Opinion Magazine
Number of visits: 9449001
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંસ્થાનવાદી ઘટનાઓ, ઇતિહાસ અને સંદર્ભો વિશે પુનર્વિચાર કરવો જોઈએ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|28 January 2024

રમેશ ઓઝા

આપણે વાત કરતા હતા પૂના નજીક આવેલા ભીમા કોરેગાંવના વિજય સ્મારકની જ્યાં દર વર્ષે પહેલી જાન્યુઆરીએ લાખોની સંખ્યામાં વિજયોત્સવ માટે દલિતો એકઠા થાય છે. પણ સવાલ એ છે કે વિજય કોનો થયો હતો અને કોની સામે થયો હતો. ઉત્તર બહુ સ્પષ્ટ છે ૧૮૧૭ની સાલમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો પૂનાના પેશ્વાઓ સામે વિજય થયો હતો. પણ અંગ્રેજોને ચતુરાઈમાં કોઈ ન પુગે. આપણે ત્યાં બીજાઓનો શ્રેય આંચકી લેવાની લાલચ કેટલાક લોકો રોકી શકતા નથી ત્યાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાકેમોએ કંપનીના વિજયનો શ્રેય મહારાષ્ટ્રના દલિત મહારોને આપ્યો હતો અને એવો પ્રચાર શરૂ કર્યો હતો કે દલિતોએ બ્રાહ્મણોને (અને એ પણ મહારાષ્ટ્રના ચિત્પાવન બ્રામણો) પરાજિત કર્યા હતા અથવા દલિતોનો બ્રાહ્મણો પર વિજય થયો હતો. ઈરાદો પોતાને સર્વશ્રેષ્ઠ માનતા બ્રાહ્મણોને નીચા દેખાડવાનો હતો અને દલિતોને બ્રાહ્મણોની સામે ઊભા કરવાનો હતો. આમ લાંબો સમય રાજ કરી શકાય એ માટે ચતુર અંગ્રેજોએ વિજયનો શ્રેય દલિતોને આપ્યો હતો.

આ દેશમાં મહત્તા કોને નથી ગમતી! ધીરેધીરે દલિતો પણ એમ માનવા લાગ્યા કે બ્રાહ્મણ પેશ્વાઓને તેમણે પરાજીત કર્યા હતા. વાસ્તવમાં અંગ્રેજોના સૈન્યમાં મરાઠા, મહાર, યહૂદી અને મુસલમાન પણ હતા. અંગ્રેજોનાં ૪૯ સૈનિકો લડાઈમાં મૃત્યુ પામ્યાં હતા જેમાં ૨૨ મહાર સૈનિકો હતા. વિજયસ્તંભ પર એ તમામ ૪૯ સૈનિકોનાં નામ આપવામાં આવ્યાં છે. દલિતોએ બ્રાહ્મણોને પરાજીત કર્યા એવો પ્રચાર દલિતો અપનાવતા ગયા અને એમાં પણ ૧૯૨૭ની સાલમાં પહેલી જાન્યુઆરીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભીમા કોરેગાંવના સ્મારકની મુલાકાત લીધી એ પછી પહેલી જાન્યુઆરીએ ભીમા કોરેગાંવ ખાતે વિજય ઉજવવા એકઠા મળવું એ દલિતો માટે એક વાર્ષિક કાર્યક્રમ બની ગયો.

બ્રાહ્મણો સામે દલિતોને ઊભા રાખવા અને એવા બીજા નુસખા વાપરીને બને એટલો લાંબો સમય ભારતમાં રાજ કરવું એ એ સમયની અંગ્રેજોની જરૂરિયાત હતી. બહુ ચતુરાઈપૂર્વક વિજયનો શ્રેય તેમણે દલિતોને આપ્યો હતો. સવર્ણોના વર્ચસવાળા ભારતીય સમાજમાં દલિત પ્રજાની અંદર ચેતના જાગૃત કરવી એ એ સમયે દલિતોની જરૂરિયાત હતી. ડૉ. આંબેડકરે દલિતોની અંદર ચેતના જાગૃત કરવા અને સામાજિક અસમાનતા તેમ જ અન્યાય સામે દલિતો અવાજ ઉઠાવતા થાય એ સારુ ભીમા કોરેગાંવની ઘટનાનો ઉપયોગ કર્યો હતો. જરૂરિયાત સમજવી અને જરૂરિયાત મુજબ સાધનોનો તેમ જ ઘટનાઓનો ઉપયોગ કરવો એમાં દુરન્દેશી છે.

પણ પછી જરૂરિયાત બદલાતી રહે છે અને જેમ જરૂરિયાત બદલાય એમ વલણમાં પણ ફેરફાર કરતા રહેવું જોઈએ. આજે જ્યારે ભારતમાં ફાસીવાદી રાજકારણે માથું ઊંચક્યું છે અને ભારતની પ્રજા તેના પ્રભાવમાં આવી રહી છે, ત્યારે બ્રાહ્મણ-દલિતોના જય-પરાજયના ઉત્સવો ઉજવવા એ કેટલું ઉપયોગી છે? તમને નથી લાગતું કે આવી આઝાદી પહેલાંની ચોક્કસ સ્થિતિમાં જેની જરૂરિયાત હતી એ અત્યારે કાલબાહ્ય થઈ રહી છે? સાવ સીધાસાદા અને એકંદરે માનવતાવાદી બ્રાહ્મણોને આજે પણ ગાળો દેતા રહીને, દરેક બ્રાહ્મણને મનુવાદના રક્ષક ગણાવીને, તેમનાં કુકર્મોને ઘૂંટતા રહીને આપણે એ બ્રાહ્મણને ફાસીવાદ તરફ ધકેલી રહ્યા છીએ. દેશમાં જ્યારે સર્વસમાવેશક રાષ્ટ્રવાદ કે સહિયારી રાષ્ટ્રીયતા સ્વીકૃત હતી, ત્યારે મોટાભાગના બ્રાહ્મણોએ પણ તેનો સ્વીકાર કર્યો હતો. સવર્ણોએ તેનો સ્વીકાર કર્યો હતો. અંગ્રેજીમાં જેને આપણે આઈડિયા ઓફ ઇન્ડિયા કહીએ છીએ એમાં એ લોકો પણ ભાગીદાર હતા જે એક સમયે સામાજિક સરસાઈ ધરાવતા હતા.

બન્યું છે એવું કે પ્રગતિશીલોના અતિરેકને કારણે, આક્રમકતા અને અસહિષ્ણુતાને કારણે તેમણે પરસ્પર એકબીજા વચ્ચે ઊંડી ખાઈ પેદા કરી છે. તેમણે પરસ્પર એકબીજાનો છેદ ઉડાડીને પોતાને જ નિર્બળ કર્યા છે અને ઉપરથી જે સવર્ણો સાથ આપતા હતા અથવા સહાનુભૂતિ ધરાવતા હતા તેમને પોતાનાથી દૂર કર્યા. આજે તેઓ સામેના છેડે જઈ રહ્યા છે અને તેના માટે પ્રગતિશીલોનું વલણ પણ જવાબદાર છે. કોઈ ધાર્મિક હોય, કોઈ જનોઈ પહેરતું હોય, કોઈ કર્મકાંડ કરાવતું હોય તો એ કોઈ અમાનવીય કૃત્ય તો નથી. પણ આજે એ લોકો જેઓ અમાનવીય પ્રવૃત્તિ કરે છે તેને સમર્થન આપે છે, કારણ કે પ્રગતિશીલોએ તેમની આક્રમકતા અને અસહિષ્ણુતા દ્વારા તેમને તેમનાથી દૂર કર્યા છે.

ભીમા કોરેગાંવમાં જે વિજય થયો હતો એ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો થયો હતો. તેમનો વિજય દલિતોને કારણે નહોતો થયો, પણ યુદ્ધ લડવાની તેમની આવડતને કારણે થયો હતો. પેશ્વાઓનો જે પરાજય થયો હતો એ દલિતોને કારણે નહોતો થયો, પરંતુ તેમના ફૂહડ રાજકાજને કારણે થયો હતો. તેમને રાજ કરતાં જ નહોતું આવડતું અને હાથ લાગેલી તક વેડફી નાખી હતી. આ વાસ્તવિકતા છે.

તો કહેવાનું તાત્પર્ય એટલું જ કે આજે જ્યારે ફાસીવાદે દેશ પર ભરડો લીધો છે ત્યારે સંસ્થાનવાદી ઘટનાઓ, ઇતિહાસ અને સંદર્ભો વિષે પુનર્વિચાર કરવો જોઈએ.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 જાન્યુઆરી 2024

Loading

28 January 2024 Vipool Kalyani
← રામની અયોધ્યા : 
કાઁગ્રેસ-અયોધ્યાનો નાતો ગુંચવાડા, અસ્પષ્ટતા અને ઇતિહાસની અવગણનાથી ભરેલો →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved