Opinion Magazine
Number of visits: 9487698
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજ રચીને પશ્ચિમના ધર્મોનું અનુકરણ કર્યું હતું

રમેશ ઓઝા|Opinion - Opinion|3 March 2024

રમેશ ઓઝા

આ જગતમાં વિવિધ દેશોમાં રહેતા હોવા છતાં ઈસાઈઓ અને મુસલમાનો સંગઠિત છે, કારણ કે તેમનો ધર્મ સંગઠિત અને માળખાબદ્ધ છે. બીજી બાજુ હિંદુઓ એક જ દેશમાં રહેતા હોવા છતાં વિખરાયેલા છે, કારણ કે તેમનો ધર્મ વિખરાયેલો છે. ગમે ત્યારે કોઈ નવો સંપ્રદાય સ્થપાય. ગમે ત્યારે સંપ્રદાયમાં પેટા-સંપ્રદાય રચાય. ગમે ત્યારે કોઈ ઈશ્વરનો અવતાર ફૂટી નીકળે અને પોતાને ભગવાન તરીકે પૂજાવે. પોતાનાં મંદિર બંધાવે. તેમનો વળી ધર્મગ્રંથ અલગ હોય. આ સિવાય કોઈ વળી આ છોડવાની શીખ આપે તો કોઈ વળી ફલાણું અપનાવવાની શીખ આપે. જો હિંદુ ધર્મ આ રીતે બોડી બામણીના ખેતર જેવો હોય તો હિંદુઓ ક્યારે ય સંગઠિત થઈ શકે ખરા?

પહેલી વાત તો એ કે આ જગતમાં ઈસાઈઓ અને મુસલમાનો સંગઠિત છે એવો દયાનંદ સરસ્વતીનો અભિપ્રાય વાસ્તવિકતા પર આધારિત નહોતો. હકીકતમાં તો ઈસાઈઓ અને મુસલમાનો જેટલા આપસમાં લડ્યા છે અને એકબીજાનું લોહી રેડ્યું છે અને આજે પણ રેડી રહ્યા છે એટલા હિંદુઓ આપસમાં નથી લડ્યા. પોતાની ચોક્કસ ધાર્મિક માન્યાતાઓને લઈને તેઓ આપસમાં લડ્યા છે અને લડે છે. મધ્યકાલીન યુરોપમાં અને ઇસ્લામિક દેશોમાં અલગ સૂર કાઢનારાઓની તેમ જ વિજ્ઞાનનિષ્ઠ કથન કરનારાઓની હત્યા કરવામાં આવી છે અને કરવામાં આવે છે. દયાનંદ સરસ્વતીના યુગમાં સંસ્થાનો કબજે કરવા માટે તેઓ આપસમાં લડતા હતા અને ૨૦મી સદીમાં તેમની વચ્ચે બે યુદ્ધ થયાં હતાં જે વિશ્વયુદ્ધ તરીકે ઓળખાય છે. બધું જ તેમની વચ્ચે આપસમાં હતું અને થઈ રહ્યું છે, તેમનો ધર્મ માળખાબદ્ધ હોવા છતાં ય. તેઓ ધર્મને કારણે સંગઠિત હતા અને છે એમ કહેવું એ ભૂલભરેલું છે.

દયાનંદ સરસ્વતીને આની જાણકારી હોય એમ લાગતું નથી. તેમને તો એમ જ લાગતું હતું કે તેઓ સંગઠિત છે અને તેનું કારણ તેમના ધર્મનું સ્વરૂપ છે. તેમના ધ્યાનમાં એ વાત પણ નહોતી આવી કે મુસલમાનો અને ઈસાઈઓ તેમનાં ધર્મના સ્વરૂપને કારણે અંદરોઅંદર એકબીજા પરત્વે અસહિષ્ણુ હતા અને હિંદુ ધર્મ કહેવાતો વિખરાયેલો છે એટલે હિંદુઓ આક્રમક નથી. એકબીજાને સ્વીકારી લે છે અને આગળ વધે છે. હિંદુ ધર્મ શ્રદ્ધાઓનો બગીચો છે.

સ્વામી દયાનંદ સરસ્વતી

શું વિશેષતા છે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં? એક ઈશ્વર, એક ધર્મગ્રન્થ અને એક ધર્મપ્રવર્તક. આમાં ઇસ્લામમાં તો તેમના ખુદાનો કોઈ આકાર પણ નથી. તેમનો ભગવાન સગુણ નિરાકાર છે. મુસલમાનો મૂર્તિપૂજા કરતા નથી અને તેને હીન માને છે. દયાનંદ સરસ્વતીને એમ લાગ્યું કે હિંદુઓએ પણ આવો માર્ગ અપનાવવો જોઈએ. તેમનો એક ઈશ્વર હોય, તેની મૂર્તિપૂજા ન થતી હોય અને એક ધર્મગ્રન્થ હોય. બીજું, ઇસ્લામમાં જેમ ખુદા અને બંદા વચ્ચે જેમ મોક્ષ અને સ્વર્ગની ગેરંટી આપનારા વચેટિયા નથી હોતા એમ હિંન્દુ ધર્મમાં પણ કોઈ આવા વચેટિયા ન હોય. આર્ય સમાજમાં ઈશ્વર નિરાકાર છે. નિરાકાર છે એટલે મૂર્તિપૂજાનો સવાલ પેદા નથી થતો. વેદ એ ઈશ્વર પ્રણિત ધર્મગ્રન્થ છે જે કુરાન અને બાયબલ જેવું સ્થાન ધરાવે છે. તેના એક શબ્દને પણ પડકારી ન શકાય. તેમણે આર્ય સમાજને જે સ્વરૂપ આપ્યું હતું તેને કારણે એક સમયે પંજાબમાં આર્યસમાજનાં ધર્મસ્થાનો મસ્જીદ તરીકે ઓળખાતાં હતાં. લાલા લજપતરાયે તેમની આત્મકથામાં આર્ય સમાજનાં મંદિરોનો ઉલ્લેખ મસ્જીદ તરીકે કર્યો છે. ટૂંકમાં દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજ રચીને પશ્ચિમના ધર્મોનું અનુકરણ કર્યું હતું. અનુસરણ નહોતું, અક્ષરસ: અનુકરણ.

અનેક છોડની બનેલી હિંદુ વાડીમાં આર્ય સમાજ સ્વીકાર્ય બને એ શક્ય જ નહોતું. ગુજરાતમાં પાખંડી પૂજાય એવો ફિટકાર આપીને દયાનંદ સરસ્વતી ગુજરાત છોડીને જતા રહ્યા હતા, પરંતુ તેમને પંજાબ છોડીને અન્યત્ર આવકાર મળ્યો નહોતો. પંજાબમાં આવકાર મળ્યો એનું કારણ પંજાબની ખાસ સ્થિતિ હતી. અવિભાજિત પંજાબમાં મુસલમાનો બહુમતીમાં હતા અને સીખો પોતાને હિંદુ તરીકે ઓળખાવતા નહોતા, પણ અલગ ખાલસા ધર્મિય તરીકે ઓળખાવતા હતા. સિખોની વસ્તી પણ મોટી હતી. આમ પંજાબ છોડીને દેશભરમાં કોઈ જગ્યાએ આર્ય સમાજનો સ્વીકાર થયો નહોતો. આ સિવાય દયાનંદ સરસ્વતીની ભાષા પણ આક્રમક હતી. ‘સત્યાર્થપ્રકાશ’ નામના ગ્રન્થમાં તેમણે જે ભાષામાં ધર્મવિવેચન કર્યું છે એ જોઇને આપણને આજકાલના ભક્તોની યાદ આવે. ફરક એટલો કે તેમનું વિવેચન એકંદરે તાર્કિક હતું, પણ સંપૂર્ણપણે તો એ તાર્કિક પણ નહોતું.

અહીં એક રસપ્રદ ઘટના નોંધવા જેવી છે. ૧૯૭૦ના દાયકામાં આર્ય સમાજે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી કે આર્ય સમાજ હિંદુ ધર્મનો હિસ્સો નથી. હિંદુ ધર્મ અલગ છે અને આર્ય સમાજ અલગ છે. આર્ય સમાજની સ્થાપનાને હજુ તો સો વરસ પણ નહોતાં થયાં ત્યાં આર્ય સમાજે દાવો કર્યો હતો કે પોતે એક અલગ ધર્મ છે. જવું હતું હિંદુઓની એકતા સાધવા માટે અને પહોંચ્યા અમે અલગ હોવાનો દાવો કરવા! આવું જ સ્વામી વિવેકાનંદ સાથે બન્યું. તેમને પણ હિંદુઓનું જાગરણ કરનારા પ્રહરી તરીકે ઓળખાવવામાં આવે છે, પણ રામકૃષ્ણ મિશનની સ્થાપનાને હજુ સો વરસ પણ નહોતા થયાં એ પહેલા રામકૃષ્ણ મિશને સર્વોચ્ચ અદાલતમાં તે હિંદુઓથી અલગ સ્વતંત્ર ધર્મ હોવાની માન્યતા મેળવવા દાવો કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે એ દાવાને નકારી કાઢ્યો હતો. એ બન્ને સંસ્થાઓના અધિપતિઓ લઘુમતી ધાર્મિક કોમ હોવાનો ભૌતિક નાણાંકીય લાભ લેવા માગે છે. આમ બહુમતી રાષ્ટ્રવાદીઓને લઘુમતી ધાર્મિક કોમ તરીકેના લાભ લેવામાં શરમ નથી આવતી.

ખેર, હિંદુઓ પોતાને માળખામાં કેદ કરવા માગતા નહોતા. એ તેમને ફાવે એવી ચીજ જ નથી. જો અનેક છોડની વાડી સેંકડો નહીં, બે-ચાર હજાર વરસ સુધી જીવી શકે, તેને કોઈ મિટાવી ન શકે, નવી નવી કલમ થતી રહે, તેઓ જરૂર મુજબ પોતાને ઢાળી શકે એ જ તો તેની તાકાત છે. હિંદુઓની ધાર્મિક બહુવિધતા હિંદુઓની મર્યાદા નથી, પણ તાકાત છે. દયાનંદ સરસ્વતી આ તાકાત સમજી શક્યા નહોતા. આ સિવાય હિંદુઓને જળોની જેમ વળગેલા બ્રાહ્મણો દરેક પડકારનો ઉપાય શોધી કાઢતા હતા. તેમણે સનાતન ધર્મનો મહિમા કરવાનું શરૂ કર્યું હતું કે જેથી સનાતન સામે પ્રશ્ન કરનારાઓને નિરસ્ત કરી શકાય. સરવાળે દયાનંદ સરસ્વતીનો ઈલાજ નિષ્ફળ નીવડ્યો.

ગયા સપ્તાહના લેખમાં લખ્યું હતું એમ દયાનંદ સરસ્વતી પહેલા માણસ હતા જેમણે હિંદુઓને તેમની ઓળખનું અને તેમની સંખ્યાનું ભાન કરાવ્યું. હિંદુ રાષ્ટ્રવાદના તેઓ પહેલા ઉદ્દગાતા હતા. પણ એ છતાં ય સંઘ પરિવારે તેમની દ્વિશતાબ્દી રાષ્ટ્રીય સ્તરે ઉજવી નથી તેનું કારણ દયાનંદ સરસ્વતીના જલદ વિચારો છે. તેમની ભાષા છે. કોઈ કહેતા કોઈને છોડ્યા નથી. બ્રહ્મણોને નહીં, શૈવોને નહીં, વૈષ્ણવોને નથી, જૈનોને નહીં, બૌદ્ધોને નહીં, સીખોને નહીં, ગોરખ જેવા જે તે પંથોને નહીં વગેરે. ટૂંકમાં કોઈ કહેતા કોઈને નથી છોડ્યા અને એ પણ અભદ્ર ભાષામાં. સંઘપરિવારને એ ક્યાંથી પોસાય. જ્યારે સત્તાનું રાજકારણ નહોતું અને દેશ આઝાદીની લડત લડતો હતો ત્યારે પણ આર્ય સમાજીઓ અને સનાતનીઓ સાથે નહોતા ચાલી શકતા. આર્ય સમાજીઓનાં  આગ્રહ અને આક્રમકતા અકળાવનારાં હતાં.

હિન્દુત્વવાદીઓને આર્ય સમાજ અને દયાનંદ સરસ્વતીનો ખપ માત્ર અને માત્ર મુસ્લિમ પૂરતો છે. બાકી હિંદુ ધર્મિક અને સામાજિક જાગરણની વાત આવે ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતી પરવડે એવા નથી. એક વાર ‘સત્યાર્થપ્રકાશ’ વાંચી જોજો.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 03 માર્ચ 2024

Loading

3 March 2024 Vipool Kalyani
← અનંત અંબાણીનો વનતારા પ્રોજેક્ટઃ વિશ્વમાં સૌથી મોટી પ્રાણીઓની સંભાળ અને સંવર્ધનની સવલત
વસ્તુ અને વ્યક્તિમાં ફરક રખાતો નથી … →

Search by

Opinion

  • કોમનવેલ્થ ગેઇમ્સ માટે અમદાવાદ યજમાનઃ ખેલ વિશ્વ એટલે વૈશ્વિક રાજકારણમાં સોફ્ટ પાવર અને કૂટનીતિ
  • તાલિબાની સરકારના વિદેશ પ્રધાન ભારતની મુલાકાત લે એમાં આશ્ચર્ય ન થવું જોઈએ
  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી

Poetry

  • પિયા ઓ પિયા
  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved