Opinion Magazine
Number of visits: 9742883
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ये नफरत हमें कहाँ ले जाएगी?

राम पुनियानी|Opinion - Opinion|30 September 2023

अल्पसंख्यकों को डराने-धमकाने की बढ़ती घटनाएं

राम पुनियानी

पिछले कुछ महीनों में देश में कई ऐसी घिनौनी घटनाएं हुईं हैं जिनसे यह पता चलता है कि हमारे समाज में नफरत का ज़हर किस हद तक घुल चुका है और यह भी कि यह नफरत दिन-दोगुनी रात-चौगुनी गति से बढ़ती जा रही है. उत्तरप्रदेश में कंडक्टर मोहित यादव ने बस थोड़ी देर के लिए रुकवा दी क्योंकि कुछ लोग लघुशंका निवारण करते चाहते थे और कुछ नमाज़ पढना चाहते थे. नमाज़ पढ़ते हुए यात्रियों का वीडियो बना लिया गया. यादव और बस के ड्राईवर के खिलाफ शिकायत हुई और दोनों को निलंबित कर दिया गया. कुछ दिन बाद यादव ने आत्महत्या कर ली.

उत्तरप्रदेश में ही एक प्राइमरी स्कूल की अध्यापिका तृप्त त्यागी ने होमवर्क न करने के कारण एक मुस्लिम बच्चे को क्लास में खड़ा किया और फिर दूसरे बच्चों से कहा कि वे सब उसे एक-एक तमाचा मारें. अध्यापिका ने यह भी कहा कि मुस्लिम लड़कों को स्कूल छोड़ देना चाहिए. एक अन्य अध्यापिका मंजुला देवी ने दो मुस्लिम विद्यार्थियों, जो आपस में लड़ रहे थे, से कहा कि यह उनका देश नहीं है. कुछ स्कूलों से ऐसी खबरें मिलीं हैं कि हिन्दू बच्चे अपने मुस्लिम सहपाठियों को अपने साथ नहीं खिलाते.

‘प्रजातंत्र की जननी’ भारत की संसद में हाल में इससे भी ज्यादा घृणास्पद घटनाक्रम हुआ. भाजपा सांसद रमेश बिधूड़ी ने बसपा सदस्य दानिश अली को मुल्ला, आतंकवादी, राष्ट्रद्रोही, दलाल और कटुआ कहा. इस मुद्दे पर भाजपा ने केवल अनमने भाव से खेद जताया है और लोकसभा अध्यक्ष ओम बिरला ने बिधूड़ी को चेतावनी दी है कि अगर उन्होंने इस तरह की हेट स्पीच फिर दी तो उनके खिलाफ कार्यवाही की जाएगी. दानिश अली ने लोकसभा अध्यक्ष को पत्र लिखकर हेट स्पीच देने और उन्हें अपमानित करने के लिए बिधूड़ी के खिलाफ कार्यवाही की मांग की. वहीं कई भाजपा सांसद और नेता अपने साथी के बचाव में आगे आए हैं और उन्होंने दानिश अली पर बिधूड़ी को भड़काने का आरोप लगाया है. मुख़्तार अब्बास नकवी ने कहा कि दानिश अली ने कांग्रेस में शामिल होने के लिए यह सारा नाटक किया है. यह महत्वपूर्ण है कि जिस समय बिधूड़ी अपना ज़हरबुझा भाषण दे रहे थे, उस समय दो पूर्व केन्द्रीय मंत्री डॉ हर्षवर्धन और रविशंकर प्रसाद हंस रहे थे.

संसद में जो हुआ वह नफरत की राजनीति का चरमोत्कर्ष था. इस प्रकृति की जितनी घटनाएँ हो रही हैं, उनमें से बहुत कम सामने आ रही हैं. कोई भी संवेदनशील नज़र आसानी से पढ़ सकती हैं कि मुस्लिम समुदाय में किस कदर डर, असुरक्षा और रोष का भाव व्याप्त है. मुसलमान हाशिये पर ढकेल दिए गए हैं और वे कुंठित और असहाय महसूस कर रहे हैं. दलितों, महिलाओं और आदिवासियों की आर्थिक बदहाली, उनका दमन और अपमान और उनके खिलाफ हिंसा भी उतनी ही डरावनी है. और यह सब बहुसंख्यकवादी राजनीति के परवान चढ़ने का नतीजा है.

क्या नफरत हमारे समाज के लिए नई चीज़ है? बिलकुल नहीं. मुस्लिम  और हिन्दू सांप्रदायिक धाराएं अपने जन्म के बाद से ही ‘दूसरे’ समुदाय के खिलाफ नफरत को हवा देती आईं हैं. इसी से देश में सांप्रदायिक हिंसा शुरू हुई. औपनिवेशिक काल में जिस तरह की सांप्रदायिक हिंसा हुई, वह उसके पहले राजे-रजवाड़ों की काल में होनी वाली शिया-सुन्नी या शैव-वैष्णव पंथिक हिंसा से बहुत अलग थी. आज जहाँ पाकिस्तान, हिन्दुओं और ईसाईयों के खिलाफ सांप्रदायिक नफरत से उबल रहा है वहीं भारत में मुसलमानों और ईसाईयों के खिलाफ नफरत बढ़ रही है.

धार्मिक अल्पसंख्यकों के खिलाफ नफरत का आख्यान, सांप्रदायिक संगठनों ने गढ़ा और मीडिया ने उसे गहराई और व्यापकता दी. हमारे नेताओं को मीडिया की इस भूमिका का काफी पहले से अहसास था. स्वामी श्रद्धानन्द की अब्दुल रशीद द्वारा हत्या की खुलकर निंदा करते हुए महात्मा गाँधी ने अपने पाठकों का ध्यान अख़बारों की भूमिका की ओर दिलाया. ‘यंग इंडिया’ के 30 दिसंबर 1926 के अंक में “श्रद्धानंदजी – द मारटेयर” शीर्षक से प्रकाशित अपने लेख में उन्होंने सांप्रदायिक सौहार्द को बिगाड़ने और समाज में नफरत और हिंसा का प्रसार करने में अख़बारों की भूमिका के बारे में लिखा.

हिंसा का ज़हर फैलाने में प्रमुख सांप्रदायिक संगठन आरएसएस की भूमिका का खुलासा करते हुए तत्कालीन केन्द्रीय गृहमंत्री सरदार वल्लभभाई पटेल ने आरएसएस के मुखिया गोलवलकर को लिखी एक चिट्ठी में कहा था: “उनके (आरएसएस) सभी भाषण सांप्रदायिक ज़हर से भरे रहते थे. हिन्दुओं को उत्साहित करने के लिए या उन्हें उनकी सुरक्षा के लिए संगठित करने के लिए, यह ज़हर फैलाने की ज़रुरत नहीं थी. इसी ज़हर के अंतिम नतीजे में देश को गांधीजी की अमूल्य ज़िन्दगी का बलिदान देखना पड़ा.”

आज भी नफरत का स्त्रोत वही संगठन है जिसकी सरदार पटेल बात कर रहे हैं. इस नफरत को आरएसएस के विभिन्न अनुषांगिक संगठन बढ़ा रहे हैं. इस काम में कॉर्पोरेट-नियंत्रित गोदी मीडिया की भूमिका कम नहीं है. गोदी मीडिया सरकार के आगे नतमस्तक है और विपक्ष और सत्ताधारी दल के आलोचकों पर हमलावर है. सभी प्रमुख टीवी नेटवर्क कॉर्पोरेट घरानों ने खरीद लिए हैं और ये घराने सत्ताधारी दल के नज़दीक हैं. हिन्दू राष्ट्र की स्थापना के लक्ष्य को लेकर चल रही भाजपा ने एक सोशल मीडिया सेल खोला है और नफरत के अपने सन्देश को फैलाने के लिए लाखों व्हाट्सएप ग्रुप बनाये हैं.

आश्चर्य नहीं कि इन हालातों में इंडिया गठबंधन को मजबूर होकर यह निर्णय लेना पड़ा कि उसके प्रवक्ता अलग-अलग चैनलों के 14 एंकरों की मेजबानी वाले टॉक शो में हिस्सा नहीं लेंगे. अपने आकाओं को खुश करने की होड़ में ये एंकर विपक्षी पार्टियों और अल्पसंख्यक समुदायों पर कीचड़ उछालने का कोई मौका हाथ से नहीं जाने देते. वे पत्रकारिता की इस मूल सिद्धांत को भूल चुके हैं कि पत्रकारों को निष्पक्ष होना चाहिए और उनमें यह साहस होना चाहिए कि वे शक्तिशाली सत्ताधारियों के मुंह पर बेबाकी से सच बोल सकें.

हमारा गणतंत्र एक गंभीर संकट के दौर से गुज़र रहा है. प्रजातंत्र की उच्चतम संस्था से नफरत फैलाई जा रही है. इसका हमारे सामाजिक जीवन, हमारे संवैधानिक मूल्यों और देश के लोगों के बीच भाईचारे पर क्या असर पड़ेगा? जिस बेशर्मी से रमेश बिधूड़ी का बचाव किया जा रहा है उससे साफ़ है कि उन्हें उनके शीर्ष नेताओं का वरदहस्त हासिल है. हेट स्पीच को रोकने का कोई प्रयास नहीं हो रहा है और ना ही नफरत फैलाने वालों के खिलाफ कोई कार्यवाही हो रही है. धर्मसंसदों के आयोजक और यति नरसिंहानंद  जैसे लोग नफरत की दुकानें चला रहे हैं.

नरसंहार से जुड़े मसलों के अध्येता प्रोफेसर ग्रेगोरी स्टेंटन ने रवांडा के रेडियो के प्रसारणों को सुन कर यह भविष्यवाणी की थी कि वहां नरसंहार होगा. और 1994 में वही हुआ. उनके अनुसार, भारत में नरसंहार होने की सम्भावना एक से दस के स्केल पर आठ है. देश में जिस तरह की भयावह घटनाएं हो रहीं हैं, क्या उनकी निंदा करना, उन पर टिपण्णी करना ही पर्याप्त है? क्या हम मूक दर्शक बने रह सकते हैं? क्या संपूर्ण विपक्ष एक स्वर में हेट स्पीच की खिलाफत नहीं कर सकता? क्या भारत के संविधान के मूल्यों में यकीन रखने वाले राजनैतिक दल, सामाजिक संगठन और मानवाधिकार समूह, देश में भाईचारे को बढ़ावा देने के लिए कुछ नहीं कर सकते? यह सब जल्द से जल्द होना चाहिए. पहले ही बहुत देर हो चुकी है.

27/09/2023
(अंग्रेजी से रूपांतरणअमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)
https://www.navjivanindia.com/opinion/the-fire-of-hate-speech-reached-parliament-where-will-this-hatred-take-us-article-by-ram-puniyani

Loading

ચલ મન મુંબઈ નગરી—216

દીપક મહેતા|Opinion - Opinion|30 September 2023

સર મંગળદાસ નથુભાઈના દીકરાનાં લગ્ન અને પ્રિન્સ ઓફ વેલ્સ   

સ્થળ : કોટ વિસ્તારમાં બનાજી સ્ટ્રીટ પર આવેલી બનાજી લીમજી અગિયારી.

પાત્રો : રતનજી ફરામજી વાછા (૭૮ વરસની ઉંમરે બેહસ્તનશીન થયા, ૨૨ ઓગસ્ટ ૧૮૯૩) અને આપનો નાચીઝ દી.મ. 

દી.મ. : વાછા શેઠ, આપને ફરી મળીને આનંદ થયો.

વાછા શેઠ : અમુને બી ઘન્ની ખુશી ઊપજી!

દી.મ. : આજે જેમનાં નામ પણ ભુલાઈ ગયાં છે એવાં કેટલાં બધાં કુટુંબોની વાતો આપે ‘મુંબઈનો બાહાર’ પુસ્તકમાં નોંધી છે. તેમાંની થોડી વાતો કહો ને!

વાછા શેઠ : જુઓ બાવા! તમને તો માલમ છે કે તવારીખની નોંધ રાખવામાં આપના દેશના લોકોએ ઝાઝું ધીયાન આપ્યું નથી. પણ જે બી બાબતો નોંધાઈ છે તે ઉપરથી એમ કહી સકાય કે મુંબઈ આવીને વસેલા પહેલવહેલા હિંદુ ગુજરાતી હતા શેઠ રૂપજી ધનજી. કાઠિયાવાડના કિનારે આવેલા દીવ બંદરે તેઓ નાનોમોટો વેપાર કરતા હુતા. દીવમાં એ વખતે પોર્તુગીઝોનું રાજ, અને મુંબઈમાં અંગ્રેજોનું રાજ હજી નવુંસવું હતું એટલે દીવ કરતાં મુંબઈમાં વેપાર-વણજ માટેની તક વધારે. એટલે વિક્રમ સંવત ૧૭૪૮માં, એટલે કે ઈ.સ. ૧૬૯૧માં, પોતાના કબીલા સાથે તેઓ મુંબઈ આવી વસ્યા.

દી.મ. : એ જમાનામાં આટલી લાંબી મુસાફરી કેવી રીતે કરી હશે? 

વાછા શેઠ : શઢવાલા દેશી વહાણમાં.

દી.મ. : ઓહો! તો તો ઘણો લાંબો વખત લાગ્યો હશે!

વાછા શેઠ : એક વાત સમજવા જેવી છે, મહેતા! એ વખતે આસપાસના મુલક સાથે આય મુંબઈ શહેર જમીન રસ્તે જોડાયેલું હુતું જ નહિ. એટલે બહારથી જે બી લોક આવિયા તે દરિયા રસ્તે જ આવિયા. એટલે સુરત, ભરૂચ, ઘોઘા, દીવ જેવાં બંદરો પરથી પહેલા ગુજરાતી અહીં આવિયા. અને જમીન રસ્તા જ નહોતા તો પછી વાહનની સગવડ તો ક્યાંથી જ હોય?

દી.મ. : અચ્છા! હવે સમજાયું કે કવિ નર્મદ બાળપણમાં માતા સાથે સુરતથી મુંબઈ આગબોટમાં કેમ આવતા. ‘મારી હકીકત’ નામે લખેલી આત્મકથા(૧૮૬૬)માં નર્મદ લખે છે : “સુરતથી મુંબઈ જતાં આગબોટમાંથી કુલાબો દેખાતાં મારા અંગમાં જોર આવતું ને પછી બંદર પરથી ઘેર જતાં ચાંદની રાતે કોટમાંનાં મોટાં મકાનો જોઈ મને નવાઈ લાગતી તે, અને મુંબઈથી આગબોટમાં સુરત આવતાં વલસાડ આગળથી જે હવા બદલાતી લાગતી તે, હજી મને સાંભરે છે.”

વાછા શેઠ : મહેતા, તમોને તો માલુમ હોસે જ પણ કવેસર દલપતરામભાઈ ૧૮૫૦ના માર્ચમાં એલેક્ઝાન્ડર ફોર્બ્સ સાથે પહેલી વાર અમદાવાદથી મુંબઈ આવ્યા ત્યારે એ બધાં પહેલાં અમદાવાદથી ખંભાત બળદ ગાડામાં ગયેલા અને ત્યાંથી ફોર્બ્સે અલાયદું સુવાંગ શઢવાળું વહાણ ભાડે રાખેલું. અને એવનને ખંભાતથી મુંબઈ પહોંચતાં પાંચ-છ દિવસ લાગીયા હુતા.

દી.મ. : અને કવિ નર્મદ પહેલી વાર આગગાડી કહેતાં ટ્રેનમાં બેઠા તે પછી તેમણે એ મુસાફરી વિષે કવિતા લખેલી. તેની થોડી લીટી સંભળાવું?

વાછા શેઠ : ઈર્શાદ, ઈર્શાદ.

દી.મ. : (નર્મકવિતા’માંથી વાંચે છે)

ગાડીમાંથી રચના જોતાં હરખ્યું મન મુજ.

ડુંગર મોટા પડેલ લાંબા, અજગર જેવા દેખાયા તે,

રંગરંગના, કેટલાકના કળોઠી જેવા રંગ ચળકતા 

કેટલાક તો કાળા બલ્લક, કેટલાક તો ભૂરા–રાતા 

જેની માંહે વચ્ચે વચ્ચે લાલ માટીના ઢળતા લીટા,

શોભે સારા, કો લીલા પર કાળી વાદળી ઝૂમી રહેલી 

આગળ જાતાં ખેતર, તેમાં ઝાડો વચ્ચે કંઈ કંઈ અંતર 

જે માંહેથી આરપાર ખૂબ નિરખતાં 

તો ચકચકતો બહુ દરિયો દીસે.

ગાડી જ્યારે જાય ટનલમાં ચિંઈઈ કરીને 

તારે સહુ જન થાય અજબ બહુ 

એવી વેળા થોડી વારના અંધારામાં 

નિજ પ્રિયજનને છાતીસરસું ખૂબ ચાંપવું,

એ સુખડું તો સ્વર્ગનું સાચે. 

દી.મ. : વાછા શેઠ, હવે રૂપજી ધનજી શેઠ વિષે થોડી વાત કરો ને!

સર મંગળદાસ નથુભાઈ

વાછા શેઠ : શરૂઆતમાં બહારથી જે લોકો મુંબઈ આવી વસ્યા તે મોટે ભાગે સરકારને, અને ખાસ કરીને તેના લશ્કરને જોઈતો માલ-સામાન પૂરો પાડવાનું કામ કરતા. રૂપજી શેઠે બી એ જ કામ કર્યું હુતું. તેવણને ત્રણ બેટા હતા. પણ તેમાંના બે વિષે કંઈ બી જાણવા મલતું નથી. વડા બેટા મનોરદાસ રૂપજીએ પહેલાં તો બાપીકો ધંધો જ ચાલુ રાખીયો. તેમાં બે પાનરે થિયા પછી સરાફીનો ધંધો શુરુ કરી ઘન્નું કમાયા અને નગર શેઠ જેવું માન મેળવવા લાગીયા. પછીના વારસોએ બી કુટુંબનું નામ રાખ્યું. પણ તેને સૌથી વધારે ઉજાળ્યું તે તો શેઠ મંગળદાસ નથુભાઈએ.

દી.મ. : ઓહો! હિંદુ ગુજરાતીઓમાં ‘સર’નો ઈલ્કાબ પહેલવહેલો મેળવનાર સર મંગળદાસ નથુભાઈની વાત કરો છો આપ?

વાછા શેઠ : બીજા કોઈ મંગળદાસની મુને તો ખબર નથી. ૧૮૩૨ના ઓક્ટોબરની ૧૫મી તારીખે મુંબઈમાં જ એવનનો જનમ થિયો. ગુજરાતી ધૂડી નિશાળમાં શીખ્યા પછી થોડો વખત અંગ્રેજી સ્કૂલમાં ભણ્યા. પણ કુટુંબની મિલકતના ટ્રસ્ટી બનેલા વકીલોની દાનત ખોરી છે એમ જણાતાં ભણવાનું છોડી અદાલતના દરવાજા ખખડાવ્યા અને ઉંમરલાયેક થતાં બધી મિલકત પોતાને સ્વાધીન કીધી. પછી ફરી અંગ્રેજી શીખવાનું શુરુ કીધું, ઓરિયેન્ટલ ટ્રાન્સલેટર વિનાયકરાવ વાસુદેવની પાસે. 

દી.મ. : આ મંગળદાસ શેઠ તો એ વખતે ચાલતી સમાજ સુધારાની ચળવળના પણ મોટા ટેકેદાર હતા, ખરું?

વાછા શેઠ : બિલકુલ ખરું. છોકરીઓને શીખવવા માટે એવને પાયધોણી નજીક કન્યાશાળા શુરુ કીધી અને તેના નિભાવ માટે દર વરસે ૧૫૦૦ રૂપિયા આપવાની બાહેધરી આપી, ને ઉપરાંત વીસ હજાર રૂપિયાની ગવર્નમેન્ટ પ્રોમીસરી નોટ બી લખી આપી હુતી. આપરે જે વારની વાત કરીએ ચ તે વારે રોયલ એશિયાટિક સોસાયટી(આજની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ)ના સભ્ય થવું એ બહુ મોટું માન મનાતું. ૧૮૦૪માં આય સોસાયટી શુરુ થઈ તે પછી ઘન્નાં વરસ તો કોઈ બી ‘દેશી’ તેનો સભ્ય થઈ જ સકતો નહિ હૂતો. મંગળદાસ શેઠ ૧૮૬૩માં આય સોસાયટીના મેમ્બર બનિયા હુતા. એ જ વરસે એવને યુનિવર્સિટી ઓફ બોમ્બેને ૨૦ હજાર રૂપિયાની સખાવત કરી, જેના વ્યાજમાંથી હિંદુ ગ્રેજ્યુએટોને બ્રિટન જઈ ભણવા માટે તેમના નામની ટ્રાવેલિંગ ફેલોશિપ આપવાનું ઠેડવ્યું હુતું.

દી.મ. : આ શેઠ સાહેબ આટલી સખાવત છુટ્ટે હાથે કરતાં તે એમનો કારોબાર શો હતો?

વાછા શેઠ : તમે મંગળદાસ માર્કેટનું નામ તો સાંભળ્યું જ હોસે.

દી.મ. : અરે, જોઈ પણ છે.

વાછા શેઠ : બસ તો, શેઠનો વેપાર હૂતો કાપડનો. ૧૮૬૦થી ૧૮૭૪ સુધી એવન બોમ્બે યુનાઈટેડ મિલના એજન્ટ હુતા. તેમની યાદગીરીમાં જ આય માર્કેટનું નામ. 

દી.મ. : અને તેમણે છેક કલ્યાણમાં હોસ્પિટલ બંધાવેલી એ વાત સાચી?

સર મંગળદાસ નથુભાઈએ વાલકેશ્વરમાં બંધાવેલાં મંદિર અને ધરમશાળા

વાછા શેઠ : હા. મંગળદાસ શેઠનાં ઘરવાળાં રુકમણી ગુજરી ગિયાં તે પછી ૫૦ હજાર રૂપિયાના ખર્ચે શેઠે કલ્યાણમાં હોસ્પિટલ શુરુ કીધી, જે આજે બી ચાલુ છે. મુંબઈ સરકારે પોતાની ‘લેજિસલેટિવ કાઉન્સિલ’ના એકુ મેમ્બર તરીકે ૧૮૬૬માં એવનની નિમણૂક કીધી હુતી. અગાઉ ‘ધી બોમ્બે એસોસિયેશન’ શુરુ થઈ હુતી તે વખત જતાં નબળી હાલતની થઈ ત્યારે ૧૮૬૭માં મંગળદાસ શેઠે તેને ફરી બેઠી કીધી અને તેના સરનશીન બન્યા. તેમની સેવાઓને ધ્યાને લઈને ગ્રેટ બ્રિટનનાં મહારાણીએ ૧૮૭૨માં એવનને ‘ઓર્ડર ઓફ ધ કમ્પેનિયન ઓફ ધ સ્ટાર ઓફ ઇન્ડિયા’ના ખિતાબથી નવાજ્યા હુતા. અને પછી ૧૮૭૫માં નાઈટનો માનવંતો ઈલ્કાબ આપતાં તેઓ સર નથુભાઈ મંગળદાસ બનિયા હુતા. એ જ વરસે એવને ૨૫ હજાર રૂપિયાને ખર્ચે વાલકેશ્વરમાં મંદિર અને ધરમશાળા બંધાવ્યાં હુતાં. દેશમાં તાજનું રાજ શુરુ થિયું તે વારે કાયદા ઘડવા માટે ‘કાઉન્સિલ’ સરકારે શુરુ કીધી તે વારે તેના પહેલા ‘દેશી’ મેમ્બર જગન્નાથ શંકરશેઠ બનિયા હુતા. પણ એવન ગુજરી ગયા પછી એ માન શેઠ મંગળદાસ નથુભાઈને મળિયું હુતું એટલું જ નહિ, ચાર-ચાર વખત તેઓ આય કાઉન્સિલના મેમ્બર બનિયા હુતા.

દી.મ. : વાછા શેઠ, એક વાત પૂછું?

વાછા શેઠ : પૂછો, પૂછો. માલુમ હોસે તો જનાવિસું.

સર મંગળદાસ નથુભાઈએ પ્રિન્સ ઓફ વેલ્સને ભેટ આપેલાં ચિત્રોમાનું એક ચિત્ર

દી.મ. : સાંભળ્યું છે કે ૧૮૭૫માં પ્રિન્સ ઓફ વેલ્સ મુંબઈ આવેલા ત્યારે નથુભાઈને ઘરે ગયેલા.

વાછા શેઠ : એક સો ને એક ટકા સાચી વાત. એ દિવસ હૂતો ૧૮૭૫ના નવેમ્બરની ૨૫મી તારીખ. પ્રિન્સ ઓફ વેલ્સના મુંબઈ મુકામનો છેલ્લો દિવસ. એ જ દહાડે સર મંગળદાસ નથુભાઈના દીકરાનાં લગન હુતાં અને સરસાહેબે પ્રિન્સને લગ્નમાં હાજર રહેવા નોતરું મોકલ્યું. અને પ્રિન્સ ઓફ વેલ્સ એ લગ્નમાં હાજર રહ્યા. એ વખતે સરસાહેબે પ્રિન્સને ચિત્રોના ત્રણ આલ્બમ ભેટ આપેલાં. આય પ્રિન્સ ઓફ વેલ્સ પછીથી સાતમા કિંગ એડવર્ડ બન્યા. એટલે આય આલ્બમો આજે બી લંડનના રોયલ કલેક્શન્સ ટ્રસ્ટમાં સચવાયાં છે.

દી.મ. : પોતાના ભૂતકાળની યાદગીરી સાચવી રાખવા બીજા દેશના લોકો કેટલી મહેનત કરે છે! અને આપણે ત્યાં તો મંગળદાસ શેઠનો એકાદ ફોટો મેળવતાં પણ નાકે દમ આવી જાય છે!

વાછા શેઠ : જુઓ મહેતા. તમે નર્મદાશંકરની કવિતા વાંચી. તેઓ બહુ મોટા કવિ હુતા એની ના નહિ. પણ અમારા પારસીઓમાં તો દલપતરામભાઈ વધારે પોપ્યુલર. તમને તો માલુમ છે જ કે ૧૮૫૭માં આખા હિન્દુસ્તાનમાં સ્ત્રીઓ માટેનું પહેલવહેલું માસિક ગુજરાતી ભાષામાં અને મુંબઈથી પારસીઓએ શુરુ કીધેલું. એનું નામ હુતું ‘સ્ત્રીબોધ.’ તેના પહેલા જ અંકથી દર મહીને દલપતરામભાઈ ખાસ નવી નવી કવિતા લખીને મોકલતા અને વાચનારીઓ તે હોંસે હોંસે વાંચતી. દલપતરામભાઈએ સર મંગળદાસ માટે બી દોહરા લખિયા હુતા. તેમાંથી થોડા સંભળાવું?

 દી.મ. : ઓહોહો! જરૂર સંભળાવો વાછા શેઠ!

વાછા શેઠ : અમદાવાદથી નીકળતા ‘બુદ્ધિપ્રકાશ’ ચોપાનિયાના ૧૮૬૨ના એપ્રિલ અંકમાં છપાયેલા દોહરામાંથી થોરાક :

મંગળ કરવા મનુષ્યનું, ઈચ્છે મંગળદાસ,

તેનું મહામંગળ થવા, ઈશ્વર પૂરે આશ.

જશ તારો આ જગતમાં, પૂરણ થયો પ્રકાશ,

કામ અધિક જે તેં કર્યું, મંગળ મંગળદાસ.

તારા સારા કામમાં, કશી નહિ રહી કચાશ,

જગકર્તા તારું કરે, મંગળ મંગળદાસ.

ભગવાને સોંપ્યા ભલે, પૈસા તારી પાસ,

તેથી મોટું તે કર્યું, મંગળ મંગળદાસ.

તે જનનીને ધન્ય છે, ઉદર ધર્યો નવ માસ,

માત–પિતાનું તેં કર્યું, મંગળ મંગળદાસ.

તુજથી સૌ સારું થશે, વિશેષ છે વિશ્વાસ,

તું સૌનું કરનાર છે, મંગળ મંગળદાસ.

દિલ સાચે દલપત કહે, વસો અચલ સુખવાસ,

ત્રિલોકમાં તારું થજો, મંગળ મંગળદાસ. 

દી.મ. : વાછા શેઠ : આપનું પુસ્તક ‘મુંબઈનો બાહાર’ ૧૮૭૪માં છપાયું ત્યારે તો મંગળદાસ શેઠ હયાત હતા. પણ તે પછી ૧૮૯૦ના માર્ચ મહિનાની નવમી તારીખે તેઓ સ્વર્ગવાસી થયા. 

વાછા શેઠ : અમુને તો ખાતરી છે કે ખોદાયજીને ત્યાં ગયા વેરે બી મંગળદાસ શેઠે બીજાનાં ભલા માટેનાં કામ કીધાં હોસે.

દી.મ. : વાછા શેઠ. આજે તો વાતોમાં ટાઈમ ક્યાં પૂરો થઈ ગયો તેની ખબર પણ ન પડી. હવે આવતા શનિવારે થોડી વધુ વાતો કરવા ફરી મળીશું. 

વાછા શેઠ : ખોદાયજી તમોને સલામત રાખે.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 30 સપ્ટેમ્બર 2023)

Loading

પરોણાગત

વજેસિંહ પારગી|Opinion - Opinion|30 September 2023

(વજેસિંહે લખેલું સંસ્મરણ)

વજેસિંહ પારગી

વાત છે ફાટેલી ચડ્ડીના ખિસ્સામાં મકાઈનો ચોથિયો રોટલો ઘાલીને ઉધાડા પગે ઘરથી (ઈટાવા, તાલુકો – દહોદ) નિશાળ ને નિશાળથી ઘર ચાર દૂની આઠ કિ.મી.ની પદયાત્રા કરવાના દિવસોની. અમારે મન ઢોરાં ચારવા જવું ને નિશાળે જવું બંને સરખું. અમારાં માબાપ ને માસ્તરોની પણ એક જ મંછા – છોરાને લખતાં-વાંચતાં આવડે એટલે પત્યું. આપણે ક્યાં ભણીને રાજ લેવાનું છે! આવી વૃત્તિ ને માહોલમાં અમારે નિશાળે જવાનું. ત્યારે હું છઠ્ઠામાં. ગામમાંથી નિશાળે જનારી અમારી પાંચની ટણકટોળી. આઠથી બારની વય. આજુબાજુનાં ગોમોને પાંચ-સાત કિ.મી.ના અંતરે પડે એવી એકથી સાત ધોરણની એકમાત્ર પ્રાથમિક શાળા કઠલા ગામે. કઠલા મારું મોસાળ. ઘણા મને ઓળખે, ઘણાને હું મામા કહું. બાર-પંદર ગામના છોકરા આ શાળમાં ભણે! એ કાળે થોડાં ઝાડી-જંગલ. શિયાળાના ટૂંકા દિવસોમાં સાંજે નિશાળેથી પાછા ફરતાં અંધારું ઊતરી પડે ને સાપ શિયાળવાંની બીક પણ લાગે!

ચોમાસામાં છત્રી વગર હેરાન થઈએ. વરસતી ઝડીમાં પલળતાં-પલળતાં ઘરે આવવું પડે. ચોમાસું પણ કેવું! ભાદરવાના દિવસોમાં હેલી થાય ત્યારે ત્રણ-ચાર દિવસ ઘરમાં ગોંધાઈ રહેવું પડે, એવો વરસાદ એ જમાનાનો. આવા ભાદરવા મહિનામાં એક દિવસે નિશાળમાં હતા ને ઘનઘોર મેઘાંડબર છવાયો. ગાજવીજ ને કડાકાભડાકા સાથે બારે મેઘ ખાંગા થયા. નજર પૂગે ત્યાં લગી પાણી જ પાણી. અમારો ડુંગરાળ વિસ્તાર પણ જળબંબોળ લાગે! માસ્તરોએ નિશાળ છોડી મૂકી. દફતરો નિશાળમાં છોડીને અમે ઘર તરફ દોટ મૂકી! અમારા દફતરમાં હોઈ હોઈ ને હોય પણ શું? ફાટેલી થેલીમાં ફૂટેલી સ્લેટ, સ્લેટપેન-પેન્સિલના ટુકડા ને ફાટેલી એકબે ચોપડી ને નોટ. નિશાળ ને આમારા ગામ વચ્ચે કાળી નદી. નદી બે વડે અકાંછકાં (બે કિનારે છલકાય), ભલભલા તરવૈયાના હાંજા ગગડી જાય એવો નદીનો ઘુધવાટ. કાંઠે ઊભા ઊભા વિમાસીએ. શું કરવું, ક્યાં જવું? ઉઘાડા માથે મુશળધાર વરસાદ ને ઉપરથી પવનના સુસવાટા. હિક્કળ લાગવાથી માતા આવી હોય એમ ધ્રૂજીએ. હિક્કળથી દાંતની કટકટી વાગે, ધરે કોઈ લેવા આવશેની થોડી વાર રાહ જોઈ. પણ એ આશા ય પૂરમાં તરણું તણાય એમ તણાઈ ગઈ! કોઈ આરોઓવારો ન દેખાયો. પાછા વળ્યા. શેરીના પાસે પડતા એક ઘરમાં માથું મારીને ઘૂસી ગયા. ઘરધણીએ હેતથી આવકારો આપ્યો. અંગેટી (તાપણું) કરીને બેસાડ્યા. લથબથ ખમીસો નિચોવીને વાંસની વળગણીએ નાખ્યા. થેલા ઓઢવા આપ્યા. થોડાં હૂંફ ને ગરમાવો મળ્યાં. માંડ-માંડ જીવમાં જીવ આવ્યો. અમને મીઠો આવકારો આપનારા ઘરધણીનું નામ, જોખો ડામોર. ભાદરવો એટલે અમારા લોકો માટે ભૂખમરાનો મહિનો. દાણોપાણી ખૂટી ગયાં હોય, ખેતરોમાં ધાન પાક્યું હોય પણ હજુ લીલું હોય, એટલે છતે ધાને ભૂખે મરવાનું કરમમાં લખાયેલું. તે વખતના લોકો ભૂખથી ચીમળાય પણ આજની પેઢીની જેમ ઘર-ગામ છોડીને મજૂરી કરવા ગુજરાતમાં ન આવે. (હા, અમે ગુજરાતમાં જ આવીએ, પણ અમારે મન ગુજરાત એટલે ખેડા, વડોદરા ને અમદાવાદ જિલ્લો) ભાદરવામાં કોઈક જ ઘરમાં સવારસાંજ ચૂલા સળગે. પાછલું વરસ કાળદુકાળનું હોય તો, કેટલાં ય ઘરોમાં મહુડાં શેકીને કે બાફીને ખાઈ લેવાનું ને કપરા દિવસો કાપવાના એવી દારુણ ગરીબીનો અભિશાપ લઈને જન્મેલી અમારી કોમ.

આવા ભૂખમરાના દિવસોમાં વેરી વરસાદે અમને એક અજાણ્યાના ઘરે પામળા (અતિથિ) બનાવી દીધા. ઘરધણીનું આઠ જણનું વસ્તારી કુટુંબ. અમારાં પેટમાં બિલાડાં બોલે, મોઢાં નિમાણાં થઈ ગયાં. અભણ પણ વખો વેઠેલો જોખો અમારા દીદાર જોઇ બધું કળી ગયો. ‘છોરા ભૂખ્યા છે!’ ઘરવાળી સાથે ખૂણામાં જઈને ગુપસુપ કરી. જોખો માથે થેલાની ઘૂમટી ઓઢી ધોધમાર વરસાદમાં ઘરની બહાર નીકળી ગયો. કલાકેકમાં પાછો આવ્યો. સંતાડેલી કપડાની પોટલી ઘરવાળીને આપી. ઘરવાળીએ ચૂલો સળગાવ્યો. કોઈકને ત્યાંથી ઉછીઉધારો લાવેલા લોટના પાંચ રોટલા થયા. મરચાની મીઠું નાખી ચટણી વાટી. રાતી જુવારનો એકએક રોટલો અમને પાંચેયને ભાવથી ધર્યો. ‘ખાઓ બેટા! આખા દાડાના ભૂખ્યા ઓહે (હશો). ડુંગર બળે તો તો હૌ કોઈ દેખે, પેટ બળે તો કોણ દેખે!’ અમને તો પકવાન પીરસાયા જેટલો રાજીપો થયો. બે-ત્રણ કોળિયા ઊતર્યા હશે ને જોખાના સૌથી નાના અમારી હામીદામી(સમવયસ્ક)ના છોકરાના મોંમાંથી રૂંગું નીકળ્યું. એની માએ મોઢે હાથ દાબ્યો છાં દબાયેલો અવાજ મારા કાનમાં શીશાની જેમ ઊતરી ગયો. ‘આઈ, મને પણ રોટો આલને હું ય હવારનો ભૂખ્યો છું.’ અમે બે મોટા છોકરા મામલો સમજી ગયા. અડધો-અડધો રોટલો ભાગીને એ છોકરાને આપવા લાગ્યા ત્યારે જોખો કહે, ‘ખાઓ બેટા, એ તો દુત્તુ (જુઠ્ઠું) બોલે છે. હમણાં જ એણે ખાધું છે.’ પાછળથી ખબર પડી કે આખું ઘર સવારથી જ ભૂખ્યું હતું! આજે સાત પેઢી ખાતાં ન ખૂટે એટલું ધાન હોવા છતાં કોઈ ભિખારીને એક રોટલી નથી આપતું; ત્યારે એક ગરીબ આદિવાસી પોતાની ને પોતાના વસ્તારના પેટની આગ ઠારવાને બદલે ડુંગર ઠારવા (અમારી ભૂખ ભાંગવા) મુશળધાર વરસાદમાં નીકળી પડે એ ઘટના કલ્પનાતીત જ લાગે! પણ આ ઘટના આજે ત્રીસ વરસે ય મારી આંખના ખૂણા ભીંજવી જાય છે.

(નિર્ધાર, પેજ નં. ૪, ઑક્ટોબર ૨૦૦૯)
‘નિર્ધાર’ નામનું એક સામયિક પ્રકાશિત થતું. એના એકવીસેક અંક પ્રકાશિત થયા હશે. વજેસિંહ પારગીએ લખેલું આ સંસ્મરણ ‘નિર્ધાર’માંથી મળ્યું)
સૌજન્ય : ઉમેશભાઈ સોલંકીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...9989991,0001,001...1,0101,0201,030...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved