૧૫૭ વર્ષ પહેલાં ગેટિસ્બર્ગ ખાતે એક ટૂંકું ભાષણ થયું જેનાથી યુદ્ધમાં છિન્નભિન્ન થયેલા દેશને સાન આવી. ૧૯ મહિના પછી જેમની હત્યા થવાની હતી, તે એબ્રહામ લિંકન માત્ર ત્રણ મિનિટ માટે બોલ્યા અને ફક્ત ૨૭૮ શબ્દોમાં તેમણે અમેરિકાના આત્માને ઝંઝોળ્યો. તેમણે વાત કરી એ અમેરિકીઓની, જેઓ સમાનતા જીવતી રહે તે માટે મોતને ભેટ્યા. આ રહ્યું તે ભાષણ :
“Four score and seven years ago our fathers brought forth on this continent, a new nation, conceived in Liberty and dedicated to the proposition that all men are created equal.
“Now we are engaged in a great civil war, testing whether that nation or any nation so conceived and so dedicated, can long endure. We are met on a great battle-field of that war. We have come to dedicate a portion of that field, as a final resting place for those who here gave their lives that that nation might live. It is altogether fitting and proper that we should do this.
“But, in a larger sense, we cannot dedicate – we cannot consecrate – we cannot hallow – this ground. The brave men, living and dead, who struggled here, have consecrated it, far above our poor power to add or detract. The world will little note, nor long remember what we say here, but it can never forget what they did here. It is for us the living, rather, to be dedicated here to the unfinished work which they who fought here have thus far so nobly advanced. It is rather for us to be here dedicated to the great task remaining before us — that from these honoured dead we take increased devotion to that cause for which they gave the last full measure of devotion — that we here highly resolve that these dead shall not have died in vain — that this nation, under God, shall have a new birth of freedom — and that government of the people, by the people, for the people, shall not perish from the earth. (Nov. 19, 1863)
મે, ૨૦૨૦ના છેલ્લા અઠવાડિયામાં શ્વાસ લેવાના મરણિયા પ્રયત્નો કરતાં કરતાં આઠ મિનિટમાં અને ૧૨૭ શબ્દોમાં જ્યોર્જ ફ્લોઇડે બરાબર એ જ વાત કહી જે લિંકને પહેલાં કહેલી. અથવા જૉ બિડનના શબ્દોમાં, ‘ગુલામીનું મૂળ પાપ (ઑરિજિનલ સિન) આપણા દેશ પર કલંક છે.’ જ્યૉર્જ ફ્લોઇડના છેલ્લા શબ્દો ઇતિહાસમાં આત્મગૌરવ અને સમાનતાના અધિકાર માટેના અરણીય પોકાર તરીકે યાદ રહેશે :
“It’s my face man
I didn’t do nothing serious man
please
please
please I can’t breathe
please man
please somebody
please man
I can’t breathe
I can’t breathe
please
(inaudible)
man can’t breathe, my face
just get up
I can’t breathe
please (inaudible)
I can’t breathe sh*t
I will
I can’t move
mama
mama
I can’t
my knee
my nuts
I’m through
I’m through
I’m claustrophobic
my stomach hurt
my neck hurts
everything hurts
some water or something
please
please
I can’t breathe officer
don’t kill me
they gon’ kill me man
come on man
I cannot breathe
I cannot breathe
they gon’ kill me
they gon’ kill me
I can’t breathe
I can’t breathe
please sir
please
please
please I can’t breathe.”
જ્યારે તેણે છેલ્લો શ્વાસ લીધો, ત્યારે મિસિસિપી નદી મિનીઆપોલિસ શહેરમાંથી વહેતી રહી, પણ રોષભેર વિરોધપ્રદર્શનો એક અઠવાડિયામાં અમેરિકાનાં સિત્તેરથી વધુ શહેરોમાં ફેલાયાં. રોષની તીવ્રતા એવી તો હતી કે જ્યારે પ્રદર્શનકારીઓ વ્હાઇટ હાઉસની સામે એકઠા થયા, ત્યારે અમેરિકી પ્રમુખે ભોંયરામાં આશરો લેવો પડ્યો. વિરોધ માત્ર અમેરિકા પૂરતો મર્યાદિત ન હતો. લંડનના ટ્રેફલ્ગર સ્ક્વેરમાં તેનો પડઘો પડ્યો. જર્મની, ઈરાન, કૅનેડા અને ન્યૂઝીલૅન્ડ તેમ જ આફ્રિકા અને એશિયાના સંખ્યાબંધ દેશોમાં વિરોધપ્રદર્શનો થયાં.
ચાર્લ્સ હોગ નામના શિક્ષકનું નામ જાણીતું તો નથી, પણ તેણે શહેરની ફરતે મહાન નદીઓ અને તળાવોને લક્ષમાં લઈને, ‘પાણી’ માટેનો મૂળ જાતિની ભાષાના શબ્દ ‘મ્નિ’(mni)ને ‘નવીન’ અને ‘શહેર’ માટેના બે ગ્રીક શબ્દો – nea અને polis – સાથે જોડ્યો અને તેના શહેરને નામ આપ્યું ‘મિનીઆપોલિસ’. આજે જ્યૉર્જ ફ્લોઇડની નિર્દય હત્યા પછી શહેરનું નામ ફરી સાર્થક બને છે, અને ધિક્કાર, ઘૃણા, શાસનની આપખુદશાહી અને અસમાનતાના તેમના વરવા બચાવથી ગૂંગળાયેલા જગતમાં અચાનક પ્રતિરોધના રેલેરેલા વહેતા થયા છે.
નામાંકીત ટિપ્પણીકાર પૉલ ક્રુગમેને ‘ન્યુયૉર્ક ટાઇમ્સ’માં લખ્યું કે “દરેક નવો દિવસ, એવું લાગે છે કે, આપણી પડતીના નવાં સૂચકો લઈને આવે છે. સર્વશક્તિમાન રાષ્ટ્ર રોગચાળાનો સામનો કરવા શક્તિમાન નથી, મુક્ત વિશ્વનો નેતા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો ખાતમો કરી રહ્યો છે, આધુનિક લોકશાહીના જન્મસ્થાન પર ભાવિ સરમુખત્યારનું રાજ ચાલે છે. એકસાથે બધું આટલી ઝડપથી કેમ ખોટું પડી રહ્યું છે?” આ સવાલ માત્ર અમેરિકાને જ લાગુ પડે છે એવું નથી. રશિયા, ચીન, ભારત, નાઇજિરિયા, સ્પેન, ઇટાલી, તુર્કી, ઇજિપ્ત અને બીજા અનેક દેશોમાં અબજો લોકો એ જ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. ૨૦૧૪માં એરિક ગાર્નર નામનો એક નિઃશસ્ત્ર અશ્વેત નાગરિક ગૂંગળામણથી મૃત્યુ પામ્યો અને એ છેલ્લા શ્વાસ માટે તડપતો હતો, ત્યારે એ ચીસ પાડતો રહ્યો કે, “હું શ્વાસ લઈ શકતો નથી.” અગિયાર-અગિયાર વખત તેણે એ ચીસ પાડી. બારમી વખતે એમ કરવાનો પ્રયત્ન કરવામાં તેણે જાન ગુમાવ્યો. ગાર્નરનું જ્યાં મોત થયું તે સ્થળ, ન્યુયોર્કનું સ્ટેટન આઇલૅન્ડ સ્વતંત્રતાની દેવીની વિશ્વપ્રસિદ્ધ પ્રતિમા સ્ટેચ્યુ ઑફ લિબર્ટીથી સત્તર માઈલ એટલે કે અડધાએક કલાકના જ અંતરે છે.
ફ્લોઇડની હત્યા પછી થયેલા દેખાવો માત્ર ગુનાના કાયદાની ક્ષતિઓ કે પોલીસ-મેન્યુએલની ઊણપોની સામે નથી. એ દેખાવો સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના પ્રશ્ને છે. દુનિયાભરમાં જે નૈતિક રોષ વ્યક્ત થઈ રહ્યો છે, તે એક જ પ્રશ્ન પૂછે છે, “શું આપણે સૌ માનવ છીએ અને માટે એકસમાન છીએ એવું નથી?”
એ જ પ્રશ્નથી એક વાર એક અંધારી રાત ઝળહળી ઊઠી હતી, જે ૧૮૯૩ની સાતમી જૂને પહેલી શ્રેણીના ડબ્બામાંથી લાત મારીને ઉતારી દેવાયેલા બારિસ્ટર મોહનદાસ ગાંધીએ પિટર મારિત્ઝબર્ગના નાનકડા રેલવે સ્ટેશને ગાળી હતી. એ જ પ્રશ્ન નેલ્સન માન્ડેલાના મનમાં પણ સળવળતો હતો, જ્યારે ૨૦મી એપ્રિલ ૧૯૬૪ના રોજ તેમણે તેમને રાષ્ટ્રદોહના ગુનેગાર પુરવાર કરવા માગતા ન્યાયમૂર્તિને સંભળાવી દીધું કે, “આફ્રિકન નૅશનલ કૉંગ્રેસનું અધિવેશન યોજવામાં રાષ્ટ્રનો કોઈ દ્રોહ થતો ન હતો. અમે જાણીએ છીએ કે તમારી સરકાર ફરી એક વાર આફ્રિકન પ્રજા પર જોરજુલમની ઝડી અને બર્બરતા વરસાવશે, પરંતુ અમારી છેલ્લી હડતાલનાં પરિણામોએ બતાવી આપ્યું છે તેમ, દુનિયાની કોઈ તાકાત મુક્તિ જીતવા ઇચ્છતી શોષિત જનતાને રોકી શકતી નથી. દેશની બહુમતી જનતાના દાવા અને વિધિપૂર્વકની અપેક્ષાઓને દબાવવા જે બળ અને કપટનો આશરો લે છે, તેને ઇતિહાસ દંડતો આવ્યો છે.”
ફ્લોઇડના ગળા પર પોતાનો પગ દબાવી રહેલા પોલીસ-અધિકારીની તસવીર પર મેં વારંવાર નજર કરી છે, એ જોવા કે તેની આંખોમાં પશ્ચાત્તાપનો પડછાયો પણ ક્યાંક છે કે નહિ. પણ એ તો ખિસ્સામાં હાથ રાખીને એકદમ ‘કૂલ’ અદામાં છે. તે વંશભેદવાદી (રેસિસ્ટ) તો છે જ, પણ તેના કૃત્ય માટે તેને એકલાને જવાબદાર ગણવો જોઈએ નહિ; તેમાં અમેરિકી સમાજનાં એ તમામ તત્ત્વોની સામૂહિક સંડોવણી છે, જેઓ આવાં વલણોને બળ પૂરું પાડે છે અને તેમનાથી વધુ જવાબદારી તો વર્તમાન શાસનની છે, જેણે લોકો-લોકો વચ્ચે ઘર્ષણ ઊભું કરવામાં, તેમના ભાગલા પાડવામાં, લોકમાનસને ઘૃણાના રસ્તે લઈ જવામાં અને પછી એ સઘળાં દુષ્કૃત્યોના ટેકામાં પ્રમુખના કાર્યાલય તરફથી ટ્વીટ કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી.
હું આ લખી રહ્યો છું ત્યારે મારું દિલ અમેરિકાની પ્રજાને ભારત તરફથી સહૃદયે સહાનુભૂતિ પાઠવવા ઇચ્છે છે. શેક્સપિયરના નાટકમાં મેકબેથને જ્યારે ‘આમેન’ (તથાસ્તુઃ) બોલવાનું કહેવામાં આવે છે, ત્યારે તે આ પવિત્ર શબ્દ હોઠ પર લાવી શકતો નથી, કારણ કે તે હમણાં જ રાજાની હત્યા કરીને પાછો આવ્યો છે. આપણાં અમેરિકી ભાઈ-બહેનોને હું કયા શબ્દોમાં સહાનુભૂતિ વ્યક્ત કરી શકું, સિવાય કે જેમાં કોઈ અર્થ બચ્યો નથી, તેવા શબ્દોથી? મિનાપોલિસના મુક્તિવાંચ્છુ યુવાનો મને નહિ પૂછે કે “રોહિત વેમુલાએ જ્યારે આત્મહત્યા કરવી પડી ત્યારે શું ભારતની તમામ યુનિવર્સિટીઓના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શિત કરેલો? છાશવારે થતા મોબ-લિન્ચિંગથી ભારતની જનતાના દિલમાં ઘાવ થાય છે? શું દલિત અને આદિવાસી કન્યાઓ અને બાળકો બળાત્કાર અને હત્યાનો શિકાર બને, ત્યારે બધા ભારતીયોને રોષ ચડે છે?” હું કયા શબ્દોમાં તેમને કહું કે લાકો આદિવાસીઓ દરેક પ્રકારની અસમાનતા નીચે કચડાઈ રહ્યા છે અને છતાં ભારત આંખ આડા કાન કરીને ચાલી રહ્યું છે? હું કેવી રીતે તેમને જણાવું કે જેમને અંગ્રેજોએ જન્મજાત ગુનેગાર ઠેરવ્યા હતા, તેવા લાખો ડિનોટિફાઇડ અને વિચરતી જાતિઓના લોકો આજે પણ એ જ વત્તાઓછા અંશે એની એ જ અવસ્થામાં જીવી રહ્યા છે, અને મોટા ભાગના ભારતીયોને તેમના વિષે કાંઈ ખબર નથી? અને, ૪૦ ડિગ્રીથી વધુ ગરમીમાં લાકો સ્થળાંતરિત શ્રમિકો સેંકડો કિલોમીટર ચાલીને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે શાસન આ હકીકત સુધ્ધાં સ્વીકારવા તૈયાર નહોતું અને વ્યવસ્થાતંત્રને માત્ર નમ્ર નિવેદનના પત્રો પાઠવીને સંતોષ માનતું હતું, એ મુદ્દે મારી શરમ અને ગુનાઇત ભાવ હું તેમને કયા શબ્દોમાં વર્ણવી શકું?
કોરોના વાઇરસના પડછાયા તળે દુનિયા સ્થગિત થઈને ઊભી રહી છે, ત્યારે અમાનતાનું કૅન્સર તમામ સમાજોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. જાતિ, વર્ગ અને લિંગના ભેદભાવમાં સૌથી સબળ રહેલું શસ્ત્ર ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’ આજે પરોક્ષ રીતે વધુ સ્વીકૃતિ પામ્યું છે. આધુનિક લોકશાહીના પવિત્ર ગ્રંથ સમાન વિવિધ દેશોનાં બંધારણો સમાનતાની દુહાઈ દે છે પણ આજે તેની છડેચોક હાંસી ઉડાવાઈ રહી છે. જ્યૉર્જ ઓર્વેલે જેને ‘ન્યૂસ્પીક’ કહેલી તે સત્યથી પરેની ભાષા, તે પોસ્ટટ્રુથે રાજકીય સંભાષણનો ખાતમો બોલાવી દીધો છે. માટે જ આ ઘડી છે સાતમી જૂન, ૧૮૯૩ની રાતના બૅરિસ્ટર ગાંધીના અને ૨૦મી એપ્રિલ ૧૯૬૪ના નેલ્સન માન્ડેલાના વિચારો યાદ કરવાની અને લિંકનના શબ્દોમાં એ કહેવાની કે, “તમામ સ્ત્રી-પુરુષો એકસમાન સર્જાયેલાં છે.” આ સમય છે હર ઘડી એ કહેવાનો કે “હું શ્વાસ લઈ શકતો નથી.”
Email : ganesh_devy@yahoo.com
[અંગ્રેજી પરથી અનુવાદ : આશિષ ઉપેન્દ્ર મહેતા]
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2020; પૃ. 03-04