Opinion Magazine
Number of visits: 9556551
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ના! હું સાધુ થઈશ (ના, હું તો ગાઈશ ! એમ ના વાંચવું)

જ્યોતિભાઈ દેસાઈ|Opinion - Opinion|19 July 2015

ના ! હું સાધુ થઈશ

(ના, હું તો ગાઈશ ! એમ ના વાંચવું)

ગુરુ : આવો, આવો! આત્મન્!

શિષ્ય : આજે, ઘણા વખતથી હું વિચારતો હતો, તે મારો સંકલ્પ જાહેર કરવા અને આપશ્રીની સંમતિ લેવા આવ્યો છું.

ગુરુ : જેને પોતાને સમજાયું તેને કોઈની પણ સંમતિની જરૂર ના હોય. શુભ હશે તો પ્રગતિ થશે, નહીં તો ફેરવિચારણા કરવા માટે અનુભવ પ્રાપ્ત થશે.

શિષ્ય : મહારાજ ! આપ સમાન જેવાના સાથથી જ હું આગળ વધી શકીશ.

ગુરુ : સદ્વિચારને ભગવાનના આશીર્વાદ હોય જ છે.

       માનવજીવન સત્ય સમજવા માટે સતત આત્મખોજ, સ્વમૂલ્યાંકન માટે છે. આગળ કે પાછળ વધવાના ભ્રમોમાંથી મુક્ત થવામાં જ શ્રેય છે.

       સાંભળ ત્યારે : એક સાદોસીધો માણસ હતો. કદી એનો અહમ્ પ્રગટ્યો ન હતો. ભલુભલી સમસ્યાઓના ઉકેલો એને સૂઝતા હતા, કારણકે સ્વાર્થથી મુક્ત હતો.

શિષ્ય : એવો વળી કોણ હતો એ?

ગુરુ : રાષ્ટ્રના પ્રધાનપદે હતો. છતાં સાદા ધોતિયામાં રહેતો. વિદેશમાં, રાષ્ટ્રસમૂહની બેઠકમાં પણ ભોળા ભાવે જાય, ત્યારે પણ પહેરવેશ તો એનો એ જ. એનું ખરું બળ નિષ્ઠા અને કર્તવ્ય!

શિષ્ય : ભલભલી સમસ્યા ઉકેલી? તે કઈ ?

ગુરુ : એના ધ્યાન ઉપર મૂક્યું કે ‘રાષ્ટ્રને ભારે અન્નની તંગી ઊભી થઈ છે અને ભૂખમરો કરોડોને આવી પડવાનો છે.’

      તુરંત સરળ ઉકેલ આપ્યો. ‘ચાલો અઠવાડિયામાં એક ટંક ભોજન છોડી દઈએ ! દરેક વ્યક્તિ સોમવારે સાંજે જમવામાં અનાજ નહીં લે.’

      ને રાષ્ટ્રે તે વાત માથે ચઢાવી. શાસ્ત્રીજીનો સોમવાર ! વર્ષો સુધી શાસ્ત્રીજીનો સોમવાર પળાતો રહ્યો.

શિષ્ય : હા, એ સાચું જ! મેં જાતે પણ ફળો ઉપર રહેવાનું ગોઠવેલું.

ગુરુ : ૧૯૬૫ની સાલમાં સેનાપતિ મૂંઝવણ લઈને આવ્યા. કહે ‘જો પશ્ચિમ દિશામાં પાકિસ્તાન સાથે લડવાને બધી તાકાત લગાડીએ, ને જો પૂર્વમાંથી ચીન ડખો કરે તો શું ?’

      ‘તમારું કામ બે ય મોરચે લડવાનું છે. અમારું કામ તમને સંપૂર્ણ ટેકો કરવાનું છે.’ રાષ્ટ્રને ‘જય જવાન ! જય કિસાન’નો મંત્ર પઢાવ્યો. એવો એ નિર્મળ હૃદયના માનવને સાધુ થવાની જરૂર જ નહીં. યુદ્ધ હોય કે દુકાળ!

       શી એની લીલા! સૌમ્ય તેમ જ શાલીન! કેવી રીતે તને સમજાવું? એના અવસાન પછી જણાયું કે લોનથી જે કાર લીધેલી તેનું દેવું હતું! બૅંકમાં બૅલેન્સ પણ નહોતું!!

      તારી આંખોમાં તો કાંઈ કાંઈ અનોખું કરવાનું જોશ પડ્યું છે. ભરપૂર આવેગ છે!

શિષ્ય : ના! ના! હું સાધુ થઈશ જ.

ગુરુ : (સહજ સ્મિત કર્યું. મૌન જ રહ્યા!)

શિષ્ય : આજ્ઞા આપો મહારાજ! સાધુ થવાથી મને સંપૂર્ણતા પ્રાપ્ત થશે. મેં લગ્ન થતાં જ પત્નીને કહી દીધું, મને સંસારમાં નહીં, રાષ્ટ્રસેવામાં જ રસ છે. તેથી જ સાધુ થવા માટે આપ મહારાજની સંમતિ માંગી રહ્યો છું.

ગુરુ : (મૌન)

શિષ્ય : મને બેચેન ના કરો. સંમતિ આપો ગુરુદેવ! હું સાધુ થઈશ! થઈશ! થઈશ જ.

ગુરુ : તારે સાધુ દેખાવું છે કે મુક્ત થવું છે?

      દર બે કલાકે નવા પહેરવેશનો તારો શોખ, સભાઓ ગજવીગજવીને તાળીઓ, જયજયકાર સાંભળવાની મહત્ત્વાકાંક્ષાઓ ભલભલાં તારાં સ્વપ્નાંઓ …

*  *  *

Breaking News      

પ્રધાનમંત્રી સાધુ થઈ ગયા!

એક વર્ષ પૂરું થઈ ગયું!!  

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2015, પૃ. 19

 

Loading

19 July 2015 admin
← યશવંતભાઈ ત્રિવેદીને સ્મરણાંજલિ
કટોકટીની ચાલીસી નિમિત્તે →

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved