Opinion Magazine
Number of visits: 9457224
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

BJP: Communal Divisive Propaganda Yet Again

Ram Puniyani|English Bazaar Patrika - OPED|29 April 2024

Ram Puniyani

For majoritarian Nationalism communal, divisive propaganda has been a major plank for increasing their hold in the electoral arena through promoting Hate. The module of Hindu nationalist politics has been centered on two major planks. One, glorification of the ancient past, the era when values of Manusmriti were the social norms. And two, the distortion of History, particularly of medieval one. Here the temple destructions and conversion to Islam by force have been the major falsehoods.

On this foundation they have been adding other issues through their vast network. So far Babri demolition was used to propagate that Mughal rulers destroyed Hindu temples to humiliate the Hindus. It has been a major key of their falsehoods among others. Adding on to this during current general elections (2014) eating of meat has been twisted to intensify the same track.

Recently one visual of Tejaswi Yadav eating fish on 8th April was circulating. The Navratra, Holy month of Sawan as per Hindu calendar, when many Hindus hold that non veg should not be consumed, began from 9th April. Unmindful that the barrage was unleashed against Yadav for insulting the feelings of Hindus by eating non veg during holy month of Savan.

Prime Minister Narendra Modi seems to have mastered the art of twisting facts, using communal historiography to intensify the hate, communal propaganda. He seized this ‘fish given’ opportunity with both hands. He recalled that last year Lalu Yadav and Rahul Gandhi cooked and consumed meat during this holy month. In a shrewd way he combined meat during savan with the destruction of temples by Mughals, “When the Mughals attacked here, they were not satisfied with defeating the ruling king, unless they broke the temples and destroyed the places of worship. They found enjoyment in that. In the same way, by showing the video in the month of Sawan, they want to provoke the people of the country with the Mughal mentality.”  As per him the videos were uploaded by his political rivals for ‘vote-bank’ politics!

The issue of temple destructions by kings has been extensively researched by outstanding historians like Richard Eaton among others to show that temple destructions were also done by Hindu kings as well. Muslims kings also gave a lot of donations to Hindu temples. Kalhan’s classic Rajtarangini describes that Raja Harshdev, a Hindu King of Kashmir, appointed a special officer to uproot the idols of Hindu Gods, those made of Gold and Silver, from Hindu temples. Aurangzeb gave donations to Hindu temples as well.

In the game of sectarian nationalism, truth is the biggest casualty. Interpretations based on such communal mind sets are far away from the reality of social affairs. As Indian Nation Congress released its Election manifesto, Nyaya Patra, (Justice Proclamation) based on affirmative justice for weaker sections of society, Modi was prompt enough to state that this manifesto has the imprint of Muslim League of yore. Others from his cabal have also mastered this art of using dog whistle. Yogi Adityanath in an innocuous looking sentence stated that the criminal in UP will have to face Jail or Jahhanum. (word used for hell in Islamic tradition). He also brought forward the issue of Haji Malang, a shrine close to Mumbai being claimed to be a Hindu shrine, Malang Gadh. This is on the lines of Baba Budan Giri Dargah campaign which gave strength to BJP in Karnataka, three decades back.

Adding on to these Mr. Modi is spreading a fear that if the INDIA alliance comes to power it will redistribute wealth to ‘Infiltrators’. By this he is giving a signal that Muslims who have come from BanglaDesh will be given this wealth of ‘others’. “In the same breath he says that “Congress will give your wealth to ‘those with more children’ “In both these headlines the hint that Congress wants to appease Muslims is clear enough.

 The ‘scare of infiltrators’ was exposed when NRC was conducted in Assam. Out of 19 Lakh people who did not have proper papers 13 Lakhs were Hindus. The claim was that there are corners of Bangladeshi infiltrators (Termites in Amit Shah’s Words). As for those having more Children, the latest fertility rates reveal that these are declining among Muslim women and at present on average a Muslim women’s rate of fertility is marginally higher than the National average among Hindus. And if current trends continue they may become close enough soon.

One is reminded of the propaganda of Hindu right that Dr. Manmohan Singh had stated that Muslims have the first right on national resources. This was in the aftermath of Sachar Committee Report 2006, when the committee showed that the economic, social and political condition of Muslims is worsening over the years. What he had stated was totally different. He had said, “”I believe our collective priorities are clear: agriculture, irrigation and water resources, health, education, critical investment in rural infrastructure, and the essential public investment needs of general infrastructure, along with programs for the upliftment of SC/STs, other backward classes, minorities and women and children.”

How the Hindu right wing is capable of distorting the facts to suit political propaganda becomes clear in most of these instances. Spreading hate against Muslim and condemning those who dare to talk of affirmative action on rational grounds is a strict no for this political formation thriving on divisive politics.

Over the years its propaganda tools have become sharper and its mechanisms of spread well in place to the extent that they can concoct a narrative which demonizes the religious minorities, Muslims in this case. It constructs an anti Hindu image for those sticking to the norms of democracy and values of the Constitution. The powerful media is at present backing this party to hilt and is creating a ‘social common sense’, which is totally opposed to the plural ethos of India which have developed over a period of centuries, culminating in the greatest ever mass movement in the World, our freedom struggle.

It is time that the components of INDIA alliance give the truthful rejoinder to the falsehoods of majoritarinan politics.

Loading

આજે સમાજ પ્રાગ-પ્રૌઢાવસ્થા પરાગમનનો અનુભવ કરી રહ્યો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|28 April 2024

રમેશ ઓઝા

પુખ્ત થવું એટલે શું? સમાનાર્થી શબ્દો છે; પાકટ, પરિપક્વ. એવી વ્યક્તિ જે પોતાનાં જીવનને લગતા તમામ મહત્ત્વનાં નિર્ણયો પોતે લેવાની ક્ષમતા ધરાવતી હોય. તેમના વતી કોઈ વ્યક્તિ, સમૂહ કે સંસ્થાને નિર્ણય લેવાની જરૂર ન પડે એવી વ્યક્તિ. ટૂંકમાં સ્વતંત્ર વ્યક્તિ. એટલે તો તેને પુખ્ત, પાકટ, પરિપક્વ કે પ્રૌઢ તરીકે ઓળખાવવામાં આવે છે. પુખ્ત થયેલો માણસ કાખઘોડીથી મુક્ત થાય છે. ભારતનાં બંધારણમાં પુખ્ત થયેલ વ્યક્તિને જીવનસાથી પસંદ કરવાનો અબાધિત અધિકાર આપવામાં આવ્યો છે અને ત્યાં સુધી કે તે પોતાના વિવેકને અનુસરીને ધર્મ પણ બદલી શકે છે અને જો કોઈ ધર્મ કે ઈશ્વરમાં ન માનવું હોય તો નાસ્તિક પણ રહી શકે છે. મનુષ્યની પુખ્તતા (તેનાં દરેક અર્થમાં) એક અનોખી અવસ્થા છે.

પણ મનુષ્ય પુખ્તતાથી ડરે છે, કારણ કે પુખ્તતા સાથે સ્વતંત્રતા જોડાયેલી છે અને સ્વતંત્રતા એક જવાબદારી છે. સ્વતંત્ર માણસ સ્વતંત્ર નિર્ણય કરે તો તેનાં પરિણામની જવાબદારી પણ તેની જ રહે. એ બીજા કોઈને જવાબદાર ન ઠેરવી શકે. પણ માણસને સ્વતંત્ર થવું નથી અને એમાં એવું બન્યું કે પાંચસો-સાતસો વરસ પહેલાં યુરોપમાં પુનર્જાગરણનાં આંદોલનના ભાગરૂપે મનુષ્યને સ્વતંત્ર કરવામાં આવ્યો. ધર્મથી સ્વતંત્ર કરવામાં આવ્યો, ધર્મગ્રંથ અને ધર્માચાર્યોથી સ્વતંત્ર કરવામાં આવ્યો. સમાજથી સ્વતંત્ર કરવામાં આવ્યો, સામજિક રીતિરિવાજ અને બંધનોથી મુક્ત કરવામાં આવ્યો. માણસને સમાજથી (સમાજના આધિપત્યથી) સ્વતંત્ર કરીને વ્યક્તિ તરીકે સ્થાપવામાં આવ્યો. આને આધુનિકતા કહેવામાં આવે છે અને આધુનિકતાના કેન્દ્રમાં વ્યક્તિ અને તેનું સ્વાતંત્ર્ય છે. તમામ પ્રકારનાં આધિપત્યો વ્યક્તિની સ્વતંત્રતા સામે ગૌણ ગણાવા લાગ્યાં.

આમ તો આ આનંદનો અવસર હતો, પણ માણસ દુઃખી થવા લાગ્યો. એ લોકો પણ દુઃખી થઈ ગયા જેમણે જન્મ સાથે મળતું કે વિશેષ અધિકારના ભાગરૂપે મળતું આધિપત્ય ગુમાવી દીધું. એકને સ્વતંત્રતાથી ભાગવું હતું, કોઈકના ચરણોમાં બેસવું હતું, કોઈકના આદેશ મુજબ જીવવું હતું, કોઈકની આંગળી પકડી લેવી હતી, જીવન જીવવાના પડકારોથી હાથ ખંખેરી નાખવા હતા અને બીજી બાજુ જેણે આધિપત્ય ગુમાવ્યું હતું એ મુક્ત થયેલા લોકોને પાછા પિંજરે પૂરવા માગતા હતા. પણ સમસ્યા એ હતી કે વ્યક્તિના અધિકારોના મશાલચીઓનો ડારો એટલો મોટો હતો કે પિંજરે પૂરવા માગનારાઓ અને પૂરાવા માગનારાઓ એમ બન્ને ડરતા હતા. શંકા કરો, પ્રશ્ન કરો, આધિપત્યને નકારો, અંતરાત્માને કે વિવેકને અનુસરો, પ્રવાહપતિત નહીં બનો, જરૂર પડે તો એકલા ચાલતા શીખો, પોતાના અભિપ્રાયમાં શ્રદ્ધા રાખો વગેરે પ્રકારની સ્વતંત્રતાપરક શીખનો પ્રભાવ એટલો હતો કે ભાગનાર કે પકડનાર એમ બન્ને ડરતા હતા. પણ એનો અર્થ એવો નહોતો કે ભાગનારે ભાગેડુવૃત્તિ અને પકડનારે હાથકંડા અજમાવવાનું બંધ કરી દીધું હતું. એ પ્રવૃત્તિ તો ચાલતી જ હતી. જાણીતા મરાઠી કવિ વિંદા કરંદિકરે કહ્યું છે કે ભારતમાં વિજ્ઞાનની શરૂઆત ચાર્વાકથી થઈ છે, આર્ય ભટ્ટ વગેરે વિજ્ઞાનીઓ દ્વારા નહોતી થઈ. ચાર્વાકદર્શન ભોગવાદી કે જડવાદી દર્શન નથી, તે આધિપત્યને નકારનારું શંકા અને પ્રશ્ન કરનારું દર્શન છે અને વિજ્ઞાનની શરૂઆત ત્યાંથી થાય છે. વિજ્ઞાનનિષ્ઠા વિના વિજ્ઞાન સંભવ નથી.

પણ જેમ વ્યક્તિના જીવનમાં બને છે એમ સમાજજીવનમાં પણ પ્રાગ-પ્રૌઢાવસ્થા તરફ પરાગમન થતું હોય છે. પ્રાગ-પ્રૌઢાવસ્થા એટલે વ્યક્તિ પુખ્ત બન્યો તે પહેલાંની અવસ્થા. પરાગમન એટલે પાછા ફરવું. એ દિવસો હતા જ્યારે મમ્મી આંગળી પકડતી હતી, પપ્પા શું પહેરવું, શું ભણવું, ક્યાં ભણવું વગેરે નિર્ણયો લેતા હતા. એ આંગળિયાતપણામાં નિરાંતનો અનુભવ થતો હતો. કોઈ જવાબદારી નહીં. પરાવલંબનનું સુખ. સિગમંડ ફ્રોઈડ અને બીજા મનોવિજ્ઞાનીઓએ આ અવસ્થા વિષે ઊંડું ચિંતન કર્યું છે. માણસ દોટ મૂકીને પાછો ફરવા માંગે છે, કારણ કે તેને પડકારોથી ડર લાગે છે. એકલાં ચાલતા ડર લાગે છે. આ એક પ્રકારની મનોરુગ્ણતા છે.

વ્યક્તિની જેમ સમાજ પણ આવી અવસ્થાનો વચ્ચે વચ્ચે અનુભવ કરે છે અને આજનો યુગ પ્રાગ-પ્રૌઢાવસ્થા પરાગમનનો યુગ છે એવું નિરીક્ષણ આપણા કવિ સિતાંશુ યશશ્ચન્દ્રે ફાર્બસ ગુજરાતી સભાના ત્રિમાસિકમાં કર્યું છે અને તેમાં તેમણે કરેલી વિવેચના મનનીય છે. સમાજ પુખ્તતાનો ડર અનુભવે છે. જે યુગમાં સંકટ ઘેરાવા લાગે, વિકટ થવા લાગે, પડકારો મોટા થવા લાગે, ધોરી રસ્તો ટૂંકો થતો જાય અને છેવટે રૂંધાતો લાગે, ભવિષ્ય વિષે ચિંતા થવા લાગે ત્યારે લોકો ડરી જાય અને એ સામૂહિક ડર અનેકરૂપે પ્રગટ થાય. આજે આપણે તેનો અનુભવ કરી રહ્યા છીએ. વ્યક્તિની સ્વતંત્રતાને સ્થાપનારી આધુનિકતા સામે જેમનો પરાજય તો નહોતો થયો, પણ જે લોકો થોડાક હાંસિયામાં ધકેલાઈ ગયા હતા એ લોકોને પાછું આધિપત્ય જમાવવાનો અવસર મળી ગયો છે. એ લોકો ડરાવીને નિર્ભય બનાવે છે. ગાંધીજીએ ડર છોડાવીને નિર્ભય બનાવ્યા હતા, જ્યારે આ લોકો ડરાવીને નિર્ભય બનાવે છે. અમારી આંગળી નિર્ભયતાની ગેરંટી આપે છે, પણ એ માટે અમારી આંગળી પકડવી પડશે અને જો નહીં પકડો તો તમારું શું થશે એ તમે જાણો.

આધુનિક યુગમાં સમાજે ક્યારે ય નહોતું અનુભવ્યું એવું મોટું સંકટ સામે છે. માણસ ડરેલો છે અને માટે તેને વધારે ડરાવીને નિર્ભય બનાવવાનો ખેલ ચાલી રહ્યો છે. ભૂલી જાઓ સ્વતંત્રતા અને અધિકારો. એણે શું આપ્યું તમને? આ ભવસાગરમાં નોંધારા છોડી મૂક્યા માટે પૂળો મૂકો તેને, અને આવો પાછા, વાડે પૂરાઈ જાઓ. તમારે કાંઈ જ કરવાનું નથી, માત્ર અમારામાં શ્રદ્ધા રાખવાની છે. આ અવસ્થાનું નામ પ્રાગ-પ્રૌઢાવસ્થા પરાગમન.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 28 ઍપ્રિલ 2024

Loading

ભારતની ચૂંટણીની પ્રક્રિયા અને પરિણામ બન્ને પર આખી દુનિયાની નજર છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|28 April 2024

ભા.જ.પા. સરકાર જો ફરી સત્તા પર આવે તો સત્તાધીશો શબ્દો અને કર્મો વચ્ચેની ખાઇ કેટલી હદે પુરાશે એ જોવામાં પણ અનેક રાષ્ટ્રોને રસ છે. લોકશાહી, અર્થતંત્ર, ધ્રુવીકરણ જેવા બહુસ્તરીય પ્રિઝમથી ભારતની ચૂંટણીને નાણવામાં આવી રહી છે.

ચિરંતના ભટ્ટ

આપણે બધાં જ અત્યારે ચૂંટણીની મોસમમાં છીએ. છ અઠવાડિયા અને સાત તબક્કામાં મતદાન થવાનું છે અને છેક 1લી જૂને મતદાન પૂરું થશે. ભારત એ દુનિયાનાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાંનો એક તો છે જ, પણ આપણું અર્થતંત્ર પણ દિવસે દિવસે પોતાનું કદ વધારી રહ્યું છે. આપણે ત્યાં અર્થતંત્રની ખાઇ બહુ જ મોટી હોવા છતાં પણ વિદેશી કંપનીઓને અહીં તગડું માર્કેટ મળી રહે છે અને માટે જ ભારતમાં કોની સરકાર બને છે તે જાણવાની તાલાવેલી વિદેશી રાષ્ટ્રોને પણ છે. રાજકીય ભૌગોલિક સમીકરણની દૃષ્ટિએ પણ ભારત એવી રીતે દુનિયાના નકશે ગોઠવાયેલો છે કે આપણા રાજકારણમાં રસ લીધા વિના વિદેશી રાષ્ટ્રોને છુટકો નથી. ગયા વર્ષે G20 સમિટ ભારતમાં યોજાયું અને ઘણાં બધાં મહત્ત્વનાં કહી શકાય એવા વિદેશી નેતાઓ સાથે વડા પ્રધાને મુલાકાત કરી. સમિટમાં પણ જે રીતે વિશ્વ સ્તરીય નેતૃત્વને આમંત્રણ અપાયા હતા તેમાં ભારતને એક વિકાસશીલ રાષ્ટ્ર તરીકે જોવાનો દૃષ્ટિકોણ કેળવાય તેની પૂરી તકેદારી રખાઇ હતી. આપણી લોકશાહી અન્ય રાષ્ટ્રો સાથેના આપણા સંબંધો માટે અગત્યનો પાયો છે. જો કે લોકશાહીનું રૂપ જેવું હોવું જોઇએ એવું નથી રહ્યું અને સતત એવી ઘટનાઓ ઘટે છે જ્યાં લોકશાહીના પાતળા પડી રહેલા પોતની ચિંતા કરવી પડે એમ કહેવામાં પણ જરા ય અતિશયોક્તિ નથી. ઇન્વેસ્ટીગેટિંગ એજન્સીઝના સપાટામાં ભલભલા લોકો આવી ગયા છે, વિરોધપક્ષના નેતાઓ જેલમાં છે અથવા તો એવી રીતે ભેરવાયેલા છે કે કંઇ બીજું કરી શકે એમ નથી. સ્વાભાવિક છે કે કેન્દ્ર સરકાર તો એમ જ દાવો માંડે કે તપાસ એજન્સીઓની કામગીરીમાં તેમનો કોઇ ફાળો નથી. પણ ભારતીય મતદાતા સાવ ભોટ તો છે નહીં એવી વાતો માની લે, હા એમ થઇ શકે કે રાજકીય ઝુકાવને વધુ મહત્ત્વ આપતા હોવાથી લોકશાહીને હાંસિયામાં ધકેલાતી હોવા છતાં તેનુ શું કરવું જોઇએ તે વિશે વિચારવામાં કે તેના હાલ જોવામાં તેમને કોઇ રસ ન હોય.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સારો-ખરાબ કે સાચો-ખોટો વહીવટ કરે છે કે કેમ એ ચર્ચા અત્યારે અસ્થાને છે, કારણકે જે છે એ આપણી નજર સામે છે. આ વહીવટનાં કેટલાં સારાં પરિણામો આવ્યા છે તો કેટલા ય પરિણામો એવા છે જે કઠે. અત્યારે આપણને શું કેવું લાગે છેની ગણતરી બાજુમાં મૂકી દઇએ અને વૈશ્વિક સ્તરે નરેન્દ્ર મોદી એક વડા પ્રધાન તરીકે પોતાની છાપને જાળવવા કેટલી તકેદારી રાખે છે તેની પર નજર કરીએ. આ જોવું જરૂરી છે કારણ કે ભારતનું મહત્ત્વ વૈશ્વિક સ્તરે વધારવું હોય તો આ બધી પહેલ ગણતરીમાં લેવી પડે. માર્ચના છેલ્લા અઠવાડિયામાં નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારમાંથી જરા બ્રેક લઇને રશિયાના પુતિન અને યુક્રેઇનના ઝેલેન્સ્કી સાથે વાત કરી. તેમણે બન્ને રાષ્ટ્રોને ભારત સાથેની ભાગીદારી મજબૂત કરવા અંગે સૂચવ્યું. બે રાષ્ટ્રો જે અત્યારે એકબીજાની સામે છે તેમને બન્નેને ભારત તરફથી એમ બાંયધારી મળી કે આ સંઘર્ષનો શાંતિપૂર્વકનો ઉકેલ શોધવામાં ભારત તેમને ચોક્કસ મદદ કરશે. આ પહેલાં મોદીએ આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને ઇઝરાયલ મોકલી આપ્યા હતા. ઇઝરાયલ સાથે આપણે સારા સંબંધો જ છે પણ અહીં મોદીએ ઇઝરાયલને એમ સંદેશો પાઠવ્યો કે ભારત તમારો મિત્ર છે એમ માનીને તેના ટેકાને હળવાશથી લેવાની જરૂર નથી. ઇઝરાયલને કારણે ગાઝામાં જે મોતનું તાંડવ ખેલાયું છે તે અંગે આખી દુનિયામાં થુ થુ થઇ રહ્યું છે (એવા પશ્ચિમી રાજ્યો પણ આની ટીકા કરી રહ્યા છે જે છાને ખૂણે આ સંઘર્ષ ચાલુ રહે એમ ઇચ્છે છે) અને માટે જ ઇઝરાયલને ભારતનો ટેકો હોવા છતાં જ્યાં જરૂર પડે ત્યાં ટકોર કરવામાં આપણું નેતૃત્વ ચૂકતું નથી એવો સંદેશ વિશ્વ સમક્ષ સ્પષ્ટ કરાયો.

રાજકારણમાં ‘ઇમેજ-મેનેજમેન્ટ’ બહુ જરૂરી છે અને વડા પ્રધાનને આ બહુ જ સારી રીતે ખબર છે. આમ તો આ બધાં જ રાજકારણીઓને ખબર હોય છે પણ વડા પ્રધાને આ મામલે લેસન પાકું કરેલું છે. મુત્સદ્દી પહેલથી વૈશ્વિક સ્તરે પોતાની છબી જાળવવામાં તે કોઇ કચાશ નથી છોડતા.

ટૂંકમાં ઘરે પ્રસંગ હોવા છતાં – એટલે કે ચૂંટણી હોવા છતાં વડા પ્રધાને બે મોટા વૈશ્વિક સંઘર્ષોને સંબોધીને મોદીએ સાબિત કર્યું કે તેઓ ભારતની આંતરરાષ્ટ્રીય જવાબદારી સમજે છે. આડકતરી રીતે એમ કે ભારત વૈશ્વિક રાજકારણમાં અગત્યનો ભાગ ભજવે છે તેને હળવાશથી ન લેવાય. રાષ્ટ્રીય સ્તરની ચૂંટણી ટાણે તત્કાલિન નેતૃત્વને બહુ ગંભીરતાથી નથી લેવાતું પણ મોદીને મામલે માહોલ અલગ છે. એવા ઘણા વૈશ્વિક નેતાઓ છે જે ચાહે છે કે મોદી સત્તા પર પાછા ફરે અને માટે જ આપણી ચૂંટણી પર આખી દુનિયાની નજર છે. આપણે એક રાષ્ટ્ર તરીકે ખૂબ સંકુલ છીએ, એક કરતાં વધારે પક્ષ છે (હજી  સુધી તો છે – રહે તો સારું ભગવાન! ) અને એક બહુસ્તરીય સમાજમાં ચૂંટણી પંચ કઇ રીતે સફળતાથી ચૂંટણી પાર પાડે છે એ જોવું અને જાણવું કોઇને માટે પણ અજાયબીનો વિષય સાબિત થાય છે. ચૂંટણી પંચ લોકશાહી ઢબે જ ચાલતું આવ્યું છે જો કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચૂંટણી પંચની સ્વાયત્તતામાં છેકછાક થઇ જ છે, આપણે આ વિશે પહેલાં જ વાત કરી ચૂક્યા છીએ. જો કે એ તો ‘ઘરની અંદર’ની વાત છે. છતાં ય આપણા દેશની લોકશાહી નબળી પડી રહી હોવાનાના મુદ્દા આંતરરાષ્ટ્રીય સ્તરે એટલો ઘોંઘાટ તો કરી ચૂક્યા છે કે એના લીધે તમામની નજર ભારતની ચૂંટણી પર છે જ.

આપણી લોકશાહી દોષરહિત નથી પણ છતાં ય ચૂંટણીને કારણે સત્તા પરિવર્તન આપણે સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે જોયું છે (એમાં ગોટાળા પણ થતા હોય છે પણ એ વાત ફરી ક્યારેક). પશ્ચિમી રાષ્ટ્ર ન હોવા છતાં આપણી લોકશાહી, બંધારણ અને ન્યાયતંત્રનો વ્યાપ, આદર અને તેની જોગવાઇની અસરકારકતા અન્ય રાષ્ટ્રોમાં કુતૂહલ ચોક્કસ જાગાડે છે.

ભા.જ.પા.નું નેતૃત્વ પોતે દ્વેષપૂર્ણ હોવાની ખરડાયેલી છબીને સાફ કરવા જરા વધારે મહેનત કરે તો સારું. એ સારું છે કે ભા.જ.પા.એ પ્રજ્ઞા ઠાકુર, રમેશ બિધુરી અને પરવેશ વર્મા જેવા વિવાદાસ્પદ સભ્યોને લોકસભાની ટિકીટ નથી આપી, પણ તેની સામે હજી ગણતરીના દિવસો પહેલાં વડા પ્રધાને જે ભાષણ કર્યું એ ચોક્કસ યોગ્ય નહોતું. વાઇરલ થયેલા આ ભાષણમાં એમણે મુસલમાનો વિષે જે રીતે વિધાનો કર્યા એ કોઇ વડા પ્રધાનને છાજે એવી ભાષા હતી જ નહીં. ધાર્મિક લધુમતીઓ પ્રત્યેનો આક્રોશ ઠારવો પડશે નહીંતર આ વૈવિધ્યપૂર્ણ રાષ્ટ્રની ઓળખ ખાડે જશે. પશ્ચિમમાં ઇસ્લામોફોબિયા એક મોટો પ્રશ્ન છે પણ ભારતને એ નહીં પોસાય એ સમજવું પડશે અને આપણે જ એક સહિષ્ણુ રાષ્ટ્ર હોવાની મિસાલ બનવું પડશે અને બનવું જોઇએ.

અન્ય રાષ્ટ્રોને આપણે ત્યાં સત્તા પર કોણ આવે છે એ જાણવાની તાલાવેલી હોવાનું કારણ આપણું અર્થતંત્ર પણ છે. યુક્રેન અને રશિયા વચ્ચેના સંઘર્ષને કારણે મોટા ભાગની યુરોપિયન અર્થવ્યવસ્થાઓ હચમચી ગઇ છે. ચીનની અર્થ વ્યવસ્થાના હાલ કોવિડ-19 રોગચાળા પછી માંડ બેઠી થઇ રહી છે. વળી ચીન અને રશિયા સાથે બિઝનેસ ન કરવો હોય તો ભારત રાજકીય ભૌગોલિક દૃષ્ટિએ પણ આદર્શ પસંદગી છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અનુસાર આપણો વિકાસ દર 6.5 ટકા છે. આપણું અર્થતંત્ર અન્ય રાષ્ટ્રો કરતાં બહેતર હોવાને કારણે અને અહીં મોટું માર્કેટ હોવાને કારણે અન્ય દેશોને ભારતમાં ભારે રસ છે. સ્થિર રાજકીય સ્થિતિ અને આર્થિક વાટાઘાટો માટે સાનુકૂળ વાતાવણ પૂરું પાડવાનું વડા પ્રધાને વચન આપ્યું છે અને માટે જ આપણી ચૂંટણીમાં બધાંને રસ છે. ભારત સાથે અત્યાર સુધી કરેલા વ્યાપારી કરાર અને સોદાને આગળ વધારવા માટે પણ સત્તા પર કોણ આવે છે એમાં રોકાણકાર રાષ્ટ્રોને રસ હોય તે સ્વાભાવિક છે. મોદીએ વિદેશી રાષ્ટ્રો સાથે સારાસારી રાખીને જ્યાં શક્ય બન્યું છે ત્યાં ભારતીય રહેવાસી અને વિદ્યાર્થીઓ માટે પણ બહેતર જોગવાઇ કરાવડાવી છે (આ એમણે ઑસ્ટ્રેલિયામાં કર્યું છે પણ પેલું ‘વૉર રુકવા દી’ વાળી વાત બોગસ છે.) મોદીનો અભિગમ બહુ સ્પષ્ટ છે, તે લેવડ-દેવડમાં માને છે અને વિદેશી રાષ્ટ્રો પણ પોતાના લાભ માટે સામે લાભ આપવા તૈયાર છે.

રાજકારણ સ્વાર્થનો ખેલ છે. આપણી લોકશાહીની મજબુતાઇ આપણા રાષ્ટ્રની છબીને બહેતર બનાવશે. બહાર બધું ચકાચક હશે ને અંદરખાને અરાજકતા, ધુર્વીકરણ અને સરમુખત્યાર વલણ ચાલશે તો તેમાં વૈશ્વિક છબી પર ફેર તો પડવાનો જ છે. આપણે ત્યાંની તપાસ એજન્સીઓ, ઇલેક્ટોરલ બોન્ડની બબાલ, એસિડીક ભાષણો, લદ્દાખ, જમ્મુ કાશ્મીર અને પશ્ચિમ બંગાળના મુદ્દાઓ પર પણ વિદેશી રાષ્ટ્રોની નજર છે જ અને માટે જ તેમને આ ચૂંટણીના પરિણામમાં જ નહીં પણ તેની પ્રક્રિયામાં પણ રસ છે.

બાય ધી વેઃ

સત્તા પક્ષના દાવા, વચનો અને કર્મો વચ્ચેના તફાવત પર વિદેશી રાષ્ટ્રોની નજર છે. ભારતની સમૃદ્ધિમાં તેમનો સ્વાર્થ સરતો હશે તો જ તેમને ભારતમાં રસ છે – આ પશ્ચિમી રાષ્ટ્રોનું વલણ છે. વૈશ્વિક સ્તરે સ્થિર રાજકીય સંજોગો અને મજબૂત લોકશાહી આ બન્ને પાસા કોઇપણ રાષ્ટ્ર માટે અગત્યનાં હોય છે. વળી આપણે ત્યાં બેરોજગારી અને સ્થળાંતર અંગેના પ્રશ્નો તો વિદેશમાં વસનારા ભારતીયોને પણ સતાવે છે. મોદી શું કહે છે અને કરે છે તે તો બધા જુએ જ છે પણ જે નથી થઇ રહ્યું તેની પર પણ સૌની ચાંપતી નજર છે એ ભુલવું ન જોઇએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 ઍપ્રિલ 2024

Loading

...102030...583584585586...590600610...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved