૨૧મી સદીના ભારતમાં આજે પણ ૪ કરોડ ૫૮ લાખ બાળકીઓ જન્મતાં જ ‘ગાયબ’ થાય છે
સ્ત્રીની સ્વતંત્રતા વિષે વાત કરવી અને તેને એ સ્વતંત્રતા જીવવા દેવી એમાં આસમાન જમીનનો ફેર છે, અર્થતંત્રની ઊંચાઇઓ સ્ત્રી-પુરુષની અસમાનતા રહેશે ત્યાં સુધી સર નહીં જ થઇ શકે
યુનાઇટેડ નેશન્સ પૉપ્યુલેશન ફંડનો ‘સ્ટેટ ઑફ વર્લ્ડ પૉપ્યુલેશન રિપોર્ટ 2020’ જાહેર થયો છે. આપણે હાલમાં વૈશ્વિક સ્તરે રોગચાળાનો સામનો કરી રહ્યા છીએ અને એક વર્ષ આમાં જ વેડફાઇ જશે એવો વસવસો એક યા બીજી રીતે આપણને થયા જ કરે છે. પરંતુ જે બાબતોએ સદીઓથી કોઇ વાઇરસની માફક આપણી સમાજ વ્યવસ્થાને નબળી બનાવી છે તેનું સંક્રમણ કોણ જાણે ક્યારે જશે? આ સવાલ કરવાનું કારણ એ કે યુનાઇટેડ નેશન્સના આ વસ્તીના રિપોર્ટમાં જે મુદ્દો રજૂ થયો છે તેમાં વાત છે અર્થતંત્રમાં ભાગીદારી કરવા અંગેની જેન્ડર ગૅપ – સ્ત્રી અને પુરુષની ભાગીદારીનાં રેશિયોમાં જે તફાવત છે – તે પૂરી કરવાનો પ્રયાસ. કમનસીબે આ વૈશ્વિક સ્તરે આ જેન્ડર ગૅપ પૂરી કરવામાં, સ્ત્રી પુરુષને મળતા લાભ, તકો અને અધિકારોમાં સમાનતા લાવવામાં હજી બીજા ૨૫૭ વર્ષ જશે. તમે તમારી જાતને ગમે તેટલી આધુનિક માનતા હોય પણ આ એક કડવું સત્ય છે, જે ગળી નથી જવાનું પણ તેને બદલવા માટે જહેમત કરવાની છે, લડત આપવાની છે.

આખી દુનિયામાં સ્ત્રીઓ સાથે થતા વહેવારમાં આજના કહેવાતા ‘મોડર્ન’ વર્લ્ડમાં પણ જેટલો ફેર પડવો જોઇએ એટલો નથી જ પડ્યો. વૈશ્વિક સ્તરે ‘મિસિંગ વુમન’ આંકડો ૧૪.૨ કરોડ છે. ભારતની વાત કરીએ તો ૨૦૧૩થી ૨૦૧૭, એમ ત્રણ વર્ષમાં યુ.એન.નાં રિપોર્ટ અનુસાર ૪.૬ લાખ છોકરીઓ જન્મ સમયે જ ‘ગાયબ’ થઇ હતી. એક એવો દેશ જે વૈશ્વિક સ્તરે આગેવાન બનવા થનગની રહ્યો છે, ત્યાં આટલી મોટી સંખ્યામાં છોકરીઓ ‘ગાયબ’ થઇ જતી હોય તો એનું કંઇ ભલું થઇ શકે ખરું?
ભૃણ હત્યાની વાત સમાજના એક વર્ગને કદાચ પછાત લાગી શકે પણ એ આપણા દેશનું બેહૂદું સત્ય છે. આજે પણ ‘સ્ત્રી ભૃણ હત્યા’ વિકાસ અને પ્રગતિની વાત કરતા ભારતની સચ્ચાઇ છે. દરેક હજાર પુરુષે કેટલી સ્ત્રીઓ જન્મે છે તેને આધારે સેક્સ રેશિયો નિયત કરાતો હોય છે. ભારતમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, દિલ્હી, પંજાબ અને બિહાર જેવા રાજ્યોમાં દર હજાર પુરુષ બાળક જન્મે એટલે કે છોકરા જન્મે તેની સામે જન્મતી બાળકીઓની સંખ્યા ૯૦૦થી પણ ઓછી હતી. ભારતમાં સ્ત્રીઓ સામેની બદીઓમાં બાળ લગ્ન સાવ સામાન્ય છે, દર ચાર છોકરીઓમાંથી એકનાં બાળ લગ્ન થયેલા હોય છે. વૈશ્વિક સ્તરે અંદાજે પાંચમાંથી એક છોકરીને બાળ લગ્નની બદીમાં ધકેલી દેવાય છે.
યુ.એન.ડી.પી. ૨૦૨૦ના રિપોર્ટ અનુસાર જેન્ડર ઇક્વૉલીટી ઇન્ડેક્સમાં જે ૧૮૯ દેશ છે તેમાં ભારતનો નંબર ૧૨૨ છે. સ્વિટ્ઝરલેન્ડ આ મામલે શ્રેષ્ઠ છે.
દરેક સરકાર સ્ત્રીઓનાં ઉત્થાન માટે યોજનાઓ જાહેર કરે છે પણ આપણી સંસદની જ વાત કરીએ તો સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ માત્ર ૧૧.૭ ટકા છે અને એ પણ મહિલાઓ માટે અનામત બેઠકની આટલી બધી હોહા અને અમલીકરણ પછી.
સો કરતાં વધુ દેશ સ્ત્રીઓને કાયદાકીય રીતે અમુક પ્રકારનાં કામ કરવાની મંજૂરી નથી આપતા તેવું તારણ વર્લ્ડ બેંક ૨૦૧૮ના ડેટા પરથી નીકળ્યું હતું. ટેક્નોલોજીકલી વિકાસ થતો હોય તો પણ તેના કારણે સ્ત્રીઓ સાથે થતા અત્યાચાર અને સતામણીનું પ્રમાણ પણ વધ્યું છે. આપણે એક રાષ્ટ્ર તરીકે વિકસવું હશે તો આપણે સમજવું પડશે કે જેન્ડર ઇક્વૉલિટીને લીધે થતી ખોટ પૂરાશે તો જ આપણે માનવીય વિકાસની અસમાનતાનું સ્તર સરખું કરી શકીશું.
આપણે ત્યાં શહેર અને ગ્રામીણ વિસ્તારો વચ્ચેના તફાવતને પગલે સ્ત્રીઓને વેઠવી પડતી તકલીફો પણ અલગ છે. બાળ લગ્ન, દહેજ, વિધવાઓ સાથે થતા ભેદભાવ, કામને લગતી સમસ્યાઓ, શિક્ષણ અને સ્વાસ્થ્યની સવલતો એક તરફી છે તો શહેરોમાં કોર્પોરેટ્સમાં ખેલાતા પૉલીટિક્સ બહુ મોટો ભાગ ભજવે છે. જો કે ચારિત્ર હનન, માનસિક અને શારીરિક બળાત્કાર, ઘરેલુ હિંસા, અનેક રીતે થતી જાતીય સતામણી આ બધું ગામડું હોય કે શહેર બધે થતું જ હોય છે.
પણ શું આપણે એમ માનવું કે બધું મધ્ય યુગમાં હતું તેવું ‘ડાર્ક’ છે તો ના એવું તો નથી જ. સંજોગો બદલાઇ રહ્યા છે, સ્ત્રીઓને પણ પોતાના હકની સમજ પડે છે, સ્ત્રીઓ રાજકીય, આર્થિક અને સામાજિક સ્તરે પોતાની પ્રાથમિક જરૂરિયાતો માટે લડતા, તેને મેળવતા શીખી છે. પિતૃસત્તાક માનસિકતાને કારણે ભારતે ૪૬ મિલિયન બાળકીઓ ગુમાવી છે. તમે કલ્પના કરી શકો છો કે એ ન થયું હોય તો કેટલી કલાકાર, લેખક, આર્કિટેક્સ્ટ્સ, શેફ, વૈજ્ઞાનિક, ડૉક્ટર્સ, શિક્ષક, એન્જિનિયર, પાઇલટ કે પછી કોઇ એક કુટુંબને સારામાં સારી રીતે સંભાળના સ્ત્રી આપણા સમાજને મળી શકી હોત! વિશ્વમાં જેટલી બાળકીઓ ‘મિસિંગ’ છે તેનો એક તૃતિયાંશ હિસ્સાનો બોજ ભારતને માથે છે. એટલી જ ઇચ્છા કે દુનિયા બદલાય તેના પગલે આપણે બદલાઇએ એ કરતાં આપણે બદલાઇએ અને દુનિયા માટે દ્રષ્ટાંત સાબિત કરીએ તો કંઇ વાત બને. બાકી પરિવર્તન, વિકાસ, પ્રગતિ, વૈશ્વિક સત્તા આ બધાં ઠાલા શબ્દોથી વધારે કંઇ જ નથી અને નહીં હોય.
બાય ધી વેઃ
સ્ત્રીની સ્વતંત્રતા વિષે વાત કરવી અને તેને એ સ્વતંત્રતા જીવવા દેવી એમાં આસમાન જમીનનો ફેર છે. આજે પણ બાળકીઓ જન્મે તે પહેલાં તેમને મારી નખાય છે, આજે પણ રોગચાળામાં લૉકડાઉન થાય તો ઘરેલુ હિંસાના કેસિઝ વધી જાય છે, આજે પણ ‘સ્ટે હોમ, સ્ટે સેફ’નાં ગાણાં વચ્ચે મહિલાઓ પોતાના જ ઘરમાં સલામત નથી. કોરોના વાઇરસની સારવાર લેતી સ્ત્રી પર બળાત્કાર થઇ જ જાય છે, પછી ભલેને અરુણા શાનબાગની વાર્તાએ આપણી આંખોમાં આંસુ લાવી દીધા હોય. આ કહેવાતા ‘વિકાસ’ તરફ દોડી રહેલા આપણા દેશનું સત્ય છે. આપણે પહેલાં તો આ વાસ્તવિકતા બદલવી પડશે પછી જ વિકાસની વાસ્તવિકતાની સહેજ પણ નજીક પહોંચી શકીએ એટલા સક્ષમ થઇ શકીશું, બાકી બધું ફીફા ખાંડવા જેવું જ છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 જુલાઈ 2020
![]()


સુભાષબાબુની અપીલને પાંચ ડોકટરોએ પ્રતિસાદ આપ્યો હતો. એક હતા અલ્હાબાદના ડૉ. એમ. અટલ, બીજા નાગપુરના ડૉ. ચોલકર, બે ડોકટરો કલકત્તાના હતા : ડૉ. બી.કે. બસુ અને ડૉ. દેબેશ મુખર્જી અને એક ડોક્ટર સોલાપુરના ડૉ. દ્વારકાનાથ કોટનીસ. આ પાંચ ડોકટરોને ચીન મોકલવા માટે જાહેર ફાળો ઉઘરાવવામાં આવ્યો હતો, જેમાં બાવીસ હજાર રૂપિયા જમા થયા હતા. આ પાંચ ડોક્ટરોએ ચીનમાં ખૂબ સેવા આપી હતી, જેમાં ડૉ. કોટનીસનો ચીન માટેનો પ્રેમ અનોખો હતો. થાક્યા વિના કલાકો સુધી તબીબી સેવા આપતા હતા. તેમણે ચીની ભાષા શીખી લીધી હતી અને ચીની મહિલા સાથે લગ્ન પણ કર્યાં હતા. ૧૯૪૨માં તેમને ઘરે દીકરો જન્મ્યો અને બીજા જ મહિને ડૉ. કોટનીસ વાઈની બીમારીમાં ગુજરી ગયા. યોગાનુયોગ એવો હતો કે જે મોરચે ડૉ. કોટનીસ સેવા આપતા હતા એ મોરચે સામ્યવાદી ચીનના સ્થાપક ચેરમેન માઓ ઝેદોંગ પણ હતા અને તેમણે ડૉ. કોટનીસનું ઋણ યાદ રાખ્યું હતું.
During the course of agitation ‘Black lives matter’ some protestors defaced the statue of Mahatma Gandhi in US. Mahatma Gandhi, the Father of Indian Nation, has the unique distinction of leading the biggest ever mass movement in the World and leading the strong anti colonial movement. In this direction he contributed two major tools as the basis of the mass movements, the one of non violence and other of Satyagrah. He also stated that while making the policies what one should keep in mind is the last, weakest person in the society. His life, which he called as his message became the inspiration of many anti colonial, anti racial struggles in different parts of the World. He strongly supported the concept of equality in India, where eradication of caste also became one of the aims of his life.