Opinion Magazine
Number of visits: 9664936
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ આજે (૧૭)  

સુમન શાહ|Opinion - Opinion|20 November 2024

સુમન શાહ

માણસે પોતાની ઓળખ શી આપવી એ આજે એક કોયડો છે. કોઈ મને પૂછે, તો એટલું કહું કે હું સુમન શાહ નામથી ઓળખાતો મનુષ્યજીવ છું. કેમ કે હું મને હિન્દુ ન કહું કે સનાતની હિન્દુ ન કહું કે આસ્તિક ન કહું અથવા હું મને ધર્મનિરપેક્ષ કે ન-આસ્તિક કહું, તો એ વ્યક્તિને સમજાતું જ નથી કે હું કોણ છું. 

મને અનેકવાર અનેકોએ ‘પશ્ચિમ’-વાળો ગણ્યો છે, કેટલાક હજી ય ગણે છે. બાકી હું અમેરિકા કે યુરપના મારા ઘરમાં પણ દાળભાતશાકરોટલી કે હાંડવો કે ભજિયાં કે શિરો કે ભેળપૂરી જ ખાતો હોઉં છું. હું પહેલેથી પશ્ચિમના કે વિશ્વના સાહિત્ય વિશે, અરે, પૂર્વીય ગણી શકાય એ સંસ્કૃત સાહિત્ય વિશે પણ, ગુજરાતીમાં જ લખતો રહ્યો છું, એની વાતો પણ ગુજરાતી સાહિત્યના વિકાસ માટે જ કરતો આવ્યો છું. ઉપરાન્ત, હું ભણ્યો છું ગુજરાતીમાં, મેં ભણાવ્યું છે ગુજરાતીમાં, મારા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ, મારા મિત્રો, FB મિત્રો, મારા વાચકો, ચાહકો, સૌ ગુજરાતી છે, અરે, મારાં તમામ પુસ્તકો પણ ગુજરાતીમાં છે.

આ બધી હકીકતો છે, તેમછતાં, જેમને મારી ખરી ઓળખ ન પડતી હોય, તો એ બિરાદરોને એટલું જ કહું કે મને અનેક જીવનતત્ત્વો અને સાહિત્યકલાતત્ત્વોથી સંમિશ્ર માણસ ગણશો તો ચાલશે. 

મને લાગે છે, હરારી સત્ય-આધારિત સુગ્રથિત સમાજની અપેક્ષા સેવી રહ્યા છે, જેને તેઓ ‘ઑર્ડર’ કહે છે. મારા મન્તવ્ય અનુસાર, આજે એ ઑર્ડર ખોરવાઇ રહ્યો છે; એ હદે કે સમાજમાં વ્યક્તિ એના સાચા રૂપમાં ભાગ્યે જ રજૂ થાય છે. તેથી વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સેતુઓ આપણી જાણ બહાર તૂટી રહ્યા છે. 

હરારીનું મન્તવ્ય છે કે પેઢી દર પેઢી દૈવ-નિર્મિત નહીં પણ માનવ-સરજિત નેટવર્ક્સ ઉત્તરોત્તર શક્તિશાળી બન્યાં ખરાં — માણસને હરારી પૃથ્વી પરનું સૌથી શક્તિમાન પ્રાણી કહે છે —  પરન્તુ એ નેટવર્ક્સ ઉત્તરોત્તર ડાહ્યાં નથી બન્યાં. જણાવે છે કે ગૂગલ અને ફેસબુક જેવાં કૉર્પોરેશન્સ એમનાં મિશન સ્ટેટમૅન્ટ્સમાં, એટલે કે, મૂળ ઉદ્દેશ્ય વ્યક્ત કરતાં વિધાનોમાં, ટૅક્નોલૉજિમાં ઝડપ અને તેના પ્રભાવ વિશે ભારપૂર્વક ક્હૅતાં હોય છે. એ ખરું, પરન્તુ હરારી સવાલ કરે છે કે એથી ઊભાં થનારાં નકારાત્મક પરિણામોનું શું. 

વાત સાચી છે, કેમ કે માહિતીના ઝડપી પ્રસરણથી ખોટી કે ભ્રાન્ત માર્ગે દોરનારી માહિતી પણ એટલી જ ઝડપથી પ્રસરવાની અને તેથી પ્રજાનો વિશ્વાસ ધોવાઇ જવાનો, સમાજનાં વિભિન્ન જૂથો – social divisions – વચ્ચેના ભેદો પણ ભડકી ઊઠવાના. 

હું દાખલો આપું : વૈદિક સનાતન ધર્મ, અધ્યાત્મસાધના, ધાર્મિકતા, કહેવાતો હિન્દુ ધર્મ, હિન્દુત્વ – એ દરેકના ચિન્તનની વિશિષ્ટતા, એ દરેકની વિચારધારા, તેમાં સંકળાયેલાં વિભાવો, અર્થસંકેતો, અર્થઘટનો વગેરેના જ્ઞાનને આત્મસાત્ કર્યા વિના, ઍરાગૅરાઓ અધૂરી કે સૅકન્ડહૅન્ડ ઇન્ફર્મેશનને આધારે કે ધર્મની પોતાની સમજ મુજબ, જે ઠીક લાગે તે ભરડે, પાછા એકબીજાની નકલ કરે, તો ક્લૅશ અને વિવાદ સરજાશે. 

સામે અન્ય ધર્મી ઍરોગૅરો એમ કરશે તો પણ ક્લૅશ અને વિવાદ સરજાશે. 

એથી સ્વાભાવિક છે કે જેમાં લોકશાસન પ્રવર્તે છે, જેમાં વિવિધધર્મી નાગરિકો વસે છે, અને જેમાં વિજ્ઞાન અને ટૅક્નોલૉજિ-સંગત આધુનિક વિચાર અને તેને અનુસરતો જીવનવ્યવહાર પ્રવર્તી રહ્યો છે, એ વર્તમાન રાષ્ટ્ર ભારતમાં વસતી પ્રજાને અકળામણ થવાની. 

વિચારવું તો એ જોઈએ કે ધર્મ જે કોઈ હોય, માનવ્યના વિકાસમાં કેવોક ભાગ ભજવી શકે એમ છે. ‘નવ્ય માનવવાદ’-માં કોઈ વિશિષ્ટ ધર્મ, ધર્મ છે એ કારણે એની મહત્તા નથી થતી. એ ચિન્તકો જ્ઞાનપિપાસા માટે મનુષ્યના વૈયક્તિક સામર્થ્ય પર ભાર મૂકે છે અને સામાજિક પ્રગતિને સવિશેષે ધ્યાનમાં લે છે. એવી નૂતન વિચારધારાઓ સાથે પેલા ઍરાગૅરાઓ જોડાતા જ નથી.

ઇતિહાસ કહે છે કે અજ્ઞાનીઓએ ફેલાવેલી વાતોથી સામાજિક જૂથના મોવડીઓને રાજકારણ ખેલવાની તક મળી જાય છે. પરિણામે, અવાંછનીય ઘટનાઓ ઘટે છે. મહાભારત યુદ્ધ કે વિશ્વયુદ્ધો કે દેશના ‘ભાગલા’ પાછળનું એક કારણ ભ્રાન્ત માહિતી અને તેને પ્રસરાવનારી ભ્રષ્ટ ભાષા હતી, એ જગજાહેર હકીકત છે. 

હું બીજો દાખલો આપું : વિવિધ કૉર્પોરેશન્સનાં મિશન સ્ટેટમૅન્ટસ જુઓ — મૂળ ઉદ્દેશ્ય કે આશય વ્યક્ત કરતાં વિધાનો. હું દરેક વિધાનને ગુજરાતીમાં મૂકું : 

ફેસબુક : 

લોકોને સમુદાય રચવાની અને વિશ્વને નજીક લાવવાનું સામર્થ્ય અર્પવું.  

ગૂગલ :

વિશ્વભરની માહિતી વ્યવસ્થાબદ્ધ કરવી, સાર્વત્રિક રૂપમાં સૌને સુલભ અને ઉપયોગી બનાવવી.

માઇક્રોસૉફ્ટ :

વધુ ને વધુ પ્રાપ્તિ માટે પૃથ્વી પરના દરેક મનુષ્યને અને સંગઠનને શક્તિશાળી બનાવવાં.

એપલ :

નવીન હાર્ડવેર, સૉફ્ટવેર અને સેવાઓથી ગ્રાહકોને વપરાશનો ઉત્તમ અનુભવ આપવો.

ઍમેઝોન : 

ગ્રાહકો ઑનલાઈન જે કંઈ ખરીદવા માગતા હોય તે તેઓ શોધી શકે ને મેળવે – પૃથ્વી પર એવું ગ્રાહક-કેન્દ્રી મોટું કૉર્પોરેશન બની રહેવું. 

નેટફ્લિક્સ:

વિશ્વનું મનોરંજન કરવું.

આ બધાં જ કૉર્પોરેશન્સ અમેરિકા-બેઝ્ડ છે. દરેક કૉર્પોરેશને પોતાના વિધાનને વ્યાખ્યાયિત કરેલું છે, તદનુસારનો ક્રિયાકલાપ ગોઠવેલો છે, અને તેને સુસંગત વ્યવહાર કરે છે, સમાજની સેવા અર્થે મોટાં મોટાં દાન કરે છે, એમ માની શકાય. 

હવે આની ટીકા કે સમીક્ષા કરવી હોય, તો દેખીતું છે કે દરેકની પાછળ ભાગ ભજવી રહેલાં કૅપિટાલિઝમ, પ્રૉફિટ મૅક્સિમાઈઝેશન, કન્ઝ્યુમરિઝમ, ફ્રી માર્કેટ કૉમ્પીટિશન અને ગ્લોબલાઇઝેશન, વગેરે પરિબળોનું વ્યક્તિ પાસે જ્ઞાન હોવું જોઈએ. બાકી, એ જ્ઞાન વિના પણ ભારતનો સામાન્ય પત્રકાર કહી નાખે કે આ બધી મૂડીવાદી મલ્ટિનેશનલ કમ્પનીઓએ પહેલેથી દાટ વાળ્યો છે, એથી ભારત જેવા દેશનો વિકાસ રૂંધાઇ રહ્યો છે; તો તેવાં તારણો પણ નભી જતાં હોય છે. દેશના મોટા ભાગના સામાન્ય પત્રકારો પાસે પણ અધૂરી કે સૅકન્ડહૅન્ડ ઇન્ફર્મેશન હોય છે. તેઓ પણ એકબીજાની નકલ કરતા હોય છે. જુઓ ને, એકથી વધુ ગુજરાતી છાપાંઓએ બાયડનને ‘બાઇડન’ અને ‘બીડેન’ કહ્યા છે…

ધર્મ કે વિજ્ઞાનના સતને કોરાણે મૂકીને પ્રજાની ભાવનાઓ જોડે રમતા લોકોની સંખ્યા દેશમાં વધી રહી છે, તેઓ અન્ટ્રુથ ફેલાવી રહ્યા છે અને અન્ટ્રુથથી અન્ટ્રુથ ઝડપથી વિસ્તરી રહ્યું છે.

હરારી કહે છે કે ટ્રુથ અને ઑર્ડર વચ્ચે આપણે સંતુલન નથી સાધ્યું. એમનો એ મુદ્દો મને સામ્પ્રતમાં ઘણો વિચારણીય લાગે છે. તેઓ કહે છે કે એ સંતુલન ‘સ્ટોન એજ’-માં આપણા પૂર્વજો સાધી શકેલા, પરન્તુ આપણે ૨૧-મી સદીમાં પ્હૉંચ્યા પછી પણ નથી સાધી શકતા; આજે એની જરૂરત તીવ્રતાથી વરતાય છે. 

ઉમેરે છે કે કાલ્પનિક વાર્તાઓએ આપણને જે પાઠ શીખવ્યો, એવો પાઠ શીખવ્યો લિખિત દસ્તાવેજોએ. ઇન્ફર્મેશન ટૅક્નોલૉજિનો એ હતો, બીજો આવિષ્કાર – written documents.

લિખિત દસ્તાવેજોમાં હરારી સાહિત્યનો પણ ઉમેરો કરે છે. સાહિત્યકારોને સ્પર્શતી એ વાતો, હું આ પછી કરીશ.  

+ +

મેં અગાઉના એક લેખમાં bioweapons-નો ઉલ્લેખ કરેલો પણ સમજૂતી નહીં આપેલી, હવે આપું :

જેઓ નથી જાણતા તેઓને આશ્ચર્ય થશે કે આ વેપન્સન લિવિન્ગ ઑર્ગેનિઝમ્સ છે, સજીવો જેવાં જીવતાં-જાગતાં શસ્ત્રો. અને એ મૅનમેડ છે, માણસે બનાવ્યાં છે, નેચરલ વાઇરસિસ, બૅક્ટેરિયા કે ટૉક્સીન્સને મૉડિફાય કરીને બનાવાય છે, જેથી એ વધારે ચેપી અને ઘાતક બને. એથી મનુષ્યો અને મનુષ્યેતર પ્રાણીઓ તેમ જ વનસ્પતિ કે છોડવાઓ મૃત્યુ પામે છે.

નૉંધપાત્ર વાત તો એ છે કે એનો ઉપયોગ પ્રાચીન કાળમાં યુદ્ધોમાં થતો હતો, પણ ૨૦-મી સદીમાં બાયોવેપન્સનો આધુનિક આવિષ્કાર થયો છે અને તે વિશ્વયુદ્ધોમાં વપરાયાં છે. પહેલા વિશ્વયુદ્ધમાં બન્ને છાવણીમાં તેનો ઠીક ઠીક ઉપયોગ થયેલો, અને ઍન્થ્રેકસ કે બીજા રોગો પ્રગટેલા. ઍન્થ્રેક્સ ત્વચારોગ છે, ઘેટાંબકરાંને પણ થતો હોય છે. બીજા વિશ્વયુદ્ધમાં ઍન્થ્રેક્સ, પ્લેગ અને કૉલેરા સંદર્ભે જપાને અનેકશ: સંશોધન અને પ્રયોગો કરેલા. 

કોલ્ડ વૉરમાં યુ.ઍસ.એ. અને સોવિયત રશિયાએ ચડસાચડસી કરીને મોટા પાયે આ શસ્ત્રોના પ્રોગ્રામ્સ વિકસાવેલા. પરન્તુ ‘બાયોલૉજિકલ વેપન્સ કન્વેન્શન’ જેવી આન્તરરાષ્ટ્રીય સન્ધિઓને પ્રતાપે બાયોવેપન્સ પર હવે કડક પ્રતિબન્ધ મૂકવામાં આવ્યો છે.

Covid -19ને બાયોવેપન ગણાય કે કેમ, એ ક્યાંથી ઉદ્ભવ્યો, એ એક કોયડો છે. ચિનની વુહાન લૅબોરેટરીમાંથી અકસ્માતે વાયરસ લિક થયો હોય, એવી લેબ-લિક સંભાવના પણ સ્વીકારાઈ છે. જો કે, સંશોધકો જ પ્રકાશ પાડી શકે. બાકી, મોટા ભાગના વિજ્ઞાનીઓ માને છે કે સૌ પહેલાં પ્રાણીઓમાં અને પછી મનુષ્યોમાં પ્રસરેલો આ વાયરસ, કુદરતી છે. 

માણસે ધારદાર પથરા, તીરકામઠાં, ભાલા, તલવારો, રીવૉલ્વર, બાયોવેપન્સ અને અણુબૉમ્બ લગીનાં શસ્ત્રો બનાવીને યુદ્ધો જ કર્યાં છે. પણ એમાં એ શસ્ત્રોનો વાંક નથી, કેમ કે યુદ્ધ તો માણસના ચિત્તમાં ઘુમરાતું હોય છે. અને સદા સ્મરણીય હકીકત એ છે કે અગણિત મનુષ્યોએ એકબીજાને પ્રેમ કર્યો છે, કેમ કે પ્રેમ પણ માણસના ચિત્તમાં જ જનમે છે. 

(ક્રમશ:)
(19Nov24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અમદાવાદ શહેર સુધરાઈ, સરદાર, સુખાકારી અને સ્વરાજ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|20 November 2024

ચંદુ મહેરિયા

સરદાર પટેલ(જન્મ ૩૧.૧૦.૧૮૭૫ – અવસાન ૧૫.૧૨.૧૯૫૦)ના જન્મના દોઢસોમાં વરસનો આરંભ થયો છે. સરદારના અમદાવાદ શહેર સુધરાઈના પ્રમુખ તરીકેનું આ શતાબ્દી વરસ પણ છે. સ્વરાજની લડતના ઘણા મોટા નેતાઓના જાહેરજીવનનો આરંભ શહેરોની સુધરાઈઓના સભ્ય તરીકે થયો હતો. શહેરોની સુધરાઈઓનું તંત્ર દેશની આઝાદીનો પાયો માનવામાં આવતું હતું. એટલે જવાહરલાલ નહેરુ અલ્હાબાદ, રાજેન્દ્ર પ્રસાદ પટણા, ચિતરંજન દાસ કલકત્તા, વિઠ્ઠલભાઈ પટેલ મુંબઈ અને વલ્લભભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય અને પછી પ્રમુખ તરીકે જાહેરજીવન આરંભ્યું હતું.

વલ્લભભાઈ હજુ સરદાર બન્યા નહોતા ત્યારે પાંચમી જાન્યુઆરી ૧૯૧૭ના રોજ તેઓ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાંથી પેટા ચૂંટણી દ્વારા અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય બન્યા હતા. પંદરમી જુલાઈ ૧૯૨૯ના રોજ તેમણે શહેર સુધરાઈનું સભ્યપદ છોડ્યું હતું. ખાસ્સો સવા દાયકો અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય, સેનેટરી, મેનેજિંગ અને સ્ટેન્ડિગ કમિટીના અધ્યક્ષ અને મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે અમદાવાદના વિકાસમાં તેમનું અનન્ય યોગદાન હતું. અમદાવાદ શહેર સુધરાઈ સાથેનો વલ્લભભાઈ પટેલનો નાતો એ કક્ષાનો હતો કે ગાંધીજીએ અમદાવાદ મ્યુનિસિપાલિટીને “વલ્લભભાઈનું માનીતું સ્થાન” ગણાવ્યું હતું. વલ્લભભાઈ પટેલના સ્વપ્ન સમી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલની મુલાકાતપોથીમાં પણ ગાંધીજીએ લખ્યું હતું કે, ‘સરદાર વલ્લભભાઈનો જય હો. આ ઈસ્પિતાલ જોઈને હું રાજી થયો છું.’

વલ્લભભાઈ પટેલ

બેરિસ્ટર વલ્લભભાઈ પટેલે ૧૯૧૩માં અમદાવાદમાં વકીલાત શરૂ કરી હતી એ સમયે તેમનું વલણ જાહેરજીવનથી અળગા રહેવાનું હતું. જો કે જાહેર બાબતોથી તે બેખબર રહેતા નહોતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયેલી પાંખ પર કમિશનર નિમવાની અંગ્રેજ સરકારની પદ્ધતિના તે વિરોધી હતા. પૂર્ણપણે જડ અમલદારશાહી માનસ ધરાવતા કમિશનર જહોન એ. શિલીડીને સીધા કરવાના ઉદ્દેશથી ગુજરાત કલબના મિત્રોના આગ્રહવશ વલ્લભભાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય બન્યા. ૧૯૧૭ની પાંચમી જાન્યુઆરી કે મે-ની ચૌદમીના દિવસે તેમના રાજકારણમાં પ્રવેશથી જ અમદાવાદની શહેર સુધરાઈ રાષ્ટ્રીય ફલક પર મુકાઈ હતી અને સ્વરાજની લડતમાં પણ તે અવ્વલ બની હતી.

સરદારના સભ્યપદના ત્રણેક મહિનામાં જ શિલીડી કમિશનરના પદેથી ગયા હતા. સરદાર ચૂંટાઈને તરત જ સેનેટરી સમિતિના અધ્યક્ષ બન્યા હતા. કર્મને વરેલા વલ્લભભાઈના કામની કસોટી કરવાની હોય તેમ શહેરમાં પ્લેગ ફાટી નિકળ્યો. બીજા આગેવાનોની જેમ પ્લેગથી બચવા સરદારે શહેર ના છોડ્યું પણ તેમના કામમાં મંડ્યા રહ્યા હતા. તેઓ અમદાવાદની શેરીઓમાં જતા, ગટરો સાફ કરાવતા અને જંતુનાશક દવાઓ છંટાવતા. “કચરો સાફ કરવાનું કામ રાજકારણની ગંદકી સાફ કરવા કરતાં ઘણું જુદું છે”, એમ માનનાર વલ્લભભાઈ એ દિવસોમાં કહેતા કે સફાઈ સમિતિના પ્રમુખ તરીકે પ્લેગ સામે નાગરિકોના બચાવના પ્રયાસો કરવા તે મારી ફરજ છે. તે છોડીને ભાગવું એ તો જનતાનો દ્રોહ છે.

૧૯૨૪ની અમદાવાદ શહેર સુધરાઈની ચૂંટણી સરદારના નેતૃત્વમાં લડાઈ અને જંગી બહુમતીથી જીતાઈ હતી. સરદાર અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા. નવમી ફેબ્રુઆરી ૧૯૨૪થી તેરમી એપ્રિલ ૧૯૨૮ સુધીના એમના પ્રમુખપદના ગાળામાં આરોગ્ય, શિક્ષણ, સફાઈ, ગટર અને રસ્તાનાં કામોને પ્રાધાન્ય આપ્યું હતું. એમનો ઉદ્દેશ શહેરની સુખાકારી હતી.

અમદાવાદનો કેમ્પ વિસ્તાર મ્યુનિસિપાલિટીની હદમાં નહોતો છતાં તેને પાણી મ્યુનિસિપાલિટી પૂરું પાડતી હતી. તે પણ અમદાવાદના નાગરિકો કરતાં વધારે અને ઓછા દરે. મુખ્યત્વે સરકારી અફસરોની વસ્તીના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આ પ્રમાણે સગવડો આપવી તે સરદારને અમદાવાદના નાગરિકો સાથે અન્યાય લાગ્યો હતો. એટલે મ્યુનિસિપાલિટીના સભ્ય બન્યા કે તરત સરદારે આ બાબતે વિરોધ નોંધાવ્યો અને શહેરીઓને ન્યાય કરતો નિર્ણય લેવડાવ્યો હતો. દલિત મિલ કામદારોની ચાલીઓની અગવડોથી તેઓ વાકેફ હતા. દલિત મહિલાઓને ખુલ્લામાં નહાવું પડતું હતું. તેના નિવારણ માટે મેયર વલ્લભભાઈએ ચાલીઓમાં હજારેક નાવણિયા બનાવડાવ્યા હતા.

અસહકાર આંદોલન વખતે શહેરની મ્યુનિસિપલ શાળાઓને મળતી સરકારી ગ્રાન્ટ લેવાની બંધ કરી શહેરની શાળાઓને અંગ્રેજ સરકારની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. સ્વરાજ આંદોલનમાં સામેલગીરીના કારણે ત્રણેક વખત મ્યુનિસિપાલિટીને અંગ્રેજ સરકારે સસ્પેન્ડ કરી હતી. બ્રિટિશ ગુલામીકાળમાં મ્યુનિસિપાલિટીની સામાન્ય સભાઓ માટે બંધાયેલા હોલનું નામ “ગાંધી હોલ” રાખવું, મ્યુનિસિપાલિટી વતી ગાંધીજીનું જાહેર નાગરિક અભિવાદન કરવું અને કાઁગ્રેસની કારોબારી ગાંધી હોલમાં યોજવી તે નાનીસૂની વાત નહોતી.

જો કે મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે સરદારનું કામ આસાન નહોતું. તેમણે બાકી કરવેરા મેળવવા ઝુંબેશ કરી એટલે કાઁગ્રેસનો એક વર્ગ તેમનો વિરોધી બન્યો હતો. જો કે સરદાર તેની તમા રાખ્યા સિવાય કામ કરતા રહ્યા. ૧૯૨૭ના જુલાઈ મહિનાની આખરના છ દિવસમાં અમદાવાદમાં ૫૧ ઈંચ વરસાદ પડ્યો હતો. અતિવૃષ્ટિની આ આફતને સરદાર કુનેહથી ઉકેલી શક્યા. પ્રમુખ તરીકે તેઓ જાતે ફરીને નાળાં સાફ કરાવવામાં અને પાણીના નિકાલની વ્યવસ્થામાં લાગ્યા હતા. અમદાવાદ શહેર ભવિષ્યમાં વિકસે તેને ધ્યાનમાં લઈને તેમણે રિલીફ રોડ ભારે વિરોધ છતાં બંધાવ્યો હતો. દાદાસાહેબ માવળંકર અને ચંદુલાલ ભગુભાઈ દલાલ લિખિત દસ્તાવેજી પુસ્તક ‘રાષ્ટ્રીય ચળવળમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીનો ફાળો’માં સરદારના પ્રમુખ તરીકેના કાર્ય સંદર્ભે લખ્યું છે કે, “વલ્લભભાઈએ પ્રમુખ તરીકે રાષ્ટ્રીય પક્ષની કાર્યપદ્ધતિની નવી જ ભાત પાડી અને લોકો ઉપર એની બહુ સરસ છાપ પડી. જાહેર જીવન એ જ એમનો વ્યવસાય બન્યો. એ વખતે જાહેર જીવન મુખ્યત્વે મ્યુનિસિપલ જીવન જ હતું. એમણે પોતાનો આખો સમય મ્યુનિસિપલ કામકાજને આપ્યો.” (પૃષ્ઠ – ૧૬૨)

શહેર સુધરાઈનાં કામકાજમાં સરદાર કેવા અનોખા હતા એના બે નમૂના : મ્યુનિસિપાલિટીનું સઘળું કામ એ સમયે અંગ્રેજીમાં ચાલતું હતું. જનરલ બોર્ડના ઠરાવો પણ અંગ્રેજીમાં લખાતા હતા. જ્યારે બોર્ડની બેઠકમાં વહીવટ ગુજરાતીમાં ચલાવવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે સરકાર નિયુક્ત અંગ્રેજીભાષી સભ્યોએ તેની તરફેણ કરી હતી. પણ સરદારે વિરોધ કર્યો હતો! ૧૯૨૬માં નવા મ્યુનિસિપલ એક્ટ પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી થઈ. ચેરમેન તરીકે વલ્લભભાઈનું નામ મુકવામાં આવ્યું. સામે વિપક્ષા તરફથી દોલતરામનું નામ આવ્યું. જ્યારે બેઉને એક સરખા મત મળ્યા ત્યારે સભાના પ્રમુખ તરીકે સરદારે તેમનો કાસ્ટિંગ વોટ પોતાને આપવા કે તટસ્થ રહેવાને બદલે દોલતરામને આપ્યો હતો ! ૧૯૨૭માં પ્રમુખની ચૂંટણીમાં દોલતરામના નામની દરખાસ્ત આવી. સુધારા દરખાસ્તમાં વલ્લભભાઈનું નામ સૂચવાયું. મતદાનમાં સરદાર પટેલના નામની દરખાસ્તને ૪૮ અને દોલતરામના નામની દરખાસ્તને ૭ મત મળ્યા હતા. વલ્લભભાઈ આ મતદાનમાં તટસ્થ રહ્યા હતા જ્યારે દોલતરામે પોતે પોતાનો મત આપ્યો હતો.  ૧૯૨૮માં બારડોલીની લડતના સુકાની સરદારને મ્યુનિસિપાલિટીના માનપત્રની દરખાસ્તનો એ સમયના મ્યુનિસિપાલિટીના પ્રમુખ દોલતરામે વિરોધ કર્યો હતો. મતદાનમાં દોલતરામ સહિતના ૪ સભ્યો વિરોધમાં હતા જ્યારે ૪૩ તરફેણમાં હતા.

અંગ્રેજ કમિશનર શિલીડીને સીધો કરવા સરદાર પટેલ મ્યુનિસિપાલિટીમાં પ્રવેશ્યા હતા. પરંતુ મ્યુનિસિપાલિટીના દેશી ચીફ ઓફિસર ઈશ્વરલાલ રણછોડલાલ ભગતની કાર્યપદ્ધતિથી કંટાળી સરદારને પહેલા પ્રમુખ પદ અને પછી સભ્યપદ છોડવું પડ્યું હતું. તે કેટલી મોટી કરુણા છે.

૧૯૩૫માં અમદાવાદ મ્યુનિસિપાલિટીની શતાબ્દી પ્રસંગે એક સંદેશમાં ગાંધીજીએ તેમની કલ્પનાના અમદાવાદ વિશે કહ્યું હતું કે, “એ મ્યુનિસિપાલિટીના પાયખાનાં વાચનાલય જેવાં સાફ થશે, એની પોળો સ્વચ્છતાનો નમૂનો થશે, એનાં બધાં બાળકો પાઠશાળામાં જતાં હશે, ત્યાં રોગોનું પ્રમાણ ઓછું હશે, ત્યાં મજૂરો અને માલિકો વચ્ચે ઊંચનીચના ભેદ નહીં હોય, ત્યાં મજૂરોનાં મકાનોમાં મ્યુનિસિપાલિટીના પ્રમુખ સૂઈ શકતા હશે. ‌- ‌એવી કોઈ દિવસ થશે, અને એ જોવા હું પામીશ, એવું સ્વપ્ન સેવ્યા કરું છું. એ સિદ્ધ કરવું તો શહેરીઓના હાથમાં છે. એને સારુ, આપણામાં સરદારની સેવાવૃતિ અને ત્યાગ વૃતિ જોઈએ.”

સરદારના સાર્ધ શતાબ્દી, મેયર તરીકેના શતાબ્દી અને આઝાદીના અમૃત વરસોમાં કર્ણાવતી, આશાપલ્લી, અહમદાબાદ અને અમદાવાદ રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, કાંકરિયા કાર્નિવલ અને એવી જાતભાતની ઝાકમઝાળ અને રોશનીના દેખાડાથી સોહે છે. પરંતુ શહેરના સત્તાવાળાઓ અને શહેરીઓમાં સરદારની સેવા અને ત્યાગવૃતિના અભાવે ગાંધીની કલ્પનાનું અમદાવાદ સ્વપ્નવત છે.

e.mail : maheriyachandu@gmail.com  

Loading

खाली संविधान !

कुमार प्रशांत|Opinion - Opinion|20 November 2024

कुमार प्रशांत

तो राहुल गांधी के सबसे धारदार हथियार की धार भोथरी करने के लिए प्रधानमंत्री ने एक ऐसा झूठ बोला कि जिस बराबरी का झूठ खोजना उनके संसार में भी मुश्किल है. झूठ की शिफत यही है कि उसे हरबार पिछले से ज्यादा बढ़ा–चढ़ा कर बोलना चाहिए अन्यथा उसकी तासीर बेअसर हो जाएगी. प्रधानमंत्री इस कला के माहिर उस्ताद हैं. वे झूठ भी बोलते हैं – याकि झूठ ही बोलते हैं ! – और सार्वजनिक विमर्श कास्तर इतना गिराते जाते हैं कि शालीनता, विवेक, ज्ञान आदि के खड़े होने की जगह ही न बचे. जवाब में फिर दूसरी तरफ से भी उसी स्तर की बातें आती हैं.   

लोकसभा चुनाव के दौरान राहुल गांधी अपने भाषणों में भारतीय संविधान की लाल रंग की एक आवृत्ति दिखाते घूमते रहे. उनका कहना है कि भारतीय संविधान में वह सब कुछ है जो आंबेडकरजी, गांधीजी, फुलेजी आदि के दर्शन में है. वे समझाते हैं कि जनता के अधिकार, जनता की शिक्षा, जनता का आरक्षण, जनता का रोजगार, जनता की आजादी आदि सभी इसी संविधान से निकलती है और प्रधानमंत्री इसी संविधान को समाप्त करना चाहते हैं. बक़ौल राहुल गांधी प्रधानमंत्री व भारतीय जनता पार्टी ऐसा इसलिए चाहती है कि उसे समता व बराबरी का समाज नहीं चाहिए. वे इससे जुड़ी तमाम दूसरी बातें भी कहते हैं. राहुल गांधी जो कर रहे हैं, वह सब सही है, ऐसा तो कैसे कहें हम लेकिन हम यह कहना जरूर चाहते हैं कि राहुल जो कह रहे हैं, उस पर गहराई से विचार होना चाहिए. 

लेकिन किसी विचार की बात तो दूर, प्रधानमंत्री ने राहुल गांधी को ऐसा जवाब दिया कि जिसका सर है, न पांव ! प्रधानमंत्री दहाड़ कर बोले, बार–बार बोले और हर बार नई मुद्रा में बोले कि राहुल गांधी संविधान की जो किताब दिखाते हैं उसके भीतर कुछ लिखा ही नहीं है. वह खाली है. राहुल गांधी ने अपनी अगली सभा में फिर किताब दिखाई लेकिन इस बार उसे खोल कर भी दिखाया. उसमें बाजाप्ता लिखाहुआ था. वह खाली नहीं थी. अभी तक किसी ने उस किताब की ऐसी कोई प्रति सार्वजनिक भी नहीं की है जो ऊपर से लाल हो लेकिन भीतर से खाली हो. 

हमारा संविधान प्रधानमंत्री ने पढ़ा हो कि नहीं, देखा तो जरूर होगा. उसके सामने दंडवत होते वक्त भी उन्हें अनुमान तो हुआ ही होगा कि वह एक खासा भारी–भरकम ग्रंथ है. उतना बड़ा ग्रंथ उस गुटके में समाही नहीं सकता है. तो संविधान का सार बताने वाला वह प्रतीक संस्करण है. कांग्रेस ने तुरंत ही वह फोटो भी छाप दिया जिसमें प्रधानमंत्री स्वंय ही तत्कालीन राष्ट्रपति रामनाथ कोविद को वही लाल संस्करण भेंटकर रहे हैं. तो क्या प्रधानमंत्री ने राष्ट्रपति को कोरा गुटका दे कर झांसा दिया था. अगर नहीं, तो राहुल गांधी ऐसा झूठा काम क्यों करेंगे जो तभी–के–तभी, वहीं–के–वहीं पकड़ा जा सके ! पप्पू कैसा भी पप्पू हो, ऐसा फेंकू तो नहीं हो सकता ! 

अब अपना अमृत–प्रवचन दे कर प्रधानमंत्री देश से बाहर चले गए. भारतीय जनता पार्टी उनके इस झूठ को सन्नाटे में डुबो कर ही झेल सकती है. वह झेल रही है. लेकिन इससे भारतीय जनता पार्टी को हासिल क्या हुआ ? राहुल गांधी ने भारतीय राजनीति में अब अपनी ऐसी जगह तो बना ही ली है कि उन्हें प्रधानमंत्री वापस पप्पू साबित नहीं कर सकते. सहमति–असहमति, योग्यता–अयोग्यता सब अपनी जगह है लेकिन कांग्रेस को भी राहुल को उसी तरह ढोना है जिस तरह भारतीय जनता पार्टी को नरेंद्र मोदी को ढोना है. यह दोनों पार्टियों का अंदरूनी मामला है. लेकिन किसी को यह हक कैसे मिल सकता है कि वह मतदाता को ऐसा मूर्ख माने और चुनाव–प्रचार को इतनी फूहड़ता से ले !    

चुनाव प्रचार को झूठ का बवंडर और अर्थहीन जुमलों का ऐसा जंगल बना दिया गया है कि वहां लोक शिक्षण की जगह ही बाकी न हीं रही है.  चुनाव प्रचार मतदाता को जागरूक करने का नहीं, उसके ही पैसेसे उसे मूर्ख बनाने का सबसे बड़ा संवैधानिक आयोजन बन गया है. सारी संवैधानिक संस्थाएं इस शर्मनाक प्रहसन की मूक दर्शक भर हैं. देश के सार्वजनिक व वैधानिक जगत का ऐसा पतन संविधान निर्माताओं की कल्पना में नहीं रहा होगा. 1977 के अत्यंत नाजुक लोकसभा चुनाव के वक्त भी कम नहीं थे ऐसे ज्ञानी–धुरंधर जो जयप्रकाश नारायण को समझाते रहे थे कि साधारण लोग कहां समझेंगे आपकी यह लोकतंत्र व तानाशाही की बात ! “ दो में से एक चुनना है : लोकतंत्र या तानाशाही !” का सीधा नारा दे कर, वे यह कहते हुए आगे निकल गए कि आप लोग अपनी समझ की फिक्र कीजिए, जनता की नहीं! साधारण मतदाता ने वह चुनौती समझी और लोकतंत्र उभर आया.     

संविधान की किताब दिखा कर चुनाव की तासीर बदलने की राहुल की कोशिश आज भी जारी है. कांग्रेस संगठन में कोई राजनीतिक समझ होती तो वह इसी का बड़ा आंदोलन खड़ा कर सकती थी. जब सामने वैचारिक शून्यता का घटाटोप रचा जा रहा हो, तब आपकी सामान्य वैचारिक बातें भी जड़ जमा लेती हैं. लेकिन कांग्रेस में ऐसी समझ होती तो उसका ऐसा हाल होता ही क्यों! कोई चिढ़ कर जवाब देता हैकि जहां राहुल गांधी की अपनी सरकारें हैं, वहां भी तो वह सब नहीं हो रहा है जो राहुल गांधी कह रहे हैं. बात गलत नहीं है लेकिन यह राहुल गांधी की बात का जवाब नहीं है. जिस तरह मतदाताओं को नंगों–कंगलों–भीखमंगों की भीड़ समझ कर रुपये बांटने की नई शैली चली है, जिसमें कांग्रेस–भाजपा में एक–दूसरे को मात देने की होड़ चल रही है, वह भी इस बात का जवाब नहीं है कि संविधान में कैसा भारत बनाने का सपना दर्ज है, और वैसा भारत बनाने का क्या रास्ता संविधान बताता है. सबसे बड़ा क्षद्म यह है कि अब सभी संविधान की शपथ लेते हैं, उसे पढ़ता कोई नहीं है. अभी–अभी सेवानिवृत हुए हमारे सर्वोच्च न्यायमूर्ति चंद्रचूड़ साहब ने तो बाकायदा घोषणा ही कर दी कि संविधान पढ़ना ईश्वर का काम है, न्यायपालिका का काम ईश्वर से पूछ लेना भर है. 

देश इतना खोखला बना दिया गया है, मतदाता इतनी बार, इतनी तरह से छला गया है कि आज सारा कुछ संविधान में सिमट आया है. प्रधानमंत्री भले खिल्ली उड़ाएं कि राहुल गांधी खाली संविधान दिखा रहे हैं, देश को आज जरूरत खाली संविधान की ही है. खाली संविधान की कसौटी पर विधायिका–कार्यपालिका–न्यायपालिका को कसने की ताकत देश एक बार पा ले तो गाड़ी पटरी पर लौट सकती है. मीडियासंस्थानों का विष–दंत भी संविधान ही तोड़ सकता है. मतदाता को यह ताकत व यह दृष्टि खाली संविधान से ही मिल सकती है. हम सब अपनी–अपनी जगह पर इसके औजार बनें तो 1977 का चमत्कार फिर दोहराया जा सकता है.

(20.11.2024)  
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

...102030...482483484485...490500510...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved