Opinion Magazine
Number of visits: 9560764
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય રાજનીતિનું ન્યૂ નોર્મલ એટલે રાજકારણમાં વંશવાદ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|7 September 2023

ચંદુ મહેરિયા

નવમી ઓગસ્ટના હિંદ છોડો ચળવળ દિવસથી ભારતીય જનતા પક્ષે રાજનીતિમાંથી પરિવારવાદ હઠાવવાનું અભિયાન છેડ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદી દિને લાલકિલ્લાની રાંગેથી કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં રાજકારણમાં વંશવાદ અને પારિવારિક રાજકીય પક્ષોને લોકતંત્ર સામેનો ખતરો ગણાવ્યા હતા.

ભારતના રાજકારણમાં પરિવારવાદની દીર્ઘ પરંપરા છે. આઝાદી પૂર્વે પિતા મોતીલાલ નહેરુ પછી ભલે સ્વબળે અને ખુદની પ્રતિભાના જોરે પુત્ર જવાહરલાલ નહેરુ ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસના પ્રેસિડેન્ટ બન્યા હતા. પરંતુ પરિવારવાદના આલોચકો છેક ત્યાં તેનાં મૂળિયાં જુએ છે. રાજનીતિમાં પરિવારવાદની ચર્ચા ગાંધી નહેરુ પરિવારના ઉલ્લેખ વિના અને પરિવારવાદને વકરાવવામાં કાઁગ્રેસની અહમ ભૂમિકા વિના થઈ શકતી નથી. જો કે આજે બી.જે.પી. સહિતના અને ડાબેરી પક્ષો સિવાયના લગભગ તમામ રાજકીય પક્ષો એક યા બીજી રીતે પરિવારવાદના પોષક અને પારિવારિક પક્ષોના સાથી તથા સમર્થક રહ્યા છે.

કોઈ એવી વ્યક્તિ રાજનીતિમાં પ્રવેશે જેના પરિવારનો કોઈ સભ્ય રાજનીતિમાં હોય, પૂર્વે ચૂંટણી જીત્યા હોય કે હાલમાં કોઈ પદ પર હોય, ટૂંકમાં રાજકીય કુટુંબના બ્રેકગ્રાઉન્ડમાંથી આવતી વ્યક્તિનો રાજકારણ પ્રવેશ એટલે વંશવાદ. ભારતમાં પરિવારનો એક સભ્ય મંત્રી હોય કે મોટો નેતા હોય તો તેના ખાનદાનને રાજનીતિ કે સત્તા વારસામાં મળે છે. ગાંધી-નહેરુ કુટુંબ પાંચ પેઢીથી, હરિયાણાનું દેવીલાલ-ચૌટાલા ફેમિલી ચાર પેઢીથી, કર્ણાટકના દેવેગૌડા, મહારાષ્ટ્રના ઠાકરે, પંજાબના બાદલ વગેરે પરિવારોની ત્રીજી પેઢી રાજકારણમાં સક્રિય છે. ઘણા બધા રાજકીય ઘરાનાની બીજી પેઢી પંચાયતથી પાર્લામેન્ટ સુધી રાજકારણમાં જોડાઈને દેશની સેવા કરી રહી છે !

હવે તો ભારતીય રાજનીતિએ  વંશવાદના ક્ષેત્રે એટલી બધી પ્રગતિ કરી છે કે કોઈ પક્ષમાં પરિવારને બદલે આખો પક્ષ જ પરિવારનો બનેલો હોય છે. ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીમાં મુલાયમસિંઘ યાદવના બૃહદ્દ પરિવારના વીસેક સભ્યો એમ.પી., એમ.એલ.એ થઈ ગયા છે. એટલે ઘણા તેને સમાજવાદીને બદલે પરિવારવાદી પાર્ટી કહે છે. લાલુ પ્રસાદ યાદવની આર.જે.ડી., ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ, કરુણાનિધિની દ્ર.મુ.ક., શિબુ સોરેનની ઝારખંડ મુક્તિ મોરચો, શરદ પવારની એન.સી.પી., પ્રકાશસિંઘ બાદલની શિરોમણિ અકાલી દલ અને બીજી એવી ખાનદાની પાર્ટીઓ દેશમાં ડઝનબંધ છે અને નવી બનતી રહે છે.

ભારતની લોકસભામાં રાજકીય પરિવારમાંથી આવતા સભ્યોની સંખ્યા વધતી જાય છે. ૨૦૦૯માં લોકસભાના કુલ સભ્યોમાં ૯.૫ ટકા રાજકીય કુટુંબની પૃષ્ઠભૂ ધરાવતા હતા. જે ૨૦૧૪માં ઘટીને ૮.૬ ટકા થયા હતા, પરંતુ ૨૦૧૯માં તે ત્રણ ગણા વધીને ૩૦ ટકા થયા હતા. વર્તમાન લોકસભાના ૫૪૨માંથી ૧૬૨ સાંસદો રાજકીય ખાનદાનોમાંથી આવે છે. તેમાં કાઁગ્રેસના ૩૧.૧૯ ટકા અને ભા.જ.પ.ના ૨૨.૦૨ ટકા છે. ૨૦૧૯માં સૌથી વધુ ૬૨ ટકા રાજકીય પરિવારના લોકસભા સભ્યો પંજાબમાંથી ચૂંટાયા હતા. તે પછીના ક્રમે બિહાર ૪૩ ટકા, મહારાષ્ટ્ર ૪૨ ટકા, કર્ણાટક ૩૯ ટકા, તમિલનાડુ ૩૭ ટકા, આંધ્ર ૩૬ ટકા, તેલંગણા ૩૫ ટકા, ઓડિશા ૩૩ ટકા અને રાજસ્થાન ૩૨ ટકા છે. દેશના લગભગ બધા જ રાજ્યોમાં રાજકીય વંશવાદ પ્રસરેલો છે. ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રીઓ ચીમનભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, અમરસિહ ચૌધરી,  કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલાના કુટુંબીજનો (પત્ની અને સંતાનો) રાજનીતિમાં વંશવાદના દૃષ્ટાંતો છે.

આઝાદી પછી રાજાઓના રજવાડાની સાથે રાજાશાહી નાબૂદ થઈ હતી અને દેશે લોકતંત્ર તરફ મક્કમ ડગ માંડ્યા છે. પરંતુ રાજકીય વંશવાદરૂપે નવી રાજાશાહી  ઊભી થઈ છે. આમ તો તેઓ લોકશાહી પ્રક્રિયાને અનુસરીને, બાકાયદા ચૂંટણી લડીને, ચૂંટાય છે. પરંતુ લોકોના તેમને ચૂંટવાના અને દિનબદિન રાજનીતિમાં પરિવારવાદમાં વધારો થવાના કારણો શું હોઈ શકે તે વિચારણીય છે. ભારતીયોમાંથી વ્યક્તિપૂજા અને સામંતી માનસિકતા હજુ ગઈ નથી. તેનો લાભ રાજકીય પરિવારોને મળે છે. રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી તેની જીતની શક્યતાના આધારે કરે છે. તેમાં પારિવારિક પાર્ટીઓના કુટુંબીજનો અને રાજકીય પરિવારોની પસંદગી થવી સહજ બની જાય છે. રાજકીય પક્ષો જીતની શક્યતાના આધારે મહિલાઓને ઉમેદવારો બનાવવામાં ઉદાસીન રહે છે. પરંતુ પારિવારિક પાર્ટીઓનાં મહિલા ઉમેદવારો તેમાં અપવાદ હોય છે. હાલની લોકસભાના સમાજવાદી પાર્ટી, તેલુગુ દેશમ, દ્રવિડ મુનેત્ર કડગમ, અકાલી દળ અને એન.સી.પી.નાં મહિલા સાંસદો રાજકીય પરિવારનાં જ છે. દેશના બે મુખ્ય રાજકીય પક્ષોમાં, ભારતીય જનતા પક્ષે છેલ્લી લોકસભા ચૂંટણીમાં ૨૨ ટકા ટિકિટો રાજકીય પરિવારના સભ્યોને આપી હતી તેમાંથી ૨૫ ટકા વિજયી થયા હતા. કાઁગ્રેસે ૩૧ ટકા ટિકિટો રાજકીય ખાનદાનોને આપી હતી. તે પૈકી ૪૪ ટકા ચૂંટાયા હતા. એટલે વિજ્યનું ગણિત અને મતદારોનો ઝૂકાવ પરિવારવાદની વિરુદ્ધમાં જોવા મળ્યો નથી.

રાજનીતિમાં વંશવાદને લોકતંત્ર માટે એટલે ખતરો માનવામાં આવે છે કે તેમના માટે રાષ્ટ્રહિત કરતાં કુટુંબનું હિત મોટું હોય છે. રાજનીતિ તેમના માટે સેવા નહીં પણ વ્યાપાર છે. ભારતમાં આમે ય રાજનીતિ લાભદાયક પારિવારિક વ્યવસાય બની ગયો છે ત્યારે પરિવારવાદી રાજનીતિ અને પારિવારિક પક્ષો લોકતંત્રના હિતમાં નથી. આ પ્રકારનો પરિવારવાદ સમાન તક, યોગ્યતા, ક્ષમતા અને પ્રતિભાને તો હણે છે તે વ્યક્તિપૂજા, ખુશામત અને દરબારી સંસ્કૃતિને પ્રોત્સાહિત કરે છે. મતદારોનાં દુ:ખ-દર્દ, આકાંક્ષાને સમજે એવા જમીન સાથે જોડાયેલા કાર્યકરોની ઉપેક્ષા થાય અને દરબારી ઉમેદવારો લદાય તો તે પક્ષ અને દેશના હિતમાં નથી. રાજકીય ખાનદાનના ઉમેદવારોને કારણે મતદારો માટે પસંદગી મર્યાદિત બની જાય છે. તો પરિવારના જોરે ફરી ચૂંટાવાની ખાતરી હોઈ આવા પ્રતિનિધિઓ મતવિસ્તારના કામો કરવામાં ઉદાસીન કે અંડર-પરફોર્મર હોય છે. વળી પારિવારિક પક્ષોમાં તો પરિવારનું આધિપત્ય જ નહીં તમામ નિર્ણયોમાં એકાધિકાર હોય છે.

વંશવાદ કે પરિવારવાદ ભારતીયોના ડી.એન.એ.નું અભિન્ન અંગ છે. આપણે ત્યાં ગમે તે પસંદગીમાં વ્યક્તિના ગુણોને બદલે ‘ઘરની વ્યક્તિ પહેલી’નો માપદંડ ચાલે છે. એટલે ના માત્ર રાજકારણમાં ઉદ્યોગ-ધંધા, શિક્ષણ–રોજગાર, સ્પોર્ટ્સ અને ફિલ્મોમાં પણ નેપોટિઝમ કે વંશવાદની બોલબાલા છે. રાજનીતિમાંથી પરિવારવાદ દૂર કરવા માટે રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહી હોવી ખૂબ જ જરૂરી છે. બહુજન સમાજ પાર્ટી અને શિવસેનાને ચૂંટણી પંચની તાકીદ પછી તેમણે સંગઠનની ઉપરછલ્લી ચૂંટણીઓ યોજી હતી. કાઁગ્રેસમાં વડા પ્રધાન જ પક્ષ પ્રમુખ હોય તેવી વણલખી પરંપરા હતી. ગાંધી-નહેરુ ખાનદાન વડા પ્રધાન પદથી દૂર રહ્યું ત્યારે પણ પક્ષની કમાન તો તેના હાથમાં જ  રહી હતી. રાજકીય પક્ષો માટે રાજનીતિમાં પરિવારવાદ કોઈ સૈદ્ધાંતિક મુદ્દો નથી પણ ચૂંટણી મુદ્દો છે. હાલના કેન્દ્રના સત્તાપક્ષ ભારતીય જનતા પક્ષના નરેન્દ્ર મોદી મંત્રીમંડળના સભ્યો રાજનાથ સિંઘ, પીયૂષ ગોયેલ, ધર્મેન્દ્ર પ્રધાન, અનુરાગ ઠાકુર વગેરે પોતે કે તેમના સંતાનો વંશવાદના ઉદાહરણો હોવા છતાં ભા.જ.પ. વંશવાદથી સાવ મુક્ત પાર્ટી હોવાનો દેખાવ કરવામાં સફળ રહે છે તે ભારતીય રાજનીતિની બલિહારી છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

Udhayanidhi’s ‘Eradicate Sanatan Dharma’ Call is What Periyar, Ambedkar Sought

Ram Puniyani|English Bazaar Patrika - OPED|7 September 2023

Ram Puniyani

Hinduism is not a prophet-based religion, neither does it have a single book, nor is the word Hindu part of holy scriptures. This gives enough leeway to different interpreters and reformers to attribute diverse meanings to what Hindu religion stands for, even to the extent of defining it as not a religion but “way of life”. As such, it is a collation of diverse tendencies which can broadly be grouped under Brahmanic (Vedic, Manusmriti, with caste and gender hierarchy at the base) and the Shramanic (Nath, Tantra, Bhakti, Shaiva, Siddhanta) traditions.

The word Sanatan has been in use for “eternal religions”. The word Dharma is also supposed to be not easy to translate into English. It broadly stands for many things, the chief being religiously ordained duty. It also stands for spiritual order, sacred laws, the totality of social, ethical and spiritual harmony. In his book Why I am a Hindu, Shashi Tharoor points out that Dharma can also be defined as “that by which we live”.

Intricacies apart, the word Sanatan Dharma has been used for Hinduism, particularly its Brahmanical version, which upholds caste and gender hierarchy. This is what BR Ambedkar meant when he said that Hinduism is Brahmanical theology. Hinduism is the root of Hindutva or Hinduness, which has manifested as Hindu nationalist politics. It, too, upholds Manusmriti and thereby the traditional caste hierarchy. In a way, Sanatan Dharma today stands for the caste hierarchy.

This is the backdrop against which we need to understand Udhayanidhi’s call to “eradicate Sanatan Dharma”. The Youth Welfare and Sports Development Minister of Tamil Nadu, and son of MK Stalin, Chief Minister of Tamil Nadu and DMK leader, comes from the tradition of Periyar Ramasamy Naicker, the pioneer of the Self Respect Movement, which calls for caste equality and eradication of patriarchy. He was scathingly critical of Brahmanical norms, which dominated society. Just before him, Ambedkar had overseen the burning of Manusmriti by his colleague Bapusaheb Sahastrabuddhe. As per Ambedkar, this text is the repository of caste inequalities. Ambedkar, pained by the hold of Brahmanism over society—now referred to as Sanatan Dharmic values—declared in Yeola, “I was born a Hindu; that was not in my hands, but I will not die a Hindu.”

Udhayanidhi has now said that Sanatan Dharma is a principle that divides people in the name of caste and religion…” He is merely repeating what Periyar and Ambedkar have said in their own ways. On his use of the words Sanatan Dharma, BJP spokesperson Amit Malaviya tweeted, “Udhayanidhi Stalin… has linked Sanatan Dharma to malaria and dengue…In short, he is calling for genocide of 80% population of Bharat who follow Sanatan Dharma.”

Malaviya is not only twisting what Udhayanidhi Stalin has said, he is also confirming that Hinduism is synonymous with Sanatan Dharma today.

Fact is, Udhayanidhi’s call is a call to eradicate caste and not people—and that is the spirit in which his remark has been popularly seen as well. When Ambedkar calls for the annihilation of caste, he does not call for genocide. Therefore, Ambedkar’s intentions and Udhayanidhi’s aspirations are the same. BJP leaders appear to be twisting his statement deliberately, since the DMK is part of the INDIA alliance of Opposition parties.

Home Minister Amit Shah has said in public meetings that the Congress party has disrespected Indian culture and Udhayanidhi’s words amount to “hate speech”. Truth is, talking about the annihilation of a system of inequality cannot be hate speech. What has been said is in tune with what Ambedkar and Periyar said—the main point being that Brahmanical Hinduism is presenting itself as Sanatan Dharma.

When Gandhi struggled to unite the country and worked against the practice of untouchability, he identified himself with Sanatan Dharma and Hinduism. For a few years after 1932, Gandhi made it his primary goal to work against untouchability, and pursue the rights of Dalits to enter temples. The diverse religious traditions of India, such as Buddhism, also identified themselves as Sanatan or everlasting. Today, the dominant tendency pursued by the RSS is to promote the word Sanatan for Hinduism to create a mix of Brahmanism and nationalism. Udhayanidhi, therefore, has deployed strong symbolism to explain the evils of the caste order. The charge of hate speech would not apply to the abolition of values that support caste hierarchy.

BJP leaders and spokespersons are trying to use Udhayanidhi’s statements as a pretext to attack the Congress party and the INDIA alliance without any substantive argument. To say that the Congress party never respected Indian culture is to level an empty charge merely for political mileage. The Congress party was part of a movement that united all Indians under the umbrella of Indian identity, while retaining respect for cultural differences. At the same time, it promoted reforms in society.

Shah has said of late that the Opposition wants power at any cost. “You have been disrespecting Sanatana Dharma and the culture and history of this country,” he said.

Fact is, India’s national movement upheld the best aspects of Indian culture as first prime minister Jawaharlal Nehru wrote in The Discovery of India, “She [India] was like some ancient palimpsest on which layer upon layer of thought and reverie had been inscribed, and yet no succeeding layer had completely hidden or erased what had been written previously.”

The problem is not with the parties constituting the INDIA alliance. The problem is with the BJP and company, for whom culture is merely a Brahmanical past and everything that comes with it.

Indeed, the caste system has persisted for too long. The struggles of Ambedkar, Periyar and even Gandhi were great beginnings but were arrested halfway through—and some gains were reversed over the last three decades. The time has come to annihilate caste rather than bicker over the terminology used.

Truly, the word Sanatan has had a long journey. Starting with its use in Buddhism, Jainism and finally finding its place in the Manusmriti, it has come to symbolise Brahmanical Hinduism in the present times. Rather than nit-picking and making it a political issue, we need reforms for a society with equality, in tune with the Constitution of India. Besides, to be perfectly clear, Udhayanidhi’s remarks are not those of the INDIA coalition—whether the BJP can make it an election issue remains to be seen. Let us remember it did try to use Bajrang Bali in Karnataka, and fell on its face.

https://www.newsclick.in/udhayanidhis-eradicate-sanatan-dharma-call-what-periyar-ambedkar-sought

Loading

શું આપણા શાસકોમાં ચીનને આંબી જવાની ઇચ્છાશક્તિ ખૂટે છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|7 September 2023

રમેશ ઓઝા

ખબર આવ્યા છે કે ભારતમાં મળી રહેલી ગ્રુપ ૨૦ની પરિષદમાં ચીનના વડા શી ઝિંગપીંગ હાજર રહેવાના નથી. તેમની જગ્યાએ ચીનના વડા પ્રધાન આવવાના છે અને ચીનના સત્તાકીય માળખામાં અધ્યક્ષ તેમ જ ચીની સામ્યવાદી પક્ષના મહામંત્રી સિવાય બીજા કોઈની ખાસ કિંમત નથી. શી ઝિંગપીંગ બન્ને છે. ચીને શી શા માટે હાજર રહેવાના નથી, એનું કોઈ કારણ આપ્યું નથી, માત્ર એટલું કહ્યું છે કે ભારત-ચીન સંબંધો વિષે ચીનના પ્રવક્તાએ કહ્યું હતું કે તે એકંદરે સ્થિર (stable on the whole) છે. ચીનના પ્રમુખ અત્યાર સુધી કોઈ બેઠકમાં ગેરહાજર રહ્યા હોય એવું બન્યું નથી. તેમની તબિયતનું કારણ પણ આપવામાં આવ્યું નથી અને અઠવાડિયા પહેલાં તેઓ બ્રિકસ દેશોની પરિષદમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકા ગયા હતા.

નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પછી દરેક વખતે ઘરણ ટાણે સાપ કાઢવાની ચીનની નીતિ છે. ૨૦૧૪ના સપ્ટેમ્બરમાં તેઓ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે એ જ વખતે ચીની સૈનિકોએ લદાખમાં પ્રવેશ કર્યો હતો. તેઓ અમદાવાદમાં હિંચકે બેસીને ઢોકળા ખાતા હતા અને ચીનાઓએ લદાખમાં ઘૂસીને કેટલોક પ્રદેશ કબજે કર્યો હતો. એ પછી દરેક વખતે બે નેતાઓને મળવાનું થાય ત્યારે ચીન ભારતને દબાવવા અને શરમમાં મૂકવા કાંઈકનું કાંઈક કરે છે. હજુ હમણાં દક્ષિણ આફ્રિકામાં બ્રિકસ નિમિત્તે મોદી-શી મળવાના હતા ત્યારે એ જ સમયે ચીને તેના નવા નકશા રિલીઝ કર્યા હતા અને તેમાં અરુણાચલ પ્રદેશ, લડાખ અને સિયા ચીનનો પ્રદેશ ચીનનો બતાવ્યો છે. આ બાબતે ભારતમાં જેટલો વિરોધ થવો જોઈએ, જેટલો ઊહાપોહ થવો જોઈએ એ નથી થઈ રહ્યો. ગોદી મીડિયાઓ અને દેશપ્રેમીઓ નજર ફેરવી લે છે. ચીન ગણતરીપૂર્વક જાણી જોઇને ભારતની આ અવસ્થાનો લાભ લઈ રહ્યું છે અને ભારતની ટિપીકલ અવસ્થા જગત સમક્ષ ઉજાગર કરી રહ્યું છે.

શી છે એ અવસ્થા?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એમ ઈચ્છે છે કે તેઓ પોતે અને તેમના વડપણ હેઠળ ભારત આ જગતમાં પાંચમાં પૂછાય. પણ એને માટે બે માર્ગ છે અને એ બન્ને માર્ગ અલગ અલગ છે અને એકબીજાથી વિરુદ્ધ દિશાના છે. કાં ચીન જેવા લોંઠકા બનો અને કાં અત્યાર સુધી ભારત જે પ્રતિષ્ઠા ધરાવતું આવ્યું છે એવા સભ્ય, સંસ્કારી, ડાહ્યાડમરા બનો. હજુ એક ત્રીજો માર્ગ પણ છે પરંતુ ભારત એ માર્ગ ચૂકી ગયું છે અને હવે પાછા ફરવામાં ઘણું મોડું થઈ ગયું છે. ભારતે કરેલી એ મોટામાં મોટી ભૂલ હતી.

૧૯૯૦માં ભારત અને ચીન આર્થિક મોરચે લગભગ એક સરખી સ્થિતિમાં હતા. આજે ચીન ભારત કરતાં છ ગણું આગળ છે. ચીન જેમ જેમ આર્થિક સરસાઈ મેળવતું ગયું તેમ તેમ તેણે લશ્કરી સરસાઈ મેળવવાનો પણ પ્રયાસ શરૂ કર્યો હતો. જેમ જેમ આર્થિક અને લશ્કરી સરસાઈ મેળવતું ગયું તેમ તેમ તેણે તેનો પ્રભાવ વિસ્તારવાનું પણ શરૂ કર્યું હતું. અમેરિકાને કે પશ્ચિમના દેશોને પડકારીને નહીં, પણ નાના નાના દેશોને આર્થિક, લશ્કરી અને મુખ્યત્વે માળખાંકીય વિકાસમાં મદદ કરીને. ભારતના દરેક પાડોશી દેશમાં ચીન હાજરી ધરાવે છે. બંગલાદેશમાં વિરાટ કદની પદ્મા નદી ઉપર પૂલ બાંધવાની તજવીજ બંગલાદેશ પૂર્વ પાકિસ્તાન હતું ત્યારથી ચાલતી હતી, પણ આર્થિક અને માળખાંકીય ઉણપને કારણે પૂલ બાંધી શકાતો નહોતો, ચીને બંગલાદેશમાં દાખલ થઈને પાંચ વરસમાં પૂલ બાંધી આપ્યો.

ચીને ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે સમજૂતી કરાવી અને વિસ્તારિત કરવામાં આવેલા બ્રિકસમાં એ બન્ને દેશોને પ્રવેશ અપાવ્યો. એક સમયે ઈરાન અને સાઉદી વચ્ચે સમજૂતી કરાવવાની અપેક્ષા ભારત પાસેથી રાખવામાં આવતી હતી, કારણ કે ભારત મોટી સંખ્યામાં શિયા અને સુન્ની મુસલમાનોની વસ્તી ધરાવે છે અને એ બન્ને દેશો સાથે સાંસ્કૃતિક સેતુ છે. એની જગ્યાએ ચીને સમજૂતી કરાવી! એ અણધાર્યી ઘટના હતી. આ સિવાય ઈજીપ્ત, આર્જેન્ટીના, ઇથોપિયા અને સંયુક્ત આરબ આમિરાતને પણ બ્રિકસમાં પ્રવેશ આપવામાં આવ્યો છે અને એ બધા દેશોમાં ચીન હાજરી ધરાવે છે. ચીન અમેરિકા અને બીજા પહેલી હરોળના દેશોને પડકાર્યા વિના બીજી હરોળના દેશોને આર્થિક, લશ્કરી અને માળખાંકીય મદદ કરીને પોતાની પાંખમાં લઈ રહ્યું છે. પહેલી હરોળના દેશોને પડકારવાની ભૂલ રશિયાએ કરી હતી અને હજુ કરી રહ્યું છે, ચીને સાવ અલગ જ માર્ગ અપનાવ્યો.

સવાલ એ છે કે શું ચીને આ બધું રાતોરાત કર્યું? ભારતને અને જગતના દેશોને ખબર નહોતી કે ચીન કયો માર્ગ અપનાવી રહ્યું છે અને કઈ દિશામાં આગળ વધી રહ્યું છે? આ લખનાર જેવા ટાંચી માહિતી ધરાવનારા અને વિદેશનીતિની સામાન્ય સમજ ધરાવનારાને આ વાતની બે દાયકાથી જાણ છે તો જગતમાં શું ચાલી રહ્યું છે તેની રજેરજ માહિતી ધરાવનારા વિદેશ મંત્રાલયને ચીન શું કરી રહ્યું છે તેની જાણ ન હોય એવું બને? આ સિવાય ભૌગોલિક રીતે ચીન ભારતનો પાડોશી દેશ છે, વણઉકલ્યા સરહદી પ્રશ્નો છે, એક વાર યુદ્ધ થઈ ચુક્યું છે એની આપણને જાણ નહોતી? એ વાતની પણ આપણા શાસકોને જાણ નહોતી કે જગત ૨૧મી સદીમાં ભારતને ચીનના સમકક્ષ દેશ તરીકે જોઈ રહ્યું છે, ખુલ્લો સમાજ અને લોકતાંત્રિક દેશ હોવાને કારણે તેઓ ભારતને વધારે ભરોસાપાત્ર દેશ તરીકે જોઈ રહ્યા છે અને ચીનના હરીફ તરીકે ભારતને દરેક રીતે મદદ કરવા આતુર છે? બધાને બધી જ ખબર હતી. ભારતને દરવાજે  ભાગ્યે જ મળતો સુવર્ણ અવસર ઊભો છે એની પણ જાણ હતી.

પણ આજે એ એક હકીકત છે કે ભારત પાછળ રહી ગયું છે. મામુલી પ્રમાણમાં નહીં, જોજનો પાછળ રહી ગયું છે. આપણી નજર સામે ચીને લશ્કરી તાકાત વધારવા માંડી અને બીજી હરોળના દેશોમાં પ્રવેશ કરવા માંડ્યો.

શા માટે આમ બન્યું? ક્યાં થાપ ખાધી?

આનો પ્રામાણિક ઉત્તર એ છે કે રાષ્ટ્રીય ઈચ્છાશક્તિનો અભાવ હતો. ૧૯૯૧માં આર્થિક સુધારાઓ કર્યા પછી વહીવટી સુધારાઓ કરવા જોઈતા હતા, માળખાંકીય સુધારાઓ કરવા જોઈતા હતા, કાનૂની સુધારાઓ કરવા જોઈતા હતા, સંસદીય કામકાજમાં સુધારા કરવા જોઈતા હતા, રાજકીય અને ચૂંટણીકીય સુધારા કરવા જોઈતા હતા જે સમયસર થઈ શક્યા નહીં અથવા કરવામાં ન આવ્યા અથવા તમે એમ પણ કહી શકો કે સ્થાપિત હિતોએ કરવા નહીં દીધા. ૧૯૯૧ પછી માત્ર એક દાયકામાં કોર્પોરેટ કંપનીઓએ અને ક્રોની કેપિટાલિઝમે રાજકીય પક્ષો પર અને રાજ્ય પર કબજો જમાવી દીધો. ડૉ. મનમોહન સિંહ જેવા વિદ્વાન, સ્વચ્છ અને ભલા માણસ પણ એ કામ ન કરી શક્યા. માત્ર એક ઉદ્યોગપતિ કેટલી તાકાત ધરાવે છે એ તો તમારી નજર સામે છે.

યુ.પી.એ. હોય કે એન.ડી.એ. હોય, જે વિરોધ પક્ષમાં હોય એ સંસદ ચાલવા ન દે. કામકાજ કરે તો ચીનની બરાબરી કરી શકાય એવી સજ્જતા વિકસેને! કેટલીકવાર તો શાસક પક્ષ સંસદ ચાલવા ન દે જે આજે જોવા મળી રહ્યું છે. આની પાછળ ટૂંકો રાજકીય સ્વાર્થ હતો કે સ્થાપિત હિતો એ કહેવું મુશ્કેલ છે. 

અને ત્રીજું કારણ હિંદુત્વનું રાજકારણ. ૧૯૯૧ પછી વૈશ્વિક રાજકારણે દિશા બદલી અને આપણે ત્યાં એ જ સમયે હિંદુ-મુસલમાન શરૂ થયું. ચીન ભલે સરહદે ચડી બેસે પણ ગરીબ બિચારા ગફુરનું નખોદ વળવું જોઈએ. હોવી જોઈતી બાહ્ય હરીફાઈની જગ્યા આંતરિક વિખવાદે લઇ લીધી.

ટૂંકમાં અત્યંત મૂલ્યવાન નિર્ણાયક સમય ભારતે ગુમાવી દીધો અને ૧૯૯૦માં સાવ લગોલગ હતા એ ભારત અને ચીનમાં ચીન ક્યાં ય આગળ નીકળી ગયું. આ રોકડું સત્ય છે.

ચીનને ખબર છે કે ભારતના વડા પ્રધાન મહત્ત્વાકાંક્ષી છે, તેઓ પોતે અને ભારત પાંચમા પૂછાય એવું ઈચ્છે છે અને માટે ચીન નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી દરેક વખતે ઘરણ ટાણે સાપ કાઢે છે. ચીન કબજે કરેલી ભારતની ભૂમિ ખાલી કરતું નથી. ક્યારેક ભારત વિરોધી વક્તવ્યો આપે, ક્યારેક નકશા રીલિઝ કરે, ક્યારેક સેટેલાઇટ ઇમેજીઝ રીલિઝ કરે અને એ બધું જાણીબૂઝીને ત્યારે જ કરે જ્યારે કોઈ મોટી ઘટના બનવાની હોય.

તો શું ચીનને આંબી જ ન શકાય? આંબી શકાય પણ એ માટે રાજકીય ઈચ્છાશક્તિ જોઈએ, દેશહિત સામે પક્ષ અને સત્તા ગૌણ ગણવા જોઈએ અને દેશમાં સંપ હોવો જોઈએ. રાષ્ટ્રીય વિમર્શ અને એજન્ડાનાં કેન્દ્રમાં હિન્દુ-મુસ્લિમ નહીં, પણ ચીન અને વિકાસ હોવા જોઈએ.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 07 સપ્ટેમ્બર 2023

Loading

...102030...958959960961...970980990...

Search by

Opinion

  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved