Opinion Magazine
Number of visits: 9457996
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—200

દીપક મહેતા|Opinion - Opinion|10 June 2023

જ્યારે કોર્નવોલિસના પૂતળાની લોકો પૂજા કરતા

અસવાર વગરનો કાળો ઘોડો આજે ય ઊભો છે મુંબઈમાં 

અંગ્રેજ રાજવટ દરમ્યાન મુંબઈમાં પૂતળાં તો ઘણાં ઊભાં થયાં. પણ ‘દેશી’ લોકોના મનમાં આજ સુધી જેનો વાસ રહ્યો હોય એવું પૂતળું તે કિયું? પૂતળું હતું ત્યારે અને એ ખસેડાયું તે પછી પણ છેક આજ લગી એક આખો વિસ્તાર એ પૂતળાથી ઓળખાય છે : ‘કાળા ઘોડા’. અંગ્રેજ સરકાર માટે ઘોડો મહત્ત્વનો નહોતો, તેના પર બેઠેલો અસવાર મહત્ત્વનો હતો. પણ આપણા લોકોના મનમાં વસી ગયો તે કાળો ઘોડો, તેના પર આરૂઢ થયેલો અસવાર નહિ. પણ એ અસવાર હતો કોણ? પ્રિન્સ ઓફ વેલ્સ, જે પછીથી થયા હતા સાતમા કિંગ એડવર્ડ. જન્મ ૧૮૪૧માં, અવસાન ૧૯૧૦માં. ૧૮૧૯માં જન્મેલાં રાણી વિક્ટોરિયાનો શાસનકાળ ૧૯૦૧માં તેમના અવસાન સાથે પૂરો થયો. એટલે પ્રિન્સ ઓફ વેલ્સ છેક ૧૯૦૧માં રાજગાદી પર બેઠા હતા. ૧૯૧૦ના મે મહિનાની છઠ્ઠી તારીખે તેમનું અવસાન થયું.  આ પ્રિન્સ ઓફ વેલ્સે ૧૮૭૫ના નવેમ્બરની આઠમી તારીખે મુંબઈના એપોલો બંદર પર પગ મૂક્યો હતો. એ વખતે હજી આઉટ ડોર ફોટોગ્રાફી પ્રચલિત થઈ નહોતી એટલે રસાલામાં કેટલાક ચિતારા રાખવામાં આવેલા જેમણે શાહી મુલાકાતનાં અનેક ચિત્રો દોરેલાં. તેમાનું એક ચિત્ર અહીં મૂક્યું છે. મુંબઈમાં અને હિન્દુસ્તાનમાં જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું. પણ ૧૯૨૧માં તેમના અનુગામી (જે પછીથી આઠમા કિંગ એડવર્ડ બનેલા) મુંબઈ આવ્યા ત્યારે આખું વાતાવરણ બદલાઈ ગયું હતું. કાઁગ્રેસે તેમની મુલાકાતનો બહિષ્કાર જાહેર કર્યો હતો એટલે મુંબઈના રસ્તાઓ પરથી તેમની શાહી સવારી નીકળી ત્યારે રસ્તા સૂમસામ હતા. સરકારી દબદબો તો કદાચ વધુ હતો, પણ લોકોની હાજરી સાવ પાંખી હતી.

મુંબઈના બારામાં પ્રિન્સ ઓફ વેલ્સનું આગમન દર્શાવતું ચિત્ર

અને છતાં મુંબઈગરા લાંબા વખત સુધી પ્રિન્સને ભૂલ્યા નથી. લશ્કરી યુનિફોર્મમાં કાળા રંગના ઘોડા પર બેઠેલા પ્રિન્સનું ભવ્ય પૂતળું હાલના દાદાભાઈ નવરોજી રોડ, મહાત્મા ગાંધી રોડ, અને રામપાર્ટ રોના જંકશન પર, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમના મુખ્ય પ્રવેશ દ્વારની બરાબર સામે, મૂકવામાં આવ્યું હતું. આ પૂતળું હતું તો કાંસાનું, પણ તેને કાળા રંગે એવી રીતે રંગવામાં આવેલું કે તે જાણે કાળા આરસનું બનેલું હોય તેવું લાગતું હતું. ઓસ્ટ્રિયન મૂળના અંગ્રેજ શિલ્પકાર સર જોસેફ બોમે (૧૮૩૪-૧૮૯૦) આ પૂતળું તૈયાર કર્યું હતું. પૂતળાં બનાવવા ઉપરાંત તેઓ સિક્કા કે મેડલ પરની ડિઝાઈન બનાવવા માટે પણ ખૂબ જાણીતા હતા. ૧૮૮૭માં રાણી વિક્ટોરિયાની તાજપોષીને ૫૦ વરસ પૂરાં થયાં ત્યારે બહાર પડાયેલા સિક્કા માટે તેમણે તૈયાર કરેલી ડિઝાઈન સૌથી વધુ જાણીતી છે. લંડનમાં આ પૂતળું તૈયાર કરવાનો ખરચ ૧૨,૫૦૦ રૂપિયા (ના, જી, છાપભૂલ નથી, સાડા બાર હજાર રૂપિયા ફક્ત) આવ્યો હતો. ત્યાંથી હિન્દુસ્તાન લાવ્યા પછી ૧૮૭૯ના જૂનની ૨૯મી તારીખે મુંબઈના તે વખતના ગવર્નર સર રિચર્ડ ટેમ્પલે તેને ખુલ્લું મૂક્યું હતું.

અસલી કાળા ઘોડા પર આરૂઢ પ્રિન્સ ઓફ વેલ્સ

અને હા, આ સાડા બાર હજાર રૂપિયા બ્રિટિશ સરકારે નહોતા ખર્ચ્યા. પણ એ જમાનાના પ્રખ્યાત દાનવીર સર આલ્બર્ટ સાસૂને મુંબઈ શહેરને આ પૂતળું ભેટ આપ્યું હતું. આ સાસૂન કુટુંબ બગદાદી જ્યૂ હતું અને કપાસ અને અફીણના વેપારમાં માલેતુજાર થયું હતું. કાળા ઘોડા વિસ્તારમાં જ આવેલી મુંબઈની એક અગ્રણી લાઈબ્રેરી સર ડેવિડ સાસૂન લાઈબ્રેરી પણ તેની જ દેણ. કોલાબા વિસ્તારમાં આવેલ સાસૂન ડોક પણ તેમણે બંધાવેલો. પૂનાની સાસૂન જનરલ હોસ્પિટલ પણ આ કુટુંબની સખાવતનું પરિણામ. ભાયખલાનું મ્યુઝિયમ, ગેટ વે ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયા, મસીના હોસ્પિટલ વગેરે ઊભાં કરવામાં પણ તેમનો ફાળો.

આ કાળા ઘોડા વિસ્તાર એટલે શિક્ષણ, સંસ્કાર, સંસ્કૃતિનું કેન્દ્ર. મુંબઈની પહેલવહેલી કોલેજ એલ્ફિન્સ્ટન કોલેજ આજે અહીં આવેલી છે. ગોળાકાર મકાનમાં આવેલી એક વખતની રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, જેને ભોંય તળિયે આવેલો હતો જાજરમાન સર કાવસજી જહાંગીર હોલ. સંગીત, નૃત્ય, નાટકના પ્રયોગો આ હોલમાં થતા. પ્રવીણચંદ્ર રૂપારેલ સંચાલિત પ્રવૃત્તિ સંઘ દર વરસે આ જ હોલમાં કવિ સંમેલન/મુશાયરાનું આયોજન કરતો. તો સામી બાજુ મ્યુઝિયમ અને જહાંગીર આર્ટ ગેલેરી.

પણ ચડતી પછી પડતી. બીજાં બ્રિટિશ પૂતળાંની સાથે ‘કાળા ઘોડા’ને પણ એની જગ્યાએથી ઉખેડીને ભાઉ દાજી લાડ મ્યુઝિયમમાં ધકેલી દીધું. વિધિની વક્રતા તો જુઓ! બ્રિટિશ રાજવટ દરમ્યાન બંધાયું ત્યારે એનું નામ હતું વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ. અને હવે રાણી વિક્ટોરિયાના આ અનુગામીને જગ્યા મળી એ જ મ્યુઝિયમની પાછળના કંપાઉંડમાં. પણ હવે આ પૂતળું એકલુ-અટૂલું નથી. બીજા ઘણા બ્રિટિશરોનાં પૂતળાં ત્યાં તેને કંપની આપી રહ્યાં છે. સત્તાવાળાઓ કાળા ઘોડાને તો તેની જગ્યાએથી ખસેડી શક્યા. પણ મુંબઈગરાના મનમાંથી ખસેડી શક્યા નહિ. આજ સુધી લોકોની જીભ પર રમતું નામ તે તો કાળા ઘોડા જ.

નવું પૂતળું : ઘોડો રહ્યો, અસવાર ગાયબ!

પછી શરૂ થયો કાળા ઘોડા આર્ટ ફેસ્ટિવલ. એણે પણ ચડતી-પડતી જોઈ, અદાલતોનાં પગથિયાં ઘસ્યાં. કેટલાકના મનમાં વિચાર ઘોળાવા લાગ્યો : આ આપણે  બધા ‘કાળા ઘોડા, કાળા  ઘોડા’ કરીએ છીએ પણ અહીં કાળો, ધોળો, કે બીજા કોઈ રંગનો ઘોડો તો છે જ નહિ. એને પાછો લાવવો જોઈએ. પણ અસલ પ્રિન્સ ઓફ વેલ્સવાળા ઘોડાને પાછો લાવવાનું તો નહોતું યોગ્ય, નહોતું શક્ય. એટલે અહીં અસવાર વગરના એક કાળા ઘોડાનું પૂતળું મૂકવાનું નક્કી થયું. અને ૨૦૧૭માં મૂળ પૂતળાની જગ્યાથી થોડે દૂર કાળા ઘોડાનું નવું પૂતળું મૂકવામાં આવ્યું. કાળા ઘોડા એસોસિયેશને તે માટેની જરૂરી રકમ ઊભી કરી. ૨૫ ફૂટ ઊંચું આ પૂતળું શિલ્પકાર શ્રીહરિ ભોસલેએ બનાવ્યું. અલબત્ત, કેટલાક લોકો માને અને કહે છે કે અસવાર વગરના ઘોડાનું પૂતળું મૂકવાનો કશો અર્થ નથી. કારણ જેના નામ પરથી આ વિસ્તારનું નામ પડ્યું એ અસલ પૂતળું કાંઈ ઘોડાનું સ્મારક નહોતું. પ્રિન્સ ઓફ વેલ્સનું સ્મારક હતું. કાળા ઘોડાની સામે આવેલા મ્યુઝિયમ સાથે પ્રિન્સ ઓફ વેલ્સનું નામ જોડાયું હતું. બીજાં ઘણાં અંગ્રેજ નામોની જેમ આઝાદી પછી એ મ્યુઝિયમનું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય કરવામાં આવ્યું.

રાણી બાગમાં રાજકુમાર

***

“કંપની સરકારે મુંબઈમાં સૌથી પહેલું પૂતળું કોનું મૂકેલું એ તો જાણવા મળ્યું નથી. પણ કોટન ગ્રીન વિસ્તારનાં બે પૂતળાં વિશેની માહિતી મળે છે. આ પૂતળાં કદાચ મુંબઈમાંનાં પહેલવહેલાં બ્રિટિશ પૂતળાં.” ગયા શનિવારે પ્રગટ થયેલા આ શબ્દો લખતી વખતે ખાતરી નહોતી, પહેલવહેલા પૂતળા અંગે. પણ જેમ માણસ ખરજવું ખણ્યા કરે તેમ આવી વાતોનું સમાધાન ન થાય ત્યાં સુધી મન તેને વલૂર્યા કરે. અને હકીકત ખાતરીપૂર્વક જાણવા મળે પછી જ જીવને ટાઢક થાય. આ રીતે જાણવા મળેલી થોડી વાતો : કોર્નવોલિસનું પૂતળું બનાવવાનો ખરચ એ જમાનામાં પાંચ હજાર પાઉન્ડ જેટલો આવ્યો હતો. જો કે હકીકતમાં એક નહિ, પણ પૂતળાં ત્રણ હતાં! એક કોર્નવોલિસનું, તેની બંને બાજુએ એક-એક પૂતળું – એક વિઝડમ કહેતાં ડહાપણનું, બીજું ઇન્ટગ્રિટી કહેતાં વફાદારીનું. કેટલાંક વરસ ગોદામની હવા ખાધી. ૧૮૨૪ના ઓક્ટોબરની ૧૪મી તારીખે આ પૂતળાંને કોટન ગ્રીન ખાતે ઊભાં કરવાનું કામ શરૂ થયું. એ કામ ક્યારે પૂરું થયું એ તો હજી નથી જણાયું. પણ જેવું આ પૂતળું ખુલ્લું મૂકાયું કે તરત એક સાવ અણધારી બાબત બની. સવાર-સાંજ લોકો આ પૂતળાનાં દર્શન કરવા આવવા લાગ્યા. કોઈ દીવા-અગરવાટ કરે, કોઈ હાર પહેરાવે, અરે કોઈ તો ચંદન કે સિંદુરનો લેપ પણ કરે! કારણ મુંબઈના એ વખતના લોકો દેવ-દેવીની મૂર્તિપૂજાથી ટેવાયેલા. પણ આવા હાડચામના માનવીનાં પૂતળાંથી ટેવાયેલા નહિ. ચોંકેલા સત્તાવાળાઓએ પહેલાં તો આવું કશું જ ન કરવું એમ જણાવતું પાટિયું મરાઠી અને ગુજરાતીમાં લગાડ્યું. પણ વાંચે કોણ? અને એ વખતે વાંચી-લખી શકતા હતાય કેટલા? એટલે પછી ત્યાં ચોકીદાર બેસાડ્યો જે આવી ‘પૂજા’થી પૂતળાનું રક્ષણ કરતો! તો ય ઘણા વખત સુધી લોકો થોડે દૂર ઊભા રહીને હાથ જોડતા કે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા!

બીજી એક વાત : પૂતળાં કે તૈલચિત્રો અંગે હૂંસાતૂસી આજે જ થાય છે એવું નથી. અંગ્રેજોનાં પૂતળાં કે તૈલ ચિત્રો અંગે અંગ્રેજોમાં પણ થતી. જોન પીટર ગ્રાન્ટ (૧૭૭૪-૧૮૪૮) ૧૮૧૨થી ૧૮૨૬ સુધી બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય હતા. તે પછી ૧૮૨૭થી ૧૮૩૦ સુધી તેઓ મુંબઈની ‘સુપ્રિમ કોર્ટ’માં જજ હતા. તેમણે મુંબઈ છોડ્યું તે પછી અદાલતમાં તેમનું તૈલચિત્ર મૂકવાનું નક્કી થયું. એ ચિત્ર તૈયાર થઈને ૧૮૩૩ના ડિસેમ્બરની ત્રીજી તારીખે મુંબઈ આવ્યું. પણ એ વખતના ચીફ જસ્ટિસ સર હર્બર્ટ કોમ્પટને એ ચિત્ર અદાલતમાં ક્યાં ય પણ મૂકવાની મંજૂરી ન આપી. હવે? નાખો ગોડાઉનમાં. છેક ૧૮૯૨માં સર ચાર્લ્સ સારજન્ટ ચીફ જસ્ટિસ બન્યા ત્યારે તેમણે પોતાની બેઠકની બરાબર સામે એ ચિત્ર મૂકાવ્યું! તો જેમના પરથી ‘કર્નાક બંદર’ નામ પડ્યું એ સર જેમ્સ કર્નાકનું પૂતળું ૧૮૪૬માં મુંબઈ આવ્યું. પેકિંગ પણ ખોલ્યા વગર તેને ટાઉન હોલ ધક્કેલી દેવામાં આવ્યું. ત્યાં દાદરની નીચે એ ખોખું પૂરાં છ વરસ પડ્યું રહ્યું! પણ પછી સફાઈ કરતી વખતે ‘અકસ્માત’ તેની ભાળ મળી! આના પરથી એક વાત સાબિત થાય છે : જેમ કાગડા બધે કાળા તેમ સરકારી ગતિ બધે ગોકળ ગાયની!

***

પ્રિય વાચક : ૨૦૧૯ના જુલાઈની ૧૩મી તારીખે શરૂ થયેલી મુંબઈની આપણી સહિયારી સફરનું આજે આ ૨૦૦મું પગલું છે. આ સફરમાં સતત સાથ આપનાર સૌ વાચક-મિત્રોનો આભારી છું. ‘ગુજરાતી મિડ-ડે’ના તંત્રી બાદલ પંડ્યા અને તેમના સાથીઓના સાથ-સહકાર વગર આ સફર શક્ય જ ન બની હોત. એટલે તેમનો સવિશેષ આભારી છું. અને આજે આ ૨૦૦મો હપ્તો પૂરો કરતી વખતે મનમાં એક ગીતના શબ્દો ગુંજી રહ્યા છે : 

‘થંભો ના, હે ચરણ ચલો.’

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx 

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 10 જૂન 2023 

Loading

ગુજરાતીલેક્સિકૉનના ઉત્કર્ષમાં ધીરુબહેન પટેલની કેડીએ મારી જાતરા

અશોક કરણિયા|Diaspora - Features, Opinion - Opinion|10 June 2023

અશોક કરણિયા

ધીરુબહેન પટેલ — આ નામના ઉચ્ચારણ સાથે મન નવપલ્લવિત બની જાય છે અને હાથપગ થનગનાટ અનુભવતા જાય છે. આ વ્યક્તિત્વ એટલે સતત સ્મિત વેરતું, કાળજી-સંભાળ લેતું એક જાજરમાન માણસ. આ સજ્જન વ્યક્તિત્વે જાણે કે અનેક વિશ્વઅનુભવોને ગૂંજે ભરી રાખ્યા હોય; દરેક પગલે, જે કોઈ કામ હાથ લીધું હોય તેમાં ઊર્ધ્વગામી સોપાન સર થયાનું નરવું ચિત્ર ઊપસતું જ ભાળીએ. નવલકથાલેખન હોય, ફિલ્મ માટેનાં સંવાદ લખવાનાં હોય, નાટકો લખવાનાં હોય, ગાંધી વિચારનાં મશાલચી બનવાનું હોય, અનુવાદ કરવાનો હોય; પરંતુ આ જીવે આ અને આવાં અનેક ક્ષેત્રે મજબૂતાઇએ સોપાન સર કર્યાં જ હોય. આ દરેક ઉપરાંત, એમની અગાઢ ખિલવણી તો માતૃભાષા ગુજરાતીની ખેવનામાં અને તે વાણી રાણીનાં વકીલ બનીને ઝઝૂમતા રહેવામાં રહેતી હતી. એમણે ગુજરાતીને પોષણ આપ્યું છે, તેના પ્રસારપ્રચારનાં કાર્યોંમાં અગ્રદૂત બની જવાનું જોયું છે. ટૂંકમાં, પોતાના હરેક કામ વાટે ગુજરાતીના વિકાસને સારુ એમણે આપ્યાં તમામ કામો દેદીપ્યમાન રહ્યાં છે.

અમારે મન, ધીરુબહેનની અમાપ સેવા ગુજરાતીલેક્સિકૉનના વિકાસમાં તેમ જ ભગવદ્દગોમંડળ સંપુટના ડિજિટલ અવતારમાં પારાવાર ખીલતી રહી છે. દરેક સ્તરે એમની હૂંફ, એમનું માર્ગદર્શન તથા એમની સક્રિય દરમિયાનગીરીને કારણે આ સમૂળું કામ સભર સભર બની ગયું છે.

ગુજરાતી ભાષા પ્રતિના પ્રેમને કારણે ધીરુબહેન ભણી સતતપણે હું ખેંચાતો રહ્યો.

ઈસ્વીસન 2004ની એ સાલ હતી. ગુજરાતી લેક્સિકૉનના રચયિતા રતિલાલ ચંદરિયાએ મને ખોળી કાઢ્યો. એમણે કરેલા મહાકાય કામમાં ભાષાનાં સઘળાં પાસાંઓ આમેજ છે કે નહીં તે તપાસી જોવાનો મને એમણે આદેશ કરેલો. ગુજરાતીલેક્સિકૉન કાર્યક્ષેત્રને સારુ જૂથ ઊભું કરવાને માટે એમણે અમને જોતરી દીધેલા. જુવાનીનું જોમ, હણહણતું યૌવન, તેમ જ ન્યોછાવરીને લીધે અમે સૌ એમાં જાણે કે મચી પડ્યા. આ દિવસોમાં રતિભાઈએ (રતિકાકાએ) વિપુલ કલ્યાણી જોડે મારો ભેટો કરાવ્યો. વિપુલભાઈ વરસો જૂના રતિકાકાના વિશ્વાસુ સાથીદાર અને મુખ્ય પ્રેરક રહ્યા છે. આરંભના સમયગાળ વેળા લંડન ખાતે એ આ યજ્ઞમાં કાકાના સાથીદાર રહેલા તથા આ કામને સારુ કાકાને સહાયક બની રહ્યા હતા. આમ વિપુલભાઈ અમને વિલે પારલે ખાતે મળ્યા. અમારી અવિરત બેઠકો થઈ. રતિકાકાનાં સપનાં અંગે એમણે અમને તલસ્પર્શીપણે માહિતગાર કર્યા. અહીં સુધીનાં કાકાએ આદર્યાં કામની જાણકારી આપી. અમે સૌ આ કામનાં ઊંડાણને તાગી શક્યા છીએ કે નહીં તેમ જ આ મહાભારત કામની ધૂંસરી વહી શકીએ છીએ કે નહીં તે ય સાથેસાથે તપાસતા જતા હતા. અને પછી તો અમે સૌ આ પ્રકલ્પને વ્યવહારમાં લાવવાને સારુ મચી પડ્યા. છેલ્લામાં છેલ્લી ઇન્ટરનેટ ટેકનોલોજીને આપણા વારસાને ઉજાગર કરવાને મથતા આ કામને સારુ કાર્યાન્વિત કરવાની મને તાલાવેલી. આમ અમે ગુજરાતીલેક્સિકૉનને ઇન્ટરનેટ પર સ્થાપિત કરવાનો મનસૂબો રાખ્યો.

અમારો ઉત્સાહ અપ્રતિમ હતો. અમે પ્રગતિ સાધવાને સારુ ઝંપલાવ્યું હતું ને. અને પછી આ મહાકાય પ્રકલ્પના લોકાર્પણની બાબત સામે આવીને ખડી રહી ગઈ હતી. મેં તેને સારુ નકશો બનાવી કાઢેલો. તેમાં વિપુલભાઈ ઉપરાંત ઉત્તમભાઈ ગજ્જર, બળવંતભાઈ પટેલ તેમ જ મનસુખભાઈ શાહની સક્રિય સહાયતા ઉમેરાયા કરી. આ લોકાર્પણને સારુ રતિકાકા અતિથિ વિશેષની શોધમાં હતા. અને વિપુલભાઈએ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના તત્કાલીન પ્રમુખ ધીરુબહેન પટેલનું નામ સૂચવ્યું. અમારે સૌને માટે તે વેળા સરેરાશ અજાણ્યું નામ. અમે ચોતરફી વિચારણા કર્યા કરી અને છેવટે એ સૂચનને વળગી રહ્યા. આજે વિચારું છું તો સમજાય છે કે એ કેટલું ઉમદા અને મજબૂત સૂચન હતું ! વિપુલભાઈને ધીરુબહેનનો પરિચય; તેથીસ્તો એમણે રતિકાકા તથા અમારી જોડે ધીરુબહેનની મુલાકાત ગોઠવી આપી. અમે અમારાં સપનાંની તંતોતંત વાત એમની સામે મૂકી. ધીરુબહેન તો રાજીરાજી થઈ ગયેલાં. એમણે લોકાર્પણ કરવા માટે અમારી લાગણીનો સહર્ષ સ્વીકાર કર્યો અને સમયોચિત અતિથિ વક્તવ્ય આપવાની વાતને મંજૂર રાખી.

અમે પછી અમે સતત મળતાં રહ્યાં. જેમ જેમ લોકાર્પણનો અવસર નજીક આવતો ગયો તેમ તેમ અમારું અરસપરસ હળવું-મળવું વિસ્તરતું જ ગયું. રતિકાકાના નિવાસસ્થાન ‘સુધાકર’માં તેમ જ ધીરુબહેનનાં નિવાસસ્થાન, ‘હંસરાહ વાડી’ ખાતે અમારી બુદ્ધિશક્તિનું વલોણું સતત ફર્યાં કરતું. કેટલીક વાર વિપુલભાઈ પણ અમારી સાથે ચર્ચાવિચારમાં સામેલ રહેતા. આ બધી મુલાકાતો મારે માટે કેળવણીની અમૂલ્ય ખાણ બની રહી છે. આ બેઠકોમાં ચાની પ્યાલીઓ જોડે નિતનવા નાસ્તાઓ અને ક્યારેક ગોકુલ આઈસક્રીમ આરોગતાં આરોગતાં જે રજૂઆતો થતી, પ્રાસંગિક બયાનો થતાં અને અનુભવોની લ્હાણ કરાતી તે મારે માટે ઉત્તમ કેળવણીનો પુંજ હતો. ધીરુબહેનનાં પાયાગત મૂલ્યો તથા આદર્શો મારે માટે જાણે કે જીવતાં જાગતાં ‘ગીતા પ્રવચનો’ હોય તેમ જડાઈને રહ્યાં.

ધીરુબહેન, આમ, અમારાં કામનાં અત્યન્ત ઉત્સુક ટેકેદાર સ્થાપિત થયાં. આ પ્રકલ્પને ચરિતાર્થ કરવાના ભગીરથ કામમાં એ પરોવાયેલાં રહ્યાં. એમના મનમાં એક વાત દીવા જેવી સ્પષ્ટ હતી : આ પ્રકલ્પ ગુજરાતી ભાષાને સારુ અગત્યનું ઓજાર બનવાનો હતો. ગુજરાતી ભાષાની જાળવણી સારુ રતિલાલ ચંદરિયા અને અને આ યુવાનો સક્રિયપણે સમર્પિત છે તેની એમને પાકી ખાતરી થઈને રહી. એમને ય થતું હતું કે આ પ્રકલ્પમાં એ ય પૂરેવચ્ચ જોડાયેલાં છે. આમ સૌ કોઈએ આ પ્રકલ્પને સહાય કરવી જોઈએ અને અ મંડળીનો સતત આભાર માનવો જોઈએ એવી લાગણી એમને રહેતી હતી.

જેમ જેમ ગુજરાતી લેક્સિકૉનના લોકાર્પણ માટેનાં વાર-તારીખ નજીક ને નજીક આવતાં ગયાં, તેમ તેમ હું વધુ ને વધુ કામોમાં ખૂંપતો જતો હતો. પ્રચાર-પ્રસારનાં કામો, લોકાર્પણ માટેનાં સાધનો તેમ જ અવસરની ગોઠવણ-વ્યવસ્થાનાં કામોએ મને પોતાપણામાં ગૂંથી મેલ્યો. રોજેરોજ અમે વીસેક કલાક આ કામમાં જ પરોવાયેલા રહેતા. ધીરુબહેન વચ્ચે વચ્ચે ફોન કરીને પડપૂછ કરતાં અને અમને હૂંફ આપ્યાં કરતાં. વળી, માની કાળજીભરી હૂંફ જાણે કે અમે મેળવતાં ન હોય તેમ તે કહ્યાં ય કરતાં : ‘ચિંતા ન કરશો બધું જ સરસ થઈને રહેશે. તમે સૌ સંભાળ લેજો, સાંચવજો.’

અને છેવટે, એ નિયત સમય આવી લાગ્યો. જાણે કે ઘડિયો જ અવસર. ગુજરાતલેક્સિકૉન પ્રકલ્પે ચોમેર ગુંજારવ ખડો કરી મેલ્યો. લોકાપર્ણ કરવા સારુ કહેવાતી બડી મોટી હસ્તીઓને સામેલ કરવાની સૂચનાઓ થતી આવી. પરંતુ રતિકાકા પૂરા સ્પષ્ટ-મત હતા : ‘આ પ્રકલ્પનું લોકાર્પણ તો એક માત્ર ધીરુબહેન પટેલ જ કરશે.’ દરેક ક્ષેત્રના અગ્રેસરો અવસરે હાજર હતા; થોડાક દાખલાઓ જોઈએ, એચ.ડી.એફ.સી.ના તત્કાલીન અધ્યક્ષ દીપકભાઈ પારેખ, પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ વીરેનભાઈ શાહ, કોટક ગ્રૂપના સુરેશભાઈ કોટક, વગેરે. અવસર પહેલાં અમે એક અગત્યના રાજકારણી આગેવાનને ય મળ્યા હતા અને એમનો ય ટેકો મેળવ્યો હતો. ધીરુબહેન પટેલે ગુજરાતીલેક્સિકૉનનું આમ 13 જાન્યુઆરી 2006ના જાહેર લોકાર્પણ કર્યું અને આ પ્રકલ્પને જગતને અર્પિત જાહેર કર્યો.

તે અવસરે ધીરુબહેન પટેલનું વક્તવ્ય એક સીમાસ્થંભ સમું રહ્યું. વિચક્ષણ અને સ્વપ્નદૃષ્ટા હોવાને કારણે એમને આ નવી ટેકનોલોજીનાં મહત્ત્વને પામવાને સારુ વાર લગીર ન લાગી. વિદેશે વસતાં ગુજરાતીઓ તેમ જ ભારતમાંના નગરજીવન વચ્ચે રહેનારા અસંખ્ય ગુજરાતીઓની ભાવિ પેઢીને માટે આ ટેકનોલોજીનો કેવો જબ્બર ઉપયોગ હશે તે પામતાં એમને વાર નહોતી લાગી. ગુજરાતી ભાષા પ્રત્યેના અગાધ લગાવ અને સ્નેહને કારણે એમનું વક્તવ્ય અનેકોને પ્રોત્સાહિત કરતું હતું. આપણા જાણીતા સાહિત્યકાર સુરેશ દલાલ તો કહેતા હતા, જગત ભરમાં પથરાઈ ગુજરાતી જમાતને ખૂણેખૂણે આ વક્તવ્યની નકલ પહોંચવી જરૂરી છે. અને તેમ કરવાની આપણા દરેકની ફરજ બને છે.

રતિકાકાનું સપનું આ ગુજરાતીલેક્સિકૉન પ્રકલ્પ વાટે હવે સાકાર થતું હતું. અમને દેખાતું હતું કે ચોમેર લોકો ગુજરાતીલેક્સિકૉન સારુ રાહ જોઈને બેઠા હતા. ઈન્ટરનેટ તથા કોઈક પ્રકારની અગમ્ય શુભ કામનાઓને પરિણામે ગુજરાતી લેક્સિકૉન હવે ભારતનું સૌથી ભાષાકીય પોર્ટલ તરીકેનું સ્થાન શોભાવતું હતું. અમારું જૂથ સમય સમયે નવાં નવાં, વિધ વિધ, વિશિષ્ટો અંગો ઊમેરતું હતું. ધીરુબહેન, વિપુલભાઈ, ઉત્તમભાઈ ગજ્જર, બળવંતભાઈ પટેલ આ સઘળી વિચારબદ્ધ યોજનાઓમાં સક્રિયપણે સામેલ હતાં. અસંખ્ય પારિતોષિકો તેમ જ અમાપ પ્રશસ્તિઓ વચ્ચે ગુજરાતી જમાતમાં ઉપરતળે આની જે અસર ઊભી થઈ હતી તેથી કોઈ મોટું પારિતોષિક હોઈ શકે તેમ અમને જણાતું જ નહોતું. વિલાયતસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ તેમ જ વિપુલ કલ્યાણીના “ઓપિનિયન” સામયિક સૌજન્યે ગુજરાતીલેક્સિકૉનનું વળી ડાયસ્પોરાના મહાનગર લંડનમાં જાહેર લોકાર્પણ થયું. રતિલાલ ચંદરિયા અને અશોક કરણિયા ઉપરાંત અવસરે અતિથિ વિશેષ ડૉ. ભીખુ પારેખ, ‘ગુજરાત વિશ્વકોશ ટૃસ્ટ’ના ધીરુભાઈ ઠાકર, ડાયસ્પોરાના જાણીતા પત્રકાર તથા અધ્યાપક પ્યારઅલી એમ. રતનસી, તેમ જ તત્કાલીન અકાદમી પ્રમુખ વલ્લભ નાઢા અવસરે પૂરેવચ્ચ હાજર હતા. આમ જગતને ચોક હવે ગુજરાતીલેક્સિકૉન પ્રસરી ગયું હતું.

ધીરુબહેનને કારણે રતિભાઈ ચંદરિયાનું ગુજરાતીલેક્સિકૉન સપનું સાકર થયું. અને હવે પોરસાઈને અમે એક બીજો મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ હાથ લીધો. ગૂજરાત વિદ્યાપીઠના ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’નું ડિજિટલાઇઝેશન સમ્પન્ન કર્યું. આ ઉદ્દેશ પાર પડે તે સારુ વિપુલભાઈએ વરસો લગી અથાક મહેનત લીધી હતી. તે મહેનત આખરે ફળી રહી. રતિકાકાની ઉષ્માભરી સતત હૂંફનું જ આ પરિણામ હતું.

હવે લાગતું હતું કે ગુજરાતીલેક્સિકૉન નામે હણહણતો ઘોડો દરેક ગુજરાતીનાં હૃદયે અને કમ્પયુટરે થનગનતો હતો. પરંતુ ન રતિકાકા, ન ધીરુબહેન, કે પછી ન તો હું પલોંઠ મારી પ્રશસ્તિના ઓડકાર ખાતાં બેસી રહ્યાં હતાં. ગુજરાતીલેક્સિકૉનની સફળતા બાદ, અમે આથી ય એક મોટા લક્ષ્યબિંદુ ભણી નજર ટેકવી હતી. રતિકાકાને વરસોથી લાગ્યા કરતું હતું કે ભગવદ્દગોમંડળને આમ જનતાની વચ્ચે મૂકી દેવું છે. ભગવદ્દગોમંડળ એટલે ગુજરાતી ભાષાની મહાન સાંસ્કૃતિક ઘટના. ગુજરાતીઓનાં એ એક વિશાળકાય કાર્ય અને મહામૂલી વિરાસત. ગોંડલના દૂરંદેશ રાજવી ભગવતસિંહજીએ છવ્વીસ વરસોનાં તપને ઓવારે આપણી જમાતને ધરેલું ભવ્યતાતીત ભવ્ય કામ. આ સર્વજ્ઞાનસંગ્રહકોશમાં 2.81 લાખથી વધુ શબ્દો આમેજ કરાયા છે. તેમાં 8.22 લાખ અર્થ અપાયા છે. અને વળી કુલ મળીને 9,200 પૃષ્ટોનો આ સંપુટ છે. આમ અમે કંઈક વિશેષપણે ભગીરથ કામ હાથ ધરવાનું ગોઠવતા હતા.

અને પછી, ધીરુબહેન મચી રહ્યાં. પરિણામે અમારા એ મશાલધારી આગેવાન બની ગયાં. ગોંડલ સુધરાઈની કચેરીની મુલાકાત લેવા અમે સાથે ગોંડલ જવા નીકળી પડ્યાં. કૉપીરાઇટના ધણીધોરી સુધરાઈ હતી અને અમે રજા મંજૂરી મેળવીને જંપ્યાં. આ પ્રવાસમાં અમે મકરન્દભાઈ દવેને મળવાને ભાગ્યશાળી ય થયાં.

પરિણામે સન 2008 દરમિયાન 18 ઍપ્રિલના દિવસે ભગવદ્દગોમંડળનું ડિજિટલાઇઝેશન કરવાનું આદર કર્યું. એ શુભ દિવસ મહાવીર જયંતીનો ય હતો. આ સમૂળા પ્રકલ્પનાં આગેવાન મશાલચી ધીરુબહેન પટેલ હતાં. એમણે લાગતીવળગતી અગત્યની વ્યક્તિઓ જોડે સંપર્ક કરવાનું રાખેલું. તેમાં ભાષાશાસ્ત્રી કીર્તિદાબહેન શાહનો ય સમાવેશ હતો. વળી, ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રના સમર્થ જાણકારો અને અમારા જૂથ જોડે તો અલબત્ત એ સંકળાયેલા જ રહ્યાં. કેટકેટલી વખત અમે વારસાગત જટિલતાઓને કારણે કે પછી ભાષા તજ્જ્ઞોના સહકારના અભાવને કારણે અટવાઈ જતાં. ધીરુબહેન તરત અમારી વહારે ધાતાં. જરૂરી હોય ત્યાં ફોનસંપર્ક કરી લેતાં અને પરિણામે ગુજરાતી ભાષાશાસ્ત્રીઓનો ટેકોસહાય ય મેળવીને જંપતાં. આમ અમારી પ્રવૃત્તિ વણથંભી આગળ ધપતી રહી. ભગવદ્દગોમંડળ અંગેની સમગ્ર પ્રવૃત્તિમાં એ સતત સંકળાયેલાં રહ્યાં. અમારા રોજબરોજના સવાલોના ઊકેલ મેળવી દેતાં. અમને હૂંફટેકો દેતાં રહેતાં. નતનવા વિચારો ય અમારી ગૂંજે ભરી દેતાં. ટૂંકમાં સદાય અમારામાં ઉત્સાહ પ્રેર્યાં કરતાં. દરેક વેળા અમે મૂંઝવણમાં હોઈએ કે તરત ધીરુબહેન હસતાં હસતાં કહેતાં : ‘થઈ જશે’. અને એમ જ થતું. આમ વિશ્વાસનું ભાથું એ બંધાવીને જ રહેતાં. જાદુઈ ચિરાગ હોય તેમ આખરે પરિણામ જોવા મળ્યું !

રતિકાકાને ચિંતા રહેતી : એ ધીરુબહેનને કહેતા કે પોતાની આવરદામાં આ પ્રકલ્પનું કામ સમ્પન્ન થશે તેની એમને કોઈ ખતરી નથી. ધીરુબહેન એમને વિશ્વાસ બંધાવતાં અને કહેતાં, પોતે ખુદ બધી તાકાત લગાવશે અને રતિકાકાની આવરદામાં જ તે સફળતા બક્ષશે. ધીરુબહેન તો  જીવનકાર્યનાં અડીખમ મશાલચી હતાં ને. ભાષા સંબંધી અમારા અનેક કોયડાઓનો તથા પડકારોનો ઊકેલ કાઢીને જ રહ્યાં. મને અને મારાં જૂથ-સાથીદારોને ટેકનોલોજી પર જ ધ્યાન આપવાનું સૂચવ્યાં કરતાં.

ભગવદ્દગોમંડળના અવતરણને 26 વરસ લાગેલાં, પરંતુ આવા આવા હૂંફટેકાને કારણે અમે ફક્ત બાર મહિનાની અંદર જ આ ડિજિટલાઇઝેશનનનું ભગીરથ કામ પાર પાડી શક્યા હતા. હા, માત્ર એક વરસથી ય એ ઓછો સમયગાળો ! આ ખુદ એક વિક્રમ હતો. અત્યન્ત શિસ્તભર્યાં વાતાવરણમાં આ પ્રકલ્પનું કામ હાથ ધરાયું હતું. ત્રણ ત્રણ જૂથમાં સમાન્તરે આ ગંજાવર કામ હાથ ધરાયેલું હોઈ કોઈ ભૂલથાપ વગરનું આ કામ અમે પરિપૂર્ણ કરી શક્યાં હતાં.

ધીરુબહેને રામનવમીના સપરમા દિવસે, 03 ઍપ્રિલ 2009ના દિવસે આ ભગવદ્દગોમંડળની ડિજિટલ આવૃત્તિને જાહેરમાં લોકાર્પિત કરી. ભગવદ્દગોમંડળની ડિજિટલ આવૃત્તિએ સફળતાના અનેક દરવાજા ઉઘાડી આપ્યા અને અમારો વ્યાપ અનેકગણો વધારી દીધો. છએક માસમાં તો, ભગવદ્દગોમંડળની મૂળ મુદ્રિત આવૃત્તિની સરખામણીએ ક્યાંય વિશેષ સંખ્યાએ તેનો સધિયારો લીધો. આટલું કમ હોય તેમ અમારા આ ભગવદ્દગોમંડળની ડિજિટલ આવૃત્તિને યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાની ફેડરસ સરકારની ‘લાઇબ્રેરી ઑવ્‌ કાઁગ્રેસ’ની સૂચિમાં તેનું સ્થાન નિશ્ચિતપણે અંકિત કરાયાનું જાણ્યું. હવે ફરી વખત ભગવદ્દગોમંડળનો દબદબો જામતો હતો અને તેની લોકભોગ્યતા પણ  વધવધ થયા કરતી. ગોંડલના રાજવી ભગવતસિંહજી આમ પોતાની વારસાઈ મૂડી નવોદિત પેઢી સુધી પહોંચતી જોઈને સંતોષ લેતા હશે !

ભગવદ્દગોમંડળના ઉત્તર લોકાર્પણ ગાળામાં મારે કલ્પનાતીત પ્રૉફેશનલ ઊબડખાબડ પરિસ્થિતિનો સામનો કરવાનો આવ્યો. ધીરુબહેને મને અમદાવાદ છોડી જવાની સલાહ આપી અને મુંબઈ જઈને એમ.એન.સી.માં નોકરી કરવાને સમજાવ્યો. મારે સારુ જરૂરી સિફારસ પણ કરવાને સારુ એમણે તૈયારી બતાવી. મૂંઝવણભર્યા તથા તાણના તેમ જ અંધાધૂંધીના આ સમૂળા સમયગાળા દરમિયાન, એ મારી અડખેપડખે જ હતાં અને મને હૂંફ આપ્યાં કરતાં. એમની સહાયને કારણે મારો વિશ્વાસ ફેર બંધાયો અને ફરી વાર જોતરાઈ જવાને સારુ કટિબદ્ધ થયો.

ધીરુબહેન, કાકા, વિપુલભાઈ, ઉત્તમકાકા અને ગુજરાતીલેક્સિકૉન જૂથસભ્યોએ એક સાથે અનેક કામો હાથ ધર્યાં અને ભાષાનાં કામોમાં આગળ ધપતાં રહ્યાં. લોક કોષ, રમતગમત, મોબાઇલ ઍપ્સ તો તેના માત્ર થોડાક દાખલાઓ છે. ધીરુબહેનને ગાંધીજી માટે ખાસ આકર્ષણ હતું. અમે અમારા આ ગમતીલા પ્રકલપ સારુ વખત વખત પર વિચારવિમર્શ કરતાં રહેતાં. એ અમારું અધૂરું સપનું છે. અમને અત્યન્ત સમૃદ્ધ ‘ગાંધી હેરિટેજ પોર્ટલ’ની રચના કરવાના ઓરતા હતા. આને સારુ અમે ઍપ્રિલ 2011 વેળા સાબરમતી આશ્રમ પ્રિઝરવેશન ઍન્ડ મેમોરિયલ ટૃ્સ્ટ સમક્ષ એક અધિકૃત સૂચિત રજૂઆત પણ કરી રાખી હતી. પરંતુ તેનું કોઈ પરિણામ આજ આવ્યું નહીં.

ધીરુબહેન પટેલના સમગ્ર સાહિત્યને ડિજિટલાઇઝ્ડ કરીને ગુજરાતી લેક્સિકૉન પોર્ટલ પર કાયમી સ્થાન આપવાના મને મનોરથ હતા. આને સારુ હું 2012માં એમને મળવા ય ગયો હતો. પૂરતી ધીરજ સાથે એમણે મને સાંભળ્યો હતો. અને પછી કહે, આ સરસ યોજના છે. પરંતુ પ્રકાશકોની આવકમાં આથી ઘટાડો આવશે. માટે તેને ટાળીએ. આ સન્નારીની કેવી તે આ ઊંચાઈ ! આ તે કેવું ઉદ્દાત તાદાતમ્ય !

મારી લંડન ખાતે બદલી થઈ ત્યાં લગી હું એમને મુંબઈ અને અમદાવાદમાં નિયમિતપણે મળ્યા કરતો. અમારું અરસપરસ મળવાનું ઘટ્યું જરૂર હતું, પરંતુ મૈત્રી અને દેવળ ગુજરાતીલેક્સિકૉન વતી સંગાથે કામ કરતાં જ હતાં. ધીરુબહેન અમને પોરસાવ્યાં કરતાં અને લેખકોને પ્રોત્સાહિક કરતાં રહેતાં કે જેથી બાળલેખન મળ્યાં કરે. બાળ હરીફાઈની યોજના એ એમની દેણ હતી. અને તેથી તો એ મૈત્રીને અને સાથીદારોને સતત સક્રિય સહાય કરતાં રહેતાં. રતિલાલ પ્રેમચંદ ચંદરિયા સ્મારક [RPC Memorial] અવસરે ગુજરાતી ભાષાને ક્ષેત્રે જેમણે જીવનભરનું યોગદાન આપ્યું છે તેનું ઉચિત સન્માન કરવાનું અમે વિચારતા હતાં. વ્યક્તિ અને સંસ્થા – જેમણે પાયાનું કરી જાણ્યું હોય તેમને આમાં સામેલ રાખવાનું વિચારતા હતાં. ધીરુબહેને સહસા ‘ગુજરાતી વિચાર મંચ’નું નામ સૂચવી દીધું.

લંડનથી હું પાછો ફર્યો ત્યાં સુધીમાં તો ધીરુબહેને અમદાવાદમાં વસવાટ કરવાનું શરૂ કરી દીધું હતું અને ગુજરાત વિશ્વકોશ ટૃસ્ટ જોડે સક્રિયપણે કામ કરવાનું ય શરૂ દીધેલું. જાણે કે એ જ એમનું નિવાસસ્થાન બની રહ્યું. અને જાતભાતની નાનીમોટી પ્રવૃત્તિઓમાં ટેકેદાર બની જઈ એ રચ્યાંપચ્યાં રહ્યાં. છેવટે ગુજરાતી લેક્સિકૉન ગુજરાત વિશ્વકોશ ટૃસ્ટ સાથે જોડાઈને રહ્યું તેમાં ય કદાચ એમનો જ અગત્યનો ફાળો હોય તેમ પણ બને. જાણે કે ગુજરાતી ભાષાના ઉત્કર્ષ સારુ આ બન્ને, એમની ગમતીલી  સંસ્થાઓને, જોડવાનું અગત્ય એમને લાગ્યું હોય.

ધીરુબહેને મારા જીવનમાં બહુ અગત્યનો નોંધનીય ફાળો આપ્યો છે. લગ્નજીવન, ધંધોધાપો અને તેની ચડઊતરાણ ટૂંકો, નવી રોજગારી, લંડન વસવાટ જેવી અનેક બાબતો વિશે એ મારાં રોજબરોનનાં માર્ગદર્શક બની ગયાં હતાં. એમની આ ડહાપણ ભરેલી સલાહ, હૂંફાળું આદાનપ્રદાન, માવતર શો પ્રેમ તેમ જ અસીમ પરિશુદ્ધ સ્નેહની મને ખોટ સતત હવે લાગ્યા કરવાની છે. એમના જીવન અનુભવો તથા પ્રાસંગિક બયાનો મને જોમવંત રાખતા. એમની માનવતા તથા પ્રેમાળ કાળજીસંભાળનો જોટો મળવો દુર્લભ રહેવાનો છે. હવે એમની હેતાળ વર્ષા છંટકાવ ને હંસરાજ વાડીની મુલાકાતોની ગેરહાજરી મને સતાવ્યા કરવાની છે. એ નિર્વ્યાજ સ્નેહે સતત તરબોળ કરતા રહેતાં. કોઈ પણ જાતના સ્વાર્થ વિના ધ્યેયને સારુ એમનું લક્ષ્યાંક જોવા મળતું તેની ખોટ લાગતી રહેવાની જ છે.

જેમ જેમ વરસો વીતતાં ગયાં, તેમ તેમ અમારી વચ્ચેનો તંતુ મજબૂત બનતો ગયો અને હું તેમ જ મારી પત્ની કોમલ એમની બુદ્ધિમતા તથા સાદગી જોઈને તાજૂબ બની જતાં. અમને એમની વાત સાંભળવી બહુ જ ગમતી. એ અમને પોષણ આપતી. મહાત્મા ગાંધી સાથેનાં અનુસંધાન તથા સ્મરણો એક તરફ, અને બીજી પાસ ફિલ્મ દિગ્દર્શકો જોડેની અરસપરસ મિલન-વાતો અમને તરબતર રાખતાં. કોમલ અને ધીરુબહેન ઘણો સમય સાથે ગાળતાં રહેતાં. અમે આ બધું લાંબા સમયગાળા સુધી સંભાર્યા કરીશું. મારા જીવનમાં એમની આ પધારમણી મારા માટે મહામૂલી મૂડી છે. હું એમની કનેથી ખૂબ લાભ્યો છું. મારે માટે તો ધીરુબહેન એક આધ્યાત્મિક સંત હોય તેવી લાગણી રહ્યા કરી છે.

ધીરુબહેને, એક દા, કાકાને કહેલું, સ્વર્ગ પ્રવેશ માટેની તમારી ટિકિટ પાક્કી છે. હળવાશથી અને સજ્જડ વિશ્વાસ સાથે એમની આ વાત મારા મનમાં જડાઈ ગઈ છે. સ્વર્ગમાં બેઠાં બેઠાં એ બન્ને ગુજરાતી ભાષાના ઉત્કર્ષ સારુ કોઈક યોજના ઘડતાં રહેતાં હશે, તેની મને આથી પાક્કી ખાતરી છે.

એમના આખરી દિવસો દરમિયાન, ગુજરાતી ભાષાના ઉત્કર્ષ સારુ નવી નવી યોજના ઘડવા બાબત મારી સાથે વાત એ કર્યા કરતાં. ધીરુબહેનનો ભાષાપ્રેમ અપ્રતીમ હતો અને એમનો એ વારસો અમે તંતોતંત સાચવી શકીએ તેવી અભ્યર્થના …         

(મૂળ અંગ્રેજી સ્મરણાંજલિનું ગુજરાતીકરણ : વિપુલ કલ્યાણી)
[03-04 ઍપ્રિલ 2023]
(2,462 શબ્દો)        
પ્રગટ : “વિશ્વવિહાર”; મે – જૂન 2023

Loading

सावरकर पर फिल्म का टीज़र: झूठ का पुलिंदा

राम पुनियानी|Opinion - Opinion|9 June 2023

देश में दक्षिणपंथी विचाधारा का बोलबाला बढ़ने के साथ ही ऐसी फिल्में बनाई जाने लगी हैं जो लोगों को बाँटतीं हैं, सांप्रदायिक राष्ट्रवाद के नायकों को महिमामंडित करतीं हैं और कुछ समुदायों को खलनायक के रूप में प्रस्तुत करती है. इनमें पद्मावत, सम्राट पृथ्वीराज, गाँधी विरुद्ध गोडसे, कश्मीर फाइल्स और केरला स्टोरीज शामिल हैं. इनमें से कई विशुद्ध प्रोपेगेंडा फिल्में हैं, जिन्हें कलात्मक स्वतंत्रता की नाम पर जनता को परोसा जा रहा हैं और कई बहुत अश्लील भी हैं. निर्माता ऐसी फिल्में बनाने को आतुर हैं क्योंकि उनमें से कुछ स्वयं दक्षिणपंथी विचारधारा में यकीन रखते हैं और कुछ को यह पता है कि वर्तमान सत्ताधारी अपने राजनैतिक लक्ष्यों को हासिल करने के लिए उनकी फिल्मों का प्रचार करेंगे और वे अच्छी कमाई कर सकेंगे.

ऐसी फिल्मों की श्रृंखला की ताज़ा कड़ी ‘स्वातंत्र्यवीर सावरकर’ का टीज़र गत 28 मई (2023) को जारी किया गया. उस दिन सावरकर का 140वां जन्मदिन था और उसी दिन को नए संसद भवन के उद्घाटन के लिए चुना गया था. यह टीज़र केवल 73 सेकंड का है. परन्तु इतने कम समय में भी यह ढेर सारी झूठी और मनगढ़ंत बातें कहता है, जिनका उद्देश्य हिन्दू राष्ट्रवाद के नायक सावरकार का महिमामंडन है. सावरकर आरएसएस में नहीं थे परन्तु उनकी पुस्तक “हिंदुत्व ऑर हू इज़ ए हिन्दू”, संघ का वैचारिक आधार है. चूँकि आरएसएस ने स्वतंत्रता संग्राम में हिस्सा नहीं लिया था इसलिए वह लगातार स्वाधीनता की लड़ाई के ऐसे नकली नायक गढ़ने में लगा रहता है जो उसके राजनैतिक एजेंडा के अनुरूप हों. इस सिलसिले में सावरकर उसे बहुत प्रिय हैं. ऐसा इसलिए क्योंकि अपने जीवन के शुरूआती आधे हिस्से में वे ब्रिटिश-विरोधी क्रन्तिकारी थे. उनके जीवन के इसी हिस्से को उद्दृत करते हुए हिन्दू राष्ट्रवादी उनकी तारीफों के पुल बांधते रहते हैं.

अटलबिहारी वाजपेयी के नेतृत्व वाली एनडीए सरकार के कार्यकाल के दौरान सन 1998 में संसद भवन में सावरकर के तैलचित्र का अनावरण किया गया था. इस मुद्दे पर जो बहस छिड़ी उसमें उनके जीवन के दूसरे हिस्से पर भी चर्चा हुई, जब वे हिन्दू राष्ट्रवाद के चिन्तक के रूप में उभरे, उन्होंने द्विराष्ट्र सिद्धांत का प्रतिपादन किया और अंग्रेज़ सरकार का साथ दिया.

अपने शासनकाल में वाजपेयी, सावरकर को भारत रत्न से नवाज़ना चाहते थे परन्तु इस प्रस्ताव को तत्कालीन राष्ट्रपति के.आर. नारायणन ने ख़ारिज कर दिया. इसके बाद भी अंडमान जेल में सावरकर की नामपट्टिका तो लगा ही दी गई. पिछले नौ सालों से नरेन्द्र मोदी देश पर राज कर रहे हैं और इस दौरान हर साल सावरकर की जयंती खूब ज़ोरशोर से मनाई गई और इस साल, उनकी जयंती पर संसद के नए भवन का उद्घाटन किया गया.

टीज़र कहता है कि केवल कुछ ही लोगों ने वास्तविक रूप से ब्रिटिश सरकार के खिलाफ संघर्ष किया और स्वाधीनता संग्राम में शामिल अधिकांश लोग केवल सत्ता के लोभी थे. यह उन सब भारतीय क्रांतिकारियों का अपमान है जो सावरकर की तरह माफ़ी मांग कर सेलुलर जेल से बाहर नहीं आये बल्कि वहीं अपनी जान गंवा दी. यह उन लाखों लोगों का भी अपमान है जिन्होंने 1920 के असहयोग आन्दोलन, 1930 के नागरिक अवज्ञा आन्दोलन, दांडी यात्रा और 1942 के भारत छोड़ो आन्दोलन में भाग लिया. यह भगत सिंह, चंद्रशेखर आजाद और उनके जैसे अनेकानेक क्रांतिकारियों का भी अपमान है जिन्होंने अपनी जान हथेली पर रखकर ब्रिटिश साम्राज्य के खिलाफ लड़ाई लड़ी. यह नेताजी और उनकी आजाद हिंद फ़ौज का भी अपमान है.

टीज़र हमें यह जानकारी भी देता है कि अगर गाँधीजी ने अहिंसा पर जोर नहीं दिया होता तो भारत को 35 साल पहले अर्थात 1912 में ही आज़ादी मिल गई होती! ऐसा लगता है कि फिल्म की पटकथा का लेखक शायद कल्पनालोक का स्थाई निवासी है. सन 1912 में सावरकर अंडमान जेल में थे, कांग्रेस के वरिष्ठ नेता बालगंगाधर तिलक मांडले जेल में और गाँधी दक्षिण अफ्रीका में थे. यह स्पष्ट है कि अहिंसा ने देश को स्वतंत्र करवाने में महत्वपूर्ण भूमिका निभाई. भगत सिंह जैसे क्रांतिकारियों ने भी आगे चलकर कहा कि अहिंसक जनांदोलन ही देश को स्वाधीनता की राह पर ले जा सकता है.

टीज़र में यह भी दावा किया गया है कि सावरकर ही खुदीराम बोस, भगत सिंह और नेताजी सुभाषचंद्र बोस के प्रेरणास्त्रोत थी. झूठ की भी कोई हद होनी चाहिए! खुदीराम बोस सन 1908 में 18 साल की उम्र में शहीद हो गए थे. सन 1857 के स्वाधीनता संग्राम पर सावरकर की किताब इसके कई सालों बाद आई. सावरकर स्वयं 1906 से लेकर 1911 तक लन्दन में थे. जहाँ तक भगत सिंह का सवाल हैं, उन्होंने कई अन्य पुस्तकों के साथ-साथ, सन 1857 पर सावरकार की किताब और उनकी एक अन्य किताब ‘हिन्दू पद पादशाही’ का उल्लेख ज़रूर किया है परन्तु प्रेरणा स्त्रोत नहीं बल्कि उद्धरण के स्त्रोत के रूप में. भगत सिंह के प्रेरणा स्त्रोत थे ग़दर पार्टी के नेता करतार सिंह सराभा, जिनकी फोटो वे हमेशा अपने साथ रखते थे और लेनिन, जिनका साहित्य उन्होंने आदि से अंत तक पढ़ा था.

भगत सिंह और सावरकर में कोई तुलना ही नहीं है. सावरकर ने अंग्रेजों से क्षमायाचना की थी और यह भी कहा था तक जिस तरह से ब्रिटिश सरकार चाहे, वे उस तरह से उसकी सेवा करने को तैयार हैं. उन्होंने द्वितीय विश्वयुद्ध में ब्रिटिश सेना को मज़बूत बनाने में अपना पूरा योगदान दिया और उन्हें सरकार की तरफ से 60 रुपये प्रति माह की पेंशन भी मिलती थी. जब भगत सिंह को फांसी दी गयी तब सावरकर ने एक शब्द भी नहीं कहा.

कई माध्यमों का इस्तेमाल कर यह अफवाह उड़ाई जाती है कि सुभाषचंद्र बोस ने सावरकर की सलाह पर आजाद हिंद फ़ौज का गठन किया था. इसमें तनिक भी सच्चाई नहीं है. सच तो यह है कि जिस समय आजाद हिन्दू फ़ौज अंग्रेजों से लड़ रही थी उस समय सावरकर ब्रिटिश सेना की मदद कर रहे थे. बोस समग्र राष्ट्रवाद के हामी थे जबकि सावरकर धर्म-आधारित राष्ट्रवाद और द्विराष्ट्र सिद्धांत के पैरोकार थे. बोस सावरकर और जिन्ना दोनों के आलोचक थे. उन्होंने दोनों से अनुरोध किया था कि वे एक साथ मिलकर आज़ादी की लड़ाई में शामिल हों परन्तु ये दोनों राष्ट्रीय आन्दोलन को कुचलने में अंग्रेजों की मदद करते रहे.

अपने अख़बार ‘फॉरवर्ड ब्लाक’ में एक लेख में बोस ने लिखा था, “सांप्रदायिक विभाजनों पर जोर देकर और सभी मुसलमानों को एक सा बतलाकर हिन्दू महासभा, भारतीय राष्ट्रीयता को अकल्पनीय क्षति पहुंचा रही है…हम श्री सावरकर की खातिर भारत की भलाई में राष्ट्रवादी मुसलमानों के योगदान को नज़रअंदाज़ नहीं कर सकते.”

अपनी किताब ‘द इंडियन स्ट्रगल’ के दूसरे भाग में बोस ने लिखा कि, “उस समय जहाँ जिन्ना केवल यह सोच रहे थे कि वे अंग्रेजों की मदद से पाकिस्तान के निर्माण की अपनी योजना को कैसे साकार करें वहीं सावरकार, अंतर्राष्ट्रीय हालात से पूरी तरफ नावाकिफ थे और केवल यह सोच रहे थे हिन्दू किस तरह सैन्य प्रशिक्षण हासिल कर भारत में ब्रिटिश सेना में प्रवेश कर सकते हैं.”

फिल्म के टीज़र पर प्रतिक्रिया व्यक्त करते हुए नेताजी की पुत्री अनीता बोस ने ‘द टाइम्स ऑफ़ इंडिया” से कहा, “महात्मा गाँधी की तरह, नेताजी भी धार्मिक भिन्नताओं के आधार पर लोगों को बांटने के खिलाफ थे. सावरकर के अनुयायी भारत के बारे में नेताजी के दृष्टिकोण का समर्थन करें, न कि उनका उपयोग ऐसे विचारों के प्रचार के लिए करें जो कि निश्चित रूप से उनके नहीं थे.”

बहरहाल, इन दिनों भारत की फ़िल्मी दुनिया दक्षिणपंथी हिन्दू ताकतों के सेवा में जुटी है और विशुद्ध झूठ पर आधारित सावरकर पर फिल्म इसका एक और उदहारण है.

(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया)
https://www.navjivanindia.com/opinion/the-entire-teaser-of-the-film-on-savarkar-is-a-bundle-of-lies-the-communal-agenda-is-clear-article-by-ram-puniyani07/06/2023

Loading

...102030...978979980981...9901,0001,010...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved