Opinion Magazine
Number of visits: 9457610
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

RSS and Ambedkar: Two Poles of Indian Political Spectrum

Ram Puniyani|English Bazaar Patrika - OPED|8 November 2023

Ram Puniyani

RSS ideology and Ambedkar’s ideology can be called as two opposite poles of the Indian political spectrum. While Ambedkar stands for ‘annihilation of caste’, struggle for democratic values and marching towards social justice, RSS stands for status quo and ‘revival of the hierarchical values system’ of pre modern times. It is ironic that despite these core opposition; RSS ideologues try to make a show of paying respect to Ambedkar in various forums including celebrating his anniversary. So in a way, it was not surprising when RSS Chief Mohan Bhagwat in his annual Vijyadashmi speech (October 24, 2024) called upon his followers to read speeches of Ambedkar, particularly the last two speeches delivered by him in the Constituent Assembly. Bhagawat went to the extent of putting Ambedkar in the category of RSS founder and First Sarsanghchalak (Supreme leader) of RSS, Dr. K. B. Hedgewar. The response of RSS types to Ambedkar’s striving has always been to oppose his efforts at ideological level under the garb of ‘our glorious past’.

As such the struggle for social justice which initially came up in the form of ‘Non-Brahmin Movement’ in Nagpur area of Vidarbha (1920s) was one of the major reasons for the Landlord-Brahmin alliance to form RSS. In Maharashtra, this alliance is referred to as Shetji-Bhatji (Landlord-Brahmin) Alliance. The dalit awakening began with Jotirao Phule who struggled to open schools for education for dalits. The awakening of this section was backed up and enhanced by Ambedkar starting his paper Mooknayak in 1920 and Bahujan Hitkarini Sabha in 1923. These might have added tremendously to awakening.

Later in his pursuit for social justice Ambedkar organized Chavdar Talab movement (access to public drinking water for dalits) in 1927 and Kalaram Temple entry movement in 1930. RSS itself is never known to have come forward to support these movements of Babasaheb. Actually it was Gandhi, who took up the caste issue most seriously and devoted his time exclusively for improving dalit’s plight for the next few years after the Poona Pact of 1932.

RSS was propagating Hindu Rashtra. Savarkar was at the forefront of the theory that there are two Nations here, the Hindu Nation and Muslim Nation. This Hindu nation theory propagated by RSS came under severe criticism from Ambedkar as he wrote, “Strange as it may appear, Mr. Savarkar and Mr. Jinnah, instead of being opposed to each other on the one nation versus two nations issue, are in complete agreement about it. Both agree not only agree, but insist that there are two nations in India—one the Muslim nation and the other the Hindu nation.” (Dr. B.R. Ambedkar wrote in his well-known book Thoughts on Pakistan, published in 1940.)

Ambedkar was totally opposed to the concept of Hindu Nation, “If Hindu Raj does become a fact, it will, no doubt, be the greatest calamity for this country.… Hindu Raj must be prevented at any cost,” wrote B.R. Ambedkar in Pakistan or the Partition of India (1946, pages 354-355). He was against majoritarianism, which in the Indian context meant unbridled rule of the majority community, the Hindus. This is the current dominant ideology of RSS led by Bhagwat as Narendra Modi has come forward to defend it by asking as to what is wrong with Majoritarianism?

After the presentation of the final draft of the Constitution, RSS opposition to the draft of the Indian Constitution came from the ‘unofficial mouthpiece’ of the RSS, Organiser. It wrote a scathing piece against the Indian Constitution, Organiser issue for November 30, 1949, carried an editorial stating “The worst [thing] about the new Constitution of Bharat…is that there is nothing Bharatiya about it… [T]here is no trace of ancient Bharatiya constitutional laws, institutions, nomenclature and phraseology in it”.

Hindu Code Bill drafted by Ambedkar was a major step in efforts towards loosening the hold of patriarchy and striving for equality of women. The orthodox forces led by RSS frontally attacked it. Ramchandra Guha, the eminent historian of Modern India, writes, “The Sangh opposed the passage of the Hindu Code Bill that sought to give Hindu women the right to marry outside their caste, divorce their husband, and inherit property. In 1949, the RSS organized hundreds of meetings and protests across India to stop the bill, where sadhus and sants came to speak.”

The constituent Assembly in its wisdom enunciated the provisions of reservation for SC and STs. Through word of mouth propaganda, these provisions were undermined and defamed leading to anti-Dalit violence in Gujarat in 1980-1981 and again in 1985. Similarly OBC reservation provision, Mandal Commission was indirectly opposed when Rath Yatras for Ram Temple were jacked up and the then major leader of BJP, Atal Bihari Vajpayee stated something to the effect that “They brought Mandal, so brought Kamadal”. Interestingly, RSS combine organized the Babri demolition on 6th December on the death Anniversary of Ambedkar, a tactical move to undermine the importance of this day for democratic values.

As far as the status of religious minorities was concerned Ambedkar was for providing full protective clauses for them. Though these clauses have not been implemented in full any time, the attempt to implement them is labeled as ‘minority appeasement’. Babasaheb was for implementing the concept of Fraternity; on the contrary the politics of majoritiarinanism has spread hatred against minorities, leading to violence and polarization of society.

The concept of Social democracy was an inalienable part of democracy as far as Ambedkar was concerned. He was for ‘annihilation of caste’. RSS on contrary has founded “Samajik Samrasta Manch” (Social harmony Forum). For RSS different castes were part of the whole giving the strength to Hindu society! In this lies the major opposition between the ideologies of these two streams. Attempt of Hindu majoritarian politics is to maintain the caste hierarchy in newer terminologies. While paying lip service to the Indian Constitution, its ideologues are arguing that India is a ‘Civilizational state’ (symbol for caste and gender hierarchical values in holy books like Manusmriti) for which the Constitution should be secondary!

Cleverly while being totally opposed to Ambedkar, ‘RSS Combine’ is paying lip service and now even quoting him. This is a clever ploy meant purely for electoral purposes.

https://m.thewire.in/article/history/mohan-bhagwat-ambedkar-rss-polar-opposite-ideology

Loading

લગરીક ઝલક, ચચ્ચાર ખંડમાં ચાલેલ ઇતિહાસમંથનની

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|8 November 2023

1892, 1893, 1894 આ એ વર્ષો છે જ્યારે સ્વામી વિવેકાનંદ શિકાગોની વિશ્વ ધર્મ સંસદમાં પ્રકાશ્યા છે, દાદાભાઈ નવરોજી બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં પ્રવેશ્યા છે અને મુમુક્ષુ મોહનદાસ દક્ષિણ આફ્રિકાના જાહેર જીવનમાં પડ્યા છે: ‘સ્વ’ની અને ‘સ્વરાજ’ની ખોજની એક રીતે એ સ્વાતિક્ષણો છે …

પ્રકાશ ન. શાહ

રાણી વિક્ટોરિયાના ઢંઢેરા(1 નવેમ્બર 1858)થી ‘ગદ્દર’ એ ક્રાંતિકારી પત્રના પ્રકાશન(1 નવેમ્બર 1913)ની અલપ ઝલપ જિકર કરી ન કરી, અને એ કાળખંડને ગુજરાત-ભારત છેડેથી એક વિશ્વ ઘટના રૂપે જુદેસર મૂકવા વિચારતો હતો ત્યાં તો જોઉં છું કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને સરદાર જયંતીના વિરાટ આયોજન સાથે દેશના રાજવી પરિવારોનુંયે પોંખણું પાર પાડ્યું છે. થોડાં વરસ પર મોહન ભાગવતની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરામાં (હું ધારું છું, ગાયકવાડની પરોણાગતમાં) આવું એક રાજવી રાવણું મળ્યું હતું.

વસ્તુત: રાજવીઓનો ખાસો હિસ્સો એવો પણ હતો જેને સ્વરાજની ચળવળ પરત્વે અસુખ હતું અને સ્વરાજ પછી પણ કશુંક ખૂંચતું રહ્યું હશે. ભાગલા વખતે પાકિસ્તાન સાથે સીધા સંબંધની રીતે વિચારનારાં રજવાડાં પણ ક્યાં નહોતાં? 1857માં તમે ક્યાં હતા એ મુદ્દે સિંધિયા પરિવારને પણ, એમ તો, ટીકાસ્ત્ર ક્યાં વેઠવા નથી પડતાં? સયાજીરાવ ક્રાંતિકારીઓ પરત્વે સહાયકારી વલણ ધરાવતા હતા તો 1857 વખતે ગાયકવાડની વડોદરાએ સલામત અંતરનો રવૈયા લીધો હતો એ પણ ઇતિહાસવસ્તુ છે.

રાજવી પરિવારોના ઉમિયા સન્માનનું સાંભળ્યું ત્યારે જે બે નામ ખાસ કોઈ આયોજન વિના સાંભરી આવ્યાં હતાં, એની થોડીક વાત કરું? એક તો દરબાર ગોપાળદાસનું સ્મરણ થઈ આવ્યું હતું. સ્વરાજની લડતમાં એમ એમની નાનીશી રિયાસત, ઢસા-રાયસાંકળી, જપ્ત થયેલી અને સ્વરાજ પછી પાછી મળી ત્યારે ભારત સંઘમાં સ્વેચ્છાએ વિલીન થયેલું પહેલું રજવાડું પણ એ હતું. ગોપાળદાસ સ્વતંત્ર કોલમના બરની પ્રતિભા છે પણ એમનું એક વિશેષ અર્પણ તો અછડતુંયે સંભારી લઉં. ગુજરાતની, ઘણું કરીને ભારતની પણ પહેલી મોન્ટેસરી શાળા એમણે મોતીભાઈ અમીનના માર્ગદર્શનમાં વસોમાં શરૂ કરેલી. (મેઘાણીએ ‘સોરઠ તારાં વહેતાં પાણી’માં દરબાર સાહેબ આધારિત એક પાત્રનોયે પ્રવેશ કરાવ્યો છે.)

નાના-મોટા રાજવી પરિવારો પૈકી યદૃચ્છાવિહાર પેઠે થઈ આવેલું બીજું સ્મરણ રાજા મહેન્દ્ર પ્રતાપનું હતું. 1957-1962નાં વર્ષોમાં એ લોકસભા સાંસદ હતા ત્યારે અમદાવાદની લેસ્કી ઇન્સ્ટિટ્યૂટમાં એમને જોવા-સાંભળવાનું બન્યું હતું. (એ વખતે ખબર નહોતી કે મથુરાની બેઠક પર એમની સામે હારી ગયેલાઓ પૈકી એક ભાવિ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પણ હતા.) સાધારણપણે આપણે જંગે આઝાદીમાં દેશ બહાર સ્થપાયેલી સરકાર તરીકે નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ સરકારને સંભારતા હોઈએ છીએ, પણ એ તો બીજા વિશ્વયુદ્ધ વખતની ઘટના છે, જ્યારે પહેલા વિશ્વયુદ્ધનાં વરસોમાં દેશ બહાર એવી સરકારની સ્થાપનાનું માન અફઘાનિસ્તાનમાં રાજા મહેન્દ્ર પ્રતાપને નામે ઇતિહાસજમે છે. એ પ્રમુખ અને મૌલવી બરકતુલ્લા વડા પ્રધાન એવી રચના હતી, અને મહેન્દ્ર પ્રતાપના સંપર્કો રૂસના લેનિનથી જર્મનીના કૈસર લગીના હતા.

સ્વરાજની ચળવળને આપણે વ્યાપક આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં જોઈએ છીએ ત્યારે 19મી સદી ઉતરતે ગુજરાત-ભારત છેડેથી ત્રણ નામ લગભગ એકસાથે સામે આવે છે અને તે પણ એક જ અરસામાં. 1892, 1893, 1894 આ એ વર્ષો છે જ્યારે વિવેકાનંદ શિકાગોની વિશ્વ ધર્મ સંસદમાં પ્રકાશ્યા છે, દાદાભાઈ નવરોજી બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં પ્રવેશ્યા છે અને ગાંધીભાઈ દક્ષિણ આફ્રિકાના જાહેર જીવનમાં પડ્યા છે.

જરી ઉતાવળે જિકર કરું આ ત્રણેની? દાદાભાઈ 1892માં લંડનના ફિન્સબરીમાંથી આમની સભામાં ગયા ત્યારે એમની જે અભ્યાસ-સેર ભારત છેડેથી ચાલુ હતી એને બ્રિટિશ મ્યુઝિયમની સમૃદ્ધ લાઈબ્રેરીના સેવને ખાસી સહાય કરી અને નવા સમયના વાહક તરીકે હિંદમાં બ્રિટનની હાજરી વસ્તુત: કઈ હદે આ દેશની શ્રી, સંપત્તિ અને સમૃદ્ધિને ઉશેટી જનારી છે એની દસ્તાવેજી વિગતો આગળ ચાલતાં ‘પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા’ રૂપે વિશ્વસુલભ બની. (બાય ધ વે, આ ‘અનબ્રિટિશ’ એ પ્રયોગ નોંધ્યો તમે?’)

આર્થિક શોષણ ને દારુણ ગરીબીનું આ ચિત્ર બ્રિટિશ શાસન પર સાંસ્થાનિક ચકામા (ચંદ્રક નહીં) પેઠે ઊપસી રહ્યું હતું ત્યારે 1893માં શિકાગોની વિશ્વ ધર્મ સંસદને તખતે વિવેકાનંદનો સિંહપ્રવેશ થયો. બીજી વિગતો છોડી દઈ અહીં એટલું જ સંભારું માત્ર કે આ વેદાન્તકેસરિયો સાંપ્રદાયિક જટાજૂટથી હઠી સર્વધર્મસાધક ગુરુની છાયામાં વ્યાપક ધર્મનું દરિદ્રનારાયણ રૂપ આગળ કર્યું. સાંસ્થાનિક શોષણ સામે આ નવધર્મચિંતન હતું.

1894 એ વરસ છે જ્યારે દક્ષિણ આફ્રિકાના હિંદી ભાઈબહેનોના નાગરિક હક્કની લડાઈમાં બેરિસ્ટર ગાંધીભાઈ ડગ માંડી રહ્યા છે. એમને સારુ ઊંડી ધર્મખોજનો આ ગાળો છે જેમાં કવિ રાયચંદભાઈ(શ્રીમદ્ રાજચંદ્ર)ની સંપર્કહૂંફ ઉપરાંત આવી મળેલો અણચિંતવ્યો સધિયારો તોલ્સ્તોયના વાંચનનો હતો. ‘ધ કિંગ્ડમ ઓફ ગોડ ઈઝ વિધિન યૂ’ મૂળ રૂસીમાં 1893માં બહાર પડ્યું અને 1894માં તો અંગ્રેજીમાં અવતારી મુમુક્ષુ મોહનદાસના હાથમાં પડ્યું. ખ્રિસ્તી ધર્મ એ પ્રેમધર્મ છે અને પ્રેમને પ્રત્યક્ષ કૃતિમાં ઉતારવા સારુ રૂસના દુર્ભિક્ષગ્રસ્તોની સેવાનો સાદ સાંભળી તોલ્સ્તોય રાહતકાર્યમાં જોતરાય છે. દુર્ભિક્ષનો ભોગ બનેલાઓ જો ખ્રિસ્તી છે તો આ વસમા સમયમાં એમને શોષનારા શાહુકારો ય ખ્રિસ્તી છે, અને એ શાહુકારોની પૂંઠે અડીખમ સમર્થન આપનાર નામદાર ઝાર પણ ખ્રિસ્તી છે! પ્રેમધર્મના યાત્રીને આ જે ‘સાક્ષાત્કાર’ થયો તેણે સામાજિક તેમ જ રાજ્યવિષયક આલોચનાવિવેક એટલે કે ‘ક્રિટિક’ની અનિવાર્યતા સમજાવી. હિંદીવાનો સારુ લડી રહેલા ગાંધીને ધર્મખોજના જ એક દુર્નિવાર અંગ તરીકે શાસનમીમાંસાની જરૂરત પકડાઈ. પરંપરાગત ધર્મખોજની આ સંપ્રદાયમુક્ત નાગરિક સમુત્ક્રાંતિ આપણા સમયની એક મોટી વાત હતી અને છે.

ભારત, ઇગ્લેન્ડ, રશિયા, અફઘાનિસ્તાન, અમેરિકા, આફ્રિકા- ચાર ખંડ ને પાંચ દેશમાં આ જે મંથન ચાલ્યું, એક રીતે એનું નવનીત લઈને ‘હિંદ સ્વરાજ’ આવ્યું.

વીસમી સદીનો પહેલો દસકો ઉતરતે એ અને ‘ગોરા’ બેઉ લગભગ એક જ અરસામાં.

આ સંબલ સામે શો છે આપણો હિસાબ?

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 08 નવેમ્બર 2023

Loading

રખડતાં કૂતરાઓ અંગે ગાંધીજીએ 100 વર્ષ પહેલાં ઉપાય સૂચવ્યો હતો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 November 2023

રાજ ગોસ્વામી

તાજેતરમાં, જે અમદાવાદમાં બિઝનેસમેન પરાગ દેસાઈનો રખડતા કૂતરાના કારણે જીવ ગયો, એ જ અમદાવાદમાં 100 વર્ષ પહેલાં, 1926માં, પણ રખડતાં ચોપગાં પ્રાણીઓનો આવો જ ત્રાસ હતો અને એ વખતના મિલ માલિક અંબાલાલ સારાભાઈએ એવાં 60 કૂતરાંને મારી નાખ્યાં હતાં. એક અહિંસા પ્રેમી ચુસ્ત હિંદુ હોવાના નાતે, અંબાલાલને આવી હિંસાથી પસ્તાવો થયો અને તેમણે પીડાનું સમાધાન કરવા માટે મહાત્મા ગાંધીનું શરણું લીધું. ગાંધીજીએ તેમના કૃત્યને ટેકો આપતાં કહ્યું હતું, “આમાં બીજું થઇ પણ શું શકે?”

અહિંસાના પૂજારીએ કૂતરાંને મારી નાખવાના કૃત્યને સમર્થન આપ્યું એટલે જીવદયા પ્રેમીઓમાં હોબાળો થયો. મહાત્માને કાગળો લખવામાં આવ્યાં અને તેમની ટીકા થઇ. મહાત્માએ તેના જવાબમાં, તેમના “યંગ ઇન્ડિયા” સામયિકમાં એક લેખ લખીને તેમનો મત વધુ સ્પષ્ટ કર્યો:

“જ્યારે રાજ્ય રખડતા કૂતરાઓની ચિંતા કરતું ન હોય, ન તો મહાજન કરતું હોય, અને જ્યારે કોઈ તેમની સંભાળ રાખવા તૈયાર ન હોય, તો પછી, અને જો એ સમાજ માટે જોખમી હોય, તો તેમને મારી નાખવા જોઈએ અને તેમને મરવાના વાંકે જીવવામાંથી રાહત આપવી જોઈએ.”

2015માં, સડકો પર રખડતાં ઢોરોના ત્રાસ અંગે સર્વોચ્ચ અદાલતમાં થયેલી એક અરજી પરની સુનાવણી વેળા, વરિષ્ઠ એડવોકેટ દુષ્યંત દવેએ, “યંગ ઇન્ડિયા”માં છપાયેલો ગાંધીજીનો આ લેખ તેમની દલીલના સમર્થનમાં રજૂ કર્યો હતો.

ગાંધીજીએ આ મુદ્દે ચર્ચા કરતી વખતે લેખમાં કહ્યું હતું કે, “રખડતાં કૂતરાઓ સમાજની સંસ્કૃતિ અથવા કરુણાની નિશાની નથી; તેનાથી વિપરીત, તેઓ સડકો પર રખડે છે તે સમાજના લોકોની અજ્ઞાનતા અને નિષ્ક્રિયતા બતાવે છે. કૂતરો એક વફાદાર સાથી છે. કૂતરાઓ અને ઘોડાઓની વફાદારીના અસંખ્ય ઉદાહરણો છે, અને તેનો અર્થ એ થયો કે આપણે તેમને સારી રીતે રાખવા જોઈએ અને તેમને રખડતા મુકવા ન જોઈએ. રખડતા કૂતરાઓનાં દૂષણને વધવા દઈને આપણે તેમના પ્રત્યેની જવાબદારીમાંથી છટકી ન જઈ શકીએ.”

કમનસીબે, સો વર્ષમાં રખડતા કૂતરાઓનું દૂષણ ભારતમાં સતત વધ્યું છે, એક સમાજ તરીકે આપણે અજ્ઞાનતા અને નિષ્ક્રિયતા જ સેવી છે. વિકિપીડિયા પર ઉપલબ્ધ માહિતી અનુસાર, પૂરી દુનિયામાં ભારતમાં રખડતા કૂતરાઓના સૌથી વધુ હુમલા થાય છે. મહાત્માએ સાચી વાત કરી હતી. કૂતરાઓ વફાદાર તો છે, પણ આપણે સો વર્ષ પછી તેની સંભાળ રાખવાનું શીખ્યા નથી. એક અંદાજ પ્રમાણે, ભારતમાં 1 કરોડ પાલતું કૂતરાઓ છે. તેની સામે, રખડતાં કૂતરાઓની સંખ્યા 6 કરોડ છે. આ સંખ્યા ઉત્તરોતર વધી રહી છે.

પૂરી દુનિયામાં થઈને, હડકવાથી મરનારા લોકોની સંખ્યા ભારતમાં 36 પ્રતિશત છે. ભારતમાં બાળકો અને વૃદ્ધો સૌથી વધુ આવા કૂતરાઓનો ભોગ બને છે. હમણાં માર્ચ મહિનામાં, હૈદરાબાદની એક સોસાઈટીમાં ચાર વર્ષના એક બાળકને કૂતરાઓએ ફાડી ખાધું તેનો વાઈરલ વીડિયો જોઇને લોકો ધ્રુજી ઉઠ્યા હતા. એપ્રિલ મહિનામાં, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેમ્પસમાં એક નિવૃત્ત ડોકટરને કૂતરાઓ ફાડી ખાધા હતા. મજાની (!) વાત એ છે કે ભારતમાં રખડતાં કૂતરાઓના મોટાભાગના હુમલાની ફરિયાદ પણ નોંધાતી નથી.

મોટાભાગના ભારતીયો માને છે કે તેમના વિસ્તારમાં રખડતા કૂતરાઓના હુમલા રોજના છે અને નગરપાલિકા કૂતરાં કરડવાથી બચવા માટે જરૂરી પગલાં લેતી નથી. ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ રખડતા કૂતરાઓ છે. તમિલનાડુ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ સંખ્યામાં કૂતરાઓ કરડે છે. બિહાર સરકારે શોધી કાઢ્યું હતું કે રાજ્યમાં થતા રોગોનું સૌથી મોટું ત્રીજું કારણ રખડતાં કૂતરાઓનું કરડવું છે.

રખડતા કૂતરાઓના રક્ષણ માટે 2001માં બનાવવામાં આવેલા કાયદાના કારણે રખડતાં કૂતરાઓની સંખ્યામાં વધારો થયો છે. પશુ નિયંત્રણની યોગ્ય વ્યવસ્થાના અભાવમાં ભારતમાં રખડતાં કૂતરાઓની વસ્તીનો વિસ્ફોટ થયો છે. થોડા મહિના પહેલાં, ગુજરાતની વડી અદાલતના ચીફ જસ્ટિસ એ.જે. દેસાઈએ એક જનહિતની અરજી દાખલ કરતાં કહ્યું હતું કે રખડતાં કૂતરાઓના ત્રાસના કારણે શહેરના ઘણા લોકોનું વોકિંગ કરવાનું અઘરું થઇ ગયું છે. પરાગ દેસાઈનું મૃત્યુ તેનો જીવતો જાગતો દાખલો છે.

ભારતમાં રખડતાં કૂતરાઓનો ત્રાસ વધી જવાનું એક કારણ એ જ છે, જે 100 વર્ષ પહેલા મહાત્મા ગાંધીન સમયે હતું; કૂતરાઓને લઈને ધાર્મિક અને સામાજિક માન્યતાઓ. દેશના ઘણા સમુદાયોમાં કૂતરાઓને પવિત્ર માનવામાં આવે છે એટલે ન તો તેમનું વ્યંધીકરણ થાય છે કે ન તો તેમને પકડાવામાં આવે છે. અમુક વર્ગોમાં કૂતરાઓને ઘરમાં પાલતું બનાવવા પર પણ નિષેધ છે. ઉપરાંત, ભારતમાં જીવદયાની ભાવના પણ ઘણી તીવ્ર છે એટલે રખડતાં કૂતરાઓ સામે કોઈ કાર્યવાહી અઘરી થઇ જાય છે.

ગાંધીજીએ ત્યારે પણ કહ્યું હતું કે કૂતરાં રખડતાં રાખવાં એ “શરમ”ની વાત છે. ઉદાર માણસે તેની આવકમાંથી અમુક પૈસા કૂતરાઓની સંભાળ રાખતી સંસ્થાઓને આપવા જોઈએ, અથવા તેણે જાતે એક કે એકથી વધુ કૂતરાઓની જવાબદારી ઉપાડી લેવી જોઈએ.

એમાં પણ એક સમસ્યા છે. ભારતમાં ગરીબી ઘણી છે. જ્યાં પરિવારજનોને ખવડાવા-પીવડાવાના વેંત ન હોય, ત્યાં ગરીબ લોકો કૂતરાઓ ને કેવી રીતે પાળે? દેશના શહેરોમાં ગરીબ વિસ્તારોમાં કૂતરાઓ સૌથી વધુ ભટકતાં જોવા મળે છે. તે જ સંબંધમાં, બીજી એક હકીકત એ પણ છે કે શહેરી વિસ્તારોની સોસાઈટીઓમાં રખડતાં કૂતરાઓ “ગાર્ડ”ની ફરજ બજાવતાં હોય છે. સોસાઈટીમાં રહેતાં લોકોમાં ચોરનો ડર ઘણો હોય છે અને તેમને એવું લાગે છે આસપાસમાં કૂતરાં હોય તો રાતે તે ચોરથી સુરક્ષિત રાખે છે.

મનુષ્યો અને કૂતરાઓનો સંબંધ સદીઓ જૂનો છે, પરંતુ એક વાત નોંધવા જેવી છે કે ભારતમાં શહેરીકરણની સાથે તેમનો ત્રાસ વધ્યો છે. કૂતરાઓની વસ્તીને નિયંત્રણમાં રાખવાની કોઈ વ્યવસ્થા નથી એટલે અને માણસોના ગામડાઓમાંથી શહેરમાં થતાં સ્થળાંતરમાં સાથે કૂતરાઓનું પણ આગમન થાય છે એટલે સડકો પર તેમની સંખ્યા વધી ગઈ છે. તેની સાથે સંબંધિત પ્રશ્ન કૂતરાઓના ખાવાનો છે. મોટાભાગે તે ખોરાકની તલાશમાં સડકો પર, ગલીઓમાં ફરતાં હોય છે અને એમાં જ મનુષ્યો સાથે સંઘર્ષમાં આવે છે.

કૂતરાઓ શાંત અને નિર્દોષ પ્રાણી છે એવી એક વ્યાપક માન્યતા ખોટી તો નથી જ, પરંતુ શહેરી વાતાવરણમાં રહીને કૂતરાઓના સ્વભાવમાં પરિવર્તન આવ્યું છે તે પણ હકીકત છે. કૂતરાઓની અને વાનરોની આક્રમકતા લગભગ એક સરખી જ છે. વાનરો પણ ખોરાકના અભાવમાં શહેરમાં આવીને હિંસક થઇ જાય છે. અમુક વેટેનરી નિષ્ણાતો એવું પણ માને છે કે રખડતાં કૂતરાઓને કાચું માંસ ખાઈને તેનો સ્વાદ જીભે લાગી ગયો હોય છે એટલે તે માણસો પર હુમલા કરે છે.

રખડતા કૂતરાઓનું શું કરવું તેને લઈને દેશમાં આજે પણ એક મત નથી. એક વર્ગ માને છે કે તેમને મારી નાખવા જોઈએ. બીજો વર્ગ એવી હિંસાના પક્ષમાં નથી અને સરકારે તેની વ્યવસ્થા કરવી જોઈએ એવું માને છે. પરિણામે દેશની વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતમાં તેને લગતી ઘણી અરજીઓ થઇ છે.

મહાત્મા ગાંધીનો મત પણ આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં મદદરૂપ બની શક્યો નથી એ જ બતાવે છે કે સમસ્યા કેટલી જટિલ છે. બાકી, જ્યાં સુધી નૈતિકતાનો પ્રશ્ન છે ત્યાં સુધી મહાત્માએ તેનો સરળ ઉપાય સૂચવ્યો હતો. પેલા લેખમાં તેમણે અંબાલાલ સારાભાઇના “પાપ”ના સંદર્ભમાં લખ્યું હતું, “જો તેઓ કૂતરાને મારે, તો તે પાપ કહેવાય. જો ન મારે, તો વધુ ગંભીર પાપ કહેવાય. એટલે, તેમણે ઓછું પાપ કરીને પોતને મોટા પાપમાંથી બચાવી લીધા છે. હડકાયા કૂતરાનો નાશ કરવો એ ઓછામાં ઓછી હિંસા છે.”

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિકક કોલમ, “સંદેશ”; 06 નવેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...774775776777...780790800...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved