Opinion Magazine
Number of visits: 9665750
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

इस्लामोफोबिया से मुकाबिल संयुक्त राष्ट्र संघः एक प्रशंसनीय पहल

राम पुनियानी|Opinion - Opinion|6 April 2024

राम पुनियानी

कुछ सालों पहले संयुक्त राष्ट्र संघ में एक प्रस्ताव प्रस्तुत कर पाकिस्तान ने यह मांग की थी कि वर्ष के किसी एक दिन को ‘‘इस्लामोफोबिया के खिलाफ अंतर्राष्ट्रीय दिवस’’ घोषित किया जाए। उस समय कई देशों, जिनमें भारत भी शमिल था, ने इसका विरोध करते हुए कहा था कि फोबिया अर्थात उनके प्रति डर के भाव से कई अन्य धर्म भी पीड़ित हैं। प्रस्ताव का विरोध करने वाले देशों की संख्या कम थी और संयुक्त राष्ट्र संघ ने अंततः 15 मार्च को “इस्लामोफोबिया के खिलाफ अंतर्राष्ट्रीय दिवस” घोषित कर दिया। दुर्भाग्यवश, पिछले महीने इस दिवस पर कोई चर्चा नहीं हुई।

इस साल संयुक्त राष्ट्र संघ ने एक कदम और आगे बढ़ाते हुए इस मांग को स्वीकार कर लिया है कि इस्लामोफोबिया से मुकाबला करने के लिए विशिष्ट कार्यवाहियाँ करने हेतु ‘विशेष दूत’ की नियुक्ति की जाए। यह मांग भी पाकिस्तान की ओर से आई थी और इसका भी भारत सहित कई देशों ने विरोध किया था। प्रस्ताव पर बोलते हुए संयुक्त राष्ट्र में भारत के राजदूत टी.एस. तिरूमूर्ति ने कहा कि “पूरी दुनिया में धर्मों और पंथों पर लक्षित हिंसा में बढ़ोत्तरी हो रही है। कुछ लोग यहूदियों के विरूद्ध हैं, कुछ ईसाईयों के और कुछ हिन्दुओं के। बौद्धों और सिक्खों के विरूद्ध हिंसा की घटनाएँ भी होती रहती हैं”। उनके अनुसार दुनिया में बहुत से फोबिया हैं। उन्होंने यह भी कहा कि “हम सब जानते हैं कि संयुक्त राष्ट्र संघ ने 16 नवम्बर को सहिष्णुता दिवस घोषित किया है”। उन्होंने यह भी कहा कि “बहुवाद इन सभी फोबिया से निपटने के लिए पर्याप्त है और इस्लामोफोबिया के लिए अलग से कुछ किये जाने की जरूरत नहीं है”।

सच क्या है? क्या अन्य धर्मों के खिलाफ फोबिया और इस्लामोफोबिया में कोई फर्क है? यह सही है कि दुनिया में अलग-अलग धर्मों के लोगों को दुनिया के अलग-अलग हिस्सों में फोबिया का सामना पड़ा है। अगर हम दक्षिण एशिया की बात करें तो श्रीलंका में तमिल हिन्दुओं और पाकिस्तान में सभी हिन्दुओं को प्रताड़ित किया गया। इसी तरह श्रीलंका, पाकिस्तान और भारत में भी ईसाई प्रताड़ित किये गये हैं। वर्तमान में तालिबान-शासित अफगानिस्तान में रह रहे सिक्ख हर तरह से परेशान हैं।

तो फिर इस्लामोफोबिया अन्य धर्मों के प्रति फोबिया से इतना अलग क्यों है कि संयुक्त राष्ट्र संघ को उससे मुकाबला करने के लिए एक विशेष दिवस की घोषणा करनी पड़ी और एक विशेष दूत नियुक्त करना पड़ा? यह हमारा दुर्भाग्य है कि वर्तमान में वैश्विक राजनीति पर पहचान से जुड़े मुद्दों का वर्चस्व है। श्रीलंका में लिट्टे के सदस्यों के दमन के पीछे नस्लीय मुद्दे थे। वैश्विक स्तर पर इस्लामोफोबिया की आमद से बहुत पहले से भारत में मुसलमान अलग-अलग तरह से डराये-धमकाये जाते थे और उनके प्रति नफरत का भाव भी था। इसके कारण उनके खिलाफ हिंसा भी होती थी। तो ऐसे में इस्लामोफोबिया अलग क्यों है और वह अन्य धार्मिक फोबिया से अधिक डरावना क्यों है?

केवल धर्म के आधार पर किसी को प्रताड़ित करने या किसी से नफरत करने का पागलपन बहुत पुराना है। इस मामले में इस्लामोफोबिया एक नई परिघटना है। इस्लामोफोबिया का उदय सन 1970 के दशक में हुआ जब अमरीका के पिट्ठू रज़ा शाह पहलवी को अपदस्थ कर अयातुल्ला खुमैनी ने ईरान में सत्ता संभाली। उस समय अमरीका ने यह कहा कि इस्लाम दुनिया के लिए नया खतरा है। ‘टाईम’ पत्रिका की कवर स्टोरी का शीर्षक था “इस्लाम एज़ द न्यू थ्रेट”। नया खतरा क्यों? वह इसलिए क्योंकि उस समय तक अमरीकी मीडिया कम्युनिज्म को स्वतंत्र दुनिया के लिए सबसे बड़ा खतरा बताता था। स्वतंत्र दुनिया से आशय था “अमरीका के वर्चस्व वाली दुनिया”। उस समय अमरीका की राजनैतिक और आर्थिक दादागिरी को रूस (सोवियत संघ) के नेतृत्व वाला समाजवादी गुट ही चुनौती दे रहा था। उस समय अमरीका ने दुनिया को यह समझाया कि कम्युनिज्म उसके लिए सबसे बड़ा खतरा है। इस विचार, जिसे दुनिया का सबसे ताकतवर देश फैला रहा था,  को पूरी दुनिया ने स्वीकार कर लिया। इससे कार्ल मार्क्स का वह कथन एक बार फिर सही साबित हुआ कि “शासक वर्ग के विचार ही शासन करते हैं”।

शनैः शनैः समाजवादी रूस कमजोर होता गया और फिर 1990 के दशक में वह पूरी तरह बिखर गया। अब दुनिया के सबसे ताकतवर देश को लड़ने के लिए कोई और दानव चाहिए था। यह वह समय था जब अमरीका अपने पिट्ठू पाकिस्तान में मदरसों की स्थापना कर रहा था। महमूद ममदानी ने अपनी पुस्तक “गुड मुस्लिम, बैड मुस्लिम” में सीआईए के दस्तावेजों के हवाले से लिखा है कि अमरीका ने ही इन मदरसों का पाठ्यक्रम तैयार किया। यह पाठ्यक्रम इस्लाम के एक संकीर्ण (वहाबी) संस्करण पर आधारित था। अमरीका ने करीब 800 करोड़ डालर और स्ट्रिंगर मिसाईलों सहित 7,000 टन गोला-बारूद इन मदरसों में से पढ़कर निकले युवकों पर खर्च किए। ये युवक मुजाहिदीन कहलाते थे और बाद में इन्हीं से तालिबान और अलकायदा उपजे। हिलेरी क्लिंटन ने खुल्लम-खुल्ला कहा था कि अमरीका को अफगानिस्तान में रूसी कम्युनिस्टों ने लड़ने के लिए जुनूनी युवक चाहिए थे इसलिए उसने तालिबान को खड़ा किया और रूस की अफगानिस्तान से वापसी के बाद तालिबान को भी मदद देना बंद कर दिया।

अमरीका का उद्देश्य था पश्चिम एशिया में तेल के कुंओं पर कब्जा करना। उसकी सभी नीतियाँ इसी लक्ष्य को ध्यान में रखकर बनाई गई थीं। वर्ल्ड ट्रेड सेंटर पर 9/11, 2001 को हुए हमले में करीब 3,000 निर्दोष लोग मारे गये। मरने वालों में सभी धर्मों और सभी देशों के लोग थे। इसे बहाना बनाकर अमरीका ने अफगानिस्तान पर हमला कर दिया जिसमें 60,000 से ज्यादा जानें गईं। उसके बाद इस आधार पर ईराक पर हमला किया गया कि ईराक के पास महासंहारक हथियारों का जखीरा है। मगर ईराक पर कब्जा करने के बाद अमरीका वहां एक भी ऐसा हथियार नहीं ढूंढ सका।

वर्ल्ड ट्रेड सेंटर पर हमला, जिसे ओसामा-बिन-लादेन की कारगुजारी बताया जाता है, के बाद अमरीकी मीडिया ने “इस्लामिक आतंकवाद” शब्द गढ़ा। अमरीका राजनैतिक, आर्थिक और सैन्य दृष्टि से दुनिया का सबसे शक्तिशाली देश है। जाहिर है कि उसका मीडिया भी दुनिया में सबसे शक्तिशाली है। और इसी के चलते दुनियाभर के मीडिया ने “इस्लामिक आतंकवाद”शब्द का प्रयोग करना शुरू कर दिया और इसी से इस्लामोफोबिया जन्मा। एक समय सैम्युअल हंटिंगटन का एक सिद्धांत बहुत प्रसिद्ध था। इसे “क्लैश ऑफ़ सिविलाईजेशन्स (सभ्यताओं का टकराव)” कहा जाता था। उस समय ऐसी मान्यता थी कि पिछड़ी हुई इस्लामिक सभ्यता और विकसित पश्चिमी सभ्यता में वैश्विक स्तर पर टकराव होगा।

इस्लामोफोबिया के कारण ही अमरीका में मुसलमान समझकर एक सिक्ख की हत्या कर दी गई। इस्लामोफोबिया के कारण ही अमरीका में एक पादरी ने कुरान की एक प्रति जलाई। फिर एक अमरीकी ईसाई ने एक फिल्म बनाई जिसका शीर्षक था “इनोसेन्स आफ मुस्लिम्स”। इस फिल्म की एक क्लिप जो वायरल हुई थी में लंबी दाढ़ी वाले मुसलमानों को ईसाईयों पर हमले करते दिखाया गया था। हम सब को डेनमार्क की एक पत्रिका में प्रकाशित वह कार्टून याद है जिसमें पैगम्बर मोहम्मद को अपनी पगड़ी में एक बम छिपाए हुए दिखाया गया था। जाहिर है कि यह सब इसलिए हुआ क्योंकि पूरी दुनिया में इस्लाम के प्रति एक डर का भाव पैदा कर दिया गया। सबको लगने लगा कि इस्लाम और मुसलमान दुनिया के लिए सबसे बड़ा खतरा हैं।

सभ्यताओं के टकराव के सिद्धांत को गलत सिद्ध करने के लिए संयुक्त राष्ट्र संघ ने हर संभव प्रयास किए। संयुक्त राष्ट्र संघ के महासचिव कोफी अन्नान ने इस सिद्धांत की पड़ताल करने के लिए एक उच्च स्तर समिति की नियुक्ति की। इस समिति, जिसमें एक भारतीय सदस्य भी था, ने जो रिपोर्ट प्रस्तुत की उसका शीर्षक था “एलायन्स आफ सिविलाईजेशन्स” अर्थात सभ्यातओं का गठबंधन। इस रिपोर्ट में यह कहा गया था कि मानव जाति ने जो भी उन्नति की है उसमें सभी सभ्यताओं, धर्मों और संस्कृतियों का योगदान रहा है। अब चूंकि दुनिया भर में अमरीका का बोलबाला है इसलिए इस रिपोर्ट को मीडिया ने नजरअंदाज कर दिया और इस्लामोफोबिया बना रहा।

भारत में समस्या और गंभीर इसलिए है क्योंकि यहां पहले से ही साम्प्रदायिक राजनीति के कारण विभिन्न समुदायों के बीच शत्रुता का भाव था। वैश्विक इस्लामोफोबिया ने मुसलमानों के खिलाफ नफरत में और इज़ाफा किया। स्वाधीनता संग्राम के दौरान मुस्लिम साम्प्रदायिक ताकतें हिन्दुओं के खिलाफ नफरत फैलाती थीं और हिन्दू साम्प्रदायिक ताकतें (हिन्दू महासभा और आरएसएस) मुसलमानों के खिलाफ। स्वतंत्रता के बाद मुस्लिम साम्प्रदायिक ताकतें कमजोर पड़ गई जबकि हिन्दू साम्प्रदायिक ताकतें और शक्तिशाली होती गईं और इस कारण ही देश में इस्लामोफोबिया व्याप्त है।

संयुक्त राष्ट्र संघ ने इस्लामोफोबिया से मुकाबला करने के लिए जो कदम उठाए हैं वे सराहनीय और उम्मीद जगाने वाले हैं।

03/04/2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)  

Loading

ચલ મન મુંબઈ નગરી—242

દીપક મહેતા|Opinion - Opinion|6 April 2024

વસઈ અને મુંબઈ : પડતી–ચડતીના આટાપાટા      

મિસિસ પોસ્તાન્સને એક ટેવ. જ્યાં જાય તે જગ્યાનાં નામ અને ઇતિહાસ-ભૂગોળ વિષે ખાંખાખોળાં કરે, બને એટલું જાણે. કહે છે કે અગાઉ – એટલે કે સદીઓ પહેલાં – વસઈ એક નાનો ટાપુ હતો. તેની પશ્ચિમે અરબી સમુદ્ર, દક્ષિણે વસઈની ખાડી, ઉત્તરે વૈતરણા નદી, અને પૂર્વમાં નાનાં નાનાં ઝરણાંને કારણે કાદવ-કીચડવાળી જમીન. અને છતાં નવાઈની વાત એ કે છેક સદીઓ પહેલાંના લોકોને આ જગ્યા વસવા જેવી લાગી. એટલે એ જગ્યાને નામ આપ્યું ‘વાસ્યા’ એટલે કે વસવા જેવી જગ્યા. અને આ કાંઈ કપોળ કલ્પના નથી. કન્હેરીની ગુફાઓમાંના ઈ.સ. ચોથી સદીના એક શીલાલેખમાં આ નામ નોંધાયેલું જોવા મળે છે. અહીં આવીને વસનારાઓમાં સૌથી પહેલા હતા આર્યો. વસઈની આજુબાજુની કેટલીક જગ્યાનાં નામ જ જુઓ : વિમલેશ્વર, નિર્મલેશ્વર, ચક્રેશ્વર, વગેરે.

તો વળી કેટલાક કહે છે કે ના રે ના. મૂળ નામ તો હતું વનવાસી કે બનવાસી. કારણ અહીં તો હતું ગાઢ જંગલ, અને તેમાં રહેતા હતા થોડા આદિવાસીઓ. ટોલોમીની ભૂગોળમાં આ નામ જોવા પણ મળે છે. કેટલાક કહે છે કે આ બનવાસી તો હતી કદંબ વંશના રાજાઓની રાજધાની. બીજો એક સવાલ એ થાય કે જ્યાં જ્યાં માણસોની વસતી હોય તે તે જગ્યાને ‘વાસ્યા’ કે વસઈ કહી શકાય. તો પછી આ જગ્યાને જ કેમ આ નામ આપ્યું હશે? કારણ બબ્બે નદીઓથી સિંચાતો આ પ્રદેશ એટલો તો ફળદ્રુપ હતો કે ખાસ કશી મહેનત કર્યા વગર પણ અહીંના ખેડૂતો જરૂરી પાક ઉગાડી શકતા. એવી જ રીતે દરિયા, ખાડી, અને નદીનાં પાણી માછીમારોને પણ મબલખ માછલી ઝાઝી મહેનત વગર આપતાં. આમ, અહીં ખાધાખોરાકીની વસ્તુઓ પ્રમાણમાં સહેલાઈથી મળી રહેતી એટલે બહારના લોકો અહીં આવીને વસવા લાગ્યા હશે. માટે ‘વસઈ’ નામ, એટલે કે વસવા માટે એક ઉત્તમ જગ્યા.

પછી આવ્યો વેપારનો વારો. મુસ્લિમ અને પારસી વેપારીઓએ પહેલ કરી. ડાંગર, શાકભાજી, મરઘાં-બતકાં, માખણ વગેરે અહીંથી ખરીદીને બીજે વેચવા લઈ જતા થયા. વળી અહીં નજીકમાં હતાં ગાઢ જંગલ. એટલે અહીં સારી જાતનું લાકડું મળતું તે પણ આ વેપારીઓ દેશ-પરદેશ મોકલવા લાગ્યા.

અલબત્ત, આ બધું હોવા છતાં પહેલાં તો વસઈ કોઈ બહુ મહત્ત્વનું શહેર નહોતું. એ માન તો સદીઓ સુધી મળતું હતું શુર્પારકને. એ વેપારવણજનું મોટું મથક તો ખરું જ, પણ બૌદ્ધ ધર્મનું પણ મોટું થાણું. આ શુર્પારક તે આજનું સોપારા કે નાલાસોપારા. એક વખતે પશ્ચિમ કિનારાનું સૌથી મહત્ત્વનું બંદર હતું ખંભાત, અને બીજે નંબરે હતું સોપારા. અહીંથી વહાણો મેસોપોટેમિયા, ઈજિપ્ત, અરબસ્તાન, અને પૂર્વ આફ્રિકા સુધીની ખેપ નિયમિત રીતે ખેડતાં. ઈ.સ. પૂર્વે ત્રીજી સદીથી માંડીને ઈ.સ.ની ૯મી સદી સુધી સોપારાએ જાહોજલાલી જોઈ. પણ પછી બૌદ્ધ ધર્મની પડતીની સાથોસાથ સોપારાની પડતી પણ શરૂ થઈ.

લગભગ એ જ અરસામાં, ઈ.સ.ની આઠમી-નવમી સદીમાં, આરબ વેપારીઓ હિન્દુસ્તાનના પશ્ચિમ કિનારે આવી વસ્યા અને જોતજોતામાં હિન્દી મહાસાગર અને ખાસ કરીને રાતા સમુદ્રના માર્ગે થતા વેપાર પર વર્ચસ્વ જમાવ્યું. તેમણે સોપારાને બદલે વસઈને વેપારનું મુખ્ય થાણું બનાવ્યું. ૧૪મી સદીમાં ગુજરાતમાં રાજપૂત શાસનનો અંત આવ્યો અને મુસ્લિમ સત્તા સ્થપાઈ. ત્યારે ઘણા ગુજરાતીઓ વસઈ આવી વસ્યા. તેમાં દીવ બંદરેથી મોટા પ્રમાણમાં કાઠિયાવાડીઓ આવ્યા. તો કેટલાક મુસલમાનો પણ અહીં આવી વસ્યા. ૧૫મી સદીના પહેલા દસકામાં ગુજરાતના સુલતાને વસઈ જીતી લીધું અને તે ગુજરાતની સલ્તનતનો ભાગ બન્યું. તે વખતે અરબી-ફારસીની અસર નીચે તેનું નામ બદલીને ‘બસઈ’ કરવામાં આવ્યું. અરબસ્તાન સાથેનો વસઈનો વેપાર વધતો ચાલ્યો. આસપાસનાં જંગલોનું લાકડું આરબ દેશોમાં જતું જ્યાં તેમાંથી મોટાં વહાણો બાંધવામાં આવતાં. એવી જ રીતે વસઈના પથ્થર પણ ઉમદા ગણાતા અને આરબ દેશોમાં જતા. ઈ.સ. ૧૪૫૦ના અરસામાં ગુજરાતના સુલતાન બહાદુરશાહે સગવડો વધારીને વધુ લોકોને વસાવ્યા. તો સાથોસાથ તેણે વસઈનું નામ બદલીને બહાદ્દરપુરા રાખ્યું.

વસઈની ટપાલ ટિકિટ

૧૬મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોના આગમન સાથે પશ્ચિમ હિન્દુસ્તાનનાં વેપારવણજમાં ઘણો મોટો ફેરફાર થયો. ગોવા અને મલબારમાં પગદંડો જમાવ્યા પછી તેમણે અરબી સમુદ્ર અને રાતા સમુદ્રના વેપારી રસ્તાઓ પર પકડ જમાવવાની શરૂઆત કરી. એ વખતે દીવ આરબ વેપારીઓનું મુખ્ય થાણું હતું. એટલે પોર્ટુગીઝોએ પોતાનું થાણું સ્થાપવા માટે વસઈ તરફ નજર દોડાવી. પરિણામે ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે અવારનવાર ચકમક ઝરવા લાગી. એટલે ગુજરાતના સુલતાનના વહીવટદારે વસઈનું રક્ષણ કરવા કિલ્લો બાંધ્યો. અત્યાર સુધી વેપારનું કેન્દ્ર બની રહેલ વસઈ હવે લશ્કરી મહત્ત્વનું થાણું બન્યું. પોર્ટુગીઝોને ગુજરાત તરફ આગળ વધતા રોકવા માટે વસઈને વધુ ને વધુ મહત્ત્વ અપાતું થયું. પણ કિલ્લો બંધાયા પછી તો વસઈ પોર્ટુગીઝોની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યું. તેમણે નાનાંમોટાં આક્રમણો શરૂ કર્યાં. તેમના વધુ મોટા અને કેળવાયેલા લશ્કર સામે ગુજરાત સલ્તનત બહુ ઝાઝું ટકી ન શકી. ઈ.સ. ૧૫૩૪માં પોર્ટુગીઝોની જીત થઈ. તે પછી ૧૫૩૪ના ડિસેમ્બરની ૨૩મી તારીખે થયેલી સંધિ નીચે માત્ર વસઈ જ નહિ, કોલાબા, મુંબઈ, મઝગાંવ, વરળી, માટુંગા, માહિમ, સાલસેટ, ટ્રોમ્બે અને ચૌલ પણ પોર્ટુગીઝોના હાથમાં આવ્યાં. એટલે તેમને માટે તો વસઈની સંધિ એક સોનેરી દસ્તાવેજ બની રહી. તેમણે વસઈનું નામ બદલીને બાસિમ રાખ્યું અને તેને પોતાના ઉત્તરી પ્રાંતનું વડું મથક બનાવ્યું. પોર્ટુગીઝ સરકારે વસઈના નામના સિક્કા પણ પડાવ્યા અને ટપાલ ટિકિટ પણ બહાર પાડી. અગાઉના કિલ્લાને તોડીને તે જ સ્થળે પોર્ટુગીઝોએ નવો વધુ મજબૂત કિલ્લો બાંધ્યો. ગવર્નર, લશ્કરી અધિકારીઓ અને પોર્ટુગીઝ ઉમરાવો આ કિલ્લાની અંદર વસતા. બાકીના બધા લોકો કિલ્લાની બહાર.

અત્યાર સુધી વસઈનો મુખ્ય આધાર ખેતીવાડી, પશુપાલન, અને માછલી ઉદ્યોગ પર હતો. તેને ઓછું મહત્ત્વ આપીને પોર્ટુગીઝોએ નાના-મોટા ઉદ્યોગો વિકસાવ્યા. અગાઉ અહીંનું લાકડું વહાણ બાંધવા માટે પરદેશ જતું હતું. તેને બદલે હવે તેમણે અહીં જ વહાણ બાંધવાનું શરૂ કર્યું. અને એક જમાનાનું મોટું ગામડું હવે નાનું શહેર બની ગયું. બહાદુરપુરાનું નામ બદલીને પાડ્યું માદ્રાપોર.

વસઈનો કિલ્લો, ૧૭૮૦મા

પણ ૧૭મી સદીથી પોર્ટુગીઝ સત્તાનાં વળતાં પાણી શરૂ થયાં. બળજબરીથી કરાવાતા ધર્મપલટાને કારણે લોકો અંદરખાનેથી રાજવટના વિરોધી બનવા લાગ્યા. વળી સ્થાનિક લોકોની સુખાકારી માટે પોર્ટુગીઝ સત્તાવાળા ભાગ્યે જ કશું કરતા. પોર્ટુગીઝ શાસકોને બે જ વાતમાં રસ હતો : બને તેટલા વધુ કરવેરા ઉઘરાવવા અને કળથી નહિ તો બળથી લોકોને ખ્રિસ્તી બનાવવા. પણ હિન્દી મહાસાગરના રસ્તે થતા વેપાર પર ધીમે ધીમે અંગ્રેજોએ પકડ મજબૂત કરી એટલે પોર્ટુગીઝ સરકારની આવક ઘટવા લાગી. ત્રાસેલા લોકોએ મરાઠા શાસકોને મદદ માટે અરજ કરી. ૧૭૩૭મા પેશ્વા સૈન્યે વસઈ પર આક્રમણ કર્યું, પણ તેને સફળતા ન મળી. પણ ૧૭૩૯માં ચિમણાજી આપ્પાની સરદારી નીચે બીજી વાર આક્રમણ કર્યું ત્યારે સફળતા મળી. પોર્ટુગીઝ સરકાર સાથેની સંધિ પ્રમાણે વસઈ મરાઠાઓના હાથમાં આવ્યું. બાજીરાવ પેશ્વાના નામ પરથી વસઈનું નવું નામ પડ્યું બાજીપુરા. મરાઠાઓએ હિન્દુઓને, અને ખાસ કરીને બ્રાહ્મણોને ઘણી સગવડો આપી. પણ તેમણે એક મોટી ભૂલ કરી. વસઈના કિલ્લાનું મહત્ત્વ તેમને સમજાયું નહિ. તેના ઘણા ભાગો તોડીને તેમણે પોતાના સરદારોના રહેણાકનાં મકાનો બાંધ્યાં. અને બાંધ્યાં શિવ અને મારુતિનાં મંદિરો. પણ સ્થાનિક વેપાર કે ધંધા-રોજગારના વિકાસ ઉપર ધ્યાન આપ્યું નહિ. 

વસઈનો કિલ્લો, આજે

પણ પછી અંગ્રેજો સામે મરાઠાઓ હાર્યા અને ૧૮૧૭માં પુને ખાતે સંધિ કરી. તે વખતે વસઈ અંગ્રેજોના તાબામાં ગયું. પણ અંગ્રેજો પાસે મુંબઈ હતું. એટલે તેમને માટે વસઈનું બહુ મહત્ત્વ હતું નહિ. ધીમે ધીમે વસઈનો મોભો ઘટતો ગયો. ખાંડ બનાવવા જેવા કેટલાક ઉદ્યોગો શરૂ કરવાનો પ્રયત્ન કર્યો, પણ અંગ્રેજોને તેમાં ઝાઝી સફળતા મળી નહિ. એટલે જ મિસિસ પોસ્તાન્સ વસઈ ગયાં ત્યારે તેમને એ ખંડેરોનું ગામ લાગ્યું હતું.

વસઈના ‘ફિરંગી સિક્કા’

વસઈ અને મુંબઈ. પાસપાસે તો ય કેટલા જોજન દૂરનો એમનો વાસ! વસઈએ પોતાની જાહોજલાલી એક વાર ગુમાવી તે પાછી ક્યારે ય મેળવી નહિ. તો બીજી બાજુ મુંબઈ. માછીમારોના સાત ટાપુ. પરીકથાની રાજકુમારીની જેમ મુંબઈ દિવસે ના વધે તેટલું રાતે વધે. અને રાતે ના વધે તેટલું દિવસે વધે. હવે તો દુનિયાનાં મહાનગરોમાં માનભર્યું સ્થાન. કેટલાંક વરસ વસઈનો મુખ્ય ધંધો હતો ફળફળાદિ અને શાકભાજી ઉગાડીને કાવડમાં લઈ જઈ મુંબઈમાં વેચવાનો. પણ પછી છેલ્લા કેટલાક વખતથી વસઈ બિલ્ડરોનું માનીતું થઈ પડ્યું છે. મુંબઈનાં પરાંઓમાં પણ જેમને ઘર ન પોસાય તે લોકો હવે વસઈ-વિરાર જેવા વિસ્તારોમાં રહેવા જતા થયા છે. લોકલ ટ્રેનની સગવડને કારણે નોકરીધંધા કે અભ્યાસ માટે રોજ મુંબઈની આવનજાવન કરતા રહે છે. વસઈનો કિલ્લો ખંડિયેર બનીને પણ હજી ઊભો છે. અને છતાં આજે પણ જંગલ કાંઈ વસઈથી બહુ દૂર નથી. હજી બે-ચાર દિવસ પહેલાં જ સમાચાર હતા કે રાતને વખતે વસઈના કિલ્લામાં દીપડો દેખાયો હતો. તે ક્યાંથી, કઈ રીતે, આવી ચડ્યો એ અંગે સરકારી તપાસ ચાલુ છે. દરમ્યાનમાં લોકોને ચેતવણી આપતું પાટિયું અધિકારીઓએ લગાડી દીધું છે.

વસઈના કિલ્લામાં દીપડો દેખાયો

પ્રિય વાચક! છેલ્લા કેટલાક વખતથી આપણે મિસિસ પોસ્તાન્સની આંગળી ઝાલીને મુંબઈમાં ઘણું ફર્યા. તેમના જમાનાના મુંબઈ વિષે, તેના લોકો વિષે, ઘણું જાણ્યું, તેમની નજરે મુંબઈને જોયું. પણ હવે તેમનો સંગાથ છોડવાનો વખત આવી લાગ્યો છે. કારણ હવે તેઓ જવાનાં છે સુરત. એક જમાનામાં ભલે સુરત ‘સોનાની મુરત’ કહેવાતું. પણ આપણે કાંઈ મુંબઈ મૂકીને બીજે જઈએ નહિ.  આપણી મુંબઈની સફર તો ચાલુ જ રહેશે. કારણ એક કવિએ કહ્યું છે તેમ, ‘થંભો ના, હે ચરણ ચાલો.’

e.mail: deepakbmehta@gmail.com 

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 06 એપ્રિલ 2024)

Loading

સાંજ ઢળ્યે

નંદિતા મુનિ|Poetry|6 April 2024

સુવિખ્યાત અમેરિકન કવિ બિલી કોલિન્સના કાવ્ય ‘In the Evening’નો મારો અનુવાદ.

ગુલાબનાં મસ્તક ઝૂકવા લાગે છે.

આખો દિ’ સોનું વીણવામાં મશગુલ મધમાખીને

આરામ કરવા મળે છે એક ષટ્‌કોણ.

આકાશમાં વાદળની નિશાનીઓ,

ત્વરાથી ઊડતાં છેલ્લાં થોડાંક પક્ષી,

ક્ષિતિજ પર જળરંગો.

સફેદ બિલ્લી બેઠી છે ભીંત તરફ તાકીને.

મેદાનમાં અશ્વ ઊભો ઊભો જ નિંદરે છે.

લાકડાના ટેબલ પર મીણબત્તી પેટાવું છું હું.

આસવનો એક વધુ ઘૂંટ લઉં છું.

એક ડુંગળી ને ચપ્પુ લઉં છું હાથમાં.

અને ભૂતકાળ, અને ભવિષ્ય?

બીજું કંઇ નહીં, બે અલગ મહોરાંવાળું એક જ બાળક.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...740741742743...750760770...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved