Opinion Magazine
Number of visits: 9457003
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાત શિક્ષણક્ષેત્રે હરણફાળ નહીં, પણ મરણફાળ ભરી રહ્યું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 August 2024

રવીન્દ્ર પારેખ

શિક્ષણની નવી પોલિસી 2020થી લાગુ થઈ છે, પણ તે શિક્ષકો વગર લાગુ થવાની હોય તેમ ગુજરાત સરકાર સક્રિય છે. સૂત્રોમાં તો સરકાર ‘ભણે ગુજરાત’, ‘વાંચે ગુજરાત’ ‘પ્રવેશોત્સવ’ જેવાં ઘણા ખેલ પાડે છે, પણ અમલમાં બહુ ઓછું મુકાય છે. દેખાડાથી જ શિક્ષણની પોલિસી લાગુ થઈ જવાની હોય તેમ શિક્ષણની મૂળભૂત જરૂરિયાત તરફ સરકાર ભારે ઉદાસીન છે. ગુણવત્તા સભર શિક્ષણ તરફ સરકારનું ધ્યાન જ નથી. બીજા કોઈ પર સરકાર બહુ ભરોસો ન કરે, પણ નીતિ આયોગના રિપોર્ટે ગુજરાતનાં વર્તમાન શિક્ષણનું જે ચિત્ર આપ્યું છે, તેમાં વરવી વાસ્તવિકતા આંખો ઉઘાડનારી છે. 2018માં ફ્રન્ટ રનર તરીકે ઓળખાયેલું ગુજરાત છેક 18માં ક્રમે ધકેલાયું છે. ફ્રન્ટ રનર તરીકે ઓળખાતું ગુજરાત પર્ફોર્મર સ્ટેટ બન્યું છે. હાઇ પરફોર્મિંગ સ્ટેટમાંથી 2024માં ગુજરાત પર્ફોર્મર સ્ટેટ બન્યું છે, તેનું સરકાર ગૌરવ લે તો નવાઈ નહીં. ટૂંકમાં, 6 જ વર્ષમાં શિક્ષણમાં ગુજરાતની અધોગતિ થઈ છે.

ગુજરાતનો ડ્રોપ આઉટ રેશિયો અને વિદ્યાર્થીઓ દીઠ શિક્ષકોની સંખ્યામાં કેન્દ્ર આગળ છે, તેનાં મૂળમાં મોંઘું શિક્ષણ જવાબદાર છે. ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો 17.9 ટકા છે, જે દેશના 12.6 ટકા ડ્રોપ આઉટ રેશિયોથી 5 ટકા વધારે છે. ધોરણ 11 અને 12માં રાજ્યના 48.2 ટકા વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવે છે, જ્યારે દેશમાં એ ટકાવારી 57.6 ટકાની છે. કોલેજમાં ગુજરાતનાં 24 વિદ્યાર્થી પ્રવેશ મેળવે છે, જ્યારે દેશમાં એ સંખ્યા 28.4ની છે. દેશમાં 18 વિદ્યાર્થીએ 1 શિક્ષક છે, જ્યારે ગુજરાતમાં એ એવરેજ 29 વિદ્યાર્થીએ 1 શિક્ષકની છે. આ આંકડા વિપક્ષે આપેલ નથી, તે નીતિ આયોગના છે, એટલે રાજકારણ પ્રેરિત આ વિગતો છે એમ માનીને સરકાર તેની ઉપેક્ષા કરી શકે નહીં. ગુજરાત મોડેલની પૂરેપૂરી પથારી ફરી ગઈ છે. ગુજરાત શિક્ષણક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, એવું કહેવાય છે, પણ ખરેખર તો તે મરણફાળ ભરી રહ્યું હોય એવું વધારે લાગે છે. વિદેશના વિદ્યાર્થીઓ ક્વોલિટી એજ્યુકેશન માટે ગુજરાત આવી રહ્યા છે, એવી વાતોમાં પણ હવે બહુ કસ રહ્યો નથી. નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેંટ ગોલ (SDG) ઇન્ડિયા ઇંડેક્સ 2023-2024ના રિપોર્ટે ગુજરાતને ઉઘાડું કરી મૂક્યું છે. ગુજરાતમાં જન્મતાં બાળકો પૈકી 11 ટકા એવાં છે જે સ્કૂલનું મોઢું જોવા જ નથી પામતાં. સરકાર જ શિક્ષણનું ખાનગીકરણ કરવાના મતની હોય તો એ વેપાર કરશે કે બીજું કૈં? લોકોના ટેક્સથી ચાલતું શિક્ષણ, છતાં સરકાર શિક્ષણની જવાબદારી ઉપાડવા નથી માંગતી. સરકાર ખાનગી નથી, મંત્રીઓ ખાનગી નથી, ધારાસભ્યો ખાનગી નથી, તે સરકારી છે, પણ શિક્ષણ ખાનગી કરીને સરકાર પ્રજાનો દ્રોહ કરી રહી છે.

એમ લાગે છે કે સરકારને શિક્ષણના સિઝનલ ધંધામાં વિશેષ રસ છે. ઓલિમ્પિક ચાલે છે એટલે શિક્ષણ સમિતિને પણ ઓલિમ્પિકથી ઓછું તો કૈં સૂઝતું જ નથી. ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન થાય છે. શિક્ષણ સમિતિ, સુરતે પણ સ્પોર્ટ્સ ટ્રેક, સ્પોર્ટ્સ શૂઝ આપવાનું નક્કી કર્યું છે. એને માટે 21 કરોડનાં ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એમ કરીને સમિતિ ખેલકૂદ એથ્લેટિક સ્પર્ધા માટે વિદ્યાર્થીઓને સુવિધા આપવા માંગે છે, પણ સમિતિ પાસે 325 સ્કૂલો વચ્ચે 50 મેદાન છે ને તેમાંના તાલીમ માટે ઓછા જ લાયક છે. 50 પી.ટી. શિક્ષકો છે, જેમાંના કેટલાક નિવૃત્ત થવામાં છે. 25 વર્ષમાં નવા પી.ટી. ટીચર્સની ભરતી થઈ નથી. જે છે તે વ્યાયામને બદલે અન્ય વિષયો ભણાવે છે. હવે ઓલિમ્પિક ફીવર ચડ્યો છે, એટલે કરાર આધારિત નવી નિમણૂકો થશે. આ બધું કામચલાઉ ધોરણે ચાલે છે. એમાં જીવ નથી. આમાંના મોટે ભાગના એમ જ માને છે કે સ્પોર્ટ્સ વેર કે સ્પોર્ટ્સ શૂઝ પહેરવા માત્રથી જ ખેલ પ્રતિભા ઝળકી ઊઠે છે. આ બધાંમાં છૂપો રસ, કયા મળતિયાઓને સ્પોર્ટ્સ વેર કે સ્પોર્ટ્સ શૂઝના સપ્લાયનો લાભ મળે છે એ પણ લાગતા વળગતાઓ લેતા હોય છે. શિક્ષણ સમિતિનું બજેટ 965 કરોડનું છે, પણ હજારથી વધુ શિક્ષકોની ખોટ પૂરવાની તેની ત્રેવડ નથી ને વિદ્યા સહાયકો કે જ્ઞાન સહાયકોની નિમણૂકો કરીને આંગળાં ચાટીને સરકાર પેટ ભરે છે. જેને જેન્યુઇન રસ કહીએ છીએ તે આખા તંત્રમાં અપવાદરૂપે જ હોય તો હોય.

એક સાથે બધો જ દાટ શિક્ષણમાં વાળવો એવું ગુજરાત સરકારે નક્કી કર્યું હોય તેમ બધી જ અરાજકતા શિક્ષણમાં એક સાથે જોવા મળે છે. જરા જેટલી પણ પરવા પ્રજાની ન કરવાની હોય તેમ શૈક્ષણિક પાસાંઓ બાબતે સરકાર ઉદાસીન છે. બધું બંધ કરવાની રીતે જ સરકાર ઉલાળિયો કરવા બેઠી છે. વિદ્યાર્થીઓ નથી મળતા એ બહાના હેઠળ 38,000 સ્કૂલોમાંથી 5,612 સ્કૂલોને તાળાં મારીને સરકાર બેઠી છે. એને લીધે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે એમ છે. સરકારી સ્કૂલો બંધ થાય છે એ પ્રમાણમાં ખાનગી સ્કૂલો બંધ થતી નથી, બલકે, તે વધુ ખૂલે છે. જો વિદ્યાર્થીઓ ન મળતા હોય તો ખાનગી સ્કૂલો કેમ ખૂલે છે એનો ખુલાસો થવો જોઈએ. સરકારીમાં ઓછી ફી છતાં એ સ્કૂલો બંધ થાય છે અને ખાનગીમાં વધુ ફી છતાં સ્કૂલો ખૂલે છે એનું કોઈને જ આશ્ચર્ય નથી.

32,000 શિક્ષકોની ભરતી થતી નથી ને જ્ઞાન સહાયકોથી કામ એટલે કાઢવામાં આવે છે, કારણ તેમને નિવૃત્તિનાં પેન્શન વગેરે લાભો આપવા ન પડે. શિક્ષણ ખાતાનાં મંત્રીઓ, અધિકારીઓ પેન્શન લેવાના છે, પણ શિક્ષકોને એ લાભ આપતા સરકાર હાથ તંગ રાખે એ બરાબર નથી. સરકારી સ્કૂલોમાં ઓછી ફી હોવાથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે, એમને શિક્ષકો વગર ભણાવવાની વાત કરવી એ મોટું શૈક્ષણિક પાપ છે. આદિવાસી વિસ્તારની પૂર્વ પટ્ટીમાં 353 સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે. રાજ્યમાં 1,657 સ્કૂલો એવી છે જે એક જ શિક્ષકથી ચાલે છે. શિક્ષકોને મામલે જ કંજૂસી થાય છે, એવું નથી, સ્કૂલો, વર્ગખંડોને મામલે પણ સરકાર દરિદ્રી છે. 38 હજાર ખંડોની ઘટ છે. 341 શાળાઓ એવી છે જેને માત્ર એક જ વર્ગ છે. 14,652 શાળાઓ એવી છે જેનાં એક જ ખંડમાં એકથી વધુ ધોરણો ચાલે છે. ગુજરાતભરની 3,353 સ્કૂલોમાં 10,698 ઓરડા જર્જરિત છે. રાજ્યની 31 ટકા સરકારી સ્કૂલોમાં પીવાનાં પાણીની વ્યવસ્થા નથી. કાયમી નોકરીની આશામાં ટેટ-ટાટ પાસ કરનાર 50,000 ઉમેદવારો જ્ઞાન સહાયકની નોકરી કરવા લાચાર છે. આ રીતે સરકાર પોતે જ ઉમેદવારોનું આર્થિક શોષણ કરી રહી છે. આ બધી વિગતો જોતાં ક્યાં ય એવું લાગતું નથી કે સરકાર, સરકારી શિક્ષણને મામલે ગંભીર છે.

શિક્ષણ ખાતું જો સરકારે પોતાને હસ્તક રાખ્યું જ છે, તો એક પણ તબક્કે કલેરિટી કેમ નથી તે નથી સમજાતું. સ્કૂલો ખોલી છે તો, તે સારી સ્થિતિમાં સક્રિય હોય એટલું જોવામાં સરકારને શી તકલીફ નડે  છે? જો વિદ્યાર્થીઓને ભણાવવા જ હોય તો શિક્ષકો પૂરતા રાખવામાં કરકસર કેમ છે? વર્ગખંડો હોય ને ભણાવવા જ વાપરવાના હોય તો તે વ્યવસ્થિત હોય એટલું ઓછામાં ઓછું તો જોવાયને ! એક શિક્ષક એકથી વધુ વર્ગો સંભાળે કે એક જ ઓરડામાં આખી સ્કૂલ ચાલતી હોય એવું કરવામાં શિક્ષણની કઈ વિશેષ સેવા થાય છે? છતે શિક્ષકે, શિક્ષકોનો દુકાળ સર્જવામાં સરકાર શું વધુ પ્રાપ્ત કરી શકે એમ છે? કોઈ ખાનગી સ્કૂલ આટલી બેદરકારીથી કોઈ સંચાલક ચલાવશે તો તે સરકાર ચલાવે એમ છે? જો નહીં, તો જાણી જોઈને સરકાર શિક્ષણની અવદશા શું કામ નોતરે છે? આ એવી કઈ સિદ્ધિ છે જેને માટે સરકાર આટલી મહેનત કરે છે?

આ ગમે એટલી ઉદારતાથી જોવાય તો પણ શિક્ષણના હિતમાં નથી તે સરકારે સમજી લેવાનું રહે. આટલો અણઘડ કારભાર આટલાં વર્ષની કોઈ પણ સરકારમાં ક્યારે ય જોવા મળ્યો નથી તે સખેદ નોંધ્યે જ છૂટકો છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 ઑગસ્ટ 2024

Loading

जाति जनगणना: सामाजिक न्याय की ओर कदम

राम पुनियानी|Opinion - Opinion|9 August 2024

राम पुनियानी

हालिया लोकसभा आमचुनाव (मई 2024) में इंडियन गठबंधन ने जाति जनगणना के मुद्दे को अपने चुनाव अभियान में महत्वपूर्ण स्थान दिया. अन्य कारकों के अलावा, इस मुद्दे ने भी इंडिया गठबंधन के चुनाव में बेहतर प्रदर्शन में अपना योगदान दिया. हालाँकि इस गठबंधन को सरकार बनाने लायक सीटें नहीं मिल सकीं. भाजपा के गठबंधन साथी नीतीश कुमार बिहार में पहले ही जाति जनगणना करवा चुके हैं, हालाँकि इस मुद्दे को अभी उन्होंने ठंडे बस्ते में रख छोड़ा है. राहुल गाँधी ने वित्त मंत्री द्वारा प्रस्तुत केन्द्रीय बजट पर चर्चा के दौरान लोकसभा में अपने भाषण में इस मुद्दे को प्रमुखता से उठाया. उन्होंने काफी ज़ोरदार और प्रभावी ढंग से जाति जनगणना की मांग उठाई. उन्होंने ‘हलवा’ (सरकार से मिलने वाले लाभ) का मुद्दा भी उठाया. उन्होंने कहा कि बजट तैयार करने वाले मुख्यतः ऊंची जातियों के हैं और बजट के लाभार्थी केवल चंद उच्च वर्ग हैं.

राहुल गाँधी के इस प्रभावी भाषण का जवाब देते हुए अनुराग ठाकुर (‘गोली मारो….’ वाले) ने राहुल गाँधी का मखौल उड़ाते हुए कहा कि जिसे उसकी खुद की जाति नहीं मालूम, वह जाति जनगणना की मांग कर रहा है. इस मामले में राहुल गाँधी अनूठे व्यक्ति हैं – हिन्दू पिता, ईसाई मां, हिन्दू दादी और पारसी दादा. एक तरह से वे उस स्वतंत्र और खुले समाज के प्रतीक हैं, जो दकियानूसी तत्वों के अंतरजातीय और अंतर्धार्मिक शादियों के विरोध के बावजूद देश में उभरता जा रहा है. ठाकुर की टिप्पणियों को लोकसभा की कार्यवाही से हटा दिया गया मगर प्रधानमंत्री ने उनके भाषण को ट्वीट कर उसका अनुमोदन किया.

जाति जनगणना आवश्यक है. कारण यह कि आरक्षण के प्रतिशत का निर्धारण दशकों पहले किया गया था और तब से लेकर अब तक विभिन्न जातियों की कुल आबादी में हिस्सेदारी में काफी परिवर्तन आ चुका है. अनुराग ठाकुर और नरेन्द्र मोदी जिस विचारधारा के हैं, वह विचारधारा सकारात्मक भेदभाव की नीति अपनाकर हाशियाकृत समुदायों को अन्य समुदायों के समकक्ष लाने के प्रयासों के खिलाफ है. यद्यपि आर्थिक दृष्टि से सक्षम हो जाने मात्र से दलितों की सामाजिक समस्याएं समाप्त नहीं हो जाएंगी मगर इसमें कोई संदेह नहीं कि बेहतर आर्थिक स्थिति से सामाजिक स्थिति में भी बेहतरी आती है.

भारतीय समाज जाति व्यवस्था के चंगुल में बुरी तरह फंसा हुआ है. इसके चलते जाति प्रथा के पीड़ितों को सामाजिक न्याय, सम्मान और गरिमा मिले, यह सुनिश्चित करवाना आसान नहीं है. दलितों को सम्मान और समानता दिलवाने का संघर्ष बहुत लम्बा और कठिन रहा है. इस दिशा में पहला प्रयास जोतिराव फुले ने किया था. उन्हें अहसास था कि जाति प्रथा, हिन्दू समाज की सबसे बड़ी कमजोरी है. चूँकि दलितों को पढने-लिखने नहीं दिया जाता था इसलिए फुले ने दलितों के लिए स्कूल खोले. जातिगत पदक्रम को बनाये रखने में लैंगिक असमानता की भी अहम भूमिका है. अतः सावित्रीबाई फुले ने लड़कियों के लिए स्कूल खोले. जातिगत व लैंगिक समानता की स्थापना के ये प्रयास करीब एक सदी पहले किये गए थे.

अम्बेडकर ने इन वर्गों को और जागरूक किया. दलितों को समझ में आया कि जमींदार और पुरोहित की जोड़ी – जिसे महाराष्ट्र में शेठजी-भट्टजी कहा जाता है – उनकी सबसे बड़ी पीड़क है. इसी के चलते ब्राह्मण विरोधी आन्दोलन शुरू हुआ. ब्राह्मणों के प्रभुत्व को चुनौती देने वाले इस आन्दोलन की राह आसान नहीं रही. उच्च जातियों के लोग हिन्दू-मुस्लिम एकता स्थापित करने के गांधीजी के प्रयासों से पहले ही परेशान थे. दलितों की समान अधिकारों की मांग ने उच्च जातियों को और विचलित कर दिया. उच्च जातियों के श्रेष्ठी वर्ग ने आरएसएस की स्थापना की, जिसका लक्ष्य था हिन्दू राष्ट्र की स्थापना. हिन्दू राष्ट्र की परिकल्पना मनुस्मृति पर आधारित है. आरएसएस ने भारत के संविधान का इस आधार पर विरोध किया था कि उसमें भारत के ‘स्वर्णिम अतीत’ के मूल्यों को जगह नहीं दी गई है.

अनुसूचित जातियों और अनुसूचित जनजातियों के लिए आरक्षण का असर धीर-धीरे समाज पर पड़ने लगा. इसके साथ ही अफवाहें फैलाने का क्रम भी शुरू हो गया. आरक्षण से लाभान्वित होने वालों को ‘सरकारी दामाद’ कहा जाने लगा और यह तर्क दिया गया कि वे जिन पदों पर काबिज़ हैं, वे उनके योग्य नहीं हैं. यह भी कहा गया कि आरक्षण की व्यवस्था योग्य युवाओं की राह में रोड़ा है. ऊंची जातियों के लोगों का गुस्सा सबसे पहले गुजरात के अहमदाबाद में सामने आया. माधवसिंह सोलंकी के केएचएएम या खाम (क्षत्रिय, हरिजन, आदिवासी और मुस्लिम) गठबंधन की सफलता पर तीव्र प्रतिक्रिया हुई और सन 1981 में गुजरात में दलित-विरोधी हिंसा भड़क गयी. अध्येता अच्युत याग्निक लिखते हैं: “शिक्षित मध्यम वर्ग, जिसमें ब्राह्मण, बनिया और पाटीदार शामिल हैं, ने 1981 में आरक्षण की व्यवस्था के खिलाफ आन्दोलन शुरू कर दिया.”

सन 1985 में पदोन्नति में आरक्षण के खिलाफ एक बार फिर गुजरात में दलित-विरोधी हिंसा हुई. इसी समय, विश्व हिन्दू परिषद् ने राममंदिर आन्दोलन के बढ़ावा देना शुरू किया और लालकृष्ण अडवाणी ने सोमनाथ से अयोध्या तक रथयात्रा शुरू की.

वी.पी. सिंह, जिनकी सरकार एक ओर भाजपा तो दूसरी ओर वामपंथी दलों के समर्थन से चल रही थी, ने अपनी गद्दी बचाने की खातिर मंडल आयोग की रपट को लागू कर दिया और अन्य पिछड़ा वर्गों (ओबीसी), जो आबादी का 55 प्रतिशत हैं, को 27 प्रतिशत आरक्षण दे दिया. ऊंची जातियां, मंडल आयोग के खिलाफ थीं. मगर चुनावी कारणों से भाजपा मंडल का सीधे विरोध नहीं कर सकती थी. उसने रथयात्रा को सफल बनाने में पूरा जोर लगा दिया. इस यात्रा को मंडल-विरोधी उच्च जातियों का जबरदस्त समर्थन प्राप्त हुआ. मंडल का विरोध करने के लिए ‘यूथ फॉर इक्वालिटी’ जैसी संस्थाएं उभर आईं.

मंडल राजनीति से शरद यादव, लालू यादव और रामविलास पासवान जैसे नेता उभरे. भाजपा के शीर्ष नेता अटलबिहारी वाजपेयी ने कहा, “वे मंडल लाए तो हम बदले में कमंडल लाए.” भाजपा सामाजिक न्याय की विरोधी रही है और अपने इस विरोध को उसने मुस्लिम-विरोध का जामा पहनाया. एक सुनियोजित षड़यंत्र के तहत बाबरी मस्जिद को गिरा दिया गिया. भाजपा का उद्देश्य है जातिगत उंच-नीच को बनाये रखते हुए हिन्दुओं को एक करना. मंडल पार्टियाँ कई मामलों में सफल रहीं मगर उनमें से कुछ ने अपने संकीर्ण हितों की खातिर मनु की राजनीति से समझौता कर लिया.

इंडिया गठबंधन में शामिल कुछ दल मंडल के विरोधी रहे हैं. मगर अपनी दो भारत जोड़ो यात्राओं के दौरान आम लोगों की स्थिति देखने के बाद राहुल गाँधी, जाति जनगणना के प्रबल समर्थक बन गए हैं. विभिन्न जातियों की आबादी, आरक्षण के प्रतिशत का निर्धारण करने का सबसे बेहतर आधार है. इस सन्दर्भ में सुप्रीम कोर्ट का आरक्षण कोटे के उप-विभाजन के सम्बन्ध में निर्णय स्वागतयोग्य है. जो जातियां आरक्षण का लाभ नहीं उठा पाईं हैं, उन्हें इसका लाभ दिलवाना सामाजिक न्याय की स्थापना के लिए आवश्यक है.

जहाँ इंडिया गठबंधन जाति जनगणना की मांग का खुल कर समर्थन कर रहा है वहीं एनडीए की मुख्य घटक दल भाजपा इस मांग की पूर्ति की राह में हर संभव रोड़ा अटकाएगी. इस मांग के समर्थन में प्रदर्शन, सभाएं आदि कर इस मांग की पूर्ति सुनिश्चित की जा सकती है.

26 जुलाई 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं) 

Loading

ઇસ્લામી બાંગ્લાદેશમાં બિન-સાંપ્રદાયિકતાનો નર્યો ઢોંગ 

હેમન્તકુમાર શાહ|Opinion - Opinion|8 August 2024

હેમંતકુમાર શાહ

બાંગ્લાદેશના બંધારણમાં ભારતના બંધારણની જેમ આમુખ છે. એ આમુખના શીર્ષકની ઉપર જ લખવામાં આવ્યું છે કે, “બિસ્મિલ્લાહ-અર-રહેમાન-અર-રહીમ”. એટલે કે “જે સર્જક અને દયાળુ છે તે અલ્લાહને નામે”. આમ, અલ્લાહના નામથી તો બંધારણનો આરંભ થાય છે. આમુખની બીજી લીટીમાં રાષ્ટ્રવાદ, સમાજવાદ, લોકશાહી અને બિન-સાંપ્રદાયિકતાના આદર્શો સ્વીકારવામાં આવ્યા છે. આ બંધારણ તા.૦૪-૧૧-૧૯૭૨ના રોજ સ્વીકારવામાં આવ્યું હતું કે જ્યારે તેને પાકિસ્તાનથી આઝાદી અપાવનાર શેખ મુજીબુર રહેમાન વડા પ્રધાન અને પછી રાષ્ટ્રપ્રમુખ તરીકે હયાત હતા. તમામ નાગરિકો માટે કાયદાનું શાસન હોય, મૂળભૂત માનવ અધિકારો અને સ્વતંત્રતા હોય, અને સમાનતા અને ન્યાય હોય એવું રાજ્યનું ધ્યેય છે એમ પણ આ આમુખમાં લખવામાં આવ્યું છે.

બાંગ્લાદેશે 1972માં જ્યારે બંધારણમાં બિન-સાંપ્રદાયિકતા શબ્દ વાપર્યો ત્યારે તે દક્ષિણ એશિયામાં બંધારણમાં એ શબ્દ મૂકનાર પ્રથમ દેશ બન્યો હતો. ભારતમાં એ શબ્દ ૧૯૭૬માં ૪૨મા બંધારણ સુધારાથી ઇન્દિરા ગાંધીએ આમુખમાં દાખલ કરેલો. પછી ૨૦૧૧માં જ બાંગ્લાદેશના બંધારણમાં પંદરમો સુધારો કરવામાં આવ્યો અને રાજ્યનો ધર્મ ઇસ્લામ છે એમ કલમ-૨એમાં કહેવામાં આવ્યું. આમ, બાંગ્લાદેશ ધર્મરાજ્ય બની ગયું. જો કે, એ જ કલમમાં એમ લખવામાં આવ્યું કે હિંદુ, બૌદ્ધ, ખ્રિસ્તી અને અન્ય ધર્મોના વ્યવહારમાં સમાન દરજ્જો અને સમાન અધિકારો સુનિશ્ચિત થાય તેની કાળજી રાખશે.

જો કે, બાંગ્લાદેશની સરકાર ઇસ્લામને પ્રાથમિકતા આપશે એ તો આ સુધારાથી નક્કી થઈ ગયું. એક બાજુ બાંગ્લાદેશ આમુખમાં કહેવામાં આવે તેમ બિન-સાંપ્રદાયિકતાને આદર્શ ગણે છે અને બીજી બાજુ તે ધર્મરાજ્ય છે એમ ઘોષિત કરે છે! આ બંને તદ્દન વિરોધાભાસી બાબતો છે. ત્યાંની સરકારનો વ્યવહાર કાયદાનું શાસન પ્રસ્થાપિત કરવાનો રહ્યો છે કે નહિ અને હિન્દુઓ સહિતની લઘુમતીઓને સમાન અધિકારો પ્રાપ્ત થયા છે કે નહિ તે તો એક જુદો જ મુદ્દો છે. પરંતુ ધર્મરાજ્ય અન્ય ધર્મીઓ સાથે ભેદભાવ આચરે જ એમાં કોઈ શંકા નથી. કોઈ ધર્મરાજ્ય ખરા અર્થમાં ધર્મનિરપેક્ષ કેવી રીતે હોઈ શકે એ સમજાતું જ નથી.

અત્યારે જ્યારે બાંગ્લાદેશમાં રાજકીય કટોકટી ઊભી થઈ છે ત્યારે જે હિંસા આચરાઈ રહી છે તેમાં હિંદુઓને, તેમનાં ઘરોને અને મંદિરોને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યાં છે તેવા અહેવાલો વ્યાપકપણે જોવા મળે છે. તે એમ બતાવે છે કે બાંગ્લા મુસ્લિમો ધર્મનિરપેક્ષ નથી. જો કે, આંદોલનકારી મુસ્લિમો જ હિંદુ મંદિરો અને હિંદુઓને રક્ષણ આપી રહ્યાના અહેવાલો પણ છે. હીનતા બધે જ હોય છે એમ શાણપણ ઓછું હોય, અથવા શાણપણભરી રીતે વર્તવાની હિંમત ઓછી હોય, તો પણ તે જગતમાં બધે જ હોય છે એની એ સાબિતી છે.

એક હકીકત એ છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુઓ કે અન્ય લઘુમતીઓ પ્રત્યે જે વ્યવહાર ૧૯૪૭માં બ્રિટિશ ઇન્ડિયાના ભાગલા થયા પછી કરવામાં આવ્યો તેનાં ઉદાહરણો ભારતમાં આપવામાં આવે છે. એ બંને દેશોમાં ધર્મનિરપેક્ષતાના સંદર્ભમાં જે કંઈ થાય છે તે ભારતના હિંદુ જનમાનસ પર, આપણે ઈચ્છીએ કે ન ઇચ્છીએ, અસર કરે જ છે. એ બંને તો ઇસ્લામી રાજ્યો છે, પણ ભારત ક્યાં હિંદુ રાષ્ટ્ર છે, આપણે તો ધર્મનિરપેક્ષ રાજ્ય છીએ એટલે તેનાં ઉદાહરણો ભારતમાં લેવાય નહિ એવી દલીલ સાચી છે તેમ છતાં તે ઘણી વાર કારગત નીવડતી નથી અને ખરેખરા અર્થમાં ધર્મનિરપેક્ષ હોય તેવા હિંદુઓ પણ મુસ્લિમો આજે નહિ તો કાલે, દાયકાઓ પછી પણ,  હિંદુઓને હિંદુ નહિ રહેવા દે, અને શાંતિથી હિંદુ તરીકે જીવવા નહિ દે એવી માન્યતા ધરાવતા થઈ જાય છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓને રંજાડવામાં આવતા હોવાના સમાચારો વારંવાર આવ્યા જ કરતા રહ્યા છે. આ બધું શેખ હસીનાના દોઢ દાયકાના શાસનમાં પણ બન્યું છે અને તે પહેલાં પણ બન્યું છે. શેખ હસીના વડાં પ્રધાન બન્યાં પછી જ ૨૦૧૧માં બાંગ્લાદેશ ધર્મરાજ્ય બને તેવો પંદરમો સુધારો ત્યાંના બંધારણમાં થયેલો એ પણ હકીકત છે.

એ બંધારણની કલમ-૧૨નું શીર્ષક છે : ‘બિન-સાંપ્રદાયિકતા અને ધર્મસ્વાતંત્ર્ય’. તેમાં ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતનો અમલ કરવા ચાર મુદ્દા લખવામાં આવ્યા છે :

(૧) તમામ સ્વરૂપના કોમવાદનું નિવારણ.

(૨) કોઈ પણ ધર્મને રાજકીય દરજ્જો રાજ્ય ન આપે.

(૩) રાજકીય હેતુઓ માટે ધર્મનો દુરુપયોગ ન કરવામાં આવે.

(૪) કોઈ પણ ધર્મનું પાલન કરનારી વ્યક્તિઓની સતામણી ન કરવામાં આવે કે તેમની સામે કોઈ ભેદભાવ આચરવામાં ન આવે.  

બાંગ્લાદેશમાં જુદા જુદા ધર્મોના લોકો માટે ભારતમાં છે તેમ વ્યક્તિગત કાયદાઓ જુદા જુદા છે પરંતુ ઉપરના ચાર સિદ્ધાંતોનો અમલ કેટલો થયો તે અગત્યનો મુદ્દો છે. શેખ હસીનાની વિદાય પછી બાંગ્લાદેશમાં જેટલી છે તેટલી ધર્મનિરપેક્ષતાનું પણ શું થશે તે મોટો સવાલ છે. તેનું કારણ એ છે કે બેગમ ખાલિદા ઝિયાના પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બી.એન.પી.) જમાતે ઇસ્લામી સાથે ગાઢ રાજકીય સંબંધ ધરાવે છે અને જમાતે ઇસ્લામી એ ત્યાં માત્ર કોઈ ધાર્મિક સંગઠન નથી પણ એક રાજકીય પક્ષ પણ છે.

ઓગસ્ટ-૨૦૧૩માં ત્યાંની સર્વોચ્ચ અદાલતે તો તેની એક રાજકીય પક્ષ તરીકેની નોંધણી રદ કરી હતી અને તેના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હજુ હમણાં જ પહેલી ઓગસ્ટથી શેખ હસીનાની સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. પણ તે હવે સત્તામાં ભાગીદાર થાય કે તેનો રાજકીય ગજ વાગે એવી શક્યતાઓ ભરપૂર માત્રામાં ઊભી થઈ છે.

બાંગ્લાદેશના મુસ્લિમો કેટલા ધર્મનિરપેક્ષ છે? કે પછી તેમને હિન્દુઓનું ધર્માંતરણ કરાવવામાં સક્રિય રસ છે? ૨૦૨૨ની વસ્તી ગણતરી મુજબ બાંગ્લાદેશની વસ્તી ૧૬.૫૨ કરોડ છે અને એમાં હિંદુ વસ્તી ૧.૩૧ કરોડ એટલે કે ૭.૯૫ ટકા છે. ૧૯૭૪માં ત્યાં કુલ વસ્તી ૭.૧૫ કરોડ હતી અને તેમાં હિન્દુઓની વસ્તી ૯૭ લાખ એટલે કે ૧૩.૫ ટકા  હતી. આ આંકડા પરથી કેટલાક સવાલો ઊભા થાય છે :

(૧) જો દેશની કુલ વસ્તી 38 વર્ષમાં લગભગ સવા બે ગણી થઈ ગઈ તો હિન્દુઓની વસ્તી એટલી કેમ ના વધી? ટકાવારી પ્રમાણ ઘટ્યું કેમ?

(૨) શું લાખો હિંદુઓ બાંગ્લાદેશની  બહાર જતા રહ્યા એટલે તેમની વસ્તીનું ટકાવારી પ્રમણ ઘટી ગયું?

(૩) શું ત્યાંના હિંદુઓએ પોતે જ પોતાની વસ્તી નિયંત્રિત કરી?

(૪) શું મુસ્લિમોએ હિંદુઓનું ધર્માંતરણ કરાવવાના ભાતભાતના રસ્તા અપનાવ્યા કે પછી એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી કે જાનમાલ અને ઈજ્જત બચાવવા માટે હિંદુઓએ પોતે જ ઇસ્લામ ધર્મ અપનાવ્યો? 

સ્પષ્ટ છે કે હિંદુઓની વસ્તી આજે બાંગ્લાદેશમાં આશરે ૨.૧૪ કરોડ તો હોય જ, પણ નથી. ઇસ્લામમાં ધર્માંતરણ વાજિબ છે. ઇસ્લામ વિસ્તારવાદી ધર્મ છે. એટલે આજના અખબારી અહેવાલો પ્રમાણે જો બાંગ્લાદેશી હિંદુઓ હવે નવી સરકારથી ડરીને ભારતમાં આવવાની કોશિશ કરે તો રહ્યાસહ્યા હિંદુઓ પણ મુસ્લિમોથી વધુ ડરે છે એમ જ સાબિત થાય.

સવાલ ભારતની ધર્મનિરપેક્ષતાનો પણ છે કારણ કે ભારતમાં ધર્મનિરપેક્ષતાના અમલ સામે હિન્દુત્વનો ઝંડો ઉગામનારા દ્વારા જે સવાલો ઊભા કરવામાં આવે છે તે પાકિસ્તાન અને બાંગ્લાદેશની કહેવાતી ધર્મનિરપેક્ષતા પર પણ આધાર રાખે છે. જો બાંગ્લાદેશમાં રાજ્ય એટલે કે સરકાર ખરેખર ધર્મનિરપેક્ષ રહી હોય તો હિંદુઓની જે હાલત આજે ત્યાં છે તે ન હોત. બીજા ધર્મોના લોકોને મુસ્લિમ અને ખ્રિસ્તી બનાવવાનો ધંધો મુસ્લિમો અને ખ્રિસ્તીઓ બંધ કરે તો દક્ષિણ એશિયામાં, ભારતમાં અને દુનિયાભરમાં શાંતિ ઊભી થવાની શક્યતાઓ ખરેખર વધી જાય તેમ છે એમાં લેશમાત્ર શંકા નથી. પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે એવી કોઈ પણ ધર્મના લોકોની દૃઢ માન્યતા અશાંતિનું કારણ બને છે.

તા.૦૮-૦૮-૨૦૨૪
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...473474475476...480490500...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved