એક જ પથના હતા મુસાફર,
તમે ગયા ડાબા-જમણા;
સીધી રસ્તે અમે લૂંટાણા,
તમે પ્રધાન બન્યા હમણાં.
નવી સદીનું નવતર દેખો,
રાવણ-શા પૂજનીય બન્યા;
ગારા-માટીનાં પૂતળાં પણ
જનગણમનને માન્ય થયાં!
ઝાઝાં ગાજ્યાં લાઉડ સ્પીકર
દેવા ઈશ્વરના સંદેશ;
એટલો જ ઈશ્વરથી છેટો,
સરક્યો તારો-મારો દેશ.
આશ્રમ-દેવસ્થાનો બાંધ્યાં,
નવયુગનાં એ રજવાડાં;
કેટલો ઉશ્કેરાટ ઠાલવે
એ સઘળાં ગાડેગાડાં.
આણી-બાણી તગડા થાતા,
થાતો દૂબળો શેરી-શ્રજન;
મોબાઇલ ને ટીવી સસ્તાં,
થતાં અતિ મોંઘાં જ કફન!
(જનકવિ સમશેરબહાદુરસિંહની એક ગઝલથી પ્રેરિત)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2021; પૃ. 15