Opinion Magazine
Number of visits: 9456928
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગઝલ

સિદ્દીક ભરૂચી|Poetry|22 July 2024

ચંદ્ર, સૂરજ  વિના ઉજાસ નથી,

એમ શિક્ષક વિના વિકાસ નથી.

કોઈ કારણ  હશે આ  વસ્તીમાં,

કોઈ  ચ્હેરો  અહીં  ઉદાસ નથી.

શ્હેર   જૂનું   હવે   નવું    લાગે,

તોય  લોકો  કહે   વિકાસ નથી.

હું  વિચારું  તો  તું  લગોલગ છે,

એમ  શોધું  તો આસપાસ નથી.

હાથમાં પ્હોંચવું એ “લાઈક” છે,

વાહ વાહ આપણો પ્રયાસ નથી.

મોંઘા  મોંઘા  બજારમાં “સિદ્દીક”

ઊભા  રહેવાનોયે   કલાસ નથી.

ભરૂચ
e.mail : siddiq948212@gmail.com

Loading

મોહન ભાગવત શ્રીમદ્દ ભાગવત જેવું બોલ્યા …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 July 2024

રવીન્દ્ર પારેખ

આજકાલ દેશનું વાતાવરણ ધરમ ધ્યાનવાળું થતું જાય છે. ઉત્તર પ્રદેશમાં અને ઉત્તરાખંડમાં આજથી કાવડ યાત્રા શરૂ થઈ રહી છે ને કોઈ પણ યાત્રીને શિવ ભક્તિમાં અવરોધ ઊભો ન થાય એટલે પ્રશાસને પૂરતી કાળજી લીધી છે. યાત્રીઓ હોટેલમાં જમે કે કેમ તે તો નથી ખબર, પણ જમે તો તે શુદ્ધ અને સાત્ત્વિક શાકાહારી ભોજન પામે, એટલે ઉત્તર પ્રદેશ સરકારે એવું ફરમાન બહાર પાડ્યું છે કે દરેક હોટેલ, ઠેલાવાળા કે ઢાબાના માલિકે પોતાનું નામ તથા તેની સાથે કામ કરતાં કર્મચારીઓનાં નામ વંચાય એ રીતે જાહેર કરવાં. એમ ન કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે એવું પણ ફરમાવાયું છે. જો કે, કોઈ પણ દુકાનદારે લાઈસન્સમાં માલિકનું નામ ઠામ જણાવવાનું ને તે દુકાનમાં સૌને દેખાય એમ મૂકવાનું હોય જ છે, પણ એ ચોક્કસ સંજોગોમાં, ચોક્કસ હેતુથી જાહેર કરવાની ફરજ પડાય તો તે ધ્યાન ખેંચે અને રાજકારણ શરૂ થઈ જાય એમાં નવાઈ નથી.

આમ તો કાવડ યાત્રા વર્ષોથી થતી આવી છે ને ત્યારે હોટેલ કે દુકાનની ઓળખનો પ્રશ્ન ઉપસ્થિત થયો ન હતો, પણ આ વખતે ઉત્તર પ્રદેશની યોગી સરકારે કોઈ યાત્રી સાત્ત્વિક ભોજન મેળવવા જતાં છેતરાય નહીં એ માટે માલિક-નોકરોનાં નામ જાહેર કરવાની ફરજ પાડી છે. એવી જ હિલચાલ ઉત્તરાખંડ ને મધ્ય પ્રદેશ સરકારે પણ શરૂ કરી છે. આનો વિરોધ વિપક્ષો તો કરે જ, પણ એન.ડી.એ.ના નેતાઓએ પણ કર્યો છે. એમનું કહેવું છે કે આ રીતે નામો જાહેર કરવાથી જાતિ દ્વારા વિભાજિત કરવા જેવું થશે. ગણતરી તો એવી પણ મુકાઇ છે કે આ રીતે અમુક ચોક્કસ વર્ગને જુદો તારવીને તેના ધંધાધાપાને અસર પહોંચાડી આર્થિક રીતે નબળો પાડવો. વિપક્ષોને તો વાંધો પડે જ ! કારણ તેણે વાંધો પાડવાનો જ છે. કમનસીબી એ છે કે શાસક પક્ષને કશું ખરાબ દેખાતું નથી ને વિપક્ષને કશું સારું લાગતું નથી, એ તબક્કે સચ્ચાઈ ભાગ્યે જ કોઇની પાસે હોય છે. મૂળ વાત તો કાવડિયાની સાત્ત્વિકતા જાળવવાની છે, પણ નિશાન ધર્મનું લેવાતું લાગે છે. દેખાવ કશુંક સારું કરવાનો હોય ને પરિણામ કશુંક ખરાબ થવામાં આવે તે બરાબર નથી.

મોહન ભાગવત

ટૂંકમાં, જે કરવું હોય છે તે સ્પષ્ટ કહેવાતું નથી ને હેતુ બર લાવવા યુક્તિઓ જુદી જ વપરાતી હોય છે. એવું જ રાષ્ટ્રીય સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે પણ કર્યું છે. એમણે પણ સીધું ન કહેતાં કુલડીમાં ગોળ ભાંગ્યો છે. ગુરુવારે ઝારખંડનાં ગુમલામાં એન.જી.ઓ. વિકાસ ભારતીની ગ્રામ સ્તરીય કાર્યકર્તાઓની બેઠકમાં ભારતીય લોકોના સ્વભાવની, તેમની પ્રકૃતિની વાતો કરતાં ભાગવતે કહ્યું કે ઘણાં  લોકો નામ કે પ્રસિદ્ધિની ઈચ્છા કે લાલસા વગર દેશનાં કલ્યાણનું કામ કરે છે. ભાગવતને દેશની પ્રગતિમાં શંકા નથી, કારણ કે અનેક લોકો તેમાં જોડાયેલા છે, એટલે પ્રગતિ તો થાય જ, પણ કેટલાક સ્વ બચાવ અને આત્મપ્રશસ્તિમાં પણ મગ્ન છે, તો એ અંગે વિચારવાનું રહે. એક વાત સ્પષ્ટ છે કે શિક્ષણ, સ્વાસ્થ્ય અને પર્યાવરણને પ્રગતિમાં પ્રાથમિકતા અપાવી જોઈએ. એ થાય તો જ વિશ્વમાં આપણે ઊજળાં દેખાઈએ. ભાગવતનું માનવું છે કે સનાતન ધર્મ માનવજાતિનાં કલ્યાણ માટે કાર્ય કરે છે. તે મહેલોમાંથી નહીં, પણ આશ્રમોમાંથી, જંગલોમાંથી આવ્યો છે. આપણો પહેરવેશ બદલાયો હશે, પણ અનેક પરિવર્તનો પછી પણ, આપણી પ્રકૃતિ બદલાઈ નથી. એ ખરું કે કોરોના વખતે દુનિયાને ભારતની શાંતિ અને સુખની વ્યાખ્યામાં રસ પડ્યો. અનેક પ્રયોગો હજારો વર્ષમાં થયા, પણ ભારતની પારંપરિક શાંતિ અને સુખની સ્થિતિને આ જગત નિષ્ફળ સાબિત કરી શક્યું નથી. એ ખરું કે આટલા વિકાસ પછી પણ જનજાતિ સમાજ આજે પણ પાછળ છે. એ પાછળ છે, પણ શાંતિપ્રિય, ભરોસાપાત્ર અને પ્રમાણિક છે. એમને શહેરમાં રહેતી પ્રભાવશાળી વ્યક્તિઓએ સહયોગ કરવો જોઈએ.

આપણા દેશની પૂજા અર્ચનાની વિધિ પણ અલગ છે, કારણ આપણા દેવી-દેવતાઓ 33 કરોડ છે. દેશનાં લોકોની ખાવા-પીવાની, બોલવા ચાલવાની રીતો અલગ અલગ છે. આટલું વૈવિધ્ય એટલે પણ છે, કારણ આપણી પાસે 3,800 ભાષાઓ છે. માત્ર ભારતમાં જ સ્ત્રીને માતૃસ્વરૂપ ગણી છે. આટલી ભિન્નતા છતાં સૌ એક છે, સૌનાં મન એક છે. અનેકતામાં એકતા ભારતમાં જ છે. એ બીજે નથી. ભાગવતે આજની ગતિવિધિઓ સંદર્ભે ટકોર કરતાં કહ્યું કે આજકાલ કહેવાતા પ્રગતિશીલ લોકો સમાજને કેટલુંક આપવામાં ભરોસો રાખે છે, જે ભારતીય સંસ્કૃતિમાં જ નિહિત છે. શાસ્ત્રોમાં એવું ક્યાં ય લખેલું નથી, પણ આ બધું પેઢી દર પેઢી લોહીમાં વણાયેલું છે. આજે માણસ છે, પણ માણસાઈ નથી. આ સ્થિતિમાં માણસે પહેલાં તો સાચા માણસ બનવું જોઈએ. એ પછી કેટલુંક કહેવાયું કાર્યકર્તાઓને, પણ તે સાંભળવાનું તેમણે ન હતું.

નામ દીધા વગર ભાગવતે વડા પ્રધાનને એ સંભળાવ્યું કે કેટલાક માણસો પોતાનો વિકાસ કરીને ‘સુપરમેન’, ‘દેવ’ ‘ભગવાન’ કે ‘વિશ્વરૂપ’ થવા મથે છે, પણ તેની આગળ શું છે તે કોઈ જાણતું નથી. માણસનો અંત છે, પણ વિકાસ કે પ્રગતિ અનંત છે. માણસ ન હતો ત્યારે પણ પૃથ્વી તો વિકસી જ છે ને માણસ નહીં હોય તો ય તે ફરતી રહેવાની છે. વિકાસની સાથે આ ધરતીને આપણે ઓછી હાનિ નથી પહોંચાડી. એની અસરો તો માણસે જ અનુભવવાની આવે છે. માણસ નશ્વર છે એ જાણવા છતાં ઈશ્વર બનવા મથે એ અહંકારનું સૂચક છે અને અહંકાર મનુષ્યને ઝડપથી નશ્વર બનવા તરફ ધકેલે છે. આમ ભાગવતે સામાન્ય રીતે માણસની ભગવાન બનવાની ઈચ્છા પર પ્રકાશ પાડ્યો હોવાનું લાગે, પણ તેમણે વડા પ્રધાન સંદર્ભે જ કહ્યું હોવાનું એટલે માનવું પડે, કારણ વડા પ્રધાને પોતે કહ્યું છે કે માતા જીવતી હતી, ત્યાં સુધી પોતે બાયોલોજિકલી જન્મ્યા, એવું માનતા હતા, પણ તે ગુજરી ગઈ પછી પોતાના  અનુભવોમાંથી એવું માનતા થયા કે પોતાને ઈશ્વરે મોકલ્યા છે. પોતાની આ ઊર્જા શરીરમાંથી નથી આવતી, પણ તે ઈશ્વરે પોતાના પર વરસાવી છે. પોતે કૈં પણ કરે, તો લાગે છે કે ઈશ્વર દોરે છે. વડા પ્રધાનના પોતાને વિશેના આવા અવતારી વિધાનો સામે ભાગવતે ‘વિશ્વરૂપ’ સુધીની ટકોર કરી છે.

આમ તો આખી ભાગવત વાણી બહુ સૂચક છે ને એ એવું પણ સૂચવે છે કે સંઘ અને ભા.જ.પ. વચ્ચે સ્થિતિ સામાન્ય નથી. થોડા વખત પર ભા.જ.પ.ના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ સંઘ સાથેના સંબંધો અંગે કહ્યું હતું કે એક તબક્કે ભા.જ.પ.ને સંઘની જરૂર હતી, પણ હવે ભા.જ.પ. એવો મોટો રાષ્ટ્રીય પક્ષ થયો છે કે તેને સંઘની જરૂર રહી નથી. આ વાત ભા.જ.પ.ની મજબૂત સ્થિતિ તો સૂચવે જ છે, પણ સંઘ સાથેના સંબંધોમાં આવેલી ખટાશ પણ સૂચવે છે, એટલું જ નહીં, ભા.જ.પ.માં આવેલા અહંકાર તરફ પણ ઈશારો કરે છે. ભાગવતની ‘ભગવાન’ સંદર્ભની ટકોર પછી કાઁગ્રેસ ચૂપ રહે એ શક્ય જ નથી, કાઁગ્રેસી નેતા જયરામ રમેશે રોકડું કર્યું કે સ્વયં-ઘોષિત નોન-બાયોલોજિકલ વડા પ્રધાનને આ નવીનતમ અગ્નિ મિસાઇલના સમાચાર મળ્યા હશે, જે નાગપુરે ઝારખંડથી લોક કલ્યાણ માર્ગને નિશાન બનાવીને છોડી છે.

ભાગવતે શનિવારે પુણેમાં એવું પણ કહ્યું કે અંગ્રેજોએ આપણા પૂર્વજો અને પરંપરા પરની આપણી આસ્થાને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે. તેમણે અંધભક્તિ સંદર્ભે ટકોર કરતાં કહ્યું કે આસ્થા અંધ હોતી નથી. પરંપરા, રિવાજોમાં કૈં બદલવા જેવું હોય તો તે પણ બદલવું જોઈએ. એક વાત આપણે સમજી લેવાની જરૂર છે કે ભૂતકાળને વાગોળવાથી કે તેની ટીકા કરવાથી ભવિષ્ય સુધરતું નથી. આગળના શાસકોની ટીકા કર્યા કરવાથી ભાવિ શાસન સુધરી જ જાય એવું નથી. એને સુધારવા, ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન થાય એટલું જોવાવું જોઈએ. અંગ્રેજોએ જે દમન કર્યું એ સ્થિતિ આજે છે કે તે સુધરી કે વધુ બગડી છે, એટલું જ મહત્ત્વ ભૂતકાળનું હોય, બાકી, ભૂતકાળનું સંકીર્તન પ્રગતિમાં અવરોધરૂપ બની શકે છે તે ભૂલવા જેવું નથી.

લોકસભાની ચૂંટણી પછી ભા.જ.પ. અસ્વસ્થ જણાય છે ને સંઘ વધુ સ્વસ્થ લાગે છે…

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 જુલાઈ 2024

Loading

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (16)

દીપક મહેતા|Opinion - Opinion|22 July 2024

૧૬

પ્રબંધચિંતામણીના અનુવાદની હસ્તપ્રત (ફાર્બસના હસ્તાક્ષરમાં)નું એક પાનું

૧૮૫૬માં પ્રગટ થયેલ અંગ્રેજી રાસમાળાની પ્રસ્તાવનામાં એક વાક્ય આવું જોવા મળે છે :

“પ્રબંધ ચિંતામણીની એક નકલ મને ભેટ આપવા માટે અને તેના અનુવાદમાં અનિવાર્ય એવી મદદ કરવા માટે હું પીરચંદજી ભૂધરજીનો ખાસ આભારી છું. તેઓ મારવાડના વતની હતા અને જૈન હતા. તેઓ હતા તો વેપારી, અને વેપારીઓ મોટે ભાગે સાહિત્ય પ્રત્યે ઉદાસીન હોય છે. પણ પીરચંદજી પ્રશિષ્ટ સાહિત્ય અને લોક સાહિત્ય બંનેના સારા જાણકાર હતા.૩૬     

આનો અર્થ એ થયો કે ફાર્બસે ‘પ્રબંધ ચિંતામણી’નો અનુવાદ પણ કર્યો હતો. પણ પ્રસ્તાવનામાંના આ વાક્ય ઉપર આજ સુધી ભાગ્યે જ કોઈએ ધ્યાન આપ્યું છે. તેનું એક કારણ એ હોઈ શકે કે આભાર દર્શનના ફકારામાંનાં આવાં વાક્યો ઘણા વાચકો વાંચતી વખતે કૂદાવી જતા હશે – એમાં તે શું વાંચવું, એમ વિચારીને. રત્નમાળાનો ફાર્બસે કરેલો અનુવાદ એશિયાટિક સોસાયટીના જર્નલમાં પ્રગટ થયો ત્યારે જસ્ટિસ ન્યૂટને સાથે એક નાની નોંધ ઉમેરી હતી. તેમાં તેમણે પણ ફાર્બસે કરેલા પ્રબંધ ચિંતામણીના અનુવાદનો ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહિ, ફાર્બસે પોતાના અનુવાદને અંતે મૂકેલી નોંધ પણ તેમણે શબ્દશઃ ટાંકી હતી :

“જો આ પુસ્તક બીજા કોઈના હાથમાં આવે તો મારે સ્પષ્ટતા કરવી જોઈએ કે આ અનુવાદ સો ટકા સાચો છે એવો મારો દાવો નથી. મારા પોતાના ઉપયોગ માટે જ મેં આ અનુવાદ તૈયાર કર્યો છે.”૩૭ 

આનો અર્થ એ થયો કે ફાર્બસે કરેલો પ્રબંધ ચિંતામણીનો અનુવાદ જસ્ટિસ ન્યૂટને જોયો હતો. નહિતર તેમણે ફાર્બસે લખેલી નોંધ અહીં શબ્દશઃ ટાંકી હોત નહિ. પણ પ્રબંધ ચિંતામણીનો ફાર્બસે કરેલો અનુવાદ ક્યારે ય પ્રગટ થયો હતો ખરો? બ્રિટિશ લાયબ્રેરી, અમેરિકાની લાયબ્રેરી ઓફ કાઁગેસ, બીજાં કેટલાંક પુસ્તકાલયો, અને ઈન્ટરનેટ પર તપાસ કર્યા છતાં ફાર્બસનો આ અનુવાદ પ્રગટ થયાની માહિતી ક્યાંયથી આ લખનારને મળી નહિ. પણ તો પછી જસ્ટિસ ન્યૂટને અનુવાદની જે હસ્તપ્રત જોઈ હતી તે ક્યાં ગઈ? ફાર્બસે પોતાના સંગ્રહમાંનાં કેટલાંક પુસ્તકો મુંબઈની એશિયાટિક સોસાયટીને ભેટ આપ્યાં હતાં, પણ એ સોસાયટી પાસે એ હસ્તપ્રત નથી. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ (હાલની ગુજરાત વિદ્યા સભા) પાસે નથી. ફાર્બસના અવસાન પછી હસ્તપ્રતો અને પુસ્તકોના તેમના સંગ્રહનો મોટો ભાગ ‘ફાર્બસ ગુજરાતી સભા’એ ફાર્બસનાં પત્ની પાસેથી ખરીદી લીધો હતો. પછીથી મેળવેલી હસ્તપ્રતોની સાથે એ સંગ્રહ પણ આ સંસ્થાની લાયબ્રેરીમાં પ્રમાણમાં સારી રીતે આજ સુધી જળવાયો છે. આ લખનારે એ સંગ્રહમાં ખાંખાંખોળાં કરવાનું શરૂ કર્યું. અને એક દિવસ આનંદનો પાર ન રહ્યો. સાચા ચામડામાં બાંધેલો એક ચોપડો. સારા, જાડા કાગળ. અને તેમાં ફાર્બસના પોતાના હસ્તાક્ષરમાં લખાયેલો પ્રબંધ ચિંતામણીનો અનુવાદ! દોઢસો વર્ષ કરતાં ય વધુ જૂનો ચોપડો, ફાર્બસના પોતાના મરોડદાર રનિંગ હેન્ડ અક્ષરો! એ પાનાંને અડતાં પણ રોમાંચ થાય! ફાર્બસના અવસાન પછી થોડા વખતમાં જ આ બધી સામગ્રી ‘ફાર્બસ ગુજરાતી સભા’એ મેળવી હતી અને ત્યારથી આજ સુધી આ ચોપડો તેની પાસે જ રહ્યો છે, એટલે ફાર્બસના અવસાન પછી આ અનુવાદ કોઈએ છાપ્યો હોય એ સંભવિત નથી. પણ પછી એક સવાલ થયો : જસ્ટિસ ન્યૂટને જે હસ્તપ્રત જોઈ હતી તે આ જ હસ્તપ્રત? હા ચોક્કસ. પણ ખાતરીથી કેમ કહી શકાય? કારણ જસ્ટિસ ન્યૂટને ફાર્બસની જે નોંધ પોતાની પાદ ટીપમાં ટાંકી છે તે અક્ષરશઃ આ અનુવાદને અંતે જોવા મળે છે. 

પ્રબંધ ચિંતામણીના અનુવાદની હસ્તપ્રતને અંતે ફાર્બસે મૂકેલી નોંધ

અનુવાદના પહેલા પાને પોતે આ અનુવાદ કરવાનું કામ ૧૮૪૯ના મે મહિનાની ૨૨મી તારીખે શરૂ કર્યું હોવાનું ફાર્બસે નોંધ્યું છે. એટલે કે રાસમાળા પ્રગટ થઇ તેના કરતાં સાત વર્ષ પહેલાં તેમણે આ અનુવાદ કર્યો હતો. હસ્તપ્રતને છેલ્લે પાનાની નીચે ફાર્બસે તારીખ નાખી છે : ૧૫ ઓગસ્ટ, ૧૮૪૯. એટલે કે ફાર્બસે આ અનુવાદ ત્રણ મહિના કરતાં ય ઓછા સમયમાં કર્યો હતો. પ્રબંધ ચિંતામણી જેવી કૃતિનો અનુવાદ આટલા ટૂંકા સમયગાળામાં કરવો એ સહેલી વાત નથી. ઈ.સ. ૧૩૦૪માં વર્ધમાન પૂરમાં જૈન સાધુ મેરુતુંગાચાર્યે લખેલા આ પ્રબંધમાં સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત, અપભ્રંશ, અને કેટલીક સ્થાનિક બોલીઓનો ઉપયોગ થયો છે. આમ, એક કરતાં વધુ ભાષાને કારણે તેનો અનુવાદ કરવાનું કામ વધુ મુશ્કેલ બને છે. ગુજરાતના અને તેની આસપાસના પ્રદેશના રાજાઓ, તેમનાં જીવન, શાસન, યુદ્ધો, તેમાં મળેલા વિજયો કે પરાજયો વગેરેની વાત આ ગ્રંથમાં થઇ છે. જુદા જુદા રાજાઓને લગતા ઘણા રસપ્રદ કિસ્સાઓ પણ તેમાં વણી લેવાયા છે. રાજ દરબારની રીતભાત, કવિઓ વચ્ચે યોજાતી સ્પર્ધાઓ, વગેરેની વિગતો પણ તેમાં વણી લેવાઈ છે. 

આ અનુવાદ કરવા પાછળનો ફાર્બસનો હેતુ રાસમાળાના લેખનમાં ઉપયોગી થાય તેવી સામગ્રી એકઠી કરવાનો હતો. તેથી તેમણે સમગ્ર કૃતિનો અનુવાદ કર્યો નથી. તેના પાંચ પ્રકાશમાંથી પહેલા બેનો અનુવાદ ફાર્બસે કર્યો નથી. માત્ર ત્રીજા, ચોથા, અને પાંચમાં પ્રકાશનો અનુવાદ કર્યો છે. ચોપડાના કદના દરેક પાનાને ફાર્બસે બે કોલમમાં વહેંચ્યું છે. ડાબી બાજુની કોલમ મોટે ભાગે કોરી રાખી છે. માત્ર કેટલીક નોંધ કે સંસ્કૃત શબ્દોના અર્થ ડાબી કોલમમાં નોંધ્યા છે. અનુવાદ જમણી કોલમમાં લખ્યો છે. આમ કેમ કર્યું હશે? એક કારણ એ હોઈ શકે કે પછીથી મૂળ કૃતિનો પાઠ બીજા કોઈ પાસે ડાબી કોલમમાં લખાવી લેવાનું તેમણે વિચાર્યું હોય. પણ વધુ સંભવિત કારણ એ છે કે હાથે લખાતી હસ્તપ્રતમાં પાનાની નીચે પાદ ટીપ લખવાનું ફાવે નહિ. તેથી પાદ ટીપ જેવી નોંધો લખવા માટે તેમણે ડાબી કોલમ રાખી હોય. 

આજ સુધી હસ્તપ્રત રૂપે જળવાઈ રહેલો આ અનુવાદ વહેલી તકે ‘ફાર્બસ ગુજરાતી સભા’એ કે બીજી કોઈ સંસ્થાએ પ્રગટ કરવો જોઈએ.

(ક્રમશ:)
e.mail : deepakbmehta@hotmail.com

Loading

...102030...489490491492...500510520...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved