રામચંદ્ર ગુહા હવે અમદાવાદ યુનિવર્સિટીની વિન્ટર સ્કૂલના ગાંધીકેન્દ્રમાં જોડાવાના નથી. ગઈ કાલે (૦૧-૧૧-’૧૮) તેમણે ટિ્વટ કર્યું અને આજે અખબારોમાં સમાચાર છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રામચંદ્ર ગુહા પર અવનવા આરોપ મૂકીને અમદાવાદ યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખ્યો અને તેમની નિમણૂક તત્કાળ કૅન્સલ કરવા અનુરોધ કર્યો. એવું નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ધમકી પણ આપી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો આખો પત્ર અહીં મૂકું છું. તેમની દલીલો કેટલી વાહિયાત છે અને આવા લોકો દેશનું, દેશની અખંડિતતાનું કે દેશની સંસ્કૃતિનું રક્ષણ કરવાના હોય, તો દેશને કેમ અલગથી દુશ્મનોની જરૂર નહીં પડે, તે આ પત્ર વાંચીને સમજાઈ જશે :
પ્રતિ,
માનનીય કુલપતિશ્રી,
અમદાવાદ યુનિવર્સિટી, અમદાવાદ
વિષય : કહેવાતા ઇતિહાસકાર ડૉ. રામચંદ્ર ગુહાની નિમણૂક બાબત.
આદરણીય સાહેબશ્રી,
દિનાંક ૧૭-૧૦-૨૦૧૮ના ‘દિવ્ય ભાસ્કર’માં આવેલ સમાચારથી જાણવા મળેલ છે કે કહેવાતા ઇતિહાસકાર ડૉ. રામચંદ્ર ગુહા, અમદાવાદ યુનિવર્સિટીના સ્કૂલ ઑફ આટ્ર્સ ઍન્ડ સાયન્સ વિભાગમાં વિન્ટરસ્કૂલના ડિરેક્ટર તરીકે જોડાયા છે. તેમણે લખેલ પુસ્તકો તેમ જ લેખો ભારતીય હિંદુ સંસ્કૃતિનું ખંડન કરતાં તેમ જ રાષ્ટ્રનું વિઘટન કરનાર પ્રવૃત્તિઓને પ્રેરણા આપનાર સાબિત થયેલ છે. તેમનાં આ પ્રકારનાં લખાણોથી પ્રેરાઈને દિલ્હીની જવાહરલાલ નૅશનલ યુનિવર્સિટી (JNU) હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી (HCU) વગેરે જેવી રાષ્ટ્રની સેન્ટ્રલ / નામાંકિત યુનિવર્સિટીઓમાં રાષ્ટ્ર વિઘટનકારી પ્રવૃત્તિઓ, વ્યક્તિ સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા, વ્યક્તિસ્વતંત્રતાના નામે આતંકવાદીઓને મુક્તિ, ભારતદેશના અભિન્ન અંગ એવા જમ્મુ-કાશ્મીરને ભારતથી સ્વતંત્ર કરવાની વાત વગેરે યુનિવર્સિટી પરિસરમાં ચાલતી દેશવિરોધી પ્રવૃત્તિઓને બળ મળેલ છે.
ડૉ. ગુહાએ લખેલ પુસ્તકમાંનાં કેટલાંક વિવાદિત લખાણોના અંશ નીચે મુજબ છે :
1. Makers of Modern India. Chapter 16, Pg. 267
Golwalkar saw three principal threats to the formation of Hindu nation – Muslims, Christians and Communists. All three were foreign in origin, and the last were godless to boot. Golwalkar saw Muslims, Christians and Communists as akin to the demons, or rakshashas of Indian mythology, with the Hindus as the evening angels who would slay them and thus restore the goodness and purity of the Motherland. The RSS it self was projected by Golwalkar as the chosen vehicle for this national and civilzational renewal of the Hindus.
2) Markers of Modern India, Pg. 404
“A Hindu Rashtra would be both inimical to democracy and lead to even more strife between religions.”
3) Makers of Modern India, Chapter 11., Pg. 187
“Let’s now consider religious preceptors and gurus. People gain nothing from these. In the name of the Hindu religion. there are many Sankaracharyas and Saiva and Vaishnava pontiffs. They go about with their retinue in processions on elephants and camels, camp at a place, advertise through their men about ritual washing of their feet and giving aims, charge a rupee or a pound for their feet to be washed and to let people drink that dirty water, and move out to a different camp after people there are milked dry, doing expiatory rituals and taking a ritual dip with our money for having set eyes on a shudra, another ritual and dip for the shudra’s shadow falling on them, one more ritual and dip for having spoken in [demotic or colloquial] Tamil.”
4) Markers of Modern India, Chapter 11, Pg. 181
He wrote critically of the Ramayana and other Hindu epics and texts which, in his view, promoted the message of Brahmin superiority and endorsed distinctions of caste and gender. Brahmin priests were a particular target of his polemics – they were, he claimed, corrupt and cunning, as well as sexual predators – Ramachandra Guha referring to Ramaswamy Periyar.
તેમના અન્ય વિવાદિત લેખો :
The Guru of Hate – CHEN – The Hindu * From IS to RSS : Drawing parallels between Islamism and Hindutva – Hindustan Times* Modi authoritarian and a bully, says Ramachandra Guha – FIRSTPOST, * ‘Case against Ramachandra Guha for accusing BJP-RSS of Gauri Lankesh murder – India Today.
Hindutva is mere, Myth And Dogma – NDTV (You, Tube)* I see RSS spin doctors are trying afresh to whitewash Guru Golwalkar, the man who, as I show here, preached hatred’. @Ram_Guha (Twitter) etc.
ડૉ. ગુહાએ લખેલાં ઉપર્યુંક્ત વિવાદિત લેખો અને પુસ્તકમાંનાં લખાણોના અંશની નકલ સામેલ છે. આ લેખ પૈકીના કેટલાક પર પ્રતિબદ્ધ મૂકવામાં આવેલ છે.
મહાન શ્રેષ્ઠીશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ, શ્રી શ્રેણિકભાઈ શાહ જેવા વિઝનરી મહાનુભાવોનું અતુલ્ય યોગદાન શિક્ષણજગતને મળ્યું છે. તેઓશ્રીના તેમ જ આપ જેવા તેમના કર્મઠ અનુયાયીઓના અવિરત પુરુષાર્થથી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી અને અમદાવાદ યુનિવર્સિટીના માધ્યમથી શિક્ષણક્ષેત્રને અમૂલ્ય યોગદાન મળતું રહે છે. આવી પ્રસિદ્ધ તેમ જ વિદ્યાર્થીહિતને હંમેશાં કેન્દ્રસ્થાને રાખનાર અમદાવાદ યુનિવર્સિટીના સ્કૂલ ઑફ આટ્ર્સ ઍન્ડ સાયન્સ વિભાગમાં વિન્ટર સ્કૂલના ડિરેક્ટર જેવા ઉચ્ચ સ્થાને ડૉ. રામચંદ્ર ગુહા જેવી વ્યક્તિ કે જેમને આપણા પ્રાચીન મહાન રાષ્ટ્ર, આપણી શ્રેષ્ઠ લોકશાહી-પ્રણાલી કે વિશ્વ સ્વીકાર્ય ભારતીય શ્રેષ્ઠ સંસ્કૃતિ પ્રત્યે અભાવ હોય/ઘૃણા હોય તેવી વિવાદિત વ્યક્તિ બેસી કેવા માનવતાના પાઠ શિખવાડશે, તે એક મહા પ્રશ્ન છે. આવી દિશાહીન વ્યક્તિના માર્ગદર્શન નીચે યુનિવર્સિટીમાં બનનાર અભ્યાસક્રમોથી દેશની યુવાશક્તિને દેશદાઝ કે આપણી વિશ્વ શ્રેષ્ઠ સંસ્કૃતિ પ્રત્યે લાગણી ન રહેતા દિશાશૂન્ય તેમ જ સ્વચ્છંદી બનશે, એવું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માને છે. જો આપની સંસ્થાનો ઉપયોગ કરીને આવા લોકો દ્વારા દેશવિરોધી તેમ જ દેશને ખંડન કરનારી પ્રવૃત્તિને સહકાર આપશે તો વિદ્યાર્થી પરિષદ આપની સંસ્થાના વિરુદ્ધમાં ઉગ્ર આંદોલન કરશે, જેની પૂર્ણ જવાબદારી આપની રહેશે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, આપશ્રીને અનુરોધ કરે છે કે ડૉ. રામચંદ્ર ગુહાની ઉપર્યુક્ત પદે કરવામાં આવેલ નિમણૂકને ઉપર્યુક્ત કારણોસર, શિક્ષણ અને રાષ્ટ્રહિતમાં, તાત્કાલિક અસરથી કૅન્સલ કરવામાં આવે.
આભારસહ,
પ્રવીણ દેસાઈ
મહાનગર મંત્રી (કર્ણાવતી મહાનગર) અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ
નકલ રવાના
૧. માન. શ્રી ઓ.પી. કોહલી, રાજ્યપાલ, ગુજરાત રાજ્ય ૨. માન. શ્રી વિજયભાઈ રૂપાણી, મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય ૩. માન. શ્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા, શિક્ષણમંત્રી, ગુજરાત રાજ્ય ૪. અંજુબહેન શર્મા – મુખ્ય સચિવશ્રી, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, બોર્ડ ઑફ ડાયરેક્ટર, અમદાવાદ યુનિ. ૫. સંજય લાલભાઈ, બૉર્ડ ઑફ ગવર્નર્સ, અમદાવાદ યુનિ. ૬. સુધીર મહેતા, બૉર્ડ ઑફ ગવર્નર્સ, અમદાવાદ યુનિ. ૭. અંજુબહેન શર્મા, બૉર્ડ ઑફ ગવર્નર્સ, અમદાવાદ યુનિ. ૮. પંકજ પટેલ, બૉર્ડ ઑફ ગવર્નર્સ, અમદાવાદ યુનિ.
(આ મૂળ પત્રની નકલ અહીં સાદર મૂકી છે : વિ.ક.)
આ કહેવાતી વિદ્યાર્થી પરિષદની સમજનો અંદાજ તેના પરથી આવી જશે કે રામચંદ્ર ગુહા માટે તે ‘કહેવાતા ઇતિહાસકાર’ જેવો શબ્દપ્રયોગ કરે છે. આખા પત્રમાં ‘મેકર્સ ઑફ મૉડર્ન ઇન્ડિયા’માંથી બે-ચાર વસ્તુઓ કાઢીને, ચાર-પાંચ લેખો ને ટિ્વટ ને એવું બધું જોડીને આ વિદ્યાર્થી પરિષદ ગુહાને કેવા ખલનાયક ચીતરે છે, એ તેમની માનસિક રુગ્ણતાના અંદાજ તરીકે જોવા જેવું છે. ગુહાનાં બીજાં અનેક પુસ્તકોનો કે તેમની સ્કૉલરશિપનો સ્વાભાવિક રીતે જ કશો ઉલ્લેખ નથી.
વિદ્યાર્થી પરિષદ તો જે છે તે છે, પણ અમદાવાદ યુનિવર્સિટીથી માંડીને બીજા બધા (આ પત્રની નકલ જેમને મોકલવામાં આવી છે, તે મહાનુભાવો સહિતના) લોકો આવી વાહિયાત ધમકીઓને તાબે થઈ જાય અથવા તેને સાંખી લે, ત્યારે મકરંદ દવેએ અનુદિત કરેલી ખલીલ જિબ્રાનની પંક્તિઓ જ યાદ આવે …
એ દેશની ખાજો દયા …
નવા રાજાને કહે વાજાં વગાડીને જિયો!
જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હૂડિયો,
ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા,
એ જ નેજા ! એ જ વાજાં! એ જ ખમ્મા, વાહવા!
જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
(લેખકના બ્લૉગ http://urvishkothari-gujarati.blogspot.comની ૦૨-૧૧-૨૦૧૮ની પોસ્ટમાંથી)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2018; પૃ. 13-14