Opinion Magazine
Number of visits: 9449547
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાંસદો અને સબસિડીઃ પગાર, ભ્રષ્ટાચાર, નિઃશુલ્કની નિરાંતનું પેચીદું અર્થતંત્ર

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 January 2021

તમે જાણો છો કે કયા રાષ્ટ્રના સાંસદોને સૌથી વધુ પગાર મળે છે?

દિલ્હીના સંસદ ભવનની કેન્ટિનમાં સાંસદોને મળતી સબસિડી બંધ કરી દેવાઇ છે અને સાંસદોએ મોંઘી થાળી જમવાની આવશે. પહેલાં તો નજીવી કિંમતે થાળી ભરીને જમણ મળતું પણ હવે એ સબસિડી બંધ કરીને ઇન્ડિયન ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે આઇ.ટી.ડી.સી. દ્વારા સંસદની કેન્ટિન મેનેજ કરશે. આ સબસિડીઝ કેન્સલ થવાથી લોકસભા સચિવાલયને વર્ષે આઠ કરોડની બચત થશે. આ પહેલાં પણ સાંસદોનાં ખાણાંએ ઘણાં વિવાદો નોતર્યા છે. ટીકાકારોએ સાંસદોને મળતી સસ્તાં ભાણાંની જ્યાફત અયોગ્ય હોવાનું ઘણી વાર કહ્યું છે, અને આ લાભનો બચાવ કરનારાઓએ એવી દલીલ કરી છે કે અહીંની કેન્ટિનમાં જે ખાવાનું મળતું હોય છે, તે સંસદભવનનો બીજો સ્ટાફ અને સિક્યુરિટી કર્મચારીઓ પણ જમતા હોય છે. ૨૦૧૯માં બધા સાંસદોએ આ સબસિડી બંધ કરવાના વિચારને ટેકો આપ્યો હતો.

આ સબસિડી કેન્સલ થઇ તે પહેલાં ઉત્તર રેલવે સંસદ ભવનની કેન્ટિનનું હેન્ડલિંગ કરતી અને એક અહેવાલ અનુસાર સંસદ ભવનના કેટરિંગથી અંદાજે ૧૫થી ૧૮ કરોડની રેવન્યુ મળતી હતી, અને આ ખર્ચો નાણામંત્રાલય દ્વારા, સંસદભવન વાયા ઉપાડવામાં આવતો. સંસદની કેન્ટિન સિવાય મંત્રીઓને ઘણી સબસિડીઝ મળતી હોય છે પણ કેન્ટિનનો મુદ્દો ૨૦૧૫માં કરાયેલી એક આર.ટી.આઇ. પછી સતત ચર્ચામાં રહ્યો હતો. આ આર.ટી.આઇ.ને કારણે સંસદભવનની કેન્ટિનમાં ૨૫ રૂપિયામાં મળતી ફિશ વિથ ફ્રાઇડ ચિપ્સ, ૧૮ રૂપિયાની મટન કટલેટ્સ, ૬ રૂપિયાનો મસાલા ઢોસો, વગેરે ‘આઇટમ્સ’ના ભાવ લોકોને ખબર પડી અને પછી ભારે હોબાળો થયો. કોઇને કોઇ રીતે આ મુદ્દાને ચર્ચામાં લાવવામાં આવ્યો. આ આર.ટી.આઇ.ને પગલે જાણવા મળ્યું કે ૧૧-૧૨ કરોડ જેટલા તો કેન્ટિન સાચવનારા સ્ટાફના પગારમાં જ જાય છે. સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે આવન-જાવનને કારણે કેન્ટિનમાં અંદાજે બે લાખ આઠ હજાર જેટલું વેચાણ થતું અને સંસદ બંધ હોય ત્યારે પણ આ વેચાણનો આંકડો આ રકમની આસપાસ જ રહેતો. વિવાદને પગલે ૨૦૧૬માં કેન્ટિનમાં ચીજોના ભાવ બદલવામાં આવ્યા અને અઢાર રૂપિયામાં મળતી ચિકન બિરિયાની ૬૫ રૂપિયામાં મળવા માંડી, વેજ થાળી ૧૮ રૂપિયાને બદલે ૪૦ રૂપિયામાં મળવા માંડી. સબસિડી કેન્સલ થયા પછીના ભાવ હજી જાહેર નથી થયા. સંસદની કેન્ટિનમાં અત્યારે લગભગ ૪૮ જેટલી આઇટમ્સ લંચ અને સાંજના નાસ્તા માટે મળે છે. નવા બદલાવને પગલે અમુક ચીજો કેન્ટિનમાં મળતી બંધ થઇ જવાની શક્યતાઓ પણ છે. સૂત્રો અનુસાર કેન્ટિનમાં સંસદોના ખાતે ૨૪ લાખનો ખર્ચો લખાય છે પણ બાકી કમાણી મુલાકાતીઓ અને અન્ય સ્ટાફ વગેરેને કારણે થતી હોય છે.

આ તો થઇ કેન્ટિનની વાત પણ એ સિવાય સાંસદો પર થતા સરકારી ખર્ચા પર નજર કરીએ તો ૨૦૧૬ના એક રિપોર્ટ અનુસાર સાંસદોને મહિને ૧ લાખનો પગાર મેળવનારા સાંસદોને ૪૫ હજાર કન્સ્ટિટ્યુઅન્સી અલાઉન્સ તરીકે મળે છે, ૧૫ હજાર ઑફિસના ખર્ચા તરીકે અને ૩૦ હજાર સેક્રેટરિયલ આસિસ્ટન્ટનો ખર્ચો મળે છે. સંસદનું સત્ર ચાલે ત્યારે સાંસદોને ૨૦૦૦ રૂપિયા રોજના ખિસ્સા ખર્ચ તરીકે મળે અને આખા વર્ષ દરમિયાન થતી કામને લગતી મુસાફરીમાં ૩૪ ફ્લાઇટ ટ્રિપ્સ મફત મળે તથા અમર્યાદિત રેલ – રોડ ટ્રાવેલ મફત મળે. આ ઉપરાંત રહેઠાણ, પાણી, વીજળી, ટેલિફોન અને મેડિકલ ટ્રિટમેન્ટની સવલતો સાંસદોને સાવ નિઃશુલ્ક મળે છે. આ બધા ખર્ચા લોકસભાના માસિક બિલમાં દેખાડાવા સુદ્ધાં નથી. ભૂતકાળમાં વર્ષે એક કરોડનો ખર્ચ દેખાડનારા સંસદો પણ પાક્યા છે. સાંસદોની ઑફિસીઝમાં કામે રખાતા રિસર્ચ સ્ટાફનો પગાર પણ આ બધા ખર્ચાનો હિસ્સો હોય છે. અન્ય સબસિડીની વાત કરીએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીયોને ગેસ સબસિડી જતી કરવા અરજ કરી હતી, જેથી વંચિતોને માટે સવલતો ખડી કરી શકાય, પણ નાગરિકોએ જતું કરવું પડે તે કરતાં તો આ સાંસદોને જતું કરવા કહેવાય એ વધુ યોગ્ય છે.

આ તો ભારતની વાત થઇ પણ વિશ્વના બીજા રાષ્ટ્રોની વાત કરીએ તો ચીનના વડા પ્રધાનને એક સમયે ૬૨ ટકા પગાર વધારો મળ્યો હતો અને તે વર્ષે ૨૨ હજાર ડૉલર્સ કમાતા હતા તો હંગેરિયન રાજકારણીઓ વર્ષે ૨૮,૦૦૦ ડૉલર્સ કમાય છે જે દેશના સરેરાશ વાર્ષિક પગારથી વધારે મોટો આંકડો છે. યુનાઇટેડ કિંગ્ડમમાં સાંસદોનો મૂળ વગાર ૧,૦૨,૩૬૪ ડૉલર્સ હોય છે અને ૨૦૧૯ પછી આ આંકડામાં અંદાજે બીજા ૨,૬૦૦ ડૉલર્સ ઉમેરાયા હોવાની વાત છે. અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ૪,૦૦,૦૦૦ ડૉલર્સનો તેમનો પગાર ડોનેટ કર્યો હોવાની વાતથી બધા વાકેફ છે, જો કે ત્યાં કોંગ્રેસ મેમ્બર્સેને વર્ષે પ્રેસિડન્ટ કરતાં ઓછો પગાર મળે છે અને તે અંદાજે ૧,૭૪,૦૦૦ ડૉલર્સની વચ્ચે હોય છે. ૨૦૧૦ બાદ અમેરિકી કોંગ્રેસના સભ્યોએ પગાર વધારો નકાર્યો હતો અને ત્યારથી છેલ્લા દસ વર્ષમાં તેમના ભથ્થામાં કોઇ વધારો નથી થયો.

જાપાનમાં સાંસદો લગભગ ૨,૭૪,૦૦૦ ડૉલર્સ જેટલું કમાતા હોય છે અને તેમની દરેક હિલચાલ-ખર્ચા અને કામગીરા પર ચાંપતી નજર રખાય છે. જાપાનમાં સાંસદોને તેઓ જે નાગરિકોનું પ્રતિનિધિત્વ કરે છે તેમની સરેરાશ વાર્ષિક આવક કરતાં છ ગણો વધારે પગાર મળે છે. તમે માનશો વિશ્વમાં કયા દેશમાં સાંસદોને સૌથી વધુ પગાર મળે છે? આનો જવાબ છે સિંગાપોર. સિંગાપોરમાં સાંસદોને વર્ષે ૮,૮૮,૪૨૮ ડૉલર્સ મળે છે અને રાજકારણીઓને મળતો આ અધધધ પગાર હંમેશાંથી ચર્ચા, ટીકા અને વિરોધનો વિષય રહ્યો છે, છતાં પણ સિંગાપોરની સરકારે એક બાબત સ્પષ્ટ રાખી છે કે અત્યંત કાબેલ રાજકારણીઓ સરકાર ચલાવે તે જરૂરી છે અને માટે જ શ્રેષ્ઠ રાજકારણીઓને ધૂરા સંભાળવા આપવાની હોય ત્યારે પગારને મામલે તેઓ કોઇ બાંધછોડ કરવા નથી માગતા હોતા. સિંગાપોર પછી નાઇજિરિયાના રાજકારણીઓનો નંબર આવે છે કારણ કે તેઓ વર્ષે ૪,૮૦,૦૦૦ ડૉલર્સ જેટલું રળે છે અને મજાની વાત એ છે કે તેમને મહિને પગાર તો ૨,૦૦૦ ડૉલર્સનો જ મળતો હોય છે પણ સાથે ખર્ચા પેટે ૩૫,૭૦૦ ડૉલર્સ જેટલી રકમ મળતી હોય છે. નાઇજિરિયામાં આમ આદમી પ્રતિ દિન ૨ ડૉલરના ખર્ચે પોતાનું ગુજરાન ચલાવતો હોય છે. ઑસ્ટ્રેલિયાના રાજકારણીઓને પણ તગડો પગાર મળે છે અને તેઓ વર્ષે અંદાજે ૨,૦૦,૦૦૦ ડૉલર્સ  કમાય છે વળી ૨૦૧૬થી દર વર્ષે તેમને બે ટકા પગાર વધારો મળ્યો છે છતાં ય ત્યાંના રાજકારણીઓએ આ મોટી રકમને બહુ મોટી ન માનવી તેવો અનુરોધ પણ કર્યો છે. ભારતની સરખામણી અન્ય દેશો સાથે કરીએ તો વિશ્વમાં સૌથી ઓછું ભથ્થું મેળવનારા રાજકારણીઓમાં આપણા સાંસદોની ગણતરી થાય. જો કે બીજા રાષ્ટ્રોની સરખામણીએ ભારતીય નાણાંનું મૂલ્ય ઘણું નીચે છે, પણ છતાં ય સાંસદોને મળેલો પગાર વધારો ભારતીય કોર્પોરેટ્સમાં થતા પગાર વધારા કરતાં ઘણો વધારે ગણાય એ પણ એક હકીકત છે.

બાય ધી વેઃ

આપણા સાંસદો માટે કોસ્ટ ઑફ લિવિંગ મેનેજ કરવી પણ સરળ છે કારણ કે તેમને અઢળક લાભ પણ મળતા રહે છે.  રખે માનતા કે જ દેશોમાં રાજકારણીઓને અધધધ પગાર મળે છે ત્યાં ભ્રષ્ટાચાર નહીં હોય. ત્યાં પણ ભ્રષ્ટ રાજકારણીઓ છે કારણ કે આપણને ગમે કે ન ગમે કાગડા બધે જ કાળા રહેવાના. વળી ભ્રષ્ટાચારને નામે ભારત, આ રાજકારણીઓને તગડો પગાર આપનારા રાષ્ટ્રો કરતાં ઘણો આગળ છે એ પણ કબૂલવું રહ્યું. કેન્ટિનની સબસિડી ઉપરાંત સાંસદોની બીજી કઇ સબસિડીઝ બંધ કરવી જોઇએ? તમને શું લાગે છે? બાકી સિંગાપોરના રાજકારણીઓ જેવો પગાર જોઇતો હોય તો એક બે શહેરને નહીં આખા દેશને સિંગાપોર બનાવવાની ક્ષમતા અને ધગશ બન્ને ગુણ સાંસદોમાં હોવા જરૂરી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  24 જાન્યુઆરી 2021 

Loading

24 January 2021 admin
← ચલ મન મુંબઈ નગરી—80
પ્રજાસત્તાકમાં પ્રજાને સટ્ટાક? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved