Opinion Magazine
Number of visits: 9664883
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નહેરુએ ટાટાને કહ્યું હતું, “મારી પાસે પ્રોફિટની વાત ન કરતા, એ ગંદો શબ્દ છે”

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 October 2024

રાજ ગોસ્વામી

૧૯૫૩માં, જ્યારે એર ઇન્ડિયાનો કારભાર સરકારે લઇ લીધો હતો, ત્યારે ભારતની પહેલી એરલાઈન્સના જનક જે.આર.ડી. ટાટાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “એ મારા માટે સૌથી મોટો માનસિક અને નૈતિક આઘાત હતો. મને લાગ્યું હતું જાણે એક પેરન્ટ પાસેથી એના લાડકા સંતાનને છીનવી લેવામાં આવ્યું છે. એ એકમાત્ર એવી કંપની હતી, જેને મેં જાતે રસ લઈને ઊભી કરી હતી અને તેને સંભાળી હતી. એકંદરે અમે બહુ નાના હતા, પરંતુ અમારું સ્ટાન્ડર્ડ બને એટલું શ્રેષ્ઠ હતું.”

ત્યારે જવાહરલાલ નહેરુની સરકાર હતી. ૧૯૩૨માં, જે.આર.ડી.એ સ્થાપેલી એર ઇન્ડિયા ત્યારે દુનિયાની શ્રેષ્ઠ એર લાઈન્સ પૈકીની એક હતી. નહેરુ અને ટાટા આમ દોસ્ત હતા, પરંતુ આર્થિક નીતિઓને લઈને બંને વચ્ચે સો ગાઉંનું છેટું હતું. દેશના વિકાસ માટે ટાટા ખાનગી ઉધોગોની તરફેણમાં હતા, અને રશિયન સમાજવાદના રંગે રંગાયેલા નહેરુ માનતા હતા કે ઉદ્યોગો પર રાજ્યનું નિયંત્રણ હોવું જોઈએ. 

‘બોમ્બે ક્લબ’ તરીકે જાણીતા મુંબઈના બિઝનેસમેનો વતીથી ટાટા એકવાર ભારતે કેવી આર્થિક નીતિ અપનાવી જોઈએ તેની ચર્ચા કરવા માટે નહેરુને મળવા દિલ્હી ગયા હતા, ત્યારે વડાપ્રધાને ગળું ખંખેરીને કહ્યું હતું, “મારી પાસે પ્રોફિટની વાત ન કરતા. પ્રોફિટ ગંદો શબ્દ છે.”

નહેરુ અને ઇન્દિરા બંનેને ઉદ્યોગપતિઓથી ‘સુગ’ હતી. ટી.એન. નિનાન નામના એક વરિષ્ઠ પત્રકારે ૧૯૮૬માં એક ઇન્ટરવ્યૂમાં જે.આર.ડી.ને પૂછ્યું હતું કે, “ઉદ્યોગમાં તમે જે કરવા માંગતા હતા એમાં કેટલા સફળ રહ્યા હતા?”

જહાંગીર રતનજી દોરાબજી ટાટા

જે.આર.ડી. : “સાચું કહું તો મને બહુ હતાશા થઇ હતી. યુવાન હતો ત્યારે હું એન્ગ્રી યંગ મેન હતો. આપણે ગુલામ હતા, લોકોનું શોષણ થતું હતું. આપણે અવસરો ગુમાવી દીધા અને હવે હું એન્ગ્રી ઓલ્ડ મેન છું.”

નિનાન : “તમારી મોટી હતાશા આ હતી?”

ટાટા : “યેસ, ઓફકોર્સ. ૩૫ વર્ષ પહેલાં આ દેશમાં હું પહેલો માણસ હતો જેણે વસ્તી વધારા સામે લાલ બત્તી ધરી હતી. મેં એક ભાષણ આપ્યું હતું, અને મને કોણે ટકોર્યો હતો ખબર છે? નહેરુએ. મારા કાનમાં એ બોલ્યા હતા, ‘નોનસેન્સ વાત છે, જે. વિશાળ વસ્તી કોઈપણ રાષ્ટ્રની તાકાત હોય છે.’ એ પછી આપણે ૩૫ કરોડ લોકો ઉમેર્યા.”

નિનાન : “તમે તેમની સાથે દલીલો કરતા ન હતા?”

ટાટા : જવાહરલાલ સાથે દલીલો ન થાય. એમને એની વાત જ કરવી ન હતી. હું એમનો સારો દોસ્ત હતો. તેમને મારામાં વિશ્વાસ હતો. એમને ખબર હતી કે હું તેમની કદર કરતો હતો, પણ એ જાણતા હતા કે તેમની આર્થિક નીતિમાં હું સંમત નથી. હું તો તેમની વિદેશ નીતિ સાથે પણ સંમત ન હતો. એટલે તેમની સાથે આર્થિક ચર્ચા શક્ય બનતી ન હતી.”

નિનાન : “તમે પ્રયાસ કર્યો હતો?”

ટાટા : “યેસ. તેમને અને પછીથી મિસિસ ગાંધીને સારી ભાષામાં મને ‘શટ અપ’ કહેતાં આવડી ગયું હતું. હું આર્થિક નીતિનો વિષય છેડું એટલે જવાહરલાલ ગોળ ફરીને બારી બહાર જોવાનું ચાલુ કરી દેતા. મિસિસ ગાંધી કંઇક બીજું કરતાં.”

નિનાન : “એ કાગળ પર ચિતરામણ કરતાં?”

ટાટા : “યેસ, પણ મને એનો બહુ વાંધો ન હતો. એ એન્વેલોપ્સ ઉપાડતાં, એને ખોલતાં અને અંદરથી કાગળ બહાર કાઢીને વાંચતાં. શિષ્ટ રીતે એ ઈશારો હતો કે એ મારાથી કંટાળ્યાં છે.”

નિનાન : “આ કંઈ શિષ્ટ ન કહેવાય.”

ટાટા: “ચાલે એ તો. એકવાર તો એ ગુસ્સે થઇ ગયાં હતાં. હું બોલતો હતો, એ એન્વેલોપ્સ ખોલતાં હતાં. રૂસી મોદી મારા કાનમાં જોરથી બબડ્યા- મને લાગે છે તેઓ કંટાળ્યાં છે. અને એ બોલ્યાં : “ના, ના, ચાલુ રાખો પ્લીઝ, હું ધ્યાનથી સાંભળું છું. પણ મારા સંબંધો મૈત્રીપૂર્ણ હતા.”

નહેરુના સમયમાં (અને પાછળથી ઇન્દિરાના સમયમાં) રાષ્ટ્રીય ઉધોગો સરકારના હાથમાં જ હોવા જોઈએ અને તેમાં ખાનગી ઉધોગપતિ માટે કોઈ જગ્યા ન હોવી જોઈએ તેવી નીતિ વિકસી હતી. નહેરુએ એટલા માટે આખા એવિયેશન સેક્ટરનું રાષ્ટ્રીયકરણ કરીને એર ઇન્ડિયા સહિત નવ ખાનગી એર લાઈન્સનું વિલીનીકરણ કરીને એક સ્થાનિક એર લાઈન્સ (ઇન્ડિયન એર લાઈન્સ) અને બીજી આંતરરાષ્ટ્રીય એર લાઈન્સ(એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ)નું સર્જન કર્યું હતું.

નહેરુ વળી ટાટાની લાજ રાખવા માટે તેમને એર ઇન્ડિયાના ચેરમેન પદે ચાલુ રાખ્યા હતા. જે.આર.ડી. ટાટાને ગાંધી પરિવાર સાથે સારો ઘરોબો છે એવી બધાને ખબર હતી, અને એમાં ઇન્દિરાના કટ્ટર હરીફ મોરારજીભાઈ દેસાઈ વડા પ્રધાન બન્યા એટલે ૧૯૭૮માં તેમણે તો ટાટા પાસેથી ચેરમેનપદ પણ ખુંચવી લીધું હતું. કેવું કહેવાય કે એક બીજા ગુજરાતી વડા પ્રધાને એર ઇન્ડિયાને પછી ટાટા ગ્રૃપને આપી!

ઇન્દિરા ગાંધીએ ત્યારે જે.આર.ડી. ટાટાને એક પત્ર લખીને કહ્યું હતું,” તમે હવે એર ઇન્ડિયા સાથે નથી એ જાણીને મને દુઃખ થયું છે. તમારા જવાથી એર ઇન્ડિયાને પણ દુઃખ થયું હશે. તમે માત્ર ચેરમેન જ નહીં, જનક પણ હતા. તમે વિમાનોના ડેકોરથી લઈને એર હોસ્ટેસની સાડીઓ સુધીની સુક્ષ્મ બાબતોમાં રસ લઈને એર ઇન્ડિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મોખરે મૂકી હતી. અમને તમારું અને એર ઇન્ડિયાનું ગૌરવ હતું. તમારી પાસેથી એ કોઈ છીનવી નહીં લે. આપણા વચ્ચે થોડી ગેરસમજ હતી, પણ હું કેવા દબાણ હેઠળ કામ કરતી હતી અને એવિયેશન મંત્રાલયમાં કેવી અદેખાઈ ચાલતી હતી એ હું તમને નહીં કહી શકું. મારે વધુ કંઈ કહેવું નથી.”

જે.આર.ડી.ના જવાબમાં ન તો કોઈ કડવાશ હતી કે ન તો આખી વાતનો ઉલ્લેખ સુદ્ધાં. તેમણ લખ્યું હતું, “તમે પત્ર લખવાની તસ્દી લીધી તે બદલ આભાર. એરલાઈનને ઊભી કરવામાં મેં જે ભૂમિકા ભજવી હતી તેનો તમે ઉલ્લેખ કર્યો તેનાથી મને આનંદ થયો છે. મને મારા સાથીદારો અને સ્ટાફની વફાદારી અને ઉત્સાહ મળ્યો અને સરકારોનો ટેકો મળ્યો તે મારું નસીબ હતું, તેના વગર મેં કશું સિદ્ધ કર્યું ન હોત. તમારી તબિયત સારી હશે. “

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’, નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”’ ૧૭ ઑક્ટોબર ૨૦૨૧
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઘેરેથી ખેતરિયે આવતાં ને જાતાં

પ્રીતમ લખલાણી|Poetry|18 October 2024

ઝરમર વરસતા ટહુકે ટહુકે રે હું તો

           ભીંજાતી જાઉં ને હરખાતી જાઉં…

ઘેરેથી ખેતરિયે આવતાં ને જાતાં

           નદી- નાળાંએ હું લજવાતી જાઉં…

લીલ્લેરા લીમડાનો લીલ્લેરો છાંયડો

             મારી રે સંગ સંગ ચાલે!

ઝાંઝરના ઝણકારે વમળાતો વાયરો

              લહેરાતી ચૂંદડીને ઝાલે!

કમખાના મોર ભેગી હસી કૂદીને હું

            વાત્યુંનાં વ્હેણમાં ખોવાતી જાઉં…

ઘેરેથી ખેતરિયે આવતાં ને જાતાં

           નદી- નાળાંએ હું લજવાતી જાઉં………

સાંજ ઢળ્યે રે મુંને સખીયું કહેશે કે

             હાથમાં તું મહેંદી મુકાવ!

એક એક નજરુંમાં ઊઘડશે આભ પછી

              હેતાળું છલક્યું તળાવ!

મનના માંડવડે હું સાત સાત ફેરામાં

           સાજનનાં ગીતડાઓ ગાતી જાઉં…

ધેરેથી ખેતરિયે આવતાં ને જાતાં

            નદી-નાળાંએ હું લજવાતી જાઉં……….

65 Falcon Drive, West Henrietta NY 14586 (USA)
e.mail : preetam.lakhlani@gmail.com

 

Loading

ગુજરાતમાં દવાની આડમાં ધમધોકાર ચાલતો ડ્રગ્સનો કારોબાર !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 October 2024

રવીન્દ્ર પારેખ

ગુજરાત સરકાર વિકાસ સપ્તાહ ઊજવી રહી છે, ત્યારે તેને અભિનંદન આપીએ ને કહીએ કે આ સપ્તાહ દરમિયાન જ અંક્લેશ્વરથી 5,000 કરોડનું ડ્રગ્સ પકડાયું તો તેનો પણ વિકાસમાં સમાવેશ કરે. તાજેતરમાં જ પોલીસને રિકવરીમાં રસ કેમ છે એ સંદર્ભે પોલીસને કરેલી ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની આ ટકોર- ડ્રગ્સ આટલું બધું મળે છે, આટલો દારૂ વેચાય છે, આટલો જુગાર રમાય છે, તો આ બધું અટકાવોને ! તેમાં તો તમે સહેજ પણ સાવધાન નથી. આ બધું કયા સ્ટેજ પર લઈ જવું છે? – ગુજરાત સરકારની નજર બહાર નહીં જ હોય. ડ્રગ્સમાં થયેલ વિકાસનું સપ્તાહ ભવિષ્યમાં ગુજરાત ઊજવે તો નવાઈ નહીં ! ગુજરાતના ગૃહમંત્રી 1,600 કિલોમીટરના દરિયા કિનારેથી પોલીસ ડ્રગ્સ પકડે છે તો પોરસાય છે કે આટલું ડ્રગ્સ પકડાયું ને તેટલું ડ્રગ્સ પકડાયું, પણ હવે ગૃહ મંત્રીશ્રી શું કહેશે જ્યાં ડ્રગ્સ ગુજરાતમાં જ બનતું થયું છે કે પ્રોસેસ થાય છે? બીજા કોઈ પીઠ થાબડે કે ન થાબડે, તેમણે તો પોતાની પીઠ ડ્રગ્સને મામલે ઠોકી જ લેવી જોઈએ.

ગુજરાતમાં હાલની સરકારનાં શાસનને ત્રેવીસ વર્ષ થયાં, પણ છેલ્લાં પાંચ વર્ષમાં જ ગુજરાતમાં 93,691 કિલો ડ્રગ્સ, 2,229 કિલો પ્રવાહી ડ્રગ્સ, 73,163 પિલ્સ-ઇન્જેક્શન્સ પકડાયાં છે એનું ગૌરવ પણ સરકાર લઈ શકે, કારણ પોલીસની સક્રિયતા વગર એ શક્ય નથી. ગુજરાતમાં પોલીસ તંત્ર સક્રિય છે એની ના જ નથી, પણ ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે ને ગુજરાત ડ્રગ્સનું એપી સેન્ટર બન્યું છે એની ચિંતા પણ થવી ઘટે. દરિયા કિનારે ડ્રગ્સ ઠલવાવાનો ગુજરાતનો ઇતિહાસ જ નથી, એ ઇતિહાસ રચાઇ રહ્યો છે એટલું જ નહીં, તેનાં ઉત્પાદનનો યશ પણ ગુજરાતને મળી રહ્યો છે ત્યારે તે અંગે કોઈ કાર્યવાહી કરવાની રહે છે કે કેમ તે પ્રશ્ન જ છે. વળી આ તો જાહેર કારોબારની વાત થઈ, પણ પાછલે બારણે જે ધંધા ચાલતા હશે એનો તો કોઈ હિસાબ જ નથી. એ જે હાનિ ગુજરાતનાં યુવાધનને પહોંચાડી  રહ્યાં છે તેનો પણ ક્યાં કોઈ હિસાબ છે? એ અંગે કોઇની જવાબદારી બને છે કે કેમ તેની પણ કોઈ સ્પષ્ટતા નથી. બને કે કાલે કોઈ, બાળકો, યુવાનોને ડ્રગ્સની બદીમાં ધકેલવાની વાતને પણ વિકાસમાં જ ખપાવે.

આમાં પોલીસ તંત્રનો પણ કેટલો વાંક કાઢીશું જ્યાં પૂરતી સંખ્યામાં પોલીસ જ ન હોય? લાખ લોકો પર 196 પોલીસની જરૂર હોય, ત્યાં 117 જવાનથી જ સરકાર કામ કાઢતી હોય તેને શું કહીશું? તમામ ક્ષેત્રોમાં સરકાર કરકસરથી કામ કરે તો કસર રહી જ જાય એ શક્ય છે ને. ખરેખર તો આ કરકસર પણ નથી, કંજૂસી છે. આ કંજૂસી સરકારને ભારે ન પડે તો સારું. સરકાર લોકો વગર કામ લેતી થાય, તો લોકો પણ સરકાર વગર કામ લે એમ બને.

આજકાલ તો દવાને નામે કેમિકલ મેળવીને યુવાપેઢીને બરબાદ કરતું ડ્રગ્સ બની રહ્યું છે ને તેનાં પર કોઈ નિયંત્રણ પણ નથી. વીતેલા મહિનાઓમાં પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ બનાવતી ફેક્ટરીઓ પણ ઝડપાઇ છે. રાજકોટના કાલાવડ રોડ પર આતંક મચાવનાર એક સાધુના આશ્રમ પર બુલડોઝર ફેરવી દેવાતાં આશ્રમમાં ગાંજાનું વાવેતર થતું હોવાનું પણ બહાર આવ્યું છે. સુરતના પલસાણામાંથી દવાને નામે મેફેડ્રોન બનાવતી ફેક્ટરી 51 કરોડનાં ડ્રગ્સ સાથે ઝડપાઇ છે. સાણંદ પાસે પણ હજારો કિલો ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ છે. અમદાવાદના ચાંગોદર, અંકલેશ્વર, સૌરાષ્ટ્રમાંથી નશાની ટેબ્લેટ્સ બનાવતી કહેવાતી ફાર્મા કંપનીઓ ઝડપાઈ છે. ગુજરાતમાં ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ચાલી નીકળ્યો હોય એવું વાતાવરણ છે. ગુજરાત એ.ટી.એસ., એન.સી.બી. સહિતની એજન્સીઓએ અડધો ડઝનથી વધુ યુનિટ્સ પર દરોડા પાડી 8,000 કરોડનું ડ્રગ્સ પકડયું છે. એક તરફ જીવન રક્ષક દવાઓને નામે જીવન ભક્ષક નશીલું ડ્રગ્સ બને છે, તો બીજી તરફ પૈસાની લાલચમાં નાની નાની ફાર્મા કંપનીઓ વિદેશી તત્ત્વોના હાથા બની રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ વેપલામાં માત્ર ગુજરાત જ નથી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ પણ જોડાયેલું છે.

કસ્ટમ્સ વિભાગે જુલાઈમાં મુંદ્રા એરપોર્ટ પરથી 110 કરોડની 68 લાખ ટ્રામાડોલ ટેબ્લેટ્સ સાથેનું પશ્ચિમ આફ્રિકા મોકલવાનું કન્ટેનર પકડ્યું હતું. ઓક્ટોબરમાં વલસાડના ઉમરગામ અને દહેરી પર દરોડા પાડી 25 કરોડનું 17 લિટર લિક્વિડ મેફેડ્રોનનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી હતી. ઓક્ટોબરમાં જ દિલ્હી પોલીસે 7,000 કરોડનું કોકેઇન પકડ્યું ને તેમાનું 5,000 કરોડનું 518 કિલો કોકેન અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં બન્યું હોવાનું ખૂલ્યું છે. આ બધું રાતોરાત નથી થયું. ગુજરાતનાં જ નગરોમાં ડ્રગ્સ બનાવવાની હિંમત વધે એવું વાતાવરણ ઊભું ન થયું હોત તો આ શક્ય ન હતું. આ મોકળાશ તંત્રોની આંખ આડા કાન કરવાની વૃત્તિને આભારી છે, એવું નહીં?

ટૂંકમાં, જોબવર્કનાં નામે નશાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે, તે વધુ ઘાતક છે, તે એ રીતે કે દરિયા કિનારે ઠલવાતું ડ્રગ્સ તો તૈયાર હોય છે, જ્યારે ગુજરાતમાં તો એનાં ઉત્પાદનની ઠેર ઠેર ફેક્ટરીઓ ચાલે છે. ડ્રગ્સનો આ વેપલો બહુ જૂનો નથી, પણ તે જે રીતે આખા રાજ્યમાં વ્યાપી વળ્યો છે તે અનેક રીતે ચિંતા ઉપજાવનારો ને જોખમી છે. થોડા પૈસાની લાલચમાં ડ્રગ્સની ફેક્ટરી ચલાવનારાઓ રાજ્યના યુવા વર્ગ માટે જે જોખમ ઊભું કરી રહ્યાં છે તે શરમજનક છે ને તેને કોઈ પણ રીતે તંત્રોએ રોકવું જ રહ્યું.

અંકલેશ્વર આવકાર ફાર્મા કંપની 2016માં જ શરૂ થઈ છે. અહીંનું કોકેઇન દિલ્હી પહોંચ્યું હતું. કંપનીનો એરિયા ઘણો મોટો છે, પણ આશ્ચર્ય એ વાતનું છે કે તેમાં કામ કરનારો સ્ટાફ દસનો પણ નથી. એનું ટર્ન ઓવર પણ ખાસ નથી. આ સ્થિતિમાં વધુ કમાણીની લાલચે કંપની ડ્રગ્સમાં સંડોવાઈ હોય એમ બને. કંપનીએ કરારમાં પ્રોડક્ટ બનાવવામાં વપરાતાં કેમિકલ્સ ક્લોરોફોર્મ, બ્રોમાઇન, એસિટોન, હાઇડ્રોકલોરિક એસિડ અને એક્ટિવેટેડ કાર્બનનાં નામ આપ્યાં, પણ સાતમાંથી બેનાં નામ કોડવર્ડમાં રાખ્યાં. આ કોડવર્ડને કારણે આખું રેકેટ ગુપ્ત રીતે ચાલતું હતું જેથી કયો પદાર્થ બને છે એનો ખ્યાલ ન આવે. એમ લાગે છે કે ડ્રગ માફિયાઓ કોડવર્ડમાં કંપનીઓને ઓર્ડર આપીને ડ્રગ્સ બનાવડાવતાં હોય ને કંપની અંધારામાં રહેતી હોય એ અશક્ય નથી.

વાત એવી છે કે અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીને ડ્રગ માફિયાઓએ દક્ષિણ અમેરિકાથી 1,300 કિલોથી વધુ ડ્રગ્સ પૂણેની બોગસ કંપની મારફતે પ્રોસેસિંગ માટે મોકલ્યું. કંપની તરફથી 700 કિલોથી વધુ ડ્રગ્સ તો પ્રોસેસ કરીને દિલ્હી મોકલી દેવાયું, પણ બાકીનું 518 કિલો ડ્રગ્સ પ્રોસેસ થતું હતું ત્યાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દરોડો પાડ્યો. 5 આરોપીઓને અંક્લેશ્વરથી ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે દિલ્હી લઈ જવાયા ને રિમાન્ડ પૂરાં થતાં તેમને દિલ્હી કોર્ટમાં રજૂ કરાયા ને વળી ચાર દિવસના રિમાન્ડ મેળવાયા. કંપનીના જે ભાગમાંથી કોકેઇન અને મેથનો જથ્થો મળ્યો, એ ભાગ પોલીસે સીલ કરી દીધો છે. સાચું તો એ છે કે અંકલેશ્વરમાં જ ડ્રગ્સ પ્રોસેસ કરીને દિલ્હી મોકલાતું હતું ને ત્યાંથી દેશના જુદા જુદા ભાગોમાં પહોંચાડાતું હતું. એના પરથી સમજી શકાય એવું છે કે દેશમાં ડ્રગ્સના વ્યવસ્થિત ફેલાવાનું કેવું કાવતરું રચાયું હશે. અફસોસ એ વાતનો છે કે આ બધાંમાં ગાંધીનું ગુજરાત નિમિત્ત બન્યું છે. દારૂબંધી નામની છે ને કોઈ પણ બ્રાન્ડનો દારૂ મેળવવાનું મુશ્કેલ નથી, એવી સ્થિતિમાં ગુજરાત ડ્રગ્સમાં પણ સંડોવાય એ કોઈ રીતે ઈચ્છવા જેવું નથી.

એ અત્યંત દુ:ખદ છે કે પંજાબ પછી ડ્રગ્સને મામલે હવે ગુજરાત વગોવાઈ રહ્યું છે. શિક્ષણ, ડ્રગ્સ, બળાત્કાર, હત્યા, આત્મહત્યા એમ અનેક ક્ષેત્રે થઈ રહેલો વિનિપાત સરકાર નજર અંદાજ કરે ને આપવડાઈમાંથી બહાર ન આવે એ સ્થિતિ દૂર થાય તેવી પ્રાર્થના કરીએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 ઑક્ટોબર 2024

Loading

...102030...519520521522...530540550...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved