Opinion Magazine
Number of visits: 9449017
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિંદુસમાજ માટે આ અધોગતિનો કાળ છે, અમૃત કાળ નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|16 February 2023

રમેશ ઓઝા

જેને મુખ્ય ધારાના અને માતબર કહેવાય એવા મીડિયા(પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક બન્ને)માંથી ૯૦ ટકા કરતાં પણ વધારેને મેનેજ કરવામાં આવ્યા હોવા છતાં, અને તે ગોદી મીડિયામાં ફેરવાઈ ગયા હોવા છતાં, એક પછી એક એવી ઘટના બની રહી છે જે નહોતી બનવી જોઈતી. થોડાં ઉદાહરણ જોઇએ.

ગોદી મીડિયાએ સરકાર તરફી અને જે કોઈ સરકારનો વિરોધ કરતા હોય તેના વિરોધી ચોવીસે કલાક કાગારોળ કરી હોવા છતાં નેશનલ સિટીઝનન્સ રજિસ્ટ્રી લાગુ કરવામાં સરકાર નિષ્ફળ નીવડી. ગોદી મીડિયાની પરસેવો પાડનારી સેવા છતાં ય ખેડૂતોનું આંદોલન સફળ નીવડ્યું, સરકારે ઝૂકવું પડયું અને કૃષિકાનૂનો પાછા લેવા પડ્યા. ગોદી મીડિયાએ ખેડૂતોને બદનામ કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું.

ગોદી મીડિયાની ચોવીસ કલાકની સેવા છતાં ય રાહુલ ગાંધીની ભારત જોડો પદયાત્રા સફળ નીવડી અને રાહુલ ગાંધીની આખી ઈમેજ બદલાઈ ગઈ. ૨૦૧૩થી રાહુલ ગાંધીને ખતમ કરવા માટે કુપ્રચાર કરવામાં આવતો હતો. ગોદી મીડિયાની અવિરત સેવા છતાં ય લદાખમાં ચીને ભારતનાં ૬૫ પેટ્રોલિંગ પોસ્ટમાંથી ૨૬ પોસ્ટ ભારત પાસેથી છીનવી લીધી છે, એનો સ્વીકાર ભારત સરકારે કરવો પડ્યો છે. ૬૫માંથી ૨૬. આ કડવી હકીકતનો સ્વીકાર એટલા માટે કરવો પડ્યો કે વિશ્વભરમાં સ્વતંત્ર મીડિયા દ્વારા જગતને જાણ થઈ ગઈ.

અને હવે ગોદી મીડિયાની અવિરત સેવા છતાં ય અદાણીનો પરપોટો ફૂટી રહ્યો છે. ગોદી મીડિયાએ ઘણું વારનિશ કર્યું પણ હવે દુનિયા જાણે છે કે નોટબંધીનો તુઘલખી પ્રયોગ નિષ્ફળ નીવડયો. હવે સરકાર પણ નોટબંધીનાં જશનો દાવો નથી કરતી, બલકે તેને ભૂલાવવાનું કામ ગોદી મીડિયા કરે છે પણ એ ડામ ભૂલાતો નથી. તો સવાલ એ છે કે ગોદી મીડિયા પરિણામકારી ન હોવા છતાં ય તેને શા માટે નભાવવામાં આવે છે? કોઈ ચીજ છુપાવી શકાતી નથી, બધું જ બહાર આવી જાય છે, લાખોની સંખ્યામાં લોકો વિરોધ કરવા રસ્તા પર ઉતરી પડે છે અને ક્વચિત સરકારે પીછેહઠ કરવી પડે છે તે ગોદી મીડિયાનો ખપ શો?

આનો ઉત્તર એક પ્રસંગ દ્વારા મળી જશે. છત્તીસઢના રાયપુર શહેરમાં બાગેશ્વર નામનો એક બાવો છે. મહા ખેપાની અને ધૂતારો. ચમત્કારી બાબો. વળી પાછો રામકથા કરે. બાબાના ચમત્કારોની લોકવાયકાઓ વહેતી થવા લાગી (આ કામ પૈસા લઈને ગોદી મીડિયા કરી આપે છે) અને બાબો રાયપુરમાં સેંકડો એકર જમીનમાં બાગેશ્વાર ધામનો માલિક થઈ ગયો. એ બાબો નાગપુરમાં કથા કરવા ગયો ત્યારે સમાજમાં અંધશ્રદ્ધા નિર્મૂલનનું કામ કરતા એક સંગઠને બાબાને પડકાર્યો. કહ્યું કે જો તમે અમારી સામે ચમત્કાર કરી બતાવશો તો અને અમારા પ્રશ્નોના સાચા જવાબ આપશો તો અમે તમારાં ચરણોમાં માથું મૂકીને માફી માગી લેશું. વળી સો ટકા સાચા જવાબની પણ જરૂર નથી, ૯૦ ટકા પણ ચાલશે. એ પછી શું થયું? બાબો નવ દિવસની જગ્યાએ સાત દિવસમાં કથા આટોપીને ભાગી ગયો.

અને એ પછી શું થયું?

એ પછી જે થયું એમાં ઉપરના પ્રશ્નનો જવાબ મળી રહેશે. ગોદી મીડિયા કોઈ ચીજ છુપાવી નથી શકતા તો તેનો ખપ શો છે? બાબો કથા આટોપીને ભાગી ગયો અને સમાજમાં ચર્ચા થવા લાગી ત્યારે એક હિંદુ સંગઠને નિવેદન બહાર પાડ્યું કે આવા નાસ્તિક સેક્યુલરિયાઓ મુસ્લિમ ખ્રિસ્તી અને બીજા ધર્મના ધુતારાઓને તો ઉઘાડા પાડતા નથી અને હિંદુઓની પાછળ પડી જાય છે. આ લોકો હિંદુવિરોધી છે. હા, આ હકીકત છે. આમ જ કહેવામાં આવ્યું છે. ધર્મના નામે ધતિંગ બધા જ ધર્મમાં ચાલે છે તો હિંદુ ધર્મમાં ચાલતા ધતિંગની પાછળ તમે શા માટે પડ્યા છો? બીજા ધર્મના અનુયાયીઓની આંખ ઉઘાડવાનું કામ તો તમે કરતા નથી તો અમારી આંખ ઉઘાડવા શા માટે મંડી પડ્યા છો? જાવ, તમે હિંદુ વિરોધી છો.

બેવકૂફ બનવાનો અધિકાર. મુસલમાનો અને ખ્રિસ્તીઓ બેવકૂફ બને તો અમે શા માટે નહીં. જો મુસલમાનો અને ખ્રિસ્તીઓને બેવકૂફ બનાવવામાં આવે તો અમને શા માટે નહીં? અમારો ધર્મ બીજા ધર્મો કરતાં ચડિયાતો છે, એટલે બેવકૂફોની સંખ્યા હજુ ઘણી વધારે હોવી જોઈએ. ગર્વ સે કહો હમ ભી બેવકૂફ હૈ. જાવ, પહેલાં બીજા ધર્મોના બેવકૂફોની આંખ ઉઘાડી આવો પછી અમારી પાસે આવજો.

ધુતારાઓ વિજ્ઞાનનિષ્ઠ જવાહરલાલ નહેરુના યુગમાં પણ હતા. ત્યારે પણ આવી ઘટનાઓ બનતી હતી. જેમ કે રાજુલાની બાજુમાં આવેલા જિંઝકા નામનાં ગામમાં એક દેવી પ્રગટ થઈ હતી અને ધતિંગ એવું જામ્યું હતું કે જિંઝકાવાળીનાં દર્શનાર્થીઓથી ટ્રેનો પગ મૂકવાની જગ્યા ન મળે એ રીતે છલકાતી હતી. પણ ત્યારે કોઈએ કહ્યું નહોતું કે બેવકુફ બનવાનો અમારો જન્મસિદ્ધ અધિકાર છે.

જાવ પહેલાં મુસલમાનોની અને બીજાઓની આંખ ઉઘાડી આવો પછી અમારી પાસે આવજો. ત્યારે બેવકુફ બનનારાઓ બેવકુફ સાબિત થયા એ વાતની શરમ અનુભવતા હતા. એમ નહોતા કહેતા કે ગર્વ સે કહો હમ ભી બેવકુફ હૈ. ગોદી મીડિયા આવા લોકો માટે છે અને માટે તેને પોષવામાં આવે છે. 

અને પાછો આ જ હિંદુ ગર્વથી કહે છે કે અમે વિશ્વગુરુ છીએ. હિંદુ સમાજ માટે આ અધોગતિનો કાળ છે, અમૃતકાળ નથી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 16 ફેબ્રુઆરી 2023

Loading

16 February 2023 Vipool Kalyani
← એક અલગારીની વાત
અમથું-અમથું  →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved