Opinion Magazine
Number of visits: 9665932
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લે નમસ્તે, ઓ અપેક્ષિત, ઓ ઉપેક્ષિત અને સમીક્ષિત!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|31 January 2024

એક બાજુ, ઝીણાનું નામ લઇ અડવાણીએ પાકિસ્તાની નેતૃત્વને ઢંઢોળ્યું. બીજી બાજુ, એમના વિચારબંધુઓ અહીં ચેનલ ચોવીસા પર મંડી પડ્યા કે દેશદ્રોહી ઝીણાને ગરિમા પ્રદાન કરનાર અડવાણી પણ દેશદ્રોહી છે!

વીતેલા પખવાડિયામાં રામ મંદિર આસપાસ ઉલ્લાસ, ઉફાન અને ઊહાપોહ વચ્ચે કોઈ એક પાત્રવિશેષે ચિત્તનો કબજો લીધો હોય તો તે અલબત્ત લાલકૃષ્ણ અડવાણીનું છે. જેટલા અપેક્ષિત એટલા જ ઉપેક્ષિત એવી એમની નિયતિ રહી છે. 2004માં ફીલગુડ અહેસાસ વચ્ચે ભા.જ.પ.ને અને સત્તાને છેટું રહી ગયું. 2014માં, ‘માય વે, ઓર હાઈવે’ના ધોરણે નવા નેતૃત્વે એમને, આજની જેમ ખખડેલ નહીં પણ કડેધડે છતાં, અવસર ન આપ્યો. પક્ષે એમને માર્ગદર્શક મંડળમાં મૂક્યા … કહ્યું ને, માય વે, ઓર હાઈવે!

પ્રકાશ ન. શાહ

જો કે, આ ક્ષણે મારો મુદ્દો કોઈ વ્યક્તિગત સત્તાકારણનો નથી, પણ એક સંગઠક ને સિદ્ધાંતકોવિદ પક્ષને ક્યાંથી ક્યાં કેવી રીતે લઈ જાય છે અને સફળતાની કથિત ક્ષણો કેવી આભાસી અગર તો મૂળ આદર્શ અને વિચાર પરત્વે ‘ઘુમ જાવ’ તરેહની હોય છે તે સમજવાનો ને તપાસવાનો ખયાલ જરૂર છે.

ભાગલા સાથે એ સિંધથી અહીં આવ્યા, એટલે લાંબે નહીં જતાં છેલ્લા સાડા ચાર દાયકાના ફલક પર વાત કરું તો 1977-1979ની ઠીક કામગીરી પછી જનતા પક્ષમાં છૂટા પડવાનું થયું ત્યારે જનસંઘ નેતૃત્વે, ખાસ તો વાજપેયી-અડવાણીએ, પાછા ભારતીય જનસંઘની રીતે ન વિચાર્યું.

ભારતીય જનસંઘમાંથી ભારતીય અને જનતા પક્ષમાંથી જનતા લઈને એમણે ભારતીય જનતા પાર્ટીનો રાહ લીધો. દીનદયાલ ઉપાધ્યાય પ્રણિત એકાત્મ માનવવાદ સાથે જનતાભેદ સરખો ગાંધીવાદી સમાજવાદ જોડીને એ આગળ ચાલ્યા. માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘની સ્વીકૃતિ આડે હિંદુ રાષ્ટ્રવાદ વિ. બિનસાંપ્રદાયિકતાનો મુદ્દો હંમેશ આવતો રહ્યો હતો એનાથી સભાન આ નેતૃત્વે ‘પોઝિટિવ’ એવા વિશેષણ સાથે સેક્યુલરિઝમને પોતાની પાયાની નિષ્ઠા જાહેર કરી.

કટોકટીમાં સંજય બ્રાન્ડ જુલમી રાજકારણે કાઁગ્રેસના પરંપરાગત વ્યાપક મુસ્લિમ સમર્થનને હચમચાવી નાખ્યું હતું. ભાગ્યશાળીને ભૂત રળે એમ 1977માં જનતા પક્ષના ઘટક તરીકે જનસંઘને મુસ્લિમ મતો સુંડલામોઢે મળ્યા. બીજી બાજુ, આગળ ચાલતાં ઇન્દિરા ગાંધીના પુનરાગમન પછી 1984માં એમની નિર્ઘૃણ હત્યાને કારણે શીખવિરોધી માહોલ હિંદુ મતોના દૃઢીકરણ રૂપે કાઁગ્રેસને ઐતિહાસિક બહુમતી સંપડાવનારો બની રહ્યો. ભા.જ.પ.નાં સૂપડાં સાફ થઈ ગયાં. વાજપેયીને સ્થાને ભા.જ.પ.ના પ્રમુખ બનેલા અડવાણીએ રામ મંદિરનો મુદ્દો ઉપાડી હિંદુ મતોના દૃઢીકરણની પ્રબળ વળતી ચેષ્ટા કરી અને રાજીવ ગાંધીની શાહબાનુ ચેષ્ટાએ પણ એને બરાબરનો સાથ આપ્યો. આ પ્રક્રિયામાં અંતે થયું એવું કે કાઁગ્રેસ શ્રેષ્ઠીઓના સેક્યુલરિઝમે તકવાદી પલટી મારી, અને પેલું ‘પોઝિટિવ સેક્યુલરિઝમ’ પણ બચાડું માર્યું ફરે!

રામ મંદિર આંદોલનના વ્યાપક અર્થઘટનથી તેમ રામરાજ્ય એટલે કે ધર્મરાજ્ય અર્થાત્ ‘રુલ ઓફ લો’ અને સુશાસન એવી સમજૂતથી અડવાણી ઠીક રોડવતા હશે, પણ બીજી બાજુ ગળથૂથીનાયે સવાલો હતા. નરસિંહરાવ-મનમોહન સિંહની આર્થિક નીતિ વિશે અડવાણીની અનુમોદનાથી પ્રેરાઈ એક વાર વાસુદેવ મહેતાએ અને મેં એમને પૂછ્યું કે તમે કેમ સહયોગની રીતે ન વિચારો? એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમારી ઓળખનું શું? ‘હિંદુત્વ હમારી પહેચાન હૈ.’

આ પહેચાનનો ઇતિહાસબોજ, એમના નવપ્રસ્થાન માત્ર ને ધૂળ પરના લીંપણ શું બનાવી મેલે છે તે વખતોવખત બહુ બૂરી ભોંયપછાડથી સમજાતું રહ્યું છે. જેમ વડા પ્રધાન વાજપેયીની લાહોર બસ યાત્રા અને ખાસ તો મિનારે પાકિસ્તાનની સત્તાવાર મુલાકાત એક સીમાચિહ્ન ઘટના હતી તેમ 2005ની અડવાણીની (પૂર્વ નાયબ વડા પ્રધાનની) પાક મુલાકાત પણ ભારત-પાક સંબંધની રીતે અને ભા.જ.પ.ની સકારાત્મક સ્વીકૃતિ રૂપે ફળદાયી હોઈ શકત. સામે છેડેથી શુભ ચેષ્ટા પણ સોજ્જી હતી.

મહાભારતના યક્ષ પ્રશ્નથી સુપ્રતિષ્ઠ કટાસરાજ મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે અતિથિ વિશેષ તરીકે સામેલ થવાનું એ સત્તાવાર નિમંત્રણ હતું.

આ મુલાકાત દરમ્યાન એમણે યાદ કર્યું કે પાક રાષ્ટ્રપિતા ઝીણાએ પાકિસ્તાનની બંધારણ સભામાં સેક્યુલર ભૂમિકા લીધી હતી : ‘તમે કોઈ પણ ધર્મ અથવા જાતિ અથવા નસલના હોઈ શકો છો, રાજ્યનો તેનાથી કોઈ સરોકાર નથી. તમે જોશો કે સમય પસાર થતાની સાથે અહીં હિંદુ હિંદુ નહીં રહે તથા મુસ્લિમ મુસ્લિમ નહીં રહે – ધાર્મિક અર્થોમાં નહીં કારણ કે ધર્મ વ્યક્તિની અંગત બાબત છે, પરંતુ રાજકીય અર્થોમાં આ રાજ્યના નાગરિકના રૂપમાં.’

એક બાજુ પાકિસ્તાનમાં એમનું આ બોલવું (ઝીણાના શબ્દો મારફતે વર્તમાન પાક હુકમરાનોને ઢંઢોળવું) અને બીજી બાજુ ખુદ અડવાણીએ ‘મારો દેશ, મારું જીવન’ એ આત્મકથામાં નોંધ્યું છે તેમ ‘ભા.જ.પ.ના વૈચારિક બંધુઓ’નું ચેનલ ચોવીસામાં ધરાર મંડી પડવું કે દેશદ્રોહીને (ઝીણાને) ગરિમા પ્રદાન કરનાર (અડવાણી) પણ દેશદ્રોહી છે!

ક્વચિત્ ક્વચિત્ અડવાણીને મળવાનું થતું એમાં એક સંવાદ યાદ આવે છે. પાક હાઈકમિશનર કાઝી એમને મળવા આવ્યા તો વાત વાતમાં અડવાણીએ કહ્યું કે જુઓ હું અહીં સિંધથી આવ્યો અને રાજનીતિમાં આટલા શીર્ષસ્થાને પહોંચ્યો છું. આ અમારી લોકશાહી રાજવટનો ચમત્કાર છે. તમે તમારે ત્યાં આવો દાખલો કેમ બતાવી શકતા નથી?

ખેર, આ દિવસોમાં હિંદુત્વ રાજનીતિ નાગરિકતા કાનૂન સહિતનાં વલણોમાં કંઈક એવું જ, પાકિસ્તાન જેવું માનસ પ્રગટ કરતી માલૂમ પડે છે. અડવાણી જેમને ‘વિચારબંધુઓ’ કહે છે તે સિદ્ધાંતબાજો ને નીતિવ્યૂહકારો અડવાણીનો કાઝી જોગ પ્રશ્ન પોતાને પૂછાય તો શો જવાબ આપશે? નવી શરૂઆત તરીકે રામ મંદિર નિર્માણ ઘટનાને આગળ ધરાય છે ત્યારે અડવાણી અને વાજપેયી જે અંતર્વિરોધનું સમાધાન નથી કરી શક્યા એની આશા હાલના લાભાર્થીઓ પાસે રાખી શકાય એવું લાગતું તો નથી … દેખીતી વસંત, ને વાસ્તવમાં પાનખર, બીજું શું.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 31 જાન્યુઆરી 2024

Loading

ધ્રુવીકરણ રાષ્ટ્રીય સ્તરે ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે અને ઉત્તર તેમ જ પશ્ચિમ ભારતમાં પરિવારોમાં થયું છે. આ દેશ માટે શુભસંકેત નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|30 January 2024

રમેશ ઓઝા

ભારત જોડો યાત્રા શરૂ કરતાં પહેલાં રાહુલ ગાંધીએ દિલ્હીમાં કર્મશીલો તેમ જ વિચારકો સાથેની બેઠકમાં કહ્યું હતું કે માત્ર રાજકીય રીતે બી.જે.પી.નો પરાજય ન થઈ શકે, મુખ્ય લડાઈ વિચારધારાની છે.

રાહુલ ગાંધીની આ વાત બિલકુલ સાચી છે, પરંતુ તેમને એ સમજાતાં ઘણી વાર લાગી. રાહુલ ગાંધી શું આ લખનારા રાજકીય સમીક્ષકો તેમ જ વિદ્વાનો પણ ચૂંટણીકીય ગણિતોના આધારે એમ માનતા હતા કે બી.જે.પી.નો પરાજય અમુક પ્રકારનાં રાજકીય સમીકરણોનાં આધારે શક્ય છે. જેમ અટલ બિહારી વાજપેયીની સરકાર આવી અને ગઈ એ મુજબ નરેન્દ્ર મોદીની સરકાર પણ જઈ શકે છે. રાહુલ ગાંધી અને કાઁગ્રેસે ૨૦૨૧ની સાલ સુધી વિધાનસભાઓની તેમ જ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી આ રીતે રાજકીય સમીકરણોના આધારે જ લડી હતી. બીજા પક્ષોની વાત કરીએ તો તે ટકી રહેવા માટે ચૂંટણીકીય ગણતરીઓ માંડે છે અને તેને વિચારધારા સાથે કોઈ સંબંધ નથી.

રાહુલ ગાંધીની વાત સાચી છે કે લડાઈ વિચારધારાની છે. સંઘપરિવાર હિંદુઓના એક વર્ગ (મુખ્યત્વે પુરુષ મધ્યમવર્ગ) સુધી પહોંચી ગયો છે અને તેનાં મનમાં એવું ઠસાવી દીધું છે કે ભારત વિશેની સંઘપ્રેરિત કલ્પના જ સાચી છે, ભારત માટે અને તેના માટે હિતકારી છે. હિંદુઓનો આ વર્ગ ઘણો મોટો છે, પણ યાદ રહે હજુ સુધી તે બહુમતીમાં નથી. લગભગ ૬૦ ટકા હિંદુઓને સંઘની કલ્પનાનું ભારત સ્વીકાર્ય નથી. હજુ વધુ ચિંતાની વાત એ છે કે ધ્રુવીકરણ રાષ્ટ્રીય સ્તરે ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે થયું છે અને ઉત્તર ભારતમાં પરિવારોમાં થયું છે. આ દેશ માટે શુભસંકેત નથી. જ્યારે સહિયારા ભારતની કલ્પના વિકસી હતી અને લોકો સુધી પહોંચાડવામાં આવતી હતી ત્યારે ભારતમાં આજ જેટલું ભૌગોલિક ધ્રુવીકરણ નહોતું થયું અને પરિવારોમાં તો બિલકુલ નહોતું થયું. તામિલનાડુમાં દ્રવિડ રાજકારણ કરનારાઓ, પંજાબમાં સીખો, ઇશાન ભારતમાં કેટલાક રાજકીય પક્ષો અને સામ્યવાદીઓ જુદો રાગ આલાપતા હતા, પણ પ્રજાનો એક નાનકડો વર્ગ છોડીને કોઈ તેમની સાથે નહોતા. એમ તો હિન્દુત્વવાદીઓને પણ સહિયારા સેક્યુલર ભારતની કલ્પના સ્વીકાર્ય નહોતી, પરંતુ તેઓ ચર્ચામાં નહોતા ઉતરતા. તેમનું પ્રચારમાધ્યમ વિમર્શ નથી, કાનાફૂસી છે.

કલ્પના કરો કે મુસ્લિમ લીગની આડોડાઈને કારણે અને બીજા વિશ્વયુદ્ધ વખતે દેશહિતની જગ્યાએ અંગ્રેજોને ટેકો આપવાને કારણે ભારતનું વિભાજન થયું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી રચવામાં આવેલી સર્વપક્ષીય હંગામી સરકાર નિષ્ફળ નીવડે એ માટે મુસ્લિમ લીગે અંદરથી ભાંગફોડ કરી હતી તે એટલે સુધી કે સરદાર પટેલ અને કનૈયાલાલ મુનશી જેવા કાઁગ્રેસના જમણેરી નેતાઓ એવા તારણ પર આવ્યા હતા કે ભારતનું કોમી વિભાજન ભારતનાં હિંદુઓના હિતમાં હશે એટલે વિભાજન સ્વીકારી લેવામાં આવે. મુનશીએ તો કાઁગ્રેસમાંથી રાજીનામું આપીને અખંડ હિન્દુસ્તાન માટે આંદોલન કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં તેમને સફળતા નહોતી મળી એ જુદી વાત છે. છેવટે વિભાજન થયું અને દેશભરમાં કોમી રમખાણો થયાં. લાખો લોકો માર્યા ગયા, કરોડો લોકો બેઘર થયા, પોતાનું વતન છોડવું પડ્યું, સ્ત્રીઓ સાથે બર્બર અત્યાચારો થયાં, બન્ને બાજુ હજારો સ્ત્રીઓએ કૂવા પૂર્યા અને ત્યારે? ત્યારે ભારતનું બંધારણ ઘડાતું હતું.

બંધારણસભામાં કોઈ કહેતાં કોઈએ પ્રતિક્રિયામાં આવીને કહ્યું નહોતું કે ભારત પણ હિંદુ ભારત હોવું જોઈએ. હિંદુઓને ઝૂકતું માપ મળવું જોઈએ. મુસલમાનોને એનો દેશ મળી ગયો છે એટલે હવે તેમણે બરાબરીનો અધિકાર ગુમાવી દીધો છે. જે મુસલમાને ભારતમાં રહેવું હોય એ હિંદુ ભારતમાં દ્વિતીય કક્ષાના નાગરિક તરીકે જીવી શકે છે. એમાં સરદાર પટેલ હતા, કનૈયાલાલ મુનશી હતા, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ હતા અને તેમના જેવા બીજા સેંકડો જમણેરીઓ હતા. હકીકતમાં તેમની તો બંધારણસભામાં બહુમતી હતી. ડૉ. આંબેડકરે ઇસ્લામની અને ભારતીય મુસ્લિમ રાજકારણની આકરી ચિકિત્સા કરી હતી, લખીને કરી હતી અને છતાં ય તેમણે પણ મુસ્લિમોને ઓછું માપ આપવું જોઈએ એમ નહોતું કહ્યું. ભારતીય જનસંઘ(અત્યારનો ભા.જ.પ.)ના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી બંધારણસભાના સભ્ય હતા અને તેમણે પણ ક્યારે ય નહોતું કહ્યું કે ભારત હિંદુ રાષ્ટ્ર હોવું જોઈએ, હિંદુઓને ઝૂકતું માપ મળવું જોઈએ અને મુસલમાનોને દ્વિતીય નાગરિકત્વ આપવું જોઈએ. ખાતરી કરવી હોય તો બંધારણસભામાં થયેલી સમગ્ર ચર્ચાનાં વોલ્યુમ્સ ઈન્ટરનેટ પર જોઈ શકો છો. તમને ગાંધી અને નેહરુ સામે વાંધો હોય તો તેમને બાજુએ મૂકો અને સગી આંખે જોઈ જાવ કે સરદાર પટેલ સહિતનાં તમારા ગમતા નેતાઓએ ત્યારે શું કહ્યું હતું. ખાસ કરીને ત્યારે જ્યારે દેશ હિંસાના દાવાનળમાંથી પસાર થતો હતો. મુસલમાનો સામે ગુસ્સા માટે અને પ્રતિક્રિયા માટે મજબૂત કારણો હતાં. અને એ છતાં ય તેમણે સંયમ રાખ્યો હતો, વિવેક જાળવ્યો હતો અને એવા ભારતને બંધારણમાં રેખાંકિત કર્યું હતું જે આજે હિન્દુત્વવાદીઓને સ્વીકાર્ય નથી અને તમે કદાચ હિન્દુત્વવાદીઓના સમર્થક છો.

તમે ક્યારે ય વિચાર્યું છે કે સરદાર પટેલ, મુનશી, રાજેન્દ્રબાબુ, હરગોવિંદ દાસ અને તેમના જેવા બીજા સોએક હિંદુહિતના રખેવાળોએ શા માટે સહિયારા, લોકતાંત્રિક અને સેક્યુલર ભારતની કલ્પના સ્વીકારી અને બંધારણમાં રેખાંકિત કરી? સ્વતંત્ર ભારતનાં સ્વરૂપ વિષે બંધારણસભામાં વિખવાદ પેદા થઈ શક્યો હોત જે રીતે પાકિસ્તાનની બંધારણસભામાં થયો હતો, પરંતુ વિખવાદ તો દૂરની વાત છે કોઈએ ભિન્ન મત પણ વ્યક્ત નહોતો કર્યો. તમે પોતે આ વાતની ખાતરી કરી શકો છો અથવા કોઈ હિન્દુત્વવાદીને પ્રશ્ન પૂછી શકો છો. શા માટે કોઈ કહેતા કોઈએ હિંદુ ભારતની વાત નહોતી કરી? બીજું, શા માટે કોઈ કહેતા કોઈ હિન્દુત્વવાદીએ એ સમયે, એટલે કે જ્યારે બંધારણ ઘડાતું હતું ત્યારે હિંદુ ભારત માટે આગ્રહ નહોતો રાખ્યો? બીજા અનેક લોકોની જેમ તેઓ પણ પોતાની કલ્પનાના ભારતને સાકાર કરે એવા બંધારણનો મુસદ્દો રજૂ કરી શક્યા હોત. બંધારણસભાએ તો જાહેરજનતા પાસેથી ભારતનાં બંધારણ વિષે સૂચનો માગ્યાં હતાં અને અનેક લોકોએ આપ્યાં પણ હતાં. ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રીમન્ન નારાયણે ગાંધીજીની કલ્પનાના ભારતને સાકાર કરવા માટે બંધારણનો એક મુસદ્દો બંધારણસભાની વિચારણા માટે રજૂ કર્યો હતો.

શા માટે હિન્દુત્વવાદીઓએ પોતાની કલ્પનાના ભારત વિશેનાં સૂચનો ત્યારે બંધારણસભા સમક્ષ નહોતાં રાખ્યા? બીજાઓની જેમ તેઓ પણ રાખી શક્યા હોત. શા માટે તેમણે સરદાર અને મુનશી જેવા પોતાની પસંદગીના નેતાઓને નહોતું પૂછ્યું કે આ તમે શું કરી રહ્યા છો?

તો આ સપ્તાહમાં બે પ્રશ્ન વિષે વિચારો : એક, શા માટે બંધારણસભામાં ઉપસ્થિત સોએક જેટલા હિંદુહિતને વરેલા સભ્યોએ હિંદુ ભારતની વાત ન કરી અને બે, શા માટે હિંદુ ભારત ઇચ્છનારાઓએ ત્યારે પોતાની કલ્પનાના ભારત વિશેનો મુસદ્દો માગવા છતાં ય નહોતો રજૂ કર્યો? આની વધુ ચર્ચા આવતા અઠવાડિયે કરીશું.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 28 જાન્યુઆરી 2024

Loading

सांप्रदायिक राष्ट्रवाद के दौर में समावेशी भारत के विचार की पुनर्स्थापना

राम पुनियानी|Opinion - Opinion|29 January 2024

राम पुनियानी

कई राज्यों में राज्यपाल रह चुके सत्यपाल मलिक अनेक बार कह चुके हैं कि 2019 में हुए लोकसभा चुनाव में मोदी और भाजपा की जीत में पुलवामा और बालाकोट का काफी बड़ा योगदान था. उन्होंने यह भविष्यवाणी भी की है कि 2024 के चुनाव के ठीक पहले भी कोई और बड़ी घटना हो सकती है.

अयोध्या के राममंदिर में प्राणप्रतिष्ठा को लेकर जो उन्माद उत्पन्न किया गया, उसके चलते यह एक बड़ी घटना बन गया है. ठीक इसी समय, सुरन्या अयय्यर, जो एक अधिवक्ता और लेखक हैं, ने उपवास व पश्चाताप किया, जिसे उन्होंने अपने मुस्लिम मित्रों के प्रति “संताप और स्नेह” के 72 घंटे निरूपित किया. उनका दावा है कि उन्हें मुगलों की विरासत पर गर्व है. हम अपने चारों ओर विभाजनकारी और दमघोंटू माहौल बनता देख सकते हैं, जो बहुत डरावना लगता है.

वैसे मंदिरों के उद्घाटन साम्प्रदायिक सद्भाव बढ़ाने के अवसर भी रहे हैं, जो कुछ उदाहरणों से स्पष्ट होगा. सन् 1939 में दिल्ली में लक्ष्मीनारायण मंदिर (बिड़ला मंदिर) का उद्घाटन करते हुए महात्मा गांधी ने कहा था, ‘‘हिन्दू धर्म के हर अनुयायी को प्रतिदिन यह प्रार्थना करनी चाहिए…कि दुनिया का हर ज्ञात धर्म हर दिन फले-फूले और पूरी मानव जाति का हित करे…मुझे उम्मीद है कि इन मंदिरों से सभी धर्मों के एक समान सम्मान का संदेश जाएगा और साम्प्रदायिक ईर्ष्या और कलह बीते दिन की बातें बन जाएंगीं”.

लगभग यही बात स्वामी विवेकानंद ने काफी पहले (1897) में कही थी. “भारत में हिन्दुओं ने ईसाईयों के लिए गिरजाघर बनाए हैं और अभी भी बना रहे हैं और उन्होंने मुसलमानों के लिए मस्जिदें भी बनाई हैं”. अपनी पुस्तक ‘लेक्चर्स फ्राम कोलंबो टू अल्मोड़ा‘ में स्वामीजी कहते हैं, “कहने की ज़रुरत नहीं कि इसे समझने के लिए हमें न केवल परोपकारी बनना होगा बल्कि एक दूसरे का सकरात्मक मददगार भी बनना होगा, भले ही हमारी धार्मिक मान्यताएं और प्रतिबद्धताएं कितनी ही भिन्न क्यों न हों. और भारत में हम ठीक यही करते आए हैं, जैसा कि मैंने आपको अभी-अभी बताया…और यही किया जाना चाहिए”.

वर्तमान में माहौल इसके ठीक विपरीत है, जैसा कि सुरन्या के उपवास से जाहिर होता है. यह उन घटनाओं में भी प्रतिबिंबित होता है जिनमें आनंद पटवर्धन की सर्वकालिक क्लासिक “राम के नाम”, जो सेंसर द्वारा अनुमोदित है, का प्रदर्शन आयोजित करने वाले सांस्कृतिक कर्मियों को गिरफ्तार किया जा रहा है और उनके खिलाफ गैर-जमानती वारंट जारी किए जा रहे हैं. यह 20 जनवरी को हैदराबाद में हुआ.

दूसरी ओर हैं आरएसएस के अघोषित मुखपत्र ‘आर्गनाईजर’ के संपादक प्रफुल्ल केतकर जैसे लोग, जिनका दावा है कि “अयोध्या में रामलला की प्राण प्रतिष्ठा दशकों चले राम जन्मभूमि आंदोलन की परिणति मात्र नहीं है अपितु यह राष्ट्रीय चेतना के पुनर्निर्माण की शुरूआत है”. इसका अर्थ यह है कि सामाजिक बदलाव और ‘आईडिया ऑफ़ इंडिया’ के विचार के विकास की जो प्रक्रिया स्वाधीनता आंदोलन के साथ-साथ चली थी, वह नकार दी गई है और जिसे मोटे तौर पर ‘हिन्दू राष्ट्र’ कहा जा सकता है, वह अस्तित्व में आ चुका है और हिन्दू राष्ट्र के निर्माण की ओर साम्प्रदायिक शक्तियों ने कई सफल कदम उठा लिए हैं.

भारत के विचार में समाज के विभिन्न वर्गों का एकजुट होकर औपनिवेशिक शक्तियों से संघर्ष करना शामिल था, और इसमें सभी की स्वतंत्रता, समानता, बंधुत्व और न्याय उपलब्ध कराने का लक्ष्य हासिल करने का प्रयास भी सम्मिलित था. इस व्यापक आंदोलन, जिसका लक्ष्य भारत के विचार को हासिल करना था, वही भारत के संविधान के मूल्यों का आधार बना.

भारत के इस विचार को कई चुनौतियों का सामना करना पड़ा जिनकी जड़ें राजे-रजवाड़ों के मूल्यों में थीं, जिन्हें मोटे तौर पर सामंती मूल्य कहा जा सकता है. इन मूल्यों केन्द्र में थे जाति, वर्ग और लिंग के जन्म-आधारित पदानुक्रम और यही वे मूल्य हैं जिनका उपयोग मंदिर में प्राणप्रतिष्ठा को लेकर उन्माद उत्पन्न करने के लिए किया गया. इनके मूल में हैं विभिन्न धर्मों के राजा, जमींदार और उनसे जुड़े विचारक जो मुस्लिम लीग, हिन्दू महासभा और आरएसएस जैसे संगठनों के रूप में सामने आए. जहां मुस्लिम साम्प्रदायिक शक्तियां सामंती मूल्यों पर पाकिस्तान में अमल कर रही हैं वहीं हिन्दू साम्प्रदायिक शक्तियां भारत में हर्षित हैं. वे धीरे-धीरे प्रबल होते हुए राम मंदिर में प्राण प्रतिष्ठा के साथ अर्ध-शिखर पर पहुंच गईं हैं.

आजादी की लड़ाई के दौरान के भारत के मूल्य भगत सिंह, अम्बेडकर और गांधी के विचारों के रूप में प्रकट हुए जिन्होंने आजादी, समानता और बंधुत्व या मेल-जोल पर जोर दिया. राष्ट्रपिता से कुछ मतभेदों के बावजूद, सुभाषचन्द बोस की भी इस ‘भारत के विचार’ के प्रति पूर्ण प्रतिबद्धता थी.

अभिजात जमींदार और मनुस्मृति-पूजक विचारधारा, हिंदू राष्ट्र अर्थात हिन्दुत्व का सामाजिक आधार थी. ये शक्तियों और यह विचारधारा प्रबल होती गई, विशेषकर पिछले चार दशकों में, और वे दिन पर दिन साम्प्रदायिकता के शक्तिशाली होते जाने से बहुत प्रसन्न हैं. वे मंदिर में हुई प्राण प्रतिष्ठा को लेकर भी गांधी और विवेकानंद के नजरिए के विपरीत संकीर्ण विचार व्यक्त कर रहे हैं. साम्प्रदायिक राष्ट्रवादी एक विशेष प्रकार के ‘सभ्यतागत मूल्यों’ को और प्रबल बनाने की कोशिश कर रहे हैं जिसकी जड़ें मनुस्मृति में निहित ब्राम्हणवाद में हैं.

जो लोग मनुस्मृति के मूल्यों से दूर रहने के पक्ष में हैं, जो भारतीयता के झंडे तले सभी को जोड़ना चाहते हैं, जो वर्ग, जाति और लिंग के अंतरों को भूलकर एकता के पक्ष में हैं, उन्हें हिन्दू भारत में तरह-तरह की धमकियों का सामना करना पड़ रहा है. यह मुस्लिम पाकिस्तान में जो हो रहा है, उसके समानांतर परन्तु उलट है.

ऐसे में आशा की एकमात्र किरण है ‘भारत का विचार’ रखने वाले समाज के उन सभी वर्गों की एकता जिन्होंने मिलकर आजादी की लड़ाई लड़ी था. उनका आन्दोलन उन ताकतों के खिलाफ है जो धर्म के नाम पर जन्म-आधारित उंचनीच पर गर्वित हैं और जो भारतीय संविधान से ज्यादा महत्व धार्मिक ग्रंथों को देते हैं. मगर इन ताकतों का आन्दोलन बिखरा हुआ है. इस आन्दोलन में शामिल विभिन्न समूहों के हित अलग-अलग हो सकते हैं मगर ज़रुरत इस बात की है कि भारतीय संविधान और आईडिया ऑफ़ इंडिया के प्रति उनकी निष्ठा के आधार पर वे एक साथ काम करें और समूहों और पार्टियों के ऊपर उठें.

आज भी कई ऐसी पार्टियाँ हैं जो साम्प्रदायिकता से दूर हैं. इन पार्टियों के नेताओं ने अपने मतभेदों को भुलाकर, ब्रिटिश औपनिवेशिक सरकार के खिलाफ मिलकर संघर्ष किया था. आज ज़रुरत इस बात की है कि समाज के ऐसे वर्गों के सामाजिक और राजनैतिक गठबंधनों को आगे लाया जाए. औपनिवेशिक सरकार, समाज के अधिकांश तबकों के हितों के खिलाफ थी. इसी तरह, आज जो ध्रुवीकरण की राजनीति के सहारे सत्ता में हैं, वे भी समाज के कमज़ोर वर्गों के हितों के खिलाफ हैं. पिछले दस सालों में यह एकदम साफ़ हो गया है.

उन्माद से निपटने के लिए उन्माद पैदा करने की ज़रुरत नहीं है. हमें उस विचारधारा की ज़रुरत है जो समाज के कमज़ोर वर्गों – दलितों, धार्मिक अल्पसंख्यकों, महिलाओं, श्रमिकों और आदिवासियों – को एक करे. ऐसे कई सांझा मूल्य हैं जिनकी रक्षा उन्हें करना है. और उन्हें स्वाधीनता आन्दोलन से उभरे ‘आईडिया ऑफ़ इंडिया’ को भी बचाना है. क्या भारत जोड़ो न्याय यात्रा ऐसे सांझा मंच की स्थापना की दिशा में पहला कदम हो सकता है? यह आज हमारे सामने सबसे बड़ा प्रश्न है.

24/01/2023
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)
https://www.navjivanindia.com/opinion/big-responsibility-on-bharat-jodo-nyay-yatra-hope-for-restoration-of-idea-of-inclusive-india-increased 

Loading

...102030...812813814815...820830840...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved