Opinion Magazine
Number of visits: 9666086
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

आतंकवाद की जडें: धर्म में या राजनीति में?

राम पुनियानी|Opinion - Opinion|1 December 2023

राम पुनियानी

आज से पंद्रह साल पहले, 26 नवम्बर 2008 को मुंबई पर एक भयावह आतंकी हमला हुआ था. हथियारों से लैस दस आतंकी समुद्र के रास्ते मुंबई पहुंचे और उन्होंने बेरहमी से मुंबई के 237 निर्दोष नागरिकों का क़त्ल कर दिया. इस हमले में महाराष्ट्र के आतंकवाद निरोधक दस्ते के मुखिया हेमंत करकरे सहित तीन पुलिस अधिकारी मारे गए. आज जब हम इस हमले, जिसे 26/11 का नाम दिया दिया है, को याद कर रहे हैं, उसी समय हमास के आतंकी हमले और इजराइल के गैर-जिम्मेदाराना जवाबी हमले की चर्चा भी चल रही है. पंद्रह साल पहले मुंबई पर हुए हमले के पीछे पाकिस्तान में अड्डा जमाये लश्कर-ए-तैय्यबा का हाथ था.

उसके बाद से पश्चिम एशिया में तालिबान, आईएसआईएस और आईएस ने कई आतंकी हमले किये. भारत में कश्मीर में भी आतंकी घटनाएं हुईं, जिनकी जड़ में जटिल राजनैतिक कारण हैं.

इनमें से अधिकांश संगठन इस्लामिक पहचान से जुड़े हुए हैं मगर इनके हिंसा का रास्ता अपनाने के पीछे के कारण अलग-अलग हैं. हमास के जन्म के पीछे इजराइल द्वारा फिलिस्तीनियों के साथ किये गए अन्याय हैं. इजराइल ने संयुक्त राष्ट्र संघ के अनेक प्रस्तावों का खुल्लम-खुल्ला उल्लंघन किया. कश्मीर के घटनाक्रम के पीछे भी राजनैतिक कारण हैं, हालाँकि उनकी प्रकृति एकदम अलग है. अल-कायदा और आईएस, अमरीका द्वारा पाकिस्तान में स्थापित किये गए प्रशिक्षण केन्द्रों की उपज हैं. इन अलग-अलग कारकों को नज़रअंदाज़ करते हुए मीडिया का एक हिस्सा और कई राजनैतिक विश्लेषक सभी आतंकी घटनाओं और संगठनों को इस्लामिक कट्टरपंथ से जोड़ रहे हैं.

यह ठीक नहीं है. आतंक की जड़ में इस्लाम नहीं है बल्कि इसकी पीछे जटिल राजनैतिक कारक हैं. इनमें से एक है एक वैश्विक महाशक्ति द्वारा कच्चे तेल के भंडारों पर कब्ज़ा ज़माने का प्रयास. साम्राज्यवादी देश और उनके सहयोगी, तेल सम्पदा पर काबिज होना चाहते हैं. अमरीका ने सीआईए, और अभी हाल तक उसका पिट्ठू रहे पाकिस्तान, के ज़रिये कई इस्लामिक कट्टरपंथी समूहों को पाला-पोसा है. अमरीका तेल का भूखा है और इसलिए पश्चिम एशिया में अपना वर्चस्व कायम करना चाहता है. कई टिप्पणीकारों ने सीआईए के दस्तावेजों के हवाले से यह बताया है कि अमरीकी ख़ुफ़िया एजेंसी ने मुजाहीदीन की ट्रेनिंग के लिए धन उपलब्ध करवाया, जिसके नतीजे में पहले अल कायदा और फिर आईएसआईएस अस्तित्व में आये.

महमूद ममदानी की पुस्तक ‘गुड मुस्लिम – बेड मुस्लिम’ के अनुसार अमरीका ने इस परियोजना पर 800 करोड़ डालर खर्च किए और मुजाहिदीनों को 7,000 टन हथियार उपलब्ध करवाए. हिलेरी क्लिंटन ने बिना किसी लाग-लपेट के यह स्वीकार किया था कि अफगानिस्तान पर सोवियत कब्जे का प्रतिरोध करने के लिए अमरीका ने अल कायदा को खड़ा किया. रूसी सेना की अफगानिस्तान से वापिसी के बाद अमरीका ने अफगानिस्तान को उसके हाल पर छोड़ दिया. मीडिया का एक बड़ा हिस्सा जानबूझकर हमें यह नहीं बताता कि अल कायदा और उसकी तरह के अन्य संगठनों के लड़ाकों का प्रशिक्षण अमरीकी धन से पाकिस्तान में स्थापित किए गए मदरसों में हुआ था और ये लड़ाके बाद में पाकिस्तान के लिए ही भस्मासुर बन गए. इन आतंकी संगठनों के सबसे ज्यादा शिकार मुसलमान ही बनें.

कश्मीर की समस्या के पीछे अलग कारण हैं. 1950 और 1960 के दशक में अनुच्छेद 370 के अंतर्गत कश्मीर को दी गई स्वायत्ता को धीरे-धीरे कम करने की कवायद शुरू हो गई. इससे असंतुष्ट युवाओं की एक नई पीढ़ी तैयार हुई जिसने पाकिस्तान की आईएसआई की मदद से घाटी में हिंसा शुरू कर दी. आईएसआई को अमरीका का समर्थन प्राप्त था. सन् 1990 के दशक में अल कायदा और उसके जैसे अन्य संगठनों ने कश्मीर में घुसपैठ कर ली. इसका नतीजा यह हुआ कि जो प्रतिरोध कश्मीरियत (बौद्ध, वेदांतिक और सूफी परंपराओं का संश्लेषण) पर आधारित था उसने साम्प्रदायिक स्वरूप अख्तियार कर लिया और कश्मीरी पंडितों को निशाना बनाया जाने लगा. कश्मीर में आतंकवाद के पीछे राजनैतिक कारण थे मगर हिंसा करने वालों ने धर्म का लबादा ओढ़ रखा था.

हमास का मामला इन सबसे अलग है. यहूदीवादियों ने पहले फिलिस्तीन की भूमि पर बसना शुरू किया और फिर धीरे-धीरे पूरे देश पर कब्जा करते गए. उन्होंने फिलिस्तीनियों के प्रजातांत्रिक प्रतिरोध का गला घोंट दिया. हालात यह हो गए कि फिलिस्तीन की कुल आबादी का 30 प्रतिशत होते हुए भी यहूदी वहां की 55 प्रतिशत भूमि के मालिक बन गए. इसके बाद दो किश्तों में यहूदियों ने फिलिस्तीन की 90 प्रतिशत जमीन पर कब्जा कर लिया.

यहूदीवादियों ने फिलिस्तीन पर बेजा कब्जा किया है. वे कुछ प्राचीन धार्मिक पुस्तकों के आधार पर यह दावा करते हैं कि वे फिलिस्तीन के हैं और फिलिस्तीन उनका है. वे अपने कब्जे की भूमि का विस्तार करते गए और आज गाजा पट्टी एक खुली जेल बन गई है और पश्चिमी किनारे में रहने वाले अरब लोगों को ढ़ेर सारी मुसीबतों का सामना करना पड़ रहा है.

फिलिस्तीनी समूहों, अल कायदा और तालिबान – तीनों को इस्लामिक आतंकवाद का प्रतीक बताया जाता है. यह एकदम आधारहीन है. इस्लामिक आतंकवाद के नाम पर शोर मचाना अमरीकी मीडिया ने 9/11 के बाद शुरू किया था. इसी दुष्प्रचार के बहाने अमरीका ने अफगानिस्तान पर हमला किया और वहां के 60 हजार लोगों की जान ले ली. कच्चे तेल के भंडारों पर कब्जा करने की अपनी लिप्सा के चलते अमरीका ने ईराक पर हमला किया. बहाना यह बनाया गया महासंहारक अस्त्र बनाए जा रहे हैं, जबकि ऐसा कुछ नहीं था. अमरीका ने दावा किया था कि ईराक के नागरिक उसकी सेना का फूलों और चाकलेटों से स्वागत करेंगे. हुआ यह कि स्थानीय लोगों ने अमरीका का जबरदस्त विरोध किया और इसके नतीजे में इस्लामिक स्टेट अस्तित्व में आया.

26/11 2008, भारत और पाकिस्तान के आपसी बैर का नतीजा था. पाकिस्तान में सेना का वर्चस्व था और वह अमरीका के प्रभाव में था. और इसी के चलते उसने लश्कर-ए-तैयबा जैसे आतंकी समूहों को पनाह दी और इनका इस्तेमाल पाकिस्तान और भारत के बीच की खाई को और चौड़ा करने के लिए किया. जब भी पाकिस्तान की नागरिक सरकार भारत के साथ रिश्ते बेहतर करने का प्रयास करती थी, सेना के जनरल परेशान हो जाते थे. वे नहीं चाहते थे कि सरहद पर अमन हो. इसी के चलते परवेज मुशर्रफ ने कारगिल पर हमला किया और इसी कारण 26/11 हुआ.

26/11 के दौरान महाराष्ट्र के आईपीएस अधिकारी हेमंत करकरे की जान गई. वे मालेगांव से लेकर समझौता एक्सप्रेस तक हुए आतंकी हमलों की जांच कर रहे थे और इस सिलसिले में साध्वी प्रज्ञा सिंह ठाकुर, स्वामी असीमानंद और लेफ्टिनेंट कर्नल श्रीकांत पुरोहित को गिरफ्तार किया गया था. साध्वी अब भी जमानत पर हैं और उनका दावा है कि उन्होंने हेमंत करकरे को श्राप दिया था जिसके कारण वे मारे गए.

26/11 की त्रासदी को याद करते समय हमें यह नहीं भूलना चाहिए कि उसमें हेमंत करकरे सहित तीन पुलिस अधिकारी मारे गए थे. यह सोचना कि इस हमले के पीछे कोई धर्म था, बचकाना होगा.

कुल मिलाकर हर आतंकी हमले और हर आतंकी संगठन के लिए इस्लामिक कट्टरवाद को दोषी ठहराना अमरीका और उसके मित्र देशों के जाल में फंसना होगा. इन देशों ने पश्चिम एशिया को बर्बाद कर दिया है. मीडिया को चाहिए कि वह इन हमलों और इन संगठनों की गहराई से पड़ताल करे. आतंकवाद का धर्म से कोई लेना-देना नहीं है. उसके पीछे राजनैतिक कारण हैं. आईरिश रिपब्लिकन आर्मी से लेकर लिट्टे तक के बारे में यह सही है. 

29/11/2023
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)
https://www.navjivanindia.com/opinion/islam-is-not-the-root-of-terrorism-complex-political-factors-are-behind-it-article-by-ram-puniyani

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૨૦) : અભિનવગુપ્ત 

સુમન શાહ|Opinion - Opinion|1 December 2023

આજે, અભિનવગુપ્ત વિશે —

સુમન શાહ

એમનો સમય છે, દસમા શતકનો અન્ત અને અગિયારમા શતકનો પ્રારમ્ભ. એમના મુખ્ય ગ્રન્થ બે છે, એક છે, ભરતના “નાટ્યશાસ્ત્ર” પરની ટીકા, “અભિનવભારતી”. બીજો ગ્રન્થ છે, આનન્દવર્ધનના “ધ્વન્યાલોક” પરની ટીકા, “લોચન”. આ બે ગ્રન્થોને કારણે અભિનવગુપ્ત રસ અને ધ્વનિ બન્ને સમ્પ્રદાયો વચ્ચે એક બહુમૂલ્ય સેતુ ભાસે છે. રસ અને ધ્વનિની વાતમાં યથાસ્થાને એમના વિચારો પીરસતો રહીશ.

આ પહેલાના લેખમાં મેં કહ્યું કે હું બીજો ઉત્તર આપીશ. એ કે એ રસસૂત્રમાં મુકાયેલી ‘સંયોગાત્’ સંજ્ઞા સૂચવે છે એ સંયોગના કરનાર સર્જકો હોય છે. સર્જકતાની સત્તાએ સંયોગ સિદ્ધ થાય છે અને રસનિષ્પત્તિ થાય છે.

પરન્તુ એ પહેલાં, અભિનવગુપ્તના વિચારો જાણીએ :

હું કહી ગયો છું કે રસસૂત્રમાં છે એ વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ, સ્થાયી ભાવનાં જ અંગોપાંગ છે. સ્થાયી ભાવ ક્રોધનું દૃષ્ટાન્ત આપીને મેં મારી આ વાતનું સમર્થન કરેલું છે.

અભિનવગુપ્ત એમ કહે છે કે આ વિભાવાદિથી ‘વ્યક્ત’ થયેલો ‘સ્થાયી ભાવ’ જ ‘રસ’ છે. એમના આ વિચારના મમ્મટ આદિ અનુયાયીઓ એમ કહે છે કે આમાં ‘વ્યક્ત’ શબ્દ મહત્ત્વનો છે, એનો અર્થ છે, ‘વ્યંજના’. ‘વ્યક્ત’-થી પ્રતિપાદિત થતો અર્થ વ્યંજના વૃત્તિથી અથવા શબ્દની વ્યંજનાશક્તિથી ગ્રહાતો હોય છે, એ અર્થ વાચ્યાર્થ કે અભિધેયાર્થ નથી, એ વ્યંગ્યાર્થ છે અથવા ધ્વન્યાર્થ છે. સૂચવાય છે એમ કે રસ ધ્વનિત થાય છે. 

આ સંદર્ભમાં, ‘વ્યંજના’-નો અર્થ છે, ‘આવરણરહિત ચૈતન્ય’. ‘નિરાવરણ ચિતિ’ પણ કહેવાય છે. કશાક આવરણથી ઢાંકેલા દીપકનું એ આવરણ લઈ લઈએ તો એથી આજુબાજુના વસ્તુપદાર્થો પ્રકાશિત થાય છે તેમ જ દીપક પોતે પણ પ્રકાશિત થાય છે, દેખાય છે, એ રીતે, વિભાવાદિ-સમ રતિ વગેરેને, આત્મા પ્રકાશિત કરે છે અને પોતે પણ પ્રકાશિત થાય છે. કેમ કે વિભાવાદિના સંયોગથી અજ્ઞાનરૂપી આવરણ હઠી ગયાં હોય છે. રતિ વગેરે સ્થાયી ભાવો અન્ત:કરણના ધર્મ છે, એ આત્મા દ્વારા ભાસિત થતા હોય છે તેથી ‘સાક્ષિભાસ્ય’ કહેવાય છે. સ્વપ્નમાં અશ્વની કે ચમકતા કાચમાં રજતની પ્રતીતિની જેમ આત્મા દ્વારા વિભાવાદિનો સાક્ષિભાસ્ય થઈ જાય છે.

આમ, અનુયાયીઓનો આખો મુદ્દો આધ્યાત્મિકતાનો રંગ પકડે છે : સ્થાયી ભાવો અન્ત:કરણના ધર્મ; વ્યંજના આવરણરહિત ચિતિ; આવરણ અજ્ઞાનનું; અને આવરણરહિત ચૈતન્યયુક્ત સ્થાયી તે રસ. આ સંદર્ભમાં, મારું મન્તવ્ય એ છે કે, ‘સંયોગ’ પરથી આપણું ધ્યાન ખસી જાય છે. 

અભિનવગુપ્તે રસસૂત્રની ચર્ચા વિસ્તારથી કરી છે. પોતાનો મત રજૂ કરતાં એમણે સૂત્રના અન્ય ટીકાકારો ભટ્ટ લોલ્લટ, ભટ્ટ શંકુક અને ભટ્ટ નાયકના મતની સમીક્ષા કરી છે. લોલ્લટનો મત ‘ઉત્પત્તિવાદ’ કહેવાય છે કેમ કે રસનિષ્પત્તિને તેઓ રસઉત્પત્તિ ગણે છે. શંકુકનો મત ‘અનુમિતિવાદ’ કહેવાય છે કેમ કે રસનિષ્પત્તિને તેઓ રસઅનુમિતિ ગણે છે. ભટ્ટ નાયકનો મત ‘ભુક્તિવાદ’ કહેવાય છે કેમ કે તેઓ રસનિષ્પત્તિને રસભુક્તિ કહે છે. પરન્તુ અભિનવગુપ્તનો મત ‘અભિ વ્યંજનાવાદ’ કહેવાય છે કેમ કે તેઓ રસનિષ્પત્તિને અભિ વ્યંજના કહે છે. 

આમ, ચર્ચા રસસૂત્રમાં છેલ્લે જે સંજ્ઞા ‘રસનિષ્પત્તિ’ છે, એ દિશામાં વળી ગઈ છે. 

અભિનવગુપ્તના એ અનુયાયીઓએ અભિનવગુપ્તના ‘વ્યંજના વૃત્તિ’ વિભાવને ધ્યાનમાં લેવો જોઈતો હતો, જેમાં એમણે ધ્વનન વ્યાપારને જ મહિમાવન્ત લેખ્યો છે. કેમ કે એમનું સમગ્ર રસદર્શન આનન્દવર્ધનના ધ્વનિવચારથી સમુચિત રૂપે રંજિત છે.  

“લોચન” ગ્રન્થમાં ‘વ્યંજના વૃત્તિ’-ની એમણે કરેલી ચર્ચાનો સાર આ પ્રમાણે છે : તેઓ અભિધા, (તાત્પર્ય), લક્ષણા અને વ્યંજના એમ ત્રણેય શબ્દશક્તિઓને તેમ જ એ ત્રણેયના વ્યાપારો વિશે કહે છે, એ ખૂબ ધ્યાનાર્હ છે. રોચક વાત એ છે કે દરેક વ્યાપારને તેઓ સંવેદનાનો વિષય ગણે છે – ત્રયો હ્યત્ર વ્યાપારા સંવેદ્યતે. 

Pic Courtesy : Living in Wellbeing

અભિધા-વ્યાપારથી પદોના સામાન્ય અર્થો મળે છે. કેમ કે અભિધાશક્તિ સંકેતને દૃષ્ટિગત રાખીને અર્થની પ્રતીતિ કરાવે છે. હું દાખલો આપું : મારે એક વસ્તુનો સંકેત કરવો છે ને એ માટે હું ‘પતંગ’ પદ (શબ્દ) પ્રયોજું છું. દેખાય છે એ પતંગ છે, એથી વિશેષ કશું સંકેતિત નથી થતું. મારે એક બીજી વસ્તુનો સંકેત કરવો છે ને એ માટે હું ‘છોકરો’ પદ પ્રયોજું છું. દેખાય છે એ છોકરો છે, એથી વિશેષ કશું સંકેતિત નથી થતું. આ શક્તિથી આપણને અભિધેયાર્થ અથવા શબ્દાર્થ અથવા મુખ્યાર્થનું પ્રત્યાયન અથવા અવગમન થાય છે. 

પણ ‘છોકરો પતંગને જોઈ રહ્યો છે’, એમ હું એ બન્ને પદોને જોડીને, અન્વિત કરીને, એ વાક્યમાં પ્રયોજું છું ત્યારે પોતાના સામાન્ય અર્થ આપવા ઉપરાન્ત એ પદો વિશિષ્ટ અર્થ આપે છે. પેલા હતા, અભિધેયાર્થ અથવા શબ્દાર્થ અથવા મુખ્યાર્થ, આ વાક્યાર્થ છે. આ શબ્દશક્તિને અભિનવગુપ્ત તાત્પર્ય શક્તિ કહે છે. આ શક્તિથી આપણને તાત્પર્યાર્થનું પ્રત્યાયન અથવા અવગમન થાય છે. 

આ પછી અભિનવગુપ્ત લક્ષણાવ્યાપાર અને વ્યંજનાવ્યાપાર અથવા ધ્વનનવ્યાપારની વાત કરે છે. અભિધાથી મળતા વાચ્યાર્થનો બાધ, લક્ષણાપ્રયોજન, વગેરે જાણીતી વિભાવનાઓના વિવરણમાં ઊતરવું અત્રે જરૂરી નથી. 

પણ નૉંધપાત્ર વાત એ છે કે અભિનવગુપ્તે એ તમામ વ્યાપારોની તર્કપૂત સમીક્ષા કરીને એમ દર્શાવ્યું છે કે અભિધા, તાત્પર્ય અને લક્ષણા ઉપરાન્તનો એક વ્યાપાર, ધ્વનનવ્યાપાર છે. 

અભિનવગુપ્ત કહે છે, આ ત્રણ શક્તિઓને મૂળ આધાર માનવા છતાં કશાક અન્ય અર્થનો પ્રતિભાસ થાય છે જેના પરિશીલનથી સહૃદયોની પ્રતિભા પવિત્ર થઇ જાય છે. એ અર્થ માટે સહાયક નીવડનારી શક્તિ વ્યંજના અથવા ધ્વનિશક્તિ છે જેના પ્રતાપે પ્રગટે છે ધ્વનનવ્યાપાર. અને એ વ્યાપાર ત્રણેય વ્યાપારોને દબાવી દઈને પ્રધાન થઇને કાવ્યનો આત્મા બની રહે છે. એમના શબ્દો છે – સ ચ પ્રાગ્વૃત્તમ્ વ્યાપારત્રયમ્ ન્યક્કુર્વન્ પ્રધાનભૂત: કાવ્યાત્મેતિ. 

મેં પૂછેલું કે રસસૂત્રમાં મુકાયેલી ‘સંયોગાત્’ સંજ્ઞા સૂચવે છે એ સંયોગના કરનાર કોણ હોય છે. એનો શાસ્ત્રોક્ત ઉત્તર તો મળી ગયો કે એ સંયોગથી સ્થાયી પોતે જ રસરૂપે અનુભવાય છે. પણ એ સવાલ ઊભો રહે છે કે સંયોગનો સંયોજક કોણ. મારો ઉત્તર છે, સર્જક. સર્જકોની સર્જકતાની સત્તાએ સંયોગ સિદ્ધ થાય છે અને રસનિષ્પત્તિ થાય છે. અભિનવગુપ્તના ઉપર્યુક્ત વિચારોમાં જે શબ્દશક્તિઓનો નિર્દેશ છે એનો વ્યાયામ અને યોગપ્રયોગ કરનારા તો સર્જકો છે !  

એક સર્જક તરીકે મારું મન્તવ્ય બંધાયું છે કે સર્જકશબ્દ બધી જ શક્તિઓથી ચાર્જ્ડ હોય છે. એ સત્ય વિશે હવે પછી …

(11/29/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માતૃભાષાનો મહિમા ગુજરાત સિવાય બધે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|1 December 2023

રવીન્દ્ર પારેખ

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન-UGC દ્વારા દેશની ભાષાકીય વિવિધતાની ઉજવણી કરવા તથા એકતા અને વિવિધતાનો અનુભવ કરવા 25 સપ્ટેમ્બર, 2023થી 75 દિવસીય ભારતીય ભાષા ઉત્સવનો આરંભ કરવામાં આવ્યો. તેની યુનિવર્સિટીઓને તો કદાચ ખબર હોય, બાકી સામાન્ય પ્રજાને તેની જાણકારી હોય તો આઘાત લાગે, કારણ ભાષા બાબતે ગુજરાતી પ્રજા સૌથી વધુ ઉદાસીન છે. આ ઉદાસીનતા ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અપાવે તો નવાઈ નહીં. જો કે, આ ભાષા ઉત્સવ 11 ડિસેમ્બરે તો સંપન્ન થવા જઈ રહ્યો છે, એટલે પ્રજાકીય ઉદાસીનતાને ઊની આંચ આવે એમ નથી. એ જુદી વાત છે કે યુનિવર્સિટીઓ, કોલેજો એની રીતે માતૃભાષાને લગતા કે બહુભાષી કાર્યક્રમો ઇચ્છાથી કે પરાણે કરશે ને એમ 11મી તારીખ પૂરી કરશે.

જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાતીનો, ગુજરાતીઓ જ સંહાર કરશે. એ મામલે ગુજરાતીઓ પૂરતા સ્વાવલંબી છે. ગુજરાતીઓ જેટલી ઉદાર ને ઉડાવ પ્રજા બીજી નથી. તે નકલખોર છે અને મૌલિક નથી. તેનો ખોરાક, તેનો પોષાક, તેની ભાષા તેનાં નથી. તે બીજાનું જોઈને સીધું જ અપનાવે છે. તેનું પોતાનું યોગદાન નહિવત્ છે. તેને અંગ્રેજીની છે, એટલી ચિંતા ગુજરાતીની નથી. વધારે સાચું તો એ છે કે એવી ચિંતા ગુજરાત સરકારને મુદ્દલે નથી. સંતાનો અંગ્રેજી જોડણી ખોટી કરે તો તે સુધારવાની કાળજી લેવાય છે, પણ ગુજરાતી જોડણી સાચી ન થઈ જાય એની કાળજી રખાય છે. ગુજરાતમાં અંગ્રેજી, અંગ્રેજો આવ્યા પછી આવી. ગુજરાતી તો છસો વર્ષથી છે, પણ તેનાં તરફ પહેલેથી જ દુર્લક્ષ સેવાયું છે. એમાં અંગ્રેજો ઓછા જવાબદાર છે. એમણે તો ગુજરાતી સ્કૂલો પણ સ્થાપી છે ને જરૂર પડી ત્યારે ગુજરાતી શીખ્યા પણ છે. ગુજરાત સરકાર અસ્તિત્વમાં આવી ત્યારથી ગુજરાતીનો મહિમા ઘટ્યો છે. તેમાં પણ છેલ્લાં થોડાં વર્ષોમાં વિદ્યાર્થીઓ નથી મળતાં એ બહાને ગુજરાતી સ્કૂલો બંધ કરવામાં આવી ને અંગ્રેજી સ્કૂલોની સ્થાપનાઓ થવા માંડી. સવાલ એ થાય કે ગુજરાતમાં, ગુજરાતીના વિદ્યાર્થીઓ ન મળે તો તે કર્ણાટક કે બંગાળથી મળવાના હતા?

એક જમાનામાં સાક્ષરવર્ય ડો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ નર્મદ સાહિત્ય સભાને ઉપક્રમે દુકાનોનાં પાટિયાની જોડણી સુધારવાની ઝુંબેશ ચલાવેલી. ત્રિવેદી સાહેબ તો હવે રહ્યા નથી કે નથી તો નર્મદ સાહિત્ય સભાની કોઈ ભાળ મળતી. નર્મદ સાહિત્ય સભા, ગુજરાતી સાહિત્ય મંડળ તરીકે 1923માં સ્થપાયેલી. એ જોતાં તો નર્મદ સાહિત્ય સભાનું આ શતાબ્દી વર્ષ ગણાય. એની ઉજવણીની વાત તો બાજુ પર રહી, સંસ્થા જ આથમી ગઈ હોય તેમ ક્યાં ય કોઈ સંચાર નથી. કમ સે કમ સંબંધિતોએ સંજીવની મંત્ર ફૂંકી શતાબ્દીની રંગેચંગે ઉજવણી કરવી જોઈએ. આજે દુકાનોનાં પાટિયાં વંચાય છે ખરાં, પણ તે ખરાં છે કે ખોટાં તે જોનારું કે કહેનારું કોઈ નથી. સાહિત્ય, કલાને ક્ષેત્રે આ શહેરનો શતમુખી વિનિપાત અક્ષમ્ય છે. આ શહેરે સાહિત્યમાં પહેલું પહેલું ઘણું આપ્યું. પહેલો નિબંધકાર, પહેલો નવલકથાકાર, પહેલો વિવેચક, પહેલો આત્મકથાકાર એવા ઘણા પહેલા સર્જકો સાહિત્યમાં સૂરતે આપ્યા. એ શહેર હવે વૈધવ્ય ભોગવતું ખૂણે પડ્યું છે ને કોઈને એની ચિંતા નથી. સાંઠ લાખની વસ્તી ધરાવતાં આ શહેરમાં મહાનગરપાલિકા છે, અનેક ક્ષેત્રે તેની પ્રગતિ છે, પણ ગુજરાતી ભાષા, સાહિત્ય અને કલાને ક્ષેત્રે આ શહેરને પ્રોત્સાહન પૂરું પાડવાની તેની ઈચ્છા નથી એ દુ:ખદ છે. આ સ્થિતિ આખા ગુજરાતની છે.

એની સામે મહારાષ્ટ્રની સ્થિતિ ધ્યાનાકર્ષક છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મુંબઈની હદમાં આવેલી દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટનાં નામનાં બોર્ડ મરાઠી દેવનાગરી લિપિમાં લખવાનું ફરજિયાત છે. જે દુકાનોનાં નામ મરાઠીમાં ન હોય તેની સામે 28 નવેમ્બર, 2023થી પાલિકા આકરી કાર્યવાહી કરવાની હતી. પાલિકા કમિશનર અને પ્રશાસક ઇકબાલસિંહ ચહલે તે અંગે બેઠક બોલાવી સુપ્રીમના આદેશનું સખ્તાઈ પૂર્વક પાલન કરવાનો આદેશ આપ્યો ને જણાવ્યું કે જે દુકાનોનાં નામ મરાઠીમાં નહીં હોય તેને નોટિસ પણ નહીં, સીધો બે હજારથી 1 લાખ સુધીનો દંડ કરવો. 28મી નવેમ્બરે કાર્યવાહી શરૂ કરવામાં આવી અને પહેલે જ દિવસે 176 દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટ સામે મરાઠી દેવનાગરી લિપિમાં બોર્ડ નહીં રાખવા બદલ કાર્યવાહી કરવામાં આવી. પહેલે દિવસે 24 વોર્ડની 3,269 દુકાનો પાલિકાની ટીમ દ્વારા ચેક કરવામાં આવી અને તેમાં 3,093 દુકાનોનાં બોર્ડ મરાઠીમાં હતાં. મહારાષ્ટ્ર શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ નિયમ, 2018 અને સંશોધિત નિયમ 2022ની કલમ 35 અને 36-સી મુજબ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટનાં નામનાં બોર્ડ મરાઠી દેવનાગરી લિપિમાં લખવા માટે 28 નવેમ્બર સુધીની મુદ્દત આપવામાં આવી હતી.

ભાષાની આટલી કાળજી પ્રશાસન લે એનો આનંદ થાય. એમાં પ્રજાની પણ ભાષા પ્રીતિ નોંધનીય છે. 3,269 દુકાનો તપાસવામાં આવી, એમાંથી 3,093ને મરાઠી ભાષામાં બોર્ડ હતાં ને 176ને જ નિયમ પ્રમાણેનાં બોર્ડ ન હતાં. આપણે ત્યાં આવી તપાસ થાય તો 176નાં જ નિયમ પ્રમાણેનાં બોર્ડ નીકળે એમ બને. જો કે, આપણે ત્યાં સુપ્રીમ કોર્ટનો આવો કોઈ નિયમ લાગુ પડે છે કે કેમ તે નથી ખબર. સુપ્રીમનો આદેશ મુંબઈ પૂરતો જ સીમિત હોય એનું આશ્ચર્ય છે. બને કે ગુજરાતમાં એવો કોઈ કાયદો જ ન હોય ને ગુજરાતને તો માતૃભાષાનો એવો ઉમળકો પહેલેથી નથી, ત્યાં ગુજરાતીમાં જ બોર્ડ હોવાં જોઈએ એવો આગ્રહ તો હોય જ ક્યાંથી?

રહી વાત માતૃભાષાની તો તેની ઘોર ઉપેક્ષા સરકાર અને પ્રજા જ કરે છે. આજે તો એ સ્થિતિ છે કે સરકારી સ્કૂલોમાં અંગ્રેજી કે ગુજરાતીમાં શિક્ષણ ચાલે જ નહીં. કોઈ પણ વિષય ભણાવનારા શિક્ષકોની જ કાયમી ખોટ છે. ગુજરાતના શિક્ષણ વિભાગને એ સમજાતું જ નથી કે નવી શિક્ષણ નીતિ ભણાવવા પણ જોઈએ તો શિક્ષકો જ ! પ્રાથમિક શિક્ષણ બાળકો જાતે જ મેળવી લેતાં હોત તો એમને સ્કૂલે આવવાની જ જરૂર ન હતી, પણ શિક્ષણ મંત્રીઓ એવા ભ્રમમાં છે કે શિક્ષકો વગર પણ પ્રાથમિક શિક્ષણ શક્ય છે, એટલે જ ત્રીસ હજાર કાયમી શિક્ષકોની ઘટ હોવા છતાં 2017થી કાયમી શિક્ષકોની જગ્યા ન ભરવાની પ્રતિજ્ઞા લઈને બેઠા છે. શિક્ષણ વિભાગને કામચલાઉ શિક્ષકો હજારોની સંખ્યામાં મળે છે, પણ એક કાયમી શિક્ષક મળતો નથી. ટેટ-ટાટ પાસ શિક્ષકો હજારોની સંખ્યામાં કાયમી જગ્યાએ આવવા તૈયાર બેઠાં છે, પણ એમને જ્ઞાન સહાયક તરીકે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર રાખવા સરકાર તૈયાર છે ને કાયમી જગ્યા કાયમી ધોરણે ખાલી રાખવા માંગે છે, જ્યારે હકીકત એ છે કે સરકારે ટેટ-ટાટની પરીક્ષાઓ લીધી છે જ કાયમી જગ્યા માટે –

રાજ્યમાં 30,000 શિક્ષકોની ઘટ છે તે છતાં શિક્ષણ વિભાગે ફરી એક વાર શાળા બહારની કામગીરી શિક્ષકોને સોંપવાનું નક્કી કર્યું છે. ગઈ 15 જૂને 352 આચાર્યો-શિક્ષકોને સ્કૂલ ઇન્સ્પેક્ટર્સની કામગીરીમાંથી મુક્ત કરી શિક્ષણ કાર્યમાં મૂકવામાં આવ્યા હતા. એ વાતને છ મહિના પણ નથી થયા ને 384 આચાર્ય-શિક્ષકોને ડિસેમ્બરમાં ફરી સ્કૂલ ઇન્સ્પેક્ટર્સની જવાબદારી સોંપવામાં આવી છે. સરકારી શાળાઓનું સ્તર સુધારવા ગુણોત્સવ 15 વર્ષથી ચાલે છે. એમાં આઇ.એ.એસ., આઇ.પી.એસ. જેવાઓને મૂલ્યાંકનની કામગીરી સોંપાતી હતી, પરંતુ લાખો શિક્ષકોનું તટસ્થ મૂલ્યાંકન શક્ય ન બનતાં 2019થી ગુણોત્સવ-2ની શરૂઆત કરવામાં આવી, જેમાં આચાર્યો અને શિક્ષકોને સ્કૂલ ઇન્સ્પેક્ટર્સ તરીકે જોતરવામાં આવ્યા. આ કામગીરી લગભગ આખું વર્ષ ચાલતી ને એ દરમિયાન જે તે આચાર્ય કે શિક્ષક શિક્ષણકાર્યથી દૂર રહેતા. આ બધું શિક્ષણની ગુણવત્તા સુધારવા થતું ને ગુણવત્તા જ દાવ પર લાગતી. જૂનમાં 352 આચાર્યો-શિક્ષકોને સ્કૂલ ઇન્સ્પેક્ટર્સની કામગીરી છોડાવી શિક્ષણમાં જોડ્યા ને નવેમ્બરમાં ફરી ફતવો બહાર પાડી 384ને સ્કૂલ ઇન્સ્પેક્ટર્સ તરીકે મૂક્યા એમાં થૂંકેલું ચાટવા જેવું જ થયું છે કે બીજું કૈં? એકતરફ શિક્ષણ અટકે ને મૂલ્યાંકન શિક્ષણનું જ થાય એનો કોઈ મતલબ ખરો? શિક્ષકોની ઘટનો પ્રશ્ન ઊભો જ હોય, નવું સત્ર 30મીથી હજી શરૂ થયું હોય, જ્ઞાનશક્તિ સ્કૂલ્સ જેવા પ્રોજેક્ટ્સ રદ્દ કરવા પડ્યાં હોય, ત્યારે પ્રાથમિક શિક્ષણ કેવા હાથોમાં જઇ પડ્યું છે તે સમજવાનું અઘરું નથી. આ પરિસ્થિતિમાં ભાષા શિક્ષણ કે ભાષા ઉત્સવો નબળાં નાટકથી વધારે કૈં નથી. આખું પ્રાથમિક શિક્ષણ સર્વનાશને માર્ગે છે, પણ આટલા શિક્ષકો, આટલા આચાર્યો, આટલા વાલીઓને કોઈ તકલીફ નથી એ વધારે આઘાતજનક છે. એમ લાગે છે કે શિક્ષકોને પગારથી અને વાલીઓને મફતથી કે ફીથી જ મતલબ છે. હા, ટેટ-ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરે છે, પણ એને સાંભળનારું કોઈ નથી. ખબર નથી એમનો વિરોધ કેટલો ટકશે? ટૂંકમાં, પ્રાથમિક શિક્ષણ મરી ગયું છે ને આખું શિક્ષણ જગત શોકસભા ભરીને બેઠું હોય તેમ ચૂપ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 ડિસેમ્બર 2023

Loading

...102030...880881882883...890900910...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved