Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9385103
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક શ્લોક અને શ્લોકાર્ધ

પ્રૉ. જયંત ર. જોશી|Opinion - Opinion|3 January 2021

અન-લૉકડાઉન

લૉકડાઉન દરમિયાન ગીતાના કેટલાક શ્લોકો સાંભળવાની તક મળી. એમાંનો એક શ્લોક અને એક શ્લોકાર્ધ મને ગીતાકારની વિરાટ પ્રજ્ઞા અને સર્વવ્યાપી સંવેદનાના અર્ક જેવો લાગ્યો. વિચાર આવ્યો કે ગીતા પર પ્રવચન આપનારા અનેક કથાકારો અને ગીતાપઠનનાં સત્રો ગોઠવનાર આયોજકો આ શ્લોકોનો મર્મ સમજ્યા છે ખરા? જો સમજ્યા હોત અને ભાવકોને તે સમજાવ્યો હોત, તો આપણા દેશમાં આટલાં અર્ધભૂખ્યા લોકો, કુપોષિત બાળકો તેમ જ સવર્ણ-અવર્ણ અને રીતિ-જાતિના આટલા અન્યાય ભેદભાવ ન હોત.

પંદરમા અધ્યાયના ચૌદમાં શ્લોકમાં ઈશ્વર કહે છે કે હું જઠરાગ્નિ થઈને પ્રાણીમાત્રના દેહમાં વસું છું અને ચાર પ્રકારનું અન્ન પચાવું છું. દસમા અધ્યાયના બાવીસમાં શ્લોકનો ઉત્તરાર્ધ છે કે “ઇન્દ્રિયોમાં હું મન છું અને પ્રાણીમાત્રમાં ચેતના છું.”

ગીતાકારે ઈશ્વરની ઉપાસના અને સમાજસેવા – એ બંનેનો સમન્વય સાધતો એક સીધો રસ્તો આ દોઢ શ્લોકમાં બતાવ્યો છે. પ્રાણીમાત્રના દેહમાં વસનાર ઈશ્વરની ઉપાસના કઈ રીતે કરવી? ઈશ્વર પ્રાણીમાત્રના દેહમાં જઠરાગ્નિ થઈને વસે છે. એની ઉપાસનાનો ઉત્તમ ઉપાય એ છે કે પ્રાણીમાત્રને અને ખાસ કરીને માનવસમાજની દરેક વ્યક્તિને પોષક આહાર મળી રહે, એ માટે બધાએ પુરુષાર્થ કરવો જોઈએ. ઈશ્વરની ઉપાસના માટે હોમહવન કે અતિભવ્ય દેવાલયોની જરૂર નથી. એ જ રીતે ઈશ્વર માનવશરીરમાં મન થઈને વસે છે. મન એ બુદ્ધિ અને લાગણી બંનેનું આશ્રયસ્થાન છે. એટલે આ મનરૂપી ઈશ્વરને જ્ઞાનવિજ્ઞાનની અને સંવેદનશીલ સાહિત્યની સામગ્રીનું નૈવેદ્ય ધરાવવું જોઈએ. વિકસતા જ્ઞાનવિજ્ઞાનની નવીનવી વાનગીઓ પણ આવવી જોઈએ. પિરસાવવી જોઈએ.

આ દોઢ શ્લોકની જેમ જ બારમા અધ્યાયમાં આવતો એક શબ્દ બહુ મહત્ત્વનો છે. ઈશ્વરને અત્યંત પ્રિય એવા ભક્તોનાં લક્ષણ બારમા અધ્યાયમાં અપાયાં છે. (ગી. (૧૨.૪))  એમાં એક બહુ જ મહત્ત્વનું લક્ષણ છે. “સર્વ ભૂત હિતે રતાઃ” એટલે કે જે પ્રાણીમાત્રના હિતમાં રત છે. ભગવદ્‌ગીતાને આવું અધ્યાત્મ, ઈહવાદી અધ્યાત્મ, સાચું તત્ત્વજ્ઞાન આપવું છે. કુરુક્ષેત્રના યુદ્ધની વાત એ તો એક રૂપક માત્ર છે. આ સમાજમાં માણસે બધા માણસોના હિતમાં કામ કરવું જોઈએ. મનુષ્ય સંઘર્ષ પોતાની સાથે કરશે – ખરા લોકસંગ્રહાર્થે સજ્જ થવા સંઘર્ષ! તેમ જ સમગ્ર સમાજે સમાજ માટે કરવાનો છે.

સંત જ્ઞાનદેવે ‘જ્ઞાનેશ્વરી’ લખી છે ભગવદ્‌ગીતાના આવા લોકસંગ્રહને બિરદાવવા. ગ્રંથ પૂરો થતાં પહેલાં ગીતા વિશે એક સુંદર ઓવી છે.

“ગીતા નિત્કપટ માય, ચૂકોનિ તાન્હા ફિરોનિ વાય,
તે માય પૂતા ભેટી હોય, હા ધર્મ તુમચા.”

ગીતા નિત્કર્ય મા છે. નાનું બાળ ભૂલથી તેનાથી મોેં ફેરવી લઈને જુદી દિશામાં જતું રહે છે, તેનો માની સાથે મેળાપ કરાવવો એ ધર્મ છે. અહીં નાનું બાળ એટલે જુદી દિશામાં આવતો સમાજ! તે જો ભગવદ્‌ગીતાના આ શ્લોકોનો, શબ્દાર્થનો અર્થ સમજે, તો સમાજમાં સંવાદિતા સ્થપાય.

નવરંગપુરા, અમદાવાદ – ૦૯

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2021; પૃ. 16

Loading

3 January 2021 પ્રૉ. જયંત ર. જોશી
← સદ્‌ગત જયંત મેઘાણી
જગતમાં સ્ત્રી જ એવી છે જેને મૃત્યુ, જન્મ પહેલાં પણ મળે છે … →

Search by

Opinion

  • ગૃહસ્થ સંન્યાસ
  • અભી બોલા અભી ફોક
  • માણસ, આજે (૨૯)  
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૫
  • પોતાનું શ્રેષ્ઠ બહાર કાઢવું એ જાત પ્રત્યેની ફરજ છે 

Diaspora

  • આ શિલ્પ થકી જગતભરના મૂળનિવાસીઓ પ્રેરણા મેળવશે !
  • ‘માઉન્ટ રશમોર’ અને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વચ્ચે શું તફાવત છે?
  • ખરાબાનો નેશનલ પાર્ક !
  • કુદરત પ્રદૂષણ કરતી નથી, માણસ જ પ્રદૂષણ કરે છે !
  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’

Gandhiana

  • સેનાપતિ
  • ભગતસિંહ અને ગાંધીજી
  • ‘રાષ્ટ્રપિતાનો વારસો એમના વંશજો જ નથી’ — રાજમોહન ગાંધી
  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ

Poetry

  • સાત હાઈકુ
  • હાર
  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved