નારીવાદ તૃણમૂળ કાર્ય છે, વિચાર છે, ઝનૂન છે
એ અમારી પૂર્વજ માતામહીઓની ભેટ છે
નારીવાદ સમાનતા અને અધિકાર છે
એ આઝાદી અને અસ્મિતાનો પોકાર છે
એ પિતૃસત્તા સામે જોશીલો લલકાર છે
એ સદીઓથી પરંપરાગત ચાલી આવેલો હાહાકાર છે
નારીવાદ જીવનશૈલી છે
બરાબરી, ઈન્સાફ, આઝાદી મેળવીને પ્રસરાવવાં માટેની રીત છે
નારીવાદીઓ સાથે મળીને વિચારવિમર્શ કરવો
ચાલવું, જીવવું એ જ તો મારા નારીવાદ છે
હું નારીવાદી ઉદ્ગાર, વાચા અને અવાજ છું
અને નારીવાદ મારો ઉદ્ગાર, વાચા અને અવાજ છે
એ મારી તરફડતી સ્થિતિનો રખેવાળ છે
નારીવાદ મારી જિંદગીનો સાજ છે
એ મારી ઓળખ અને મારાં સ્ત્રીત્વમાં ઝળહળતું અગ્નિતત્ત્વ છે.
ક્યારેક નારીવાદ હોય છે ખેડૂતો અને શ્રમજીવીઓના પ્રસ્વેદમાં
તો ક્યારેક કવિ-કલાકારોનાં સીનામાં …
એના તો કંઈકેટલાં પ્રકાર ને રૂપસ્વરૂપ છે
દર ચોરેચૌટે ને નારીવાદની ગુંજ ને દરકાર છે
જ્યાં જ્યાં પિતૃસત્તા છે ત્યાં ત્યાં નારીવાદ હોવા જ જોઈએ
પછી તે ઘરપરિવાર હોય, બજાર હોય,
શાળામહાશાળા કે કચેરીઓ કેમ ન હોય!
મંદિર,મસ્જિદ,દેવળ કે ગુરુદ્વારા
અત્રતત્રસર્વત્ર બઘે જ એની જરૂર છે
એ તો કરે છે જડબેસલાક સવાલ
પહેલાં તો એ મને જ કઠેરામાં ઊભી રાખીને કરે છે ઊલટતપાસ
પછી કુટુંબ હોય કે સમાજ, ધર્મ હોય કે સંપ્રદાય કોઈને છોડે નહીં
એ દરેકની રગરગ જાણે છે
મારા નારીવાદ તો લટકમટક મચકાય પણ છે અને બદલાય પણ છે
જિંદગીને પગલે પગલે સાથે ને સાથે ચાલતા રહે છે
ક્યારેક એમાં ઊભરાય તો ક્યારેક એ શાંત પણ પડી જાય છે
અમને તો એ ગમે છે પણ ઘણાંને એ ખૂંચે છે
ક્યારેક એ સીધીસાદી વાત છે તો ક્યારેક જાણે ટોણો
ક્યારેક યાત્રા તો ક્યારેક અચલ ને અડગ
હા,નારીવાદ લડાઈ છે તો પ્રેમ પણ છે
ક્યારેક શીતળ તો ક્યારેક તેજતર્રાર
ક્યારેક શાંત સમુદ્ર તો ક્યારેક જુવાળ
ક્યારેક નર છે પણ મોટાભાગે છે નાર
નારીવાદી વાતો કોઈ નવી તો કોઈ છે પુરાણી
ક્યારેક હોય છે વાસ્તવ તો ક્યારેક કલ્પના
ક્યારેક શાશ્વત તો ક્યારેક આવનજાવન તો ક્યારેક ફાની
એમાં લાભ અને ગેરલાભ બન્ને છે
એમાં મોજમસ્તીની સાથે નાની યાદ કરાવી દે એવો તરખાટે છે
ક્યારેક એ રાબિયા તો એ હોય છે કદીક મીરા
એ સાવિત્રી અને ફાતિમા હમશીરારૂપે પણ હોય
બૌદ્ધ ભિખ્ખુણીયે હોય તો વળી મેરી વર્ડ નન પણ હોય
શિક્ષિકા, વૈજ્ઞાનિક, દાર્શનિક કે મારાં-તમારાં જેવી સ્ત્રીઓ પણ હોય.
કોણ જાણે કેટલા નારીવાદોની ઝપટમાં હું આવી જાઉં છું
જો કે પડું છું ત્યારે એ જ મને ઉઠાડે છે
નિસ્વાર્થ પ્રેમથી મને સંભાળે છે, પંપાળે છે
સમજાવી પટાવીને મને આગળ લઈ જાઈ છે
વાતઘડિયો (વાતગડિયો) બનીને નારીવાદ સંબંધો બાંધવામાં સહાય કરે છે
એક સરખા વિચારવાળા લોકો મેળવી આપે છે
એમને દોસ્ત કે હમસફર બનાવે છે
નારીવાદી સંગઠનો આમ વિસ્તરે છે
જે ખાસમખાસ બહેનપણીઓ કે દોસ્તો આપણને મળ્યાં છે
એ નારીવાદના દરવાજેથી જ પ્રવેશ્યાં છે
હવે જેવા છે તેવા નારીવાદ મારા છે
હવે તો રાતદિન બધું એને નામે છે
હવે તો જીવનપર્યંત એના સંગ જ જીવીશું
તમે મને એની સાથે ને સાથે જ જોશો
મારો નારીવાદ મારી શક્તિ અને ભક્તિ છે
એ જ મારું ઝનૂન અને તાકાત છે
ક્યારેક એ મારી વિરુદ્ધ તો ક્યારેક મારી સાથે સહમત હોય છે
પણ એને કારણે જ મને હિંમત મળે છે
નારીવાદ વિચાર છે અને આચાર પણ
દરેક મુદ્દાનું એ ગહન પ્રતિબિંબ છે
એ સ્વ અને સમસ્ત પણ છે
એ સ્થાનિકથી વૈશ્વિક છે
શરૂઆતથી જ મારા નારીવાદ આંતરવિભાગીય છે
નારીવાદ મંઝિલ અને માર્ગ છે
દરેક માણસ અને દરેક વાત સાથે એનો સંબંધ છે
ક્યારેક નારીવાદ હાર અને ક્યારેક જીત હોય છે
તો ક્યારેક એ આંસુ અને નાભિનાદની ગુંજ હોય છે
ક્યારેક એ નિર્ભય તો ક્યારેક ભયભીત હોય છે
એ મારી આસ્થા,મારી સમતા અને મારી રીત છે
ક્યારેક મૌન તો ક્યારેક જોશીલું ગીત છે નારીવાદ
ક્યારેક એ સમજાય છે તો ક્યારેક કઠિન સવાલોથી સતાવે પણ છે
ક્યારેક એ અંદાજ તોફાની તો ક્યારેક તદ્દન શાંત થઈ જવાનો છે
કદી એ બુલંદ નારાબાજી તો કદી એ ફક્ત બહાનું છે.
તો આ છે મારા નારીવાદ ………
—
“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001 Gujarat, India.