Opinion Magazine
Number of visits: 9561392
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિનુભાઈ મહેતા સ્મરણ ….

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|1 September 2023

મિત્રો, આજે થોડી હળવી પણ એક પણ ખોટો શબ્દ આગળ પાછળ કર્યા વિના, વિનુભાઈ મહેતાના હોઠે થયેલ વાત, કાને સાંભળેલું તે, તમારી સમક્ષ વિનુ સ્મરણ સાથે લખી રહ્યો છું.

વિનુભાઈને લોક સાહિત્યના કવિ કાગનું, એક લાખ રૂપિયાની થેલી અર્પણ કરી, સન્માન કરવાની ઈચ્છા થઈ અને તેમણે આ કાર્યક્રમ ‘ચારણ ચોથો વેદના નામે કર્યો. આ કાર્યક્રમમાં, રાસબિહારી ગઢવી, રામભાઈ ગઢવી, હસુ દાન, હરસુખ દાન, જીતુદાન, મનુભાઈ અને નવોદિત ચેતન ગઢવી હાજર, સાથે ભીખુદાન ગઢવીનું સંચાલન. આ બધા દેવી પુત્રોમાં, વિનુભાઈને કવિમાં જેમ રમેશ પારેખ વ્હાલો, તેવી રીતે ગઢવીમાં ‘ભીખુ દાન’ પર અપાર પ્રેમ. ચારણ ચોથો વેદ કાર્યક્રમમાં કાગબાપુના દીકરા રામભાઈ ગઢવીનો આઈટમ રજૂ કરવાનો વારો આવ્યો. અને રામભાઈએ, લોકસાહિત્યના પાટા પરથી ઊતરી જૈન સ્તવન “નમો અરિહંતાણં …” રજૂ કર્યુ. એટલે કાર્યક્રમના બે ત્રણ દિવસ બાદ મેં વિનુભાઈને આ બાબતમાં પૂછ્યું તો મને એ કહે કે મફતકાકા પ્રથમ લાઈનમાં બિરાજમાન હતા એટલે કાકાને વ્હાલો થવા આ ભત્રીજાએ, લોકસાહિત્યની પ્રણાલિકા મૂકીને સ્તવન રજૂ કર્યું. રામભાઈને એમ કે કાકા એકબે કાર્યક્ર્મ અપાવશે કે કરશે. પણ આ ભાવનગરી ગઢવીને શું ખબર હોય કે આ કાકો હીરાનો વેપારી છે, તે પારખી લે કે આ પથ્થરો છે કે રતન … 

વિનુભાઈએ, બે વાર રમેશ પારેખને પાંચ લાખ રૂપિયાની થેલી અર્પણ કરીને સન્માન કર્યું. બીજી વાર સન્માન કરેલ તે કપોળ સમાજ દ્વારા. પ્રથમ વાર રમેશના સન્માન વખતે વિનુભાઈ અને અનિલ જોશી વચ્ચે મન દુઃખ થઈ ગયેલું. એ વખતે હું તો અમેરિકામાં, પણ વિનુભાઈએ મને પત્ર લખેલ તેમા એક વાક્ય લખ્યું હતું કે, હું ફલાણી તારીખે રમેશ પર્વ દ્વારા રમેશ પારેખનું સન્માન કરું છું અને આગળ લખ્યું હતું કે તને આ વાંચીને દુઃખ થશે કે રમેશના પરમ મિત્ર અનિલ જોશીએ રમેશના હવન કુંડમાં હાડકાં નાખવાનું કામ કર્યું છે.

મિત્રો, અહીંયા એક વાત સાચી કરું છું. આજે વિનુભાઈ નથી અને આપણા સાહિત્યકારો કેવું બે પ્રકારનું જીવન જીવતા હોય છે તેનો આ એક દાખલો આપુ છું. ’વિનુભાઈના, કફન ભાગીદાર દોસ્ત, ગુંણવંત શાહ થોડા વખત બાદ અમેરિકામાં આવ્યા હતા. તે વખતે રોચેસ્ટર મારા ઘરે ગુણવંતભાઈ જમવા આવેલા. ત્યારે મેં વિનુભાઈ અને અનિલ જોશી પ્રકરણ વિશે ગુણવંતભાઈને પૂછ્યું તો મને કહે આ વિશે તો અનિલે મુંબઈના છાપામાં ખૂબ લખ્યું. પછી મને કહે તને એક વાત કહું પણ તારે વિનુભાઈ અને કોઈને નહિ કહેવાની, તો જ હું તને કહું. મેં આ વાત આજ લગી વચન પ્રમાણે મનમાં સાચવી રાખી હતી. ગુંણવંતભાઈ મને કહે શંભુ, અનિલ જોશી ખરેખર સાચો છે … પણ જો આ વાત ગુણવંતભાઈ એ મિત્ર નાતે વિનુભાઈને કરી હોત તો આ તમાશો જાહેરમાં ન થયો હોત … એવું મારું માનવું હતું.

વિનુભાઈને ગુણવંતભાઈ પ્રત્યે અપાર પ્રેમ, અને ગુણવંતભાઈ પણ આ બાબતમાં પાછળ ક્યારે ય ન પડે. વિનુભાઈને મનમાં એક ઈચ્છા કે ગુણવંતભાઈને આ વાતની ક્યાંથી ગંધ પણ ન આવે તેમ તેના ઘરે બે પાંચ મિત્રો સાથે જઈ ગુણવંતભાઈને એક લાખ રૂપિયાની થેલી સાથે સન્માન કરવું. પણ વિનુભાઈને એક બાબતની ચિંતા હતી કે ગુણવંતભાઈને આ વાતની ખબર પડશે તો ગુણવંતભાઈ ચોખી ના પાડશે. આ વાત કરવા મને વિનુભાઈનો ફોન મુંબઈથી આવ્યો. મને કહે કે તું શું કરે છે? મેં કહ્યું કે મુંબઈથી જવાહર બક્ષી આવ્યો છે. અમે બેઠા છીએ. મને વિનુભાઈ કહે દીકરા, મારે તને એક વાત કરવી છે, પણ હવે માંડી વાળું છું. મેં પૂછ્યું તો કહે તારા ઘરે અત્યારે BBC આકાશવાણી આવીને બેઠું છે. તું ફોન મૂકે પહેલા મુંબઈ News વહેતા થઈ જશે … 

રમેશ પારેખ અમેરિકા આવ્યા ત્યારે તેમના મનમાં થોડો કોઈ પ્રકારનો તણાવ રહેતો. તેમને પ્લેનમાંથી ઉતરતાની સાથે મારા ઘરે જીદ પકડી કે મારે સવારે પાછું અમરેલી જતું રહેવું છે. વિનુભાઈને ચિંતા થાય કે આવું જ આઠ અઠવાડિયા રહ્યું તો કરશું શું? મને કહે કે દીકરા, આ ઘોડા દશેરાને દિવસે નહીં દોડે તો તે કયે દહાડે દોડશે? પછી કહે કે આ વિનોદને ખાસ સાથે લાવવાનું કારણ પણ આ કે જો રમેશ અવાક થઈને બેસી જાય તો વિનોદ પાસે તેનાં ગીત/કાવ્ય રજૂ કરાવવા …

એક સાંજે અમે ચાર અને ડો. અશોક શાહ મારી ઓસરીમાં બેઠા હતા. અને રમેશે તેનો કાવ્યસંગ્રહ ‘મીરાં સામે પાર” ગિરનારી બાપુ અમરદાસ ખારાવાલાને કેમ અર્પણ કર્યો, તે વાત રમેશભાઈએ વિગતવાર કરી. એટલે વિનુભાઈ અમરશી બાપુની એક વાત કરી. કોઈએ પૂછ્યું કે બાપુ, તમે રામકથા કરો અને સીતા વિદાયમાં તમારી આંખો ઝરે કે નહિ. બાપુ કહે તે તો મને ખબર નથી પણ સાંજે આરતી માંડવામાં ફરીને પાછી ખાલી થાળી આવે ત્યારે મારી આંખો ચોધાર આંસુએ ઝરે …

એકવાર અમારા ઓશો ભક્ત વિઠ્ઠલ સ્વામી હું અને વિનુ બાપા, બપોરે પૂજા રેસ્ટોરન્ટમાં નિરાંતે બેઠા હતા. આ વિઠ્ઠલ સ્વામી તમને ઘણી વાર વિનુભાઈ સાથે જોવા મળી જાય. મને કહે કે થોડા દિવસથી આ વિઠલો, મારી પાછળ આદુ ખાઈને પડ્યો છે કે મને તમે એક સરસ વ્યાખ્યાન બ્રહ્મચર્ય પર ગમે તે રીતે ગોઠવી આપો. દીકરા, તું આને સમજાવ. મેં તેને કહ્યું કે વિઠ્ઠલ, તું બ્રહ્મર્ચયની પતર ખાંડમાં. તું એમ કર એક વ્યાખ્યાન હસ્તમૈથુન પર ગોઠવી દે .. 

ઘણી વાતો વિનુભાઈની હૈયે છે, પણ એક તો આળસ અને બીજું સૈફ પાલનપુરી એક શેર જેવી છે.

વિરહની રાતે હસતા આ સિતારાને બુઝાવી નાંખુ પણ 

એક રાત નિભાવી છે આકાશને ને દુશ્મન કોણ કરે ?

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

नये संविधान की मांग आखिर क्यों?

राम पुनियानी|Opinion - Opinion|1 September 2023

राम पुनियानी

डॉ बिबेक देबरॉय, प्रधानमंत्री नरेन्द्र मोदी की आर्थिक सलाहकार परिषद् के मुखिया है. जाहिर है कि वे सत्ता के केंद्र के बहुत नज़दीक हैं – शाब्दिक और लाक्षणिक दोनों अर्थों में. हाल में (15 अगस्त, 2023), उनका लेख देश के एक शीर्ष समाचारपत्र में प्रकाशित हुआ. इसमें उन्होंने देश के वर्तमान संविधान के बने रहने पर प्रश्न उठाया. उनके अनुसार, आज का संविधान वह संविधान नहीं है जिसे हमने स्वाधीनता के समय अपनाया था क्योंकि उसमें अनेक संशोधन हो चुके है. उनका यह कहना है कि चूँकि कार्यपालिका संविधान के मूलभूत ढांचे में कोई बदलाव कर सकती और चूँकि संविधान अब बहुत पुराना हो गया है, इसलिए हमें नया संविधान बनाना चाहिए. वे यह भी कहते हैं कि यह संविधान औपनिवेशिक विरासत है और वे इसके कई प्रावधानों पर प्रश्न उठाते हैं जिनमें समाजवाद, धर्मनिरपेक्षता, न्याय, समानता और स्वतंत्रता जैसे मूल्यों की स्थापना और संरक्षण से जुड़े प्रावधान शामिल हैं. प्रधानमत्री कार्यालय (पीएमओ) ने देबरॉय की राय से आधिकारिक रूप से अपने को अलग कर लिया है परन्तु भारतीय संविधान की उपयोगिता को शंका के घेरे में डालने और उसका विरोध करने का उद्देश्य पूरा हो गया है.

इसके पहले से भी दक्षिणपंथी चिन्तक और नेता यह कहते आये हैं कि भारत का संविधान गवर्नमेंट ऑफ़ इंडिया एक्ट 1935 पर आधारित है, औपनिवेशिक विरासत है और भारतीय मूल्यों को प्रतिबिंबित नहीं करता. सच तो यह है कि दक्षिणपंथी हिन्दू राष्ट्रवादियों को यह संविधान कभी नहीं भाया. यह संविधान गवर्नमेंट ऑफ़ इंडिया एक्ट 1935 की तर्ज पर नहीं बना है. यह संविधान की मसविदा समिति के अध्यक्ष डॉ बी.आर. अम्बेडकर ने नेतृत्व में करीब तीन वर्ष तक चली लम्बी बहसों और कठिन श्रम का नतीजा है. संविधान सभा के अध्यक्ष डॉ राजेंद्र प्रसाद और उसके अधिकांश सदस्य भारत के औपनिवेशिकता विरोधी संघर्ष में रचे-बसे थे. और इसी संघर्ष ने भारत के एक राष्ट्र बनने की प्रक्रिया के शुभारम्भ में महती भूमिका निभाई थी.

बहुलतावादी और समावेशी भारत के पैरोकारों के विपरीत, धार्मिक राष्ट्रवादियों ने इस संघर्ष से दूरी बनाए रखी और उन्होंने उन मूल्यों का भी विरोध किया जो इस संघर्ष से उपजे थे. सन 1949 के 30 नवम्बर को संविधान सभा ने संविधान को पारित किया. इसकी तीन दिन बाद, आरएसएस के मुखपत्र ‘द आर्गेनाइजर’ ने उसे ख़ारिज करते हुए ‘मनुस्मृति’ को संविधान की तौर पर अपनाए जाने की वकालत करते हुए एक सम्पादकीय लिखा. इसमें कहा गया था, “ किन्तु हमारे संविधान में प्राचीन भारत में हुए अनूठे संवैधानिक विकास का कोईउल्लेख नहीं हैं. मनु द्वारा विरचित नियमों का रचनाकाल स्पार्टा और पर्शिया में रचे गए संविधानों से कहीं पहले का है. आज भी मनुस्मृति में प्रतिपादित नियम पूरे विश्व में प्रशंसा पा रहे हैं और इनका सहज अनुपालन किया जा रहा है. किंतु हमारे संवैधानिक पंडितों के लिए यह सब अर्थहीन है”.

हिन्दू दक्षिणपंथ के उभार के साथ संविधान का विरोध बढ़ने लगा. अटलबिहारी वाजपेयी की सरकार के 1998 में सत्ता में आने के बाद संविधान की ‘समीक्षा’ के लिए वैंकटचलैया आयोग का गठन किया गया. परंतु इस आयोग का इतना कड़ा विरोध हुआ कि सरकार को उसपर अमल करने का इरादा त्यागना पड़ा.

संविधान के प्रति विरोध अलग-अलग तरीकों और मंचों से किया जाता रहा है. के. सुदर्शन ने आरएसएस का मुखिया बनने के बाद घोषणा की कि भारतीय संविधान पश्चिमी मूल्यों पर आधारित है और इसके स्थान पर भारतीय पवित्र पुस्तकों, जिनमें मनुस्मृति भी शामिल है, पर आधारित संविधान बनाया जाना चाहिए. उन्होंने कहा ‘‘हमें नया संविधान बनाने में सकुचाना नहीं चाहिए क्योंकि हम इसे पहले ही सौ से अधिक बार संशोधित कर चुके हैं”. उन्होंने यह भी कहा कि फ्रांस अपने संविधान का अब तक चार बार पुनरीक्षिण कर चुका है. उन्होंने कहा कि संविधान कोई पवित्र ग्रंथ नहीं है बल्कि वह हमारे देश के समक्ष उपस्थित अधिकांश समस्याओं की जड़ है.

समय-समय पर भगवा ब्रिगेड के अलग-अलग सदस्य इसी तरह की बातें कहते रहे हैं. हाल में जब विपक्ष ने इंडिया नाम से एक गठबंधन बनाया तब इस समूह के कई नेताओं ने इस आधार पर इसका विरोध किया कि भारत को इंडिया का नाम अंग्रेजों ने दिया था. भाजपा के एक राज्यसभा सदस्य नरेश बंसल ने तो संविधान में इस शब्द के उपयोग पर प्रश्नचिन्ह लगाते हुए कहा कि यह शब्द भारत की गुलामी का प्रतीक है.

संघ के महासचिव दत्तात्रेय होसबोले का मानना है कि भारतीयों के दिलोदिमाग को औपनिवेशिक मानसिकता से मुक्त करना आवश्यक है. ‘‘हमारे देश में यूरोपीय विचारों, प्रणालियों, आचरण और विश्वदृष्टि का कई दशकों से बोलबाला रहा है. स्वतंत्र भारत इनसे मुक्ति नहीं पा सका है.”

देबराय और संघ परिवार संविधान के विरोध के मुद्दे पर एकमत हैं. जहां संघ परिवार संविधान के ‘पश्चिमी चरित्र’ पर प्रश्न उठाता रहा है वहीं देबराय इससे भी आगे बढ़कर स्वतंत्रता, समानता, धर्मनिरपेक्षता, समाजवाद आदि जैसे मूल्यों पर प्रश्नचिन्ह लगा रहे हैं. इससे यह साफ है कि संघ परिवार को असली परेशानी किससे है. भारतीय संविधान के औपनिवेशिक चरित्र की दुहाई देना ठीक वैसा ही है जैसे पश्चिम एशियाई देशों में मुस्लिम ब्रदरहुड जैसी संस्थाएं स्वतंत्रता और समानता के मूल्यों का इस आधार पर विरोध कर रही हैं कि वे पश्चिमी हैं. देबराय और उनके जैसे अन्य लोग इस बात से दुःखी हैं कि हमारा संविधान विभिन्न जातियों, धर्मों और दोनों लिंगों के लोगों को समानता देता है.

संघ परिवार मनुस्मृति के युग को भारत का स्वर्णकाल बताता है क्योंकि उस काल में लैंगिक और जातिगत पदक्रम को धार्मिक और सामाजिक स्वीकृति प्राप्त थी. इसमें कोई संदेह नहीं कि औपनिवेशिक शासन में हमारे  समाज के ढ़ांचे में व्यापक परिवर्तन हुए और लैंगिक व जातिगत पदक्रम की समाज पर पकड़ कमजोर हुई. यही वह वक्त था जब श्रमिकों ने अपने संगठन बनाए (नारायण मेघाजी लोखंडे, कामरेड सिंगारवेल्लू). इसी दौर में भगतसिंह जैसे नेताओं ने शासक वर्ग द्वारा आम लोगों के शोषण के खिलाफ आवाज उठाई और यह साफ कर दिया कि इस शोषण को हमें खत्म करना होगा. औपनिवेशिक शासनकाल को हम केवल स्याह-सफेद के चश्मे से नहीं देख सकते. इससे देश का कुछ भला भी हुआ और कुछ बुरा भी. औपनिवेशिक ताकतों ने निःसंदेह देश को जमकर लूटा परंतु उन्होंने ऐसी संस्थाएं भी खोलीं जो महिलाओं और पुरूषों को समान अधिकार देतीं थीं. संघ परिवार और प्रधानमंत्री के आर्थिक सलाहकार वर्तमान संविधान के स्थान पर नए संविधान के निर्माण के पक्ष में भले ही अनेक तर्क दे रहे हों परंतु उन्हें सबसे अधिक परेशानी समानता के मूल्य से है जिसके पैरोकारों में भगतसिंह और अंबेडकर जैसी विभूतियां थीं और जो हमारे राष्ट्रीय आंदोलन के मार्गदर्शक सिद्धांतों में से एक था.

सन् 1990 तक भारत ने समानता की स्थापना के लिए संघर्ष किया. इस संघर्ष की धुरी था हमारा संविधान और इसमें मददगार थीं नेहरू की देश को आधुनिक बनाने की नीतियां. अब हम रिवर्स गेयर में चल रहे हैं. मंदिर और गाय राजनीति के केन्द्रक बन गए हैं और सभ्यतागत मूल्यों के नाम पर ब्राम्हणवादी मूल्यों को देश पर लादा जा रहा है. इससे हम वह सब खो बैठेंगे जो हमने दुनिया के सबसे बड़े जनांदोलन अर्थात भारत के स्वाधीनता आंदोलन से हासिल किया था.

संविधान का विरोध दरअसल देश को उस युग में वापिस ढकेलने की कवायद है जिसमें जाति, वर्ग और लिंग के आधार पर असमानता को धर्म की स्वीकृति हासिल थी.

30/08/2023
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनलकम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)
https://www.navjivanindia.com/opinion/why-is-the-demand-for-a-new-constitution-rising-and-what-is-the-intention-of-the-saffron-brigade-article-by-ram-puniyani

Loading

શિક્ષકો, અધ્યાપકો નારાજ રહે એ માટે ગુજરાત સરકાર બહુ મહેનત કરે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 September 2023

રવીન્દ્ર પારેખ

ગુજરાત સરકારે શિક્ષણને અધોગતિનાં એવાં સ્તરે મૂક્યું છે કે તેની પડતી આપોઆપ જ થતી રહે. સરકાર કાન પણ, નિયમિતરૂપે અવળા જ પકડે છે. તેનું મૂળ કારણ તેની દાનત ખોરી છે તે છે. સરકાર શૈક્ષણિક લાયકાતમાં કોઈ બાંધછોડ નથી કરતી, ટેટ-ટાટની પરીક્ષામાં કોઈ કન્સેશન નથી આપતી ને આટલી કસરત કરાવ્યાં પછી કાયમી શિક્ષકની નિમણૂક કરવાની આવે છે, તો તેનાં ગાત્રો ગળવાં માંડે છે. બને ત્યાં સુધી કોઈને કશું વધારે ન અપાઈ જાય તેની તે સતત કાળજી રાખે છે. તેનાં મંત્રીઓ, સચિવો, અધિકારીઓ પૂરો પગાર લે છે. તેઓ રોજ પર નથી, પણ માસ્તરો તે રોજ પર, નહીં, તાસ પર રાખે છે. ચિત્ર-સંગીત શિક્ષકોનો ભાવ 50 રૂપિયા રાખે છે. વળી રાજીખુશીથી કોઈ આવવા તૈયાર ન થાય એ ઇરાદે ભાવતાલ નક્કી થાય છે. આનાં કરતાં તો મજૂરોનો રોજ વધારે હોય છે, પણ શિક્ષકોને ચામડી નથી, એટલે આવું ચાલે છે, તો તેમનું રૂંવાડું ય ફરકતું નથી. ઘેટાંબકરાં પણ અવાજ કરે છે, પણ શિક્ષકોને વાણી નથી. સરકારી સ્કૂલોનાં શિક્ષકો અંગૂઠા પકડીને ઊભા છે અને પીઠ પર ડેટા, પરિપત્રો, વસ્તી ગણતરી, રસીકરણ જેવી ઈંટો મુકાતી રહે છે, પણ તેમનો ઊંહકારો સંભળાતો નથી, એનો અર્થ એ થયો કે હજી ઈંટો વધે તો એ વફાદારી છોડવાના નથી. વફાદારીમાં કૂતરાનો નંબર બીજો આવે છે, કારણ પહેલે નંબરે હવે શિક્ષકો છે.

કેટલાક શિક્ષકો એટલા ચાલાક છે કે તેઓ ચામડી બચાવીને જવાબદારીઓમાંથી કેમ છટકવું તે જાણે છે, એટલે એમનો બોજ પણ બીજાની પીઠે ગોઠવાતો રહે છે. એમાંના ઘણાં પગાર મળે છે, તેટલાથી રાજી છે. એ જો વર્ગશિક્ષણ વગર મળતો હોય તો સોનામાં સુગંધ ભળે. એનું પરિણામ એ આવ્યું છે કે કેટલાં ય બાળકો શીખ્યાં વગર જ પાસ થતાં રહે છે. એ છેલ્લે બોર્ડની પરીક્ષાઓમાં અટકે છે. અહીં પણ 80માંથી 5 માર્ક આવે તો 21નું ગ્રેસિંગ અપાયાનું નોંધાયું છે. ભણવું, શીખવું હવે મહત્ત્વનું નથી, પાસ થવું જ મહત્ત્વનું છે ને તેની ગરજ વિદ્યાર્થી કરતાં શિક્ષણ બોર્ડની વધુ છે. આમ છતાં ગુજરાતમાં, ગુજરાતીના વિષયમાં દોઢ–બે લાખ વિદ્યાર્થીઓ નાપાસ થાય તો પણ સરકાર ને સંસ્થાઓ માતૃભાષા દિવસ ઉમંગથી ઉજવે છે ને ગુજરાતી સ્કૂલો બંધ પણ થતી રહે છે. આપણે એટલાં અબૂધ છીએ કે ઉઠમણાં વખતેય ઉત્સાહ તો ઉજવણાંનો જ રાખીએ છીએ. દેખાડો એ આજનો રાષ્ટ્રીય રોગ છે.

2020માં નવી શિક્ષણ નીતિ દાખલ તો કરી દીધી, પણ એને અમલમાં મૂકનારું તંત્ર જૂનું અને રેઢિયાળ છે. પૂરતા શિક્ષકો વગર, કામચલાઉથી કામ લેવામાં કરકસર થતી હશે, પણ શિક્ષણનો દાટ વળે છે. અભણ આ સમજે છે, પણ સરકારે સમજવું નથી. એવું નથી કે સરકારને સમજાતું નથી, પણ બધી જ કંજૂસાઈ એ શિક્ષણમાં જ કરે છે. એમાં બને છે એવું કે કસર તો નથી થતી, પણ વચેટિયાઓ હોજરી ભરીને સરકારને જ ખાડામાં ઉતારે છે. એક દાખલાથી આ વાત સમજીએ. નગર પ્રથમિક શિક્ષણ સમિતિ, સુરતે એક જ હેતુ માટે આ વખતે બે પ્રકારના શિક્ષકો રાખ્યા. એકને 10,500નો પગાર ને એને જ એજન્સી રાખે તો 17,500નો ભાવ. આ વધારાના 7 હજાર શિક્ષકને મળતા હોત તો ધૂળ નાખી, પણ એ એજન્સીનું કમિશન ગણાયું. એટલે સરકારના 17,500 ખર્ચાય, તો પણ, શિક્ષકને તો 10,500 જ મળે, આમાં સરકારને લાભ ન હોય તો આવા વેપલા કરવાને બદલે સીધા કાયમી શિક્ષકો રાખવામાં શું વાંધો આવે તે સમજાતું નથી.

શિક્ષણતંત્રની માનસિકતા મનોરોગીની હોય તેમ તે છાશવારે એટલા તુક્કા લડાવે છે કે ઘણીવાર તો મનોરોગી તંદુરસ્ત લાગે. એક સવારે તુક્કો આવ્યો કે હવેથી શિક્ષા સહાયકો, વિદ્યા સહાયકો ન રાખવા, તેને બદલે માસ્તરો જ્ઞાન સહાયક તરીકે કોન્ટ્રાક્ટ પર રાખવા અને તેમને વધારે પગાર આપવો. બીજો તુક્કો એવો આવ્યો કે પ્રવાસી શિક્ષકો ન રાખવા, કારણ એ તાલીમી નથી. વર્ષો પછી સમજાયું કે પ્રવાસી શિક્ષકો તાલીમી નથી ! આ અખતરાઓ કોઈ પણ પૂર્વ વિચારણાનું પરિણામ નથી. સત્ર જૂનમાં શરૂ થયું, પછી મહિને, બે મહિને થયું કે ‘પ્રવાસી’ ને સ્વર્ગવાસી કરો, ત્યાં જ થયું કે જ્ઞાન સહાયકો નીમવામાં તો સત્ર પૂરું થઈ જશે, એટલે એ નિમણૂકો થાય ત્યાં સુધી ભલે પ્રવાસી શિક્ષકોની નિમણૂક થતી રહે. જ્ઞાન સહાયકોનું પણ ઠેકાણું પડ્યું નથી, એટલે આ યોજનાનો હવે વિરોધ શરૂ થયો છે. બન્યું છે એવું કે કરાર આધારિત આ નોકરી માટે ઉમેદવારોએ જ ઉમેદવારી ન કરવાનો નિર્ણય લીધો છે. એમને એવું છે કે જ્ઞાન સહાયકોની ભરતીનાં ફોર્મ ઉમેદવારો જ ન ભરે તો સરકારને કાયમી શિક્ષકો નીમવાની ફરજ પડે. બધાં જ જો ઉમેદવારી ન નોંધાવવાનું નક્કી કરે તો સરકારને વિચારવાની ફરજ પડે જ, પણ થોડાં પણ ફોર્મ ભરાય તો વિરોધનો અર્થ ન રહે. ખરેખર તો યોજનાનો જ સાર્વત્રિક વિરોધ થવો ઘટે, કારણ કરાર આધારિત આ યોજના મુજબ તો 11 મહિને કોન્ટ્રાક્ટ પૂરો થઈ જાય અને એમ થતાં કોઈને કાયમી કરવાનો પ્રશ્ન જ ન રહે. વધારે પગારની લાલચ આપીને રાજ્યમાંથી જ કાયમી નિમણૂકને દેશવટો આપવાનું સરકારે તર્કટ કર્યું છે. જો મંત્રીઓ, હોદ્દેદારો, અધિકારીઓ કાયમી નોકરીના પગાર, પેન્શન, રજા જેવા લાભો મેળવતા હોય તો શિક્ષકને કાયમી કરવામાં શું તકલીફ છે? કોઈ પણ કામચલાઉ શૈક્ષણિક યોજનાઓનો જડબેસલાક વિરોધ થવો જોઈએ અને જો યુનિયનો ગુજરી ન ગયાં હોય તો તેમણે યુદ્ધને ધોરણે આ મેટર હાથ પર લેવી જોઈએ. એટલું છે કે જ્ઞાન સહાયકનું ભૂત કાયમી રીતે ઘર કરી ગયું તો કાયમી શિક્ષક, ભૂતકાળની ભુતાવળ થઈને રહેશે.

સ્કૂલોમાં જ્ઞાન સહાયકનો પ્રશ્ન છે, તો ઉચ્ચ શિક્ષણમાં પણ ડખો નથી એવું નથી. ગુજરાત સરકારે યુનિવર્સિટી કોમન એક્ટ લાગુ કરવાની તજવીજ શરૂ કરી છે. રોગીને સનેપાત ઉપડે એથી વધુ ઝડપે સરકારને તુક્કાઓ ઉપડે છે. એમાં પણ નીતિ એકધારી અને એકસરખી નથી. ખાનગી યુનિવર્સિટીઓને તમામ નિયંત્રણોમાંથી મુક્ત કરીને બેફામ થવાની સગવડ સરકારે પૂરી પાડી છે, તેનાં મોનિટરિંગની વ્યવસ્થા પણ નથી રાખી, તો બીજે છેડે આમ પણ સરકારી દબાણ હેઠળ રહેતી સરકારી યુનિવર્સિટીઓને વધુ દબાણ હેઠળ લાવવાનો ઉદ્યમ કોમન એક્ટ હેઠળ શરૂ થયો છે. આ સરકારીકરણ એ હદનું છે કે તેનો વિરોધ કરવાની કોઈ પણ સ્વાયત્ત સંસ્થાને ફરજ પડે. આ એક્ટથી યુનિવર્સિટીની તમામ સ્વાયત્તતા ખતમ થાય એમ છે. એક જ રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીઓ બેફામ બને ને સરકારી વધુ શોષિત બને આ સ્થિતિ કોઈ રીતે યોગ્ય નથી. કેટલીક યુનિવર્સિટીઓ તો કોમન એક્ટ લાગુ થઈ જ ગયો છે એમ માનીને ડીનની. વિદ્યાર્થી સંગઠનોની ચૂંટણીથી અલગ થઈ ગઈ છે ને લોકશાહી પદ્ધતિથી થનાર ચૂંટણીમાં ન માનતી હોય તેમ વર્તવા લાગી છે. કોમન એક્ટ લાગુ થાય કે ન થાય, સરકારી યુનિવર્સિટી રોજિંદી ગતિવિધિઓથી દૂર થાય એમાં જ ગુલામી માનસિક્તાને સ્વીકૃતિ અપાતી હોય એમ લાગે. આવું વર્તન તો કોમન એક્ટ કોઈ પણ સંજોગોમાં લાગુ થશે જ તેની આગાહી કરે છે.

એ જ કારણે કોમન યુનિવર્સિટી એક્ટનો, ઓલ ઇન્ડિયા સેવ એજ્યુકેશનનાં નેજા હેઠળ 20થી વધુ શૈક્ષણિક સંગઠનોએ, ગુજરાત યુનિવર્સિટી નજીક ધરણાં પ્રદર્શનો કરીને વિરોધ કર્યો છે, ત્યાં ઉપસ્થિત શિક્ષણવિદોએ કોમન એક્ટને ફાસીવાદી અને એટલે જ ‘ફાંસીવાદી’ ગણાવ્યો છે. સંગઠનોએ આ વિરોધ વ્યાપક કરવા અન્ય યુનિવર્સિટીઓ અને કોલેજોને પણ આહ્વાન આપ્યું છે. આ કોમન એક્ટ લાગુ કરવા રાજ્ય સરકાર અગાઉ પણ પ્રયત્ન કરી ચૂકી છે. એનો એકથી વધુ વખત વિરોધ થયો છે ને સરકારે નમતું જોખવું પડ્યું છે, પણ કોમન એક્ટ લાગુ કરવાનું ઝનૂન એટલું તીવ્ર છે કે વધુ એક વખત સરકારે યુનિવર્સિટી કોમન એક્ટ લાગુ કરવા સૂચનો મંગાવ્યાં છે. જુદી જુદી સંસ્થાઓ અને સંગઠનોએ સૂચનો મોકલ્યાં પણ છે. એ સૂચનોનો અમલ થયો કે કેમ તેની વિગતો તો બહાર આવી નથી, પણ એક્ટ લાગુ કરવાની સરકારને ઉતાવળ છે, ત્યારે અધ્યાપક મંડળ સહિતનાં વિવિધ સંગઠનોએ કોઈ પણ સંજોગોમાં યુનિવર્સિટી કોમન એક્ટ લાગુ ન થાય એ માટે વિરોધ ચાલુ રાખવાનો રહે. એમ લાગે છે કે સરકારને ઉપદ્રવોમાંથી મનોરંજન મેળવવાની ટેવ પડી ગઈ છે. એ સાચું હોય તો સરકારે વિરોધ વેઠવાની તૈયારી પણ રાખવાની રહે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 સપ્ટેમ્બર 2023

Loading

...102030...965966967968...9809901,000...

Search by

Opinion

  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved