Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9335193
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકો ભારત છોડી વિદેશમાં સ્થાયી થવા કેમ જઈ રહ્યા છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|13 April 2023

રમેશ ઓઝા

સરકારી અહેવાલ મુજબ ભારતીય નાગરિકત્વ છોડીને વિદેશમાં સ્થાયી થવા જતા રહેલા ભારતીયોની સંખ્યા ૨૦૨૧માં એક લાખ ૬૦ હજારની હતી, જે ૨૦૨૨માં વધીને એ એક લાખ ૮૦ હજારની થઈ હતી. અહેવાલ મુજબ એકધારી અને વધતી રફતારે લોકો ભારતીય નાગરિકત્વ છોડીને વિદેશમાં સ્થાયી થવા જતા હોય એવું પહેલી વાર જોવા મળી રહ્યું છે. આવું કેમ બની રહ્યું છે?

એક યુગ હતો જ્યારે બ્રેઈન ડ્રેઈન એટલે કે ભારતનું બુદ્ધિધન વિદેશમાં જતું હતું અને તેને અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવતી હતી. ભારતની ગણના આજે પણ વિકાસશીલ દેશ તરીકે જ થાય છે, પણ ચાર દાયકા પહેલાં દેશ વિકાસની સીડી ઉપર હજુ ઘણે નીચે હતો અને ત્યારે મધ્યમ વર્ગના સંતાનો વિદેશમાં ભણવા માટે જતા હતા અને ત્યાં જ સ્થાયી થઈ જતા હતા. દેશમાં ભણીને દેશમાં જ પોતાની જગ્યા બનાવવાની જગ્યાએ અને એ દ્વારા એક વિકસિત દેશ તરીકેની વિશ્વમાં ભારત માટે જગ્યા બનાવવાની જગ્યાએ વિદેશ જતા રહેનારાઓ અને વિદેશની સેવા કરનારા બુદ્ધિશાળી પણ સ્વાર્થી લોકોની ત્યારે નિંદા કરવામાં આવતી હતી. આગળ જતાં આવા વિદેશમાં સ્થાયી થયેલા મૂળ ભારતીયો નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ તરીકે ઓળખાવા લાગ્યા જેને નિંદા કરનારાઓ નોન રિસ્પોન્સીબલ ઇન્ડિયન્સ તરીકે ઓળખાવીને તેમની ભર્ત્સના કરતા હતા. મારી વયના વાચકોને આ યાદ હશે.

મધ્યમ વર્ગના લોકો ત્યારે બે દલીલ કરતા હતા. એક તો એ કે અનામતના કારણે અમારાં સંતાનોને અન્યાય થઈ રહ્યો છે એટલે તેમને વિદેશ ભણવા મોકલવા પડે છે. તેઓ બીજી દલીલ એવી કરતા હતા કે ભારતમાં ગુણવત્તાવાળું શિક્ષણ આપનારી કોઈ શિક્ષાસંસ્થા નથી અને એ ઉપરાંત અહીં સગાંવાદ, અમલદારશાહી અને ભ્રષ્ટાચાર એટલાં પ્રબળ છે કે મેરીટ હોવા છતાં તેજસ્વી માણસને અન્યાય થાય છે. ટૂંકમાં બુદ્ધિશાળી માણસ માટે ભારતમાં કોઈ ભવિષ્ય નથી. તેમને સાથ આપતા મૂડીવાદીઓ દલીલ કરતા હતા કે જ્યાં લીલો ચારો મળે ત્યાં જનાવર ચરવા જાય એ ન્યાયે જ્યાં તક નજરે પડતી હોય ત્યાં માણસ જાય. આમાં દેશપ્રેમને વચ્ચે લાવવાની જરૂર નથી અને જો દેશપ્રેમ વચ્ચે લાવવો જ હોય તો આપણી શિક્ષણની ગુણવત્તા વિકસિત દેશોના સ્તરે ઉપર લઈ જવી જોઈએ અને સગાંવાદ, અમલદારશાહી અને ભષ્ટાચારની જગ્યાએ મેરીટની કદર થવી જોઈએ. તેઓ સલાહ આપતા હતા કે આ બધું ત્યારે થાય જ્યારે સરકાર અંકુશો દૂર કરીને ખુલ્લીનીતિ અપનાવે. ટૂંકમાં અ-સરકારી અસરકારી એવી તેમની સલાહ હતી. 

૧૯૮૦ પછીથી આઈ.આઈ.ટી., આઈ.આઈ.એમ., એઈમ્સ જેવી વિદ્યાસંસ્થાઓ વૈશ્વિક સ્તરનું શિક્ષણ પામેલા વિદ્યાર્થીઓ પેદા કરવા લાગી (થેંક્સ ટુ જવાહરલાલ નેહરુ) અને ૧૯૯૦ પછી નરસિંહ રાવે અને ડૉ. મનમોહન સિંહે આર્થિક સુધારા કર્યા જેને પરિણામે ભારતનું બુદ્ધિધન વિદેશ જતું અટકી તો નહોતું ગયું, પણ તેનાં પ્રમાણમાં ખાસ્સો ઘટાડો થવા લાગ્યો. ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં તો ભારતે ડંકો વગાડ્યો અને વિદેશથી લોકો નોકરી કરવા ભારત આવવા લાગ્યા.

તો પછી એવું તે શું થયું કે બ્રેઈન ડ્રેઈનની સમસ્યા પાછી પેદા થઈ અને એ પણ ઉપર કહ્યું એમ બે વરસથી એકધારી અને વધતી રફતારે?

બુદ્ધિશાળી વાચકો માટે આનો જવાબ શોધવો અઘરો નથી. આનું કારણ એ છે કે ભારતની તમામ શિક્ષણસંસ્થાઓ ઉપર હિન્દુત્વવાદીઓએ કબજો જમાવ્યો છે અને તેમની પ્રાથમિકતા શુદ્ધ શિક્ષણ નથી પણ તેમને માફક આવે એવું શિક્ષણ છે. તેમણે માત્ર શિક્ષણસંસ્થાઓ ઉપર કબજો નથી કર્યો, શિક્ષણનાં સ્વરૂપ ઉપર પણ કબજો જમાવ્યો છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો તેઓ શિક્ષણસંસ્થાઓમાંથી હિંદુ પેદા કરવા માગે છે અને માટે શિક્ષણનું રાજકીયકરણ કરવામાં આવી રહ્યું છે. ગ્રેવિટીની જગ્યાએ ગાય અને ગોબરની વૈજ્ઞાનિકતા ભણાવવામાં આવવાની હોય તો કયો સમજદાર માણસ પોતાનાં સંતાનોને તેમાં ભણાવે? અત્યારે દેશની શિક્ષણસંસ્થાઓ જે સ્વરૂપ પામી રહી છે તે માત્ર ભક્તો માટે ઉત્તમ કક્ષાની છે. બાકીના લોકો ડરે છે. પોતે પણ ડરે છે અને પોતાનાં સંતાનના ભવિષ્યની બાબતે પણ ડરે છે.

થોડા મહિના પહેલાં સરકારે વિદેશની યુનિવર્સિટીઓને ભારતમાં પ્રવેશ આપવાની જાહેરાત કરી તેની પાછળનું કારણ પણ આ જ છે. તેમને ખબર છે કે તેમના સહિત ખાસ વર્ગના લોકોનાં સંતાનો માટે ધોરણસરનું શિક્ષણ જરૂરી છે. વિદેશની યુનિવર્સિટીઓ પર સરકારી અંકુશો નહીં હોય અને ત્યાં ધોરણસરનું શિક્ષણ આપવામાં આવશે. બાકી સરકારી અંકુશો ધરાવતી યુનિવર્સિટીઓમાં ભક્તોનાં સંતાનો ભણશે, ગરીબ વર્ગના સંતાનો ભણશે અને ભક્તો પેદા કરવામાં આવશે. સમાજ બંધિયાર થવા લાગે, પિંજરે પૂરાવા લાગે ત્યારે ખુલ્લા સમાજમાં માનનારાઓ ગુંગળામણ અનુભવે છે અને અન્યત્ર ઉચાળા ભરે છે. જગત આખામાં આવું જોવા મળ્યું છે. આ કોઈ નવી વાત નથી. ભારતમાં જે બની રહ્યું છે એ દુનિયા જોઈ રહી છે, તેને માટે રાહુલ ગાંધીની ટિપ્પણીની રાહ જોવાની જરૂર નથી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 13 ઍપ્રિલ 2023

Loading

13 April 2023 રમેશ ઓઝા
← અરણ્યકુંડમાં પાણી પીતો વાઘ
રજની દવે : અમૃતપ્રવેશે અભિવંદન !  →

Search by

Opinion

  • ‘શેતરંજ’ પર પ્રતિબંધનું પ્રતિગામી પગલું
  • જેઇન ઑસ્ટિન અમર રહો !
  • જેઇન ઑસ્ટિન : ‘એમા’
  • ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’: એક વિહંગાવલોકન
  • ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો નવતર પ્રયોગ

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા
  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક

Poetry

  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved