કરી લે ધમપછાડા ગમે એટલા પરંતુ
મૃગજળ છે એમાંથી જળ નહીં મળે.
નસીબની આ અંધારી ગલીઓ મહીં
અજવાળું જીવ બાળીને પણ નહીં મળે.
આમ તો છું ગુમનામ પહેલેથી જ પરંતુ
એકાંતમાં શાંતિ પણ તને પછી નહીં મળે.
પછી એના સવાલો પૂછીને પણ વેદનાને
કોઈ ઉત્તર એની પાસેથી તને નહીં મળે.
બાકી કહેવામાં શું છે કે રંજ કોઈ નથી
કહી જો એ શબ્દોનો સાથ તને નહીં મળે.
જે માટે જલે છે તું જિંદગીભર અહીં
એ ચીજ તને જિંદગીભર નહીં મળે.
એ-૧ ચંદન એપાર્ટમેન્ટ, દક્ષિણી સોસાયટી, મણિનગર, અમદાવાદ.
e.mail : mahulikarprasad@gmail.com