellowship પણ હતી. ત્યાર બાદ તેઓએ પેરિસમાં પણ સંગીતનો અભ્યાસ કર્યો. જ્યાં તેઓએ તેમનો પૂરો સમય માત્ર અને માત્ર સંગીત શીખવામાં જ પસાર કર્યો. વિદેશથી પરત ભારત આવ્યા બાદ, તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં જોડાયા કારણ કે તે વખતે તેમનાં પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. તે વખતે દિલ્હી યુનિવર્સિટીમાં વેસ્ટર્ન મ્યુિઝકોલોજીની શરૂઆત કરવામાં આવી હતી, પણ તેઓ આ પ્રકારના શિક્ષણને ધિક્કારતા હતા અને કહેતા હતા કે કોઈ પણ વ્યક્તિ કે જે સારો સંગીતકાર બની શકતી નથી તે બાદમાં સંગીતજ્ઞ બની જાય છે. આ જગ્યાએ કાર્ય કરવામાં તેમને વધુ રસ નહોતો છતાં સંજોગવશાત્‌ તેમણે અહીં આ વેસ્ટર્ન મ્યુિઝકોલોજી વિભાગમાં પાંચ વર્ષના લાંબા સમયગાળા સુધી કાર્ય કર્યું હતું.

વનરાજ ભાટિયાએ વર્ષ ૧૯૫૪માં જિંગલ્સની રચના કરવાનું શરુ કર્યું હતું અને અત્યાર સુધીમાં તેઓ કુલ ૬,૦૦૦ કરતાં વધારે જિંગલ્સ તૈયાર કરી ચૂક્યા છે. આ સાથે તેઓ લગભગ અન્ય તમામ ભારતીય સંગીતકાર સાથે પણ કામ કરી ચૂક્યા છે. મુંબઈમાં જ્યારે વનરાજ ભાટિયા નાણાંકીય અછતમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમણે શક્તિ સિલ્ક મિલ્સ માટેની જાહેરખબર માટે એક જિંગલની રચના કરી હતી કે જે લગભગ ત્રણ મિનિટ જેટલી લાંબી હતી અને તે પ્રથમ રેડિયો અને ત્યાર બાદ સિનેમાઘરોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. દિગ્દર્શક શ્યામ બેનેગલે જ્યારે આ જિંગલ સાંભળી ત્યાર બાદ તેમણે વનરાજ ભાટિયાને પોતાની ફિલ્મોમાં સંગીતકાર તરીકે કામ આપવાનું શરુ કર્યું હતું. વનરાજ ભાટિયા તે સમયમાં પોતાની સાથે અન્ય પાંચ સંગીતકારોને લઈને સંગીતની રચના કરતા હતા અને તે દરેકને અલગ-અલગ વાદ્ય વગાડવા માટે આપતા હતા કારણ કે તે પ્રયોગ થકી એક જુદાં જ પ્રકારના સંગીતની રચના શક્ય બની શકતી હતી.

આ એ સમયગાળો હતો કે જ્યારે બોલીવૂડમાં મોટા ભાગના સંગીતકાર પંજાબ અને ઉત્તરપ્રદેશથી આવતા હતા અને તેમાંના મોટાભાગના સંગીતકાર હારમોનિયમવાદક હતા કે જેઓ પોતાનાં લોકસંગીતના જ્ઞાન થકી એક ઉમદા સંગીતની રચના કરી શકતા હતા. છતાં, પણ તેમનું કાર્યક્ષેત્ર ખૂબ જ મર્યાદિત રહેતું હતું. આ સંગીતકાર તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી ધૂનને એક ચોક્કસ શૃંખલામાં બાંધી આપનાર વ્યક્તિ (Arranger) પર આધારિત રહેતા હતા અને જો એક વખત આ Arranger જતો રહે તો તેમનું સંગીત પણ બદલાઈ જતું હતું. જ્યારે, વનરાજ ભાટિયા જાતે જ તેમની તમામ સંગીતબદ્ધ રચના અને ધૂનને એક શૃંખલામાં ગોઠવી શકતા હતા. વનરાજ ભાટિયાનું સંગીત તે વખતે પણ એટલું જ અનન્ય હતું કે જેટલું અત્યારે છે અને તેઓ ક્યારે ય પણ મુખ્યપ્રવાહની ફિલ્મ માટે સંગીત આપવા ઇચ્છતા નહોતા. તેઓએ મોટેભાગે સમાંતર સિનેમાની ફિલ્મોમાં પશ્ચાદ્‌ સંગીતની જ રચના કરી છે. લોકો કહે છે કે વનરાજ ભાટિયા એ પશ્ચિમના વ્યક્તિ છે ત્યારે તેઓ જણાવે છે કે તેમણે ફિલ્મ સરદારી બેગમ માટે માત્ર તબલાં, સારંગી અને હારમોનિયમનો ઉપયોગ કરીને સંગીતની રચના કરી હતી. તે સમાંતર સિનેમાના યુગ દરમિયાન Film and Television Institute of Indiaમાંથી સ્નાતક થયેલા મોટા ભાગનાં ફિલ્મકારોની ફિલ્મમાં વનરાજ ભાટિયાએ પશ્ચાદ્‌ સંગીત આપ્યું હતું. આ ફિલ્મોમાં સંગીત થકી તેમને કોઈ વધારે નાણાં મળતા નહોતા અને તે તમામ ફિલ્મકાર પ્રસિદ્ધ થઇ ગયા બાદ વનરાજ ભાટિયાને તેમનાં કામ માટેનું વળતર ચૂકવતા હતાં!

વનરાજ ભાટિયાને અન્ય ભારતીય સંગીતકારમાં કલકત્તાનું ન્યૂ થિયેટર સ્ટુડીઓઝ, રાઈચંદ બોરલ, પંકજ મલિક અને કે.એલ. સાઈગલની ફિલ્મનું સંગીત પસંદ છે. તેઓ જ્યારે યુરોપ હતા ત્યારે ઓપેરાના સંગીત માટે એવા ઘેલા હતા કે વર્ષ ૧૯૫૨ના શિયાળાના સમયમાં તેઓ વિયેના માત્ર ઓપેરા સાંભળવા માટે ગયા હતા.

ગત વર્ષોમાં તેમણે નાટ્યકાર ગિરીશ કર્નાડના નાટક અગ્નિવર્ષા માટે સંગીતની રચના કરી હતી પણ આ નાટક નિષ્ફળ સાબિત થયું હતું. આ સિવાય તેમણે અન્ય કોઈ ભારતીય નાટકમાં સંગીત આપ્યું નથી. એક વખત જ્યારે વનરાજ ભાટિયા અને ગીતકાર જાવેદ અખ્તરની મુલાકાત થઇ હતી, ત્યારે જાવેદ અખ્તરે કહ્યું હતું કે તમે મને તૈયાર કરેલી સંગીતની ધૂન આપો અને હું તમને તે ધૂન આધારિત ગીત લખી આપીશ ત્યારે વનરાજ ભાટિયાએ કહ્યું હતું કે ‘હું ક્યારે ય પણ શબ્દ વિના ધૂન તૈયાર કરતો નથી.’

Email – nbhavsarsafri@gmail.com

Loading

24 April 2017 admin
← બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી એ માનવતા સામેનો અપરાધ હતો અને ભારતીય રાષ્ટ્ર સાથેનો વિશ્વાસઘાત હતો
The Shakespeare of Mauritius →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved