Opinion Magazine
Number of visits: 9457828
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેન્દ્ર અને રાજ્યમાં લોકપ્રતિનિધિગૃહોની અવગણના એ લોકતંત્રની ગંભીર બીમારી છે 

રમેશ ઓઝા|Opinion - Opinion|13 August 2023

રમેશ ઓઝા

શાસક પક્ષની બહુમતી જોતાં નરેન્દ્ર મોદીની સરકાર સામેનો વિરોધ પક્ષોનો અવિશ્વાસના પ્રસ્તાવ સફળ થવાનો નહોતો, અને એ વાત એ તેઓ પણ જાણતા હતા. આમ છતાં ય અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો એનું દેખીતું કારણ એ હતું કે એ નિમિત્તે વડા પ્રધાન મોઢું ખોલે. અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા થવી જરૂરી છે. દરેક પક્ષના નેતાઓને તેમની સભ્યસંખ્યાના પ્રમાણમાં બોલવા માટેનો સમય ફાળવવો પડે છે. ગૃહમાં હોહા કરીને વિઘ્ન પેદા કરવામાં આવે તો પણ દરેક સભ્યને સાંભળવા તો પડે જ છે. દરેક પક્ષના નેતાઓ બોલી લે એ પછી વડા જવાબ આપે છે. વડા પ્રધાન માટે કોઈ સમયની મર્યાદા હોતી નથી. ટૂંકમાં સંસદમાં કામકાજ ચાલવા દેવામાં ન આવે, સ્પીકર પક્ષપાત કરે, ગૃહને સ્થગિત કરવામાં આવે કે પછી કેટલીક બાબતે શાસકો ન બોલે તો અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા તેનો ખંગ વાળી શકાય છે. વિરોધ પક્ષો આ ઉદ્દેશથી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા હતા.

સંસદનું અધિવેશન ઓછામાં ઓછો સમય મળે અને હોહા કરીને તેને ચાલવા ન દેવી એ ભારતીય સંસદીય ઇતિહાસની જૂની બીમારી છે, જે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી વકરી છે. આગલી લોકસભામાં બી.જે.પી.ના નેતા લાલકૃષ્ણ અડવાણી અકળાઇ ગયા હતા અને તેમણે તેમના જ પક્ષના શાસકોને સવાલ પૂછ્યો હતો કે આ બધું શું ચાલી રહ્યું છે? કામકાજના દિવસો ઘટાડવામાં આવી રહ્યા છે અને જો ગૃહ મળે છે તો તેને ચાલવા દેવામાં આવતું નથી. લાલકૃષ્ણ અડવાણીને સંસદીય રાજકારણમાંથી નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. હવે નવી વાત એ જોવા મળી રહી છે કે વડા પ્રધાન અને તેમનાં મહત્ત્વનાં ખાતાં સંભાળનારા પ્રધાનો બને ત્યાં સુધી બોલતા જ નથી, કે સંસદીય કામકાજમાં ભાગ લેતા નથી. નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડા પ્રધાન છે જે સંસદમાં ઓછામાં ઓછો સમય હજાર રહે છે.

કેન્દ્ર અને રાજ્યોમાં લોકપ્રતિનિધિગૃહોની અવગણના એ લોકતંત્રની ગંભીર બીમારી છે અને એ બીમારી ૨૦૧૪ પછી વકરી છે. પણ અવિશ્વાસનો પ્રસ્તાવ એનો ઈલાજ નથી. પાંચ વરસની લોકસભાની મુદ્દતમાં બે દિવસ ચર્ચા કરો અને શાસક પક્ષને બોલવા માટે તેમ જ ચર્ચા કરવા માટે મજબૂર કરો એનાથી શું વળવાનું છે? શાસકો એવા હોવા જોઈએ જે પ્રશ્નોથી ભાગે નહીં. ટીકાને આવકારે. વિરોધ પક્ષોનું કામ છે પ્રશ્નો પૂછવાનું. અયોગ્ય લાગતું હોય તો ધ્યાન દોરવાનું, ટીકા કરવાનું. વિરોધ પક્ષમાં હતા ત્યારે જનસંઘ/બી.જે.પી.એ દાયકાઓ સુધી આ કામ કર્યું છે, પણ ભારતીય સંસદીય ઇતિહાસમાં ક્યારે ય કોઈ વડા પ્રધાનને ભાગતા જોયા નથી જે અત્યારે જોવા મળી રહ્યું છે. અટલ બિહારી વાજપેયીએ તો એક વખત લોકસભામાં વિરોધ પક્ષોની ટીકાઓનું સ્વાગત કરતા કબીરને ટાંકીને કહ્યું હતું કે ‘નિંદક નીઅરે રાખીએ…’ નિંદક નિંદા કરીને તમને સચેત રાખે છે. પણ વર્તમાન વડા પ્રધાન પ્રશ્નોથી ભાગે છે. 

મણિપુર, ચીન, બેરોજગારી, આર્થિક ગતિરોધ, બે-ત્રણ ઉદ્યોગપતિઓને કરવામાં આવતી ફેવર, થોડાંક હાથોમાં સંપત્તિનું એકત્રીકરણ અને લોકતંત્રનું હનન ચર્ચના મુખ્ય મુદ્દા હતા. વિરોધ પક્ષોએ બને ત્યાં સુધી મુદાઓને વળગી રહીને ચર્ચા કરી હતી, પણ વડા પ્રધાને બે કલાકનાં લાંબા ભાષણમાં તેને બગલ દેવાનો પ્રયાસ કર્યો હતો. કાંઈ પણ કહ્યા વિના બે કલાક કેમ બોલી શકાય એની કળા વડા પ્રધાન જાણે છે. મહત્ત્વના પ્રશ્ને ગંભીરતાપૂર્વક ચર્ચા ન થાય, શાસકો કોઈ બાબતનો ખુલાસો ન કરે અથવા અસંબદ્ધ વાતો કરીને ભાષાને ભૂંસામાં ફેરવી નાખવાની પ્રચાલાકી ચિંતા ઉપજાવે એવી છે.

શાસક પક્ષનો ટાર્ગેટ રાહુલ ગાંધી હતા. શાસક પક્ષના સભ્યોએ જ રાહુલ ગાંધીને ટાર્ગેટ કરીને સાબિત કરી આપ્યું છે કે રાહુગ ગાંધી એક તાકાત છે અને તેમની તાકાતથી શાસક પક્ષના નેતાઓ ડરે છે. જો એમ ન હોય તો “પપ્પુ”થી ડરવાનું હોય! જેની ઠેકડી ઉડાડવામાં આવતી હોય એના વિષે આટલું બધું બોલવું પડે? અવિશ્વાસ પ્રસ્તાવે જો એક હકીકત સ્થાપિત કરી આપી હોય તો એ આ છે. રાહુલ ગાંધી એક તાકાત છે અને કાઁગ્રેસ બી.જે.પી.નો વિકલ્પ છે. રાહુલ ગાંધી સહિયારા સેક્યુલર ભારત માટે પ્રતિબદ્ધ છે. રાહુલ ગાંધી બંધારણપ્રણિત ભારત(આઈડિયા ઓફ ઇન્ડિયા)ની સંકલ્પનાને વરેલા છે. ખુલીને બોલે છે. આનો અર્થ એ થયો કે રાહુલ ગાંધી ભારત વિશેની એક સંકલ્પના(નેરેટિવ)ના પ્રવક્તા છે અને એ સંકલ્પના હિંદુ રાષ્ટ્રનો વિકલ્પ છે. બી.જે.પી.ના નેતાઓ એ સંકલ્પનાથી ભયભીત છે અને માટે રાહુલ ગાંધીની પાછળ આદુ ખાઈને પડ્યા છે. તેમની સૌથી મોટી પીડા એ છે કે રાહુલ ગાંધી દરેક રીતની ઠેકડી ઉડાડ્યા છતાં, કરોડો રૂપિયા એ માટે ખર્ચ્યા હોવા છતાં તૂટતા નથી. ભડવીરોને આટલો બધો સમય આપવો પડે એક મામૂલી માણસ માટે!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 ઑગસ્ટ 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—209

દીપક મહેતા|Opinion - Opinion|12 August 2023

પુસ્તક પંઢરીનો પહેલો પડાવ 

જ્યાં સાડા છ લાખ મરાઠી પુસ્તકો છે તેવું મુંબઈનું પુસ્તકાલય

૧૮૬૦ પહેલાંના મુંબઈની વાતો કરતું પુસ્તક : મુંબઈચે વર્ણન    

આપણા મહારાષ્ટ્રમાં પંઢરી — પંઢરપુરની જાતરાનું અદકેરું મહત્ત્વ છે. તેને અનુસરીને હવે પછી થોડા વખત માટે આપણે કરશું પુસ્તક-પંઢરી. પણ કયાં પુસ્તક? કેવાં પુસ્તક? પુસ્તકનાં અવલોકન? ના, ના. જાતરાએ જનાર પાછા ફરતાં બીજાંને વહેંચવા માટે પ્રસાદ લેતો આવે તેવું કશુંક. આપણી આ જાતરાનો પહેલો પડાવ છે મુંબઈના દાદર વિસ્તારમાં આવેલું મુંબઈ મરાઠી ગ્રંથ સંગ્રહાલય. જાતરામાં સહભાગી છે ૧૯મી સદીના મરાઠી સાહિત્યના એક અગ્રણી ગોવિંદ નારાયણ માડગાંવકર, મરાઠીના વિદ્વાન સંશોધક-વિવેચક સ.ગં. માલશે અને આપનો નાચીઝ દી.મ. 

ગો.ના. માડગાંવકર

દી.મ. : યા માડગાંવકર સાહેબ, યા માલશે સર. તમારું બંનેનું પુસ્તક પંઢરીમાં સ્વાગત કરું છું. મરાઠી સાહિત્યના પ્રેમીઓ અને સંશોધકો માટે આ મુંબઈ મરાઠી ગ્રંથ સંગ્રહાલય એ તો એક તીર્થસ્થાન છે. માલશે સર! પહેલાં તેને વિષે થોડી વાત કરશો? 

માલશે : જરૂર કરવાના. આજે હવે લાયબ્રેરીઓમાં રસ કેટલાને રહેલો છે? આ મુંબઈ મરાઠી ગ્રંથ સંગ્રહાલયની શુરુઆત છેક ૧૮૯૮માં થયેલી. આજે તેની પાસે સાડા છ લાખ જેટલાં મરાઠી પુસ્તકો છે, જેમાં દોલામુદ્રિતોનો પણ સમાવેશ થાય છે.

દી.મ. : માલશે સાહેબ! આ દોલામુદ્રિત એટલે વળી શું?

માલશે : મરાઠી ભાષામાં ચોપડીઓ છાપવાનું શરૂ થયું ત્યારથી ૧૯મી સદીના સેવટ સુધી છપાયેલાં પુસ્તકોને અમે ‘દોલામુદ્રિત’ તરીકે ઓળખીએ છીએ. દોલા એટલે પારણું. મુદ્રણ-પ્રકાશનની બાલ્યાવસ્થાનાં પુસ્તકો તે દોલામુદ્રિત. આવાં પુસ્તકોનો બહુ મોટો ખજાનો અહીં છે. 

દી.મ. : અને એમાંનું એક છે માડગાંવકર સાહેબનું પુસ્તક ‘મુંબઈચે વર્ણન.’

માલશે : હા, જી. એ પહેલી વાર છપાયેલું ૧૮૬૩માં. અને ૧૯મી સદીની અધવચ સુધીના મુંબઈ શહેરની જાણકારી માટે તો આ ચોપડી સોનાની ખાણ જેવી છે. 

માડગાંવકર : આ તમે કશી વારતા કરતા છો! આપણી મુંબઈ વિષે તો કેટલું બધું લખાયેલું છે! તેમાં મારું પુસ્તક તો …

છઠ્ઠી આવૃત્તિ, ૨૦૨૦

દી.મ. : ગોવિંદરાવ પોતાને વિશે કશું બોલશે નહિ. માલશે સાહેબ! તમે જ થોડી વાર્તા કરો તેમના વિષે.

માલશે : ગોવિંદરાવનો જન્મ ૧૮૧૫માં, ગોવાના મડગાંવમાં. અર્વાચીન મરાઠી સાહિત્યના પહેલા ચાર મશાલચીમાં આજે તેમની ગણના થાય છે. બીજા ત્રણ તે સદાશિવ કાશીનાથ છત્રે, બાળ ગંગાધાર શાસ્ત્રી જાભેકર, અને હરિ કેશવજી પાઠારે. ગોવિંદરાવના ખાસ ધ્યાન ખેંચે તેવા બાબત એ કે તેમનાં ૧૮ પુસ્તકોમાંથી એકને બાદ કરતાં બધાં મૌલિક પુસ્તકો છે. ગોવિંદરાવના વડીલ(પિતા)નો ધંધો તપકીરની પૂડી (પડીકાં) વેચવાનો. ગોવામાંનો પોતાનો ધંધો સંકેલી લઈને નારાયણરાવ સકુટુંબ મુંબઈ આવ્યા. કાલબાદેવી રોડ પર તપકીરની પૂડી અને બીજાં ઓસડિયાં વેચવાની દુકાન શુરુ કરી. આગળ જતાં સમાજ સુધારાની ચળવળના ભાગ રૂપે તપકીર પૂડીના ગેરફાયદા ગણાવી ગોવિંદરાવે તેનો ઉગ્ર વિરોધ કર્યો. મુંબઈ આવીને તેઓ એલ્ફિન્સ્ટન નેટિવ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની નિશાળમાં ભણવા લાગ્યા. પછી સરકારી ઓફિસમાં નોકરીએ લાગ્યા. પણ થોડા વખત પછી ફરી રેવરન્ડ વિલ્સનની નિશાળની કોલેજ શાખામાં ભણ્યા અને પછી ત્યાં જ ‘માસ્તર’ બન્યા. 

દી.મ. : સાહેબ! આ જરા સમજાયું નહિ : રેવરન્ડ વિલ્સનની નિશાળની ‘કોલેજ શાખા’ એ વળી શું?

માલશે : જુઓ મહેતા! તમે તો જાણતા કે એલ્ફિન્સ્ટન કોલેજ એ મુંબઈની સૌથી પહેલી કોલેજ. પછી બીજી તે વિલ્સન કોલેજ. હિન્દુસ્તાનની ઘણી ભાષાના જાણકાર રેવરન્ડ વિલ્સને પહેલાં સ્કૂલ શરૂ કરી. અને વખત જતાં એ સ્કૂલની શાખા તરીકે કોલેજ શરૂ કરી. પછીથી બંને સંસ્થાઓ અલગ થઈ.

વિલ્સન સ્કૂલનું અસલ મકાન, ગિરગાંવ

દી.મ. : હો, હો. અત્તા કળલં.

માલશે : ૧૮૬૩ના અરસામાં ગોવિંદરાવ નોકરીમાંથી રિટાયર થયા. એ વખતે આપેલા ભાષણમાં રેવરન્ડ વિલ્સને ગોવિંદરાવે લખેલાં ૧૭ મરાઠી પુસ્તકની વિગતો આપી છે. પણ મહેતા, તમને જાણીને આશ્ચર્ય થશે કે ગોવિંદરાવે ગુજરાતીમાં પણ ચાર ચોપડી લખેલી : સત્યનિરૂપણ (૧૮૫૩), ઉદ્ભીજ પદાર્થ (૧૮૫૯), શુચીર્ભૂતપણા, અને ઋણનિષેધક બોધ. અલબત્ત, આ ચારે તેમનાં મૂળ મરાઠી પુસ્તકોના અનુવાદ હતા. પણ એ અનુવાદ કરેલા ગોવિંદરાવે પોતે. 

દી.મ. : તે ગોવિંદરાવજી! આપ ગુજરાતી બી ભણેલા?

ગોવિંદરાવ : ભણેલા નઈ, પણ આવડી ગયેલા. અને એમાં કોઈ નવા વાત નહોતા. અમારા જમાનામાં મરાઠી, ગુજરાતી, પારસી, બધા સાથે મળીને કામ કરતા અને એટલે એકબીજાની બોલી આપોઆપ શીખી જતા. 

માલશે : ૧૮૬૫ના માર્ચની ૧૫મી તારીખે ગોવિંદરાવજી દેવલોક પામ્યા તે અગાઉ તેમણે જે કાંઈ લખ્યું તે બધું સાચી વાત લોકો સામે માંડીને તેમના જીવનને એક પાયરી ઉપર ચડાવવા માટે લખ્યું.

દી.મ. : અને માલશેસાહેબ! આપે તેમનું સમગ્ર સાહિત્ય ત્રણ મોટા ગ્રંથોમાં સંપાદિત કરીને ૧૯૬૮થી ૧૯૭૦ સુધીમાં પ્રગટ કર્યું. આ કાંઈ નાનુંસૂનું કામ ન કહેવાય. અને હા, તેમાં આપે ગોવિંદરાવજીનું પ્રમાણભૂત જીવનચરિત્ર પણ પહેલી વાર આપ્યું.

માલશે : જુઓ મહેતાભાઈ, મારા-તમારા જેવાને લાખો લોકો વાંચે, તારીફ કરે, એવું તો બનવાના નહિ. એટલે જે બી કામ હાથમાં લઈએ એ બને તેટલી સારી રીતે કરવું, એટલું આપણે કરી શકીએ. પણ મારે એક વાત કહેવા જોઈએ : ગોવિંદરાવનું સૌથી મહત્ત્વનું પુસ્તક તે તો તેમનું છેલ્લું પુસ્તક, ‘મુંબઈચે વર્ણન’. જાણીતા વિવેચક ન.ર. ફાટકસાહેબે કહેલું છે તેમ ૧૮૬૩માં જ્યારે આ પુસ્તક પહેલી વાર પ્રગટ થયું ત્યારે મુંબઈનો ઇતિહાસ જાણવા માટે બહુ ઓછાં સાધન હતાં. અંગ્રેજીમાં પણ એ વખતે મુંબઈ પર ઝાઝાં પુસ્તક લખાયાં નહોતાં. એવે ટાણે ગોવિંદરાવે આ પુસ્તક લખ્યું એ ખરેખર માન પ્રેરે તેવી બાબત છે.

ગોવિંદરાવ : જુઓ, એમાં બાબત એવી છે કે નાની ઉંમરે હું મુંબઈ આવી વસ્યો. અને મારાં આંખ-કાન ખુલ્લાં રાખીને જીવ્યો. મરાઠી ઉપરાંત અંગ્રેજી, ગુજરાથી, હિન્દી, વગેરે ભાષા બોલનારા સાથે મળીને કામ કર્યાં. એટલે ઘણા જાણવા મળ્યા. અને શોધવાની મહેનત કરો તો જાણકારી મેળવવા માટેનાં સાધન તો હતાં જ. એટલે આ પુસ્તક લખી શકાયું.

માલશે : મરાઠી માણૂસને પોતાની ભાષા માટે, પોતાના ઇતિહાસ માટે ઘણું અભિમાન હોય છે એમ કહેવાય છે. અને વાત સાવ ખોટી બી નથી. છતાં મુંબઈ વિશેની માહિતીના ખજીના જેવા આ પુસ્તકની બીજી આવૃત્તિ લગભગ સો વરસ પછી, છેક ૧૯૬૧માં થઈ એ જરા નવાઈ લાગે તેવી વાત છે. જો  કે પછી ૨૦૨૦ સુધીમાં તેના કુલ ૬ આવૃત્તિ થયા છે એ સારી વાત છે.

ગોવિંદરાવ : આ પુસ્તક રચવાના મન મને કેમ થયા એની થોડી વાત કરું. એક દિવસ એક સભામાં હું ગયો હતો. એક ગોરા સાહેબ ભાષણ કરતા હતા. પોતાના દેશના ઇતિહાસ માટે, સાહિત્ય માટે, જાણકારી માટે, ગ્રેટ બ્રિટનમાં કેટલા બધા લોક કામ કરતા રહે છે તેમ બોલ્યા. પછી કહ્યું કે તમારે પણ તમારા દેશ માટે આ રીતે કામ કરવા જોઈએ. સારા કામને સરકાર મદદ કરે ચ છે, પણ સરકારની મદદ પર બધો મદાર ન રાખો. વાંચો, જાણો, લખો. – આ ભાષણ સાંભળ્યા પછી મેં નક્કી કરેલું કે ભલે હું મારા હિન્દુસ્તાન દેશનો ઇતિહાસ ન લખી શકું, ભલે મારી માયભૂમિ મહારાષ્ટ્રનો ઇતિહાસ ન લખી શકું. પણ આ મુંબઈ શહેરનો ઇતિહાસ તો મારે લખવો જ જોઈએ. પણ હા, એ વખતે મને માલુમ નહોતું કે મુંબઈને સલામ કરતું અ પુસ્તક મારું છેલ્લું પુસ્તક હશે.

દી.મ. : માલશે સાહેબ! આ પુસ્તકમાં શું શું છે એનો જરા ખ્યાલ આપશો?

સ.ગં. માલશે

માલશે : જરૂર. પુસ્તક ૧૫ ચેપ્ટરમાં વહેંચાયેલું છે. પુસ્તકની શરૂઆત થાય છે મુંબઈની હાલની (એટલે કે આ પુસ્તક લખાયું ત્યારની, ૧૮૬૦ની આસપાસની) અને અગાઉની સ્થિતિની સરખામણીથી. લોકો, તેમના પહેરવેશ, બોલી, રીતરિવાજો, તહેવારો, ધંધા-પાણી, વગેરેનું અપાર વૈવિધ્ય તે વખતના મુંબઈમાં પણ હતું એ હકીકત આ પુસ્તક વાંચતાં સમજાય છે. અને બીજી વાત એ કે એ જમાનામાં લોકો એકબીજાની પરંપરાને માન આપતા, તેમાંથી કેટલુંક સારું લાગે તે અપનાવતા પણ ખરા. 

દી.મ. : આજે એવું કદાચ ઓછું જોવા મળે છે, નહિ?

ગોવિંદરાવ : જે સતત ગતિમાન છે તે જ છે જગત. મુંબઈ પણ કેટલું બધું બદલાઈ ગયું છે! અરે! અમારા જમાનામાં પણ સતત બદલતું રહેતું હતું. વરળી, પાયધુની, કુલાબા, ડોંગરી, બોરીબંદર, વાલકેશ્વર, ચોપાટી. ક્યાં એ લકડી બંદર, ક્યાં અમારા જમાનાની ચોપાટી, અને ક્યાં આજની ગિરગામ ચોપાટી! કોઈ ગરીબ, ચીંથરેહાલ માણસ, પોતાની મહેનત, બુદ્ધિ, અને નસીબને જોરે શ્રીમંત બની જાય એવું જ આ શહેરનું થયું. અંગ્રેજોએ એનું કલેવર બદલ્યું, પણ એ કલેવરમાં પ્રાણ પૂર્યા તે તો આપણે સૌએ. 

માલશે : એ વખતે સરકાર લોકોના જીવનમાં ઝાઝું માથું મારતી નહિ. આખા મુંબઈ ઈલાકાની સરકારમાં ૧૭૨૦ની સાલમાં ફક્ત ૪૦ સનદી અધિકારી હતા. અને એમના પગાર? મુંબઈના ગવર્નરનો પગાર હતો વરસે – મહિને નહિ હોં – ત્રણ હજાર રૂપિયા! અને ત્યારે પગાર દર છ મહીને ચૂકવાતો! 

ગોવિંદરાવ : અને માલુમ છે? મમ્માદેવીના મંદિરની પાછળ એક વખત બહુ મોટું ‘શાલ બજાર’ હતું.

દી.મ. : શાલ બજાર? એટલે?

માલશે : દેશના જુદા જુદા ભાગોમાંથી આવેલી શાલના ઢગલા માંડીને દુકાનદારો બેઠા હોય! રંગબેરંગી, જરીવાળી અને વગરની, ગરમ, રેશમી, સુતરાઉ, અમૃતસર કે કાશ્મીરથી મગાવેલી શાલ. બારે મહિના વેચાય.

દી.મ. : પણ એ લે કોણ? મુંબઈમાં એવી ઠંડી જ ક્યાં પડે છે? 

ગોવિંદરાવ : અમારા જમાનાના મુંબઈમાં ટાઢ, તડકો, પાઉસ, બધું માફકસર રહેતું. અને આ શાલ બજારથી થોડે દૂર હતી અફીણ-ગાંજાની દુકાનો. એનાથી આગળ જાવ એટલે જોહરીઓ – તમે ગુજરાતીમાં શું કહો? હા, ઝવેરીઓની દુકાનો, લાઈનબંધ. પછી આવે તાંબા-પિત્તળનાં વાસણોની દુકાનો. લાલ-પીળાં વાસણો દિવસના અજવાળામાં ઝગારા મારે! અને એની બાજુમાં એક લગભગ ચીંથરેહાલ, પોતડી ઘાલેલો માણસ રસ્તાની ધારે બેસીને પતરાવળી અને પડિયા વેચતો હોય. 

માલશે : એ જમાનામાં હજી પ્લાસ્ટિક નામના દાનવે દેખા દીધી નહોતી. અને જે કાંઈ વપરાતું તેમાનું મોટા ભાગનું ‘રિસાઈકલ’ થતું. દાણો-પાણી કે શાકભાજી લેવા જાય ત્યારે લોકો પોતાની કપડાની પીશવી, તમે શું કહો? હા, થેલીઓ, સાથે લઈ જતા. દુકાનદાર ત્રાજવે તોળી તોળીને ઘઉં-ચોખા, વગેરે એક એક થેલીમાં ભરતો જાય. 

દી.મ. : અમને તો હવે એવી થેલી લઈને ઘર બહાર જતાં શરમ જ આવે. એટલે બધું પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરેલું મળે. કેટલી સગવડ!

માલશે : જરા ગિરગામ કે જુહુ ચોપાટી જઈને જોજો! દરિયા કિનારા પર પ્લાસ્ટિકના ઢગલેઢગલા રોજેરોજ પડ્યા હોય છે. 

દી.મ. : હા, અમે પહેલાં નાની નાની સગવડો ઊભી કરીએ, અને પછી મોટી મોટી અગવડો સામે ચાલીને આવે. પણ ગોવિંદરાવજી અને માલશે સાહેબ. આપણે રાત થોડી અને વેશ ઝાઝા એવું થયું છે. એટલે આ વાતો આજે તો અટકાવીએ. આવતે શનિવારે ફરી મળીશું, આપણે ત્રણે. ત્યાં સુધી આવજો!

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 12 ઓગસ્ટ 2023

Loading

मणिपुर, नूह और ट्रेन में क़त्ल: सद्भाव की वापसी ज़रूरी

राम पुनियानी|Opinion - Opinion|12 August 2023

राम पुनियानी

देश के अलग-अलग हिस्सों में भयावह हिंसा हो रही है. मणिपुर में पिछले तीन महीने से हिंसा जारी है. इसमें करीब 100 व्यक्ति अपनी जान गँवा चुके हैं और लगभग एक लाख बेघर हो गए हैं. मरने वालों में कुकी लोगों की संख्या ज्यादा है और विस्थापितों में कुकी, नागा और ज़ो लोगों की. ये तीनों आदिवासी समुदाय हैं जिनकी बहुसंख्यक आबादी ईसाई है. इसके अलावा, मणिपुर में तीन महिलाओं के साथ जो व्यवहार हुआ उसने पूरे देश को शर्मसार किया है. मणिपुर की हिंसा का नस्लीय-धार्मिक चरित्र सबके सामने है. सरकार या तो हिंसा रोकने में असमर्थ है या जानबूझकर हिंसा होने दे रही है. प्रधानमंत्री ने मणिपुर के हालात पर 37 सेकंड का बयान दिया है. वे इस बीच सात देशों में घूम आएं हैं, वहां से तरह-तरह के पुरस्कार ले आए हैं और देश भर में चुनाव रैलीयां संबोधित कर चुके हैं. परन्तु वे पीड़ितों से मिलने मणिपुर नहीं गए. यह शायद उतना ही शर्मनाक है जितनी कि हिंसा है.

हिंसा के पहले कुकी आदिवासियों के खिलाफ नफरत फैलाई गयी. उन्हें म्यांमार से आए घुसपैठिया बताया गया. उन पर यह आरोप भी लगाया गया कि वे अफीम उगाते हैं और खेती की ज़मीन पर कब्ज़ा कर रहे हैं. मणिपुर की हिंसा के बारे में दो बातें साफ़ है: सरकार या तो अक्षमता या मिलीभगत के चलते हिंसा को नियंत्रित नहीं कर रही है. और दूसरा यह कि हिंसा भड़काने के लिए नफरत का ज़हर वातावरण में घोला गया.

आरपीएफ कांस्टेबल चेतन सिंह द्वारा ट्रेन में तीन मुसलमान यात्रियों और अपने वरिष्ठ अधिकारी की गोली मारकर हत्या करने की घटना डरावनी है. उसके अधिकारी से उसे छुट्टी देने से मना कर दिया था और उसके मन में मुसलमानों के प्रति नफरत भरी थी. चेतन सिंह ने ट्रेन में घूम-घूम कर मुस्लिम यात्रियों की पहचान की और उन्हें गोली मारी. उसने उनके कपड़ों और दाढ़ी से पहचाना कि वे मुसलमान हैं (प्रधानमंत्री नरेन्द्र मोदी ने हमें बताया था कि उन लोगों को उनके कपड़ों से पहचाना जा सकता है). मुसलमान यात्रियों को मारते समय चेतन सिंह कह रहा था कि मुसलमान पाकिस्तान के प्रति वफादार हैं और अगर उन्हें भारत में रहना है तो ‘योगी-मोदी’ कहना होगा. ऐसा दावा किया जा रहा है कि वह मानसिक रूप से बीमार था. अगर ऐसा था तो उसे रेल यात्रियों की रक्षा करने के लिए हथियार क्यों दिए गए? या फिर यह इस घोर सांप्रदायिक कांस्टेबल को बचाने की चाल है?

हमारे समाज में नफरत का बोलबाला है. गोदी मीडिया इसे और बढ़ावा दे रहा है. मीडिया के दूसरे हिस्से इस नफरत को कम करने के लिए कुछ नहीं कर रहे हैं. इसका नतीजा हम सबके सामने है. चेतन सिंह हमें शम्भूदयाल रेगर नाम के दुकानदार की याद दिलाता है जिसने सोशल मीडिया पर लवजिहाद के दुष्प्रचार से प्रभावित हो कर एक बंगाली मुस्लिम श्रमिक अफ्राजुल की हत्या कर दी थी. इन दोनों घटनाओं से साफ़ है कि समाज में सांप्रदायिक ताकतों द्वारा अलग-अलग चैनलों के ज़रिये फैलाई जा रही नफरत हमें कहाँ ले आई है.

हरियाणा के नूह के घटनाक्रम के बारे में दो चीज़ों पर ध्यान दिए जाने की ज़रुरत है. ब्रजमंडल जलाभिषेक यात्रा हर साल निकाली जाती है. इसकी मंजिल होती है नल्हर महादेव मंदिर. यह दिलचस्प है कि इस साल यह यात्रा मुस्लिम-बहुल इलाकों से नहीं निकली बल्कि उन रास्तों से निकली जिनके आसपास मुस्लिम बस्तियां थीं. मंदिर में विहिप नेता सुरेन्द्र जैन मौजूद थे. यात्रा शुरू होने से पहले से ही वे मुसलमानों के खिलाफ नफरत फैलाने में जुटे हुए थे. उनके भाषणों के वीडियो उपलब्ध हैं.

इसके अलावा मोनू मानेसर, जो नासिर और जुनैद की हत्या और एक चार-पहिया वाहन में उन्हें जलाए जाने की घटना में आरोपी है, ने भी एक वीडियो जारी कर कहा था कि वह यात्रा में शामिल होगा और लोगों से अपील की थी कि वे उसका स्वागत करने के लिए मौजूद रहे. मोनू बजरंग दल के गौरक्षा सेल का प्रमुख है और नासिर और जुनैद की हत्या में शामिल होने के कारण नूह के लोग उससे नफरत करते हैं. मोनू का वीडियो भड़काऊ था. इसी तरह का वीडियो बिट्टू बजरंगी नाम के एक अन्य कथित गौरक्षक ने भी जारी किया. ऐसा लगता है कि विहिप ने इन दोनों को यात्रा में शामिल न होने की सलाह दी.

ऐसा दावा किया जा रहा है कि मुस्लिम अल्पसंख्यकों ने जुलूस पर हमला किया और मंदिर पर भी. घटना के वीडियो से पता चलता है कि मंदिर के अन्दर से पुलिस के मौजूदगी में धर्मरक्षकों ने गोलीबारी की. जुलूस में शामिल लोग हथियार लिए हुए थे और वे जानते-बूझते मुस्लिम-बहुल इलाकों से भड़काऊ नारे लगाते हुए निकले. जुलूस पर हमला करने वाले भी हथियारबंद थे.

वीडियो से साफ़ है कि इस पूरे घटनाक्रम के दौरान पुलिस या तो मूकदर्शक बनी रही या उसने अपना मुंह दूसरी तरफ घुमा लिया. जुलूस में शामिल लोगों ने एक मस्जिद पर भी हमला किया और उसके नायब इमाम को मर दिया. करीब 200 हिन्दुत्ववादियों की भीड़ ने गुडगाँव के सेक्टर 57 में इस मस्जिद पर हमला किया. उन्होंने वहां सो रहे तीन लोगों की पिटाई की, नायब इमाम शाद को कई बार चाकू से गोदा और मस्जिद में आग लगा दी. नायब इमाम की मौत हो गयी. उसका एक वीडियो सोशल मीडिया पर उपलब्ध है जिसमें वह प्रार्थना कर रहा है, “हिन्दू-मुस्लिम बैठ के खाएं थाली में ऐसा हिंदुस्तान बना दे या अल्लाह”.

नूह से हिंसा दिल्ली-एनसीआर के अन्य इलाकों में फ़ैल गयी है. सिटीजन्स फॉर जस्टिस एंड पीस ने पुलिस महानिदेशक और राष्ट्रीय अल्पसंख्यक आयोग से कहा है कि हिंसा को फैलने से रोका जाना चाहिए. जम्मू-कश्मीर के पूर्व राज्यपाल सत्यपाल मलिक ने नूह के घटनाक्रम पर बहुत सटीक टिपण्णी की है. दिल्ली के कान्सटीट्यूशन क्लब में बोलते हुए उन्होंने कहा, “जाट समुदाय संस्कृति और परंपरा से आर्यसमाजी जीवन पद्धति में आस्था रखता आया है और आम तौर पर जाट बहुत धार्मिक नहीं होते. उस इलाके के मुसलमान भी पुरातनपंथी सोच वाले नहीं हैं. यही कारण है कि स्वतंत्रता के बाद से लेकर अब तक वहां दोनों समुदायों के बीच टकराव के बारे में इसके पहले शायद ही हमने कभी सुना हो. परन्तु जैसा कि मणिपुर से जाहिर है, 2024 के चुनाव जैसे-जैसे नज़दीक आते जाएंगे, इस तरह की घटनाएं और होंगीं.”

विहिप का इस इलाके में कई जुलूस निकलने का इरादा है. सुप्रीम कोर्ट ने सरकार से कहा है कि वह यह सुनिश्चित करे कि इन जुलूसों के दौरान न तो हिंसा हो और ना ही नफरत फैलाने वाले भाषण दिए जाएं.

हमें नफरत से मुकाबला करना ही होगा. हमें नफरत के खिलाफ आन्दोलन चलाना होगा. हमें ऐसे प्रशासनिक तंत्र और पुलिस बल की ज़रुरत है जो बहुवाद और विविधता के मूल्यों के प्रति संवेदनशील हो. हमें ऐसी सरकार चाहिए जो भारतीय राष्ट्रवाद के प्रति प्रतिबद्ध हो, सांप्रदायिक राष्ट्रवाद के प्रति नहीं.

(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया)
08/08/2023
https://www.navjivanindia.com/opinion/manipur-nuh-and-the-murders-in-the-train-where-did-the-hatred-of-communal-forces-bring-us-article-by-ram-puniyani

Loading

...102030...893894895896...900910920...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved