તું ય જન્મોથી ખલાસી છે,
વ્હાણ તારું ચિર પ્રવાસી છે.
નાંખ વેળા પર ઉલાળીને,
શી ખુશી ને શી ઉદાસી છે.
ભોંયમાં ઊગી ગયા ભાલા,
પગ તળે ચાંપી કપાસી છે.
હોય પૂનમનો દહાડો પણ,
કેટલી સૂની અગાસી છે.
મૂળિયાં બટકી ગયાં એની,
પાંદડે પીડા તરાશી છે.
e.mail : daveparesh1959@gmail.com
![]()


ગાંધીજીએ કહ્યું છે કે ઘણા લોકોને ડાબે-જમણે જોઇને, કોઈ જોતું-સાંભળતું તો નથી ને તેની ખાતરી કરીને ધીમે અવાજે કાનમાં વાત કરવાની આદત હોય છે. ગાંધીજીએ આવી આદતને કાયરતા તરીકે ઓળખાવી છે. તમે જે કહેવા માંગતા હોય એમાં તમને ટકોરાબંધ સત્ય નજરે પડતું હોય અને કોઈનું અહિત કરવાનો ઈરાદો ન હોય અથવા કોઈના હિત માટે કહેવું જરૂરી હોય તો એ કથન ખોંખારો ખાઈને દુનિયા સાંભળે એ રીતે કહેવું જોઈએ. આમાં તમારી સભ્યતા, સંસ્કારીપણું અને મર્દાનગી એ ત્રણેય જળવાય છે.
આનો અર્થ એ થયો કે જે લોકો ગાંધીજીના વિચાર સાથે અને તેમના માર્ગ સાથે સંમત નહોતા તેઓ પોતાનો માર્ગ અપનાવી શકતા હતા. વળી ગાંધીજી કોઈને તેમનાથી વિરુદ્ધ માર્ગ અપનાવતા રોકે પણ કઈ રીતે? કયો એવો તેમની પાસે અધિકાર હતો? અને કોઈ તેમના એવા અવ્યવહારુ અધિકારને સ્વીકારે પણ શા માટે? પરમ પૂજ્ય મહાત્મા તેમના અનુયાયીઓ માટે. એ સમયે થોડા ઘણા નહીં મોટી સંખ્યામાં એવા નેતાઓ અને રાજકીય પક્ષો હતા જેઓ ગાંધીજીને નહોતા મહાત્મા તરીકે સ્વીકારતા કે નહોતા પૂજ્ય તરીકે. તેમના અહિંસાના આગ્રહનો વિરોધ કરનારાઓ પણ મોટી સંખ્યામાં હતા. સામ્યવાદીઓ ગાંધીજીની અહિંસાનો વિરોધ કરતા હતા અને તેમણે નોખો માર્ગ અપનાવ્યો હતો. ભગત સિંહ અને બીજા ક્રાંતિકારીઓ અહિંસાનો વિરોધ કરતા હતા અને નોખો માર્ગ અપનાવ્યો હતો. સુભાષ બોઝ એક સમયે ગાંધીજીના અનુયાયી હતા, પરંતુ પાછળથી તેમણે પણ અહિંસાના આગ્રહનો વિરોધ કર્યો હતો અને નોખો માર્ગ અપનાવ્યો હતો. કેટલાક મુસલમાનોએ ખિલાફતની ચળવળ વખતે ગાંધીજીની અહિંસાનો વિરોધ કર્યો હતો અને નોખો માર્ગ અપનાવ્યો હતો.