સાહિત્ય સંસદ, સાન્તાક્રુઝ, સાહિત્ય સંસદ, નોર્થ અમેરિકા અને ગુજરાતી સાહિત્ય અકાદમી(ચુ.કે.)ના સંયુક્ત ઉપક્રમે
શ્રી રાહુલ શુક્લના સૌજન્યથી આયોજિત
સ્વ. હરનિશ જાની સ્મૃતિ ‘હાસ્યરચના-સ્પર્ધા’
નિયમો
૧ : આ સ્પર્ધા ગુજરાતી ભાષામાં જ આયોજિત કરવામાં આવી છે; પરંતુ માત્ર ગુજરાતીભાષીઓ પૂરતી મર્યાદિત નથી. ગુજરાતી ભાષાનું જ્ઞાન ધરાવતી કોઈ પણ વ્યક્તિ આમાં ભાગ લઈ શકશે.
૨ : સ્પર્ધક લેખકે પોતાની મૌલિક અને અપ્રગટ કૃતિ જ મોકલવાની રહેશે. એટલે કે અનુવાદિત કે પ્રગટ થયેલી કૃતિઓ સ્વીકાર્ય બનશે નહીં.
3 ; હાસ્યરચનામાં હાસ્યવાર્તા, હાસ્યનિબંધ કે હાસ્ય એકાંકી – આ ત્રણ સાહિત્યસ્વરૂપો પૂરતી જ આ સ્પર્ધા મર્યાદિત છે. હાસ્યનવલકથા કે હાસ્યકવિતા સ્વીકાર્ય બનશે નહીં. શબ્દસંખ્યા વધારેમાં વધારે ૩૦૦૦.
૪ ; સ્પર્ધકે એક જ કૃતિ મોકલવાની રહેશે. હસ્તલિખિત પ્રત સુવાચ્ય અક્ષરોમાં કાગળની એક બાજુ લખેલ હોવી જરૂરી. હસ્તલિખિત અથવા ટાઈપ કરેલ કૃતિઓની ત્રણ ત્રણ નકલો કુરીઅર અથવા પોસ્ટથી મોકલવાની રહેશે. પી.ડી.એફ. અથવા વર્ડમાં તૈયાર કૃતિ ઈ.મેઈલથી મોકલી શકાશે. વર્ડમાં તૈયાર કરેલ કૃતિઓ યુનિવર્સલ ફોન્ટમાં મોકલવી. તેવું શક્ય ન હોય તો જે ફોન્ટમાં તૈયાર કરી હોય તે (ડાઉનલોડ કરી શકાય તેવા) ફોન્ટ એટેચ કરી મોકલવા જરૂરી. કોમ્પ્યુટરમાં તે નહીં ખૂલે તો કૃતિ અસ્વીકાર્ય ગણાશે.
૫ ; સ્પર્ધકે કૃતિની સાથે એક જુદા કાગળ પર પોતાનું નામ, સરનામું, સંપર્ક નંબર અને પોતાના વિષે ટૂંક માહિતી સાથે બે પાસપોર્ટ સાઈઝ ફોટાઓ મોકલવાના રહેશે. કૃતિના કોઈ પણ પાના પર કે કૃતિમાં સ્પર્ધકનું નામ આવવું ન જોઈએ તે ખૂબ જ અગત્યની અને અનિવાર્ય શરત છે. એવું થવાથી સ્પર્ધકની કૃતિને સ્પર્ધામાંથી રદ્દ કરવામાં આવશે.
૬ ; સ્પર્ધકની કૃતિ મૌલિક, સ્વલિખિત અને અપ્રકાશિત છે તેવી બાંહેધરી આપતો પત્ર કૃતિ સાથે સંમિલિત કરવાનો રહેશે. આવી બાંહેધરી ઈ મેઈલથી મોકલવામાં આવે તો તે ઈ.મેઈલ સ્પર્ધકે પોતાની આઇ.ડી. પરથી જ મોકલવાનો રહેશે.
૭ ; કૃતિના હક્ક કર્તાના પોતાના જ રહેશે.
સાહિત્ય સંસદ સંસ્થા ઇનામી કે અન્ય કૃતિઓ પ્રગટ કરવા ઈચ્છે તો સર્જકના હક્ક અબાધિત રાખી સર્જકની અનુમતિથી પ્રગટ કરી શકશે. સ્પર્ધા માટે મોકલેલી કૃતિ સ્પર્ધાનું પરિણામ ન આવે ત્યાં સુધી સર્જક અન્યત્ર પ્રગટ કરશે નહીં.
૮ ; સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય એ રીતે ત્રણ કૃતિઓને નિર્ણાયકોના નિર્ણય મુજબ અનુક્રમે રૂ. ૧૫,૦૦૦/=, રૂ. ૧૦,૦૦૦/= અને રૂ.૫,૦૦૦/=ના પુરસ્કાર આપવામાં આવશે.
૯ ; નિર્ણાયકોનો નિર્ણય અંતિમ અને સર્વ સ્પર્ધકો માટે તેમ જ સંસ્થા માટે પણ બંધનકર્તા રહેશે.
૧૦ ; હાસ્ય માટેના શ્રેષ્ઠ સાહિત્યની અપેક્ષાથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. કૃતિ આધારિત આ સ્પર્ધામાં પ્રતિષ્ઠિત કે નવોદિત જેવા કૃત્રિમ વિભાગો કરવામાં આવ્યા નથી. સંસ્થાના પ્રમુખ અને નિર્ણાયકો સિવાય બધાં જ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. નિર્ણાયકો કોણ છે તેની માહિતી મેળવવા કોશિશ કે પૃચ્છા કરવી નહીં. સંસ્થાના સભ્યો અને હોદ્દેદારોને પણ તે વિદિત કરવામાં નહીં આવે.
૧૦ ; કુરીઅર કે પોસ્ટથી કૃતિ મોકલનારા સ્પર્ધકે સંસ્થાના સરનામા પર મોડામાં મોડી ૨૯મી ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ પહોંચતી કરવાની રહેશે. એ પછી આવેલી કૃતિઓ સ્વીકારવામાં આવશે નહીં. ઈ.મેઈલ દ્વારા કૃતિ મોકલનાર સ્પર્ધકને વિનંતી કે તેઓ કૃતિ બે દિવસ પહેલાં મોકલે જેથી તેનાં પ્રિન્ટઆઉટ અને નકલો થઈ શકે.
સંસ્થાનું સરનામું :
સાહિત્ય સંસદ, સાન્તાક્રુઝ, c/o કનુભાઈ સૂચક, 3 વિવેક, વિદ્યા વિનય વિવેક સોસાયટી, ૧૮૫, એસ.વિ. રોડ, વિલેપાર્લે (પશ્ચિમ) મુંબઈ ૪૦૦ ૦૫૬
સંપર્ક: ૦૨૨ ૨૬૭૧૦૮૦૮ / ૦૯૮૭૦૦૦૭૩૭૧ (India); 001 732 856 4093 (USA)
kanubhai.suchak@gmail.com, vijaythakkar55@gmail.com,
kaushikamin@hotmail.com, vipoolkalyani.opinion@btinternet.com