
સુમન શાહ
હું ૧૯૯૨-થી અમેરિકા આવ-જા કરું છું. હું સિટિઝનશિપ માટે લાયક એવો ગ્રીનકાર્ડ-હોલ્ડર છું. મારા પરિવારમાં સૌ અમેરિકન સિટિઝન છે. ડીપોર્ટ થયેલા ગુજરાતીઓ અને ભારતીયો માટે અમને સૌને દુ:ખ થયું છે. (બાબુ સુથારે પણ આ મુદ્દે પોતાના પેજ પર લખ્યું છે.)
આપણે ભારતીય છીએ એટલે ડીપોર્ટ થયેલા કે હજી થશે એ ભારતીયો માટે આપણને અનુકમ્પા થાય એ સ્વાભાવિક છે. તેમ છતાં, ડીપોર્ટેશન પ્રશ્નને વસ્તુલક્ષી રીતે વિચારવાની જરૂર છે, કેમ કે પ્રશ્ન નાજુક છે.
સૌ પહેલાં, ડીપોર્ટેશન-પૉલિસી માત્ર ભારતીયો માટે નથી, એ હકીકત યાદ રાખવી જોઈશે. એમાં, Mexico, Guatemala, Honduras, Ecuador, અને Colombia પણ સામેલ છે. ૨૦૨૪-ના fiscal year-માં આ રાષ્ટ્રોની અનેક વ્યક્તિઓને ઍરેસ્ટ અને ડીપોર્ટ કરવામાં આવેલી. એટલે એમ ન માનવું કે ડીપોર્ટેશન કોઈ નવી પૉલિસી છે. એમાં વેગ નવી વસ્તુ જરૂર છે. ખરેખર તો અમેરિકન સરકાર આ જાતના કંટ્રોલથી અને આ પૉલિસી વડે immigration laws-ને બરાબર અનુસરવા માગે છે, જેના અનુસરણ માટે આગલી સરકાર કડક ન્હૉતી કે કડક થવા માગતી ન્હૉતી.
૨૦૦૯ -માં 15,756 અને ૨૦૧૯ -માં 2,042 અને હાલમાં 104 illegal Indian immigrants-ને ડીપોર્ટ કરાયા છે.
ડીપોર્ટેશન પૉલિસી illegally રહેલી કોઈપણ વ્યક્તિ માટે છે, એ ભારતીય હોય કે ગમે એ રાષ્ટ્રની હોય. illegal-નો અર્થ એ કે એની પાસે ઉચિત immigration status નથી. ઉપરાન્ત, એ criminal પણ હોય, અમેરિકામાં ઘૂસ્યા પહેલાં પોતાના દેશમાં પણ એ criminal હોય, એને પણ ડીપોર્ટશન લાગુ પડે છે.
Immigration and Customs Enforcement – ICE – અનુસાર, ડીપોર્ટેશન વખતે હાથકડી અને બીજાં બન્ધનો SOP – standard operating procedure પ્રમાણે હોય છે, આડેધડ નહીં. સામાન્યપણે સ્ત્રીઓ અને બાળકોને આ બન્ધનો લાગુ નથી કરાતાં. દરેકનું માન જાળવવું એ આ પૉલિસીમાં મુખ્ય બાબત છે. તેમછતાં, SOP-નાં ધોરણ ન સચવાયાં હોય, તો તેની તપાસ માટે અપીલ કરી શકાય છે.
આપણે ભાવુકતાથી દોરવાઈને બૂમ પાડીને આપણી હૈયાવરાળ ઠાલવીએ એ સ્વાભાવિક છે.
તેમ છતાં, આ ચર્ચામાં ‘ગેરકાયદેસર’-ને ‘ગુનેગાર’ ગણીને ચાલીએ છીએ એ ખોટું છે. આમાં, ‘નાલેશી’ જોવી કે ‘હિણપત’ અનુભવવી અને એ કારણે ટ્રમ્પ અને મોદીને વચ્ચે લાવવા, બન્ને રાષ્ટ્રની નીતિઓને સમ્બોધવી, મોદી ટ્રમ્પને સિફારશ કરે કહેવું, વગેરે ભાવુકતા છે. બીજા દેશો માટે કોણ સિફારશ કરશે? સમજાશે કે એ રીતે વિચારવું જ ગલત છે. એ જ પ્રમાણે, માનવઅધિકારનો મુદ્દો પણ અહીં અપ્રસ્તુત છે કેમ કે એ મોટો મુદ્દો છે અને એમાં અનેક પેટા મુદ્દાઓ અનેકશ: જોડાયેલા છે. બાબુ સુથારે સરસ કહ્યું છે કે ‘માણસજાત માનવતાની બાબતે એકબીજા સાથે સંમત થાય એટલી મજબૂત નથી’.
મેં એક વાર લખેલું કે અમેરિકા વિશ્વભરમાંથી ઉત્તમ બુદ્ધિમાનોને આવકારે છે તેમ જ શ્રમજીવીઓને પણ આવકારે છે. આવકારનો અર્થ એ નથી કે રેડ કાર્પેટ પાથરે છે! કાયદા સૌને લાગુ કરાય છે.
૨૦૨૨ સુધીમાં યુ.ઍસ.એ.માં આશરે ૪.૮ મિલિયન ભારતીય અમેરિકન વસ્યા છે. એમાં ગ્રીનકાર્ડ હોલ્ડર્સ અને નેચરાલાઇઝ્ડ સિટિઝન્સ છે જેને legal residents-નો દરજ્જો અપાયો છે. અનુભવીઓને ખબર છે કે આ દરજ્જો મેળવવા કેટલાં લોહી-પાણી એક કરવાં પડે છે! એમાં ટૅમ્પરરી વીઝા-હોલ્ડર્સ પણ આવી જાય છે જેને non-residentsનો દરજજો અપાયો છે. આ દરજ્જો મેળવનારને પણ ખબર છે કે કેટલી વીસે સૉ થાય છે!
પરન્તુ જાણીને ચૉંકી જવાય છે કે According to the Pew Research Center, there are approximately 7,25,000 undocumented Indian immigrants in the United States as of 2023. ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’-એ આ આંકડાના અનુલક્ષમાં ગેકાયદેસરનાઓ સંદર્ભે ભારતને વિશ્વમાં ત્રીજા નમ્બરનું ઉલ્લેખેલું ! — Indians make up 3rd largest illegal immigrant population in US … timesofindia.indiatimes.com
આપણે એમ પૂછી શકીએ કે 7,25,000 undocumented અમેરિકન કે અન્યો ભારતમાં ઘૂસ્યા હોય તો ભારતને પાલવશે? પણ એમ પૂછવું એ રીત પણ વસ્તુલક્ષી નથી.
જે વ્યક્તિઓને દેશમાં પાછા ફરવું પડ્યું છે એઓ એને સહજ ગણે, ગેરકાયદે રહી પડેલા, હવે કાયદેસર ઘેર જઈએ છીએ, એમ ગણે. સાથોસાથ, એમને માનપૂર્વકનાં નોકરીધંધા મળે એ માટે આપણે સૌ પ્રાર્થના કરીએ એ જરૂરી છે અને એટલું પૂરતું છે.
= = =
(7Feb25USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર