ભલો છું
બૂરો છું
મન બુદ્ધિ દિમાગી આકારે, પ્રકારે, પ્રકાશે, અંધારે!
પણ
ગગનલહેરી દિલની ભોંયભીતર સચ્ચાઇની
વધુમાં વધુ કરીબ રહેવાનો જન્મજાત નિર્ધાર છે –
– પાળું પણ છું જ.
– જૂઠ,
– વચનભંગ,
– દંભ,
– બેઈમાની,
– મક્કારીઓ …..
તેજમતેજ ગતિએ દોડતી રહેતી
વારસાઇ લોહીની ટ્રેન સાથે અથડાઈ, ઘસાઈ ને
વિરોધી દિશાઓના પવનોની જેમ સૂસવાટાભેર
ફેંકાઈ જઇ
દૂર … સુદૂર …
ક્ષિતિજોએ ડૂબી ઓઝલ થઇ જતાં રહે છે! …
ભલો છું – આ વાતે;
બૂરો છું  – આ ચૂક્યે!
 







 ગુજરાતમાં હવે બાળકોએ જન્મવાનું બંધ કરી દીધું લાગે છે અથવા તો તે હવે સીધાં હાઇસ્કૂલમાં જવાની ઉંમરે જ જન્મે તો નવાઈ નહીં ! થોડાં વર્ષો પછી સીધા કોલેજિયન્સ જ જન્મે તો હાઇ સ્કૂલ સુધીનું શિક્ષણ આપવાનું મટે ને વાલી તથા સરકારને પણ શિક્ષણના ખર્ચા બચે એમ બને. વાલી તો બિચારો ઉધાર-ઉછીનું કરીને પણ બાળકોને શિક્ષણ આપવા મથે કદાચ, પણ બાળકોને ભણાવવાનું હવે સરકારને પરવડતું નથી. આમ સરકાર ભલે ખોટમાં ચાલતી હોય કે લોકોને ખોટમાં નાખતી હોય, તો પણ તેને પ્રાથમિક શિક્ષણ મોંઘું પડતું હોય એમ લાગે છે. તેને જેમ બધું વેચવા કે બંધ કરવાની ટેવ પડી છે તેમ પ્રાથમિક સ્કૂલોને પણ તે દાવ પર લગાવે એમ બને. આજે જ વડોદરા – દહીસરનો હાઇવે વેચીને 20 હજાર કરોડ સરકાર ઊભા કરવા માંગે છે એવા સમાચાર છે. એમ જ એલ.આઇ.સી.નો પણ અમુક ભાગ સરકાર વેચવાની છે એવી વાત છે. આ બધાંમાં લોકો તો તમાશો જુએ કે વીડિયો ઉતારે એમ બને. લોકો આથી વધુ કૈં કરી શકે એમ જ નથી. આઝાદી પછી સૌથી વધુ નિર્માલ્ય અને મતલબી પ્રજા કદાચ આ સમયમાં મળી છે. એ ખૂન થાય તો ય જુએ છે ને ધૂન વાગે તો ય જુએ છે.
ગુજરાતમાં હવે બાળકોએ જન્મવાનું બંધ કરી દીધું લાગે છે અથવા તો તે હવે સીધાં હાઇસ્કૂલમાં જવાની ઉંમરે જ જન્મે તો નવાઈ નહીં ! થોડાં વર્ષો પછી સીધા કોલેજિયન્સ જ જન્મે તો હાઇ સ્કૂલ સુધીનું શિક્ષણ આપવાનું મટે ને વાલી તથા સરકારને પણ શિક્ષણના ખર્ચા બચે એમ બને. વાલી તો બિચારો ઉધાર-ઉછીનું કરીને પણ બાળકોને શિક્ષણ આપવા મથે કદાચ, પણ બાળકોને ભણાવવાનું હવે સરકારને પરવડતું નથી. આમ સરકાર ભલે ખોટમાં ચાલતી હોય કે લોકોને ખોટમાં નાખતી હોય, તો પણ તેને પ્રાથમિક શિક્ષણ મોંઘું પડતું હોય એમ લાગે છે. તેને જેમ બધું વેચવા કે બંધ કરવાની ટેવ પડી છે તેમ પ્રાથમિક સ્કૂલોને પણ તે દાવ પર લગાવે એમ બને. આજે જ વડોદરા – દહીસરનો હાઇવે વેચીને 20 હજાર કરોડ સરકાર ઊભા કરવા માંગે છે એવા સમાચાર છે. એમ જ એલ.આઇ.સી.નો પણ અમુક ભાગ સરકાર વેચવાની છે એવી વાત છે. આ બધાંમાં લોકો તો તમાશો જુએ કે વીડિયો ઉતારે એમ બને. લોકો આથી વધુ કૈં કરી શકે એમ જ નથી. આઝાદી પછી સૌથી વધુ નિર્માલ્ય અને મતલબી પ્રજા કદાચ આ સમયમાં મળી છે. એ ખૂન થાય તો ય જુએ છે ને ધૂન વાગે તો ય જુએ છે.