Opinion Magazine
Number of visits: 9483410
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એકતા દોડ વચ્ચે … જરી પોરો ખાઈને !

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 November 2014

એકતા દોડ વચ્ચે … જરી પોરો ખાઈને !

સન ચોરાસી : વળતર વધારો એ તો જાણે કે સમજ્યા, પણ ગુનેગારો ઉઘાડે છોગ મહાલે છે એનું શું?

શુક્રવારે નમતે પહોરે મુંબઈ સ્થિત વાનખેડે સ્ટેિડયમના તામઝામ અને શિવસેનાના મનામણાંની ટીવી ઝલક જોઉં છું. દરમિયાન, નવી દિલ્હીથી સમાચાર ઉતરે છે કે બાદલ અકાલી દળનું પ્રતિનિધિ મંડળ ગૃહપ્રધાન રાજનાથસિંહને 1984ના શીખવિરોધી રમખાણ સબબ પાંચ પાંચ લાખની રકમ જાહેર કરવા બદલ આભાર માનવા મળ્યું છે. જો કે, પૂર્વે મનમોહન સરકારે જાહેર કરેલ સાડા ત્રણ લાખ કે નમો સરકારના ત્રણ લાખ કે નમો સરકારના પાંચ લાખ પણ ઓછા છે એમ કહેવા સાથે અકાલી દળે એવી પણ માંગ કરી છે કે કેટલાયે ગુનેગારો હજી ઉઘાડે છોગ ફરી રહ્યા છે.

એમને કાયદેસર નસિયત આપવી રહે છે. નમો સરકાર આ બાબતમાં કેટલી આગળ વધશે તે જોવું રહે છે. પંજાબમાં સત્તા-સહભાગી અકાલી દળને રીઝવવા અને શીખ કોન્સ્ટિટ્યુન્સીમાં વિસ્તરવા સારુ આ મુદ્દે એને એક તક ચોક્કસ છે. સવિશેષ તો, કોંગ્રેસને કદ પ્રમાણે વેતરી અગર ઓગાળી કાઢવાની રાજનીતિની દૃષ્ટિએ પણ આ મુદ્દો મહત્ત્વનો છે. અને વાત પણ સાચી કે 1984ના સંહારસત્રની જવાબદારી બાબતે ત્યારનો સત્તાપક્ષ હાથ ઊંચા કરી શકે નહીં, જેમ 2002ના ઘટનાક્રમની જવાબદારી બાબતે ગુજરાતના નાગરિક સમાજે હંમેશ કહ્યું છે; અને અહીં કંઈક પરિણામ પણ આણ્યું છે. બલકે, હવે સંકેલાઈ રહેલી ગોધરા તપાસની વાસ્તવકિતાને વિગતસમૃદ્ધ અને તર્કબદ્ધ રીતે રજૂ કરતા પુસ્તક "ધ ફિકશન ઓફ ફેકટ ફાઈન્ડિંગ'(‘તપાસ નહીં પણ તરંગ કથા')ના લેખક મનોજ મિટ્ટાએ સુપેરે ચર્ચ્યું છે તેમ ગુજરાત એ સર્વપ્રથમ ‘પોગ્રામ' (સંહારકિસ્સો) નહોતો. 1984 એથી પૂર્વે થયેલ ‘પ્રોગ્રામ' કિસ્સો છે. અડવાણીએ પોતાનાં સંસ્મરણોમાં િમટ્ટાની આ વાત સંભારી પણ છે.

નમો સરકાર જો 1984 બાબતે વધુ તપાસમાં જવા માગતી હોય – કેજરીવાલની ટૂંકજીવી દિલ્હી સરકારે તો આ મુદ્દે ‘એસઆઈટી'ની જિકર કરી જ હતી, પણ એ સરકાર ગઈ અને લેફટનન્ટ ગવર્નર હાલ્યાચાલ્યા નથી – તો તે ઠીક જ થશે, પણ 1984 અને 2002ના સરખાપણાનો પેરેલલ આગળ કરતી વખતે ભાજપે જરી જાતતપાસમાં પણ જવું પડશે. 1984 કરતાં 2002માં કસુરવારોને કંઈકે નસિયત આપી શકાઈ હોય તો તે ભાજપની સિદ્ધિ નથી.

સર્વોચ્ચ અદાલતની દરમિયાનગીરી અને ગુજરાતના નાગરિક સમાજની જાગૃતિએ રાજ્ય સરકાર અને સત્તાપક્ષના અવરોધો વટીને તે હાંસલ કરેલ છે. કદાચ, 1984માં નહીં માલૂમ પડેલો એટલો સંવેદનશીલ અને સક્રિય નાગરિક સમાજ એની બધી મર્યાદાઓ વચ્ચે 2002માં બહાર આવ્યો છે. જો કે, અહીં પણ ખાસું અંતર કાપવાનું છે એ વળી જુદી વાત થઈ. ગમે તેમ પણ શીખવિરોધી સંહારસત્રમાં ન્યાયનો મુદ્દો માથે ચઢાવવા સાથે અને છતાં સમગ્ર પ્રશ્નને વધારે વળતરમાં કે કાનૂની સજાપ્રક્રિયામાં જ સમેટી શકાય તેમ નથી.

ભાજપની દિલ્હી ફતેહ અને મહારાષ્ટ્ર-હરિયાણાનાં પરિણામોમાં નાતજાતકોમથી ઉફરી તરાહ જોવાનું એક વલણ છે. એમાં સત્યાંશ છતાં ચોક્કસ મર્યાદા પણ છે. તમે ઉજળિયાતથી ઓબીસી સંક્રાન્તિ જુઓ : પૂર્વે ભાજપને આ પ્રક્રિયામાં નાતજાતવાદ લાગતો હતો ! મહારાષ્ટ્રમાં એસ.એમ. જોષી સહિતના અનેક સમાજવાદી (અને બ્રાહ્મણ) નેતાઓએ નવા સમાજને સારુ રસ્તો ખોલવાની રીતે વ્યાપક અભિગમ લીધો તો મરાઠાઓ સત્તા લગી પહોંચી શકયા. નવી દિલ્હીમાં મોદી અને મહારાષ્ટ્રમાં એક તબક્કે મુંડે એવાં જે ઓબીસી નામો ચાલ્યાં એની પૃષ્ઠભૂ આ રીતે જોવા જેવી છે.

શિવશાહી ઠોકશાહી છાપ શિવાજી સામે ફૂલે જેવાને શિવાજી જે કારણસર ‘અમારા શુદ્રોના રાજા' લાગતા હતા તે પણ તપાસવા જેવું છે. આજે હરિયાણામાં બિનજાટ અને મહરાષ્ટ્રમાં બિનમરાઠા નેતૃત્વનું જે મહિમાગાન ચાલે છે તે િહંદુત્વ રાજનીતિને વરેલી મંડળીના વશની સરળ વાત નથી. શુક્રવારે સરદાર વિશે વિગતે વાત કરવા સાથે મોદીએ પુણ્યતિથિ પ્રસંગે ઇન્દિરાજીને સંભારવા માટે પણ એકબે લીટી ખતવી છે એની અહીં નોંધ લેવી જોઈએ. ભાઈ, આ કટોકટીખ્યાત મહિલાએ શીખ અંગરક્ષકોથી કિનારો ન કર્યો એ વ્યક્તિગત ધોરણે કોઈ સામાન્ય વાત નથી.

ભીંદરાંવાલે કોંગ્રેસની આંતરિક રાજનીતિમાં ઇન્દિરાજીનું સર્જન હતા એ જો સાચું હોય તો એ પણ સાચું છે કે ઓપરેશન બ્લુ સ્ટાર એ દેશની અખંડિતતા માટેની કારવાઈ હતી. ભીંદરાંવાલેની વિભાજક-વિઘાતક રાજનીતિ વિશે ભાજપના સત્તાસાથી અકાલી દળે ક્યારેક તો ખોંખારીને બોલવું જોઈશે. જેની પ્રતિભા કોઈ સ્થૂળ ઊંચાઈની મોહતાજ નથી તે સરદારને ‘હિંદુ રાષ્ટ્ર' એક પાગલ ખયાલ લાગતો હતો. એકતા દોડના આયોજકોની સામે દેશનું આવું કોઈ સમગ્ર ચિત્ર છે કે કેમ તે હજી આપણે જોવું જાણવું સમજવું રહે છે.

મુદ્દે, ઉજળિયાતમાંથી ઓબીસી સંક્રાન્તિ કે કેવળ દલિત ઉન્મેષ અગર તો ચૂંટણીની રાજનીતવિશ ‘મતબેંકવાદ' કે ‘સામાજિક ઈજનેરી' – આ કશાથી આપણી મૂળભૂત ભાવઠ ત્યાં સુધી ભાંગવાની નથી જ્યાં સુધી આપણા પક્ષો તમને અને મને નાગરિક તરીકે જોતા ન થાય, અને આપણે એમને એ ધોરણે ઠમઠોરતા ન થઈએ. કાશ, બિનજાટ, બિનમરાઠા નેતૃત્વનાં દૂખણાં લેતી એસ્પિરેશનલ મિડલ કલાસ ચિયરાંગનાઓ આ સમજી શકે !

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, Nov 01, 2014

Loading

1 November 2014 admin
← લોકશાહીનો પોકાર : હાઈસ્કૂલના છાત્રો સામે હાંફી રહેલું ચીની નેતૃત્વ
પડકાર →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved