Opinion Magazine
Number of visits: 9479517
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પંચશીલના છ દાયકા

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|30 June 2014

જવાહરલાલ નહેરુની દીર્ઘદૃષ્ટિના પરિપાક રૂપ ચીન સાથેના પંચશીલ કરારને કાલે એટલે કે ૨૮મી જૂન, ૨૦૧૪ના રોજ ૬૦ વર્ષ પૂર્ણ થયાં. આ ૬૦ વર્ષમાં બન્ને દેશોના સંબંધોમાં ખટમીઠા અનુભવો છતાં નહેરુના વિચારો અને વ્યવહાર આદર્શ ઠરે છે. ભારત-ચીને નહેરુ-નીતિ અપનાવવી જ રહી

મહાત્મા ગાંધીએ એક વાર કહેલું, "હું એ દિવસની આકાંક્ષા કરું છું જ્યારે એક આઝાદ ચીન અને એક આઝાદ ભારત એશિયાની ભલાઈ તેમ જ વિશ્વની ભલાઈ માટે સહયોગ અને મૈત્રી સાથે હળીમળીને કામ કરશે." ભારતને આઝાદી મળી અને બીજી તરફ ચીન પણ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનામાં ફેરવાયું ત્યાર બાદ ગાંધીજીના આશાવાદને સાચો ઠેરવવા માટે તેમના રાજકીય વારસ એવા ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ઘણી મથામણ કરેલી. નહેરુ એક સ્વપ્નશીલ અને આદર્શવાદી સ્ટેટ્સમેન (રાજપુરુષ) હતા. નહેરુએ વૈશ્વિક દૃષ્ટિના પરિપાક રૂપ ચીન સાથેના સંબંધોને સમૃદ્ધ બનાવવા માટે 'પંચશીલ' નીતિ વિકસાવી હતી, જેને ચીનના તત્કાલીન નેતૃત્વની સ્વીકૃતિ પણ મળી હતી.

૧૯૫૪માં ચીનના વડાપ્રધાન ચાઉ એન લાઇ ચાર દિવસીય ભારત પ્રવાસે આવ્યા હતા. યાત્રાના અંતે ૨૮ જૂન, ૧૯૫૪ના રોજ સંયુક્ત નિવેદનમાં ભારત અને ચીને પાંચ સિદ્ધાંતોનું (જે પંચશીલ તરીકે વિખ્યાત થયા) પાલન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પંચશીલ શબ્દ મૂળભૂત રીતે બૌદ્ધ ધર્મનો શબ્દ છે. ભારત અને ચીનને જોડતી એક મજબૂત કડી હોય તો એ ભગવાન બુદ્ધ અને બૌદ્ધ ધર્મ છે. બૌદ્ધ ધર્મમાં પાંચ સિદ્ધાંતો છે – હત્યા ન કરવી, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, અસત્ય ન બોલવું અને મદ્યપાન ન કરવું. આ પાંચ સિદ્ધાંતો પંચશીલ તરીકે જાણીતા છે. નહેરુએ આ પાંચ બૌદ્ધ સિદ્ધાંતોના આધારે જ બે દેશો વચ્ચે શાંતિ અને સહયોગ ટકાવી રાખવા માટે જરૂરી પાંચ સિદ્ધાંતો તારવ્યા હતા અને તેનું નામ પણ પંચશીલ આપ્યું હતું. નહેરુ અને ચાઉ એન લાઇ વચ્ચે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે થયેલા પંચશીલ કરારના એ પાંચ સિદ્ધાંતો જોઈએ ઃ

૧, એકબીજાની પ્રાદેશિક અખંડતા અને સાર્વભૌમત્વનું સન્માન કરવું.

૨, એકબીજા વિરુદ્ધ આક્રમક કાર્યવાહી ન કરવી. 

૩, એકબીજાની આંતરિક બાબતોમાં દખલ ન કરવી.

૪, સમાનતા અને પરસ્પર ભલાઈની નીતિનું પાલન કરવું અને

૫, શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની નીતિમાં વિશ્વાસ રાખવો.

વિશ્વશાંતિ માટે મથનારા નહેરુ માનતા હતા કે આ પાંચ સિદ્ધાંતો વિશ્વશાંતિ અને સહયોગની આધારશિલા બની શકે છે. બે બે વિશ્વયુદ્ધો જોઈ ચૂકેલા દુનિયાના દેશોને પંચશીલમાં આસ્થા બેઠી હતી. પંચશીલને કારણે વિશ્વ રાજકારણમાં એક નવા અધ્યાયનાં મંડાણ થયાં હતાં. દુનિયાના અનેક દેશોએ પંચશીલના પાંચ સિદ્ધાંતોને પોતાની વિદેશનીતિમાં અપનાવ્યા હતા.

ચીન સાથેના પંચશીલ કરાર પછી ભારતની વિદેશનીતિમાં પંચશીલ સિદ્ધાંતો જાણે અનિવાર્ય હિસ્સો બની ગયા હતા. સોવિયત રશિયા, યુગોસ્લાવિયા, પોલેન્ડ, લંકા, થાઈલેન્ડ, ફિલિપાઇન્સ, તુર્કી વગેરે દેશો સાથેના સંબંધોનો આધાર પંચશીલ સિદ્ધાંતો રહ્યા છે. અરે, લાલબહાદુર શાસ્ત્રીએ પાકિસ્તાન સાથે કરેલા તાશ્કંદ કરાર પણ પંચશીલના સિદ્ધાંતો પર જ આધારિત છે.

ભારત-ચીન પંચશીલના બંધને બંધાયા પછી 'હિંદી-ચીની ભાઈ ભાઈ'નો નારો ગુંજવા માંડયો હતો. જો કે, નર્યા આદર્શવાદ આધારિત દ્વિપક્ષીય કરાર કેટલા પોકળ પુરવાર થઈ શકે, એનું ભાન નહેરુ અને સમગ્ર દેશને ૧૯૬૨માં ચીન આપણી સામે યુદ્ધે ચડયું ત્યારે થયું હતું. ચીને ભારતનો વિશ્વાસઘાત કર્યો હતો. પંચશીલ મામલે નહેરુ પર આજ દિન સુધી માછલાં ધોવાતાં રહ્યાં છે, પ્રતિદલીલોમાં તથ્યાંશ હશે, છતાં ચીન સાથે આજે જે કંઈ સંબંધો છે, તેના પાયામાં નહેરુની પંચશીલ નીતિ જ રહેલી છે, તે વાસ્તવિકતા છે.

પંચશીલને ઘોળીને પી જનારું ચીન પોતે આજે પંચશીલના છ દાયકાની ઉજવણી કરી રહ્યું છે. આપણા ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીને એ ઉજવણી માટે ખાસ નિમંત્ર્યા છે, ત્યારે તેમાં શું નહેરુની નીતિનો વિજય નથી?

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : લેખકની ‘સમય સંકેત’ નામક સાપ્તાહિક કટાર, “સંદેશ”, June 29, 2014

Loading

30 June 2014 admin
← મેઝરિંગ મોદી
વૈષ્ણવ નથી થયો તું રે →

Search by

Opinion

  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન
  • જેન ગુડોલ; જેણે આપણને ચિમ્પાન્ઝીઓમાં માનવતાના ગુણ જોતાં શીખવ્યું
  • માણસ આજે (૩૨) 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના
  • શૂન્ય …

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved