મૂળને જાણ્યા વિના થડ; ડાળ; પર્ણોની કથા,
માંડી બેઠી વ્યાસપીઠો; એ જ છે મારી વ્યથા !
મોતની યે બાદ ચિંતા મોક્ષની પરીવારને,
કર્મકાંડો સદગતિ માટેની પણ કેવી પ્રથા !
દેહ ક્યાં કોઈ રહ્યો; ને કોણે જોયો આત્મા ?
બારમા ને પ્રેતભોજન; એમ ને એમ જ યથા !    
કાં "પ્રણય" અભિગમ હવે અપનાવો વૈજ્ઞાનિક યા,
કાં તો એની એ જ રીતે જીવવાનું અન્યથા !
તા. ૨૨/૧૦/૨૦૨૧
 


 હવે આબાલવૃદ્ધ એ વાત પૂરેપૂરી સમજદારીથી સમજી ગયા છે; કે રાજકારણ એ "સત્તા" અને "સંપત્તિ" મેળવવા માટેનું, અને એ પણ "છાનીછપની સંપત્તિ" મેળવવા માટેનું સુરક્ષિત ક્ષેત્ર છે. "સુરક્ષિત" એ અર્થમાં કે આખેઆખું "સરકારી તંત્ર" તમારા નિયંત્રણમાં હોય છે. એથી ઊહાપોહ થાય, તો પણ કોઈ તમારું કાંઈ કરતા કાંઈ જ બગાડી શકતું નથી, જે કોઈ સંસ્થા, કે વ્યક્તિ એનું કામ લઈ આવે, એની પાસેથી મોઢે માંગ્યા રૂપિયા ખંખેરી લેવાના. આવું બને એટલે અધિકારીઓ ય સમજે, કે આમે ય હોદ્દેદારના આદેશથી કામ તો કરવું પડે છે. એ રાજકીય હોદ્દેદાર તો રૂપિયા બનાવે જ છે, તો આપણે ક્યાં ઈમાનદારીનો ઠેકો લીધો છે? આપણે ય શું કામ ન કમાઈએ? એટલે એ પણ "વહેતી ગંગા"માં હાથ ધોઈ લે છે ! (આવા અધિકારીઓની વચ્ચે કોઈ કોઈ અધિકારી બી.કે. સિંહા શા – ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રી – જેવા પવિત્ર અધિકારી પણ પ્રજાને સાંપડે છે. તેઓ સરકારશ્રીની પ્રતિષ્ઠાને બચાવી લે છે, કારણ કે કેવળ "સાદી અરજી"થી ટ્રાન્સફર માંગનાર સરકારી કોલેજના અનેક વ્યાખ્યાતાઓને, એક જ ઓર્ડરથી, "સામૂહિક બદલીઓ" માંગણી મુજબ આપી દે છે !
હવે આબાલવૃદ્ધ એ વાત પૂરેપૂરી સમજદારીથી સમજી ગયા છે; કે રાજકારણ એ "સત્તા" અને "સંપત્તિ" મેળવવા માટેનું, અને એ પણ "છાનીછપની સંપત્તિ" મેળવવા માટેનું સુરક્ષિત ક્ષેત્ર છે. "સુરક્ષિત" એ અર્થમાં કે આખેઆખું "સરકારી તંત્ર" તમારા નિયંત્રણમાં હોય છે. એથી ઊહાપોહ થાય, તો પણ કોઈ તમારું કાંઈ કરતા કાંઈ જ બગાડી શકતું નથી, જે કોઈ સંસ્થા, કે વ્યક્તિ એનું કામ લઈ આવે, એની પાસેથી મોઢે માંગ્યા રૂપિયા ખંખેરી લેવાના. આવું બને એટલે અધિકારીઓ ય સમજે, કે આમે ય હોદ્દેદારના આદેશથી કામ તો કરવું પડે છે. એ રાજકીય હોદ્દેદાર તો રૂપિયા બનાવે જ છે, તો આપણે ક્યાં ઈમાનદારીનો ઠેકો લીધો છે? આપણે ય શું કામ ન કમાઈએ? એટલે એ પણ "વહેતી ગંગા"માં હાથ ધોઈ લે છે ! (આવા અધિકારીઓની વચ્ચે કોઈ કોઈ અધિકારી બી.કે. સિંહા શા – ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રી – જેવા પવિત્ર અધિકારી પણ પ્રજાને સાંપડે છે. તેઓ સરકારશ્રીની પ્રતિષ્ઠાને બચાવી લે છે, કારણ કે કેવળ "સાદી અરજી"થી ટ્રાન્સફર માંગનાર સરકારી કોલેજના અનેક વ્યાખ્યાતાઓને, એક જ ઓર્ડરથી, "સામૂહિક બદલીઓ" માંગણી મુજબ આપી દે છે !