Opinion Magazine
Number of visits: 9787023
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આંબેડકરઃ નેહરુથી ન.મો. દલિત રાજનીતિના પડકારો

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|16 April 2026

આંબેડકર હિન્દુ સમાજના દમનકારી વલણો સામે વિપ્લવનું પ્રતીક

શિડ્યુલ કાસ્ટ્સથી રિપબ્લિકન તેમ જ કાંસીરામ–માયાવતીની મથામણો કેમ ટાંચી પડી એ તપાસ માંગી લે છે … કાશ, લોહિયા અને આંબેડકરને સાર્થક સંવાદતક મળી હોત!

પ્રકાશ ન. શાહ

135મી આંબેડકર જયંતી આવી અને ગઈઃ સરકારી, બિનસરકારી, તરેહવાર આયોજનો કંઈક ઉત્સાહથી તો કંઈક રસમી રાબેતાસર પાર પડ્યાં. 

સાધારણપણે સંવિધાનનિર્માતા તરીકે તેમ દલિત મસીહા તરીકે તેમને યાદ કરાતા રહે છે. પણ 14મી એપ્રિલ સત્તાવાર સરકારી પ્રયોગ મુજબ જો એક રાષ્ટ્રીય પર્વ (નેશનલ હોલીડે) હોય તો આંબેડકરને જોવા અને મૂલવવાની રીતે કંઈક વિશેષ વિચારવું રહે છે. 

1956ના ડિસેમ્બરમાં એ ગયા. સ્વરાજસંગ્રામની પરંપરામાંથી આવેલા જવાહરલાલ નેહરુ ત્યારે વડા પ્રધાન હતા. આજે 2026માં સંઘ પરંપરામાંથી આવેલા નરેન્દ્ર મોદી વડા પ્રધાન છે ત્યારે નેહરુથી માંડી નીચે સુધી આંબેડકરનું નામ લેવાતું હશે, પણ આજે ન.મો.થી માંડી નીચે સુધી કદાચ વધારે જ ગાજે છે. 

ભીમરાવ આમ્બેડકર

નામ લેવાવાથી માંડી ગાજવા લગીની આ ઇતિહાસ-પ્રક્રિયા હર પરંપરાની પેઠે સાતત્ય ઉપરાંત શોધન પણ માંગી લે છે. 1956માં આંબેડકર ગયા ત્યારે લોકસભામાં એમને અંજલિ આપતાં (સત્તાવાર સંસદીય નોંધ લેતાં) નેહરુએ જે કહ્યું હતું એમાંથી એક સારરૂપ ફકરો અહીં સંભારું તો તે આ સંદર્ભમાં ઉપયોગી થઈ પડશેઃ ‘બંધારણનિર્માણમાં આંબેડકરે જે સંભાળ ને જહેમત લીધી એવી બીજા કોઈએ નથી લીધી એ અલબત્ત શંકાતીત છે.’ હવે વાત આગળ ચાલે છેઃ ‘હિંદુ કાયદામાં સુધારા બાબતે એમણે જે રસ લીધો અને બોજ વેંઢાર્યો તેને સારુ પણ એ સંભારાશે.’ જાહેર છે કે આંબેડકર જે ઝડપે તે કરવા ઇચ્છતા હતા તે શક્ય ન બનતાં એમણે પ્રધાનમંડળમાંથી છૂટા થવું પસંદ કર્યું હતું વડા પ્રધાન નેહરુ સુધારા પરત્વે પ્રતિબદ્ધ હતા. પણ તત્કાળ તે શક્ય નહોતું, કેમ કે કૉંગ્રેસના ખુદના રૂઢિચુસ્ત મત ધરાવનારાઓ ઉપરાંત, સવિશેષ, બહારનાં કેટલાંક બળો (કૉંગ્રેસથી વિપરીત પણે) એકંદર બંધારણ અને હિંદુ કાયદાના સૂચિત સુધારા બેઉ બાબતે હાડના વિરોધી હતા. આ બળોમાં યોજકત્વની ભૂમિકા હાલના વડા પ્રધાનના પૂર્વસૂરિઓની હતી. સંઘ પરિવારના પત્ર ‘ઓર્ગેનાઇઝર’ના મતે આ બંધારણમાં મનુસ્મૃતિનો સ્વીકાર નહોતો. સાવરકર-ગોળવલકર છેડેથી પણ આવા જ અવાજો ઊઠ્યા હતા. હિંદુ કાયદામાં સુધારા બાબતે આ પરિબળો અલબત્ત ‘અબ્રહ્મણ્યમ, અબ્રહ્મણ્યમ્’ના મિજાજથી મંડેલા હતા. 

વળી નેહેરુના ઉદ્‌ગારો સંભારું કે “તેઓ હિંદુ કાયદામાં આ સુધારાઓ (ભલે એમના રાજીનામા પછી પણ) ઠીક ઠીક પ્રમાણમાં – જો કે એમણે તૈયાર કરેલ સમગ્ર ધોરણે નહીં પણ – કટકે કટકે ય થતા જોઈ શક્યા તે વિચારે હું રાજીપો અનુભવું છું.” કોંગ્રેસ શ્રેષ્ઠીઓને વિશ્વાસમાં લઈ નેહરુ આગળ વધી શક્યા હતા, પણ સંઘ પરિવારના પૂર્વ સૂરિઓ? તેઓ અલબત્ત તળેઉપર મનુસ્મૃતિમય હતા.

હવે, નેહરુના આ જ ફકરાનાં સમાપનવચનો ઉતારુંઃ “ગમે તેમ પણ, મને લાગે છે કે એમનું સ્મરણ સર્વાધિક તો હિંદુ સમાજમાં રહેલાં સઘળાં દમનકારી વલણો સામેના વિપ્લવના પ્રતીક તરીકે થતું રહેશે.”

હિંદુ સમાજના હાડમાં પેંધેલાં આ જે દમનકારી વલણો અને આધુનિક બંધારણને બદલે મનુસ્મૃ઼તિના સ્વર્ગલોકમાં મુક્તિની જે ખોજ, એને અંગે પોતાના અને આજુબાજુના વૈચારિક પૂર્વસૂરિઓથી હાલના સત્તાશ્રેષ્ઠીઓ વસ્તુતઃ ઊંચે ઊઠી શક્યા છે કે કેમ? સત્તાવાર અવાજો આંબેડકરની એકંદર અનુમોદનાના (બલકે, ક્યારેક તો આંબેડકર પારના આંબેડકરની હદના) સંભળાય છે. આ પ્રશ્ન, અત્યારે તો, આપણે એમના આત્મનિરીક્ષણ પર છોડવો રહે છે. 

હવે બે શબ્દો, ઉતાવળે પણ, આંબેડકરી રાજનીતિ સબબ-કાંસીરામ-માયાવતીનો ચમત્કાર ને એવી જ પીછેહઠનાં આપણે સાક્ષી છીએ. શિડ્યુલ કાસ્ટ્સની સીમિત ઓળખથી હટી રિપબ્લિકન જેવી વ્યાપક ઓળખની આંબેડકરની છટપટાહટ નેમ આ ‘વ્યાપક’નું દલિત પેટાકરણ પણ આપણે જોયું છે. 1955-1956માં લોહિયા-આંબેડકરના આછાપાતળા સંપર્કસંવાદ પછી રૂબરૂ વિગતે વાત થતે થતે અણી ટાંકણે આંબેડકરની ચિરવિદાય સાથે થંભી ગઈ. સપ્તક્રાંતિની સમાજવાદી ભૂમિકાએ લોહિયા પીછડી અને અનુસૂચિત સંમિલન તેમ અગ્રતાપૂર્વક ‘સમગ્ર’રાજનીતિ છેડવા ઇચ્છતા હતા, પણ …

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 15 ઍપ્રિલ 2026

Loading

16 April 2026 Vipool Kalyani
← મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Search by

Opinion

  • ડૉ. આંબેડકરના જીવન અને વિચારોનું મૂલ્યાંકન કરતું સંપાદન : સમતાના સેનાની આંબેડકર
  • હું મારો નિર્ણય નહીં બદલું
  • – એમને આંસુ આવતાં નથી …
  • ભારતની ન્યુક્લિયર ડૉક્ટરીનઃ ઠોસ રણનીતિનાં ધીમાં અને મક્કમ પગલાંની અનિવાર્યતા 
  • વિશ્વયુદ્ધના ઉંબરેથી પાછા ફરતા ટૃમ્પ

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા
  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved