Opinion Magazine
Number of visits: 9557304
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શાંતિપૂર્ણ આંદોલન કરે તે જેલમાં અને હિંસાની ઉશ્કેરણી કરે તે મહેલમાં !

રમેશ સવાણી|Opinion - Opinion|25 October 2024

એક્ટિવિસ્ટ ઉમર ખાલિદે (37), નવી દિલ્હીમાં લોકશાહી ઢબે / શાંતિપૂર્ણ રીતે વડા પ્રધાન મોદીની વિભાજનકારી રાજનીતિનો વિરોધ કર્યો હતો.

વડા પ્રધાન મોદીએ, ભારતમાં રહેતા હોય અને પાડોશી દેશોમાં અત્યાચાર ભોગ બનેલ હિંદુઓ, શીખો, બૌદ્ધો, જૈનો, પારસીઓ અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા આપવાનો કાયદો પસાર કર્યો, પછી મુસ્લિમોમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. કેમ કે તેમાં મુસ્લિમોને સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવ્યા હતા.

દિલ્હીના શાહીન બાગમાં હજારો મહિલાઓએ મહિનાઓ સુધી ધરણા કર્યા. દિલ્હીના સૌથી ઠંડા શિયાળાનો સામનો કરીને, બાળકો સાથે, તેઓ એકઠા થયાં હતાં. નાગરિકતા કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન, ઉમર ખાલિદે મહિલાઓને કહ્યું હતું કે “અમે આ લડાઈ અમારા દેશની શેરીઓમાં સ્મિત સાથે અને અહિંસક રીતે લડીશું. આ ગાંધીને પ્રેમ કરતા લોકોનો મેળાવડો છે !” 

ત્યાં સુધી વિરોધ શાંતિપૂર્ણ રહ્યો હતો. પરંતુ ગોડસેવાદી-જમણેરી જૂથો અને મોદીજીની પાર્ટીના નેતાઓએ પ્રદર્શનકારીઓ વિશે ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા તેથી 2020ની શરૂઆતમાં દિલ્હીમાં વ્યાપક હિંસા ફાટી નીકળી. આ પહેલાં મોદીજીના મિનિસ્ટરે કહ્યું હતું કે “વિરોધીઓને / દેશદ્રોહીઓને ગોળી મારો !”

ઉમર ખાલિદ સામે દિલ્હી પોલીસનો શું આરોપ છે? તેમણે દિલ્હીમાં રમખાણો ભડકાવ્યા ! આ રમખાણોમાં 50થી વધુ લોકોના મોત થયાં, તેમાં મોટા ભાગના પીડિતો મુસ્લિમ હતા; જેઓ હિંદુ ટોળાંના હાથે મૃત્યુ પામ્યા હતા. 

સવાલ એ છે કે શું ઉમર ખાલિદે મુસ્લિમોની હત્યા કરવા હિન્દુ ટોળાઓને ઉશ્કેર્યા હતા? સરકાર / પોલીસને આ પ્રશ્ન ન સમજાય પણ અદાલતને પણ આ પ્રશ્ન સમજાતો નહીં હોય?

ઉમર ખાલિદની જામીન અરજી નીચલી અદાલતોમાં ત્રણ વખત નકારી કાઢવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતમાં તેમની જામીનની સુનાવણી ઓછામાં ઓછી એક ડઝન વખત સ્થગિત કરવામાં આવી છે.

આશ્ચર્યની બાબત એ છે કે રમખાણોમાં મોત થયાં તેમાં મુસ્લિમોની બહુમતી હોવા છતાં, રાજ્યનો ક્રોધ મુસ્લિમો સામે ઉતર્યો ! પોલીસે યુવાન મુસ્લિમોને કેસોમાં ફસાવી દીધા. પણ પોલીસે જેમણે હિંસાનું આહવાન કરીને કહેલ કે ‘ગોળી મારો’ તેને સ્પર્શ પણ ન કર્યો ! શાંતિપૂર્ણ આંદોલન કરે તે જેલમાં અને હિંસાની ઉશ્કેરણી કરે તે મહેલમાં !

સવાલ એ છે કે શું ઉમર ખાલિદે કોઈની હત્યા કરી હતી? કોઈની પર બળાત્કાર કર્યો હતો? બેન્કોના કરોડો રૂપિયા ખાઈ ગયો હતો? દેશદ્રોહી પ્રવૃત્તિ કરી હતી? ના, બિલકુલ નહીં. એણે સત્ય ઉચ્ચાર્યું હતું અને સરકારને અરીસો બતાવ્યો હતો; એ જ એનો ગુનો ! એટલે તો UAPA-Unlawful Activities (Prevention) Act હેઠળ તે ટ્રાયલ વિના ચાર વર્ષથી જેલમાં છે ! 

[સૌજન્ય : Suhasini Raj, New York Times, 22 ઓક્ટોબર 2024]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માણસ આજે (૧૧)

સુમન શાહ|Opinion - Opinion|25 October 2024

સુમન શાહ

માણસ જેટલો ઍક્ચ્યુઆલિટીમાં જીવતો હતો એટલો હવે વર્ચ્યુઆલિટીમાં જીવે છે. રાત્રે ઊંઘ આવે એટલે એ ન છૂટકે પોતાના ફોનને પડતો મૂકે છે, જો કે રીચાર્જિન્ગમાં મૂકવાનું ભૂલતો નથી. કેટલાકને થાય છે કે વારતહેવારે FB પર જાતભાતના ફોટા મુકાય છે, તે અતિશય છે. માનવતાવાદીઓ એને સામાન્ય માણસનું સુખ કહે છે, એમને માનવ માનવ વચ્ચે ભાઇચારાનો, માણસાઇનો, સેતુ બંધાતો લાગે છે. તેઓ એમ કહે છે કે એના ફોટા એ મૂકે, જોનારાઓને સારું લાગે, એ એમનો નાનો આનન્દ છે, એમાં તમે શું કામ સૂગાવ છો. ફોટા મૂકનારાઓ એને મણિબેન કે પોપટલાલ કહીને જૂનવાણીમાં ખપાવે છે. 

મને મિત્રો પ્રેમવશ ‘ગુડ મૉર્નિન્ગ’ મોકલે છે, ત્યારે અમેરિકામાં અમારે રાત હોય છે, ‘ગુડ નાઈટ’ મોકલે છે, ત્યારે અમારે સવાર હોય છે. તેમછતાં, મને એ શિષ્ટમાન્ય નિર્દોષ વિનિમયમાં શિસ્ત સાચવવાની ટેવ છે, એેટલે, અવારનવાર હું એઓને ‘હૅવા નાઇસ ડે’ લખું જ છું. મારો ભાવ પૂછનાર હરેકને હું પ્રતિભાવ પણ આપું જ છું. પણ કેટલાક તો વ્હૉટ્સઍપ પર કાવ્યો મોકલે, અભિપ્રાય પણ માગે, મૅસેન્જરમાં ય કૉપી-પેસ્ટ કરે, શું કરવાનું? મારા મૌન સામે, ક્રોધમુખી-ઇમોજી મોકલે, અપશબ્દ લખે, શું કરવાનું? 

કહે છે, ફેસબુક પર ગંદી ગાળો લખનારા, યુવતીઓને સૅક્સી ચેષ્ટાઓનાં રીલ્સ મોકલવાના બનાવો પણ બનતા હોય છે. ટ્રૉલિયાઓના ત્રાસનો તો પાર જ નથી.

આનો કશો ઇલાજ નથી, સિવાય કે તમે સહન કરી લો. પણ ટૅક્નોલૉજિ એમ સૂચવે છે કે વિવેક વાપરો, અમે વ્યવસ્થા રાખી છે : એને અન્ફ્રૅન્ડ કરી દો. ભાવ-પ્રતિભાવ કે લાઇક પણ ન કરો, ઇમોજી પ્રયોજો, એ પણ ન કરો, બ્લૅન્ક છોડી દો. 

અલબત્ત, ફેસબુકમાં, ‘ફેસબુક’સ કૉમ્યુનિટી સ્ટાન્ડર્ડ્સ’-ની જોગવાઇ છે. એમની AI-પાવર્ડ સિસ્ટમ હેટ-સ્પીચના કે ભ્રષ્ટ ભાષા-પ્રયોગના વીડિયોઝ કે ગંદી ટૅક્સ્ટને પણ સ્કૅન કરી શકે છે. ફેસબુકના હ્યુમન મૉડરેટર્સ પણ એ કામ કરી શકે છે. જો કે એ બધી સહાય માટે માણસે રીપોર્ટ કરવો પડે, જે ભાગ્યે જ કોઈ કરે છે.

સોશ્યલ મીડિયાના સદુપયોગ વિશે, બૌદ્ધિક ચર્ચાઓ વિશે, આપણે જાગ્રત નથી. બાકી, હિન્દીમાં My Hindi Forum કે અંગ્રેજીમાં Academia.edu, ResearchGate, Reddit, Stack Exchange, Quora કે ગુજરાતીમાં ‘અપના અડ્ડા’, શક્તિસિંહ પરમાર દ્વારા ચલાવાતું ‘ફિલ્લમ’, વિપુલ કલ્યાણીનું ‘ઓપિનિયન’, ‘બાબુ સુથાર’સ પોસ્ટ્સ’, ‘તુષાર રમણ ઓઝા’સ પોસ્ટ’ ‘દ્રુપદ અસ્તિત્વદર્શન’ કે ‘રસુવાર્તાવર્તુળ’-ના ‘પ્રશ્નોત્તર’ જેવાં પ્લૅટફૉર્મ્સ મુક્ત અભિવ્યક્તિનાં, રોકટોક વિનાની મૉકળી ચર્ચાનાં, પક્ષ-પ્રતિપક્ષની રીતે વિમર્શ-પરામર્શનાં ઝડપી અને અતિપારદર્શક સ્થાનો છે. 

ત્યાં જમણેરી અને ડાબેરી બન્ને પોતાને સમજાયેલાં સત્ય રજૂ કરી શકે છે. ત્યાં ટ્રૉલિયાઓને ફાવટ ન આવે, અતાર્કિકો ઉઘાડા પડી જાય. ત્યાં માત્ર લાઇક્સવાળાનું કે વાહ વાહ-વાળાઓનું કામ નહીં, પણ હું તો એમને જ કહું કે ત્યાં જોડાવ અને નાના-મોટા કે ખરા-ખોટા પણ પ્રતિભાવ લખો. અને અધ્યાપકોને કે વિદ્યાર્થીઓને મારે શું કામ કહેવું જોઈએ? તેઓ તો જ્ઞાનની શોધ સાથે જોડાયેલા જ છે ને …

+ +

હરારી કહે છે, વાસ્તવિકતાની રજૂઆતમાં હકીકતોની ઉપેક્ષા કરવામાં આવે છે, કેટલીક હકીકતોને વિકૃત કરવામાં આવે છે. ઉપરાન્ત, રજૂઆતમાં ચૉક્કસાઈ બાબતે પણ તેઓ જુદું જ કહેવા માગે છે : 

બોર્હેસ —

કહે છે કે આપણે વિશ્વને તન્તોતન્ત રજૂ કરવા માગીએ, પૂરેપૂરી ચૉક્કસાઇથી, તો ચૉકક્સાઇ માટેનો આપણો એ પુરુષાર્થ આપણને વન-ટુ-વન સ્કેલમાં ખૅંચી જશે; એટલે કે, એ માટે આપણે વિશ્વ અને તેની રજૂઆતને સરખેસરખાં કદમાપનાં રાખવાં જોઈશે. વાતના સમર્થનમાં હરારી હોર્હે લુઇસ બોર્હેસ[Jorge Luis Borges]ની ૧૯૪૭-માં પ્રકાશિત વાર્તા “An Exactitude in Science”-નું સ્મરણ કરે છે : 

વાર્તામાં, એક કાલ્પનિક સામ્રાજ્ય હોય છે. એની સરહદોના વધુ ને વધુ ચૉક્કસ નક્શા બનાવવાનો ઉદ્યમ શરૂ થાય છે, છેવટે સામ્રાજ્યના માપનો, વન-ટુ-વન સ્કેલનો, પરિપૂર્ણ નક્શો તૈયાર થાય છે, નક્શો એટલો બધો મોટો થયો હોય છે જાણે કે એમાં આખું સામ્રાજ્ય પથરાઈ ગયું. સામ્રાજ્ય = નક્શો, એવી મહત્ત્વાકાંક્ષી રજૂઆતના પ્રોજેક્ટ પાછળ એટલાં બધાં સંસાધનોનો ઉપયોગ થયેલો, કે અન્તે સામ્રાજ્ય તૂટી પડ્યું. પરિણામે, બન્યું એવું કે નક્શો પણ ફાટીતૂટીને વેરવિખેર થઈ ગયો. 

વાર્તાનો સાર આપતાં હરારી કહે છે કે અન્તિમ સ્વરૂપનો નક્શો પણ એ જ કહે છે કે પોતે વાસ્તવિકતાની રજૂઆત છે જ નહીં. અને તેથી, વાસ્તવ = સત્ય પણ કદી યે હશે જ નહીં. 

રજૂઆત-વાસ્તવિકતા-સત્ય વિશેના પોતાના એ મન્તવ્ય સંદર્ભે હરારી એમ સૂચવે છે કે વર્ચ્યુઅલ રીયાલિટી સત્યના ખયાલને જ ખાઈ જશે. એ માટે એમણે ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગના ‘મૅટાવર્સ’-નો નિર્દેશ કર્યો છે : 

મૅટાવર્સ —

મૅટાવર્સ એક વર્ચ્યુઅલ યુનિવર્સ છે. વિશ્વને એ હોર્હે લુઇસ બોર્હેસના વન-ટુ-વન સ્કેલની રીતે રજૂ કરવા નથી માગતું, પણ એ આપણા ખરેખરા વિશ્વમાં એક ઉમેરણ બનીને એને રીપ્લેસ કરવા માગે છે. એ બુએનો ઍરિસ કે સૉલ્ટ લેક સિટીની રૅપ્લિકા – અનુકૃતિ – નથી, એ તો, કેટલાક નિયમ અનુસાર અવનવા લૅન્ડસ્કૅપ્સ સહિતની નૂતન વર્ચ્યુઅલ કૉમ્યુનિટીઝ ઊભી કરવા આપણને નિમન્ત્રણ આપે છે. હરારી ઉમેરે છે કે ૨૦૨૪-નું મૅટાવર્સ અવાસ્તવિક અને અતિશયિત આશા કે આકાંક્ષા દીસે છે – overblown pipe dream. 

પરન્તુ આવનારા બે દાયકામાં લાખો-કરોડો લોકો એ વર્ચ્યુઅલ વાસ્તવિકતામાં ઘણુંબધું જીવવા માટે ત્યાં માઇગ્રેટ કરી જશે, જોડે પોતાની સામાજિક અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓ પણ લઈ જશે. અણુઓથી નહીં પણ બીટ્સથી રચાયેલા એ પર્યાવરણમાં બને કે લોકો ત્યાં સમ્બન્ધો બાંધવા જાય, જઈને જોબ કરે, ભાવાત્મક અપ્સ ઍન્ડ ડાઉન્સ પણ અનુભવે. બોર્હેસના વાર્તાસંગત શબ્દો વાપરીને હરારી કહે છે કે સંભવ છે કે દૂરના કોઇ રણમાં તૂટીફૂટી પુરાણી વાસ્તવિકતાના ટુકડા પડી રહ્યા હશે, (પેલા મૅપના હતા એવા) પણ જતન કરીને એને બચાવી લેવાનું મુશ્કેલ છે.

હરારી વાતને વિચારોત્તેજક બનાવવા હમેશાં અતિશયોક્તિ કરતા હોય છે, પણ હું આગવું ફિલ્ટર – ગળણી – વાપરીને અલ્પોક્તિ-સમ સમજણ મેળવી લઉં છું.

બને કે આપણા અનેક ફેસબુક-વાસીઓને ‘મૅટાવર્સ’-ની જાણ ન હોય. જાણ થશે તો પણ તેઓ ત્યાં રહેવા નહીં જાય. ગુજરાતી પોતાના સ્વાર્થને બરાબર ઓળખતો હોય છે. વર્ચ્યુઅલમાંથી ઍક્ચ્યુઅલમાં જવાની પૂરી મથામણ કરી લેતો હોય છે. એવા એક જણનો મને તાજેતરમાં અનુભવ થયો : 

મારું ‘સુમન’ નામ સ્ત્રીઓનું પણ હોઈ શકે છે. બને છે એવું કે એથી લલચાઈને કોઈ ઍફબીફ્રૅન્ડ, કદાચ યુવક, મારી જોડે મૅસેજિન્ગ શરૂ કરે છે : કેમ છો? શું ચાલે છે? હું અમદાવાદથી છું, તમે ક્યાં છો? : હું પણ અમદાવાદનો છું : હું એને સંતોષ થાય એવા જવાબો લખું છું, પણ હું મુદ્દા પર નથી આવતો, એટલે એ આગળ વધે છે : તમે સિન્ગલ છો? : હું સાચો જવાબ આપું છું, હા : એ લખે છે, ઇન્ટરેસ્ટિન્ગ : હું લખું છું, યસ ઇટિઝ. એ એકદમ આગળ વધી જાય છે : તમારું કોઇ અફલાતુન પિક્ચર અપલોડ કરો ને : હું હવે જૂઠું લખું છું : એ તો નથી : ઓ કે, આપણે ફેસ ટુ ફેસ થઇ શકીએ? : હું લખું છું, અફકોર્સ. એ પૂછે છે, કઈ જગ્યાએ. હું કહું છું નૉર્થ્રટ્રેઇલ પાર્કમાં : અમદાવાદમાં એ પાર્ક ક્યાં આવેલો છે? લોકેશન મોકલશો? : હું મૌન સેવું છું. એ પ્રશ્નાર્થનું ઇમોજી મોકલે છે, બીજી વાર મોકલે છે. ઉત્તરમાં હું એને મારા પ્રોફાઇલનો અભ્યાસ કરવા કહું છું. એનો ફુગ્ગો ફૂટી જાય છે.

= = =

(24Oct24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

રાત ગીરવે મુકવી પડી છે

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|25 October 2024

લખાણ પાકું કર્યા પછી રાત ગીરવે મુકવી પડી છે,

કરજ બધું ચૂકતે કરી જાત ઉકરડે ભુખવી પડી છે.

હું પ્રેમને ભીખવા અક્ષય પાત્ર લઈ જગતમાં ફરી વળ્યો છું,

પરાગ રસની રતાશ માટે વસંતને ભૂલવી પડી છે.

બનાવટી હાસ્ય જોઈને શોકમગ્ન મન આફરે ચડ્યું છે,

સમાજની રીત-ભાતને ટાળવા સફર લુણવી પડી છે.

નથી મળ્યો કોઈનો પ્રણય તો’ય દબદબો સાચવી રહ્યો છું,

કશા’જ અડબોથના ઉધારા કર્યા વગર ગુણવી પડી છે. 

અહીં છણાવટ વિના બધી પોલને ઉધાડી કરી રહ્યો છું,

લક્ષ્યાંકને સિદ્ધ-હસ્ત કરવાં દમામથી ગૂંથવી પડી છે.

e.mail : addave68@gmail.com

 

Loading

...102030...466467468469...480490500...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved