Opinion Magazine
Number of visits: 9741785
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

मोदी के चुनाव भाषण: झूठ और नफरत का सैलाब

राम पुनियानी|Opinion - Opinion|10 May 2024

राम पुनियानी

भाजपा की प्रचार मशीनरी काफी मजबूत है और पार्टी का पितृ संगठन आरएसएस इस मशीनरी की पहुँच को और व्यापक बनाता है. आरएसएस-भाजपा के प्रचार अभियान का मूल आधार हमेशा से मध्यकालीन इतिहास को तोड़मरोड़ कर मुसलमानों का दानवीकरण और जातिगत व लैगिक पदक्रम पर आधारित प्राचीन भारत की सभ्यता और संस्कृति का महिमामंडन रहा है. संघ परिवार समय-समय पर अलग-अलग थीमों का प्रयोग करता आया है. एक थीम यह है कि मुस्लिम राजाओं ने हिन्दू मंदिरों को तोड़ा. राममंदिर आन्दोलन का मूल सन्देश यही था. फिर देश की सुरक्षा भी एक प्रमुख थीम है, जिसमें पाकिस्तान को भारत का दुश्मन बताया जाता है. बाबरी मस्जिद को ढहाए जाने के पहले वे अन्य मुस्लिम-विरोधी थीमों के अतिरिक्त, मुसलमानों के भारतीयकरण की बात भी किया करते थे.

पिछले एक दशक में उन्होंने ‘अच्छे दिन’ की बात की और कई दूसरे जुमले भी उछाले, जैसे महिलाओं की सुरक्षा, हर व्यक्ति के खाते में 15 लाख आएंगे और हर साल दो करोड़ लोगों को रोज़गार मिलेगा. कांग्रेस को भ्रष्ट पार्टी सिद्ध करने का प्रयास भी किया गया. आरएसएस से जुड़े संगठनों के समर्थन और उनके तत्वाधान में अन्ना आन्दोलन चलाया गया जिससे कई सालों तक लोगों के दिमाग में यह बैठा रहा कि कांग्रेस भ्रष्ट नेताओं की पार्टी है. फिर 2019 के चुनाव में पुलवामा-बालाकोट को मुद्दा बनाया गया और हमें बताया गया कि केवल भाजपा की सरकार ही देश की रक्षा कर सकती है. हालाँकि इस पूरी अवधि में मुस्लिम-विरोधी प्रचार भी जारी रहा. कहने की ज़रुरत नहीं कि आरएसएस-भाजपा के प्रचारक सत्य और तथ्यों को बहुत महत्व नहीं देते.

इस (2024) के चुनाव में उम्मीद यह थी कि अयोध्या का राममंदिर भाजपा की नैया को किनारे लगा देगा. ज्ञानवापी का मुद्दा भी था. मगर जल्दी ही यह साफ़ हो गया कि राममंदिर–ज्ञानवापी जैसे मुद्दों से जनता थक चुकी है और उनका कोई खास असर पड़ने वाला नहीं है. लोगों को अपनी गिरती सामाजिक-आर्थिक स्थिति की चिंता ज्यादा है और भव्य राममंदिर की कम. इसके बाद भाजपा-आरएसएस ने अपने पुरानी तरकीब एक बार फिर अपनाने का निर्णय किया. वह तरकीब है मुसलमानों की खिलाफत और समाज को धार्मिक आधार पर बांटना.

श्री मोदी ने मुसलमानों को अपना चुनावी मुद्दा बना लिया और इसके लिए समाज के कमज़ोर वर्गों (आदिवासी, दलित और धार्मिक अल्पसंख्यकों) के साथ न्याय, महिला सशक्तिकरण, युवाओं के लिए रोज़गार और इंटर्नशिप आदि का वायदा करने वाले कांग्रेस के चुनाव घोषणापत्र का इस्तेमाल किया.

आरएसएस और उससे जुड़े संगठन, समाज के कमज़ोर वर्गों के साथ न्याय के पुराने विरोधी रहे हैं. सन 1925 में आरएसएस की स्थापना ही इसलिए हुई थी क्योंकि दलित अपने अधिकारों के लिए आवाज़ उठाने लगे थे और महिलाओं की समाज में सक्रियता और हिस्सेदारी बढ़ने लगी थी. भाजपा को यह अहसास हो गया कि आरक्षण और सकारात्मक भेदभाव की नीतियों पर राहुल गाँधी के जोर देने का जनता पर सकारत्मक प्रभाव पड़ रहा है. अब भाजपा खुल कर तो यह कह नहीं सकती थी कि वह आरक्षण की विरोधी है. साथ ही, उसे राहुल गाँधी के बढ़ते ग्राफ से  भी निपटना था. इस दिशा में पहला कदम था संघ के मुखिया की यह गलतबयानी कि आरएसएस कभी आरक्षण का विरोधी नहीं रहा है.

दूसरी ओर मोदी नई खिचड़ी पका रहे हैं. वे कह रहे हैं, “….कांग्रेस दलितों और पिछड़ों के लिए निर्धारित कोटा को घटा कर मुसलमानों को आरक्षण देना चाहती है, जो संविधान के खिलाफ है. बाबासाहेब ने आरक्षण का जो अधिकार दलितों, पिछड़े वर्गों और आदिवासियों को दिया था, उसे कांग्रेस और इंडी गठबंधन धर्म के आधार पर मुसलमानों को देना चाहते हैं.”

मोदी ने कांग्रेस के घोषणापत्र में जाति जनगणना की बात और उसे समाज का एक्सरे बताए जाने का उपयोग भी अपने मुस्लिम-विरोधी प्रचार में किया. उन्होंने झूठ बोलने के नए रिकॉर्ड कायम करते हुए कहा कि कांग्रेस एक्सरे कर यह पता लगाएगी कि किस हिन्दू के पास सोना और धन है और फिर उसे घुसपैठियों (जो भाजपा का मुसलमानों के लिए प्रयुक्त किया जाने वाले शब्द है) में बाँट देगी. हिन्दुओं और विशेषकर हिन्दू महिलाओं को डराने के लिए उन्होंने कहा, “मेरी माताओं और बहनों, वे आपके मंगलसूत्र भी नहीं छोड़ेंगे. कांग्रेस के घोषणापत्र में कहा गया है कि अगर उनकी सरकार बनती है, तो देश के हर व्यक्ति की संपत्ति का सर्वेक्षण किया जायेगा. यह पता लगाया जाएगा कि हमारी बहनों के पास कितना सोना है और सरकारी कर्मचारियों की कितनी संपत्ति है….उन्होंने यह भी कहा है कि हमारी बहनों के पास जो सोना है, उसे सब लोगों में बराबर-बराबर बांटा जाएगा. क्या सरकार को आपकी सम्पति आपसे छीनने का हक़ है?” उन्होंने कहा कि “हिन्दू महिलाओं का मंगलसूत्र छीन कर मुसलमानों को दे दिया जाएगा.”

यह सब कहकर वे एक तीर से कई निशाने लगाने का प्रयास कर रहे हैं. पहला, कांग्रेस के घोषणापत्र की आलोचना, दूसरा, मुसलमानों पर निशाना साधना और तीसरा, हिन्दू महिलाओं को डराना. आखिर कोई कितना झूठ बोल सकता है. उन्हें यह भरोसा है कि बड़ी संख्या में लोग उनके झूठ के पुलिंदे पर विश्वास कर लेंगे. वे जानते हैं कि संघ परिवार के प्रतिबद्ध कार्यकर्ता, उसका आईटी सेल और कॉर्पोरेट घरानों द्वारा नियंत्रित टीवी चैनल और अखबार यह सुनिश्चित करेंगे कि इस सफ़ेद झूठ को आमजनों का एक बड़ा तबका गंभीरता से ले. यहाँ तक कि उन्होंने बेचारी भैंस, जिसे भाजपा के गौमाता-केन्द्रित नैरेटिव में कभी जगह नहीं मिली, को भी अपने प्रचार में घसीट लिया. “अगर आपके पास दो भैंसे होंगीं, तो कांग्रेस उनमें से एक को आपके बाड़े से खोल ले जाएगी”.

और फिर भला यह कैसे संभव है कि भाजपा-मोदी के चुनाव अभियान में पाकिस्तान की चर्चा न हो. मोदीजी ने फ़रमाया कि पाकिस्तान चाहता है कि भारत में कमज़ोर सरकार बने. फहाद चौधरी नामक एक सज्जन, जो पाकिस्तान के पूर्व मंत्री हैं, ने कहा था कि राहुल गाँधी समाजवादी नीतियों की बात कर रहे हैं. मोदी का कहना है कि पाकिस्तान चाहता है कि राहुल गाँधी प्रधानमंत्री बनें ताकि बालाकोट जैसे ऑपरेशन न हों. मोदीजी शायद भूल गए हैं कि राहुल गाँधी की दादी इंदिरा गाँधी के नेतृत्व वाली कांग्रेस ने बांग्लादेश को स्वतंत्र करवाकर, पाकिस्तान को दो भागों में बांटने का साहसिक निर्णय लिया था – और वह भी पश्चिम के शक्तिशाली देशों की इच्छा के खिलाफ.

अब मुगलों को भी लाना था. इसके लिए मोदी ने तेजस्वी यादव के एक ट्वीट का उपयोग किया, जिसमें वे नवरात्र के एक दिन पहले मछली खाते हुए दिख रहे हैं. मोदी ने कहा कि तेजस्वी नवरात्र के पवित्र पर्व के दौरान मछली खाकर हिन्दुओं को उसी तरह अपमानित कर रहे हैं जिस तरह मुग़ल राजा, मंदिरों को गिरा कर किया करते थे. एक विपक्षी नेता की मामूली सी तस्वीर को मुगलों और वर्तमान मुसलमानों से जोड़ कर मोदी जी ने यह दिखा दिया है कि वे किसी भी चीज़ का उपयोग मुसलमानों और विपक्ष के नेताओं के दानवीकरण के लिए कर सकते हैं.

सचमुच, मोदी जी अद्भुत प्रतिभा के धनी है. वे जहाँ धुआं न भी हो, वहां आग पैदा करने में सक्षम हैं.

08/05/2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)  

Loading

મંજુમ્મેલ બોયઝ : મૃત્યુને સજીવન કરતી કથા!

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 May 2024

રવીન્દ્ર પારેખ

મંજુમ્મેલ કસબાનું એક અગિયારેક યુવાનોનું ગ્રૂપ છે. પાણીમાં ધુબાકા મારીને મોટા થયા છે ને હવે મસ્તીથી જીવે છે. કોઈનાં લગ્નમાં ટોળે વળીને નાચે છે, ઝઘડે છે, રસ્સી ખેંચમાં શક્તિ પ્રદર્શન કરે છે ને જ્યાં હોય ત્યાં સાથે રહે છે. વેકેશન મૂડમાં આ મિત્રો ગોવા જવાનો પ્લાન કરે છે, પણ પૈસા ટૂંકા છે, એટલે નજીકમાં, કોડાઈકેનાલ જવાનું નક્કી કરે છે. એક દુકાનમાં બધા નાસ્તો કરે છે, તો વૃદ્ધ દુકાનદાર, પાછા આવીને અહીં જ જમવાનો વાયદો લે છે. વાદળિયું પહાડી સૌંદર્ય માણતાં સૌ રિસ્ટ્રિકટેડ એરિયા સુધી આવે છે. અહીંથી આગળ જવાની મનાઈ છે, પણ મિત્રો એમ ગાંઠે? આમ સાહસી નથી, પણ કૂતુહલવશ ‘ગુના’ નામની ગુફામાં જવાનું નક્કી કરે છે. આ ડરામણી ને અજાણી જગ્યાએ સુભાષ જ એક વાર આવ્યો છે. બે ટેકરીઓની ધારથી કપાયેલા આકાશની પટ્ટી જેટલી ખુલ્લી જગ્યા વર્તાય એમ સૌ ઊંડે ઊતરતા જાય છે. ડર રોકે છે ને કુતૂહલ આગળ ધકેલે છે. સુભાષ આ જગ્યાની માહિતી આપે છે ને એકદમ તેનો અવાજ બંધ થઈ જાય છે …

આજુબાજુના મિત્રો અવાજ બંધ થઈ જતાં ‘સુભાષ’, ‘સુભાષ’ની બૂમો પાડે છે, પણ કોઈ જવાબ નથી મળતો. સુભાષને સૌ મજાક ન કરવાનું કહે છે, પણ તે સામે આવતો નથી. સૌ ચિંતામાં પડે છે. બધા આજુબાજુ જોઈ વળે છે, પણ સુભાષ જડતો નથી, ત્યાં એક ખાડા જેવું દેખાય છે ને સૌને લાગે છે કે તે ખાડામાં ઊતરી ગયો છે. ખાડામાં પથ્થર પડે છે, પણ નીચે પડવાનો અવાજ બહુ મોડો આવે છે, એ પરથી ખ્યાલ આવે છે કે ખાડાની ઊંડાઈ અગાધ છે. ઉપરથી બૂમ પડતી રહે છે, પણ જવાબ આવતો નથી. કેટલાક મિત્રો પેલા દુકાનદાર પાસે પહોંચે છે ને મદદ માંગે છે. દુકાનદાર હકીકત જાણે છે, તો ઠપકારે છે કે ખાડા સુધી જવાની જરૂર જ શી હતી? એ ખાડો કેટલો ઊંડો છે, એની ખબર પણ છે? છતાં તે ખાડા સુધી આવે છે. તે આવ્યો તો છે, પણ જાણે છે કે કોઈ કૈં કરી શકે એમ નથી.

દુકાનદારની દીકરી આ લોકોને પોલીસ પાસે જવાનું કહે છે. પોલીસ મિત્રોની વાત માનતી નથી ને નશામાં સૌ આવ્યા છે એમ માનીને ફટકારે છે. પોલીસ જ માહિતી આપે છે કે એ ખાડો ‘ડેવિલ્સ કિચન’ તરીકે જાણીતો છે. ત્યાં જવાની કોઈને છૂટ નથી. જે એ ખાડામાં ગયું છે, તે ફરી ઉપર આવ્યું નથી. એક સેન્ટ્રલ મિનિસ્ટરનો દીકરો એમાં ઊતરી ગયો હતો ને એને શોધવા 15 લાખનું ઈનામ જાહેર કર્યું હતું, પણ એ ઇનામની લાલચે પણ, કોઇની ઊંડે ઊતરવાની હિંમત થઈ ન હતી. કોડાઈકેનાલની જેટલી ઊંચાઈ છે, એથી વધુ તો એ ખાડાની 900 ફૂટ જેટલી ઊંડાઈ છે. અત્યાર સુધીમાં 16 જણાં એ ખાડામાં ઊતરી ગયાં હતાં, પણ કોઈ પાછું આવ્યું ન હતું.

ખાડા પાસે બૂમ મારી રહેલા મિત્રોને જવાબ મળતો નથી, પણ એક સામટાં ઘણાં બધાં ચામાચીડિયાં ઉપર ઊછળી આવે છે ને ફડ ફડ કરતાં ઊડી જાય છે. વરસાદ શરૂ થાય છે ને એટલો પડે છે કે પર્વતો પરથી નીચે વહી આવતું કાદવિયું પાણી ખાડામાં ધસમસી જઈ રહ્યું છે, એ જોતાં, આગળ પોતે સૂઈ જઈને, લાકડાં મૂકીને પાણી રોકવાનો કેટલાક મિત્રો એટલે પ્રયત્ન કરે છે કે પાણી નીચે પડેલા સુભાષ સુધી ન પહોંચે, પણ એમાં તો એ જ ખાડામાં લપસી જવાનું જોખમ ઊભું થાય છે. સુભાષની ભાળ મેળવવા બધી જ કોશિશો મિત્રો કરે છે, ત્યાં ઉપરથી પડતી બૂમના જવાબમાં ઝીણી બૂમ ઊંડેથી ઉપર આવે છે ને મિત્રોને ધરપત થાય છે કે સુભાષ જીવે છે. હવે સવાલ એ છે કે એને બચાવવો કેવી રીતે?

પોલીસ પણ બધી આડાઈ સાથે મદદે આવે છે. તેને એવું છે કે એકાદ આંટો મારીને પાછા આવી જવું, પણ ખાડા પાસેથી પોલીસને, ચોકીએ પહોંચાડવા કોઈ તૈયાર નથી. એણે પરાણે ત્યાં રોકાવું પડે છે, પછી તો બીજા અધિકારીઓ અને રેસ્ક્યૂ ટીમ પણ આવે છે. રેસ્ક્યૂ કરનારો અધિકારી ટ્રેઇન્ડ છે, પણ આટલે ઊંડે ઊતરીને બચાવવા જતાં જીવ ખોવાનું પણ થાય, એટલે એ તૈયાર થતો નથી, કોઈની હિંમત નથી, ત્યાં જીવનું જોખમ લેવા એ કુટ્ટન તૈયાર થાય છે, જે એને પૈસાની ફિકર ન કરવાનું કહીને અહીં લાવ્યો હતો. સુભાષની મા પણ તેને મોકલવા બહુ રાજી ન હતી, પણ કુટ્ટન સાથે છે એવું લાગતાં તે મોકલે છે.

પોલીસને પણ એનું આશ્ચર્ય જ છે કે ટ્રેઇન્ડ સ્ટાફ રિસ્ક લેવા તૈયાર નથી, તો આ કેવી રીતે તૈયાર થયો? તે તૈયાર થાય છે, કારણ કે આ જ સુભાષે, પોતે નાનો હતો ત્યારે તેને ડૂબતો બચાવ્યો હતો. પોલીસ અને એનો મિત્ર કુટ્ટનને ચેતવે છે, તો એ મિત્રને સામે પૂછે છે કે હું તૈયાર ન થયો હોત તો તું તૈયાર ન થયો હોત? પેલો કહે છે કે થયો જ હોત ! વાત જોખમની છે તે કરતાં પણ, મિત્ર જીવે છે તો એને કોઈ પણ ભોગે બચાવવાની છે. કૈં ન કરવા કરતાં કૈં કરી છૂટવામાં જીવી જવાની શક્યતા વધારે હોય તો એ પ્રયત્ન કરવો જ, એ ન્યાયે કુટ્ટન, સુભાષને બચાવવા તૈયાર થાય છે. એને હવે જીવવું ને મરવું લગોલગ છે.

છેવટે દોરડું બાંધીને તેને, સુભાષને બચાવવા ઊંડે ઉતારાય છે. મિત્રો દોરડું છોડતાં જાય છે ને કુટ્ટન નીચે ઊતરતો જાય છે. હેડલાઇટનાં અજવાળામાં જેટલું ને જેવું દેખાય છે એમાં સુભાષની શોધ ચાલે છે. ક્યારેક તો કૈં ભળાતું-સંભળાતું નથી. ફરતેના ખરબચડા પથ્થરો વચ્ચેથી તે નીચે ઊતરતો જાય છે ને ઉપરથી દોરડું છોડાતું જાય છે. એમ કરતાં કરતાં લગભગ 120 ફૂટનું દોરડું પૂરું થઈ જાય છે, પણ સુભાષ સુધી પહોંચાતું નથી. ઉપરથી કહેવાયું કે દોરડું ખૂટી પડ્યું છે, તો નીચેથી અવાજ આવ્યો કે બીજું દોરડું જોડો. મિત્ર માટેની ઘેલછાની હદે આવી લાગણી અદ્વિતીય છે. દોરડું જોડાયું ને થોડું વધુ ઊંડે જતાં કાળા કચરામાં ફેંકાયેલો લોહીલુહાણ સુભાષ દેખાય છે. જેમ આવડ્યું એમ દોરડા વડે સુભાષને બાંધીને કુટ્ટને દોરડું ઉપર ખેંચવા કહ્યું. વચમાં દોરડું ફસાયું ને હાલત એવી થઈ કે ઉપર ખેંચો તો પણ દોરડું ઉપર આવે નહીં, પણ પછી ઢીલ છોડીને દોરડું ઉપર ખેંચાયું ને સુભાષ ઉપર આવ્યો. સુભાષની હાલત એટલી નાજુક હતી કે મીડિયાને ખાળીને, તેને જેમ તેમ હોસ્પિટલ ભેગો કરાયો. સારવાર દરમિયાન સુભાષની મા કુટ્ટનને એ વાતે તિરસ્કારે છે કે સુભાષની આ હાલત તેને લીધે થઈ છે, પણ પછી ખબર પડે છે કે કુટ્ટનને લીધે જ સુભાષ નવજીવન પામ્યો છે, તો તેના પસ્તાવાનો પાર નથી રહેતો. તે બે હાથ જોડતી કુટ્ટન પાસે આવે છે ને આંસુ થઈ ઊઠે છે ….

આ ઘટના બની 2006માં. કુટ્ટનને સુભાષનો જીવ બચાવવા બદલ જીવન રક્ષક એવોર્ડ પણ સરકારે આપ્યો. જો કે, જે સાહસ એણે કરેલું એની સામે આ એવોર્ડ બહુ નાનો હતો. આ ઘટના પરથી ચિદમ્બરમે મલયાલમ ફિલ્મ લખી અને તેનું દિગ્દર્શન પણ કર્યું. એ હિન્દીમાં ડબ થઈ ને ઓ.ટી.ટી. પર ‘મંજુમ્મેલ બોયસ’ નામે 5 મે એ રિલીઝ થઈ. 20 કરોડના બજેટવાળી આ ફિલ્મે મલયાલમ ફિલ્મના બધા રેકોર્ડ્સ તોડ્યા છે. બીજી ભાષાઓમાં આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય તો એક ઉત્તમ ફિલ્મ તરીકેના ઘણાં માન-સન્માન તેને મળે એમ બને. આ ફિલ્મ વિષે આપણે ત્યાં બહુ જાણકારી નથી, પણ એ અચૂક જોવા જેવી ફિલ્મ છે.

એમાં કોઈ હિરોઈન નથી કે કોઈ હીરો નથી ને છે તે બધા જ હીરો છે. કોઈએ એક્ટિંગ કરી નથી. બધા જ નાનામાં નાની ભૂમિકા પણ મન મૂકીને જીવ્યા છે. એમાં પણ કુટ્ટન તરીકે સૌબિન વિશેષ ઉલ્લેખનીય. પર્વતીય સહજ સૌંદર્યને કેમેરાએ કુશળતાથી ઝીલ્યું છે, તે સાથે જ પ્રકૃતિનાં રૌદ્ર રૂપનો અનુભવ પણ પ્રેક્ષકોને ડગલે ને પગલે કરાવ્યો છે. શયજુ ખાલીદની ફોટોગ્રાફી પ્રકૃતિ દૃશ્યોમાં તો ખીલે જ છે, પણ ઊંડાઈનાં ખડકાળ દૃશ્યો કેવી રીતે ઝડપ્યાં હશે એનું આશ્ચર્ય પણ જન્માવે છે. એવું જ સુધી શ્યામનાં સંગીતનું પણ ખરું. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ભય, ઉત્તેજના અને કરુણને અસરકારક રીતે પ્રગટ કરે છે. સાથે જ, તંત્રોની રોગિષ્ટ ઉદાસીનતા પણ બહુ માર્મિક રીતે ફિલ્મમાં દર્શાવાઈ છે. સુભાષ જેમ તેમ બચીને ઉપર આવ્યો છે તો તેનું શું કરવું, તેના જવાબમાં પોલીસ કહે છે કે તેને પોલીસ સ્ટેશને લઈ જઈને ફોર્માલિટીઝ પૂરી કરીએ. જરૂર હોસ્પિટલે લઈ જવાની હોય ત્યારે પણ, પોલીસ ફોર્માલિટીઝનું જ વિચારે એવી જડતા અત્ર તત્ર સર્વત્ર છે.

શરૂઆતનો ગ્રામીણ પરિવેશ વાર્તા બાંધવામાં થોડો સમય લે છે, પણ પછી જે ગતિ પકડાય છે તે ધબકારા વધારનારી અને થડકો ચુકાવનારી છે. કેટલાંક દૃશ્યો અત્યંત હૃદયસ્પર્શી છે. એક તરફ સુભાષ છેડો ન જડે એવા ખાડામાં ધકેલાઇ ગયો છે ને બીજી તરફ વરસાદ છતની જેમ તોળાઈ રહ્યો છે, એવામાં વરસાદનું પહેલું ટીપું કુટ્ટનની પાંપણ નીચે પડતું બતાવાયું છે, જે સૂચવે છે કે આવનારો સમય આંખોનો વરસાદ લઈને પણ આવી રહ્યો છે. બીજા એક દૃશ્યમાં સુભાષ એ ખાડામાંથી બચીને આવ્યો છે, જ્યાંથી કોઈ આવ્યું નથી. એ દેવત્વ પામીને આવ્યો છે, એવું લાગતાં વૃદ્ધા તેનો ચરણ સ્પર્શ કરે છે.

આમ તો કુટ્ટનને નીચે ઊતરતો બતાવીને સુભાષને ઉપર આવતો બતાવી શકાયો હોત, પણ એવું એટલે થયું નથી, કારણ, આવું 2006માં ખરેખર બન્યું હતું. એ અનુભવ કરાવવા મહત્ત્વનું એ હતું કે કેટલી તકલીફ વચ્ચે ને કેટલી મહેનતે ને કેટલા લાંબા સમય પછી સુભાષને બચાવાયો હતો, એ પથરાળ રૂક્ષતાનો અપૂર્વ અનુભવ પ્રેક્ષકોને આપવો હતો ને એ આ ફિલ્મે આપ્યો, એને માટે લેખક અને દિગ્દર્શકને આપીએ એટલાં અભિનંદનો ઓછાં છે. આ કદાચ અવિસ્મરણીય ફિલ્મ નથી, પણ તે જરા ય ભૂલાય એવી પણ નથી …. 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 મે 2024

Loading

મે દિન પૂછે છે : કામદારોની હાલત બહેતર કે બદતર ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|9 May 2024

ચંદુ મહેરિયા

દુનિયાભરના મહેનતકશો તેમના સંઘર્ષની સ્મૃતિ તાજી કરતો અને નવા સંઘર્ષની તૈયારી કરતો મે દિન ઉજવે છે. ઈન્ટર નેશનલ લેબર ડે, મજૂર દિન, શ્રમિક દિન, કામદાર દિવસ કે વર્કર ડે જેવા નામે ઓળખાતો આ દિવસ શ્રમિકોનાં બલિદાન અને યોગદાનનાં સ્મરણોનો દિવસ છે. કામદારોના સન્માન સાથે તેમના અધિકારો માટે અવાજ ઉઠાવવાનો આ દિવસ છે. કામદારોમાં ટ્રેડ યુનિયન પરંપરા અને આંદોલનોને કારણે વિકસેલી વર્ગ ચેતનાને દૃઢાવવાના સંકલ્પનો આ દિવસ છે. મજદૂરોના અધિકારો માટેની જાગૃતિનો આ દિવસ છે. વિશ્વના કરોડો કામદારોના મહેનત, દૃઢ નિશ્ચય અને ઉજળી આવતીકાલના સપનાં સજાવવાનો આ દિવસ છે. યોગ્ય અને સમાન વેતન (ગાંધીજીના શબ્દોમાં જીવન યોગ્ય દરમાયો), કામની સલામત સ્થિતિ, કામના કલાકો જેવી અનેક માંગ અને હક માટે અદાલતો અને સરકારો સામે  લડવા, સમાજમાં કામદારોની સ્થિતિ મજબૂત કરવાનો તેમ જ ‘દુનિયા કે મજદૂર એક હો’નો નારો બુલંદ કરવાનો પણ આ દિવસ છે.

કામદારોનાં લોહી પરસેવાની કોઈ પણ દેશના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા છે. પરંતુ ખુદ કામદારોની હાલત દયનીય છે. અમેરિકા જેવા મૂડીવાદી દેશ પાસે જે સમૃદ્ધિ, સત્તા અને શક્તિ છે તેના પાયામાં મજૂરોનો પસીનો છે. ઔદ્યોગિક ક્રાંતિએ દુનિયામાં ઘણાં પરિવર્તનો આણ્યાં છે, પરંતુ તે કામદારોના શોષણ પર વિસ્તરી હતી તે ભૂલાઈ ગયું છે. લોઢા સાથે બાથો ભરતા શ્રમિકોને આંતેડા ઘોઘરે આવે ત્યાં સુધી મજૂરી કરવી પડતી હતી. તેમના કામના કલાકો નિશ્ચિત નહોતા. પંદરથી અઢાર કલાક સુધી કામ કરતા મજૂરોએ તેની સામે અવાજ ઉઠાવ્યો હતો. અમેરિકા અને કેનેડાના કામદારોએ પહેલી મે ૧૮૮૬ના રોજ કામના મહત્તમ આઠ  જ કલાકની માંગણી માટે હડતાળ પાડી હતી. આ હડતાળ લોહિયાળ બનતાં, કામદારો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો. ગોળીબારમાં કામદારો મરાયા ને ઘણાં ઘવાયા હતા. તેના ત્રણ વરસ પછી ૧૮૮૯માં પેરિસમાં મળેલી ઈન્ટરનેશનલ સોશ્યાલિસ્ટ કોન્ફરન્સમાં અમેરિકાના કામદારોની પહેલી મેની હડતાળની યાદમાં દર વરસે પહેલી મેનો દિવસ વિશ્વ મજૂર દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું હતું. આજે તો એ ઘટનાને ૧૩૫ વરસ થયા, પરંતુ હજુ કામદારોનું શોષણ અને તેની વિરુદ્ધના આંદોલનો ચાલે છે એટલે લગભગ આખી દુનિયામાં કામદાર દિવસ મનાવાય છે.

ભારતમાં ૧૯૨૩માં પહેલવહેલો મજૂર દિન ચેન્નઈમાં ઉજવાયો હતો. તેને પણ હવે સો વરસ વીતી ગયાં છે .જો કે હજુ દેશના મહેનતકશોની હાલત તો બદતર જ છે. ભારત સરકારના શ્રમ મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં ૪૮ કરોડ શ્રમિકો હોવાનો અંદાજ છે. તે પૈકીના મોટા ભાગના (૯૦ ટકા) અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. કૃષિમાં  ૪૨ ટકા, સેવા ક્ષેત્રમાં ૩૨ ટકા અને ઉદ્યોગોમાં ૨૬ ટકા કામદારો કામ કરે છે. વિશ્વના જે દસ દેશોના કામદારો સૌથી વધુ કલાક કામ કરે છે તેમાં ભારત સાતમા ક્રમે છે. ભારતીય શ્રમિક અઠવાડિયે ૪૭.૭ કલાક કામ કરે છે.

કામદાર કલ્યાણના કાયદા આઝાદી પછી તરત જ ઘડાયા હતા અને કામદાર સંગઠનો તો આઝાદી પૂર્વે જ રચાયા હતા. પરંતુ કામદારોનું શોષણ સંપૂર્ણ અટક્યું નથી. કામનું યોગ્ય વેતન અને કામના કલાકોની બાબતમાં આજે પણ શોષણ થાય છે. લધુતમ વેતનના કાયદા છતાં આજે ય ભારતીય શ્રમિક મહિને સરેરાશ રૂ. ૧૦,૦૦૦ જ કમાય છે. જે લઘુતમ વેતનથી ઓછા છે. કેન્દ્રીય કર્મચારીઓ માટેના સાતમા વેતન આયોગે ૨૦૧૬માં કર્મચારીઓનું લઘુતમ વેતન રૂ. ૧૮,૦૦૦ નક્કી કર્યું હતું પરંતુ અસંગઠિત ક્ષેત્રના કામદારોને તેનાથી અડધું ય મળતું નથી. હવે તો સરકારી કચેરીઓ, જાહેર ક્ષેત્ર વગેરેમાં રોજમદારો અને કોન્ટ્રાકટ મજૂરોની પ્રથા ચાલે છે જેમાં તેમનું મોટા પાયે શોષણ થાય છે.

ભારતમાં નિયમિત વેતન મેળવતા કામદારો તો ૨૩ ટકા જ છે. કુલ કામદારોના ચોથા ભાગના રોજમદારો છે. ૭૧ ટકા કામદારોને તેમના કામ કે નોકરીનો કોઈ લેખિત ઓર્ડર આપવામાં આવ્યો નથી. ૫૪ ટકાને સવેતન અઠવાડિક રજા મળતી નથી. કુલ કામદારોના ૫૭ ટકા ગ્રામીણ વિસ્તારોમાં છે. બાળ મજૂરી અને વેઠિયા મજૂરી નાબૂદ થવાના અણસાર વર્તાતા નથી. જ્ઞાતિગત વ્યવસાયોની પરંપરા મટવાની જણાતી નથી. સ્ત્રી-પુરુષને સમાન કામનું સમાન વેતન મળતું નથી. કામનાં સ્થળ સલામત નથી. વ્યવસાયિક જોખમ અને અસલામત કામના લીધે રોજ ક્યાંક ને ક્યાંક અકસ્માતો થાય છે અને મજૂરો મરે છે. દેશમાં ઔદ્યોગિક શાંતિના છદ્માવરણ તળે કામદારોનું શોષણ દટાયેલું રહે છે.

સ્થળાંતર એ ભારતીય કામદારની જાણે કે નિયતિ છે. સ્થળાંતરિત કે પ્રવાસી મજૂરોની હાલત કેવી બદતર છે તેનો પરિચય દેશ અને દુનિયાને કોરોના મહામારીના લોકડાઉનના ગાળામાં થયો હતો. ભારતમાં મજૂરોની સ્થિતિ બહેતર થઈ રહ્યાના જે નગારા પિટાતા હતા તેની વાસ્તવિકતાનો પરચો આપણને  કોરોના કાળમાં થઈ ચૂક્યો છે. એટલે શ્રમ કાયદાઓને સાંકળતી ચાર શ્રમ સંહિતાઓથી કામદારોનું દળદર ફિટવાનું નથી.

૧૯૯૧થી અમલી નવી અર્થનીતિએ પણ કામદારોની સ્થિતિને બદતર બનાવવામાં મોટો ભાગ ભજવ્યો છે. વિદેશી મૂડીરોકાણને આકર્ષવા ઔધોગિક શાંતિ જરૂરી હોવાના જાપ જપતાં દેશના કામદાર આંદોલનોનો કાંકરો કાઢી નાંખવામાં આવ્યો છે. લેબર કાયદા અને કામદાર યુનિયનોને તેમાં મુખ્ય અંતરાય માની તેને અપ્રસ્તુત કરવાના ખેલ ખેલાયા છે. ભારતના જાહેર ક્ષેત્રના ગુણગાન ગાનારા તેનું સર્જન ખરેખર તો ખાનગી ક્ષેત્રને સહાયરૂપ થવાના આશયથી થયું હતું તે સત્ય છૂપાવી રાખે છે. ખાનગી ઉદ્યોગોને આયાત કરવી પડે તેવા યંત્રોનું અને બીજું ઉત્પાદન જાહેર ક્ષેત્રે કરીને ખરેખર તો ખાનગી ક્ષેત્રને સરકારી મદદ આપી છે. નવી અર્થનીતિ અને ઉદારીકરણે કામદારોનું અહિત કરનારા નિર્ણયો લઈને સમાજવાદી શ્રમ કાયદા ધરાવતા દેશને મૂડીવાદી બનાવી દીધો છે.  ૨૦૦૦થી ૨૦૧૮ દરમિયાન ભારતના ઉદ્યોગપતિઓનો નફાનો ભાગ ૧૭ ટકાથી વધીને ૪૮ ટકે પહોંચ્યો હતો પણ મજૂરીનો હિસ્સો ૩૩ ટકેથી ઘટીને ૧૭ ટકા થઈ ગયો હતો. આવી બદતર હાલતમાં મજૂર આંદોલનો અને તેની તીવ્રતા ઘટ્યાં છે.  હડતાળઓમાં  વેડફાયેલા માનવદિવસો અને માલિક-મજૂર વિવાદના કેસોમાં ઘટાડો તેનું પ્રમાણ છે.

આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસે ભલે ‘હમ એક હૈ’ના નારા બોલાવાય પણ કામદારોની જ્ઞાતિ સભાનતા વર્ગચેતના આણી શકતી નથી. દેશમાં ૭૦,૦૦૦ મજૂર મંડળોનું હોવું કે રાજકીય પક્ષો અને વિચારધારા સાથે જોડાયેલા દસ મોટા કેન્દ્રીય મજૂર સંગઠનોનું હોવું કામદાર એકતા દર્શાવતા નથી. જે અમેરિકાના શિકોગાના મજૂરોની હડતાળની યાદમાં અને અમેરિકી શ્રમિકોની સામાજિક આર્થિક ઉપલબ્ધિઓની યાદમાં દુનિયાભરમાં પહેલી મેના રોજ મજદૂર દિન મનાવાય છે તે અમેરિકામાં કામદાર દિન દર વરસના સપ્ટેમ્બર મહિનાના પહેલા સોમવારે મનાવાય છે! ભારતમાં ડાબેરી મજૂર સંગઠનો પહેલી મેના મજૂર દિનની ઉજવણી કરે છે, પરંતુ જમણેરી મજૂર સંગઠનોની માંગ ૧૭મી સપ્ટેમ્બરની વિશ્વકર્મા જયંતીએ કામદાર દિનની છે! જમણેરી મજૂર સગઠનો કામદારોને ઔદ્યોગિક પરિવાર લેખે અને ડાબેરીઓ વર્ગશત્રુતાના પાઠ પઢાવે તેની વચ્ચે ભારતીય કામદારે તેની બદતર હાલતને બહેતર બનાવવાની છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...737738739740...750760770...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved